Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 32
________________ મુનિશ્રી ર’ધરવિજયજીકૃત ૨૦ રાત દિવસ રાતી હું સુત સન્તાપથી, દેતી ઠપકા ભરતને ભારોભાર જે; રુદન કરી કરી આંખા પણ ઓછી કરી, પલ પલ પૂછું તેના હી સમાચાર જો. ચેતન૦૨ એને દુ:ખે દુ:ખી થઇ શાર્ક રહી, વર્ષોથી કરતી અતિશે વલોપાત જે; મારા નન્દન મારા સ્નેહી પુત્ર એ, મારા રિખવા એમજ કરતી વાત જો, ચેતન૦૩ જોયું આજે અનુભવ કરી હું બ્હાવરી, બની હતી આ પુત્રની પાછળ વ્યર્થ જો; સુખ વિલસે એ આજે અધિકુ સર્વથી, નથી પડી મુજ એણે બેયા સ્વાર્થ જો, ચેતન૦૪ આત્મા મારા એક જ મુજ સાથે થશે, શુદ્ધ બુધ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ જો; બાહ્ય ઉપાધિ વળગી તે અળગી કરું, તા મુજને મળશે મુજ શુધ્ધ સ્વરૂપ જો.ચેતન૦૫ હાથીની અંબાડી ઉપર સ્થિર થઈ, વધતે ભાવે વરીયા કેવળજ્ઞાન જો; ધર્મ ધુરન્ધર પુત્રવધૂ મુખ દેખવા, પામ્યા જલ્દી જિનજિનની નિર્વાણ બે.ચેતન૦૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56