________________
ઈનામી મેળાવડ, પાઠશાળાના વિકાસ માટે વ્યવસ્થિત યેજના વગેરે થયાં.
૧૨. દાદા સાહેબ શ્રી મહાવીર સ્વામીજીના મન્દિરના વિશાળ ચોકમાં અઢાઈ મહત્સવ–અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે ખૂબ ઉત્સાહથી થયાં.
૧૪. છેવટે વિહાર કરતાં મહારાજશ્રીએ સાધર્મિક બધુઓને મદદ કરવા માટે ઉપદેશ અને યોજના દર્શાવતા વડવા, કૃષ્ણનગર અને ગામે તે ઉત્સાહભેર ઉપાડી લીધી.
૧૫. વિહાર કર્યા બાદ, વરતેજમાં શ્રીનવપદ મંડળ તરફથી, શિહેરમાં શાહ લલ્લુભાઈ દેવચન્દ્ર અને શાહ જેઠાલાલભાઈ તરફથી અને પાલિતાણામાં ગોવિન્દજીભાઈ વાલુકડવાળા તરફથી પૂજા, સાધર્મિક ભક્તિ, વ્યાખ્યાન, પ્રભાવના વગેરે થયાં હતાં. ને તે તે સ્થળે ભાવનગરથી આગેવાન અને સગૃહસ્થ સારા પ્રમાણમાં મહારાજશ્રીના દર્શન-વન્દન માટે આવતાં સુંદર અનુમોદના થઈ હતી.
છેવટે પિતૃપક્ષે જેન છતાં વૈષ્ણવ સાળ પક્ષમાં લાંબા સમય સુધી રહેવાને કારણે જૈનત્વના સંસ્કારે નહિ જેવા રહેલા તે પણ પૂજ્યપાદ પરમ કૃપાલુ, સુરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપદેશ અને પ્રેરણાથી ચુસ્ત જેન બનેલા અને ટૂંક સમયમાં શેઠ ખાતિભાઈના સહકારથી તાલધ્વજ ગિરિ (તળાજા) તીર્થના વહીવટનું સુકાન હાથ ધરી સુંદર પ્રગતિ કરનારા, ઉચિત વિવેકપૂર્વક મળેલ લક્ષ્મીનો સદ્વ્યય કરનારા, ખુલ્લા હૃદયના શેઠ ભોગિભાઈની આ પુસ્તક પ્રકટ કરવા માટેની ઉદારતા અંગે અનુમોદના કરીએ છીએ.
પ્રાતે આ પૂજને ભવ્યાત્માઓ વારંવાર ભક્તિપૂર્વક ભણાવે ને હૃદયને ઉછરેગે રંગી પ્રભુ સાથે એકતા સાધી તન્મય બને એજ અભિલાષા સાથે વિરમીએ છીએ.
એજ લી. શ્રી જૈન સાહિત્યધિક સભા.
ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com