Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 624
________________ અભિવાદનગ્રંથે ] [ ૬૧૫ ક્યારેય રાગ-દ્વેષ ઉદ્ભવ્યું નથી. નવકારનું સતત રટણ કરતા હતા. અમરેલીમાં જે જે સાધુ ભગવંતે ચાતુર્માસ દરમ્યાન સ્થિરતા કરતા ત્યારે તેઓની વૈયાવચ્ચ શ્રી વૃજલાલભાઈએ સારી રીતે કરેલી. તેમનાં ધર્મપત્ની પણ ઘણું જ ધર્મપરાયણ હતાં. આ ધર્મશ્રદ્ધાળુ દંપતીના પુત્ર શ્રી રજનીકાન્તભાઈ પણ ખૂબ જ ધાર્મિક વૃત્તિવાળા છે, તેમનાં પત્ની શ્રી વસુમતીબહેન પણ આદરણીય નારી છે. શિક્ષણ સંસ્કારની પ્રવૃત્તિમાં આ યુવાન દંપતીને વિશેષ રસ અને રુચિ છે. શ્રી વૃજલાલ રતિલાલ શાહ શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિશાસ્ત્રમાં આત્માથનાં લક્ષણ બતાવતાં એક ગાથામાં કહ્યું છે, “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવખેદ, પ્રાણીદયા તથા આત્માર્થ નિવાસ. આત્માથીનાં આવાં લક્ષણને જેના જીવનમાં મહદ્ અંશે આવિર્ભાવ થયો છે, તે શ્રી વૃજલાલ રતિલાલ શાહને જન્મ તળાજાની નજીકમાં પીથલપુર નામે એક નાના ગામડામાં ઈ. સ. ૧૯૨૨ના ડિસેમ્બર માસમાં થયો હતો. ગામમાં તેમના દાદા શ્રી ગાંગજી કેશવજીના નામથી મેટી પેટી ચાલતી હતી. ગાંગજી શેઠને એક જ પુત્ર તે શ્રી વૃજલાલભાઈના પિતાશ્રી રતિલાલભાઈને તેમના એકના એક પુત્ર તે વૃજલાલભાઈ. ધરતીકંપના આંચકામાં મોટાં મોટાં મકાનો અને વિશાલ વૃક્ષને ધરાશાયી થતા જેમ વાર લાગતી નથી તેમ ગાંગજી કેશવજીની પેઢી પણ ઈ. સ. ૧૯૩૨માં મહામુશ્કેલીમાં આવી પડી. આ પેઢીનું મુખ્ય કામકાજ ખેતીવાડી અને ધીરધારનું હતું. વૃજલાલભાઈની ૧૩ વર્ષની વયે તેમનાં માતુશ્રી ચંદનબેનનું દુઃખદ અવસાન થયું. વૃજલાલભાઈને ત્રણ બહેને હોવાથી નાનપણથી જ તેમના માથે મોટી જવાબદારી આવી પડી. પિતાની મોટી બે બહેનોને શિક્ષણ મળી રહે એ હેતુથી તેમને પાલીતાણા શ્રાવિકાશ્રમમાં દાખલ કર્યા. એ વખતે કુટુંબ આર્થિક રીતે એટલું ઘસાયું હતું કે તેમની પાસે વાર્ષિક લવાજમ ભરી શકાય તેમ પણ ન હતું. પાછળથી આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662