Page #1
--------------------------------------------------------------------------
________________
Polabb lidl lk Iblkbc bob
'ટleleblio ‘Lolli313
ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
मणस्स भगवओ महावीरस्स જયજી ગણિવર ગ્રંથમાળા નં. ૧૫ મવિ ચા૨
(પૂર્તિ નં. ૧-૨ જીવના ઉત્ક્રાંતિક્રમ સાથે)
: લેખક : ચીમનલાલ દલસુખભાઈ શાહ
FILT
': પ્રકાશક : પૂ. તપસ્વી મુનિરાજ શ્રીનિપુણવિજય મહારાજની પ્રેરણાથી પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી.
ગ્રંથમાળાના કાર્યવાહક શેઠ વીરચંદ રવચંદ લીંચ (ઉ. ગુજરાત)
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
વીર ૨૪૮૭
કાપી ૫૦૦
વિકમ ૨૦૧૩
૫. પં. મણિવિજ્યગણિવર ગ્રન્થમાલાનાં
પ્રકાશને
સિરિયાસણનાહ ચરિય * શ્રીઅમસ્વામીચરિત્ર ભા. ૧ ,
છ ભા. ૨ - સેનપ્રશ્ર ભાષાંતર
(બુક) શ્રીઆચારાંગસૂત્રદીપિકા પૂર્વાધ (પ્રત)
માર્ગનુસારિગુણવિવરણ * ઉપમિતિસારસમુચય
વિચારામૃતસારસંગ્રહ * મહાબલચરિત્ર * રણચૂડચરિયું રચૂડચરિત્રભાષાંતર (બુક) * ઉપધાનવિધિ દાનધર્મ શ્રીદશાશ્રુતસ્કંધચર્ણિ
(પ્રત) * આ નિશાનીવાળા ગ્રન્થ સિલકમાં નથી.
: ગ્રન્થમાલા કાર્યવાહક : શેઠ વીરચંદ રવચંદ લોંચ (ઉ. ગુજરાત)
11
11
= 11
1
- -
-
- -
-
મુદ્રક : અમરચંદ બેચરદાસ મહેતા શ્રી બહાદુરસિંહજી પ્રી. પ્રેસ–પાલીતાણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્ર
સ્તા વ ના
પરમ પૂજ્ય આગમહારક-ધ્યાનસ્થ સ્વઅંત આચાર્યદેવ શ્રીમાન આનંદસાગરસૂરીશ્વરજી મ. ના શિષ્ય પંન્યાસ શ્રાવિજયસાગરજી ગણિના શિષ્ય ગણિવર શ્રી લબ્ધિસાગરજીએ કર્મગ્રંથ અંગે કાંઈક લખાણ મારે આધુનિક શિલિએ લખવું તેમ મને જણાવ્યું. મારી તે માટે તૈયારી ન હોઈ મેં કાંઈક આનાકાની કરી. મારો અભ્યાસ તસ્વાર્થાધિગમ સૂત્રથી કાં પણ આગળ ન હતા, છતાં તેમની પ્રેરણાને દષ્ટિ સન્મુખ રાખી મેં તે અંગે દૃષ્ટિ દોડાવવા માંડી અને વાંચન અને નોંધ કરવાનું શરૂ કર્યું. આ અંગે કાંઈક વધારે માહિતી મેળવવા ભરૂચના સુશ્રાવક અનૂપચંદ મલકચંદકૃત પ્રશ્નોતરમાળા, પંચસંગ્રહ, સ્થાનાંગ, સમવાયાંગ અને ઉત્તરાધ્યયન આદિ આગમગ્રંથના અનુવાદો વાંચ્યા, તારવ્યા અને નેધ કરી. તે પરથી સમન્વય કરી કર્મવિચાર, અને જીવને ઉત્ક્રાંતિમ દર્શાવતી પૂર્તિ તૈયાર કરી. જીવને ઉજાંતિમ દર્શાવતી એક પૂર્તિ અકામ અને સકામ નિર્જરા અંગેની વિચારણા જીવને પિતાના આદિરવરૂપના વિચાર કરવા પૂરતી છે; જ્યારે બીજી પૂર્તિ ગુણસ્થાનના વિચાર પૂરતી છે. આમાં પણ પહેલી માત્ર કલ્પના વિહાર સદશ છે, જ્યારે બીજી આદમ અનુસાર છે. કર્મવિચારમાં આ બે વસ્તુ ઉમેરવાનું કારણ વાચકને અકામ નિજારો અને સકામ નિર્જરા વચ્ચેના ભેદની માહિતી અને તુલના દર્શાવવા પૂરતું છે; તે પરથી જીવ કયા મે પ્રગતિના પથે કયી કયી રીતે આગળ વધી શકે તે દર્શાવવા ગુણસ્થાનવિચાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
[૪]
મા' શાસ્ત્રીય જ્ઞાન ખૂબ મર્યાદિત હાઈ દરેક લખાણ મારે તજજ્ઞ મુનિવરેાને વંચાવીને યાગ્ય સુધારાવધારા કરવાની પણ જરૂર હતી, તે કારણે કવિચારનું લખાણ પરમપૂજ્ય ર૦૦ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજીના પ્રશિષ્ય મહિમાપ્રભવિજયજી અને અકામ સકામ નિર્જરા વિચાર અને ગુણુરથાન વિચાર એ છે લખાણ પરમ. પૂજ્ય ર૦૦ આચાય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના પ્રશિષ્ય મેરૂવિજયજી ત્યા પર પ્રવિજયજી આદિ પાસે રજૂ કરવા પડ્યા હતા.
આ ઉપરાંત આ સમગ્ર લખાણુની પ્રેસક્રાપી પરમ પૂજ્ય પન્યાસ શ્રીમણિવિજયજી મ૦ ના શિષ્ય પૂ. આ. મા॰ શ્રીવિજય કુમુદસૂરીજી મહારાજના શિષ્ય તપસ્વી શ્રાનિપુણવિજયજી મહારાજે ખંતપૂર્વક કરી આપી તેમજ આ પુસ્તિકા પણ પેાતાના દાદાગુરૂના નામથી ચાલતી ગ્રંથમાલા તરફથી બહાર પાડવા સહાય કરી છે, તે તેમની જ્ઞાન તરફની રૂચિ બતાવી આપે છે; તેમજ ગણિય શ્રી લબ્ધિસાગરજી મા॰ સા॰ ના શિષ્ય કાવ્યતી, ક્રમ ગ્રંથના અભ્યાસી પૂ. શ્રીયશાભદ્રસાગરજી મહારાજે આખુ પ્રેસમેટર એ એ વખત જોઇ અસંગતાદેાષ વગેરેના સુધારેા કરાવ્યેા છે. તેમજ માના બધાએ પ્રૂફ઼ા પૂ. મુનિમહારાજ શ્રીકુચનવિજયજી મહારાજે સુધારી આપવા પૂર્ણ કૃપા કરી છે. આ સર્વે મુનિ મહારાજે તથા આ અંગે જેમણે સહાય કરી છે તે સૌને આ પ્રસંગે આભાર માનું છું.
અકામ નિર્જરા અને સકામ નિર્જરા વિચાર એ કાલ્પનિક તા છે, છતાં તેમાં શાસ્ત્રીય આધારની અવગણના કરી નથી. આ ચિત્રનિરૂપણુ ક્ષમ્ય ગણાય. કેમ તે વિષે હું સાશક છું; છતાં મારી એ માન્યતા તા છે કે આપણી સન્મુખ એ બે પ્રકારની નિર્જરાનું ચિત્ર હાય તેા તેની તુલના, વ્યવહારિકતા અને કાર્ય કરતા વિષે આપણને સમજ પડે. ગુણસ્થાન વિચાર લખવામાં તે મારી ખૂબ ખૂબ સારી થઇ રહી હતી, કારણ કે આ વિષયથી તદ્દન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
[ પ ] અજાણ એવા મારે તે માટેની વસ્તુ શોધવા, મેળવવા અને તેને વ્યવસ્થિત રીતે રજૂ કરવા અનેક જાતની વિચારણા અને મનોમંથન કરવાં પડ્યાં છે. આટલા શ્રમ પછી તૈયાર કરેલ આ સર્વ લખાણ માટે મને સંતોષ અને આનંદ પણ છે; કારણ કે હવે મને લાગે છે કે તે વાચકગણુ સન્મુખ રજૂ કરવા યોગ્ય બન્યા છે. વાચકગણુ તેને કેવો આવકાર આપે છે તે હવે જોવું રહ્યું.
વિશ્વમાં અનેક સંપ્રદાય છે. કેટલાક સંપ્રદાય પુર્નજન્મને તે કેટલાક મોક્ષને પણ માનતા નથી. આ સંપ્રદાય માટે આ લખાણું નકામું જ છે. બીજા કેટલાક સંપ્રદાયમાં કર્મ અંગે માન્યતા છે; પરંતુ તે ઔધિક રીતે, કારણ કે તે તે સંપ્રદાયો પૂર્નજન્મને અને મોક્ષને માને છે, પરંતુ તેમની પાસે કર્મવિષયક કેાઈ શાસ્ત્ર નથી.
જૈનેનાં લુપ્ત થયેલ મનાતાં પૂર્વેમાં કર્મવિચારનું મૂળ છે, તેમાં કર્મપ્રવાદ નામનું એક આખું પૂર્વ છે. આ પૂર્વે પણ લુપ્ત થયેલ છે, પરંતુ તેમાંના કેટલાક વિચારો પરંપરાએ ઉતરી આવેલ છે અને સંધરાઈ રહ્યા છે. કમ્મપયડી, કર્મગ્રંથ ભા ૧ થી ૬, તત્વાર્થીધિગમસૂત્ર, પંચસંગ્રહ તેમજ ઉત્તરાધ્યયનસૂત્ર આદિ આગમગ્રંથોમાં કર્મપ્રવાદના મૂળ, ડાળાં, ઝાંખરાં જોવા મળે છે. આ વિષયઅંગે મેં મારું પોતાનું તો કાંઈ લખ્યું નથી. મારી તેવી શક્તિ કે લાયકાત પણું નથી. પૂર્વ પુરૂષોના લખાણમાંથી જે કાંઈ યોગ્ય લાગ્યું તેને ઉપાડી લઇ તેને નવીન યોગ્ય વસ્ત્રપરિધાન મેં કરાવ્યું છે; આમ કરવામાં મને તે જ્ઞાન લાભ થયો છે. વાચકને મારી રજુઆત યોગ્ય લાગશે કે કેમ તે વાચકે તે વિચારવાનું રહે છે.
પ્રસ્તાવનામાં વિષય અંગે કાંઈક કહેવું જરૂરી છે કે કેમ તે વિચારણીય છે. જેને કર્મને પુદ્ગલ માને છે. પુદગલરૂપી છે. પુદગલના બે પ્રકાર છે. (૧) સુલમ અને (૨) બાદરઃ બાદરપુદગલ રકંધ ઈન્દ્રિય ગોચર છે, પરંતુ સમ પુદ્ગલ ઇન્દ્રિયથી પારખી કે જાણું શકાતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
નથી. કર્મના પુદ્ગલ સ્કંધે અનંતાનંત પ્રદેશના બનેલ છે. પ્રદેશમાં જેમ જેમ વધારો થતો જાય છે તેમ તેમ તેના સ્કંધ સૂક્ષ્માતિસૂક્ષમ બનતા જાય છે. આ કારણે કર્મના પુદ્ગલસ્ક ધ ઇન્દ્રિયનેચર નથી અને તે કર્મવાદને પ્રત્યક્ષ અથવા દષ્ટિગોચર બનાવવાનું શકય નથી, પરંતુ જગતના જુદા જુદા પ્રકારના છ પર તેના જુદા જુદા પરિણામે જોતાં કર્મ જેવા તત્ત્વનું પ્રતિપાદન કરવું શક્ય બને છે. આ રીતે આગમ અને અનુભવ એ બેને કર્મવાદ સ્વીકારવામાં ટેકા છે.
આથી વિશેષ કાંઈ કહેવું યોગ્ય તેમજ હિતાવહ નથી, વાચક પતે સ્વતંત્ર રીતે પોતાની દૃષ્ટિ નિર્મળ બનાવી આ વસ્તુને વિચારે તેટલી અપેક્ષા રાખવી તે ખોટું નથી.
અંતે વિષયની વિચારણા, રજૂઆત, લખાણ અને મુદ્રણ સુધીના પ્રસંગ દરમિયાન જે કાંઇ ખલન થયા હોય તે સર્વ માટે મિથ્યા મે દુષ્કૃતમ, ઈછી વિરમું છું.
લિ. ચીમનલાલ દ. શાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
કર્મ વિચાર
(૨) ધર્મ
- અનુક્રમણિકા વિષય
પષ્ટ વિષય પદ્રવ્ય
વિષયપ્રવેશ: (૧) જીવ
૧ પુરૂષાર્થ (૨) અજીવ
(૧) કામ (અ) ધમસ્તિકાય
(૨) મેક્ષ () અધમસ્તિકાયા
તેનાં સાધન () આકાશાસ્તિકાય
(૧) અર્થ (3) પુદગલારિતકાય (૩) કાલ
કર્મના બંધહેતુ: ૧૦-૧૫ છવસ્વરૂપ
(૧) મિથ્યાત્વ ૧૦-૧૧ (૧) સમગજ્ઞાન
૧૦૪-૧૦૫-૧૦-૧૦૭ (૨) સમ્યગદર્શન ૧-૨ ૯૬-૯૭-૯૮
અભિગ્રહિત (૩) સમ્યફ ચારિત્ર
અનભિગ્રહિત ૧૦-૧૦૫ અવસ્વરૂપ
આબિનિવેશિક ૧૧-૧૦૫ (1) દેશ, પ્રદેશ, અંધ
અનામિક ૧૦–૧૦૫ (૨) પરમાણુ-અણુ
સાંશયિક ૧૦-૧૦૫ (૩) અતિકાયા
(૨) અવિરતિ ૧ર-૧૪ (૪) રૂપીઆરપીવ
વ્રતઃ (અણુ-મહા) ૧૧-૧૪ (૫) અવગાહના
૭. પ્રાણાતિપાત વિરમણ ૧૨-૧૩ () કાર્ય
૭. મૃષાવાદ • •
બ.
-
૪
-
૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૩
૧૬
૧૩
૧ ૩.
૨૪
[[૮] વિષય પૃષ્ટ | વિષય
પૃષ્ઠ અદત્તાદાનવિરમણ ૧૨-૧૩ કાગ ૧૫–૧૩૦ મૈથુન ,
બંધહેતુની મર્યાદા ૧૫ પરિગ્રહ છે
કર્મના આશ્રવ: ગુણુવ્રત:
આશ્રવ વિન્ટ બંધ દિપરિમાણુ
૧ ૩ જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ભેગઉપભેગપરિમાણુ
આશ્રવ ૧૬-૧૭ અનર્થ દંડ
'૧૩ વેદનીયના આશ્રવ ૧૮-૧૯ શિક્ષાવત:
૧૩-૧૪ મેહનીયના આશ્રવ ૧૯-૨૦ સામાયિક
આયુષ્યના આશ્રવ ૨૧-૨૨ દેશાવમાસિક
નામના આશ્રય ૨૨-૨૩ પૌષધોપવાસ
૧૩ ગોત્રના આશ્રવ અતિથિસંવિભાગ
અંતરાય આશ્રય
૨૫ પ્રમાદ: ૧૪-૧૧૮–૧૧૯-૧૨૦ પચ્ચીસ ક્રિયા: ૨૫-૨૬ મદ ૧૪-૧૧૮-૧૧૯ | કર્મબંધ:
૨૬-૧૭ વિષય ૧૪–૧૧૯ પ્રકૃતિબંધ:
૨૬-૨૭ કષાય
૧૪–૧૧૯ (૧) જ્ઞાનાવરણ ૩૨-૩૩ ૧૪-૧૨૦ મતિજ્ઞાનાવરણ
-૩૩ નિદ્રા
૧૪-૧૨૦ કષાય:
અવધિ , કેધ
મન-પર્યાય , માન
કેવલ , માયા
(૨) દશનાવરણઃ ૩૪-૩૫ લોભ
ચક્ષુદર્શનાવરણ ગ:
૧૫–૧૩૦ અચક્ષુ મને યોગ
અવધિ છે
વિકથા
વચનયોગ
: -
કવલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
૩૯-૪૦
દેવ
૪૧
૪૧
[ ૯ ] વિષય
પૃષ્ઠ | વિષય નિદ્રા
૦૪-૩૫
પુરૂષદ નિદ્રાનિદ્રા
સ્ત્રીવેદ પ્રચલા
નપુંસકવેદ પ્રચલાપ્રચલા
(૫) આયુષ્ય: સત્યાનદ્ધિ
નારક (૩) વેદનીય: ૩૫-૩૬ તિર્યંચ ચાતા
મનુષ્ય અશાતા. (૪) મેહનીયઃ ૩૬-૩૭ (૬) નામ ૪૦ થી ૫૬ દર્શનમોહનીય: (૩)
પિંડ પ્રકૃતિ: (૧૪) ૪૦ થી ૪૬ મિથ્યાત્વમોહ
ગતિ ૪ મિશ્રમેહ
જાતિ ૫ સમ્યકત્વમોહ
શરીર ૫
૪૧ થી ૪ ચારિત્રમેહનીય: ૩૭–૩૮
અંગોપાંગ ૩ કષાયમહનીય: (૧૬)
બંધન ૧૫
૪૩ ચાર પ્રકારના ક્રોધ
સધાત ૫
४४ છે માન
સંહનન ૬ માયા
સંસ્થાન ૬ , લોભ
વર્ણ ૫ નેકષાયમેહનીયઃ (૯)
રસ ૫ હાસ્ય
ગંધ ૨ રતિ
સ્પર્શ ૮ અરતિ
આનુપૂર્તિ ૪ શોક
વિહાગતિ ૨ જય
" | પ્રત્યેક પ્રકૃતિઃ (૮) ૪૮-૪૯ જુગુપ્સા
અરૂલઘુ
૪૮ www.umaragyanbhandar.com
જય
૪૪-૪૫
2 3
૪ = ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #10
--------------------------------------------------------------------------
________________
ઉચ નીચ
૫૫
t૧૦ ] વિષય
પૃષ્ઠ | વિષય ઉપઘાત ૪૮ | (૭) ગોત્ર:
૫૬-૫૭ પરાઘાત
૫૭ અાતપ
૫૭ Gaોત
(૮) અંતરાય ૫૭-૫૮ શ્વાસોશ્વાસ
(૧) દાનાંતરાય
૫૭ નિર્માણ
(૨) લાભાંતરાય તીર્થંકર
૪૮-૪૯
(૩) બોગાંતરાય સ્થાવર શક:
૪૯-૫૬
(૪) ઉપભોગાંતરાય સશક; સ્થાવર વિ. ત્રાસ
(૫) વીર્થી તરાય ૫૭-૫૮ સૂક્ષ્મ વિ. બાદર
સ્થિતિબંધ:
૬૨-૬૪ અપર્યાપ્ત વિ. પર્યાપ્ત
(૧) ઉદય વિ. અનુદયકાળ ૬૨ પર્યાપ્તિ ૪૯-૫૫-૭૦–૭૩
(૨) કર્મબંધકાળ આહાર
(૩) સત્તાકાળ
૫૦–૭૧ શરીર
(૪) અબાધાકાળ
૫૧૭૧ ઈન્દ્રિય
(૫) સ્થિતિ ૫૧-૭૨
૬૨-૬૩ શ્વાસોશ્વાસ
(૬) નિષેક રચના
૫ -૭ર ભાષા
૫૩-૭૩ અનુભાગ-રસબંધ મન
૫૨-૭
અનુભાગના પર્યાય ૬૪ સાધારણ વિ. પ્રત્યેક ૫૫
વેશ્યાઃ ૬૪-૬૫–૭૭-૭૮ અસ્થિર વિ. સ્થિર અશુભ વિ, શુભ દુર્ભગ વિ. સુભગ
કાપત દુ:સ્વર વિ. સુસ્વર
તેજ અનાદેય વિ. આદેય
પા અપયશકીતિ વિ.
શુકલ યશકીતિ
સાત પ્રકૃતિને બંધસમય ૬૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
કુષ્ણુ
નીલ
Page #11
--------------------------------------------------------------------------
________________
દેવ
૭૧–૫૧ ?
ભાષા
[12] વિષય
| પૃષ્ઠ | વિષય આયુષ્ય • ૬૭ ગતિઃ
૭૫-૭૬-૭૭ પૂર્તિ નં. ૧
નારક અકામ અને સકામ
તિર્યંચ નિર્જરા વિચાર
મનુષ્ય અકામ વિ. સકામનિર્જરા ૭૦ પર્યાસિ : ૭૦-૭૩, ૪૪–૫૫ - ચૌદ રાજલોકમાં તેનાં સ્થાન , આહાર
૭૧-૫૦
ચૌદ રાજલોકનો આકાર , શરીર
મધ્યક ઇન્દ્રિય
૭૨-૫૧ કર્મ વિ. અકર્મભૂમિ ૭૬-૭૭ શ્વાસે શ્વાસ
૭૨-૫૧ : લેયાઃ ૭૭-૭૮-૬૪-૬૫ ૭૩–૫ર
૬૪-૬૫ ૭૩-પર નીલ પ્રાણું:
૭૩-૭૪ કાપત સ્પર્શનેંન્દ્રિય
તેજ રસનેન્દ્રિય
૫% ધ્રાણેન્દ્રિય
શુકલ ચક્ષુરિન્દ્રિય
જીવનું અનાદિમૂળ સ્થાન ૭૮ શ્રોત્રક્રિય
સૂક્ષ્મનિગોદના અવ્યવહાર શ્વાસોશ્વાસ
રાશિના જીવન માયુષ્ય
સૂમ સાધારણ શરીરી કાય
વનસ્પતિકાય ૭૮ વચનબળ
સુમનિગાહના વ્યવહાર મને બળ
રાશિના જીવ ૭૮-૭૯ આયુષ્ય
સૂતમ સાધારણ શરીરી સેપમ
એકેન્દ્રિય
૭૮-૭૯ નિરૂપમ
બાદર » ૭૦-૮૦
મન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
વિષય ભાદર પ્રત્યેક શરીરી એન્દ્રિય વિકલેન્દ્રિયઃ (ત્રસ જીવ) ૮૧-૮૨
૮૧
મે ઇન્દ્રિય
ત્રિ
99
39
નારક
તિય‘ચ
મનુષ્ય
વ
ચઉ
''
પંચેન્દ્રિય જીવ: અસ’જ્ઞીમનુષ્ય: (પંચેન્દ્રિય)
તિ"ચ સન્નીપ ́ચેન્દ્રિયઃ ૮૩-૮૪-૮૫
૮૩-૮૪-૮૫
તારક
તિય ચ
મનુષ્ય
દેવ
""
33
..
ઉત્ક્રાંતિક્રમની મર્યાદા: સજ્ઞીપ'ચેન્દ્રિય જીવનીપરિસ્થિતિ:
..
પૃષ્ઠ
૮૧-૮૨-૮૩
""
""
જીવની મૂઢતાના કારણ: (૧) પૂર્વાતિ મેાહના
સકાર
"
[૧૨]
ܙ,
,,
૮૫
૮૬-૧૦૨.
<
219
૨૭-૯૩
૮૭
૮૯
re
વિષય શાશ્વત વિ. અશાશ્વત
"
સુખઃ
સકામ નિરાની
ઝડપ
મિથ્યાત્વઃ
સમ્યગદન:
પૂર્તિ નં. ૨
ઔપશ્િમક ક્ષયેાપરામિક ક્ષાયિક દેશવિરતગુણસ્થાન ૯૮-૧૧૪-૧૧૬
પ્રમતસયત
""
મિથ્યાત્વ:
(૨) સયેાગના અભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અભિવૃહિત અનબિગ્રહિત ચ્યાભિનિવેશિક
૯૫-૧૦૨
૯૫,૧૦૪,૧૦૫
૯૬-૯૭-૯૮
પૃષ્ઠ
૧, ૨, ૧૧૧
૯૬-૯૭ ૧, ૨,
૯૬-૯૭ ૧, ૨,
૯૬-૯૭ ૧, ૨,
અપ્રમત, અપૂવ કરણ, સુક્ષ્મ સંપરાય
અને ક્ષીણુ માહ ૯૯-૧૨૦-૧૩૦ સયેાગી ૯૯-૧૦૦-૧૩૦-૧૩૨ અયેાગી ૯-૧૦૦-૧૩૨-૧૩} ઉપસ’હાર
૯૩
ગુણસ્થાન વિચાર
૧૧૭–૧૨૦
t
૧૦૨-૧૦૨
૧૦૫
..
૧૦૪૧૦૭
૧૦-૧૧=૫
૧૦
૧૦
૧૧
..
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
વિષય અનાભેાગિક
સાંશિયક
સ્થિતિ
સાસ્વાદન:
સ્વરૂપ અને સ્થિતિ સમ્યકૃતવમિથ્યાત્વ (મિશ્ર) ૧૦૮-૧૦ સાંશયિક મિથ્યાત્વ વિ॰ મિશ્ર
૧૦૮-૧૯
.
""
91
91
[ ૧૭ ]
પૃષ્ઠ
૧૦
૧૦
૧૦૭
૧૦૭–૧૮
ગુણસ્થાન
૧૦૯
૧૧૦
સ્થિતિ અવિરત સમ્યગઢષ્ટિ ૧૧૦-૧૧૪ યથાપ્રવૃત્તિકરણ પૂર્વ કરણ અનિવૃત્તિકરણ સમ્યગ્દર્શન
او
જીવની સંખ્યા
સ્થિતિ
દેશવિરત સમ્યકિ
૧૧૧ ૧-૨ ૯}=e
""
ઔપમિક સાયે।પમિક સાયિક અધિકારી જીવ
૧૧૨
જુદા જુદા પ્રકારના સમીતી ૧૧૨
""
૧૧૪
૧૧૪–૧૧૬
૧૧૫
વિષય
સ્થિતિ
પ્રમત્ત સયત
ગુપ્તિ વિ॰ સમિતિ
સ્થિતિ
પ્રમાદ
મ
વિષય
કાય
વિકથા
નિદ્રા
અપ્રમત
ધર્મ ધ્યાનઃ
સ્થિતિ
આનાવિચય
અપાયવિચય
વિપાકવિચય સસ્થાનવિચય
અપૂર્વ કરણ:
રસધાત
સ્થિતિધાત
ગુણશ્રેણિ:
ઊપશમશ્રેણિ
ક્ષપકશ્રેણિ
ગુણસક્રમ અપૂર્વ સ્થિતિબંધ
રિયતિ
અધિકારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પૃષ્ઠ
૧૧૬
૧૧૭-૧૨૦
૧૧૭
૧૧૮
૧૧૮–૧૨૦
૧૧૮-૧૧૨
૧૧૯
99
૧૨૦
''
૧૨૦–૧૨૨
૧૨૧–૧૨૨
૧૨૧
"1
رز
"
૧૨૧–૧૨૨
૧૨૨=૧૨૪
૧૨૩
૧૨૩
૧રર
,,
""
૧૨૩
૧ર૩
૧૨૩
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
વિષય
કાયા
[૧૪] | પૃષ્ટ ! વિષય
પૃષ્ઠ અનિવૃત્તિ બાદ ૧૨૪-૧૨૫ રિથતિ
૧૩૦ અધ્યવસાયસ્થાન ૧૨૪ સગી ૧૩૦ થી ૧૩૨ સ્થિતિ
૧૨૫ યોગ સૂલમપરાય: ૧૨૫ મન
૧૦-૧૫ મેહનીય સર્વ પ્રકૃતિનો ક્ષય વચન
અથવા ઉપશમ ૧૨૫ સ્થિતિ | | | સ્થિતિ ઉપશાંત મેહઃ ૧૨૬-૧૨૭! કેવલી સમુદ્ધાત અધિકારી
૧૨૬ | શુકલધ્યાન ૧૩૫-૧૩૨ વીતરાગતાનો અનુભવ , | (૩) સૂમક્રિયા અપ્રતિપાતી ૧૩૨ મેહને ઉદય અને તેનું
(૪) ભુપતક્રિયા નિવૃત્તિ ૧૦૨ પરિણામ ૧૨૬-૧૨૭ બાદર યોગનિરોધ સ્થિતિ
૧૨૭ સૂક્ષ્મ ક્ષીણમેહઃ ૧૨૭-૧૩૦ | અગી ૧૩૨ થી ૧૦૬ શુકલધ્યાન: ૧૨૮-૧૩૦ | શિલેશીકરણ
૧૩૭ (૧) પૃથફ વિતર્કસવિચાર | સ્થિતિ
૧૩૨
૧૭૧
૧૩૩
૧૭
(૨) એકત્ત્વ વિતર્કઅવિચાર ઉપસંહાર
ગુણસ્થાન સંક્ષેપ સાર ચારઘાતી કર્મને ક્ષય
૧૩૩ થી ૧૩૫ સર્વત્વની પ્રાપ્તિ
સ્થિતિ ૧૭૫ સકામ અકામ નિર્જરાનો
, સ્વામી ૧૩૫-૩૬ અંત
૧૨૯ | અકામ સકામ નિર્જરા ૧૦૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
શુ દ્ધિ પ ત્ર ક
પૃષ્ટ
લીટી
૧
૧૩
૧૩
૧૫
અશુદ્ધ વિષય અંગે યથાસ્થિતિ ઘર્માસ્તિકાય (૩) અનર્થદંડ વિરમણ ભોગોપભોગ બત
૧૩ ૧.
૬ ૮
શુદ્ધ વિષય અંગે યથાસ્થિત ધમસ્તિકાય અનાથદંડ વિરમણું ભગોપભોગ
પરિમાણ વ્રત બંધહેતુ દરેકના દરેકના વસ્તુને
હેતા
૧૬ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૫ ૨૬ ૨૭ ૨૭
૨ ૧૮ ૨૨ ૨૧ ૧૯
૨ ૨ ૧૧
૭ ૨૭
બંધહેતું દરેકના દરેકના વસ્તુનો હેવા એ
આશ્વ : કમવર્માણ
હેય કાષાયીક તેમાં તેમાં
એવા
માત્ર કમવર્માણ
કાષાવિક તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
પણ ૩૧
લીટી ૨૧ ૧૧
૩૪
હાય
છે.
૨૦
ર૭
૨૨
૪૦
૧૪
[૧૬] અશુદ્ધ પ્રકૃિતબંધ
પ્રતિબંધ અવધિજ્ઞાનાવરથ અવધિજ્ઞાનાવરણ ઊમેરે
દર્શનાવરણ:
હાઈ અઠ્ઠાવીસ પ્રકૃતિ અઠ્ઠાવીસ ઉત્તર પ્રકૃતિ અનિશ્ચિત
અનિશ્ચિત ત્રણમાંનું
એ ત્રણમાંનું અસશી
અસંશી પ્રકૃિત
પ્રકૃતિ આ શરીર
આ બે શરીર વિષયૂના
વિષયના
જધા અંકાડા
અકડા ચાર=દાંત
ચોરદાંત ઊમેરે: ત્રસદસક આ પ્રમાણે છે. (૧) બસ, (૨) બાદર, (૩) પ્રર્યાપ્ત, (૪) પ્રત્યેક (૫) સ્થિર, (૬) શુભ, (૭) સુસ્વર, (૮) સુભગ (૯) આદેય
અને (૧૦) યશકીતિ. તેજ પુદ્ગલ અને તે પુદગલ અને તે થાય •
થયો જીવને
૪૩
૪૩
૪૩ ૪૪
૧૨ ૧૮
૪૮
૧૦
૪૯
૮
૫૦ ૫૧ ૫૩
૮ ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
[૧૭] પૃષ્ટ લીટી અશુદ્ધ
શુદ્ધ ૫૪ ૧૯ તેમાંથી
તેમાંની પ૬ ૧૭ પ્રાપ્તિ
પ્રાપ્ત ૫૯ ૧૫
૧૫ ૯ નોકષ, મિથ્યાત્વ ૯નેકષાય, મિથ્યાત્વ ૬૦ ૧૫ મનુષ્યાનુવ
મનુષ્યાનુપૂર્વી ૧ (અશુભ) વિહાગતિ વિહાગતિ
(અશુભ) ૧૪ ટૂંકી ૧૮ અબાધકાળ
અબાધાકાળ પ્રવૃત્તિમાં વિર્યોલાસ પ્રવૃત્તિમાં નિરસ
વીર્યો લાસ કેટલીક
કેટલીકમાં ૧૨ પુગલમાંથી
પુદ્ગલમાંથી અથાંત
અર્થાત ધ્રાણેન્દ્રિ
ધ્રાણેન્દ્રિય ૨૦ સ્પશનેન્દ્રિ
સ્પર્શનેન્દ્રિય એ પ્રાણું
એ આઠ પ્રાણ પચેન્દિ
પંચેન્દ્રિય ૭૬ ૩ સિદ્ધશિલા સિવાયના (2) સિદ્ધશિલાના ઉપરના
ભાગ સિવાયના ૭૭ ૨ સરુવાત
શરૂઆત ७८८ તિર્યંચ
તિર્યંચ પ્રધાનતથા
પ્રધાનતયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૧૮
૧૭૩
૧૧૪
७४
૨૨
S
૧૪
Page #18
--------------------------------------------------------------------------
________________
પણ
લીટી
૪૮
૧૧
[૧૮] અશુદ્ધ બાકીના પ્રાપ્તિ તિર્યંચ
૭૮
૨૧
શુદ્ધ બાકીની પર્યાપ્તિ
તિર્યંચ છે. દેવ અને નારએ દરેકને પણ દશ પ્રાણુ અને છ પર્યાપ્તિ હોય છે
તિયચ: મનુષ્યઃ દેવ:
रेछे (૧) પૂર્વાજિંત
જીવનસંવર્ધનને જ
૮૭
૮
તિર્યંચ મનુષ્ય દેવ
પૂર્વાછત જીવનસંવર્ધનનેજ જીવ માટે ખીરવચનના સમ્યગદર્શથથી દ્રવ્યા
૧૦૮
૧૪
ખીરવમનના સમ્યગદર્શનથી દ્રવ્ય
૧૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
णमो समणस्स भगवओ महावीरस्स પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી ગ્રંથમાલા નં. ૧૫
કર્મવિચાર
પદ્રવ્ય :
અનાદિ એવા આ વિશ્વમાં મૂળભૂત બે ત છે. (૧) જીવ અને (૨) અજીવ.
જીવનું લક્ષણ ઉપયોગ છે; જીવનું ઉપયોગ લક્ષણ તેનામાં બે રીતે કાર્ય કરે છે: (૧) સામાન્યજ્ઞાન અથવા દર્શનરૂપે અને (૨) વિશેષજ્ઞાન અથવા જ્ઞાનરૂપે. શેયદ્રવ્ય અથવા વિષયની હંમેશાં બે બાજુ હોય છે; (૧) સામાન્ય અને (૨) વિશેષ. આ બન્ને બાજુઓને આપણે સામાન્યગુણ અને વિશેષગુણ એ નામે ઓળખીએ પણ છીએ. સામાન્યગુણની પિછાન કરાવે એ સામાન્યજ્ઞાન અથવા દર્શનઉપયોગ છે. જ્યારે વિશેષગુણની પિછાન કરાવે એ વિશેષજ્ઞાન અથવા જ્ઞાનઉપયોગ છે. આ બન્ને ઉપયોગ વાપરવાથી જીવ યદ્રવ્ય અથવા વિષયઅંગે પૂરે પરિચય મેળવી શકે છે.
સ્વરુપ નામ, જાતિ, ગુણ અને ક્રિયા આદિ જાણ્યા વિના કરાતું—દ્રવ્ય અથવા વિષયનું અવ્યક્તજ્ઞાન એ સામાન્યજ્ઞાન છે;
૧ જૂઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ૦ ૨, સૂત્ર ૮–૯.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૨ 1.
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી જ્યારે નામ, જાતિ, ગુણ અને ક્રિયા આદિ જાણીને કરાતું દ્રવ્ય અથવા વિષયનું વ્યક્તજ્ઞાન એ વિશેષજ્ઞાન છે. સામાન્યજ્ઞાન કરતાં વિશેષજ્ઞાનમાં ભેદ પ્રભેદને વિચાર અને પૃથક્કરણ કરવામાં આવે છે. અને છેવટે તેના સમન્વયરૂપે જીવને વ્યક્તજ્ઞાન થાય છે. આમ દર્શનઉપયોગથી અવ્યક્તજ્ઞાન અને જ્ઞાનેપગથી વ્યક્તજ્ઞાન જીવ મેળવે છે. દર્શનઉયયેગનું આવરણ દર્શનાવરણકર્મ અને જ્ઞાનપયોગનું આવરણ જ્ઞાનાવરણ કર્મ છે. જીવ:
જીવના ત્રણ ગુણ છે. (૧) સમ્યગદર્શન (૨) સમ્યગ્રજ્ઞાન અને (૩) સમ્યક્રચારિત્ર.
જીવના ગુણ તરીકે દર્શન અથવા સમ્યગ્ગદર્શનને વિચાર કરતાં તેને અર્થનિર્મળ નિર્લેપ અને સ્પષ્ટદષ્ટિ છે. ટૂંકમાં તેને સમદષ્ટિ કહી શકાય. આમ જીવને દર્શનગુણ જુદા જ પારિભાષિક શબ્દ અને તેના વિશેષ અર્થનું આપણને ભાન કરાવે છે. ઉપરના અર્થને વિકસાવતાં સ્વાર્થ અને કષાય એ બે રહિત એવી તટસ્થ અથવા સમવૃત્તિ અથવા દષ્ટિ એ અર્થ પણ કરી શકાય. જ્યારે તેને વિકસાવેલ અર્થ સ્વીકારીએ ત્યારે જીવનના વિકાસ સાધવાના માર્ગનું શેધન, ચિંતન આદિ પણ અર્થ તારવી શકાય; દર્શનને આ અર્થ અપરિચિત અને નવીન લાગે તેમ છે; પરંતુ તે આપણા રાજના અનુભવને વિષય હોવાથી આપણે તે વિષે વિચાર કર્યો ન હોવાથી આ
અર્થ આપણને અપરિચિત લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
જયારે જ્યારે આપણે કોઈપણ કાર્ય કરવાના વિચારમાં ઈએ છીએ ત્યારે ત્યારે આપણી અંદરનું કેઈક એક અગમ્યતત્ત્વ આપણને તે કાર્ય કરવા એગ્ય છે કે કરવા માટે અયોગ્ય છે તેને સ્વયં નિર્ણય આપી દે છે. જીવની અંદરનું આ અગમ્યતત્વ એ દર્શન છે. આપણે આ અગમ્યતત્ત્વના નિર્ણય વિરૂદ્ધ આપણા સ્વાર્થ, કષાય આદિ વૃત્તિઓને વશ બની કેટલીક વાર વર્તાએ પણ છીએ. આમ આપણું અંદર રહેલ અગમ્યતત્ત્વ કે જે આપણને કાર્ય અકાય અંગે નિર્ણય આપે છે. એ “દર્શન 'તત્વ છે; આ તત્ત્વને સ્વાર્થ અને કષાય આદિ વૃત્તિઓથી અલિત રાખી તટસ્થ નિર્ણય આપતું રાખવાનો પ્રયત્ન કરતા રહેવું એ સમ્યગદર્શન છે.
સમ્યગદર્શન અનુસાર કરાતી જ્ઞાનપ્રવૃત્તિ એ સમ્યજ્ઞાન છે, જ્યારે સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાન એ બેને અનુરૂપ જીવન શેધન અને આચરણ એ સમ્યક ચારિત્ર છે. આત્માને સમભાવમાં યથાસ્થિતિ રાખવાનો પ્રયત્ન એ સમ્યક ચારિત્ર છે.
સમ્યગદર્શનને રોકનાર દર્શનમોહનીય, સમ્યગુજ્ઞાનને રોકનાર જ્ઞાનાવરણ અને સમ્યફ ચારિત્રને રોકનાર કષાય અને નેકષાય મેહનીય કર્મ છે. આ દરેકને વિચાર આપણે આગળ કરવાના છીએ.
સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્ર એ દરેકને એકી સમયે થતે આત્યંતિક વિકાસ એ મેક્ષ છે. જીવ માટે મેક્ષનાં સાધન પણ એ ત્રણ છે.
૧ જૂઓ તસ્વાથીધિગમસૂત્ર અ૦ ૧, મુત્ર ૧,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૪ ]
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી
અજીવ :
ઉપયોગ લક્ષણ જેમાં નથી એ અજીવ છે, તે જડદ્રવ્ય છે. તેના પાંચ પ્રકાર છે, (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાંશાસ્તિકાય (૪) પુદ્ગલ ( અણુ અને અસ્તિકાય) અને (૫) કાલ.
પુદ્ગલાસ્તિકાયના અણુ, પ્રદેશ, દેશ અને સ્કંધ એ ચાર વિભાગ છે. ધર્માસતિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય એ દરેકના પ્રદેશ, દેશ અને સ્કંધ એ ત્રણ વિભાગ છે, કાલ અસ્તિકાય નથી, તેમજ તેને પ્રદેશ આદિ વિભાગ પણ નથી. કાલ માત્ર અનંત સમયરૂપ છે. કાલને દ્રવ્ય ગણવામાં મતભેદ છે. કેટલાક તેને દ્રવ્ય માને છે.
દ્રવ્યને ભાગ ન પાડી શકાય એ અવિભાજ્ય અને સૂક્ષ્માતિસૂક્ષમ અંશ એ પરમાણુ છે. દ્રવ્યથી છુટે પડી ગએલ આ અંશ પરમાણું અથવા અણુ કહેવાય છે, જ્યારે
વ્યમિશ્રિત આ અંશ પ્રદેશ કહેવાય છે. પ્રદેશ અને પરમાણુ એ બન્ને કદમાં સમાન, અવિભાજ્ય અને સૂક્ષમાતિસૂક્ષમ છે. પ્રદેશથી મોટા અને સ્કંધથી નાના એવા પ્રદેશના સમુદાય એ દ્રવ્યના દેશ છે. દેશથી મોટા એવા પ્રદેશના સમુદાય એ સ્કંધ છે.
ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ દરેક અસ્તિકાય કહેવાય છે કારણ કે એ દરેક પ્રદેશના સમૂહરૂપે અખંડદ્રવ્ય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાતિ
૧ જૂઓ તસ્વાથધિગમસૂત્ર અ૦ ૫ સૂત્ર ૧ અને ૩૮-૩૯,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
કાય, એ દરેક તેમજ તેના પ્રદેશ, દેશ અને કંધ અરૂપી છે, તેથી એ દરેકનું જ્ઞાન ઈન્દ્રિયથી થઈ શકે તેમ નથી. પુદગલાસ્તિકાય રૂપી છે એટલે તેના બાદર સ્કધેનું તેમજ તે સ્કંધના આણુ, પ્રદેશ, દેશ આદિનું જ્ઞાન ઇન્દ્રિયથી થઈ શકે છે, જ્યારે પુદગલાસ્તિકાયના સૂક્ષમ સ્કંધ તેમજ તેના પ્રદેશ આદિ ઈન્દ્રિયગમ્ય નથી.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ દરેક પ્રદેશના સમૂહ (અસ્તિ)રૂપ એક એક દ્રવ્ય છે, જ્યારે જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ દરેક પ્રદેશના સમૂહરૂપે જુદાં દ્રવ્ય છે અને વ્યક્તિરૂપે એ દરેક અનંત અનંત છે.
ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય એ દરેક અરૂપી-રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિનાનાં તેમજ અદસ્ય છે તે કારણે તેના પ્રદેશ કે દેશ તે તે દ્રવ્યથી જુદા પાડી શકાતા નથી. આમ એ દરેકના પ્રદેશ અને દેશની માત્ર કલ્પના કરવી રહી. જીવાસ્તિકાયના વ્યક્તિગત દેહ કર્મ પ્રવાહના કારણે રૂપી છે તે તેમજ પુદગલારિતકાય એ રૂપી-રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળાં દ્રવ્ય છે. એ બંનેના પ્રદેશ, દેશ આદિ પડી શકે છે અને પાડી શકાય છે.
સ્કંધ એ અખંડ દ્રવ્ય છે. આ અંધમિશ્રિત સૂક્ષમાતિસૂક્ષમ અંશ એ પ્રદેશ છે, જ્યારે આવે છુટા પડેલ કે પાડેલ સૂફમાતિસૂક્ષમ અંશ એ પરમાણુ છે.
૧ જૂઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ૦ ૫ સૂત્ર ૫. ૨ જૂઓ તત્યાઊંધિગમસૂત્ર અ૦ ૫, સૂત્ર ૩-૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૬ ]
પૂર્વ પંન્યાસજી શ્રીમણિવિજયજી
૧
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવાસ્તિકાય એ દરેક અસખ્ય પ્રદેશના સમૂહુરૂપ સ્કંધ છે. આકાશાસ્તિકાયના એ વિભાગ છે. (૧) લેાકાકાશ (૨) અલેાકાકાશ, લેાકાકાશ અસખ્યુંપ્રદેશના અને અલેાકાકાશ અનંત પ્રદેશના સમૃહરૂપ સ્ક ંધ છે. પુદ્દગલ રૂપી હાઇ પ્રત્યક્ષ દેખી શકાય તેવા છે, જ્યારે બાકીના દરેક અરૂપી હાઇ પરાક્ષ-દેખી ન શકાય તેવા છે.
જીવ અને પુદ્ગલ એ દરેક વ્યક્તિરૂપે અનત છે. દ્રવ્ય તરીકે જીવ પરાક્ષ છે, જ્યારે વ્યક્તિ તરીકે તે કાંઈક અંશે દેહના કારણે ઇન્દ્રિયગમ્ય પણ છે. પુદ્ગલ પ્રત્યક્ષ અને ઇન્દ્રિયગમ્ય છે.
પ્રત્યેક જીવ અસંખ્ય પ્રદેશના સમૂહરૂપ છે. આવા પ્રત્યેક જીવ અનંત છે. પુદ્દગલના કાઇ સ્કંધ એ અણુના, કાઇ ત્રણ અણુંના, કાઇ ચાર અણુના, કાઇ પાંચ અણુના એમ એક એક વધતાં સંખ્યાત અણુના, અસખ્યાત અણુના, અનંત અણુના અને અનંતાનંત અણુના એવા એવા સ્ક ંધા હેાય છે. પુદ્ગલથી છુટા પડેલ કે પાડેલ પરમાણુ અવિભાજય અને સૂક્ષ્માતિસૂક્ષ્મ હાવાથી પરેાક્ષ છે, છતાં તેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શે એ પ્રમાણે ગુણા હેાવાથી તે રૂપી અને પ્રત્યક્ષ ગણાય છે. પુદ્દગલ સ્કંધ તે રૂપીજ ગણાય છે, પછી તે સૂક્ષ્મ હોય કે ખાદર. તેમાંના માત્ર ખાદરક ધ ઇન્દ્રિયગમ્ય છે, સૂક્ષ્મસ્ક ધ ઇન્દ્રિયગમ્ય નથી. પરમાણુ અને સૂક્ષ્મસ્કંધ રૂપી છે તે જાણવાનું સાધન આગમ અને અનુમાન પ્રમાણ છે પરમાણું તેમજ સૂક્ષ્મસ્કંધમાં ૧ જૂએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦૫ સૂત્ર ૭–૮. ૨ જૂ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૫ સૂત્ર ૯.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
પણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ ગુણ રહેલા છે, તે કારણે તે રૂપી ગણાય છે.
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ સમગ્ર કાકાશમાં વ્યાપીને રહેલા છે. પ્રત્યેક જીવ લેકાકાશના અસંખ્યાતમાં ભાગમાં અને અનંતજીવ સમગ્ર લોકાકાશમાં રહેલા છે. અણુ એક આકાશ પ્રદેશમાં, દ્વયણુક એકથી બે આકાશ પ્રદેશમાં ચણુક એકથી ત્રણ આકાશ પ્રદેશમાં, ચતુરણુક એકથી ચાર આકાશ પ્રદેશમાં, પંચાણુક એકથી પાંચ આકાશ પ્રદેશમાં એમ એક એક વધતાં સંખ્યાતાણુક એકથી સંખ્યાત આકાશપ્રદેશમાં અને અસંખ્યાતાયુક, અનંતાણુક તેમજ અનંતાનંતાણુક એકથી અસંખ્યાત આકાશપ્રદેશમાં, એ રીતે પુદગલ સમાઈ શકે છે. અનંત જીવ અને અનંત પુદ્દગલ અસંખ્યાત પ્રદેશી કાકાશમાં બાધા રહિત રહી શકે છે, તેનાં ત્રણ કારણ છે–(૧)પુદગલની સૂફમાતિસૂક્ષમ પરિણમન શક્તિ, (૨) લોકાકાશનું અસંખ્ય પ્રદેશ પ્રમાણ, (૩) જીવ અને પુદગલના તે પ્રકારના સ્વભાવ.
ધર્માસ્તિકાયનું કાર્ય જીવને તેની ગતિમાં સહાય કરવાનું, અધર્માસ્તિકાયનું કાર્ય જીવને તેની સ્થિતિમાં સહાય કરવાનું અને આકાશાસ્તિકાયનું કાર્ય જીવ અને પુદગલને અવકાશ અથવા જગ્યા દેવાનું છે. જીવનું કાર્ય પરસ્પર સહકારપૂર્વક જીવન જીવી પરોપકાર કરી આત્માનો વિકાસ સાધવાનું છે."
૧ જૂઓ તસ્વાર્થીધિગમસૂત્ર અ૦૫, સૂત્ર ૧૨–૧૩. ૨ જૂઓ તસ્વાર્થોધિગમસત્ર અ૦ ૫, સૂત્ર ૧૫. ૩ જૂઓ તસ્વાર્થાધિગમસૂત્ર અપ, સૂત્ર ૧૪૪ જૂઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ૦ ૫, સૂત્ર ૧–૧૮. ૫ જૂઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ. ૫, સૂત્ર ૨૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૮ ]
પૂર્વ પન્યાસજી શ્રીર્માણવિજયજી
કાલનું કાર્ય વર્તના, પરિણામ, પરત્વ અને અપરત્વ સાધવાનું છે.' શરીર, વાચા, મન, શ્વાસેારાસ, સુખ, દુ:ખ, જીવન અને મરણુ એ જીવને લગતાં કેટલાંક પુદ્ગલનાં કાર્ય છે.
ઉપર નિર્દેશ કરેલ જીવને લગતાં પુદ્ગલનાં કાર્યો એ જીવની સ્વાભાવિક સ્થિતિ નથી; પરંતુ તે તેની વૈભાવિક સ્થિતિ અર્થાત્ વિકૃતિ છે. જીવની આ વિકૃતિનું કારણ જીવની સાથે રહેલ અનાદિ કર્મ પર પરા યા કામણુ શરીર છે. કર્મ એ પૌદ્ગલિક પરિણામ છે; એટલે કમ વિચારમાં કમના અર્થાત્ પુદ્ગલના પરિણામના વિચાર જ મુખ્ય બની રહે છે.
કાલને દ્રવ્ય માનવામાં સર્વસંમત અભિપ્રાય નથી; ક્રેટલાક આચાર્યો તેને દ્રવ્ય ગણે છે. કાલ અનંત સમયના છે; અને અઢી દ્વીપના જીવેા ગણત્રી કરવામાં તેના ઉપયાગ કરે છે.
આમ સંક્ષેપમાં આપણે જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્લાસ્તિકાય અને કાલ એ છ દ્રવ્યના વિચાર કર્યાં. હવે આપણે જીવ અને પુદ્ગલ એ એનેા પરપસ્પર સંબંધ અને તેના કાર્ય અકાયની જીવ પર થતી નિર'તર અસર, એ એના વિચાર કરવાના છે. તે પછી આપણે આપણા વિષય કવિચાર પર આવીએ.
વિષય પ્રવેશ:
સાંસારિક જીવને સામાન્યતઃ એ પરમાથ હાય છેઃ (૧) કામ અને (૨) મેાક્ષ. કામની ઇચ્છા કરનારને અથ અને ૨ જૂએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૫, સૂત્ર ૨૨. ૩ જૂએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ॰ ૫, સૂત્ર ૧૯-૨૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
મેક્ષની ઈચછા કરનારને ધર્મની આવશ્યકતા રહે છે. કામની ઈચ્છા કરનારને કામની સાધનાઅર્થે અર્થની જરૂરીઆત ઉભી થાય છે, તે મેળવવા સારૂ જીવને પોતાની સુખ, સગવડ, લાલસા, તૃષ્ણા, ઈન્દ્રિયનાં વિષયસુખ આદિના ભેગ આપવા તે રહેજ: છે; મોક્ષના ઇરછુકને પણ ધર્મની સાધના કરતાં પોતાનાં સુખ, સગવડ, લાલસા, તૃષ્ણા, ઇન્દ્રિયનાં વિષયસુખ આદિના ભેગ આપવાની જરૂરીઆત ઉભી થાય છે. આ રીતે કામ અને મોક્ષના ઈચ્છુકને આપવા પડતા ભેગ યા ત્યાગમાં બાઘ સમાનતા દેખાવા છતાં તેમાં મેટે તફાવત રહેલો છે. કામના ઈચ્છકના ભેગત્યાગમાં સ્વાર્થ રહેલો છે; જયારે મેક્ષના ઈચ્છુકના ગત્યાગમાં ઈચ્છાપૂર્વક ત્યાગ અને પરમાર્થવૃત્તિ રહેલી છે; મૂળભૂત આ તફાવતના કારણે કામની સાધનાઅર્થે અપાતા ભેગત્યાગ છતાં સ્વાર્થના કારણે જીવને કર્મની અકામ નિર્જરા થવા છતાં પરંપરાએ તેને અશુભ કર્મબંધ અને તેની પરંપરા પ્રાપ્ત થાય છે, જ્યારે મોક્ષના ઇછુકને તેના ભેગત્યાગ ઈચ્છાપૂર્વક હેવાના કારણે તેમાં પરમાર્થવૃત્તિ હોવાથી સકામ નિર્જરા થાય છે અને તેથી શુભકર્મબંધ થતે હેઈ પરંપરાએ તેવા જીવને મેક્ષ સાધવાની સગવડતા આવી મલે છે.
આમ સંસારી જીવ જે શુભ અને અશુભ કર્મબંધ અને તેની પરંપરા અનુભવે છે તેને વિચાર એજ કર્મવિચાર. આ વિષયને આપણે જુદાજુદા દષ્ટિબિંદુએ તપાસવાનું રહેશે. તેમાં કર્મબંધના હેતુ અથવા કારણે, કર્મના આશ્રવ અથવા પ્રવેશદ્વાર અને કર્મબંધની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
પૂ॰ પંન્યાસજી શ્રીમણિવિજયજી
પ્રદેશ આદિ વિચારવાનાં રહેશે; આપણે ક્રમશઃ તેને વિચાર
કરીએ.
કુના અથહેતુ:
જીવને અનાદિ કાળથી કખ ધ રહેલા છે. કર્મ બંધની આ પરંપરાના પાંચ કારણુ છેઃ (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) ચેાગ.૧
મિથ્યાત્વ :
.
ઉપરક્ત પાંચ કારણના જુદા વિચાર કરવાના રહે છે. જિનપ્રણિત તત્ત્વ પર અરૂચિ અથવા અશ્રદ્ધા એ મિથ્યાત્વ છે; બીજી રીતે કહીએ તે સમષ્ટિના બદલે સ્વાર્થમયષ્ટિ એ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વના પાંચ પ્રકાર છેઃ (૧) અનાલેાગિક, (૨) અનભિગૃહિત, (૩) અભિગૃહિત, (૪) સાંયિક અને (૫) આભિનિવેશિક
(૧) ધર્મ અને કમ એ બે વચ્ચેના ભેદ્યની જાણ નથી તેવી જીવની મૂઢદશામાં જીવને અવ્યક્ત એવું અનાભેાગિક મિથ્યાત્વ હાય છે. (૨) સવ દર્શનને સરખાં માનવાં એ અનભિગૃહિત મિથ્યાત્વ છે. (૩) પૌદ્ગલિક સુખમાં રતિ અથવા રાગના કારણે જૈનેતર દર્શન પર શ્રદ્ધા કરવી એ અભિગૃહિત મિથ્યાત્વ છે. (૪) જૈન દર્શનના સૂક્ષ્મ અને ઇન્દ્રિયગમ્ય નહિ એવા વિષયમાં 'કા કરવી એ સાંશયિક મિથ્યાત્વ છે. જૈન દશ'નમાં શંકાને સ્થાન છે અને તે શંકા નિર્મૂળ કરવા ગુરૂગમને પશુ સ્થાન છે; પરં'તુ સૂક્ષ્મ અને ઇન્દ્રિયાતીત વિષયમાં શ્રદ્ધા રાખી ચાલતાં ૧ જૂએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૮, સૂત્ર ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૧
અનુમાન, ઉપમાન અને પરોક્ષ પ્રમાણુ ઉપરાંત આગમ પ્રમાને આધાર લઈ સૂક્ષમ દષ્ટિએ વિચાર કરવાનું પણ તેટલું જ વ્યાજબી છે. આ પ્રમાણે કરતાં તેવા વિષયમાં પણ જૈનદષ્ટિએ કરેલ નિરૂપણ સાચું નીવડવાને અવકાશ રહેલો હેવાથી આવી શંકા સંઘરવી એ એક પ્રકારનું મિથ્યાત્વ છે. (૫) જૈનદર્શનના કેઈક વિષયમાં અજાણતાં ખોટી બાજુ પકડાઈ જતાં પાછલથી તે ભૂલ જણાવા છતાં માનહાનિના ભયે તે ભૂલ ન સ્વીકારી બેટી બાજુ પકડી રાખવી એ આભિનિવેશિક મિથ્યાત્વ છે. જુદા જુદા નિન્જ થયા છે તેમને આ પ્રકારનું મિથ્યાત્વ હોય છે.
અવ્યવહાર રાશિના નિગેદના સર્વ જીવોને તેમજ ગ્રંથિભેદ ન કરનાર વ્યવહારરાશિના જીવને અવ્યક્ત એવું અના
ગિક મિથ્યાત્વ હોય છે; જ્યારે ગ્રંથિભેદ કરનાર વ્યવહાર રાશિના જીવને વ્યક્ત એવાં બાકીના ચારમાંનું ગમે તે એક મિથ્યાત્વ હોય છે. સંક્ષેપમાં કહીએ તે સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા પહેલાં જીવને અનાભેગિક મિથ્યાત્વ હેય છે અને સમ્યગદર્શન વમનાર જીને અનભિગ્રહિત, અભિગ્રહિત, સાયિક અને આભિનિવેશિક એ ચાર પ્રકારમાંના ગમે તે એક પ્રકારનું મિથ્યાત્વ હોય છે. અવિરતિ:
કર્મબંધનથી છુટવા જીવે વ્રત,નિયમ સ્વીકારવાં જોઈએ. આ રીતના વ્રત-નિયમ ન સ્વીકારવાં એ અવિરતિ ભાવ છે. અવિરતિના કારણે જીવ પાંચ ઈન્દ્રિય અને મન એ છ દ્વારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
પૂર્વ પંન્યાસજી શ્રીમણિવિજયજી
વિષયસુખમાં તલ્લીન ખની છકાયના જીવાની હિંસા અને તેની પર'પરા આચરે છે, અને પરિણામે તેને કર્મની પરપરા વર્સો કરે છે. અવિરતિની સમજ માટે વ્રત કયાં તે જાણવાની આવશ્યકતા રહે છે.
વ્રત એ પ્રકારનાં છે: (૧) મહાવ્રત, (૨) અણુવ્રત.`
મહાવ્રત પાંચ છે:૨ (૧) પ્રાણાતિપાત વિરમણુ અથવા અહિંસા, (૨) મૃષાવાદ વિરમણુ અથવા સત્ય, (૩) અદત્તાદાન વિરમણ અથવા અસ્તેય યા અચૌય, (૪) મૈથુન વિરમણુ અથવા બ્રહ્મચય અને (૫) પરિગ્રહ વિરમણુ. આ પાંચ મહાવ્રત સાથે રાત્રિભેાજન વિરમણ વ્રત પણ સંકળાએલ છે કે જે પહેલા વ્રતના ભાગ છે તે સમજી લેવાનુ છે. આ પાંચ મહાવ્રતના પાલનથી જીવ છકાયની હિંસા શકી શકે છે કે જે માટા પરાપકાર છે. આ પાંચ મહાવ્રતના પાલક સાધુ છે.
મધ્યકાટિના સાધક માટે અણુવ્રત છે. અણુવ્રત પણ પાંચ છેઃ (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણુ, (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણુ. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણુ, (૪) સ્થૂલ મૈથુન વિરમણુ, અથવા પુરૂષ માટે પરદારા વિરમણુ અને સ્રી માટે પરપુરૂષ વિરમણુ અને (૫) સ્થૂલ પરિગ્રહ પરિમાણુ તને મર્યાદિત સ્વીકાર એ અણુવ્રત છે. આ પાંચ અણુવ્રતના વિકાસ અર્થ ત્રણ ગુણુ વ્રત અને ચાર શિક્ષા ત એમ ગૃહસ્થ તથા ગૃહિણી માટે ખાર વ્રત સમ્યકત્ત્વ સહિત હોય છે.
૧. જુઆ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ ૭, સૂત્ર ૧. ૨ જુએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૭, સૂત્ર ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
* ૧૩
મહાવ્રતમાં જીવને વ્રત સંપૂર્ણતઃ પાલવાનાં હોય છે, જ્યારે અણુવ્રતમાં જીવને વ્રત મર્યાદામાં લેતે હોવાથી તેને તે મર્યાદિત રીતે પાલવાનાં હોય છે. આમ જીવ અણુવ્રતમાં પિતાને આવશ્યક એવી જરૂરીઆત પ્રમાણે છૂટ રાખી શકે છે.
ગુણવ્રત ત્રણ છેઃ (૧) દિમ્ પરિમાણ, (૨) ભેગો પગ પરિમાણ અને (૩) અનર્થદંડ.૧ વિરમણ દશ વિદિશામાં જવાઆવવાની મર્યાદા એ દિગૂ પરિમાણ વ્રત છે. પદાર્થોના ભંગ ઉપભેગમાં મર્યાદા એ ભેગે પગ વ્રત છે. જીવને કારણ વિના દંડાતા રોકવા સારૂં અનર્થદંડ વિરમણ વ્રત છે.
શિક્ષાવ્રત ચાર છે (૧) સામાયિક, (૨) દેશાવગાશિક, (૩) પૌષધેપવાસ અને (૪) અતિથિસંવિભાગ. સમતાભાવમાં રહેવાને જીવનો સ્વભાવ છે; સ્વાર્થ, કષાય, કર્મ આદિ કારણે જીવ વિભાવમાં રહે છે. આ વિભાવ અવસ્થામાંથી સમતાભાવની તાલીમ મેળવવા માટે ૪૮ મિનિટ સુધી સમતાભાવમાં રહેવું એ સામાયિક વ્રત છે. ભેગેપભેગ પરિમાણ વ્રતમાં દર્શાવેલ મર્યાદા અહોરાત્ર સંક્ષેપી એકી સમયે બાર વ્રતના અંશતઃ પાલન કરવા સારૂ દશ સામાયિક કરવાં એ દેશાવગાશિક વ્રત છે; આ વ્રતમાં તપ તરીકે એકાસણું, ઉપવાસ આદિ પણ કરવામાં આવે છે. એકાસણ, ઉપવાસ આદિ સહિત સાદા જીવનની તાલીમ રૂપ પૌષધેપવાસ વ્રત છે. આ વ્રત ત્રણ પ્રકારનું છેઃ દિવસની મર્યાદા, (૨) રાત્રિની મર્યાદા અને (૩) રાત્રિદિવસ એ બન્નેની મર્યાદાવાળું. આ ત્રણ શિક્ષાત્રત
૧ જુઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ૦ ૭, સૂત્ર ૧૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૪]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
જીવના સ્વભાવરૂપ સમભાવની તાલીમના વિકાસ માટે જ છે. પૌષધના બીજા દિવસે એકાસણું કરી સુપાત્રદાન કરવા રૂપ અતિથિસંવિભાગ દ્રત છે. આ વ્રત અધિક ગુણવાન પ્રતિ આદર પ્રદર્શનનું સૂચક છે.
આ પાંચ મહાવ્રત અથવા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ સવે અથવા તેમાંનું કોઈપણ વ્રત ન સ્વીકારવાની આત્માની પરિણતિ અથવા અધ્યવસાય એ અવિરતિ છે. પ્રમાદ :
જીવનું કાર્ય શુભ પ્રવૃત્તિને આદર છે. શુભ પ્રવૃત્તિ ન કરવારૂપ, તેમજ માદક પદાર્થોનું સેવન, અતિઆહાર, નિદ્રા, મિથુન, વિકથા તેમજ સાત વ્યસનનું સેવન એ સર્વ પ્રમાદમાં સમાય છે. સંક્ષેપમાં સમભાવમાં રહેવાની પ્રવૃત્તિની ઉપેક્ષા કરી પરભાવમાં રાચ્યા–માગ્યા રહેવાની પ્રવૃત્તિ એ પ્રમાદ છે.
કષાય છે
જીવને સંસારની વૃદ્ધિ કરાવનાર કષાય છે. જીવને શુદ્ધ સ્વભાવ સમભાવમાં રહેવાને છે; સંસારી જીવને પરભાવમાં રહેવાના પડી ગયેલ સ્વભાવનું કારણ કર્મ અને કષાય છે. કષાય ચાર છેઃ (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લેભ. આ ચાર કષાયના દરેકના પણ ચાર પ્રકાર છેઃ (૧) અનંતાનુબંધી, (૨) અપ્રત્યાખ્યાનીય, (૩) પ્રત્યાખ્યાનીય અને (૪) સંજવલન. આ સેળ કષાયના જનક નવ નેકષાય છેઃ (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) ભય, (૫) શેક, (૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૫ જુગુપ્સા, (૭) પુરૂષદ, (૮) સ્ત્રીવેદ અને (૯) નપુંસકવેદ. આ સર્વને સૂક્ષ્મ વિચાર મેહનીય કર્મમાં કરવાનું છે. રોગ :
જીવ દ્વારા કરાતી પ્રવૃત્તિ એ યોગ છે. બાહ્ય પ્રવૃત્તિ જોઈ શકાય તેવી હોય છે, જ્યારે આંતરિક પ્રવૃત્તિ અગમ્ય છે, અને તે જીવની ચંચળતા અથવા સ્પંદનરૂપ હોય છે. ગ ત્રણ છેઃ (૧) મનેયેગ, (૨) વચનગ અને (૩) કાયયેગ. મનના ભાવની ચંચળતા મને યોગ છે. વચનના ભાવના કારણે થતું પરિણમન યા સ્પંદન વચનગ છે. બાહ્ય પ્રવૃત્તિ અંગે થતું કાયાનું સ્પંદન કાયમ છે. આમપ્રદેશની ચંચળતા એજ સ્પંદન અર્થાત્ યોગ છે. પાંચ બંધહેતુની મર્યાદા.
ઉપરોક્ત પાંચ બંધહેતુઓમાં પૂર્વ પૂર્વ બંધહેતુના અસ્તિત્વમાં ઉત્તર ઉત્તર બંધહેતુ અવશ્ય હોય છે. ઉદા. મિથ્યાત્વ બંધ હેતુ હોય ત્યારે તેની પછીના અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ હેવાનાજ, ઉત્તર ઉત્તર બંધહેતુના અસ્તિત્વમાં પૂર્વ પૂર્વના બંધહાયજ એ નિયમ નથી. અર્થાત્ તે હેય પણ ખરા અને ન પણ હોય. ઉદા. યોગ બંધહેતુના અસ્તિત્વમાં તે પહેલાંના મિથ્યાત્વ આદિ ચાર બંધહેતુ, ત્રણ બંધહેતુ, બે બંધહેતુ કે એક બંધહેતુ હોઈ પણ શકે અને ન પણ હોય. જીવની સગી અવસ્થામાં માત્ર પેગ બંધહેતુ જ હોય છે, જ્યારે જીવની અગી અવસ્થામાં કેઈપણ બંધહેતુ હેત નથી.
૧ જૂઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ૦ ૬, મૂત્ર ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી સગી પહેલાંના ગુણસ્થાનમાં જીવને ચાર, ત્રણ, બે કે એક પૂર્વના બંધહેતું હોઈ શકે છે. આશ્રવ-કમનાં પ્રવેશદ્વાર
જીવમાં કર્મના પ્રવેશનું દ્વાર યા સાધન યા કારણ એજ આશ્રવ તળાવમાં પાણી લેવા નાળાં રખાય છે, તેમ જીવમાં “ કર્મને પ્રવેશ થાય તે સારૂ આશ્રવ નાળાની ગરજ સારે છે. ઉપરોક્ત પાંચ બંધહેતુમાંના કેગના કારણે જીવને પ્રદેશ બંધ અને પ્રકૃતિબંધ એ બે થાય છે, જયારે કષાયના કારણે સ્થિતિ બંધ અને લશ્યાના કારણે રસબંધ અથવા અનુભાગ બંધ થાય છે. મિથ્યાત્વ, અવિરતિ, અને પ્રમાદ એ પરંપરાએ બંધનાં કારણ બને છે. ચોગ તો જીવના આત્મપ્રદેશની ચંચળતા અથવા સ્પંદન છે કે જે પ્રવૃત્તિરૂપ છે. એટલે તે તે કર્મના આશ્રવનું દેખીતું મૂળ કારણ છે, આ કારણે જ પ્રવૃત્તિ સમજાવવાનું અહિં પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિ પણ અનંતપ્રકારની છે. તે બંધીનું વર્ણન શકય નથી. આ કારણે જે જે પ્રકૃતિબંધ માટે જે જે પ્રવૃત્તિ દર્શાવવામાં આવે છે તે તે માત્ર નમૂના રૂપે છે. તે પરથી બીજી તેવી પ્રવૃત્તિઓ ઘટાવી લેવી રહી. જ્ઞાનાવરણ અને દશનાવરણુ, એ દરેકના આવ.'
પ્રÀષ અથવા પ્રદેશ, નિન્હવ, માત્સર્ય, અંતરાય, આસાદન અને ઉપધાત એ દરેક જ્ઞાનાવરણ અને દર્શનાવરણના સમાન આશ્રવ છે. ઉપરોક્ત પ્રવૃત્તિ જ્ઞાન અંગે હતાં તે જ્ઞાનાવરણના અને તે દર્શન અંગે હેતાં દર્શનાવરણના આશ્રવ બને છે.
૧ જુઓ તસ્વાથૌધિગમસુત્ર અ૦ ૬, સૂત્ર ૧૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૭
- - -
-
-
-
--
-
----
જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનનાં સાધન પર દ્વેષ એ જ્ઞાનપ્રષ અને દર્શન-દર્શની અને દર્શનનાં સાધન પર દ્વેષ એ દર્શનપ્રષિ છે. ગુરૂને છુપાવવા, જાણતા હોવા છતાં જ્ઞાન અને તેના સાધન અંગે અજાણ્યા બનવું, એ જ્ઞાનનિદ્ભવ છે; સમદષ્ટિ પ્રાપ્ત કરાવનાર ગુરૂ તેમજ જાણતા હોવા છતાં દર્શન અને તેનાં સાધન વિષે અજાણ્યા બનવું, એ દર્શન નિન્જવ છે. જ્ઞાન પકવ અને સંપૂર્ણ હોવા છતાં પાત્ર મળતાં જ્ઞાન આપવામાં દિલચોરી કરવી, તેમજ પોતાના જ્ઞાન વિષે અભિમાન રાખવું એ જ્ઞાન માત્સર્ય છે. તે જ રીતે દર્શન પફવા અને સંપૂર્ણ હેવા છતાં પાત્ર મળતાં તે આપવામાં દિલચારી રાખવી, તેમજ પિતાના દર્શનનું અભિમાન એ દર્શન માત્સર્ય છે. દુષ્ટ હેતુથી કોઈની જ્ઞાનપ્રાપ્તિમાં બાધા નાંખવી, નંખાવવી એ જ્ઞાનાંતરાય છે; તેજ રીતે દુષ્ટ હેતુથી કેઈની દર્શન પ્રાપ્તિમાં વિઘ કરવું એ દશનાંતરાય છે. સારા અથવા વચનથી અપાતું જ્ઞાન રોકવું રોકાવવું એ જ્ઞાનાસાદન છે; જ્યારે તેજ રીતે અપાતા દર્શનમાં વિશ્વ નાખવું એ દર્શનાસાદન છે. દુષ્ટ હેતુથી સાચાં વચનને અનુચિત અર્થ ઉપજાવી દેષ શોધવારૂપ જ્ઞાનેપઘાત છે, તે જ રીતે સાચા દર્શનના અનુચિત અર્થ કરી દેષ શેધવા એ દર્શને પધાત છે.
જ્ઞાન અથવા દર્શનને અવિનય, જ્ઞાન અથવા દર્શન હેવા છતાં તે છુપાવવાં, એ દરેકના ગુણ પ્રકાશન ન કરવાં આદિ અનુક્રમે જ્ઞાન અને દર્શન એ દરેકના આસાદન છે. જ્ઞાનને અજ્ઞાન ગણ તેના નાશની પ્રવૃત્તિ, તેમ જ દર્શનને અદર્શન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૮ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી માની તેના નાશની પ્રવૃત્તિ એ અનુક્રમે જ્ઞાન અને દર્શન એ દરેકના ઉપઘાત છે. વેદનીયના આશ્રવ :
દુઃખ, શેક, તાપ, આકંદ, વધ અને પરિદેવન આદિ કરવાં, કરાવવાં અને બન્ને પક્ષેમાં તે ઉપજાવવાં એ અશાતની વેદનીયના આશ્રવ છે; પ્રાણી માત્ર પર અને વિશેષતઃ વ્રતધારી પર અનુકંપા, દાન, સરાગસંયમ, અકામનિર્જરા, બાલતપ, શાન્તિ અને શૌચ એ શાતા વેદનીયના આશ્રવ છે.
જીવને આધિ, વ્યાધિ અને ઉપાધિના કારણે થતી પીડા દુઃખ છે. દુઃખ અથવા ચિંતાની લાગણીના કારણે ઉદ્દભવતે માનસિક વ્યાપાર શોક છે. તીવ્ર સંતાપ કરે, કરાવે એ તાપ છે. આંસુ પાડી રડવું, રડાવવું એ આકંદ છે. જીવના દશ પ્રાણુમાંના કેઈ એક કે સર્વને નાશ યા વિયોગ કરે
એ વધ છે. પ્રિયજન કે વસ્તુના વિયેગમાં તે વ્યક્તિ યા વસ્તુને સંભારી સંભારી વારંવાર રૂદન કરવું, કરાવવું એ પરિદેવન છે. આ દરેક પ્રવૃત્તિ પિતાને ઉદ્દેશી કરવી, બીજાને ઉદેશી કરવી કે સ્વ અને પર એ બંનેને ઉદેશી કરવી, કરાવવી એ સર્વ અશાતા વેદનીયના આશ્રવ બને છે.
સર્વ જીવ પ્રતિ દયા, વ્રતધારી પ્રતિ બહુમાન, મમત્વ અથવા મૂચ્છ ન્યૂન કરવા અને ત્યાગની તાલીમ મેળવવા પિતાની ન્યાપાર્જિત વસ્તુને બીજાના હિત અર્થે કરાતે ઉપગ અર્થાત્ ત્યાગ દાન છે. સંયમ સ્વીકારવા છતાં સતત
૧ જૂઓ તત્ત્વાર્થીધિગમસૂત્ર અ૦ ૬, સૂત્ર ૧૨-૧૩, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
-
-
જાગૃતિ પણ રાખતાં છતાં રાગ-દ્વેષ સંપૂર્ણ દૂર ન થવાના કારણે ઉદભવતા સૂક્ષ્મ વિકાર એ સરાગસંયમ છે. ગૃહસ્થ અથવા ગૃહિણીના બાર વતમાંના કેઈ એક અથવા સર્વ વ્રત
સ્વીકારવા અને પાળવાં એ સંયમસંયમ છે. પરવશ હોવાના Jકારણે અનિચ્છાએ પરાણે ભેગ ઉપભેગને કરાતે ત્યાગ એ
અકામ નિર્ભર છે. અજ્ઞાનના કારણે કરાતો મિસ્યા કાયકલેશ કરવો એ બાલતપ છે. ધર્મ સમજી કરાતી કષાયનિવૃત્તિ એ શાન્તિ છે, લોભ આદિ દોષની શુદ્ધિ કરવી એ શૌચ છે. આ સર્વે શાતાદનીયના આશ્રવ છે.
વ્રત, નિયમ, ચારિત્ર, તપ, ધ્યાન આદિ સમજપૂર્વક વેચ્છાએ સ્વ અને પરહિત અર્થે કરાતા હોઈ તેનાથી સકામ નિજર થાય છે, આવા પ્રસંગે મુશ્કેલી આવતાં જીવ તેને જીતવા દઢ બને છે, પણ એ વિહુવલ બનતું નથી. આ કારણે એ દરેક કાયકલેશરૂપ ન હતાં નિર્જરારૂપ છે. મેહનીયના આશ્રવ:
કેવલી, કૃત, સંઘ અને દેવ એ દરેકના અવર્ણવાદ દર્શનમેહનીયના આશ્રવ છે. કષાયના ઉદયના કારણે જીવમાં થતા તીવ્ર આત્મપરિણામ-અધ્યવસાય ચારિત્રમેહનીયના આશ્રવ છે.
કેવલીના ગુણની ઉપેક્ષા કરી તેમનામાં ન લેવા એવા દેશ આપવા એ કેવલીના અવર્ણવાદ છે. શ્રુતજ્ઞાનના ગુણની ઉપેક્ષા કરી તેનામાં ન હતા એવા દેશ આપવા એ શ્રુતજ્ઞાનના અવર્ણવાદ છે. ચતુર્વિધ સંઘ કે તેમાંના કેઈ એક કે અધિક
૧ જૂઓ તસ્વાર્થીધિગમસૂત્ર અ૦ ૬, સૂત્ર ૧૪-૧૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૦ ]
પૂર્વ પન્યાસજી શ્રીમણિવિજયજી
વર્ગ એ દરેકના ગુણુની ઉપેક્ષા કરી, તે દરેકમાં કે સમાં ન હેાતા એવા દોષ આપવા એ સંઘના અવર્ણવાદ છે. જીનપ્રણીત ધર્મના ગુણની ઉપેક્ષા કરી ન હેાતા એવા દોષ આપવા એ ધર્માંના અવર્ણવાદ છે. અઢાર દોષ રહિત, વીતરાગ, પ્રશમરસનિમગ્ન એવા અરિહંતદેવના ગુણુની ઉપેક્ષા ( કરી તેમનામાં ન હેાતા એવા દાષ આરેાપવા એ દેવના અવણુ - વાદ છે. આમ દર્શનમે હનીયના આશ્રવનું કારણ અવર્ણવાદ છે.
ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાય પેાતાનામાં ઉત્પન્ન કરવા, ખીજામાં ઉત્પન્ન કરાવવા કે સ્વ અને પર એ મન્નેમાં ઉત્પન્ન કરવા, કરાવવામાં નિમિત્ત બનવું અને તેમાં તટ્વીન ખની આત્મામાં તેના તીવ્ર પરિણામ ઉતારવા અને તદનુસાર જીવન ઘડવુ' એ ચારિત્રમેહનીયના આશ્રવ છે. આ ઉપરાંત સત્યના ઉપહાસ અને દીનની મશ્કરી એ હાસ્યમાહનીયના, ક્રીડાપ્રવૃત્તિમાં તટ્વીનતા તેમજ ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ થતાં થતી લાગણી-રાગ એ રતિમાહનીયના, અનિષ્ટની પ્રાપ્તિ અને ઈષ્ટની અપ્રાપ્તિમાં થતા ખેદ-દ્વેષ એ અરતિમાહનીયના, શાક કરવા, કરાવવા એ શેાકમેાહનીયના, ડરવુ ડરાવવું એ ભયમાહનીયના, હિતકરપ્રવૃત્તિ અને ક્રિયા પ્રતિ ઘૃણા એ જુગુપ્સામેાહનીયના, સ્વદોષદશન અને પુરૂષસસ્કારના અભ્યાસ એ પુરૂષવેદનીયના, પરદેોષદર્શન અને ઠગવાની ટેવ, માયા અને સ્રીસ'સ્કારના અભ્યાસ એ સ્ત્રીવેદનીયના અને સ્ત્રી અને પુરૂષ એ બન્નેના સંસ્કારના અભ્યાસ એ નપુંસક વેદનીયના આશ્રવ છે. આ નવ નાકષાય કષાયજનક હાઈ કષાય કરતાં પણ અધિક ભયંકર છે. કષાયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૨૧
નેકષાયને સમાવેશ કરી લેવાનું છે. આમ નેકષાય, કષાય, કષાયની પ્રવૃત્તિ અને તેમાં તલ્લીનતા-લેશ્યા એ દરેક ચારિત્રમેહનીયના આશ્રવ છે.
આયુષ્યના આશ્રવ :
અતિ આરંભ અને અતિ પરિગ્રહ એ નારક આયુષ્યના આશ્રવ છે. માયા તિર્યંચ આયુષ્યને આશ્રવ છે. અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, ઋજુસ્વભાવ, મૃદુસ્વભાવ, આદિ મનુષ્ય આયુષ્યના આશ્રવ છે. સરગસંયમ, સંચમાસંયમ, અકામનિર્જરા, બાલતપ આદિ દેવ આયુષ્યના આશ્રવ છે. માયા આદિ તિર્યંચ આયુષ્યના આશ્રવ છે. આમ દરેક આયુષ્યના જુદા જુદા આશ્રવ ઉપરાંત વ્રત અને શીલને અભાવ એ ચારે આયુષ્યના સમાન આશ્રવ છે.
ઈતર પ્રાણીને દુઃખ આપવાની સકષાય પ્રવૃત્તિ એ આરંભ છે; ભેગ-ઉપભેગની વસ્તુના સંગ્રહની સકષાય પ્રવૃત્તિ એ પરિગ્રહ છે. વસ્તુ પરના મમત્વમાંથી પરિગ્રહ ઉદ્ધવે છે. આરંભ અને પરિગ્રહ કરતાં પણ તેમાં માચ્યા-રાચ્યા રહેવાની રસવૃત્તિ, આસક્તિ અથવા તલ્લીનતા અશુભ પ્રવૃત્તિની જનક છે. છલ-પ્રપંચ, માયા, કપટ, કુટિલતા, દંભ અને સ્વાર્થ અંગે બેટી અને બનાવટી વાત એ માયા છે. સ્વભાવની સરલતા એ ઋજુતા અને નરમાશ અથવા નમ્રવૃત્તિ યા નમ્રતા એ મૃદુતા છે. સૂક્ષ્મ કષાય સહિત અને સંપૂર્ણ કષાય છૂટ્યા પહેલાંનું ચારિત્ર સરાગસંયમ છે. અંશતઃ વિરતિ અથવા
૧ જૂઓ તસ્વાથ ધગમસૂત્ર અ૦ ૬, સૂત્ર ૧૬ થી ૨૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
----
--..
૨૨ ].
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી દેશ વિરતિ એ સંયમસંયમ છે. અજ્ઞાન સહિત કરાતો તપ બાલતપ છે. પરવશ સ્થિતિના કારણે કરાતા ઈછા વિનાના ત્યાગને લીધે થતી નિર્જ અકામનિર્ભર છે. વ્રત અને શીલા ન સ્વીકારવા એ વ્રત અને શીલને અભાવ છે. સ્વીકારેલ વ્રત, બ્રહ્મચર્ય વ્રત આદિ સ્વીકારી તોડવાં તે વતભંગ છે. વતના અભાવ કરતાં વ્રતભંગમાં વિશેષ દોષ રહેલ છે.
નામના આશ્રવ :૧
ચોગવકતા અને વિસંવાદન અશુભ નામકર્મના આશ્રવ છે. ગજુતા અને સંવાદન શુભનામકર્મના આશ્રવ છે. દર્શનવિશુદ્ધિ અને વિનયસંપન્નતા, શીલ અને વ્રતનું નિરતિચાર સતત પાલન, પ્રમાદરહિત જ્ઞાન, ઉપયોગ અને સંવેગ, શક્તિ અનુસાર ત્યાગ અને તપ, ચતુર્વિધ સંઘ તેમજ સાધુની સમાધિ અર્થે એ દરેકની વૈયાવૃત્ય, અહદ્ધક્તિ, આચાર્યભક્તિ, બહુશ્રુતભક્તિ, પ્રવચનભક્તિ, નિરતિચાર આવશ્યકની નિરંતર પ્રવૃત્તિ, માગ પ્રભાવના અને પ્રવચન વાત્સલ્ય આદિ તીર્થંકર નામકર્મના આશ્રવ છે.
જીવને પિતાને આશ્રયી મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં એકસૂત્રતાનો અભાવ ગવકતા છે. બીજાને આશ્રયી મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં એકસૂત્રતા ગત્રાજુલા છે. બીજાને આશ્રયી જીવદ્વારા કરાતી મન, વચન અને કાયાની કરાતી દાંભિકપ્રવૃત્તિ વિસંવાદન છે. દંભ વિનાની પ્રવૃત્તિ સંવાદન છે.
૧ જૂઓ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૬, સૂત્ર ૨૧ થી ૨૩,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૨૩
રાગરહિત પુરૂષદ્વારા પ્રણત તત્ત્વપર રૂચિ અને શ્રદ્ધા અને તેના ઉત્તરોત્તર વિકાસની પ્રવૃત્તિદ્વારા કરાતી શુદ્ધિ એ શ્રદ્ધા વિશુદ્ધિ છે. મોક્ષના આલંબન ભૂત એવા દેવ, ગુરૂ અને ધર્મ તેમજ એ દરેકના સાધનભૂત એવા શ્રુતજ્ઞાન આદિ પ્રતિ બહુમાન એ વિનય છે. નિરતિચાર વ્રતનું પાલન એ વ્રત છે. શુદ્ધ બ્રહ્મચર્યનું અખલિત પાલન એ શીલ છે. નિરંતર જાગૃત રહી ઉપયોગ સહિત જીવન વ્યવહાર કરે એ જ્ઞાનપયોગ છે. ભેગ-ઉપભોગનાં સાધન અને તે દ્વારા સધાતા ભેગ ઉપભેગની લાલસાથી વિરમવા સતત જાગૃતિ રાખવી એ સંવેગ છે. વિવેકપૂર્વક શક્તિ અનુસાર ન્યાયપાર્જિત દ્રવ્યવડે કરાતું સુપાત્રદાન એ ત્યાગ છે. વિવેકપૂર્વક શક્તિ અનુસાર બાહ્ય અને અત્યંતર તપનું આચરણ એ તપ છે. ચતુર્વિધ સંઘ (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા) અને વિશેષતઃ વ્રતધારીની સેવા એ સંઘ અને સાધુની વિયાવૃત્ય છે. વીતરાગ દેવ અને તેની પ્રતિમા પ્રતિ બહુમાન અહંક્તિ છે. આચાર બતાવનાર તેમજ આપનાર એવા આચાર્ય પ્રતિ બહુમાન આચાર્યભક્તિ છે. વિદ્વાન તેમજ તેના જ્ઞાન પ્રતિ આદરભાવ એ બહુશ્રુતભક્તિ છે. જ્ઞાન અને તેના સાધન પ્રતિ આદર એ પ્રવચનભક્તિ છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન (પરચખાણ) એ છ આવશ્યકની સતત પ્રવૃત્તિ એ આવશ્યક અપરિહાર છે. અભિમાન તજી મોક્ષમાર્ગ જીવનમાં ઉતારી કૃતાર્થ બની લોકહિત અર્થે મોક્ષમાર્ગના પ્રચારક બનવું એ માર્ગ પ્રભાવના છે. સમાનધર્મી તેમજ સિદ્ધાંત પર નિષ્કામ પ્રેમ એ પ્રવચનવાત્સલ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૪ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
ગાત્રના આશ્રય
પરનિંદા, આત્મપ્રશંસા, સદ્દગુણનું આચ્છાદન અને અસદ્ગણનું ઉદ્ધાવન એ નીચ ગેત્રના આશ્રવ છે. સ્વનિંદા, પરપ્રશંસા સદ્દગુણનું ઉદ્ધાવન અને અસદ્દગુણનું આચ્છાદન તેમજ વિનય અને નમ્રતા એ ઉચ્ચ ગેત્રના આશ્રવ છે.
સ્વાર્થ સાધવા ઇરાદાપૂર્વક બીજાની સાચીજુઠી વાતો કરવી એ પરનિંદા છે. પિતાની બડાઈ હાંકવી એ આત્મપ્રશંસા છે. બીજાના સદગુણને છુપાવવા એ સદ્દગુણનું આચ્છાદાન છે. પિતાનામાં ન હતા એવા ગુણેની બડાઈ હાંકવી એ અસશુયુનું ઉદ્ઘાવન છે.
પિતાના દેષ શેધવા, તેને શુદ્ધ કરવા અને તે જાહેર કરવા એ સ્વનિંદા છે. બીજાના ગુણની પ્રશંસા એ પર પ્રશંસા છે. બીજાના સદ્ગુણને જાહેર કરવા એ સદ્ગુણનું ઉદ્ધાવન છે. બીજામાં ન હતા ગુણને ઢાંકવા એ અસદ્દગુણનું આચ્છાદન છે. પૂજ્ય, વડીલ, જ્ઞાની આદિપ્રતિ બહુમાન અને આદર એ વિનય છે. જ્ઞાન, લાભ, બુદ્ધિ, ઐશ્વર્ય, કુળ, જાતિ, બલ, રૂપ, યશ અને કીર્તિ આદિના અભિમાનને ત્યાગ કરે એ નમ્રતા છે. અંતરાયના આશ્રવર વિઘ નાંખવા, નંખાવવા એ અંતરાયના આશ્રવ છે.
આમ પ્રવૃત્તિઓને કમની જુદી જુદી પ્રકૃતિમાં તારવી કાઢી તેના જુદાજુદા આશ્રવ બતાવી ગયા. આ ઉપરાંત પચીસ ક્રિયા
૧ જુઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ૦ ૬, સૂત્ર ૨૪-૨૫. ૨ જૂઓ તત્ત્વાથધિગમસૂત્ર અ૦ ૬, સૂત્ર ૨૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૨૫ છે, તે જે જે પ્રકૃતિને બંધ બેસતી હોય તે તે પ્રકૃતિના આશ્વમાં ગણવાની છે. આ પચીસ ક્રિયામાં ઈર્યાપથક્રિયા અકષાયજનિત છે. અને બાકીની ચોવીશ ક્રિયા કષાયજનિત છે. પચીસ ક્રિયા:
(૧) દેવ, ગુરૂ અને ધર્મને વિનય સમ્યકત્વક્રિયા છે. (૨) સરાગદેવ, સરાગગુરૂ અને કુશાસ્ત્રને વિનય મિથ્યાત્વક્રિયા છે. (૩) દેહની સ્વાભાવિક પ્રવૃત્તિ પ્રગક્રિયા છે. (૪) ત્યાગીની ભંગ માટેની આકાંક્ષા સમાદાનક્રિયા છે. (૫) કષાયરહિત જીવની ગમનાગમન પ્રવૃત્તિ ઈર્યાપથક્રિયા છે. (૬) દુષ્ટ હેતુથી કરાતી કાયાની પ્રવૃત્તિ કાયિકક્રિયા છે. (૭) હિંસક સાધનોને સંગ્રહ અધિકરણ ક્રિયા છે. (૮) ક્રોધાવેશ પ્રવૃત્તિ પ્રાષિકીક્રિયા છે. (૯) બીજાં પ્રાણીઓને સતાવવા પરિતાપનિકીક્રિયા છે. (૧૦) પાંચઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, મનેબલ, વચનબલ, કાયબલ અને આયુષ્ય એ દશ પ્રાણમાંના કેઈ એક, અધિક કે સર્વને નાશ એ પ્રાણાતિપાતિકીક્રિયા છે. (૧૧) રાગવશ જેવાની ક્રિયા (પ્રવૃત્તિ) દશનક્રિયા છે, (૧૨) રાગવશ સ્પર્શ વાની પ્રવૃત્તિ સ્પર્શનક્રિયા છે. (૧૩) મળમૂત્ર આદિ રાજમાર્ગ પર પરઠવવા રૂપ સામંતાનુપાતિકીક્રિયા છે. (૧૪) જેયા, પ્રમાર્જન કર્યા વિના શય્યા, આસન આદિ લેવાં મૂકવાં-બિછાવવાં એ અનાભોગક્રિયા છે. (૧૫) નવનવાં શસ્ત્ર અસ્ત્ર બનાવવાં એ પ્રાત્યયિકક્રિયા છે. (૧૬) બીજાને કરવા યોગ્ય પ્રવૃત્તિ પિતે કરવી એ સ્વસ્તિકક્રિયા છે. (૧૭) પાપ પ્રવૃત્તિની અનુમોદના નિસર્ગકિયા છે. ૧૮) બીજાનાં પાપ પ્રકાશવાં, નિંદા કરવી આદિ વિહારશુક્રિયા છે. (૧૯) સંયમપાલનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૬ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી અશક્તિમાં આજ્ઞા વિરૂદ્ધ વર્તન આજ્ઞા વ્યાપાદિકીક્રિયા છે. (૨૦) પ્રમાદવશ શાસ્ત્રોક્તવિધિ પ્રતિ અનાદર અનવકાંક્ષક્રિયા છે. (૨૧) તાડન, તર્જન વધઆદિ પ્રવૃત્તિની અનુમોદના આરંભક્રિયા છે. (૨૨) પરિગ્રહ રાખવા, રખાવવા વધારવા કે વધારવાની સલાહ પારિગ્રાહિકીક્રિયા છે. (૨૩) જ્ઞાન, દર્શન અને ચારિત્ર અંગે બીજાને છેતરવા એ માયાક્રિયા છે. (૨૪) મિથ્યાત્વપ્રવૃત્તિની અનુમોદના મિથ્યાદર્શનક્રિયા છે. (૨૫) પાપપ્રવૃત્તિમાં આસક્તિ-તલ્લીનતા અપ્રત્યાખ્યાનક્રિયા છે. કમબંધઃ
જીવ લેહચુંબકની જેમ આશ્રવદ્વારા કર્મને પિતાના આત્મપ્રદેશ તરફ ખેંચે છે. કમ એ કમવગણા અથવા જાતિના પુદ્ગલ છે. આ ખેંચાતા કમંપુદ્ગલ જુદી જુદી પ્રકૃતિરૂપે પરિણમે છે. કર્મપુદગલ ખેંચાયા પછી જીવના આત્મપ્રદેશે સાથે થતા તેને તદ્રુપ સંબંધ એ જ કર્મબંધ છે, અને તે જ પ્રદેશબંધ પણ છે.
ઉપર જણાવેલ પાંચ બંધહેતુમાંના એગના કારણે જીવને પ્રદેશ અને પ્રકૃતિ એ બે પ્રકારના કર્મબંધ હોય છે; કષાયના કારણે સ્થિતિબંધ અને વેશ્યાના કારણે રસ અથવા અનુભાગબંધ જીવને હોય છે. મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણ પરંપરાએ બંધના હેતુ માત્ર છે.
જીવ કર્મબંધ બે પ્રકારે કરે છે. (૧) નિકાચિત અને (૨) અનિકાચિત. કમ બાંધતી વખતે જીવ જે કષાયના તીવ્ર
૧ જૂઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ૦ ૮, સત્ર ૧૨.
- નાગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૨૭ પરિણામ અને લક્ષ્યાવાળો હોય છે, ત્યારે તેને નિકાચિત કર્મબંધ થતાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચારે બંધ એકી સમયે થાય છે. કર્મ બાંધતી વખતે જીવ કષાયના મંદ પરિણામ અને વેશ્યાવાળો હોય છે, ત્યારે તેને અનિકાચિત કર્મબંધ થતાં માત્ર પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય છે; સ્થિતિ અને રસબંધ માટે કષાયના તેવા પરિણામ અને લશ્યાની પણ તે પ્રકારની સ્થિતિ અનુક્રમે આવશ્યક હેય તે તે સમયે જીવમાં ન હોઈ મુલતવી રહે છે, તદનુસાર યોગ્ય કષાય અને લેશ્યા આવી મળતાં આ અનિકાચિત કર્મબંધ નિકાચિત બનતાં તેમાં સ્થિતિ અને રસ એ બન્ને બંધ નિર્માણ થાય છે. તેમ ન બને અને જીવના પરિણામ અને અધ્યવસાય બદલાઈ જાય તો વ્રત, નિયમ, તપ, ધ્યાન આદિદ્વારા પ્રદેશ અને પ્રકૃતિબંધદ્વારા બંધાએલ અનિકાચિત કર્મની નિર્જર પણ થઈ જાય છે.
સ્થિતિ બે પ્રકારની છે. (૧) ઉદયકાલ અને (૨) અનુદયકાલ. કર્મનાં ફલ આપવાની શરૂઆતથી તેના પરિણામને પૂરેપૂરે અનુભવ કરવા સુધીનો કાળ ઉદયકાળ છે. કર્મ પ્રકૃતિ અને પ્રદેશથી બંધાવાની શરૂઆતથી કર્મ ફળ આપવાની શરૂઆત કરે ત્યાં સુધી અનુદયકાળ છે.
નિમિત્તના કારણે જીવમાં કષાય ઉદ્ભવે છે. આ નિમિત્તમાં જે પ્રમાણમાં તરતમતા હોય છે, તે પ્રમાણમાં જીવના અધ્યવસાયમાં પણ તરતમતા રહે છે. આ તરતમતા સ્થિતિબંધનું કારણ બને છે. કાષાયીક ભાવમાં જીવની તલ્લીનતા એ વેશ્યા છે. આ તલીનતાના કારણે સાચી ખોટી વિચારણા અને તેમાં થતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
તદ્રુપતા પણ લેડ્યા છે. આ પ્રકારની વેશ્યા રસબંધનું નિમિત્ત બને છે. રસના ત્રણ પ્રકાર છે, (૧) તીવ્ર (૨) મધ્યમ અને (૩) મંદ. તીવ્ર અધ્યવસાય તીવ્ર રસનું, મધ્યમ અધ્યવસાય મધ્યમ રસનું અને મંદ અધ્યવસાય મંદ રસનું નિર્માણ કરે છે.
નિકાચિતબંધના સ્થિતિ અને રસ નિર્માણ થઈ ગયા હોવા છતાં, તેમાં પણ પરિવર્તન શક્ય બને છે, જીવ જુદા જુદા પ્રકારની ક્રિયા દ્વારા તેમ કરી શકે છે. અપવર્તન અને ઉદવર્તન એ બે ક્રિયા દ્વારા નિર્માણ થએલ સ્થિતિબંધમાં ફેરફાર થાય છે. જીવ કર્મની દૂર રહેલ સ્થિતિને અપવર્તન કિયાદ્વારા નજીક લાવી શકે છે, તેમ જ કમની પાસે આવી ગએલ સ્થિતિને ઉદ્દવર્તન ક્રિયા દ્વારા ફર પણ ઠેલી શકે છે. ગુણસંક્રમણ ક્રિયા દ્વારા જીવ નિર્માણ થએલ રસમાં પાપ-પુણ્યમાં પરસ્પર વિનિમયદ્વારા તેમાં ન્યૂનાવિક્તા કરી શકે છે. જીવ સમયોત્તર ગુણસંક્રમણ પ્રક્રિયાદ્વારા પુણ્યને રસ પાપમાં અને પાપને રસ પુણ્યમાં એમ અરસ-પરસ વિનિમય–બદલે કરતો રહે છેઆ પ્રકારનું સંક્રમણ માત્ર સજાતીય ઉત્તર પ્રકૃતિમાં થઈ શકે છે, પરંતુ વિજાતીય ઉત્તર પકૃતિ કે વિજાતીય મૂળ પ્રકૃતિમાં આવું સંક્રમણ થતું નથી.
પોતે બાંધેલ કર્મના વિપાકરૂપે ફળ ભોગવ્યા વિના જીવને છૂટકે જ હેત નથી, પરંતુ તેમાં તેમાં તે એટલો ફેરફાર કરી શકે છે કે પાસે આવેલ સ્થિતિને દૂર અને દૂરની સ્થિતિને પાસે લાવી શકે છે. આમ કરવા છતાં જીવને કર્મના વિપાકરસ-અનુભવ તે કરવાને જ રહે છે. ગુણસંક્રમણકારા પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૨૯
કર્મના રસને માત્ર વિનિમય થાય છે એટલે કર્મનાં પરિણામ તો જીવ તે પ્રકારે અનુભવે છે, પણ તેમાં માત્ર એટલે જ ફરક પડે છે કે જીવને તેની ખબર પડી શકે તેમ બનતું નથી. ગુણ સંક્રમણ દ્વારા કર્મને રસ ન્યૂનાધિક થાય છતાં કર્મના વિપાક તો જીવને અનુભવાતા હોય છે. આમ જીવ કર્મની સ્થિતિ અને રસ ન્યૂનાધિક કરી શકે છે; છતાં જીવને પ્રદેશથી તે કમ પૂરેપૂરાં ભેગવવાં જ રહે છે. સંસારી જીવને કર્મ ભેગવ્યા વિના છૂટકે નથી.
જીવ કમ વિપાક સમયે જે સમજપૂર્વક રાગ-દ્વેષ દૂર કરી આસક્તિ તજી સમભાવથી તે ભેગવે છે તે તેનાં જુનાં કમ ભગવાઈ જતાં તે છૂટાં થઈ જાય છે અને તેને નવીન કર્મબંધન નિરસ હોય છે. જીવ કર્મવિપાક સમયે જાયેઅજાણ્યે પણ સમતા ન રાખે, કષાય કરે, અધ્યવસાયનું પરિ. સુમન કર્યા કરે તે જુનાં કર્મ અનુભવાતાં તે તો છૂટાં થઈ જાય છે; પરંતુ તે સાથે જીવ નવાં પાપકર્મનું બંધન કરતે જ રહે છે. જીવની સાથે કર્મબંધનની પરંપરાનું આ જ કારણ છે. આ પરથી શીખવાનું એટલું જ છે કે જીવન એવું ઘડવું કે જેથી નવીન કર્મબંધ ન થાય કે અ૫ થાય.
કર્મબંધના ચાર પ્રકાર છે. (૧) પ્રદેશબંધ, (૨) પ્રકૃતિ બંધ, (૩) સ્થિતિબંધ અને (૪) રસબંધ.
પ્રદેશ બંધ: જીવના આત્મપ્રદેશની ચંચળતા અથવા સ્પંદન એ ચુંગ ૧ જૂઓ તસ્વાર્થાધિગમસત્ર અ૦ ૮, સૂત્ર ૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૦ ]
પૂઢ પંન્યાસ શ્રીમણિવિજયજી છે. ચોગ ત્રણ પ્રકારે છેઃ (૧) મ ગ, (૨) વચનગ અને (૩) કાયયેગ. એ ત્રણમાંના એક, બે કે ત્રણે યોગ એકસમયે હેઈ શકે છે અને તેના કારણે જીવને પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ હોય છે. જીવના આત્મપ્રદેશે સાથે અનંતાનંત પ્રદેશના બનેલા સૂક્ષ્માતિસૂક્ષમ કમસ્કને થતો તદ્રુપ સંબંધ એ પ્રદેશબંધ છે.
જીવ પિતાની ઉંચે, નીચે, ચાર દિશા અને વિદિશામાં એમ તીછી રહેલ કર્મલ્ક ને યોગના કારણે પિતાના આત્મપ્રદેશે પ્રતિ ખેંચે છે. આ આશ્રવ ક્રિયા છે; જીવથી કરાતું કર્મ પ્રદેશનું આકર્ષણ એ આશ્રવ છે. આ રીતે આકર્ષિત કર્મ વગણના પુગલને જીવ પિતાના આત્મપ્રદેશ સાથે ઓતપ્રેત બનાવી દે છે. તે પ્રદેશબંધ છે. પ્રદેશબંધ થતાની સાથે તેમાં પ્રકૃતિનું નિર્માણ અવશ્ય થાય છે, પરંતુ સ્થિતિ અને રસનું નિર્માણ તેમાં થાય છે પણ ખરું અને ન પણ થયું હેય તેમ પણ બને છે, અર્થાત્ કેટલીક વખત સ્થિતિ અને રસનું નિર્માણ ભાવિમાં થવાનું હોય છે.
જીવ જે કર્મબંધ કરે છે તે આકર્ષિત કર્મવર્ગણાના પુદગલે છે. કર્મવર્ગણાના આ પુદગલ અનંતાનંત પ્રદેશી પુદગલસ્કંધ હાઈ સૂફમાતિસૂક્ષમ છે, બાદર નથી. આ પુગલસ્કંધ પણ અનંતાનંત પ્રદેશ છે; સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી સ્કમાં કર્મબંધની લાયકાત જ નથી. જીવ એક પ્રદેશાવગાઢ એવા કર્મ પ્રદેશને જ ગ્રહણ કરે છે, અનેક પ્રદેશાવગાઢ એવા નહિ. એક પ્રદેશાવગાઢ સ્થિત એને અર્થ
૧ જુઓ.તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૮, સૂત્ર ૨૫. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
અભિન્નતા દર્શાવે છે; સ્પષ્ટ કરતાં કહી શકાય કે જે આકાશપ્રદેશમાં આત્મપ્રદેશ અવગાહીને રહેલા છે તે જ આકાશપ્રદેશમાં કર્મયોગ્ય પુદગલસ્કંધે પણ અવગાહીને રહેલા છે. આવાજ પુદગલ-સ્કંધો જીવ ગ્રહણ કરી શકે છે અને તેને કર્મરૂપે પરિણુમાવી શકે છે. જે આકાશપ્રદેશને આત્માએ અવગાહ્યા નથી અને જે કર્મસ્કો આત્મપ્રદેશથી અલિપ્ત છે તેવા કર્મ પુદ્ગલ ગ્રહણ કરવાની કે તેને કર્મરૂપે પરિણમાવવાની જીવની તાકાત નથી અર્થાત્ યેગ્યતા નથી. આવા કર્મ સ્કંધો પણ સ્થિત અર્થાત્ સ્થિર હોય તેને જ જીવ ગ્રહણ કરી શકે છે; અસ્થિર અથવા ચંચળ કર્મધેને જીવ ગ્રહણ કરતા જ નથી. - આ રીતે ગ્રહણ કરેલ પુગલસ્કને જીવ કર્મરૂપે પરિ ગુમાવે છે તેજ સાથે તેમાં પ્રકૃતિ, સ્થિતિ અને રસ એ ત્રણનું પણ સામાન્યતઃ નિર્માણ થાય છે.
આપણે પહેલાં જોયું કે સ્થિતિ અને રસ જીવ ન્યૂનાધિક કરી શકે છે; પણ પ્રદેશમાં ન્યૂનાધિક કરવાની તેની તાકાત નથી. આ કારણે જીવને પ્રદેશબંધ અનુસાર કર્મવિપાક તે અનુભવવા જ રહે છે. સ્થિતિ અને રસ વિનાના આવા પ્રદેશવિપાકમાં જીવને કાંઈ શાતા અશાતા આદિને પ્રત્યક્ષ અનુભવ થતો નથી. પ્રકૃિતબંધ:
પ્રતિબંધ જીવને હોય છે તેનું કારણ પણ યોગ છે. કર્મની પ્રકૃતિનું નિર્માણ એટલે કર્મના સ્વભાવનું નિર્માણ. કર્મ જીવને પ્રકૃતિ અનુસાર વિપાક-ફળ આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
છે. સ્થિતિ અને અનુસાર કવિ
દેશવિપાકમાં જ
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૨ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી.
કર્મની મૂળ પ્રકૃતિ આઠ છે. (૧) જ્ઞાનવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) મેહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. આ દરેક મૂળ પ્રકૃતિની અનુક્રમે પાંચ, નવ, બે, અટવીસ, ચાર, એકસે ત્રણ, બે અને પાંચ એમ આઠેય મૂળ પ્રકૃતિની (૧૫૮) એકસે અાવન ઉત્તરપ્રકૃતિ છે.
જ્ઞાનાવરણ:
જે કર્મના કારણે જીવને થતા વિશેષ જ્ઞાનમાં આવરણ આવે છે એ જ્ઞાનાવરણ કર્મ છે. નામ, જાતિ, ગુણ અને ક્રિયા એ ચાર સહિત થતું જ્ઞાન એજ વિશેષ જ્ઞાન. જ્ઞાનાવરણની પાંચ ઉત્તરપ્રકૃતિઃ (૧) મતિજ્ઞાનાવરણ, (૨) શ્રુતજ્ઞાનાવરણ, (૩) અવધિજ્ઞાનાવરથ, (૪) મનઃ પર્યાયજ્ઞાનાવરણ અને (૫) કેવલજ્ઞાનાવરણ.
પાંચ ઈદ્રિય અને મન એ છ દ્વારા શોલેખ વિનાનું વર્તમાનકાલીન વિષય યા પદાર્થનું જીવને થતું મર્યાદિત પર્યાયસહિત જ્ઞાન એ મતિજ્ઞાન છે. મતિપૂર્વક શબ્દાલેખ સહિત ત્રિકાલવિષયક વિષય યા પદાર્થનું જીવને થતું મર્યાદિત પર્યાયસહિત જ્ઞાન શ્રુતજ્ઞાન છે. આ શ્રુતજ્ઞાન સ્વ અને પર એમ બનેને ઉપકારક છે; જ્યારે બાકીનાં ચાર જ્ઞાન માત્ર સ્વ ઉપકારક છે.આત્મસાક્ષાત્કાર દ્વારા માત્ર રૂપી પદાર્થનું મર્યાદિત પર્યાય સહિત જીવને થતું જ્ઞાન અવધિજ્ઞાન છે. આત્મસાક્ષાત્કાર દ્વારા
૧ જુઓ તત્વાર્થાધિગમસૂત્ર અ. ૮, સત્ર ૫. ૨ જુઓ તસ્વાથધિગમસૂત્ર અ૦ ૮, સત્ર ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૩૩
અઢીઢાપમાંના માત્ર સંજ્ઞી જીવેાના મનના પર્યાયાનુ જીવતે થતું જ્ઞાન મન:પર્યાયજ્ઞાન છે. સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયાનું આત્મ સાક્ષાત્કારદ્વારા જીવને થતુ જ્ઞાન કેવલજ્ઞાન છે. મતિ અને શ્રુત એ એ જ્ઞાનથી જીવ રૂપી અરૂપી સવ પદાર્થો જાણી શકે છે, પરંતુ તેના મર્યાદિત પર્યાય માત્ર જાણી શકે છે. અવધિજ્ઞાનથી જીવ સવરૂપી પદાર્થ જાણી શકે છે, પરંતુ તેના મર્યાદિત પર્યાય માત્ર જાણી શકે છે. મન:પર્યાયજ્ઞાનથી સજ્ઞીજીવના મનમાં ચિંતિત પદાથ યા વિષયને જીવ જાણી શકે છે, પરંતુ તેના પણ મર્યાદિત પર્યાય માત્ર જાણી શકે છે. અવિધ અને મન:પર્યાય એ એ જ્ઞાનથી અરૂપી પદાથ જાણી શકાતા નથી. આ ચાર જ્ઞાન જીવને જ્ઞાનાપયેાગ મૂકે ત્યારેજ થઇ શકે છે; જ્ઞાનાપયેગ મૂકતાં પહેલાં મનઃપર્યાયજ્ઞાન સિવાયના ત્રણ જ્ઞાનમાં દર્શનાપયેાગ આવી જાય છે. દશનાપયેાગ થયા પછી જ્ઞાનેાપયેગ હોઈ શકે છે. આત્મ સાક્ષાત્કાર દ્વારા રૂપી અરૂપી સર્વ પદાર્થ અને એ દરેકના સપાઁયાનું જીવને થતુ જ્ઞાન કેવલજ્ઞાન છે. કેવલજ્ઞાનીને સમર્ચાત્તર જ્ઞાનાપયેાગ અને દર્શનેાપયેાગ હોય છે.
મતિજ્ઞાનાવરણ મતિજ્ઞાનને, શ્રુતજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનને, અવધિજ્ઞાનાવરણુ અવધિજ્ઞાનને, મનઃપર્યાયજ્ઞાનાવરણુ મનઃપર્યાયજ્ઞાનને અને કેવલજ્ઞાનાવરણ કેવલજ્ઞાનને આવરે છે-રાકે છે. જ્ઞાનાવરણુકમ આત્માના મૂળભૂત ગુણુ જ્ઞાનને અંતરાય કરનારૂં છે. દનાવરણ'
૧ જુએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૮, સુત્ર ૮,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૪]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી જે કર્મના કારણે જીવના થતા સામાન્ય જ્ઞાનમાં આવરણ આવે તે દર્શનાવરણ કર્મ છે. નામ, જાતિ, ગુણ અને ક્રિયા એ ચાર વિશેષ વિનાનું થતું જ્ઞાન એ સામાન્ય જ્ઞાન, દર્શનના કારણે વસ્તુ યા વિષયને સામાન્ય પરિચય થાય છે. દર્શનાવરણની નવ ઉત્તર પ્રકૃતિ છે. (૧) ચક્ષુદર્શનાવરણ (૨) અચક્ષુદર્શનાવરણ (૩) અવધિદર્શનાવરણ (૪) કેવલદર્શનાવરણ (૫) નિદ્રા, (૬) નિદ્રાનિદ્રા, (૭) પ્રચલા, (૮) પ્રચલા પ્રચલા અને (૯) ત્યાનદ્ધિ અથવા ત્યાનગુદ્ધિ અથવા થિણદ્ધિ.
ચક્ષુરિન્દ્રિય દ્વારા થતું વિષય યા વસ્તુનું સામાન્ય જ્ઞાન ચક્ષુદર્શન છે. ચક્ષુ સિવાયની બાકીની ચાર (સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, નિદ્રય) ઈન્દ્રિય અને પાંચમું મન એ પાંચ દ્વારા થતું વિષય યા વસ્તુનું સામાન્ય જ્ઞાન અચક્ષુદર્શન છે. આત્મ સાક્ષાત્કાર દ્વારા રૂપી પદાર્થનું થતું સામાન્ય જ્ઞાન એ અવધિદર્શન છે. રૂપી અરૂપી પદાર્થોનું થતું સામાન્ય જ્ઞાન કેવલદર્શન છે.
સુખપૂર્વક ઉઠાડી શકાય તેવી નિદ્રા નિદ્રા છે. ખૂબ ઢઢળવાથી ઉઠાડી શકાય તેવી નિદ્રા નિદ્રાનિદ્રા છે. બેઠા બેઠા કે ઉભા ઉભા આવતી અને સુખપૂર્વક જગાડી શકાય તેવી નિદ્રા પ્રચલા છે. ચાલતાં ચાલતાં આવતી અને દુઃખપૂર્વક જગાડી શકાય તેવી નિદ્રા પ્રચલપ્રચલા છે. દિવસના ચિંતવેલ કાર્ય રાત્રિની ગાઢ નિદ્રામાં પણ અણજાણપણે પુરૂં કરી લેવાતી નિદ્રા શિશુદ્ધિ અથવા ત્યાનદ્ધિ છે. આ છેલી નિદ્રામાં છવા જે પ્રસંગે ઉંઘમાં કાર્ય કરે છે તે પ્રસંગે તેનામાં ઘણું બલ– પ્રતિવાસુદેવથી અર્ધ બલ હેવાનું માનવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
1
Page #53
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૩૫
ઉપરની નવ ઉત્તર પ્રકૃતિમાંની પહેલી ચાર તે શુદ્ધ આવરણ રૂપ છે, બાકીની પાંચ તે સંસારી જીવને ભેગવવી પડતી વેદનીય સ્થિતિ એવી છે કે જે દશામાં જીવ ઉપયોગ મૂકવાની સ્થિતિમાં જ હોતું નથી, અને જ્યાં ઉપયોગ નથી ત્યાં સામાન્ય જ્ઞાન તે લભ્યજ કેમ બને ?
ચક્ષુદર્શનાવરણ ચક્ષુદર્શનને, અચક્ષુદર્શનાવરણ અચક્ષુદર્શનને, અવધિદર્શનાવરણ અવધિદર્શનને અને કેવલદર્શનાવરણ કેવલદર્શનને રોકે છે. નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને ત્યાનગૃદ્ધિ એ પાંચ વેદનીય રૂપ હોય તે સ્થિતિમાં જીવને ઉપયોગ શક્ય નથી તે કારણે એ દરેક આવરણરૂપ ગણાય છે. દર્શન પણ જીવના મૂળગુણ જ્ઞાનને વિભાગ ગણાય છે; એટલે દર્શનાવરણ પણ જીવન મૂળગુણનું ધાતક છે. જીવને સ્વભાવ જાણવાને છે, તે બે રીતે જાણી શકે છે. (૧) સામાન્ય રીતે અને (૨) વિશેષ રીતે. આમ હોવાથી આત્માના સામાન્ય અને વિશેષ એ બે જ્ઞાનને આવરણ કરનાર દર્શનાવરણ અને જ્ઞાનાવરણ અનુક્રમે છે. વેદનીય :
જે કર્મના કારણે જીવ સુખ અને દુઃખને અનુભવ કરે છે તે વેદનીય કર્મ છે. તેની બે ઉત્તરપ્રકૃતિ છે. (૧) સાતાસુખ અને (૨) અસાતા-દુઃખ. આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણમાંના ગમે તે એક, બે કે ત્રણેથી ઘેરાએલ જીવ જે તેની તે સ્થિતિ સમભાવપૂર્વક સહી લે છે તે તે તેને સાતા
૧ જુઓ તત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૮, સૂત્ર ૯,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
પૂર્વ પન્યાસજી શ્રીમણિવિજયજી
વેદનીયના અનુભવ ગણાય છે; જ્યારે નિરાગી, શ્રીમત અને માનસિક ચિંતા વિનાના મનુષ્ય પણ પેાતાની તે સ્થિતિમાં ધમાધમ કરે અને સંતાષ ન રાખે તેા તેવાને અસાતાવેદનીયને અનુભવ ગણાય છે. જીવ પેાતાના મનથી સુખ માને તેા શાતા અને ન માને તે અશાતા એમ તેને અથ તારવી શકાય.
માહનીય :
જે કર્મના કારણે જીવ માહમાં ઘેરાઇ મૂઢ મની સંસારમાં અટવાઈ પડે છે તે મેાહનીય કમ છે. તેની મૂળ એ ઉત્તરપ્રકૃતિ છેઃ (૧) નમાહ અને (૨) ચારિત્રમેાહ. દર્શનમાહની ત્રણ અને ચારિત્રમેહની પચીસ એમ એ એની અઠ્ઠાવીસ પ્રકૃતિ થાય છે.
આત્માના શુદ્ધ મૂળ ગુણુરૂપ સમષ્ટિ અર્થાત્ સમ્યગ્દર્શનને ખાધક દર્શનમેાહનીય કમ છે. શુદ્ધ આત્માના બીજા મૂળ ગુણરૂપ ચારિત્રને ખાધક ચારિત્રમેાહનીય ક્રમ છે.
દર્શનમાહના ત્રણ ભેદ છેઃ (૧) મિથ્યાત્વમાહનીય, (૨) મિશ્રમેાહનીય અને (૩) સત્વમેાહનીય, મિથ્યાત્વમેાહનીય કર્મીના કારણે જીવ મિથ્યાત્વદશામાં સખડે છે. મિશ્રમેાહનીયના કારણે જીવ કોઈક વખત મિથ્યાત્વમાં તે। કાઇક વખત સભ્યત્વમાં એમ અનિશ્રિતદશામાં વર્તે છે. સમ્યકત્વમાહનીયના કારણે જીવની શુદ્ધિ આવતી હોય છે તેમાં અર્થાત્ સમ્યક્ત્વ યા સમ્યગ્દષ્ટિ અથવા સમષ્ટિની પ્રાપ્તિમાં વિઘ્ન આવે છે. ૧ જાએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૮, સૂત્ર ૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૩૭
જીવ જ્યારે પ્રથમવાર સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે દર્શનમેાહનીયના ઉપશમ, ક્ષયાપશમ કે ક્ષય એ ત્રણમાંનુ ગમે તે એક અવશ્ય પ્રથમ કરે છે ત્યારે જ તેમ અને છે. જીવ સમ્યગ્દર્શન વમી મિથ્યાત્વ પામ્યા પછી તે વીને ખીજીવાર કે વારંવાર જ્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે દનમાહનીયના ઉપશમ, ક્ષયાપશમ કે ક્ષય ત્રણમાંનુ ગમે તે એક અવશ્ય પ્રથમ કરે છે ત્યારે જ તેમ અને છે.
ચારિત્રમેાહના મુખ્ય બે ભેદ છે: (૧) કષાયમેાહ અને (૨) નાકષાયમેાહ. કષાય ચાર છેઃ (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લેાલ દ્વેષ, ગુસ્સા આદિ ક્રોધના પર્યાય છે. માનને પર્યાય અભિમાન છે. છલકપટ, પ્રપંચ, દંભ, વિસ વાદન આઢિ માયાના પર્યાય છે. લાલસા, તૃષ્ણા, સંગ્રહવૃત્તિ આદિ લેાભના પર્યાય છે. દરેક કષાયના ચાર ભેદ છેઃ (૧) અનંતાનુબંધી, (૨) અપ્રત્યાખ્યાનીય, (૩) પ્રત્યાખ્યાનીય અને (૪) સંજ્વલન. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેાભ અનંતકાલ સુધી સંસારમાં રખડાવનાર છે; કારણ કે તેની હયાતીમાં જીવ સમ્યગ્દર્શનનેા પણ લાભ મેળવી શકતે નથી. અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા અને લેાલ જીવને વધારેમાં વધારે એક કાઢાકેાટી સાગરોપમ કાળ સુધી સંસારમાં રખડાવનાર છે; તની હયાતીમાં જીવ સમ્યગ્દર્શન મેળવી શકે છે, પરંતુ વ્રત, નિયમ, પચ્ચખ્ખાણ આદિ સ્વીકારી શકતા ન હેાઈ જરા સરખા પણ ત્યાગ કરી શકતા નથી. પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા અને લેાભ સ ંખ્યાત કાળસુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૭૮ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
જીવને રખડાવનાર છે; પરંતુ તેની હયાતીમાં જીવ સમ્યગદર્શન ઉપરાંત ગૃહસ્થનાં એકથી માંડીને બાર વત, અન્ય નિયમ, પચ્ચખાણ તેમજ પાંચ મહાવ્રત આદિ આચરી શકે છે, પરંતુ તેમાં અનેક ખેલનો ઉદ્ભવે છે. સંજવલન ક્રોધ, માન, માયા અને લેભ જીવને સંસારમાં અલ્પ સમય રખડાવનાર છે; તેની હયાતીમાં જીવ પાંચ મહાવ્રત લઈ શકે છે, જાગૃતિ રાખી તેનું પાલન પણ કરે છે, છતાં તેમાં સૂક્ષ્મ ખલન રહ્યા કરે છે; આમ હોવાથી સંજવલન કષાય યથાયાતચારિત્રને બાધક છે.
કષાયને ઉદ્દીપન કરનાર એવા નવ નેકષાય છેઃ (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શેક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરૂષદ, (૮) સ્ત્રીવેદ અને (૯) નપુંસકવેદ. જીવમાં હાસ્ય ઉત્પન્ન કરનાર કરાવનાર હાસ્યમેહનીય કર્મ છે. જીવને ઈષ્ટની પ્રાપ્તિ અને પૌદ્ગલિક પદાર્થ અને વિષય પર પ્રીતિ કરનાર કરાવનાર રતિ મેહનીય કર્મ છે. ઈષ્ટની અપ્રાપ્તિ અને અનિષ્ટની પ્રાપ્તિના કારણે તે, પદાર્થ અને વિષય પર અપ્રીતિ કરનાર કરાવનાર અરતિ મેહનીય કર્મ છે. જીવમાં શેક ઉત્પન્ન કરનાર કરાવનાર શોકમેહનીય કર્મ છે. જીવમાં ભય ઉત્પન્ન કરનાર કરાવનાર ભયમેહનીય કર્મ છે. જીવમાં સૂગ ઉત્પન્ન કરનાર કરાવનાર જુગુપ્સામેહનીય કર્મ છે. જીવનમાં પુરૂષ સંસ્કાર અને સ્ત્રી સંસર્ગની લાલસા કરનાર કરાવનાર પુરૂષવેદમોહનીય કર્મ છે. જીવમાં સ્ત્રીસંસ્કાર અને પુરૂષ સંસર્ગની લાલસા કરનાર કરાવનાર સ્ત્રીવેદમેહનીય કર્મ છે. જીવમાં સ્ત્રી અને પુરૂષ એ બેયના સંસ્કાર અને બેયના સંસર્ગની લાલસા કરનાર કરાવનાર નપુંસકવેદમેહનીય કામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૩૯ દર્શનમેહની ત્રણ, કષાયમેહની સેળ અને નેકષાયમેહની નવ એમ એકંદર મેહનીયની અાવીસ ઉત્તરપ્રકૃતિ થાય છે. આયુષ્ય :
કર્મના કારણે પ્રાપ્ત કરેલ ગતિમાં તદ્દભવ યોગ્ય જીવનવ્યવહાર કરનાર કરાવનાર આયુષ્ય કર્મ છે. આયુષ્ય ચાર પ્રકારનાં છેઃ (૧) નારક, (૨) તિર્યંચ, (૩) મનુષ્ય અને (૪) દેવ.
નારક આયુષ્યના કારણે જીવ નારક નિમાં ઉત્પન્ન થઈ તે ગતિ ગ્ય જીવન વ્યવહારમાં પ્રવૃત્ત થાય છે અને તેમાં તલ્લીન બની જીવન ગાળે છે. તિર્યંચ આયુષ્યના કારણે જીવ તિર્યંચ નિમાં ઉત્પન્ન થઈ તે ગતિ યોગ્ય જીવન વ્યવહારમાં પ્રવૃત્ત અને તલ્લીન બની જીવન ગાળે છે. સૂક્ષમ નિગેદ, બાદર નિગેદ, પ્રત્યેક શરીરી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ દરેક જીવ તિર્યંચ ગણાય છે. કેટલાક સંજ્ઞી પંચેન્દ્રિય જીવમાં પણ તિર્યંચ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવ ચાર પ્રકારના છે? (૧) તિર્યંચ, (૨) મનુષ્ય, (૩) દેવ અને (૪) નારક. મનુષ્ય આયુષ્યના કારણે જીવ મનુષ્ય નિમાં ઉત્પન્ન થઈ તે ગતિ
જીવન વ્યવહારમાં પ્રવૃત્ત અને તલ્લીન બની જીવન વિતાવે છે.
પંચન્દ્રિય જીના બે ભેદ છેઃ (૧) સંજ્ઞી અને (૨) અસંજ્ઞી. અસ શી જીવ સંમૂછમ હાઈ અશુચિ સ્થાનમાં
૧ જ તત્ત્વાર્થીધિગમસૂત્ર અ૦ ૮, સત્ર ૧૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૦ ]
પૂ॰ પંન્યાસજી શ્રીમણિવિજયજી
પેદા થનાર છે. અને તેમને દ્રવ્ય મન હેતુ' નથી. સી જીવાને મન હોય છે. સ'ની તિય ચને મન તે હાય છે; પરંતુ તે પરતંત્ર હાય છે. સંજ્ઞી મનુષ્ય મનવાળેા છે અને સ્વતંત્ર પશુ છે. સત્તી જીવ હિત, અહિત, કન્ય, અકતન્ય, હેય, શેય,ઉપાદેય આદિ ભેદ સમજી શકે છે.
દેવ અને નારક જીવ પણ સ ́રીજ હેાય છે. દેવગતિમાં જીવે ખાંધેલ પુણ્યને ભાગવવાનુ હોય છે; જ્યારે નારક ગતિમાં જીવે ખાંધેલ પાપના ફળ ભાગવવાનાં હેાય છે. માત્ર મનુષ્ય જન્મ જ દુષ્પ્રાપ છે, કારણ કે કાર્ય અકાર્યના ભેદ સમજી ઈચ્છા થતાં જીવ આ ભવમાં અકાય તજી શકે છે અને સત્કાર્ય આચરી શકે છે.
નામ :
જીવને તેના યથાયેાગ્ય સ્વરૂપે એળખાવનાર નામ છે. નામ કર્મના કારણે જીવને જુદા જુદા પ્રકારની સગવડ મળી રહે છે અને તે પ્રાપ્ત કરી જીવ તે તે પ્રકારે ગાળખાય છે. નામકમની ઉત્તરપ્રકૃતિ એકસાને ત્રણ છે.
નામકર્મની મૂળ ઉત્તરપ્રકૃતિ બેતાલીસ છેઃ ૧૪ ડિપ્રકૃતિ ૮ પ્રત્યેક પ્રકૃતિ, ૨૦ સ્થાવરદશક અને ત્રસદશક=૪૨. (૧ થી ૧૪) પિંડપ્રકૃતિ–જે પ્રકૃિતના પેટાભેદ છે તે, (૧૫ થી ૨૨) પ્રત્યેક પ્રકૃતિ, (૨૩ થી ૩૨) ત્રસદશક અને (૩૩ થી ૪ર) સ્થાવર દર્શક. પિંઢપ્રકૃતિના પેટાલેદ પંચાતર થાય છે; એટલે ૭૫૮+
૧૦+૧૦=૧૦૩
જુએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૮, સૂત્ર ૧૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૪૧
પિંડ પ્રકૃતિ ચૌદ છેઃ (૧) ગતિ, (૨) જાતિ, (૩) શરીર, (૪) અંગે પાંગ, (૫) બંધન, (૬) સંઘાત, (૭) સંહનન, (૮) સંસ્થાન, (૯) વર્ણ, (૧૦) રસ, (૧૧) ગંધ, (૧૨) સ્પર્શ, (૧૩) આનુપૂર્વી અને (૧૪) વિહાગતિ.
ગતિ ચાર પ્રકારની છેઃ (૧) નારક, (૨) તિર્યંચ, (૩) મનુષ્ય અને (૪) દેવ. આ ચાર ગતિમાંની ગમે તે એક ગતિમાં ઉત્પન્ન કરાવનાર કર્મ એ ગતિનામ કર્મ છે.
જાતિ પાંચ પ્રકારની છેઃ (૧) એકેન્દ્રિય, (૨) બે ઈન્દ્રિય, (૩) ત્રણ ઈન્દ્રિય, (૪) ચારઈન્દ્રિય અને (૫) પંચેન્દ્રિય. જીવને પાંચ જાતિમાંની ગમે તે એક જાતિ પ્રાપ્ત કરાવનાર જાતિનામ કર્મ છે. જાતિ અનુસાર જીવ તે પ્રકારે ઓળખાય છે.
શરીર પાંચ છે. (૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તેજસ અને (૫) કામણ. જીવને પ્રવૃત્તિ કરવાનું તેમજ જીવનવ્યવહાર ચલાવવાનું સાધન શરીર છે. આ પાંચ શરીરમાંના ઔદારિક અને વૈક્રિય એ બેમાંથી ગમે તે એક જીવને જન્મથી પ્રાપ્ત કરાવનાર શરીરનામ કર્મ છે.
તિર્યંચ અને મનુષ્યને જન્મથી ઔદારિક શરીર હોય છે, જ્યારે દેવ અને નારકને જન્મથી વૈક્રિય શરીર હોય છે. સંસારી જીવને જન્મથી હેતાં શરીર ઉપરાંત અનાદિ એવાં તેજસ અને કાર્મ શરીર પણ હોય છે. તિર્યંચ અને મનુષ્યને લબ્ધિદ્વારા વક્રિય શરીર અને ચૌદપૂર્વી એવા સંયત મનુષ્યને લબ્ધિદ્વારા આહારકશરીર પણ હોઈ શકે છે.
ઔદારિક શરીર અસંખ્યાત સ્થલ પદગલસ્કોનું બનેલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૨ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી છે, તેથી તે ઈન્દ્રિયગ્રાહ્ય, છે. વેકિયશરીર ઔદારિક શરીરમાં વપરાતા પુદ્ગલકંધથી અસંખ્ય ગુણ અધિક પુદગલકંધનું અને ઔદારિક શરીરમાં વપરાતા પુદ્ગલસ્કધ કરતાં સૂક્ષમ પુદ્ગલસ્કોનું બનેલું છે. આહારકશરીર વૈક્રિય શરીરમાં વપરાતા પુદગલધથી અસંખ્ય ગુણ અધિક પુદગલરકંધનું અને વૈશ્યિ શરીરમાં વપરાતા પુદગલ કરતાં પણ સૂક્ષ્મ પુદગલ
ધનું બનેલું છે. વૈક્રિય શરીર પણ ઈન્દ્રિયગ્રાહ્યા છે, પરંતુ આહારક શરીર ત્રાહિત જીવો માટે ઈન્દ્રિયગ્રાહ્ય નથી, તેજસ અને કામણ શરીરમાં આહારક શરીરમાં વપરાતા પુદ્ગલ સ્કંધકરતાં ઉત્તરોત્તર અનંતઅનંત ગુણ પુગલસ્કધે અધિક હેય છે, અને તે આહારક શરીરના પુદ્ગલસ્કધ કરતાં પણ સૂક્ષમ સૂક્ષમતા હોય છે. આ બન્ને શરીર ઈન્દ્રિયગ્રાહ્ય નથી, તેજસ અને કામણ એ બે શરીર જીવને અનાદિ સંબંધવાળાં છે; આ શરીર ભવ્ય જીવ આશ્રયી અનાદિસાન્ત છે, જ્યારે અભવ્ય જીવ આશ્રયી અનાદિ અનંત છે. બાકીના શરીરમાંનુ
દારિક શરીર (જન્મથી હોતું) સાદિસાન્ત જ છે. વૈક્રિય શરીર જે જન્મથી અને લબ્ધિથી હોય છે તે તેમજ આહારક શરીર જે લબ્ધિથી હોય છે તે દરેક સાદિસાન્ત છે.
દારિક શરીર સ્કૂલ છે. વેદિય શરીર તેનાથી સૂક્ષ્મ છે; આ શરીર નાનું–મેટું, એક-અનેક, સૂક્ષમ-આદર, ભદ્ર-રૌદ્ર આદિ અનેક વિક્રિયા કરનારૂં હેઈ વક્રિય કહેવાય છે. લબ્ધિવિક્રિય શરીરની રચના અને પ્રવૃત્તિ એ બને સમયે જીવને પ્રમત્તયોગ હોય છે. આહારક શરીર માત્ર એક હાથનું અને વિકિય શરીરથી પણ સૂક્ષમ હોય છે, પરંતુ તેની પ્રવૃત્તિ સમયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
૪૩
જીવને પ્રમત્ત યોગ હોય છે. આવું શરીર ચૌદ પૂર્વધર મુનિ અન્ય ક્ષેત્રમાં વિરાજતા તીર્થંકરની અદ્ધિ જોવાની ઈચ્છાથી અથવા પિતાને પડેલ સૂમ વિષયૂના સંદેહના ખુલાસા મેળવવા અર્થે જ રચે છે. તેજસ અને કાર્મણ શરીર ઉત્તરોત્તર સૂક્ષ્મ સૂક્ષ્મતર હોય છે.
તૈજસ કામણુ એ બે શરીર સૂક્ષ્મ ડેઈ અરૂપી છે; તેને અંગોપાંગ પણું હેતાં નથી. દારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીર અંગે પાંગવાળાં છે.
જીવના દેહને અંગે પાંગની પ્રાપ્તિ કરાવનાર અંગોપાંગ નામ કમ છે.
અંગ આઠ છેઃ (૧) મસ્તક, (૨, ૩) બે હાથ, (૪, ૫) બે પગ, (૬) ઉદર, (૭) પીઠ અને (૮) જંઘ અથવા જાંઘ.
આંગળાં, નાક, આંખ, કાન, જીભ આદિ ઉપાંગ છે. નખ, રેખા, વાળ, રેમ, વેઢા આદિ અંગોપાંગ છે.
બાંધેલ કર્મના કારણે જીવમાં આશ્રવ પામતાં નવાં કર્મપુદ્ગલને જીવના આત્મપ્રદેશ સાથે થતે તદ્રુપ સંબંધ એ બંધ અથવા બંધનનામ કમ છે. બંધન પંદર છે: (૧) ઔદારિક દારિક, (૨) ઔદારિક તેજસ, (૩) દારિક કામણ, (૪) દારિક તેજસ કાર્ય, (૫) વૈક્રિય વૈક્રિય, (૬) વૈક્રિય તેજસ, (૭) વક્રિય કામણ, (૮) વક્રિય તેજસ કાર્મણ, (૯) આહારક આહારક, (૧૦) આહારક તૈજસ, (૧૧) આહારક કામણ, (૧૨) આહારક તેજસ કામણ, (૧૩) તેજસ તેજસ, (૧૪) તેજસ કામણ અને (૧૫) કામણ કામણ કર્મની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૪ ]
પૂ॰ પંન્યાસજી શ્રીમણિવિજયજી
સત્તા આશ્રી પંદર ખંધન ગણાય છે; પરંતુ કમના મધ અને ઉદયને આશ્રી પાંચ શરીર અનુસાર માત્ર પાંચ ધન જ ગણાય છે.
ખાંધેલ કનાં કારણે જીવ કર્મવાના પુદ્ગલને પેાતાના આત્મપ્રદેશ પ્રતિ ખેંચી જે આશ્રવ કરે છે, તેનું કારણ સઘાત નામકમ છે. આ કાર્ય પાંચ શરીરદ્વારાજ થતું હ।ઈ સંઘાતના પાંચ પ્રકાર છેઃ (૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તેજસ અને (૫) કામણ.
શરીરના અસ્થિમધની રચના કરનાર કરાવનાર સહુનન નામકમ છે. સનન છ છેઃ (૧) વઋષભનારાચ, (ર) ઋષભનારાચ, (૩) નારાચ, (૪) અનારાચ, (૫) કીલિકા અને (૬) સેવા અથવા છેવઠ્ઠ, પરસ્પર ભેરવેલ આંકડા માક મટમ'ધ, તેના પર પાર્ટી અને પાટાની મધ્યમાં ખીલી, એ પ્રકારના અસ્થિમ ધ વઋષભનારાચ સંહનન છે. ઉપર મુજબની ખીલી વિનાની અસ્થિમ ધ રચના ઋષભનારાચ સહનન છે. પાટા અને ખીલી વિનાની એવી માત્ર મર્ક મધ અસ્થિબંધ રચના નારાચ સહનન છે. એક માજી અકાડા અને તે પર ખીલીવાળી અસ્થિબંધ રચના અનારાચ સહનન છે. અકાડા સિવાયની પરસ્પર અધબેસતા સબધ અને તે પર ખીલીવાળી અસ્થિમ ધ રચના કીલિકા સહુનન છે, અને અકાડા સિવાયની પરસ્પર ખધખેસતા સ'અ'ધવાળી માત્ર અસ્થિમ ધ રચના
સેવાત્ત સહનન છે.
શરીર અથવા દેહના આકારની રચના કરનાર કરાવનાર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #63
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૪૫
સંસ્થાન નામકર્મ છે. સંસ્થાન છે છેઃ (૧) સમચતુરસ, (૨) ન્યુધ-પરિમંડળ, (૩) સાદિ, (૪) કુજ, (૫) વામન, અને (૬) હુંડક. ચારે બાજુના સરખા અંતરવાળું સમચતુરસ સંસ્થાન છેઃ (૧) જમણા ઢીંચણથી ડાબા ખભા સુધીનું, (૨) ડાબા ઢીંચણથી જમણા ખભા સુધીનું, (૩) બને ઢીંચણ વચ્ચેનું અને (૪) પલાંઠીના આસનથી નાસિકા સુધીનું. આ ચારે પ્રકારનાં અંતરનાં માપ સમાન હોય તે સમચતુરસ સંસ્થાન છે. વડના ઝાડની માફક નાભિ ઉપરનાં અંગે ભરાવદાર અને નાભિ નીચેનાં અંગે ભરાવદાર નહિ એવી શરીર રચના ન્યોધ પરિમંડળ સંસ્થાન છે. નાભિ ઉપરનાં અંગે પ્રશસ્ત દેખાવનાં અને નાભિ નીચેનાં અંગે અપ્રશસ્ત દેખાવનાં એવી શરીર રચના સાદિ સંસ્થાન છે. હાથ, પગ, મસ્તક અને ગ્રીવા (ડેક) સુલક્ષણ હોય અને હૃદય પેટ હીન હોય તે કુજ સંસ્થાન છે. હદય તથા પેટ સુલક્ષણ અને હાથ, પગ, શિર, અને ગ્રીવા કુલક્ષણ હેય તે વામન સંસ્થાન છે અને અપ્રશસ્ત કુરૂપ અંગ ઉપાંગવાળી તેમજ ઢંગધડા વિનાની શરીર રચના હુંડક સંસ્થાન છે.
શરીર, અંગ, ઉપાંગ, અંગે પાંગ આદિ પ્રત્યેકના વર્ણન કારણરૂપ વર્ણનામકર્મ છે. વર્ણ પાંચ છે. (૧) લાલ, (૨) પીળો, (૩) સફેદ, (૪) નીલ અને (૫) શ્યામ.
શરીર, અંગ, ઉપાંગ અને અંગોપાંગ આદિ પ્રત્યેકના રસના કારણ રૂ૫ રસનામકર્મ છે, રસ પાંચ છે. (૧) મીઠો ખારે, (૨) ખાટે, (૩) ત્રે-કપાયેલો, (૪) કડવો અને (૫) તીખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૬ ]
પૂર્વ પન્યાસજી શ્રીમણિવિજયજી
શરીર, અંગ, ઉપાંગ અને અગેાપાંગ આદિ પ્રત્યેકના ગંધના કારણરૂપ ગંધનામકમ છે, ગધ એ છેઃ (૧) સુગંધ અને (૨) દુર્ગંધ.
શરીર, અંગ, ઉપાંગ અને અગાપાંગ આદિ પ્રત્યેકના સ્પર્શના કારણુરૂપ સ્પર્શનામકમ છે. સ્પશ આઠે છે. (૧) શીત; (૨) ઉષ્ણુ, (૩) સ્નિગ્ધ-ચીકણા, (૪) રૂક્ષ-લુખા, (૫) મૃદુંસુંવાળા, (૬) કઠણુ-ખરછટ, (૭) હુલકા (વજનમાં) અને (૮) ભારે (વજનમાં),
જીવે ખાંધેલ ગતિ અનુસાર પૂર્વ સ્થાને દેહ છોડ્યા પછી નવી ગતિમાં ઢોરનાર આનુપૂર્વી નામ કર્મ છે. ચાર ગતિ અનુસાર આનુપૂર્વી પણ ચાર છે. (૧) દેવાનુપૂર્વી, (૨) મનુષ્યાનુપૂર્વી, (૩) તિય ચાનુપૂર્વી અને (૪) નારકાનું પૂર્વી,
જીવની ગમનાગમન પ્રવૃત્તિનું નિયામક વિદ્યાયે ગતિનામક્રમ છે. તેના બે પ્રકાર છે. (૧) શુભ અને (ર) અશુભ.
હસ અને હાથી જેવી ગતિ સુંદર અને શુભ ગણાય છે, જ્યારે ઉંટ અને, કાગડાના જેવી ગતિ અશુભ અને હીન ગણાય છે.
ચૌદ પ્રકૃતિની પંચાત્તર ઉત્તર પ્રકૃતિની સમજ ઉપર આપી, તેની ગણત્રી કરી કરી લઇએ.
(૧) ગતિ(ર) જાતિ
૪ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક.
૫ એકેન્દ્રિય, એઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઇન્દ્રિય, પ'ચેન્દ્રિય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[૪૭ (૩) શરીર- ૫ દારિક, વૈક્રિય, આહારક, તેજસ
અને કામણ. () અંગે પાંગ- ૩ ઔદારિક, વૈક્રિય, આહારક તજસ અને
કામણ શરીર અંગે પાંગ વિનાનાં છે). (૫) બંધન- ૧૫ ઔદારિક ઔદારિક, ઔદારિક તૈજસ,
દારિક કામણ, ઔદારિક તેજસ કામણ, વૈક્રિય વૈક્રિય, વૈક્રિય તૈજસ, વિકિય કામણ, વૈક્રિય તૈજસ કાર્મણ, આહારક આહારક, આહારક તેજસ, આહારક કામણ, આહારક તેજસ કાર્મણ, તેજસ તેજસ, તેજસ કામણ,
કાર્પણ કાર્મણ. (૬) સંઘાત- ૫ ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ
અને કામણ. (૭) સંહનન- ૬ વાષભનારાચ, ઋષભનારાચ, નારાચ,
અર્ધનારાચ, કાલિકા અને સેવા-છેવ, (૮) સંસ્થાન- ૬ સમચતુરસ, ન્યગ્રોધ પરિમંડળ, સાદિ,
કુજ, વામન અને હેડક. (૯) વર્ણ- પ લાલ, પીળા, સફેદ, નીલ અને શ્યામ. (૧૦) રસ- ૨ મીઠા, ખાટે, તૂરે, કહે અને તીખે. (૧૧) ગંધ- ૨ સુગધ અને દુર્ગંધ. (૧૨) સ્પર્શ– ૮ શીત, ઉષણ, સ્નિગ્ધ, રુક્ષ, મૃ, કઠણ,
હલકું, ભારે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૮ ]
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી (૧૩) આનુપૂર્વી– ૪ દેવાનુપૂવ, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુ
પૂર્વીનારકાનુપૂર્વી. (૧૪) વિહાગતિ-૨ શુભ, અશુભ. ૧૪
૭૫ નામકર્મની આઠ પ્રત્યેક પ્રકૃતિ આ પ્રમાણે છેઃ (૧) અગુરુલઘુ, (૨) ઉપઘાત, (૩) પરાઘાત, (૪) આત૫, (૫) ઉદ્યોત, (૬) શ્વાસોશ્વાસ, (૭) નિર્માણ અને (૮) તીર્થંકર.
નહિ અતિ ભારે અને નહિ હલકે એ આત્મા અથવા જીવને સમ પરિણામ એનું કારણ અગુરુલઘુનામકર્મ છે. ચેર=દાંત, રસેલી, વધારે આંગળાં કે ઓછા આંગળા આદિ જીવને અડચણ કરનાર અવયવેનું કારણ ઉપઘાતનામકર્મ છે. પિતાની હાજરી અથવા વચનથી બલવાન બીજાના પર પ્રભાવ પાડી વર્ચસ્વ જમાવી શકવાનું કારણ પરાઘાતનામકર્મ છે. ઠંડા દેહમાં ઉણુ પ્રકાશનું કારણ અથવા તેનું નિયામક આતપ નામકર્મ છે. ઉsણ દેહમાં શીત તત્ત્વનું કારણ અને તેનું નિયામક ઉદ્યોત નામકર્મ છે. જીવને શ્વાસે શ્વાસ લેવામાં નિમિત્ત અને નિયામક શ્વાસોશ્વાસ નામકર્મ છે. જીવને તેની ગતિ અનુસાર તેના દેહમાં યથાસ્થાને અંગોપાંગની રચના થવામાં નિમિત્ત અને નિયામક નિર્માણનામકર્મ . ધર્મ અથવા પ્રવચનરૂપ તેમજ ચતુર્વિધ સંઘરૂપ એમ બન્ને પ્રકારે તીર્થ પ્રવર્તાવવાનું નિમિત્ત અને નિયામક તીર્થંકર નામકર્મ છે. તીર્થંકર નામકર્મના કારણે કેવલજ્ઞાન થતાં તીર્થકર આઠ પ્રાતિહાર્ય સહિત સમવસરણમાં બેસી ભવ્ય જીને ઉપદેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૪આપતાં પ્રવચન તીર્થની સ્થાપના કરે છે, અને તેના શ્રવણના પરિણામે ભવ્ય છે જે પ્રત્યાખ્યાન કરે છે, તેના કારણે ચતુર્વિધ સંઘની સ્થાપના થાય છે.
સપ્રતિપક્ષ બે દશક છેઃ (૧) સ્થાવરદશક અને (૨)
સશક.
સ્થાવરદશક આ પ્રમાણે છેઃ (૧) સ્થાવર, (૨) સૂમ, (૩) અપર્યાપ્ત, (૪) સાધારણ, (૫) અસ્થિર, (૬) અશુભ, (૭) દુરવાર, (૮) દુર્ભાગ, (૯) અનાદેય અને (૧૦) અયશકીર્તિ
સ્થાવરદશક અને ત્રસદશક એ દરેક સપ્રતિપક્ષ હાઈ તેની સમજુતી એકીસાથે આપવી યોગ્ય લાગે છે, કારણ કે તે વિના તે સમજી ન શકાય.
આવી પડતા ત્રાસને દૂર કરવા એક સ્થાનેથી બીજે સ્થાને ગમનાગમન કરવાની જીવની અશક્તિનું કારણ સ્થાવર નામકર્મ છે. આ કારણે જીવને સ્થાવર એવું શરીર પ્રાપ્ત થાય છે. આવી પડતા ત્રાસને દૂર કરવા એક સ્થાનેથી બીજા સ્થાને ગમનાગમન કરવાની જીવની શક્તિનું કારણ ત્રસ નામ-કર્મ છે, આ કારણે જીવને ત્રસ શરીર પ્રાપ્ત થાય છે.
કોઈપણ ઈન્દ્રિયથી ન જાણુ શકાય તેવું સૂફમાતિસૂક્ષમ શરીર પ્રાપ્તિનું કારણ સહમનામકર્મ છે, જયારે કોઈપણ ઈન્દ્રિયથી જાણી શકાય તેવું સ્થૂલ શરીર પ્રાપ્તિનું કારણ બાદરનામ કમ છે.
અપર્યાપ્ત અને પર્યાપ્ત એ બેની સમજ સારૂ પર્યાસિનું સ્વરૂપ સમજવાની આવશ્યકતા ઉભી થાય છે. કર્મના પિંડરૂપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૦ ] .
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી કાર્પણ અને તેજસ એ બે સૂમ શરીર જીવને અનાદિ હોય છે, તે કારણે પૂર્વ સ્થાને દેહ છેડીને જીવ આનુપૂર્વી, ગતિ, જાતિ આદિ નામકર્મ અનુસાર નવીન ઉત્પત્તિ સ્થાને પહોંચી સ્વજાતિ એગ્ય દેહ ધારણ કરવા પુદ્ગલગ્રહણરૂપ આહાર તેને હોય છે. આ આહારના પુદ્ગલેમાં જે પરિણામ પામવાની શક્તિ રહેલી છે તેજ પુગલ અને પુદગલની પરિણમન શક્તિ એ બંને પર્યાપ્ત છે. આમ જોતાં પર્યાપ્તિનું મૂળ-અંતરંગ કારણ કામણગ અથવા કામણુશરીર છે; જ્યારે બાહ્ય કારણ પુદગલગ્રહણ છે; તેમજ તે પુદગલમાં રહેલ પરિણમન શક્તિ અને તેને ઉપયોગમાં લઈ મૂકવાની જીવની શક્તિ એ સર્વને પુગલમાં સમાવેશ ગણી લેવાનું રહે છે. સંક્ષેપમાં કહીએ તે પતિને અર્થ શક્તિ છે; પર્યાપ્તિ ૬. છેઃ (૧) આહાર, (૨) શરીર, (૩) ઈન્દ્રિય, (૪) શ્વાસ, (૫) ભાષા અને (૬) મન.
આહારપર્યાપ્તિ : પૂર્વ સ્થાને પિતાનો દેહ છડી પોતાની નવી આનુપૂર્વી, ગતિ, જાતિ આદિ નામકર્મરૂપ કામણ શરીર અનુસાર નવીન ઉત્પત્તિ સ્થાને પહોંચી સ્વજાતિ યોગ્ય દેહ ધારણ કરવા જીવ જે પુદ્ગલ ગ્રહણ કરે છે તે આહારપર્યાપ્તિ છે. આહારપર્યાપ્તિ પ્રાયઃ નવીન ઉત્પત્તિ સ્થાને હોય છે. આ આહારપર્યાપ્તિ ઉત્પત્તિ સ્થાનમાં રહેલ પુદગલની જ જીવને હોય છે.
આહારપર્યાપ્તિ સર્વ જીવોને એક સમયની હોય છે અને તે સાથે જ તેના પરિણમનરૂપે બાકીની પાંચ પર્યાપ્તિ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૫૧
એકીસાથે શરૂ થઈ જાય છે; આમ આહારપર્યાપ્તિ બાકીની પાંચ પર્યાપ્તિની જનક છે.
શરીર૫ર્યાપ્તિ: આહારપર્યાપ્તિ તરીકે ગ્રહણ કરેલ પુદગલમાંથી ખલ-અસાર યુગલને ત્યાગી બીજ સાર પુદગલને (ચામડી, લેહી, માંસ, મજા-નસ, હાડકાં, ચરબી અને શુક્ર વીર્ય) તેજસ શરીરના કારણે ધાતુરૂપે પરિણુમાવી શરીર નામકર્મ અનુસાર તેને દેહ રચનામાં રૂપાંતર કરવાં એ શરીર પર્યાપ્તિ છે. આહારપર્યાપ્તિ પૂરી થાય પછી આ પર્યાપ્તિને સમય અંતઃમુહૂર્તને હોય છે. ગતિ, જાતિ આદિ નામકર્મ અનુસાર જીવનું આ રીતે ઘડાએલ શરીર ગતિ જાતિ યોગ્ય જીવન પ્રવૃત્તિ ચલાવવા સમર્થ બનતાં જીવને શરીર પર્યાપ્તિ પૂરી થઈ ગણાય છે.
ઈન્દ્રિય પર્યાપ્તિ: સાત ધાતુરૂપે પરિણુમાવેલ પુદગલમાંથી ઈન્દ્રિય ગ્ય પુદ્ગલગ્રહણ કરી ગતિ, જાતિ, આદિ નામકર્મ અનુસાર દેહની ઈન્દ્રિય રચના કરવામાં તેને રૂપાંતર કરવા અને ઈન્દ્રિય રચના કરવી એ ઈન્દ્રિય પર્યાપ્તિ છે. શરીરપર્યાપ્તિ પૂરી થયા પછી આ પર્યાપ્તિને સમય અંતમુહૂર્ત છે. ઈન્દ્રિયપર્યાપ્તિના કારણે ઈન્દ્રિયરચના પૂરી થતાં તેને ઈન્દ્રિય વડે તે તે દ્રવ્ય યા તેના વિષયને જીવ પારખવા સમર્થ બનતાં આ પર્યાતિ પૂરી થઈ ગણાય છે.
શ્વાસે શ્વાસપર્યાસિ: સાત ધાતુરૂપે પરિણુમાવેલ પુદગલમાંથી ઉદ્ધવપામતી શક્તિ વડે શ્વાસોશ્વાસ યોગ્ય અર્થાત તે વર્ગણાના પુદગલ ગ્રહણ કરી તેને શ્વાસે શ્વાસરૂપે પરિણુમાવી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
પર ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
અવલંબીને શ્વાસે શ્વાસરૂપે લે મૂક કરવા એ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ છે. ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી સુખપૂર્વક જીવન અનુભવવા શ્વાસોશ્વાસ લે મૂક કરવા જીવ સમર્થ બનતાં આ પર્યાપ્તિ પૂરી થઈ ગણાય છે.
ભાષાપર્યાતિ : સાત ધાતુરૂપે પરિણુમાવેલ પુદગલમાંથી ઉદ્ભવતી શક્તિવડે ભાષાવગણાના પુગલ ગ્રહણ કરી તેને વચનરૂપે પરિણુમાવી અવલંબીને વચનરૂપે લે મૂક કરવા એ ભાષાપત્યપ્તિ છે. શ્વાસે શ્વાસ પર્યાપ્તિ પૂરી થયા પછી આ પર્યાતિનો સમય અંતઃમુહૂર્તને છે. જીવ જીવનવ્યવહાર અર્થે ભાષાને ઉપયોગ કરવા સમર્થ બનતાં આ પર્યાતિ પૂરી થઈ ગણાય છે. | મન:પર્યાતિ : સાત ધાતુરૂપે પરિણાવેલ પુદગલમાંથી ઉદ્ભવતી શક્તિ વડે મને વગણના પુદ્ગલ ગ્રહણ કરી તેને મનરૂપે પરિણાવી, અવલંબીને, વિસર્જન કરવાની શક્તિ વડે વિચાર, ચિંતન, મનન આદિ મને વ્યાપારમાં ઉતારવા એ મન:પર્યાપ્તિ છે. ભાષાપર્યાપ્તિ પૂરી થયા પછી આ પર્યામિને સમય અંતમુહૂર્તનો છે. સંસારી જીવ પોતાના મનવડે વિચાર, ચિંતન, મનન આદિ પ્રવૃત્તિ કરી હિતાહિત, સારાસાર, કાર્યઅકાર્યને વિવેક કરવા સમર્થ બનતાં આ પર્યાપ્તિ પૂરી થઈ ગણાય છે.
સંસારી જીવ નવા ઉત્પત્તિ સ્થાને પહોંચતાં જ આ છે પર્યાપ્તિનું કાર્ય એકી સમયે જ શરૂ કરે છે અને એ દરેક પર્યાતિ ક્રમાનુસાર સમાપ્ત થાય છે. આ છ પર્યાપ્તિને એકંદર સમય પણ અંતમુહૂતને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૫૩
મનુષ્ય અને તિય જીવને આહારપર્યાપ્તિ એક સમયની અને બાકીની પાંચ પર્યાપ્તિમાંની દરેક પર્યાપ્તિની સ્થિતિ અંતમુહૂર્તની છે; નારક, દેવ, ઉત્તરક્રિય અને ઉત્તરઆહારક શરીર ધારણ કરનાર જીવને આહારપર્યાપ્તિ એક સમયની, શરીર પર્યાપ્તિ અંતઃમુહૂર્તની અને બાકીની ચાર પર્યાપ્તિમાંની દરેક પર્યાપ્તિ એક એક સમયની હોય છે. ભગવતી સૂત્રમાં દેવને ભાષા અને મન એ દરેક પર્યાપ્તિ સમસમયી–એક સમયની ગણાવતાં પાંચ પર્યાતિવાળા પણ કહ્યા છે.
તિયચમાંના એકેન્દ્રિય જીવને પહેલી ચાર વિકલેન્દ્રિય (બેઈન્દ્રિય, ત્રણઈન્દ્રિય ચારઈન્દ્રિય) અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય જીવને એ દરેકને પહેલી પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ તેમ જ મનુષ્યને છ પર્યાપ્તિ એ પ્રમાણેની લાયકાત હોય છે. નિયમ તરીકે સંસારી દરેક જીવ પહેલી ત્રણ પર્યાપ્તિ તે પૂરી કરે જ છે, તે પછીની પર્યાપ્તિ કેટલાક જીવ પૂર્ણ કરી શકે છે તે પર્યાપ્તા કે પર્યાપ્ત કહેવાય છે; અને જે પૂર્ણ કરી શક્તા નથી તે અપર્યાપ્તા કે અપર્યાપ્ત કહેવાય છે.
આમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત એ દરેકના પણ બે ભેદ છેઃ (૧) લબ્ધિ અને (૨) કરણ.
લબ્ધિ અપર્યાપ્ત જીવ સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી શકવા શક્તિમાન તે હોય છે, પરંતુ ન્યૂન આયુષ્યના કારણે જીવ વગ્ય પર્યાતિ પૂર્ણ કરી શકતું નથી. આવા જીવ લબ્ધિ અપર્યાપ્ત જીવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
૫૪ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
લબ્ધિ પર્યાપ્ત જીવ સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરવા સમર્થ હોય છે. અને તે પૂર્ણ પણ કરી શકે છે. આવા જીવ લબ્ધિપર્યાપ્ત છે. લબ્ધિપર્યાપ્ત જીવ બે પ્રકારના છેઃ (૧) કરણપર્યાપ્ત અને (૨) કરણ અપર્યાપ્ત.
કરણપર્યાપ્ત જીવ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરવા સમર્થ હોય છે. અને તેવી પર્યાપ્તિ પૂરી કર્યા પછી તે જીવ કરણપ્રર્યાપ્ત ગણાય છે; કરણઅપર્યાપ્ત જીવ સર્વગ્ય પર્યાતિ પૂર્ણ કરવા સમર્થ હોય છે. અને તેવી પર્યાતિ પૂર્ણ કરી નથી હતી તેટલા સમય પૂરતા માત્ર કરણઅપર્યાપ્ત ગણાય છે; તેજ જીવ સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ થતાં કરણપર્યાપ્ત બને છે.
દરેક સંસારી જીવ આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ અને ઈન્દ્રિયપર્યાપ્તિ એ ત્રણ પર્યાપ્તિ તે સંપૂર્ણતઃ પૂર્ણ કરે જ છે. કારણ કે કેઈપણ સંસારી જીવનું આયુષ્ય ગમે તેટલું ન્યૂન હોય તો પણ તે ત્રણ પર્યાપ્તિ પૂરી થયા પહેલાં પૂરું થતું નથી. એકેન્દ્રિય જીવ થી શ્વાસે શ્વાસ પર્યાપ્તિ પૂરી કર્યા વિના આયુષ્ય પૂરું કરે છે તે લબ્ધિ અપર્યાપ્ત ગણાય છે. વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ અને ભાષા પર્યાપિત એ છે કે તેમાંથી બીજી પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના આયુષ્ય પૂર્ણ કરે તો તે પણ લબ્ધિ અપર્યાપ્ત છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવ શ્વાસોશ્વાસપર્યાપ્તિ, ભાષાપર્યાપ્તિ અને મન પર્યાપ્તિ એ ત્રણ કે છેલ્લી બે કે છેલ્લી એક પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના આયુષ્ય પૂર્ણ કરે તો તે પણ લબ્ધિ અપર્યાપ્ત
છે, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૫૫
ન્દ્રિય છે જે સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરવા સમર્થ છે તે બધા લબ્ધિ પર્યાપ્ત છે; પરંતુ જ્યાં સુધી સ્વયેગ્ય પર્યાપ્તિ સંપૂર્ણ કરી નથી ત્યાંસુધી તેવા છ કરણ અપર્યાપ્ત ગણાય છે અને જ્યારે સ્વયેગ્ય પર્યાપ્તિ સંપૂર્ણ કરે છે ત્યારે તે જ જ કરણ પર્યાપ્ત ગણાય છે.
આમ સ્વયેગ્ય પર્યાપ્તિ સમકાલે શરૂ કરી તે પૂરી કરવાની લાયકાત ન હોવાનું નિયામક તત્વ અપર્યાપ્તનામકર્મ છે; જ્યારે તે પૂરી કરવાની લાયકાતનું નિયામક તત્વ પર્યાપ્ત નામકર્મ છે.
અનંત જીવોનું એક સાધારણ શરીર ધારણ કરવાની લાયકાત હેવાનું નિયામક તત્વ સાધારણ નામકર્મ છે; જ્યારે દરેક જીવનું જુદું જુદું શરીર ધારણ કરવાની લાયકાત હેવાનું નિયામક તત્વ પ્રત્યેક નામકર્મ છે. સાધારણ નામકર્મના કારણે અનંત જીવને દરેકને પોતાની આહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર સંપ્રધારણ સંજ્ઞાને અનુભવ એકી સમયે સમાન રીતે કરવાનું રહે છે, જ્યારે પ્રત્યેક નામકર્મના કારણે પ્રત્યેક જીવને પિતાની ચાર સંપ્રધારણ સંજ્ઞાને અનુભવ જુદા જુદા સમયે પોતપોતાની રીતે કરવાનું રહે છે.
દાંત, હાડકાં આદિ સ્થિર અવયવને તેનાં મૂળ સ્થાને સ્થિર રાખનાર નિયામક તવ સ્થિરનામકર્મ છે; જ્યારે જીભ, આંગળાં, હાથ, પગ, આદિ અસ્થિર અવયવને તેના મૂળ સ્થાને રહી હલન-ચલન પ્રવૃત્તિ દ્વારા અસ્થિર બનવામાં નિયામક તત્વ અસ્થિરનામકર્મ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૬ ]
પૂર્વ પંન્યાસજી શ્રીમણિવિજયજી
નાભિ ઉપરના પ્રશસ્ત ગણાતા અવયવની રચનાનુ નિયામક તત્ત્વ શુભનામકર્મ છે, જયારે નાભિ નીચેના અપ્રશસ્ત ગણાતા અવયવની રચનાનું નિયામક તત્ત્વ અશુભ નામકમ છે. રૂચિકર સ્વરનું નિયામક તત્ત્વ સુસ્વરનામકમ છે; જ્યારે અરૂચિકર સ્વરનું નિયામક તત્ત્વ દુઃસ્વરનામક છે.
અપકાર કરવા છતાં પ્રીતિ ઉપજાવનાર તેમજ ખેાટી રીતે વ્યાપાર કરવા છતાં લાભ અપાવનાર સૌભાગ્ય અથવા સુભગ નામકમ છે; જ્યારે ઉપકાર કરવા છતાં અપ્રીતિ ઉપજાવનાર તેમજ સાચી રીતે વ્યાપાર કરવા છતાં હાનિ ઉપજાવનાર દુઃર્ભાગ્ય અથવા દુગ નામકમ છે.
વચન સ્વીકરાવનાર અથવા માન્ય કરાવનાર આર્દ્રય નામકમ છે; વચન ન સ્વીકરાવનાર અને તેને અમાન્ય કરાવનાર અનાય નામર્સ છે.
મર્યાદિત ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલ ખ્યાતિ તે યશ છે અમર્યોદિત ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલ ખ્યાતિ તે કીતિ; વિશેષમાં સ્વીકારેલ કાર્યમાં સફળતા મેળવવી તે પણ યશ ગણાય છે. આવા યશ અને કીર્તિ પ્રાપ્તિ કરાવનાર યશ કીર્તિ નામકમ છે; આવા યશ અને કીર્તિ પ્રાપ્ત થવામાં બાધકતત્ત્વ અપયશકીર્તિ અથવા અયશ:કીર્તિ નામકમ છે.
ગામ :૧
જીવના કુળનું નિયામક તત્ત્વ ગેાત્રકમ છે. તેની એ ઉત્તરપ્રકૃતિ છેઃ (૧) ઉચ્ચ અને (૨) નીચ.
૧ જૂઓ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ॰ ૮, સૂત્ર ૧૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ પ૭
ખ્યાતિવાળા અને કુળવાન કુળમાં જન્મ અપાવનાર ઉરચ ગેત્રકમ છે, જ્યારે નિંદ્ય અને અખ્યાત કુળમાં જન્મ અપાવનાર નીચ ગોત્રકમ છે. અંતરાય કમ :
પ્રવૃત્તિ કરતાં જીવને તેમાં બાધા ઉપજાવનાર અથવા વિઘ ઉભું કરનાર અંતરાય કર્મ છે. તેની પાંચ ઉત્તરપ્રકૃતિ છેઃ (૧) દાનાંતરાય, (૨) લાભાંતરાય, (૩) ભેગાંતરાય, (૪) ઉપભેગાંતરાય, (૫) વીયતરાય.
દાન આપવાની સામગ્રી હયાત હોવા છતાં, તેમજ દાતાની દાન દેવાની ઈચ્છા હોવા છતાં તે પ્રવૃત્તિ કરવાના સમયે જ વિષ ઉપસ્થિત કરનાર દાનાંતરાય કર્મ છે. દાતા, દાતાની દાનવૃત્તિ અને દાન સામગ્રી હયાત હોવા છતાં તેને લાભ મેળવનાર પાત્રને તે દાન મેળવવામાં વિશ્વ ઉપસ્થિત કરનાર લાભાંતરાય કર્મ છે, આ ઉપરાંત વ્યવસ્થિત રીતે વ્યાપાર કરવા છતાં તેમાં સંપૂર્ણ એકાગ્રતા, સાવચેતી અને કુનેહ વાપરવા છતાં લાભ ન થવાનું કારણ પણ લાંભાતરાય કર્મ છે.
શક્તિ, સામગ્રી અને વૃત્તિ હેવા છતાં ભેગ ભેગવવામાં વિઘ ઉપસ્થિત કરનાર ભેગાંતરાય કર્મ છે. શક્તિ, સામગ્રી અને વૃત્તિ હોવા છતાં ઉપલેગ કરવામાં વિશ્વ ઉપસ્થિત કરનાર ઉપભેગાંતરાય કર્મ છે. શક્તિ, સામગ્રી, વૃત્તિ આદિ હોવા છતાં પરોપકાર, શુભ પ્રવૃત્તિ, વ્રત, નિયમ આદિ સ્વીકારવા, ત્યાગવૃત્તિ કેળવવા અને વિકસાવવા જે વિલાસ
૧ જુએ તત્ત્વાર્થીધિગમસૂત્ર અ૦ ૮, સૂત્ર ૧૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અને ફુર્તિ રહેવી જોઈએ તે ન રહી શકવાનું કારણ વીતરાય કર્મ છે.
આ રીતે કર્મની મૂળ આઠ પ્રકૃતિ અને દરેક કર્મની ઉત્તર પ્રકૃતિ ગણતાં એ સર્વે હું એક અઠ્ઠાવન થાય છે, તેમાં સત્તા, બંધ, ઉદય આદિમાં જુદી જુદી ગણત્રી હેય છે, તદનુસાર તે ગણત્રીની સમજ નીચે દર્શાવવી ગ્ય ગણાશે. મૂળ પ્રકૃતિ સત્તા આશય બંધ અને ઉદય ઉત્તર પ્રકૃતિ આશ્રયી
નોંધ ઉત્તર પ્રકૃતિ ૧ જ્ઞાનાવરણ ૫ ૫ ૨ દર્શનાવરણ ૩ વેદનીય ૪ મેહનીય ૨૮ ૨૬ સમ્યકત્વમેહ અને મિશ્રમેહ ગણાતા
નથી તેથી ૨૮–૨=૨૬. ૫ આયુષ્ય ૪ ૪ ૬ નામ ૧૦૩. ૬૭ બંધ અને ઉદય આશ્રયી વર્ણ, રસ, ગંધ
અને સ્પર્શની ૨૦ પેટા પ્રકૃતિના બદલે તે ચાર મૂળ પ્રકૃતિ ગણવામાં આવે છે,
૨
www.umaragyanbhandar.com
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
Page #77
--------------------------------------------------------------------------
________________
તેમજ પંદર બંધન અને પાંચ સંધાતા ગણવામાં આવતાં નથી. આમ (૨૦-૪) ૧૬+૧૫૫=૩૬ બાદ કરતાં ૧૦૩-૩૬૩૬૭ ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગ્રંથમાળા નં. ૧૫
૭ ગોત્ર ૮ અંતરાય
૨ ૫
૨ ૫
––
–
www.umaragyanbhandar.com
૧૫૮ ૧૨૦ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ ચારના શુભ અને અશુભ એ બે પ્રકાર હોવાથી તે હું આઠ ગણાય છે, એટલે ૧૨૦-૪+૪=૧૨૪ શુભ અને અશુભ કર્મ આશ્રયી ગણાય છે. શુભ અને અશુભ કર્મબંધ આશ્રયી ૧૨૪ પ્રકૃતિની ગણત્રો નીચે મુજબ થાય છે. મૂળ પ્રકૃતિ શુભ
અશુભ ૧ જ્ઞાનાવરણીય ૨ દર્શનાવરણીય ૩ વેદનીય ૧ (શાતા)
૧ (અશાતા) ૪ મોહનીય
૨૬ (૧૬ કષાય, ૯નેકષ, મિત્થાત્વ
મેહનીય)
[ પ૯
Page #78
--------------------------------------------------------------------------
________________
આયુષ્ય
૧ (નારક)
૬૦ ]
૮ નામ
૩૪
૩ (દેવ, મનુષ્ય અને તિર્યંચ)
૩૭ ૨ ગતિ (દેવ-મનુષ્ય) ૧ જાતિ (પંચેન્દ્રિય)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨ ગતિ (નારક-તિર્યંચ) ૪ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય,
અને ચતુરિન્દ્રિય)
૫ શરીર (ઔદારિક, વૈક્રિય,
આહારક, તેજસ, કામણ) ૩ અંગે પાંગ (દારિક, વૈકિય
આહારક) ૧ સંહનન (વજsષભનારાચ)
૧ સંસ્થાન (સમચતુરસ)
www.umaragyanbhandar.com
૫ (ઋષભનારાચ, નારાચ, અર્ધ
નારા, કિલિકા અને સેવા) ૫ (ન્યધપરિમંડળ, સાદિ, વામન,
કુજ અને હુડક) ૪ (વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ) ૨ (તિર્યંચાનુપૂર્વી, નારકાનુપૂર્વી
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
૪ (વર્ણ, રસ, ગંધ અને સ્પર્શી ૨ આનુપૂર્વી દેવાનુપૂર્વી,
મનુષ્યાનુપૂવ)
Page #79
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૭ ગાત્ર
૮ અતરાય
૧ વિહાયે ગતિ (શુભ)
૧૦ સન્થક
૭ (અગુરુલઘુ, પરાધાત, આતપ, ઉદ્યોત, શ્વાસેાવાસ, નિર્માણુ અને તીર્થંકર)
૧ (ઉચ્ચ)
નામ પ્રકૃતિ
વ
૪૨
૮૨
વણું આદિના શુભ અને અશુભ કર્મ બંધના કારણે તે દરેકના શુભ અને અશુભ વિભાગ જાણવા પણ જરૂરના છે; તે નીચે પ્રમાણે છે.
શુભ
3 શુકલ, પીત અને રક્ત
૩ મિષ્ટ, અમ્લ અને કષાયેલ
સુરભિ લઘુ, મૃદુ, સ્નિગ્ધ અને ઉષ્ણુ
રસ
ગધ
૧ સ્પર્શ ૪
|
૧૧
૨
૨
૧
૪
૧ (અશુભ વિહાયેાગતિ)
૧૦ સ્થાવરદાય
|
૧ (ઉપઘાત) ૧ (નીચ)
એક દર
૫
અશુભ
કૃષ્ણુ, નીલ કડવા, તીખા
દુભિ ગુરૂ, ખરખચડા, લુખ્ખા અને શીત ૮
૨૦
ગ્રંથમાળા નં. ૧૫
[ ૬૧
Page #80
--------------------------------------------------------------------------
________________
૬૨ ]
સ્થિતિમધ:
સ્થિતિ એ કાળમર્યાદા છે. કમની સ્થિતિ એજ કાળમર્યાદા છે, ફળ આપવાની કાળ-મર્યાદાનું નિર્માણુ એ સ્થિતિબંધ છે. સ્થિતિના અનેક વિભાગ છે. (૧) કર્મ બંધના સમય એ કમબંધ કાળ છે. (ર) કર્મનાં પુદ્ગલા બંધાય છે ત્યારથી શરૂથઈ તેના વિપાક-ફળ ભાગવતાં તે પુદગલા વિખરાય છે. તે દરમિયાનને સમય સત્તાકાળ છે. (૩) કમ' ઉદયમાં આવતાં અને તેના વિપાક અનુભવતાં જતે સમય ઉદયકાળ છે. ખોંધકાળ અને ઉદયકાળ એ બન્નેને સમાવેશ સત્તાકાળમાં ગણાય છે. (૪) ક્રમ અધાયા પછી તે ઉચમાં આવી વિપાક અનુભવાવે તે એની વચ્ચેને સમય અખાધાકાળ છે.
સ્થિતિને વિચાર કરવામાં આવે છે તે સત્તાકાળની કમની સ્થિતિ છે, તેના ત્રણ પ્રકાર છે. (૧) જધન્ય, (૨) ઉત્કૃષ્ટ અને (૩) મધ્યમ, ટૂંકામાં ટૂંકી સ્થિતિ જધન્ય સ્થિતિ છે, લાંખામાં લાંખી સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, જઘન્ય વચ્ચેની સ્થિતિ મધ્યમ સ્થિતિ છે.
અને ઉત્કૃષ્ટ એ એ
જધન્ય સ્થિતિ
અંતઃમુહૂત
મૂળ પ્રકૃતિ
૧ જ્ઞાનાવરણુ ૨ દશનાવરણુ ૩ વેદનીય
૪ માહનીય
૫ આયુષ્ય
પૂર્વ પન્યાસજી શ્રીમણિવિજયજી
""
ખારમુહૂત અંતઃમુહૂત
""
ઉત્કૃષ્ટ સ્થિતિ
૩૦ કાટાકેાટિ સાગરાપમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
""
""
૭૦ કાટાકેાટિ સાગરોપમ
૩૩ સાગરાપમ
૧ જૂએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ॰ ૮, સૂત્ર ૧૫–૨૧.
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
૬ નામ
આઠમુહૂર્ત ૨૦ કટાકેટિ સાગરેપમ ૭ ગેત્ર ૮ અંતરાય અંતમુહૂર્ત ૩૦ કટાકેટિ સાગરોપમ
જઘન્ય સ્થિતિથી એક સમય અધિક અને ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય ન્યૂન એવી મધ્યમ સ્થિતિ જાણવી.
૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિનું આયુષ્ય સાતમી નારકના તેમજ સર્વાર્થસિદ્ધ વિમાનવાસી જીવ એ બે પ્રકારના જીવને હોય છે. બાકીની સાત પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ મિથ્યાણિ પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય જીવને હોય છે.
અંતમુહૂતની મેંહનીયની જઘન્ય સ્થિતિ નવમા અનિવૃત્તિબાદરસપરાય ગુણસ્થાને વર્તતા જીવને (મનુષ્યને) હેય છે. અંતમુહૂર્તની આયુષ્યની જઘન્ય સ્થિતિ તિર્યંચ અને મનુષ્ય એ બે પ્રકારના જીવને હોય છે. બાકીની છ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ સૂક્ષમ સંપરાય (દશમ) ગુણસ્થાને વતતા જીવને (મનુષ્યને) હોય છે.
કર્મબંધ પછી તરતજ કર્મવિપાક હેતું નથી. કર્મને અબાધાકાળ પૂરો થતાં કર્મવિપાક શરૂ થાય છે. પ્રત્યેક કર્મના જઘન્ય સ્થિતિબંધમાં જઘન્ય અબાધકાળ અંતઃમુહૂતને હેય છે. આયુષ્ય કમની ઉત્કૃષ્ટ સ્થિતિમાં અબાધાકાળ પણ અંતમુહૂતને હોય છે. બાકીના અબાધાકાળ માટે નિયમ એ છે કે જેટલી કટાર્કટિ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેટલા સે વર્ષને ઉત્કૃષ્ટ અબાધાકાળ બાકીની સાત પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
૬૪ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
અબાધાકાળ પૂરો થતાં કર્મલિકેની નિષેકરચના થાય છે; અને તે અનુસાર કર્મલિકે વિપાક આપે છે.
નિષેકરચના–કમ આ પ્રમાણે છે. પ્રથમ સમયમાં વિપાક આપનાર દલિકે ઝાઝા ગેઠવાય છે, અને પછી પછીના સમયમાં વિપાક આપનાર દલિકે અનુક્રમે ક્રમશઃ ન્યૂન ન્યૂનતર થતા જાય છે. અનુભાગ-રશ્નબંધ:
અનુભવ, અનુભાવ, અનુભાગ, રસ, વિપાક આદિ કર્મના ફળના પરિણામના–અનુભવના પર્યાય માત્ર છે. કર્મ બાંધતી વખતે જીવમાં જે કષાય અને તેના ભાવે વર્તે છે તે સ્થિતિબંધનું કારણ છે, કષાયના પરિણમનની પરંપરા અર્થાત્ જીવના અધ્યવસાય અર્થાત્ લેશ્યા અનુભાગ બંધનું કારણ છે, જ્યારે વેગ યા પ્રવૃત્તિ અર્થાત્ જીવના આતમ પ્રદેશની ચંચળતા યા પરિસ્પંદન પ્રદેશબંધ અને પ્રકૃતિબંધનું કારણ છે.
લેશ્યા છ પ્રકારની છે. (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કાપત, (૪) તેજ, (૫) પદ્ધ અને (૬) શુકલ, આત્માના શુભ અશુભ અધ્યવસાયને સમજવા જુદા જુદા રંગની ઉપમા આપેલી છે. આત્મ પરિણામ શુકલતેશ્યામય હોય તે શુભ અધિકતમરસ, પલેશ્યામય હોય તે શુભ અધિક્તરસ, તેલશ્યામય હોય તે શુભ અધિકરસ, કાપોતલેશ્યામય હોય તે અશુભ અધિકરસ, નીલલેશ્યામય હોય તે અશુભ અધિકતરરસ, અને કૃષ્ણલેશ્યા હોય તે અશુભ અધિકતમરસ બંધાય છે, કર્મ બાંધતી
૧ જૂઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ૦ ૮, સૂત્ર ૨૨ થી ૨૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા ન ૧૫
[ ૬૫
વખતે તેમ જ તે પછી જીવ પાતે તેમાં રાચ્યા માચ્યા રહી જે રસ નિર્માણ કરે છે, તદનુસાર તેને તેનાં પરિણામ પેાતાના સંસારની અનેક ગતિમાંની ગમે તે એક ગતિમાં ભાગવવાના રહે છે.
અનુભાગ યા રસંધમાં તરતમતા નિર્માણુ થવાનાં ચાર કારણ છેઃ (૧) કષાયની તીવ્રતા મમ્રુતા અનુસાર આત્માના અધ્યવસાયરૂપ ક્ષેશ્યાની ન્યૂનાધિક્તા, (૨) જાણીને કે અજાણે કરાતી પ્રવૃત્તિના કારણે રહેતી ન્યૂનાધિક્તા, (૩) માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિમાં ફારવવામાં આવતા વી*લ્લાસની ન્યૂનાધિક્તા અને (૪) જીવ અજીવ એ મને રૂપનાં અધિકરણની ન્યૂનાધિક્તા અથવા તે અધિકરણમાં રહેલી વિઘાતક કે મારક શક્તિની ન્યુનાધિક્તા. આ બધાં જુદાં જુદાં કારણેાને લઇ જીવના ક્રમ બંધ વખતે સ્થિતિ અને રસમાં ન્યૂનાધિક્તા રહે છે.
કષાયની તીવ્રતાના કારણે લાંબામાં લાંખી સ્થિતિ અને તેની મતાના કારણે ન્યૂનતમ સ્થિતિ નિર્માણ થાય છે; જ્યારે કૃષ્ણલેફ્સાના જેવા અધમતમ અધ્યવસાયના કારણે અશુભ ગાઢરસ અને શુકલલેસ્યા જેવા વિશુદ્ધ અધ્યવસાયના કારણે શુભ ગાઢરસ નિર્માણ થાય છે. ઈરાદાપૂર્વક બીજાના અહિતની કરાતી પ્રવૃત્તિ લાંખી સ્થિતિ અને અજાણે થતી ખીજાના અહિતની પ્રવૃત્તિ ન્યૂનતમ સ્થિતિ નિર્માણુ કરવા માટે જવાબદાર છે; તે જ પ્રમાણે ઇરાદાપૂર્વક પ્રવૃત્તિ ગાઢસ અને અજાણે કરાતી પ્રવૃત્તિ મંદરસ નિર્માણ કરનાર છે. રાગ-દ્વેષ અને આસક્તિ એ બન્નેથી યુક્ત અને પૂરેપૂરા
૧ જૂઓ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ॰ ૬, સૂત્ર ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
વીયૅલ્લાસ લાંબી સ્થિતિ અને ગાઢરસ નિર્માણ કરનાર બને છે; જયારે તેવી પ્રવૃત્તિમાં વીયૅલ્લાસ તેમ જ મંદ વીયૅલ્લાસ ન્યૂન સ્થિતિ અને પાતળા રસ નિર્માણ કરનાર બને છે. અધિકરણ અર્થાત્ જીવ અને અજીવરૂપ સાધનની વિપુલતા તેમ જ તે સાધનની તીવ્ર શક્તિ લાંબી સ્થિતિ અને ગાઢ રસ નિર્માણ કરનાર બને છે, જ્યારે જીવ અજીવ અધિકરણની ન્યૂનતા અને તેમાંની મંદ મારક-ધાતક શક્તિ જઘન્ય સ્થિતિ અને મંદિર નિર્માણ કરે છે.
જીવ જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ પિતે કાંઈ ભયંકર હેતી નથી, પરંતુ તે પ્રવૃત્તિની પાછળ રહેલ કાષાયિક ભાવ ભયંકર હોય છે. આ કાષાયિક ભાવ કરતાં પણ તે પ્રવૃત્તિમાં લીધેલ રસ અર્થાત આસક્તિ અને તેની કરાતી અનુમોદના અર્થાત્ વિચાર આંદોલનની પરંપરા-અધ્યવસાય અધિક ભયંકર છે. જીવ જે કાંઈ પ્રવૃત્તિ કરે છે, તે બધી તે જાણીબુઝીને કરતે હોતો નથી, કેટલીક પ્રવૃત્તિ તે અજાણ્યે જ થઈ જતી હોય છે. કેટલીક માત્ર કરવા ખાતર કરાય છે, કેટલીક બીજાને ખુશ કરવા ખાતર, કેટલીક વડીલના આગ્રહ ખાતર પણ કરાય છે, કેટલીક વિચાર પૂર્વક રસ લઈને પણ કરાય છે અને કેટલીક પરિણામમાં તલ્લીન બની તેમાં અધિકતર રસ લેવામાં આવે છે. પ્રવૃત્તિના પરિણામમાં તલ્લીનતા અનુભવવી અને તે પર વિચાર પરંપરા દોડાવવી એજ વેશ્યા છે.
કર્મના વિપાક અનુભવતાં જીવ કર્મ પ્રત્યે, તેના નિમિત્ત પ્રત્યે, તેના થતા વિપાક પ્રત્યે આસક્તિ રાખી રાગદ્વેષ રાખે, તેમાં તલ્લીન બને અને તેમાં વિચાર પરંપરા દોડાવ્યા કરે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૬૭
તેથી જુનાં કર્મની તો જરૂર નિર્જરા થાય છે, પરંતુ તે સાથેજ તેવાં નવાં કર્મને પણ બંધ કરે છે. આ રીતે કર્મબંધ અને કમનિજેરાની પરંપરા જીવ અનંત ભ સુધી અનુભવ્યાજ કરે છે. જીવ કર્મવિપાક અનુભવતાં કર્મ પ્રત્યે, તેના નિમિત પ્રત્યે તેના વિપાક પ્રત્યે સમભાવ રાખી નિર્લેપ રહે તે તે કર્મવિપાકના અનુભવ કરતાં જુનાં કમની નિર્જરા થવા સાથેજ નવાં કમને જે કે બંધ થાય છે, તે પણ તે રસ વિનાને, નિકૃષ્ટ પ્રકારને અને જઘન્ય સ્થિતિને થાય છે. આવા કર્મના વિપાક પછીથી અનુભવતાં જીવ સકલ કર્મની નિર્જરા કરવા શક્તિમાન બને છે.
આ પરથી સાર એ લેવાને રહે છે કે જીવે કર્મ પ્રત્યે, તેના નિમિત્ત પ્રત્યે, તેના વિપાક પ્રત્યે ઉપેક્ષા રાખવી, સમતા આચરવી, નિર્લેપ ભાવ રાખવે અને તે રીતે કર્મના વિપાક અનુભવવા.
આયુષ્ય સિવાયની સાતે કર્મની મૂળ પ્રકૃતિને જીવ પ્રત્યેક સમયે બંધ કર્યા જ કરે છે અને તેના વિપાક પણ અનુભવ્યા કરે છે .આયુષ્યને બંધ ભાવી જન્મ માટે પ્રસ્તુત ભવમાં એકજવાર જીવ કરે છે. જીવ આવતા ભવનું આયુષ્ય ચાલુ ભવના ૨/૩ આયુષ્ય પૂર્ણ થતાં બાંધે છે, તેમ ન બને તે બાકી રહેલ ૧/૩ આયુષ્યના ૨/૩ ભાગનું આયુષ્ય પૂર્ણ થતાં નવા ભવનું આયુષ્ય બાંધે છે, તેમ પણ ન બને તે એ બાકી રહેલ ૧/૩ ભાગના આયુષ્યના ૨/૩ ભાગનું આયુષ્ય પૂર્ણ થતાં નવા ભવનું આયુષ્ય બાંધે છે. આમ પણ છેવટ સુધી ન બને તે જીવ પિતાના આયુષ્યના છેવટના અંતમુહૂર્ત દરમિયાન નવા ભવનું. આયુષ્ય બાંધે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
૬૮ ]
પૂર્વ પંન્યાસજી શ્રીમણિવિજયજી
ઉપસહાર:
આ રીતે કમવિચારના વિચાર કરતાં આપણે છ દ્રવ્યના, કમ'નાં કારણુરૂપ બંધહેતુઓનેા, કમ આવવાનાં દ્વારરૂપ આશ્રવને અને કબંધ અંગે પ્રદેશખધ, પ્રકૃતિખંધ, સ્થિતિમધ અને રસબંધ આદિને વિચાર કર્યાં. પ્રસ્તુત વિષયની વિચારણામાં કયાંક કયાંક સંક્ષેપમાં અને કયાંક કયાંક વિશદ ચર્ચા થઇ હશેઃ પ્રસ્તુત વિષય કવિચાર હેાઈ બાકીના આનુષંગિક વિષય ગૌણુ છે, તે કારણે તેમ કરવું આવશ્યક બન્યુ છે.
ઉપરક્ત ચર્ચા વિશેષ ઉપયેાગી નિવડે તે હેતુથી તેની સાથે પૂર્તિ નં. ૧-જીવના ઉત્ક્રાન્તિક્રમ, અકામ અને સકામ નિર્જરા વિચાર અને પૂર્તિ નં ૨-જીવના ઉત્ક્રાંતિક્રમ ગુણસ્થાન વિચાર. એ વિષયે ચર્ચવા ચેાગ્ય ધાર્યુ છે, તે પરથી જીવની પ્રાથમિક દશા તેની હાલની પ્રવતમાન દશા આદિને ખ્યાલ આવી શકે તેમજ જીવ કેવી રીતે પોતાના સ’પૂર્ણ વિકાસ પણ સાધી શકે તેનુ' ચિત્ર પણ તેની દૃષ્ટિ સમક્ષ રહે તે હેતુ તેમાં રહેલા છે.
આ ઉપરાંત વિષયને સુલભ્ય અને સુવાચ્ય કરવા માટે તે સાથે શબ્દસૂચિ પણ ઉમેરવા ધાયું છે, તે પરથી વાચક ધારે ત્યારે સાંકેતિક કે પારિભાષિક શબ્દોની સમજૂતિ સ્વયમેવ મેળવી શકે અને તે પર વિચારણા કરી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
પૂર્તિ નં. ૧ જીવના ક્રાન્તિ ક્રમ
અકામ અને સકામ નિર્જરા વિચાર
પ્રારભિક સૂચના :
અકામ અને સકામ નિર્જરાના વિચારમાં જીવના ઉત્ક્રાન્તિ ક્રમના પણ વિચાર રહેલા છે; કારણ કે અકામ અને સકામ એ બન્ને પ્રકારે નિર્જરા કરનાર જીવ છે. પ્રવાહની અપેક્ષાએ અનાદિ એવા અનતકાળથી જીવ કર્મપર પરાની ખેડીમાં સપડાએલ છે; તદનુસાર તેના વિપાક-ફળ તે અનુભવતા રહે છે; આ કુળ અનુભવતાં તે જૂનાં ક્રમની નિર્જરા કરે છે પરંતુ તે સાથે તે નવી કાઁપર પરાની ખેડી પણ તૈયાર કરતા હાય છે.
જીવના અનાદિ મૂળસ્થાન, તેનુ' અતિમસ્થાન અને તે એ વચ્ચેનાં તેનાં જુદાંજુદાં સ્થાને યા અવસ્થાના વિચાર જીવના ઉત્ક્રાન્તિ ક્રમમાં કરવાના પ્રાપ્ત થાય છે; એટલું જ ખસ નથી, પરંતુ તે દરમિયાન જીવની થતી અકામ નિર્જરા અને જીવથી કરવામાં આવતી સકામ નિર્જરા, એ એ દ્વારા થતા તેના વિકાસના વિચાર પણ તેમાં રહેલા છે.
જીવના વિકાસની શરૂઆત અકામ નિર્જરાથી થાય છે અને તેના અંત સકામ નિર્જરા પછી આવે છે. કમવિચારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૦ ]
પૂર પંન્યાસ શ્રીમણિવિજયજી
સકામ નિર્જરને જેટલું સ્થાન છે તે પ્રમાણમાં અકામ નિર્જરાનું સ્થાન ગૌણ છે; આમ છતાં જીવના વિકાસમાં અકામ નિજ રાજે અચૂક અને પ્રધાન ફાળે છે તે કારણે તેની ઉપેક્ષા પણ ન કરી શકાય.
અકામ નિર્જરા દ્વારા થતા જીવના વિકાસમાં જીવની પિતાની ઈચ્છા, સંકલ્પ કે પ્રયત્ન જરાપણ કારણભૂત બનતા નથી; પરંતુ આ પ્રકારની નિર્જરા નદીપાષાણુન્યાયે કર્મના વિપાક અનુભવતાં જીવની અંદર ઉદ્ધવતી આકસ્મિક સમભાવની માત્રાને આભારી હોય છે. કર્મ વિચારમાં સકામ નિર્જરાને મુખ્ય સ્થાન છે, કારણ કે તેમાં જીવ પોતાની ઈચ્છા, સંકલ્પ અને પ્રયત્ન દ્વારા પોતાને વિકાસ ઘડી અને કરી શકે છે. આમ કેમ અને કેવી રીતે બની શકે તેની ચર્ચા શરૂ કરતાં પહેલાં કેટલાક સમજી લેવા ગ્ય શબ્દો પર ઉડતી નજર નાંખી લઈએ. પતિ:
પતિ એ જીવમાં રહેલ શક્તિ છે; આ શક્તિનું કારણ પુદગલ અને તેનું પરિણમન છે તે કારણે તે પણ પર્યાપ્તિ ગણાય છે. પર્યાપ્તિ છ છેઃ (૧) આહાર, (૨) શરીર, (૩) ઈન્દ્રિય, (૪) શ્વાસોશ્વાસ, (૫) ભાષા અને (૬) મન. સંસારી સર્વ જીવોને પહેલી ત્રણ પર્યાપ્તિ તે નિયતજ હોય છે. કારણ કે આયુષ્યને બંધ ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પહેલાં થઈ શકતું નથી. જીવનું ગમે તેટલું ટૂંકુ આયુષ્ય હોય તે પણ તેને આહાર, શરીર અને ઈન્દ્રિય એ ત્રણ પ્રર્યાપ્તિ પૂરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[૭૧
કર્યા પહેલાં મરણ હેઈ શકતું જ નથી. એકેન્દ્રિય જીવને ચાર, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવને પાંચ અને સંસી પંચેન્દ્રિય જીવને છ પર્યાપ્તિ માટેની લાયકાત હોય છે, જે જીવ જેટલી પર્યાપ્તિ માટે લાયક છે તેટલી પૂરી કરી શકે તે પર્યાપ્ત જીવ છે, જે તેમ કરી શકતો નથી અને તે પૂરી કરતાં પહેલાં મરણ પામે છે તે અપર્યાપ્ત જીવ છે.
આહાર પર્યાપ્તિ: જીવ મરણ પામતાં નવી ગતિમાં પહોંચે છે. અનાદિ એવા શરીરના કારણે તે ગતિ ગ્ય
નિમાં પુદગલ ગ્રહણ કરવાની જીવની શક્તિ અને જે પ્રથમ પુદ્ગલ તે ગ્રહણ કરે છે તે બન્ને આહાર પર્યાપ્તિ છે. જીવ ગતિશીલ હોઈ તેના અનાદિ એવા તેજસ શરીરના કારણે ગ્રહણ કરેલ મુદ્દગલમાંથી અસાર પુદ્ગલને તજી સાર પુદ્ગલને તે સાત ધાતુરૂપે પરિણુમાવે છે.
શરીર પર્યાપ્તિ : સાત ધાતુરૂપે પરિણાવેલ પુદગલમાંથી શરીર રચવાની જીવની શક્તિ અને તે પુદગલ (સાત ધાતુ) તે બને શરીર પર્યાપ્તિ છે. જીવને પ્રવૃત્તિ અને જીવનવ્યવહાર ચલાવવાનું સાધન શરીર છે. શરીર પાંચ પ્રકારનાં છેઃ (૧) દારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, () તેજસ અને (૫) કામણ. તેજસ અને કામણ એ બે શરીર સર્વ સંસારી જીવને અનાદિ હોય છે. તિર્યંચ અને મનુષ્ય જીવને જન્મથી ઔદારિક શરીર હોય છે. દેવ અને નારક જીવને જન્મથી વૈકિય શરીર હોય છે. તિર્યંચ અને મનુષ્યને લબ્ધિદ્વારા વક્રિય શરીર અને ચૌદ પૂર્વધર મુનિને લબ્ધિદ્વારા આહારક શરીર હોઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
૭૨ ]
પૂર્વ પંન્યાસજી શ્રીમણિવિજયજી
ઇન્દ્રિય પર્યાપ્ત : સાત ધાતુમાંથી ઇન્દ્રિય રચવાની જીવની શક્તિ અને તે પુદ્ગલ સાત ધાતુ એ અને ઇન્દ્રિય પર્યાપ્તિ છે. ઈન્દ્રિય જીવને જ્ઞાન પ્રાપ્તિ અર્થે સાધન છે. ઇન્દ્રિય પાંચ છે. (૧) સ્પર્શીનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) ધ્રાણેન્દ્રિય, (૪) ચક્ષુરિન્દ્રિય અને (૫) શ્રેત્રેન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિય એ વગ માં વહેંચાયેલ છે. (૧) પ્રાપ્યકારી અને (૨) અપ્રાપ્યકારી. ઇન્દ્રિય અને દ્રવ્યના પર્યાય એ એના પરસ્પર પ્રત્યક્ષ સંબંધ થતાં પર્યાય અને દ્રવ્ય એમ બન્નેનુ જ્ઞાન જે વડે પ્રાપ્ત થઈ શકે છે તે પ્રાપ્યકારી ઇન્દ્રિય છે. સ્પર્શ નેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, અને શ્રેત્રેન્દ્રિય એ ચાર પ્રાપ્યકારી ઇન્દ્રિય છે. ઇન્દ્રિય અને દ્રશ્ય દૂર દૂર હૈાવા છતાં યેાગ્ય સન્નિધાન થતાં દ્રવ્ય અને તેના પર્યાય એ બન્નેનુ જ્ઞાન જે વડે પ્રાપ્ત થઈ શકે છે, તે અપ્રાપ્યકારી ઇન્દ્રિય છે. આવી એકજ ઇન્દ્રિય ચક્ષુરિન્દ્રિય છે.
શ્વાસેાશ્વાસ પર્યાપ્તિ : સાત ધાતુમાંથી ઉદ્ભવતી શક્તિ વડે શ્વાસ લેવા મૂકવા યેાગ્ય પુદ્ગલ ગ્રહણ કરવા અને તે અવલ'ખીને લેવા મૂકવાની જીવની શક્તિ અને તે શ્વાસેાશ્વાસ વણાના પુદ્ગલ એ બન્ને શ્વાસેાશ્વાસ પર્યાપ્તિ છે. શ્વાસેાશ્વાસનું કાર્ય જીવને ઉચ્છ્વાસ અને નિશ્વાસ લેવા અને મૂકવાનુ છે.
ભાષાપ્રર્યાપ્તિ : સાત ધાતુમાંથી ઉદ્ભવતી શક્તિવડે વચન વ્યવહાર કરવા ચેાગ્ય પુદ્દગલ ગ્રહણ કરી અને તે અવલખીને લેવા મુકવાની જીવની શક્તિ અને તે ભાષાવાના પુદ્ગલ એ બન્ને ભાષા પતિ છે. ભાષા મેાલી વ્યવહાર ચલાવવ તે તે શક્તિનું કાર્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા ન. ૧૫
મન:પર્યાપ્તિ : સાત ધાતુમાંથી ઉદ્ભવતી શક્તિવડે મનેવ્યાપાર કરવા યોગ્ય પુદ્દગલ ગ્રહણ કરી તેને અવલંબીને લેવા મૂકવાની શક્તિ તેમજ મનાવણાના પુદ્ગલ એ અને મનઃ
પર્યાપ્તિ છે.
૭૩
મનનું કાર્ય ચિંતન, મનન, સ્મરણુ આદિ કરવાનુ છે. મન ઇન્દ્વિય નથી, પરંતુ તે અનિન્દ્રિય છે. અપ્રાપ્યકારી ઇન્દ્રિય માર્કે મન દૂરદૂરના પ્રદેશ અને દ્રબ્ય એ દરેકનુ યાગ્ય સન્નિધાન દ્વારા ચિંતન, મનન, સ્મરણ કરી તે તે પ્રદેશ તેમજ દ્રવ્ય અને તેના પર્યાય એ બન્નેનુ જ્ઞાન મેળવી શકે છે.
જીવના દરા પ્રાણ :
છે.
જીવનના આધારરૂપ પ્રાણુ છે. આવા પ્રાણ દેશ (૧) સ્પર્શીનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) પ્રાણેન્દ્રિય, (૪) ચક્ષુરિન્દ્રિય, (૫) શ્રોત્રેન્દ્રિય, (૬) શ્વાસેાશ્વાસ, (૭) આયુષ્ય, (૮) કાયમળ, (૯) વચનખળ અને (૧૦) મનેાખળ.
Áનેન્દ્રિયદ્વારા જીવ સ્પર્ધાના અનુભવ અને તેની પરીક્ષા કરી શકે છે; તે ઉપરાંત તે દ્વારા કાયાનું બળ પશુ અજમાવી શકે છે. રસનેન્દ્રિયદ્વારા જીવ રસ અથવા સ્વાદના અનુભવ અને તેની પરીક્ષા કરી શકે છે. તે ઉપરાંત વાચાનું ખળ પણ અજમાવી શકે છે, અથાંત્ વચન વ્યાપાર કરી શકે છે. પ્રાણેન્દ્રિદ્વારા જીવ ગંધના અનુભવ અને તેની પરીક્ષા કરી શકે છે. ચક્ષુરિન્દ્રિયઢારા જીવ રૂપ, વ, આકારને અનુભવ અને પરીક્ષા કરી શકે છે, શ્રોત્રાન્દ્રિયદ્વારા જીવ શબ્દના અનુભવ અને તેની પરીક્ષા કરી શકે છે. સ્પર્શનેન્દ્રિય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૪ ]
પૂ. પંન્યાસજી શ્રી મણિવિજયજી રસનેન્દ્રિય અને પ્રાણેન્દ્રિ એ દરેક નવ યેજન દૂર સુધીના વિષયને, ચક્ષુરિન્દ્રિય ૧,૦૦,૦૦૦ એજન દૂર સુધીના વિષયને અને શ્રોત્રેન્દ્રિય બાર એજન દૂર સુધીના વિષયને ગ્રહણ કરી શકે છે.
આ પાંચ ઈન્દ્રિય, તેની શક્તિ અને તેના વિષય ગણાવ્યા.
સૂક્ષમ અને બાદર એ બે નિગોદ અને પ્રત્યેક શરીરી એકેન્દ્રિય જીવ એ દરેકને એક જ સ્પર્શનેન્દ્રિય હોય છે, આ જીવ સ્થાવર કેટીના છે. અને તેને (૧) સ્પર્શનેન્દ્રય, (૨) કાયબળ, (૩) શ્વાસોશ્વાસ અને (૪) આયુષ્ય એ ચાર પ્રાણ હોય છે. બેઈન્દ્રિય જીને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એ બેઈન્દ્રિય હોય છે. આ અને તે પછીના દરેક જીવ ત્રસ કોટિના છે. બેઈન્દ્રિય જીવને (૧) સ્પર્શનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) કાયબળ, (૪) વાબળ, (૫) શ્વાસે શ્વાસ અને (૬) આયુષ્ય એ છ પ્રાણ હોય છે. ત્રણઈન્દ્રિય જીવને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, અને પ્રાણેન્દ્રિય, એ ત્રણઈન્દ્રિય હોય છે. અને તેને (૧) સ્પર્શનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) પ્રાણેન્દ્રિય, (૪) કાયબળ, (૫) વાગૂબળ, (૬) શ્વાસોશ્વાસ અને (૭) આયુષ્ય એ સાત પ્રાણ હોય છે. ચારઈન્દ્રિય જીવને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય એ ચાર ઈન્દ્રિય હોય છે અને તેને (૧) સ્પર્શનેન્દ્રિ, (૨) રસનેન્દ્રિય, (૩) ધ્રાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય, (૫) કાયબળ, (૬) વાર્બળ, (૭) શ્વાસોશ્વાસ અને (૮) આયુષ્ય એ પ્રાણ હોય છે. પંચેન્દ્રિ ઝવ બે પ્રકારના છેઃ (૧) સંમછિમ-અસંજ્ઞી (મન વગરના ) અને (૨) ગર્ભજ– સંજ્ઞી–મનવાળા. અસંજ્ઞી અને સંજ્ઞી જીવને પાંચે ઈન્દ્રિય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૭૫ હોય છે, અસંશી જીવને (૧) સ્પર્શનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) ધ્રાણેન્દ્રિય, () ચક્ષુરિન્દ્રિય, (૫) શ્રોત્રેન્દ્રિય, (૬) કાયબળ, (૭) વાગબળ, (૮) શ્વાસોશ્વાસ અને (૯) આયુષ્ય એ નવ પ્રાણ હોય છે. સંજ્ઞી જીવને મન સહિત દશ પ્રાણ હોય છે.
આ દશ પ્રાણમાં પાંચ ઈન્દ્રિય, ત્રણ પ્રકારનાં બળ (શરીર, વાચા અને મન ) શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ ગણાય છે. આયુષ્ય :
આયુષ્યનું કાર્ય જીવે બાંધેલ ગતિ અનુસાર જીવનવ્યવહાર નભાવવાનું છે. આયુષ્યને આધારે તેને બાંધેલ આયુષ્ય કર્મનાં દળિયાં પર નિર્ભર છે. આયુષ્ય બે પ્રકારનાં છેઃ (૧) સપક્રમ અને (૨) નિરૂપક્રમ. આયુષ્ય બાંધતી વખતની જીવની પ્રવૃત્તિ અને અધ્યવસાય પર જીવના આયુષ્યના પ્રકારને આધાર છે. અકસ્માતના કારણે કાળમર્યાદા હીન થઈ શકે તે સેપક્રમ-આયુષ્ય છે; અકસ્માત થવા છતાં કાળમર્યાદા હન ન થઈ શકે તેવું નિરૂપકમ આયુષ્ય છે. તિર્યંચ અને મનુષ્ય જીવને સેપક્રમ આયુષ્ય હોય છે, તેમાં અપવાદ છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને યુગલિક મનુવ્યને અને બાકીના મનુષ્યમાંના ચરમશરીરી, તીર્થકર, ચક્રવતી, બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એ દરેકને નિરૂપક્રમ આયુષ્ય હોય છે. દેવ અને નારક જીવને પણ નિરૂપક્રમ આયુષ્ય હોય છે. ચારગતિ :
ગતિ આશ્રયી સંસારી જીવના ચાર પ્રકાર છેઃ (૧) નારક, (૨) તિયચ, (૩) મનુષ્ય અને (૪) દેવ. ચૌદરાજલકવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૬ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી અલેકની સાત નરકભૂમિમાં નારક જીવ વસે છે. તિર્યંચ ગતિવાળા સૂક્ષમનિદ, બાદર નિગદ અને પ્રત્યેક શરીરી એકેન્દ્રિય જીવ ચૌદ રાજલોકમાં સિદ્ધશિલા સિવાયના (8) સર્વ ભાગમાંના કેઈ પણ સ્થળે વસી શકે છે. તિર્યંચ ગતિવાળા બાદર નિદ, પ્રત્યેક શરીરી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય (બેઈન્દ્રિય, ત્રણઈન્દ્રિય અને ચારઈન્દ્રિય), અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જવ એ દરેક ચૌદરાજલેકની મધ્યમાંના મધ્યકમાં આવેલ અસંખ્યાત દ્વીપ અને સમુદ્રમાં વસે છે. સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય ચૌદરાજકની મધ્યમાં આવેલ મધ્યલકની પણ મધ્યમાં આવેલ અઢીદ્વિપ અને બે સમદ્રમાં વસી શકે છે; બીજે ક્યાંય નહિ. ભુવનપતિ દેવ અધોલેકમાં,
વ્યંતર, વાણવ્યંતર દેવ તિરછાલકમાં, તિષ્કદેવ મધ્યલોકમાં અને વૈમાનિકદેવ ઉર્વલોકમાં વસે છે. ચૌદરાજલેકને આકાર કેડે હાથ દઈ ત્રાંસા પગ રાખી ઉભેલ પુરૂષ જે છે અલોકને આકાર ઉંધા પાડેલ કેડિયા જે અર્થાત્ ઉપરથી સાંકડો અને નીચેથી વિરતરતો છે; ઉર્વલોક છતા કેડિયા પર ઊંધા પાડેલ કેડિયા જે અર્થાત્ નીચે સાંકડો ઉપર વિસ્તાર પામતે જતો મધ્યમાં પૂરતો વિસ્તાર પામેલ અને તેની ઉપર સાંકડે થતે જ છે. કર્મભૂમિ અને અકર્મભૂમિ :
મધ્યકમાં બે પ્રકારની ભૂમિ છે. (૧) કર્મભૂમિ અને (૨) અકર્મભૂમિ, મધ્યલોકમાંના મધ્યમાંના અઢી દ્વીપ અને બે સમુદ્ર એ મનુષ્યનીવાસભૂમિ છે. તેનાં નામ (૧) જંબુદ્વીપ, (૨) લવણસમુદ્ર, (૩) ઘાતકીખંડ, (૪) કાળે દધિસમુદ્ર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[
૭
(૫) પુષ્કરવાર અર્થદ્વીપ એ પ્રમાણે છે. બાકી રહેલા પુષ્કરવાર અર્ધદ્વીપની સરુવાતમાં માનુષત્તર૫ર્વત છે, જે મનુષ્ય લેકને ઘેરીને ઉભે છે. આ દરેક દ્વીપમાં સર્વક્ષેત્ર સમાન નથી, કેટલીક કર્મભૂમિ છે અને કેટલીક અકર્મભૂમિ છે. અઢી દ્વીપમાંના પાંચ ભરત, દેવગુરૂ અને ઉત્તરકુરૂ સિવાયના પાંચ મહાવિદેહ અને પાંચ એરવત એ પંદર ક્ષેત્ર કર્મભૂમિ છે, બાકીના ક્ષેત્ર અકમભૂમિ છે. કર્મભૂમિમાં અસિ, મસિ અને કૃષિ એ ત્રણ કળા દ્વારા મનુષ્ય શ્રમજીવી બને છે, ત્યાં રાજા પ્રજા એમ વ્યવહાર વતે છે અને તે ઉપરાંત ત્યાં તીર્થકર ઉત્પન્ન થાય છે કે જે ચતુર્વિધસંધ અને પ્રવચન એ બે રૂપે ધર્મની સ્થાપના કરે છે, જેની સહાયથી જીવે ધર્મ અને કર્મના ભેદ સમજી, વિચારી, ઈચ્છાપૂર્વક મોક્ષઅર્થે પ્રવૃત્તિ કરી શકે છે. આથી વિપરીત અકર્મભૂમિ છે, ત્યાં મનુષ્ય કુદરત પર આધાર રાખે છે, ત્યાં યુગલિક જીવ વસે છે. તે સર્વે સમાન કક્ષાના ગણાય છે અને તીર્થકરે ત્યાં ઉત્પન્ન થતા ન હોઈ ત્યાંના જીવને ધર્મકર્મના ભેદ જાણવાનો પ્રસંગ મળતું નથી. અકર્મભૂમિમાં ક્ષેત્ર પર આયુષ્ય, શરીર, આહાર આદિના ભેદ વતે છે. લેશ્યા :
જીવના પરિણામ, વિચારધારા, તર્કપરંપરા, અધ્યવસાય, વિચારસરણી એજ વેશ્યા છે. લેસ્યામાં પણ તરતમતા હોય છે, તે દર્શાવવા તેના છ પ્રકાર ગણાવાય છે. (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કાપત, (૪) તેજઃ (૫) પદ્ય અને (૬) શુકલ. જીવના અધમતમ પરિણામ કૃષ્ણવેશ્યા, અધમતર વિચારધારા નીલલેશ્યા, અધમ તક પરંપરા કાપત વેશ્યા, શુદ્ધ અયવસાય તેવેશ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
૮ 3
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી
શુદ્ધતર વિચાર સરણી પઘલેશ્યા અને શુદ્ધતમ પરિણામધારા શુકલ લેણ્યા ગણાય છે. પહેલી ત્રણ લેશ્યા અશુભ અને છેલ્લી ત્રણ વેશ્યા શુભ ગણાય છે. સંસારી દરેક જીવને છ વેશ્યા હોય છે. તેમાં કેટલીક પ્રધાન અને કેટલીક ગૌણ હોય છે. નારક અને તિર્યંચ જીવને પ્રધાન તથા અશુભ, જ્યારે મનુષ્યને શુભ અશુભ લેશ્યા આત્મ વિકાસ અનુસાર હોય છે, અને દેવ જીવને પ્રધાનતયા શુભ લેશ્યા હોય છે, બાકીના એ દરેકને ગૌણ હોય છે.
પર્યાપ્તિ, પ્રાણ, આયુષ્ય, ગતિ, કર્મ અને અકર્મભૂમિ તેમજ વેશ્યા આદિ શબ્દ પર ઉડતે વિચાર કર્યા પછી આપણે આપણું મુખ્ય વિષય જીવના ઉત્ક્રાંતિ ક્રમ પર આવી જઈએ. જીવનું અનાદિ મૂળસ્થાન :
સૂક્ષમ અને બાદર એ બન્ને પ્રકારના નિગોદ જીવ સ્થાવર કેટિના એકેન્દ્રિય તિર્યંચગતિના જીવ છે; તે બન્ને પ્રકારના જીને અનંત જીને એક સાધારણ એવું સામાન્ય શરીર હોય છે. સૂક્ષમ અને આદર એ અને પ્રકારના નિગોદાજીવ તેમજ પ્રત્યેક શરીરી એકેન્દ્રિયજીવ એ દરેકને ચાર પ્રયાપ્તિ અને ચાર પ્રાણ હોય છે. સૂક્ષ્મ નિગાદ:
જીવનું અનાદિ મૂળસ્થાન અવ્યવહાર રાશિના સૂક્ષમ નિગાદ જીવ છે; અવ્યવહાર રાશિના સૂમ નિગોદમાં માત્ર સૂમ સાધારણ વનસ્પતિકાયના જીવ ગણાય છે. આ જીને અનંત જીવ વચ્ચે માત્ર એક સાધારણ (સામાન્ય) શરીર હોવા છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૭૯
તે ઈન્દ્રિયગોચર નથી; આમ છતાં આ શરીર એટલું સૂક્ષ્માતિસૂમ છે કે તે કેઈપણ હથીયારથી છેદી-ભેદી શકાતું નથી, તેમજ તેને અગ્નિથી બાળી શકાતું નથી. અનંત જીના એક દેહ એવા સૂક્ષમ નિગેદના અસંખ્ય ગેળા ચોદરાજલોકમાં સર્વ સ્થાને રહેલા છે. આવા જીવનું આયુષ્ય ૨૫૬ આવલીનું હોય છે; આ પણ એક શ્વાસમાં ૪૪૪૬ાા આવલી થાય છે તે દરમિયાન આ જીવ લગભગ ૧ વખત જન્મ અને મરણ કરતો હોવાથી ૧ણા ભવ લગભગ કરે છે. સૂક્ષ્મ નિગેદના જીવને એક સાધારણ શરીર હોવાથી તે શરીર, ચાર પર્યાપ્તિ અને ચાર પ્રાણદ્વારા એ અનંત જીવ એકી સાથે એક સમયે આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા અનુભવતાં જીવન-સંવર્ધને (જીવન ભોગવતા જવું અને તે વધારતા જવું) કર્યા કરે છે. આ રીતે ઉત્કૃષ્ટથી અનંત ઉત્સપિણી અવસર્પિણી કાળ વ્યવહાર કરતાં કર્મવિપાક અનુભવતાં, નવાં કર્મબંધન કરતાં જીવની પિતાની ઈચ્છા, સંકલ્પ કે પ્રયાસ કર્યા વિના નદીપાષાણન્યાયે આકરિમક સમભાવની માત્રા પ્રકટ થતાં તેને અકામ નિજ રા થાય છે. આમ અકામનિર્જરા થતાં જીવ તેના સૂક્ષ્મ નિમેદની અવ્યવહારરાશિ કોટિમાંથી વ્યવહારરાશિની કટિમાં આવે છે. સમગ્ર વિશ્વમાં કઈ જીવ સિદ્ધ થતાં સૂક્ષમ નિગોદમાં અવ્યવહાર રાશિને જીવ વ્યવહાર રાશિમાં આવે છે.
જીવ વ્યવહાર રાશિમાં આવતાં કઈ કઈ જીવે સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષમ અપકાય, સૂક્ષમ વાઉકાય, સૂકમ તેઉકાય અને સૂક્ષ્મ નિગદમાં પણ વારંવાર જન્મ-મરણ કરે છે અને ત્યાંથી અકામ નિર્જરા કરતાં કરતાં બાદર નિગાદમાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
૮૦ ]
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી
બાદર નિગાદ :
બાદર નિગોદના જીવને અનંત જીને એક સાધારણ (સામાન્ય) શરીર હોય છે. આ શરીર ઈન્દ્રિય ગ્રાહ્યા હોય છેઃ આ જીવનું આયુષ્ય સૂક્ષ્મ નિગદના જીવ કરતાં કાંઈક અધિક હેય છે અને સામાન્યતઃ તે અંતઃમુહૂર્ત ગણાય છે.
આ છે પણ પિતાના સાધારણ શરીર, ચાર પ્રાણ અને ચાર પર્યાપ્તિદ્વારા આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા એકી સાથે એકી સમયે અનુભવતાં, નવાં કર્મ બાંધતાં, ઈછા, સંકલ્પ કે પ્રયત્ન પણ વિના આકસ્મિક સમભાવની માત્રા પ્રકટાવતાં અકામનિર્જરા થતાં ઉત્કૃષ્ટથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ વ્યતીત થતાં પોતાની તે જાતિ તજી પ્રત્યેક શરીર એકેન્દ્રિય જાતિમાં આવે છે. પ્રત્યેક શરીરી:
પ્રત્યેક શરીરી જીવ છ પ્રકારના છેઃ (૧) એકેન્દ્રિય (પાંચ સ્થાવર ) (૨) બેઈન્દ્રિય, (૩) ત્રણઈન્દ્રિય, (૪) ચારઈન્દ્રિય (૫) અસંજ્ઞી પંચેન્દ્રિય અને (૬) સંજ્ઞી પંચેન્દ્રિય. અસંજ્ઞી પંચેન્દ્રિયના બે પ્રકાર છેઃ (૧) તિર્યંચ અને (૨) મનુષ્ય. સૂમ અને બાદશ એબે નિદ, પ્રત્યેક શરીરી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચારઈન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અસંજ્ઞી અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ એ દરેક તિયચ ગતિના જીવ છે. બેઈન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિય જીવે એ બધા વિકસેન્દ્રિય એ સામુદાયિક નામે પણ ઓળખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૮૧
પ્રત્યેક શરીરી એકેન્દ્રિય :
પ્રત્યેક શરીરી એકેન્દ્રિય જાતિ પ્રાપ્ત કરતાં પ્રત્યેક જીવને એક જુદું સ્વતંત્ર શરીર હોય છે, આ કારણે આ જીવ તે શરીર, ચાર પ્રાણ અને ચાર પર્યાપ્તિદ્વારા આહાર, નિદ્રા ભય અને મેથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા સ્વતંત્ર જુદી જુદી જુદા જુદા સમયે અનુભવતાં જીવન સંવર્ધન કરે છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સપિણી અવસર્પિણ કાળ આ રીતે વ્યવહાર કરતાં નદીપાષાણુન્યાયે કર્મવિપાક અનુભવતાં, નવાં કર્મ બાંધતાં, ઈચ્છા, સંકલ્પ કે પ્રયત્ન પણ વિના સમભાવની માત્રા પ્રકટાવતાં અકામનિર્જરા થતાં પ્રત્યેક શરીરી એકેન્દ્રિય જીવ પોતાની સ્થાવર કેટિ તજી ત્રસકેટિની બેઈન્દ્રિય જાતિમાં આવે છે. સજીવ
સ્થાવર કોટિના છવ પિતાને પડતે ત્રાસ દૂર કરવા હલન-ચલન શક્તિ ધરાવતા નથી. જ્યારે ત્રસ જી સ્વઈચ્છા અનુસાર તે પ્રકારની શક્તિ ધરાવે છે. ત્રસ જીવના પાંચ પ્રકાર છેઃ (૧) બેઈન્દ્રિય, (૨) ત્રણઈન્દ્રિય, (૩) ચારઈન્દ્રિય, (૪) અસંજ્ઞી પંચેન્દ્રિય અને (૫) સંજ્ઞી પંચેન્દ્રિય. સૂક્ષમ અને બાદર એ બે નિદ, પ્રત્યેક શરીરી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ દરેક જીવ અશુચિ સ્થાનેમાં સ્વયમેવ ઉત્પન્ન થાય છે. અને એ દરેક દ્રવ્યમન વિનાના હાઈ મૂઢ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવને દ્રવ્યમાન હોય છે, જેનાથી તે વિચાર કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
૮૨ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી વિકલેન્દ્રિય ત્રસ જીવ:
સ્થાવર કેટિ તજી ત્રસ કટિમાં આવતાં જીવ બેઈન્દ્રિય જાતિ પ્રાપ્ત કરે છે. પોતાના શરીર, હલન ચલન શક્તિ, છ પ્રાણ અને પાંચ પયતિ દ્વારા આ જીવ આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા જુદી જુદી જુદાજુદા સમયે સ્વતંત્ર અનુભવતાં જીવન સંવર્ધન કરે છે. ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ સુધી આ રીતે વ્યવહાર કરતાં નદીપાષાણુન્યાયે અકામનિર્જરા થતાં જીવ પિતાની બેઈન્દ્રિય જાતિ તજી ત્રણ ઈન્દ્રિય જાતિમાં આવે છે.
ત્રણ ઈન્દ્રિય જાતિમાં જીવને સાત પ્રાણુ, પાંચ પર્યાપ્તિ અને હલનચલન શક્તિ હોય છે. તે દરેક દ્વારા જીવ આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા સ્વતંત્ર, જુદી જુદી રીતે અને જુદાજુદા સમયે અનુભવતાં જીવન સંવર્ધન કરે છે. આમ સંખ્યાતકાળ સુધી કરતાં કરતાં નદીપાષાણુન્યાયે અકામનિર્જરા થતાં જીવ પિતાની ત્રણઈન્દ્રિય જાતિ તજી ચાર ઈન્દ્રિય જાતિમાં આવે છે.
ચારઈન્દ્રિય જાતિમાં જીવને આઠ પ્રાણ, પાંચ પર્યાપ્તિ અને હલનચલન શક્તિ હોય છે. પોતાના શરીર, પ્રાણ, પર્યાપ્તિ અને હલનચલન શક્તિદ્વારા આ જીવ આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા સ્વતંત્ર જુદી જુદી જુદાજુદા સમયે અનુભવતાં જીવન સંવર્ધન કરે છે. ઉત્કૃષ્ટ સંખ્યાત કાળસુધી આ રીતે વ્યવહાર કરતાં નદીપાષાણુન્યાયે અકામનિજેરા થતાં જીવ પોતાની ચાર ઈન્દ્રિય જાતિ તજી અસંસી પંચેન્દ્રિય જાતિમાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૮૩
અસંરી અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય
અસંજ્ઞી અને સંજ્ઞી એ દરેક પ્રકારના તિર્યંચ જીવના ત્રણ પ્રકાર છે. (૧) જલચર–પાણીમાં વસનાર, (૨) ખેચર-આકાશમાં વિહરનાર અને (૩) સ્થલચર-જમીન પર વસનાર. અસંસી અને સંજ્ઞી એ દરેક તિર્યંચ સ્થલચર જીવના પણ ત્રણ પ્રકાર છે. (૧) ચતુષ્પદ-ચાર પગવાળા છવ, (૨) ભૂજ પરિસર્પ–ચાલવામાં પગ ઉપરાંત હાથનો પણ ઉપયોગ કરતા જીવ અને (૩) ઉરપરિસર્ષ-પેટની સહાયથી ચાલતા જીવ. અસંસી પચેન્દ્રિય તિય ચ અને મનુષ્ય :
અસંજ્ઞી પંચેન્દ્રિય જાતિમાં જીવને નવ પ્રાંણ પાંચ પર્યાપ્તિ અને હલનચલન શક્તિ હોય છે. પિતાના શરીર, પ્રાણ, પર્યાપ્તિ અને હલનચલન શક્તિ દ્વારા આ જીવ આહાર, નિદ્રા, ભય અને મિથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા સ્વતંત્ર જુદી જુદી જુદા જુદા સમયે અનુભવતાં જીવનસંવર્ધન કરે છે. ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ આ રીતે વ્યવહાર કરતાં નદીપાષાણન્યાયે અકામ નિજ રા થતાં જીવ પિતાનું અસંજ્ઞીત્વ ત્યજી સંજ્ઞી તિર્યંચ જાતિમાં આવે છે. સણી પંચેન્દ્રિય ત્રસ જીવઃ
સંજ્ઞી પંચેન્દ્રિય રસ છવને તેની ગતિ અનુસાર જન્મ હોય છે, સંજ્ઞી પંચેન્દ્રિય જીવના ચાર પ્રકાર છે. (૧) નારક, (૨) તિર્યંચ, (૩) મનુષ્ય અને (૪) દેવ. દેવ અને નારક એ દરેકને ઉપપાત જન્મ હોય છે, દેવ દેવશય્યામાં સુખપૂર્વક સ્વયમેવ ઉત્પન્ન થાય છે; નારક જીવ મુંજીમાં દુખપૂર્વક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
૮૪ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી સ્વયમેવ ઉત્પન્ન થાય છે. સંશી તિર્યંચ અને મનુષ્યને ગર્ભજન્મ હોય છે. ગર્ભજમના ત્રણ પ્રકાર છેઃ (૧) અંડજ (૨) પિતજ અને (૩) જરાયુજ. કેટલાક તિર્યંચ ઇંડાં દ્વારા જન્મ લે છે. કેટલાક તિર્યંચ માતાની નિદ્વારા સ્વચ્છ રીતે (પિતજ ) જન્મ લે છે; બાકીના તિર્યંચ અને મનુષ્ય માતાની
નિદ્વારા લોહીની જાળીમાં વિંટળાએલ એ રીતે જન્મ લે છે; લાહિની આ જાળી ( ર ) અથવા જરાયુ કહેવાય છે. જન્મતી વખતે આ જીવે જાળીમાં લપેટાએલ હોય છે.
સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એ દરેક જીવને દશ પ્રાણ અને છ પર્યાપ્તિ હોય છે. દ્રવ્ય મન હોવું એ સંજ્ઞી જીવની વિશેષતા છે. સંજ્ઞી પંચેન્દ્રિય તિય"ચ ત્રસ જીવ:
સંજ્ઞી પંચેન્દ્રિય તિય જીવને મન તે હેય છે; છતાં તેને તેને ઉપયોગ મર્યાદિત હોય છે. આ જીવ માત્ર સ્મરણ અને વિચાર પૂરત મનને ઉપયોગ કરી શકે છે, તેથી આગળ નહિ. તિર્યચ જીવ પ્રાયઃ પરાશ્રિત હોય છે. જ્યારે કેટલાક દરમાં, ગુફામાં, જંગલમાં આદિ સ્થાને સ્વચ્છ દે વિચરતા હોય છે. આ જીવને મનને મર્યાદિત ઉપયોગ લેવાનું કારણ તેની કર્માધીન અવસ્થા-જડતા છે. આમ છતાં તેમાં અપવાદ હોઈ શકે છે; કઈ કઈ જીવને અકોમનિર્જરા થતાં સંગ અને સામગ્રીને વેગ સાંપડી જતાં તે જીવ સાર અસાર આદિ વિચારતે થઈ વ્રત આદિ સ્વીકારી સકામ નિર્જરા પણ કરી શકે છે. ઉદાસંબલ-કંબલનું દેણાન્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫.
[ ૮૫
આ જીવ પોતાના શરીર, હલનચલન શક્તિ, દશ પ્રાણ અને છ પર્યાપ્તિદ્વારા આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા સ્વતંત્ર જુદી જુદી જુદા જુદા સમયે અનુભવતાં જીવનસંવર્ધન કરે છે. ઉત્કૃષ્ટથી સાત આઠ ભવ આ રીતે વ્યવહાર કરતાં જીવ તિર્યંચ ગતિ તજી મનુષ્ય ગતિમાં આવે છે.
સમગ્ર તિર્યંચ અને મનુષ્ય એ દરેક જાતિમાંથી જીવ નારક, તિર્યંચ (બાદર નિગોદથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ સુધીમાં) મનુષ્ય અને દેવ એ ચાર ગતિમાની ગમે તે એક ગતિમાં જઈ શકે છે. ઉલ્કાન્તિ-કમની મર્યાદા
ઉપરોક્ત જીવને ઉત્ક્રાન્તિકમ સર્વ જીવને સામાન્યતઃ લાગુ પડે છે, તેમાં અપવાદ હોઈ શકે છે. સૂમ નિગોદમાંથી જીવ સીધે પ્રત્યેક શરીરી કેઈપણ જાતિમાં અપવાદ તરીકે જઈ શકે છે. આવા અપવાદને એક દાખલો મારૂદેવા માતાને છે. પ્રત્યેક શરીરી-પ્રત્યેક વનસ્પતિકાય તરીકે કેળના ભવમાં બેરડીના કાંટાથી થતા નિરંતર દુઃખને (ઉપસર્ગને) આકસ્મિક સમભાવે જીવન પર્યત સહન કરવાના કારણે કરેલ અકામનિર્જરાના પ્રતાપે તે ત્યાંથી સીધા પંચેન્દ્રિય મનુષ્ય તરીકે ભ૦ અષભદેવના માતા તરીકે નાભિરાજાની સાથે યુગલિકરૂપે જન્મ લઈ શકયાં. તેમના માટે આટલું જ બસ નથી, તેમની તીવ્ર અકામનિર્જરાના પ્રતાપે સ્વલ્પ મને મંથનના પ્રતાપે કેવલજ્ઞાન અને સિદ્ધિપદ પણ વર્યા. આ દષ્ટાન્ત તે અપવાદ છે; અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
પૂ. પંન્યાસ શ્રીમણિવિજયજી
અપવાદ કાંઇ સામાન્ય નિયમ પણ બનતા નથી. તેમના કલ્યાણની દષ્ટિએ અકામ નિર્જરને ફાળે મુખ્ય છે તે સાચું છે; પરંતુ આના આધારે સંજ્ઞી મનુષ્ય અકામનિર્જરાને જ કલ્યાણકારી માની માત્ર તેને જ આશ્રય લઈ બેસે તે તેનું હિત મોટા ખતરામાં આવી પડે તેમ છે.
આપણે અહિંસુધી તિર્યંચગતિના જીવને વિચાર કર્યો. તે પરથી એટલું તે જરૂર તારવી શકીએ કે તે દરેક પ્રકારના જીવને અકામનિર્જરા તેમના ઉત્ક્રાન્તિક્રમમાં સહાયક છે, તેમાં તિર્યંચ પંચેન્દ્રિય જીવની બાબતમાં એમ કહી શકાય કે કઈ કે તિર્યંચ જીવને સકામ નિર્જરા અર્થાત્ પચ્ચખાણ આદિ હોઈ શકે છે. સંજ્ઞી પંચેન્દ્રિય નારક:
નારક ગતિમાં જીવને મન હોય છે, પરંતુ પૂર્વોપાર્જિત કર્મના કારણે જીવ ત્યાં પરવશ હાઈ અશુભ કર્મના વિપાક અનુભવતાં અધ્યવસાયેની તીવ્રતાના કારણે કર્મની નિર્જરા કરતાં કરતાં નવાં શુભ અશુભ કર્મની પરંપરા ઉભી કરતેજ રહે છે. નારક ગતિમાં કઈકેઈ સમ્યગદષ્ટિ જીવ પણ હોય છે. અને કઈ કઈ જીવ ત્યાં સમ્યગદર્શન પણ પ્રાપ્ત કરી શકે છે. આમાંના કેઈકેઈ જીવ કેઈકેઈ સમયે કર્મના વિપાક અનુભવતાં ઈચ્છાપૂર્વક સમભાવ રાખવા પ્રયત્ન કરે છે. તેવા પ્રસંગમાં તે જીવને ઓછી સ્થિતિમાં અને જઘન્ય રસવાળાં કર્મ બંધાય છે. નારક જીને મુખ્યતઃ કૃષ્ણ, નીલ અને કાપત એ ત્રણ અશુભ લેશ્યા હોય છે, બાકીની તેજઃ પદ્ધ અને શુકલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
વેશ્યા ગૌણ હોય છે. અશુભ લેશ્યાના ઉદયના કારણે ઉદ્ભવતા અધ્યવસાયના કારણે પ્રાયઃ નારક ગતિના જીવ જે કર્મબંધ કરે છે તેના રસ તીવ્ર તેમજ ગાઢ અને સ્થિતિ લાંબી હોય છે, તેના વિપાક તદનુસાર તેને ભાવિમાં અનુભવવાના રહે છે. નારક જીવ મરીને ફરી તરતજ નારક કે દેવ થતો નથી, નારક જીવ મરીને તિર્યંચ અથવા મનુષ્ય એ બે ગતિમાંની ગમે તે એક ગતિ પ્રાપ્ત કરી શકે છે. સંગી પંચેન્દ્રિય તિર્યંચ
અસંસી અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જીવને પ્રાયઃ અકામનિર્જરા હોય છે તે વિષે આગળ ચર્ચા કરી છે, કે ઈકઈ સંજ્ઞી પંચેન્દ્રિય તિયચ જીવને અકામનિર્જરાના પ્રભાવે સંગ અને સામગ્રી સાંપડે તે તેને સકામનિજ ૨ અર્થાત્ વ્રત નિયમ આદિ હોવાને અવકાશ રહે છે. સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય
સંસી પંચેન્દ્રિય મનુષ્ય જીવની કેટલીક ખાસ વિશેષતા છે તે કારણે તેની સ્પષ્ટ વિચારણા કરવાની રહે છે તે પછી વિચારીશું. સંજ્ઞી પંચેન્દ્રિય દેવ
દેવગતિમાં પણ છવને મન હોય છે, પરંતુ પૂર્વોપાર્જિત શુભ કર્મના વિપાક અંગે ભેગવિલાસની અનેકવિધ અગણિત સામગ્રી મળતાં જીવ વિષયોમાં આસક્ત અને તલ્લીન બની જાય છે. દેવગતિમાં પણ કઈ કઈ સમ્યગૃહણિ છવ હોય છે. તેમજ કઈ કઈ સમ્યગ્દર્શન પણ પ્રાપ્ત કરે. આવા કઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
૮૮ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજ્યજી કઈ જીવ ઈચ્છાપૂર્વક આસક્તિ તજ ઉત્સાહ અને રસ રહિત બની કર્મ વિપાક તરીકે ભેગવિલાસ અનુભવે છે. આવા જીવને કર્મબંધ ઓછી સ્થિતિ અને જઘન્ય રસવાળો હોય છે. દેવને પ્રાયઃ તેજઃ પદ્ધ અને શુકલ લેડ્યા હોય છે. બાકીની કૃષ્ણ, નીલ અને કાપેત વેશ્યા ગૌણ હોય છે. નિયમતઃ દેવને વિરતિભાવ હતો નથી, તેથી તે વ્રત, નિયમ, પચ્ચખાણ સ્વીકારવા પ્રતિ નિરાદર રહે છે, અને તેમ છતાં તેમાંના કેટલાક ધર્મ પ્રતિ પૂજયભાવ રાખે છે. અને તક મળતાં ઉત્તર કિય શરીરધારા ધર્મ અને ધર્માની સેવા કરવા પણ પહોંચી જાય છે. દેવ વિષય આસક્તિના કારણે રહેતા તીવ્ર અધ્યવસાયના પરિણામે ગાઢ રસ અને લાંબી સ્થિતિની કર્મ પરંપરા ઉભી કરતા રહે છે. દેવ મરીને તરત જ દેવ કે નારક થતા નથી તે મનુષ્ય અને તિર્યંચ એ બેમાંથી ગમે તે એક ગતિ પ્રાપ્ત કરી શકે છે. સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય જીવઃ
સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય જીવકમ વશ તે છે, છતાં તે સ્વતંત્ર છે. તિર્યંચની માફક તે જડ નથી; તેથી મનદ્વારા તે હિત અહિત, સાર અસાર, કૃત્ય અકૃત્ય, વાસ્તવિક અવાસ્તવિક, હેય ઉપાદેય આદિ જાણું વિચારી શકે છે, તે અંગે ચિંતન મનન કરી નિર્ણય પણ કરી શકે છે. તે જે મોક્ષ અથવા સર્વ કર્મ ક્ષય કરવા ઈરછા અને સંકલ્પ કરે તે વિવેકના કારણે તેને પિતાના વિકાસને માગ મળી પણ રહે છે અને તે મળતાં તદનુસાર વર્તવા ઈચ્છા અને સંકલ્પ કરે તે તદનુસાર જીવન ઘડી જીવી પણ શકે છે. આથી વિપરીત માજી તેનામાં એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
પણ છે કે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય મન, બુદ્ધિ અને અપાર અને અનેકવિધ સામગ્રી, મળતાં તેને ઉન્માદ થવાને પણ સંભવ રહે છે; બુદ્ધિ અને મનદ્વારા સાંસારિક વાસના અને તેની તૃપ્તિમાં જીવ લુબ્ધ બનતાં તે પોતાની સંસારપરંપરાને વધારી પણ શકે છે, આમ કરવાથી પિતાની અનંતકાળની અકામનિર્જરાએ પ્રાપ્ત કરેલ પાંચ ઈન્દ્રિય અને મન મેળવી જે પ્રગતિ તેને સાધવાની તક મળી હોય છે તે પર તે કાપ મૂકી દે છે અને પરિણામે તે ચારે ગતિના ચક્રમાં ફક્સાઈ જઈ શકે છે. આ કારણે શાસકારોએ “મનને બંધ તેમજ મક્ષ એ બંનેનું કારણ” કહ્યું છે તે યથાર્થ ઠરે છે.
અપાર સંસારમાં ઘણા ય જી-મનુષ્ય પણ ધર્મ અને કર્મના ભેદ જાણી શકતા નથી, તેનાં બે કારણ છેઃ (૧) પૂર્વાજિત મૂઢતાના સંસ્કાર અને (૨) સંગને અભાવ. સંગ મળતાં જીવ ધર્મ અને કર્મના ભેદ જાણવાની તક મેળવી શકે છે, પરંતુ મૂઢતાના સંસ્કારના કારણે જીવ તેની ઉપેક્ષા પણ કરે છે. કેટલાક જીવ ધર્મ અને કર્મના ભેદ જાણવા અને સમજવા છતાં તે અંગે વિચાર અને મનન પણ કરવા છતાં, તે અંગે સત્યાસત્યનું તેલન પણ કરી શકતા નથી; કેટલાક સત્યાસત્યનું તોલન કરી નિર્ણય કરી માર્ગ નક્કી કરવા છતાં તદનુસાર વર્તી પણ શકતા નથી. પૂર્વાર્જિત મૂઢતાના સંસ્કાર તેને તેમ ન કરવા દે તે તે સમજાય તેમ છે; પરંતુ કેટલાક આ રીતે માર્ગ નક્કી કર્યા પછી તેની પણ ઉપરવટ જઈ તેની વિરૂદ્ધ વર્તે છે અને તેમ કરતાં છતાં તે અગે તેને જરા પણ ખેદ કે પશ્ચાતાપ પણ થતું નથી. આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
૦ ]
પૂર્વ પંન્યાસજી શ્રીમણિવિ જય જી
જીવા અન"તકાળની અકામ-નિજ રાદ્વારા પ્રાપ્ત કરેલ પેાતાના વિકાસ તેમજ મનુષ્ય જન્મને ધૂળધાણી કરી નાંખે છે અને નારક, તિય 'ચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિને સ'સાર વધારી મૂકે છે.
સન્ની પંચેન્દ્રિય મનુષ્ય પણ પેાતાના શરીર, પ્રાણ, પર્યાપ્તિ અને હલનચલન શક્તિદ્વારા આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા સ્વતંત્ર જુદી જુદી જુદા જુદા સમયે અનુભવતાં જીવનસ'વર્ધન તા કરે જ છે, પરંતુ સજ્ઞી જીવ તરીકે તેની જે વિશેષતા છે તે કારણે તેનું ખાસ કર્તવ્ય છે પરસ્પર ઉપકારતું, આ ઉપકાર કર્તવ્યૂમાં દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મના સાર પણુ આવી જાય છે. આમ સ'ની પચેન્દ્રિય મનુષ્યને જીવનસ'વ'ન ઉપરાંત સમસ્ત જીવના કલ્યાણનું લક્ષ્ય હવુ ઘટે છે અને તેની સિદ્ધિ અર્થે મનને વિવેકપૂર્વક ઉપયાગ રહે છે. આમ કરવાની ઈચ્છા અને સકલ્પ કરનાર જીવ તદનુસાર જીવન– ધેારણ ઘડી મેાહ, કષાય, વિષય આદિને જીતવા પ્રયત્ન કરે છે તે તેમ કરતાં તે કાઇપણ જીવ કે જીવના વ પર સીધા કે આડકતરા ખેાજારૂપ બન્યા વિના પેાતાનું જીવન સરલ અને સ્વાશ્રયી બનાવી પેાતાના આધ્યાત્મિક વિકાસ સરલ અને શક્ય બનાવી શકે છે.
અસની જીવને મન નથી અને સત્તી જીવને મન છે; તે અને માત્ર જીવનસ ંવર્ધનને મુખ્ય માની વતે તે તે એ વચ્ચે કાંઈ તફાવત જ રહેતા નથી. અપાર સંસારમાં ઘણાય સંજ્ઞી જીવ જીવનસ ́વનને જ (સાંસારિક ભાગ ઉપસેાગદ્વારા જીવન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૯૧ વધાર્યા કરવું તે) પ્રાધાન્ય આપે છે, તે સર્વે આધ્યાત્મિક વિકાસની અપેક્ષાએ અસંશી જેવા ગણી શકાય. મનના કારણે સંજ્ઞી જીવની વિશેષતા છે તે એજ કે પરસ્પર ઉપકાર-સમસ્ત જીવના કલ્યાણને તે જીવન દયેય બનાવે; તે જ જીવને આધ્યાત્મિક વિકાસ થયો તેમ ગણી શકાય.
સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યમાંના કેટલાક છ મન હવા છતાં ધર્મ અને કર્મના ભેદ પામી પણ શકતા નથી; કેટલાકને તેની તક મળે છે તે પણ તેની ઉપેક્ષા કરતા રહે છે, જ્યારે કેટલાક થડા તે જાણવાની ઈચ્છા અને સંકલ્પ કરી શકે છે. આવા જે કઈ હોય તેને તે માટે તક મેળવવાની રહે છે; તેને જે તેવી તક મળી રહે છે તે તે ધર્મ અને કર્મના ભેદને જાણી પણ લે છે. આમાંથી પણ કેટલાક થોડાજ સાર અસાર, હિત અહિત, કૃત્ય અકૃત્ય, વાસ્તવિક અવાસ્તવિક, હેય ઉપાદેય આદિ જાણું, વિચારી, ચિંતનમનન કરી, નિર્ણય કરી શકે છે.
સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યમાંના ઘણા તે જીવનસંવર્ધનને જ મુખ્ય માની પિતાના સ્વાર્થમાંજ નિરંતર મશગુલ રહે છે, એટલું જ નહિ પણ તેજ સાચું અને સાધ્ય છે તેમ માનીને તે છે. કેટલાક જ સાર, અસાર આદિ જાણે અને વિચારે છે, પરંતુ તે સર્વને ઉપયોગ પણ માત્ર પોતાના સ્વાર્થ અર્થે જીવન સંવર્ધનમાંજ કરે છે. આવા અને મોક્ષ અથવા સર્વ કર્મની નિર્જરાની જરા સરખી પણ ઈચ્છા થતી નથી. એટલે તેને મોક્ષ માટે શ્રદ્ધાજ હોતી નથી, આવા જ ગાઢમિથ્યાત્વથી ઘેરાયેલા છે. કેટલાક જીવે સાર અસાર જાણવા ઇરછે છે, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
૯૨ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
તે માટે જરાપણ પ્રયત્નશીલ બનતા નથી. કેટલાક જીવે સાર અસાર જાણવા સંકલ્પ કરી તે જાણભે છે, પરંતુ પૂર્વાર્જિત મેહના ગાઢ સંસ્કારના કારણે સમસ્ત જીવના કલ્યાણને ધ્યેય બનાવવા ઈચ્છતાં છતાં તદનુસાર વતી શકતા નથી. કેટલાક જીવ પિતાના સ્વાર્થ પૂરતે, કેટલાક પિતાના કુટુંબના સ્વાર્થ પૂરતો, કેટલાક પોતાની જ્ઞાતિના સ્વાર્થ પૂરતે, કેટલાક પોતાના ગામના સ્વાર્થ પૂરતે, કેટલાક પિતાના જીલ્લાના સ્વાર્થ પૂરત, કેટલાક પિતાના પ્રાંતના સ્વાર્થ પૂરતે અને કેટલાક પિતાના દેશના સ્વાર્થ પૂરતે વિચાર કરે છે તેમજ સ્વાર્થ ત્યાગ પણ કરે છે. જો કે આ જીવે માત્ર જીવન સંવર્ધનનેજ મુખ્ય હેતુ માનનાર જીવ કરતાં કક્ષામાં ક્રમશઃ આગળ વધેલા છે, છતાં એ દરેકમાં માત્ર સ્વાર્થની માત્રા રહેલી હેઈ તે સ્વાર્થત્યાગનું પરિણામ જીવનશુદ્ધિ, આમવિકાસ, આત્મશાનિતને લાભ અને પરિણામે આધ્યાત્મિક વિકાસ એ આવતું નથી.
સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યમાંના બહુજ અલ્પ કેટલાક સમસ્ત વિશ્વના કલ્યાણની ભાવનાને પિતાનું જીવનધ્યેય બનાવે છે. અને તદનુસાર જીવનધોરણ ઘડી વર્તી શકે છે, આવા જીવને બીજાના હિત અર્થે ઘસાવાનું જ રહે છે. જીવ આ પ્રમાણે ઈરછા અને સંકલ્પ કરી જીવનમાં મૂકાવે છે ત્યારે તેને પોતાના પૂર્વના મેહના–મેળવવાના, ભેગવવાના અને ઉપભોગ કરવાના સંસ્કાર તેના પર વારંવાર આક્રમણ કરે છે અને તેને (તૃષ્ણા, લાલસા, વાસના, વિષય આદિ) જીતવા સંતોષ અને સમભાવના આશ્રયે જવાનું જ રહે છે. આમ થતાં જીવ અને વાસનાના પરસ્પર સંઘર્ષમાં કોઈ વખત જીવ વાસના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
થમાળા નં. ૧૫
[ ૯૩
પર તે કઈ વખત વાસના જીવ પર વિજય મેળવી જાય છે; આમ છતાં જીવ જે આટલાથી નિરાશ બની ન અટકતાં પોતાના સંતેષ અને સમભાવના ભાથા સાથે સતત સાવધાન રહી પ્રયત્ન ચાલુ રાખે છે તે તે વાસના આદિ પર વિજય પણ મેળવી શકે છે. આવા ચેડા જીમાં કેટલાક તે થોડા પ્રયાસે જ થાકી જાય છે. કેટલાક કાંઈક વધુ પ્રયાસે થાકે છે અને માત્ર બહુ જ અપ જી એકધારે પ્રયાસ ચાલુ રાખી મેહ, કષાય, વિષય વાસના આદિ પર વિજય મેળવી તેને જીતી કૃત્યકૃત્ય બની જાય છે.
શાશ્વત અશાશ્વત સુખ :
સર્વ જીવ સુખ મેળવવા ઇચ્છે છે કેઈને દુખની ઇચ્છા નથી. સુખ બે પ્રકારનાં છેઃ (૧) શાશ્વત અને (૨) અશાશ્વત. શાશ્વત સુખ સંતેષ; સમભાવ અને ત્યાગમાં શ્રદ્ધા રાખનારને હોઈ શકે છે. પ્રાયઃ જીવ તૃષ્ણા, વાસના, લાલચ, વિષયેચ્છા અને તેની તૃપ્તિમાં સુખ માને છે, પરંતુ તે અશાશ્વત સુખ છે; તેનું કારણ એ છે કે એક વિષયેચ્છાને તૃપ્ત કરતાં સુધીમાં તે બીજી અનેક વિષયેચ્છા છવમાં પ્રકટ થઈ ચૂકે છે, આમ લાલસાને અંત જ નથી. લાલસા, તૃષ્ણા, વાસના, વિષયેચ્છા આદિમાં જ સંસારની જડ રહેલી છે, તેના કારણે જીવને કષાય, લેશ્યા આદિ ઉદ્ભવે છે અને પરિણામે જીવને કર્મપરંપરા ઉભી થતાં સંસારવૃદ્ધિ રહ્યા કરે છે. લાલસા આદિને જીતવાનું સાધન સંતેષ અને સમભાવ છે. શાશ્વત અશાશ્વત સુખમાં ભેદ ન સમજનાર જીવને મન બંધનું કારણ બને છે, જ્યારે તે સમજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
૯૪ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી શાશ્વત સુખ અર્થે સંતેષ અને સમભાવ રાખી ત્યાગમાં શ્રદ્ધા કરનાર જીવને મન મોક્ષનું કારણ બને છે.
ઉપરોક્ત વિવરણ પરથી સ્પષ્ટ સમજાયું હશે કે મનુષ્ય જન્મની પ્રાપ્તિ પાછળ અનંતકાળની અકામનિર્ભર રહેલી છે; તેટલા પરિશ્રમ પછી મળેલ મનુષ્યજન્મ, ઈન્દ્રિય પટુતા, ધર્મપ્રાપ્તિ, અન્ય સામગ્રી આદિને ઉપયોગ ત્યાગમાં શ્રદ્ધા કરી ઈન્દ્રિયના વિષય પર વિજય મેળવવા પ્રયત્ન કરવામાં મનુષ્ય જન્મની સફલતા રહેલી છે. ઇન્દ્રિયના વિષયો પર વિજય મેળવવામાં શ્રમ તે પડવાનો જ છે, પૂર્વાર્જિત મેળવવાના, ભેગવવાના અને ઉપભેગા કરવાના સંસ્કાર તે સામે બંડ પણ ઉઠાવવાના, તે સાથે જીવને પિતાની ઈચ્છા અને સંકલ્પપૂર્વક સંતેષ, સમભાવ અને ત્યાગમાં શ્રદ્ધા રાખી પ્રયત્ન કરતા રહેવાનું છે. આ ગુણો કેળવવા માટે જ વ્રત, નિયમ, પચ્ચખાણ સંયમ, તપ અને ધ્યાન આદિ જરૂરનાં બને છે. આમ જીવની ઈચ્છા અને સંકલ્પ એ સકામનિજેરાનું મૂળ છે, જ્યારે સંતોષ, સમભાવ, વ્રત આદિ તેનાં સાધન છે. આ રીતે આપણે અકામનિજેરા પરથી સકામનિજ રા પર આવી પહોંચીએ છીએ. જીવ જેમ જેમ સકામનિર્જરાની માત્રા વધારતું રહેશે અને મેહ, કષાય, ઈન્દ્રિય, વિષય આદિ પર વિજય મેળવવાના પ્રયત્ન તીવ્ર બનાવત રહેશે અને હસતા મેળવવા, ભેગવવા અને ઉપભેગ કરવાના પૂર્વાર્જિત સંસ્કારને સામને કરતે જશે તેમ તેમ તેની સંતેષ, સમભાવ, અને ત્યાગની માત્રા વિકસતી જશે અને માત્ર ટૂંકા ગાળામાં જ તે પોતાને સંપૂર્ણ વિકાસ સાધી સિદ્ધિ ગતિને પણ પ્રાપ્ત કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[
લ્ય
સામનિજરની ઝડ૫ :
સવ અસંજ્ઞી જીવોને અકામનિર્જરા હોય છે, સંજ્ઞી જીવને અકામ અને સકામ એ બંને પ્રકારની નિર્જરા હોય છે. જીવની ઈરછા અને સંકલ્પ પર સકામનિર્જરા નિર્ભર છે, પ્રયત્નમાં જીવને પોતાના સંતેષ, સમભાવ અને ત્યાગ ટકાવવા વત, નિયમ, પચ્ચખાણ, સંયમ, તપ, ધ્યાન આદિ સાધન છે. આ સર્વને ઉપયોગ અને વિવેક સહિત અને સતત જાગૃતિ રાખી કરવાનું રહે છે. ક્રમશઃ ડગલાં ભરતાં સકામનિજાની ઝડપ અર્થાત તેને વેગ ખૂબખૂબ વધી જાય છે, તે સત્ય નીચેનાં તેનાં ક્રમિક ડગલાં પ્રતિ નજર નાંખતાં સમજી શકાશે. મિથ્યાત્વ:
સૂક્ષ્મ અને બાદર એ બે નિગોદ, પ્રત્યેક શરીરી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ દરેક જીવને તેની મૂઢતા-ધર્મ અને કર્મના ભેદની અજ્ઞાનતાના કારણે અનાભેગિક મિથ્યાત્વ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવને પણ પ્રથમવાર સમ્યગદર્શન પ્રાપ્ત કરતાં પહેલાં અનાગિક મિથ્યાત્વ હોય છે. એક વાર સમ્યગદર્શન પ્રાપ્ત કરી તે વમી મિથ્યાત્વ પામનાર સંજ્ઞી પંચેન્દ્રિય જીવને અભિગ્રહિત, અનભિગ્રહિત, સાંશયિક અને અનાગિક એ ચાર મિથ્યાત્વમાંનું ગમે તે એક પ્રકારનું મિથ્યાત્વ હોઈ શકે છે. અભવ્ય જીવને આભિનિવેશિકમિથ્યાત્વ કાયમનું હેઈ અનંત સંસારી છે. સચ્ચન્દશન : (૧) ભવ્ય જીવમાંના ચારે ગતિના જીવ સમ્યકત્વ પામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
૯૬ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી શકે છે; નારક, તિર્યંચ અને દેવ એ દરેક ગતિમાં જીવને ઔપથમિક અને ક્ષાપશમિક એ બે પ્રકારનાં સમ્યગદર્શન પ્રાપ્ત થઈ શકે છે; પરંતુ એકી સમયે ગમે તે એક હોઈ શકે છે. મનુષ્ય ગતિમાં ત્રણ પ્રકારનાં સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ એક સમયે ગમે તે એક પ્રકારનું સન્મુદર્શન તેને હોઈ શકે છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયમેહનીય અને તે ઉપરાંત દર્શનમેહનીય એ દરેકને ઉપશમ થતાં જીવ પ્રથમવાર ઔપશમિક સમ્યગદર્શન પામે છે. ચાર કષાય મેહનીય અને સમ્યકત્વ મોહનીયને પશમ થતાં જીવ શાપથમિક સમ્યગદર્શન પામી શકે છે; ચાર કષાય મેહનીય અને (મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ) દર્શન મોહનીય એ દરેકને ક્ષય થતાં જીવ ક્ષાયિક સમ્યગદર્શન પામી શકે છે.
ઔપશમિક સમ્યગુદર્શન સાદિસાંત હોઈ તેની સ્થિતિ અંતમુહૂર્તની છે. ક્ષાપથમિક સમ્યગદર્શન પણ સાદિ સાન્ત હોઈ તેની જઘન્ય સ્થિતિ અંતઃમુહૂત અને ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમ સાધિક છે. ક્ષાયિક સમ્યગદર્શન સાદિ અનંત છે, ક્ષાયિક સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા પછી તે જીવમાંથી લેપ પામતું નથી. અનંત સંસારમાં એક જ જીવ ઔપથમિક સમ્યગદર્શન પાંચ વખત, ક્ષાપશમિક સમ્યગદર્શન અસંખ્યાત વખત અને ક્ષાયિક સમ્યગદર્શન એક જ વખત પ્રાપ્ત કરી શકે છે. અભવ્ય જીવ અનંત સંસારી છે; અભવ્ય જીવને સમ્યગદર્શનની લાયકાત જ હતી નથી, તેને કાયમ સિંખ્યાત્વ હેય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
સમ્યગદર્શન પામતાં જીવ ચેથા ગુણસ્થાને આવે છે, પહેલા ચાર ગુણસ્થાને ચારે ગતિના જીવ હોય છે. જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરી તે વમી મિથ્યાત્વમાં જતાં મિયાત્વી ગણાય છે. ચેથા ગુણસ્થાને જીવને સમ્યગ્દર્શન હેઈ તેની દષ્ટિ-વિચાર સરણની ભૂમિકા શુદ્ધ બને છે, પરંતુ પૂર્વ સંચિત મેહના ગાઢ સંસ્કારના કારણે તેને સમ્યફ ચારિત્ર હેતું નથી. તેથી આ ગુણસ્થાને જીવ “અવિરત ગણાય છે. સમ્યગદર્શન પ્રકટ થતાં જીવ આપ્તજન સૂચિત તત્ત્વ તેમજ માર્ગને હિતકારી ગણે છે, પરંતુ મહિના પૂર્વ સંસ્કારના કારણે તે તદનુસાર વર્તવાની હિંમત કરી શકતું નથી. તે પુદગલને અજીવ અને આત્માને જીવ એમ એ બે જુદાં તત્ત્વ માને છે. એ દરેકના સ્વભાવ તેમજ ગુણધર્મ (ઉત્પાદ, વ્યય અને ધૃવત્વ) પણ જુદાં સ્વીકારે છે. જીવના ગુણ દર્શન, જ્ઞાન અને ચારિત્ર અને તે દરેકનું પરિણમન, જ્યારે પુગલના ગુણ ભેગાથવું, વિખરાવું અને જડત્વ, તેમજ પુદગલનું પરિણમન એમાં તેને શ્રદ્ધા થાય છે. આ માન્યતા દૃઢ કરવા જ્ઞાન મેળવવા તે પ્રયત્નશીલ બને છે અને એ રીતે શ્રદ્ધા અને જ્ઞાન એકરૂપ બનતાં તદનુસાર ચારિત્ર ઘડવાની અને આચરવાની તેને હિંમત પણુ પ્રાપ્ત થાય છે. આ હામ આવતાં જીવને જીવનસંવર્ધન ઉપરાંત પોપકાર–પરકલયાણું પણ જીવનું કર્તવ્ય છે, તેમાં પણ શ્રા થતાં તે રીતે વર્તવાની હિંમત વધતાં તદ ઉડામશીલ પણ બને છે. જીવને સમ્યગર્શન થતાં તે સકામ નિજાની ભાવનાવાળા બને છે, અવિરત હવા તાં મન અને વચનપારા તે તે સિદ્ધ કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
૮ ]
પૂર્વ પન્યાસજી શ્રીમણિવિજયજી
એકજ વખત સમ્યગ્દર્શન પ્રાપ્ત કરતાં જીવને તેને અપરિમિત સસાર પરિમિત બની જાય છે, અર્થાત જીવની અનંત સંસાર સ્થિતિ ઘટી ઉત્કૃષ્ટ અધ પુદ્ગલ પરાવત સુધીની ભવસ્થિતિ રહે છે. કેટલાક જીવા તે ભવે, કેટલાક સાત આઠ લવે અને કેટલાક વધારે ભવે મુક્તિ પામે છે.
(૨) પાંચમા દેશવિરત ગુણુસ્થાને સત્તી જીવ (તિય"ચ અને મનુષ્ય ) દેશ વિરત ( અંશતઃ ત્યાગી ) અને છે, સમ્યગૂદન સહિત પાંચ અણુવ્રત, ત્રણ ગુણુવ્રત અને ચાર શિક્ષાત્રત એ બાર મત, દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધમ, મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માચ્ચુ એ ચાર ભાવનાએ અન્યત્રત, નિયમ, પચ્ચખ્ખાણુ, સંયમ, તપ, ધ્યાન આદિમાંના એક, અનેક કે સર્વેના આશ્રય લઇ અંશતઃ સકામનિર્જરા શરૂ કરે છે. આ રીતે સતત જાગૃતિપૂર્વક જીવન જીવતાં જીવના સંસાર માત્ર સાત, આઠે ભવ પૂરતા મર્યાદિત મની જાય છે.
(૩) છઠ્ઠા પ્રમતસંયત ગુણસ્થાને સત્તી જીવ ( મનુષ્ય ) સર્વવિરત ( સવતઃ ત્યાગી) અને છે, સમ્યગ્દર્શન સહિત પાંચ મહાવ્રત અને રાત્રિભાજન વિરમણુ એ છ વ્રત સ્વીકારી તે સર્વાંતઃસકામનિર્જરા શરૂ કરે છે. આ રીતે સતત જાગૃતિપૂર્વક જીવન જીવતાં જીવ અને પ્રમાદ વચ્ચે પરસ્પર વિજય અચે સતત સંગ્રામ માંડાય છે, આમાં કોઈવાર જીવ પ્રમાદ પર તેા કાઇવાર પ્રમાદ જીવપર વિજય મેળવે છે. આ ગુણસ્થાને પ્રમાદના જીવને સંભવ હાઇ આ ગુણસ્થાન ‘પ્રમત્ત’ ગણાય છે. ફાઇ જીવ કે જીવના વ પર ખારૂપ બન્યા વિના સતત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
જાગૃતિપૂર્વક જીવન જીવતાં અને તદનુસાર જીવી બતાવતાં જીવના સંસાર માત્ર અ૫ક્ષવ પૂરતા મર્યાદિંત બની જાય છે.
*]
(૪) છઠ્ઠા અને સાતમા પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાને અસ ખ્યાતવાર પહેાંચી અંતે અપ્રમત્ત બની સગી વ (મનુષ્ય) અપૂર્વકરણ કરી માહ, કષાય, ઇન્દ્રિયવિષય આદિ પર વિજય મેળવવાના વેગ અને પરિણામે સકામનિર્જરાના વેગ પશુ ખૂખ વધારી મૂકે છે. તેના પરિણામે માત્ર એકજ અંતઃમુર્હુત માં ક્ષપકશ્રેણિવાળા જીવ અપૂર્વકરણ, અનિવૃત્તિમાદર, સૂક્ષ્મસ પરાય ગુણસ્થાને પહોંચી માહુને જીતી લે છે અને ખારમા ક્ષીણમેાહ ગુણસ્થાને પણ અંતઃમુહૂત માં જ્ઞાનાવરણુ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણને જીતતાં ચાર ધાતીકમના ક્ષય થતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. આમ જીવ વીતરાગ બનતાં તેને સંસાર માત્ર તદ્ભવ પૂરતા મર્યાદિત અને છે. જીવને સકામનિર્જરાને અહિં અંત આવે છે.
(૫) સત્તી જીવ (મનુષ્ય) તેરમા ગુણસ્થાને યાનાંતરિકા અવસ્થામાં મન, વચન અને કાયા એ ત્રણ યેાગ સહિત હાઇ સયેાગી (મન, વચન અને કાય) ગણાય છે.
તેરમા સયેાગી ગુણસ્થાનના અંતે (કેવલી સમુદ્લાત સહિત) પ્રથમ બાદર ચેગ નિરોધ કરી સુક્ષ્મ યાગ નિરાધ જીવ કરે છે અને ત્યાંથી ચૌદમા અયાગી ગુણસ્થાનમાં ચેાગ વિનાના બની વ્યુપરતક્રિયાનિવૃત્તિ ધ્યાનમાં શૈલેશીકરણઅવસ્થા અનુભવતા પાંચ હસ્તાક્ષર કાલ પ્રમાણુ સમયમાં સર્વમના ક્ષય ફરી મુક્તિને વરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ]
પૂર્વ પંન્યાસજી શ્રીમણિવિજયજી
સંસારી દરેક જીવને ક્રમની નિર્જરા તે ચાલ્યા જ કરતી હાય છે. દ્રષ્ય મન વિનાના અસની જીવને અકામનિર્જરા હાય છે; જેની પાછલ જીવને કર્મપર'પરાની એડી તૈયાર થતી હાય છે, સત્તી જીવને અકામ અને સકામ એ બંને પ્રકારની નિર્જરા હાય છે; આમાંની સકામ નિર્જરા શુભ હાઈ તેની પાછળ ટુકી સ્થિતિ અને પાતળા રસવાળું ક ખ ધન હેાય છે. ચારે ગતિના ભવ્ય સ’ત્તી જીવ સમ્યગ્રષ્ટિ બનતાં તેની દૃષ્ટિ બદલાવાના કારણે તેને સકામનિર્જરા હોવાના સંભવ રહે છે; આવે જીવ જેમ જેમ આગેકૂચ કરતા રહે છે તેમ તેમ અકામનિર્જરા સાથે તેની સમ્રામનિર્જરાની માત્રા વિકસતી રહે છે. આ રીતે દેશવિરત, પ્રમત્તવિરત, અપ્રમત્તવિરત એ ત્રણ ગુણસ્થાનામાં અકામનિર્જરા ઘટવા માંડતાં તેની સકામનિર્જરા સમર્ચાત્તર વધતી રહે છે. અપૂર્વકરણ, અનિવૃત્તિમાદર, સૂક્ષ્મ સપરાય અને ક્ષીણમાહ એ દરેક ગુણુસ્થાને સકામનિર્જરાના વેગ ઉત્તરાત્તર ખૂબખૂબ વધી જાય છે, કારણ કે એ દરેક ગુણસ્થાને તેમજ તે સવ ગુણસ્થાનામાં જીવ માત્ર એકજ અંતમુહૂત માંજ પ્રગતિ કરી નાંખે છે. સૂક્ષ્મસ પરાય ગુણુસ્થાને માહ જીતી ત્યારબાદ અંતઃમુહૂતમાં ક્ષીણમાહ સ્થાને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લેતાં તે પછી જીવને અકામનિર્જરા અને સામનિર્જરા એ બન્નેના અવકાશ રહેતા નથી. ક્ષપકશ્રેણિ કરનાર જીવ માટે આ સ્થિતિ હાય છે; જયારે ઉપશમશ્રેણિ કરનાર જીવ માટે અગીઆરમાં ગુરુસ્થાન સુધી તે પ્રગતિ કરતા ધસતા આવે છે, પરંતુ તે ગુણસ્થાનના અંતે (સૂક્ષ્મ લેાલ) માહના ઉદ્રેકના કારણે કાબુમાં રાખેલ વરાળ છૂટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૦૧ મુકતાં જે વેગ પકડે છે, તે પ્રકારે જીવ પણ કાબુમાં રાખેલ મહિના વેગને અનુભવ કરતાં કારમે પછડાટ અનુભવતાં જે ક્રમાનુસાર તે ગુણસ્થાને ચાલ્યો હતો તે જ કમે પાછા ફરતાં કેઈક જીવ છ, સાતમા, કેઈક પાંચમા, કેઈક ચોથા અને પ્રાયઃ ઘણાખરા જીવ પહેલા ગુણસ્થાને આવી અટકે છે.
બારમા ગુણસ્થાનના અંતે અને તે પછી જીવને અકામ કે સકામ એ બન્ને પ્રકારની નિજરને અંત આવે છે. તેરમા સગી ગુણસ્થાને જીવ જીવન્મુક્તદશા અનુભવતાં સ્થાનાંતરિક દશામાં પ્રવૃત્ત રહે છે, ત્યાં તે અઘાતી કર્મ અનુભવે છે. અને મન, વચન અને કાયાના પેગ હોવાથી ઉપદેશ અને જીવનનિર્વાહ પ્રવૃત્તિ તેને હેય છે. તે જીવને સતત સમભાવ વર્તતો હોવાથી યોગના કારણે પ્રદેશ અને પ્રકૃતિ એ બે પ્રકારે કર્મબંધ હોય છે; પરંતુ તેમાં સ્થિતિ અને રસનિર્માણ થતાં નથી. તે કર્મ સમયાંતરે ભગવાઈ ખરી પડે છે.
તેરમા ગુણસ્થાનને અંતે નવું કર્મબંધન અટકાવવા જીવ રોગ નિષેધ કરે છે. અને અયોગી બનવા પ્રયત્ન કરે છે. આવા પ્રસંગે કઈ કઈ જીવન ટૂંક આયુષ્ય સાથે વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ, બે કે એકની સ્થિતિ લાંબી અર્થાત અધિક હોય છે તે તેને તે ચારેને સમસ્થિતિમાં કરવા સારૂ કેવલીસમુદ્ધાત કરવાનું રહે છે. અને તે પછી જીવ ચોગનિરોધ શરૂ કરે છે. સ્કૂલ યોગ નિરોધ કર્યા પછી જીવ સૂક્ષ્મ
ગને પણ નિરોધ કરે છે અને પિતાના આત્મપ્રદેશનું સૂરમાતિસૂક્ષમ સ્પંદન પણ રોકી લે છે. આ પ્રવૃત્તિ દરમિયાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ]
પૂ. પંન્યાસ શ્રીમણિવિજયજી
માત્ર નાં
સૂકા
પાનમાં છે
જીવને માત્ર જુનાં કર્મ વેદવાનાં રહે છે અને તે પણ જોગવાઈ જતાં ખરી પડે છે. આ સૂક્ષમ યુગનિરોધના અંતે ચૌદમા ગુણસ્થાને જીવ વ્યુપરતક્રિયાનિવૃત્તિ ધ્યાનમાં શેલેશીકરણ (મેરૂપર્વત જેટલી નિષ્પકંપ) અવસ્થાને પાંચ હસ્વાક્ષર ઉચ્ચારણ સમય તે સ્થિતિમાં રહી સકલકર્મ ક્ષય કરી સિદ્ધિગતિને વરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
પૂર્તિ નં. ૨ જીવનને ઉતરાંતિમ ગુણસ્થાન વિચાર
જીવને આધ્યાત્મિક વિકાસને ક્રમ દર્શાવનાર ગુણસ્થાન છે. જવના આધ્યાત્મિક વિકાસની ચાવી તેમાં રહેલી છે. જે વડે જીવના વિકાસનું માપ નીકળી શકે.
ગુણસ્થાનને વિચાર જીવના કર્મની સત્તા, બંધ, ઉદય, ઉદીરણા સાથે સંકલાયેલ છે, અર્થાત્ જુદા જુદા ગુણસ્થાનને સ્વામી કેણ કેણ છે, ક્યા ગુણસ્થાને મા કર્મની સત્તા, ક્યા કયા કર્મીને બંધ છે, કયા યા કમને ઉદય છે અને ક્યા ક્યા કમની ઉદીરણા છે, તે બધુ વિરારવામાં આવે છે. હાલ તે આપણે આ વિશેષ વિચારને ગોણ બનાવી માત્ર ઉપલક દષ્ટિએ ગુસ્થાનને વિચાર તેના વિકાસની દૃષ્ટિએ કરીએ છીએ.
ગુણસ્થાન ચૌદ છે. (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (5) મિશ અથવા સમ્યકત્વમિથ્યાત્વ, (૪) અવિરતસમ્યગણિ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્તસંયત (સર્વવિરત ), (૭) અપ્રમત્તસંયત , (૮) અપૂર્વકરણ, (૯) અનિવૃત્તિ બાદર, (૧૦) સમ
મિત્વ , (૨) સર
રતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૪ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી સંપાય, (૧૧) ઉપશાન્સમેહ, (૧૨) ક્ષીણમાહ, (૧૩) સગી (કેવલી) અને (૧) અગી (કેવળી).
મિથ્યાત્વ એ ગુણસ્થાનની સમતલ ભૂમિ અને બાકીનાં ગુણસ્થાન ઉંચે પહોંચવા સીડીના પગથિ ગણી શકાય. છેલા અગી ગુણસ્થાનનું પરિણામ જીવની સંસારથી મુક્તિ છે. મિથ્યાત્વગુણસ્થાન :
પહેલા મિથ્યાત્વગુણસ્થાને જીવ પર કમેનાં તીવ્ર અને ગાઢ આવરણ હોય છે, કર્મના આ આવરણના કારણે જીવ પિતાના મૂળ સ્વરૂપ (દર્શન, જ્ઞાન અને ચારિત્ર, સત, ચિત અને આનંદી–સમભાવ આદિનું સ્વપ્ન કે દર્શન સરખું-પણ કરી શકતો નથી. જીવની અવિકસિત અને અધઃ પતિત આધ્યામિલ્ક ભૂમિકા મિથ્યાત્વ છે. જીવને તેના સ્વ અને પર એ બંને સ્વરૂપના વાસ્તવિક દર્શન થતાં રોકનાર દશીનમેહનીય કર્મ છે. જેના કારણે જીવ પિતાના દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણની શક્તિ પિછાની શકતું નથી તેમજ તેના મૂળ સ્વરૂપ એવા સત્ ચિત અને આનંદનું દર્શન કરી શકતો નથી, આજ કારણે તે પર અર્થાત્ પુદગલના બંધક સ્વરૂપને પણ પિછાણી શકતા નથી. જીવના આત્માના મૂળ સ્વભાવ–સમભાવને સ્થિત ન થવા દેનાર–ટકવા પણ ન દેનાર ચારિત્ર મેહનીય કર્મ છે. મિથ્યાત્વગુણસ્થાને દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એ બન્ને પ્રકારના મેહનીય કર્મની પ્રબળ અસર જીવને હોય છે. આ કારણે મિથ્યાત્વ જીવની હીનતમ-અધમતમ અવસ્થા ગણાય છે. આ ગુણસ્થાને જીવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૦૫
આધિભૌતિક ઉત્કર ગમે તેટલેા હોઇ શકે છે, પરન્તુ તે સ્થાનમાં રહ્યા છતાં જીવની પ્રત્યેક પ્રવૃત્તિનું લક્ષ્ય સાંસારિક વાસના, તથે સંગ્રહવૃત્તિ અને તેની તૃપ્તિ એમ માત્ર સંકુચિત જ હોય છે. આવા જીવને મેાક્ષ અથવા કર્મની સર્વાંતઃ નિરા, તથૅ કરવાની કે કરાતી પ્રવૃત્તિ આદિ પ્રતિ તિરસ્કાર, અનાદર કે ઉપેક્ષા વતે છે.
મિથ્યાત્વના પાંચ પ્રકાર છેઃ (૧) અભિગ્રહિત (૨) અભિગ્રહિત, (૩) આભિનિવેશિક, (૪) અનાલાગિક અને (૫) સાંયિક.
જૈનેતર દર્શનમાં શ્રદ્ધા અને પૌદ્ગલિક સુખમાં જ અધિકતમ રતિ રાખનાર જીવને અભિગ્રહિત મિથ્યાત્વ હાય છે. સદનને સરખાં માનનાર જીવને અનભિગ્રહિત મિથ્યાત્વ હોય છે. જૈનદનના કાઇક વિષયમાં અજાણતાં ખાટી બાજી પકડાઈ જતાં અને પછી તે ભૂલ સમજવા અને જાણવા છતાં માનહાનિના ભયે તે ભૂલના સ્વીકાર ન કરી તે ખાટી બાજી કદાગ્રહથી પકડી રાખનાર જીવને આભિનિવેશિક મિથ્યાત્વ હોય છે. ધમ અને કુ` એ બે વચ્ચેના ભેદના અજ્ઞાનના કારણે જીવની યુદશામાં હેતુ અનાભગિક મિથ્યાત્વ છે. સૂક્ષ્મ અને બાદર નિગેાદ વિલેન્દ્રિય, અસ'ની પૉંચેન્દ્રિય (મનુષ્ય અને તિય) એ દરેક જાતિના જીવાને તેમજ સી પંચેન્દ્રિય ( તિયચ અને મનુષ્ય ) માંના જે જીવાએ એક પણ વખત સમ્યગૂદન પ્રાપ્ત કર્યુ નથી તેવા દરેક જીવને અનાલાગ્ઝિ મિથ્યાત્વ હાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
જૈનદર્શનના સૂક્ષ્મ અને અતીન્દ્રિય (ઈન્દ્રિયથી ન જાણું શકાય તેવા) વિષયમાં શંકા હોવા છતાં તેનું નિરાકરણ કરવા ગુરુગમ સરખો પણ કરવાની ઈચ્છા કે પ્રયત્ન પણ ન કરનાર જીવને સાંશયિકમિથ્યાત્વ હોય છે. સંજ્ઞિ પંચેન્દ્રિય જીવમાંના જે જીને એકપણ વખત સમ્યગદર્શન પ્રાપ્ત થયું છે અને તે વમી ફરી મિથ્યાત્વ પ્રાપ્ત કર્યું છે તેવા અને અભિગ્રહિત, અનભિગ્રહિત, અભિનિવેશિક અને સાંશયિક એ ચાર મિથ્યાત્વમાંનું ગમે તે એક પ્રકારનું મિથ્યાત્વ હોય છે. આભિનિવેશિક મિથ્યાત્વ બહુલ અને ભારેકમ જીવને અને પ્રાયઃ નિખ્તવ અને અભવ્ય જીને હેય છે.
જીવની અધમતમ અવસ્થા હેઈ મિયાત્વ ગુણસ્થાનક તે નથી; છતાં જીવના આધ્યાત્મિક વિકાસની ભૂમિકા ત્યાંથી શરૂ થતી હોવાથી ઉપચાર તરીકે તેને ગુણસ્થાન ગણવામાં આવે છે. મિથ્યાત્વમાં જીવ પર મેહનીયની એટલી તીવ્ર અને ગાઢ અસર હોય છે કે તેને સાંસારિક વાસના, તદર્થે સાધન સામગ્રીને સંગ્રહ કરવાની ઈચ્છા, તેને ભેગ-ઉપલેગ, વાસનાની તૃપ્તિ આદિ કરવા કરાવવા અને તેની અનુમોદના કરવાની પ્રવૃત્તિમાં આસક્તિ રાખી વર્તવાની ટેવ જ પડી જાય છે. જીવની આ દશા માત્ર સ્વાર્થ પરાયણ છે, તેમાં બીજા જીવોના કલ્યાણની, તે માટે જરૂર પૂરતા સ્વાર્થ ત્યાગની કે પરમાર્થ વિચારણા કે પ્રવૃત્તિને સ્થાન જ નથી. આજ કારણે મિથ્યાત્વી જીવનાં જ્ઞાન અને ચારિત્ર ગમે તેટલાં વિશદ અને ઉત્કૃષ્ટ દેખાતાં હોય છતાં તે અનુક્રમે મિથ્યાજ્ઞાન અને મિથ્યા. ચાસ્ત્રિ ગણાય છે. આવા પ્રાપ્ત કરેલ જ્ઞાન અને ચારિત્રનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૦૭
ધ્યેય સ્વાથ અર્થાત વાસના તથે સ'ગ્રહ અને લેગ-ઉપભેાગદ્વારા વાસનાની તૃપ્તિ એટલુ જ હાય છે.
અભવ્ય જીવ આશ્રયી મિથ્યાત્વની સ્થિતિ અનાદિ અન'ત છે. ભવ્ય જીવ આશ્રયી મિથ્યાત્વની સ્થિતિ બે પ્રકારની છેઃ (૧) અનાદિસાન્ત અને (૨) સાદિસાંત. પ્રથમવાર સમ્યગ્દર્શન પ્રાપ્ત કરતા જીવની અપેક્ષાએ તેના મિથ્યાત્વની સ્થિતિ અનાદિસાંત છે; જ્યારે સમ્યગ્દર્શન વમી મિથ્યાત્વ પામનાર જીવ જ્યારે ફરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે તેવા જીવની અપેક્ષાએ તેના મિથ્યાત્વની સ્થિતિ સાક્રિસત છે.
સાસ્વાદન ગુણસ્થાન :
બીજી સાસ્વાદન ગુણસ્થાન એ મિથ્યાત્વ અથવા મિથ્યાદર્શન અને સમ્યકૃત્વ અથવા સમ્યગ્દર્શન એ બે વચ્ચેની પ્રાથમિક ભૂમિકા છે, સમ્યક્ત્વ વસી મિથ્યાત્વને પામતાં જીવના સમ્યક્ત્વની જે સ્થિતિ હોય છે તે સાસ્વાદન ગુણસ્થાન છે. ચેાથા સમ્યગ્દર્શન ગુણસ્થાનથી માંડી અગિયારમા ઉપશાંતમા ગુણસ્થાન સુધી ગમે તે ગુણસ્થાનેથી માહના ઉદયના કારણે થતા જીવના અધઃપતનના કારણે મિથ્યાત્વ પ્રાપ્ત કરતાં જીવ બીજા સાસ્વાદન ગુણસ્થાને વર્તે છે, તે કારણે તે ગુણસ્થાન અવનતિ સ્થાન છે. આ રીતે માહવશ મનતાં ચાયા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, દેશમા અને ગિયારમા આદિ કોઇપણ ગુરુસ્થાનેથી જીવ મિથ્યાત્વમાં સરકી પડે છે ત્યારે ખીરવચનના કારણે જીવને લાગતા ખીરના આસ્વાદ માફ્ક સમ્યગ્દર્શનથી પડતા જીવને થતા છેલ્લા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
ક્ષણિક આહાદને અનુભવ સાસ્વાદન છે, સમ્યગદર્શનના લાભના કારણે જીવને પ્રાપ્ત થયેલ સમભાવ પ્રતિ રૂચિના પરિણામે આત્માએ મેળવેલ લાભના વિચારમાંથી મિથ્યાત્વે જતાં જીવને જે છેલ્લો સામાયિક-ક્ષણિક આલ્હાદ ઉપજે છે તે સાસ્વાદન છે. આ અવસ્થામાં જીવ તત્ત્વજ્ઞાનની ભૂમિકા પર નથી તેમજ તત્વજ્ઞાન શૂન્ય ભૂમિકા પર પણ નથી; જીવ આ સમયે એ બે ભૂમિકાથી પર એવી વિલક્ષણ અવસ્થા અનુભવે છે.
સાસ્વાદન ગુણસ્થાન સાદિસાંત છે, તેની જઘન્ય સ્થિતિ એક સમય અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકા પ્રમાણ છે.
અભવ્ય જીવને સાસ્વાદન કે તે પછીનાં કઈપણ ગુણસ્થાન હોઈ શક્તાં નથી; માત્ર ભવ્ય જીવમાંના સમ્યગદર્શન અને તે પછીના ગુણસ્થાને પહોંચેલ જીવને સાસ્વાદન અને પછીના ગુણસ્થાન હોઈ શકે છે, સમ્યગદર્શથથી આગળ વધેલ છમાંથી જે ઉપશમ સમ્યકત્વ વમે છે તેવા જીવને સાસ્વાદન ગુણસ્થાન હોઈ શકે છે. સમ્યકત્વ-મિથ્યાત્વ અથવા મિશ્રગુણસ્થાન :
મિથ્યાત્વ અને સમ્યગદર્શન એ બે વચ્ચેની બીજી ભૂમિકા ત્રીજું મિશ્રગુણસ્થાન છે. મિથ્યાત્વમાંથી સમ્યકત્વ પામતા જીવની અપેક્ષાએ આ ગુણસ્થાન ઉત્ક્રાંતિ સ્થાન છે; જ્યારે સમ્યકત્વ વમી મિથ્યાત્વમાં જનાર જીવની અપેક્ષાએ આ ગુણસ્થાન અવનતિ સ્થાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૦૯
આ ગુણસ્થાને જીવને સ્વાર્થ, વાસના, સંગ્રહવૃત્તિ, ભોગઉપલેગ, વાસનાવૃત્તિ આદિ ત્યાજ્ય ભાસે છે. પરંતુ પૂર્વાજિંત મેહના તીવસંસ્કારની પ્રબલ અસરના કારણે નવા સંસ્કાર તેનામાં સ્થિર થતા નથી અર્થાત્ ટકી શકતા નથી. આ ગુણસ્થાને જીવના વિચાર-અધ્યવસાય-એટલા ચલવિચલ–ડેલાયમાન રહે છે કે આ અવસ્થામાં જીવને સમ્યકત્વની શુદ્ધિ નથી તેમજ મિથ્યાત્વની મલીનતા પણ નથી; તે કારણે જીવ આ ગુણસ્થાને મધ્યમ પરિણામી હોય છે. આમ જીવના અધ્યવસાય મધ્યમ પરિણામી હાઈ આ અવસ્થામાં જીવ એકાંતે સમ્યકત્વી નથી, તેમજ મિથ્યાત્વી પણ નથી.
સાંશયિક મિથ્યાત્વ અને મિશ્રગુણસ્થાન એ બે વચ્ચે મહાન તફાવત છે. સાંશયિક મિથ્યાત્વમાં સ્વાર્થ, વાસના, સંગ્રહવૃત્તિ, ભેગ-ઉપભેગ, વાસના તૃપ્તિ આદિ વશ જીવ હોય છે. આ સ્થિતિમાં જૈન દર્શનના અહ૫ પરિચયથી તેમાં પિતે માનેલ તો અને જૈન દર્શનના ત એ એના દેખાતા ભેદના કારણે તેને સંશય ઉદ્દભવે છે. પરંતુ તે સંશય છેદવાનાં સાધન હોવા છતાં તદર્થે પ્રયત્ન પણ છવ કરતું નથી અને તેથી તે નિરંતર શક્તિ રહ્યા કરે છે. મિશ્ર ગુણસ્થાનમાં જીવને સ્વાર્થ, વાસના, સંગ્રહવૃત્તિ, ભેગ-ઉપભેગ, વાસનાતૃપ્તિ આદિ ત્યાજય ભાસે છે અને પરમાર્થ હિતકર પણ લાગે છે, પરંતુ મિથ્યાત્વના પૂર્વ સંસ્કાર તેના અધ્યવસાય મધ્યમ શુદ્ધિવાળા રાખે છે.
આ ગુણસ્થાન પણ સાદિસાંત છે અને તેની સ્થિતિ અંતમુહૂર્તની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૦ 3
પૂ. પંન્યાસજી શ્રી મણિવિજયજી. અવિરત સમ્યગૃષ્ટિ ગુણસ્થાન : મિથ્યાત્વમાંથી પ્રથમવાર સમ્યગદર્શન પ્રાપ્ત કરનાર જીવને ત્રણ કરણ કરવાં પડે છે, (૧) યથાપ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. અનાદિકર્મના વિપાકરૂપે જીવ માનસિક, વાચિક અને કાયિક સુખ દુખ અનુભવતાં અનંતકાળે નદી પાષાણન્યાયે અકામનિર્જરા કરતાં તેનાં કર્મનાં ગાઢ આવરણ ક્રમશઃ શિથિલ બનતાં જીવના અનુભવ, શુદ્ધિ, વીયૅલ્લાસ એ દરેકની માત્રા વધે છે તેના પરિણામે જીવના અધ્યવસાય પણ સમયેત્તર શુદ્ધ બનતા રહે છે. આ રીતે અકામનિજેરાદ્વારા થતી જીવની અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, અને લાભ તેમજ દર્શન મેહનીય (મિથ્યાત્વમેહનીય ) એ દરેકના ઉપશમ, ક્ષપશમ અથવા ક્ષય એ ત્રણમાંના ગમે તે એક પ્રકારે થતી કમની ન્યૂનતાવાળી સ્થિતિ યથાપ્રવૃત્તિકરણ છે. જીવ તેના અનાદિ સંસાર કાળમાં અનેક વખત યથાપ્રવૃત્તિકરણ તે કરે છે, પરંતુ અપૂર્વકરણ તે એક જ વખત કરે છે. અભવ્ય જીવ અનેક વખત યથાપ્રવૃત્તિકારણ કરવા છતાં કદી પણ અપૂર્વકરણ કરી શકતો નથી. કરણ કે અપૂર્વકરણ કરવા યોગ્ય અનુભવ, શુદ્ધિ અને વીર્થોલ્લાસ તેનામાં કદી પણ પ્રકટ થતા નથી. ભવ્ય જીવ યથાપ્રવૃત્તિકરણ કર્યા પછી જે પિતાના અનુભવ, શુદ્ધિ અને વીર્યોલલાસની માત્રા વિકસાવતે જ રહે છે, તો તેના પરિણામે તે રાગ-દ્વેષની ગાંઠ (ગ્રંથભેદ) તેડી અપૂર્વકરણ કરે છે. જીવ દ્વારા કરાતે આ ગ્રંથભેદ અપૂર્વકરણ છે. અપૂર્વકરણ કર્યા પછી જીવને અટકવાનું હેતું નથી, તે તે તેના અનુભવ, શુદ્ધિ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
ગંથમાળા નં. ૧૫
[ ૧૧૧
વીર્યોવાસની માત્રા વિકસાવતો જ રહે છે અને અંતે આ પ્રકારના અનિવૃત્તિકરણના બળે તે સમ્યગદર્શન પિતાનામાં પ્રકટ કરે છે અર્થાત્ મેળવે છે. સમ્યગદર્શન આ રીતે પ્રાપ્ત કરવું એ અનિવૃત્તિકરણ છે.
સમકિત-સમ્યગુદર્શન-સમ્યકત્વ ત્રણ પ્રકારે છેઃ (૧) ઔપશમિક (૨) ક્ષાપશમિક અને (૩) ક્ષાયિક. જે જીવને અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વ મોહનીય સત્તામાં છે. પરતુ પ્રદેશ અને રસથી તેને ઉદય નથી તેને પથમિક સમ્યગદર્શન હેય છે. આ સ્થિતિમાં જીવે અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વમેહ પર માત્ર નિયંત્રણ મૂકયું છે; પરંતુ તેણે તે જિત્યા નથી, જીવના કર્મની આ સ્થિતિ ઉપશમ છે. જે જીવને મિથ્યાત્વ મેહ સત્તામાં છે, સમ્યકત્વ મેહનીયનાં દળિયાં-પ્રદેશ ઉદયમાં છે, પરન્તુ ચાર અનંતાનુબંધી કષાય અને સમ્યકત્વ મોહનીયના પ્રદેશને રસથી ઉદય નથી અર્થાત જીવે તે પર નિયંત્રણ મૂકેલ છે તેને શાપથમિક સભ્યદર્શન હોય છે. જીવના કર્મની આ સ્થિતિ ક્ષપશમ છે. અનંતાનુબંધી ચાર કષાય તેમજ મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ એ ત્રણ પ્રકારના દર્શન મેહનીયને સંપૂર્ણતઃ ક્ષય કર્યો છે તેવા જીવને ક્ષાયિક સમ્યગદર્શન હોય છે. જીવના કમની આ સ્થિતિ ક્ષય (નાશ) કહેવાય છે.
અનંતાનુબંધિ ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયમોહનીય અને દર્શનમોહનીય એ પાંચ સત્તામાં રહેવા છતાં તેના ઉદયના અભાવે થતા ઉપશમના કારણે જીવને ઓપથમિક સમ્યગદર્શન થાય છે. એજ ચાર કષાય મેહનીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
મનુષ્યગતિ
શકે છે,
૧૧ર ]
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી અને સમ્યકત્વમોહનીય એ પાંચને પશમ (કેટલાંકને ક્ષય અને કેટલાંકને ઉપશમ) થતાં જીવને શાપથમિક સમ્યગદર્શન થાય છે. એજ ચાર કષાય મોહનીય અને ત્રણ પ્રકારના દર્શનમોહનીય એ સાતનો ક્ષય થતાં જીવને ક્ષાયિક સમ્યગ્રદર્શન થાય છે,
જીવને મિથ્યાત્વમાંથી પ્રથમવાર સમ્યગદશન થાય ત્યારે પ્રાયઃ ઔપથમિક સમ્યગદર્શન હેય છે, પરંતુ સમ્યગ્રદર્શન વમી મિથ્યાત્વમાં ગયેલ જીવને ફરી ફરી જે સમ્યગુદર્શન થાય છે તે ત્રણ પ્રકારમાંના ગમે તે એક પ્રકારનું હોઈ શકે છે. મનુષ્યગતિમાં જીવને એકી સમયે ત્રણે પ્રકારમાંના ગમે તે એકની પ્રાપ્તિ થઈ શકે છે, જ્યારે નારક, તિર્યંચ અને દેવ એ દરેક ગતિમાં જીવને એકી સમયે ઔપથમિક અને ક્ષાપશમિક એ બેમાંનું ગમે તે એક પ્રાપ્ત થઈ શકે છે. આ રીતે જોતાં ક્ષાયિક સમ્યગદર્શનને અધિકારી માત્ર સંસી પંચેન્દ્રિય મનુષ્ય જ છે.
જીવને પ્રાથમિક સમ્યગ્ગદર્શન પ્રાયઃ પથમિક હોય છે. જીવની અનંત સંસાર મર્યાદામાં પથમિક સમ્યગદર્શન પાંચ વખત હોઈ શકે છે; જીવની અનંત સંસાર મર્યાદામાં ક્ષાયોપથમિક સમ્યગદર્શન અસંખ્યાતવાર હેઈ શકે છે. જ્યારે જીવની અનંત સંસાર મર્યાદામાં ક્ષાયિક સમ્યગદર્શન એક જ વખત હોઈ શકે છે,
અનંત સંસારમાં ઉપશમ સમકિતવાળા છવ સંખ્યાત, ક્ષાપથમિક સમકિતવાળા જીવ અસંખ્યાત અને સિદ્ધ જીવની
અપેક્ષાએ ક્ષાયિક સમકિતવાળા જીવ અનંત છે. સમકિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પથમિક અને
આ
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૧૩
અથવા સમ્યગદર્શનવાળો છવ સમ્યગદષ્ટિ ગણાય છે. આ છવ જિન પ્રણીત તને, તેના ઉત્પાદ, વ્યય, ધૃવત્વ એ ત્રિગુણાત્મક રૂપને, અઢારદેષ રહિત રાગદ્વેષના વિજેતા અરિહતને દેવ; કંચનકામીનીના ત્યાગી અને ધર્મના પ્રચારક સાધુને ગુરૂ અને કેવળી પ્રણીત ધર્મને ધર્મ તરીકે સ્વીકારે છે. તે આત્માના સ્વભાવને (સમભાવને) જીવને સ્વભાવ માને છે અને તે ટકાવવામાં શ્રદ્ધા રાખે છે, આત્માના દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ દરેક ગુણ અને તે દરેકના ત્રિગુણાત્મક સ્વરૂપને પણ તે સ્વીકારે છે. પુદગલને પણ ત્રિગુણાત્મક માની તેને જીવથી જુદા એવા અજીવ તત્વ રૂપે માને છે. મેહ, કષાય, રાગદ્વેષ, લાલસા, વાસના, તૃષ્ણા, વિષય અને સ્વાર્થ આદિને ત્યાજ્ય અને સંસારની જડ માની તે તજવા પુરુષાર્થ કરો આવશ્યક ગણે છે. આમ અસ...વૃત્તિ તજવા અને સમ્પ્રવૃત્તિ આદરવામાં તેને શ્રદ્ધા જન્મે છે. આ સમજ અને શ્રદ્ધાને ટકાવવા તેમજ વિકસાવવા જરૂરી જ્ઞાન મેળવવાની જરૂર છે તેમ પણ તે માને છે અને તે પ્રકારે જ્ઞાન પણ મેળવે છે; આ રીતે તે પિતાના દર્શન અને જ્ઞાન એ બન્નેને સમ્યગુ બનાવે છે, પરંતુ મેહ, કષાય, રાગદ્વેષ, લાલસા, વાસના, તૃષણ, વિષય અને સ્વાર્થ આદિ પૂર્વ સંસ્કાર ચારિત્રમોહનીય કર્મ ન છુટી શકવાના કારણે તેની ઉપરોક્ત માન્યતા અનુસાર વર્તન કરવા જીવ આ ગુણસ્થાને હજી હિંમત કરી શકતે નથી. આમ છવ વ્રત, નિયમ, પચ્ચખાણ અાદિ ન લઈ શકતે હેવાથી “અવિરત’ ગણાય છે, તે કારણે આ ગુણસ્થાન અવિરત સદષ્ટિના નામે ઓળખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૪ ]
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી જીવની આધ્યાત્મિક પ્રવૃત્તિનું મંડાણ જ સમ્યગદર્શન પર છે અને તેથી તે નિયત ઉત્ક્રાંતિસ્થાન છે.
ઓપશમિક સમ્યગદર્શનની સ્થિતિ અંતઃમુહુર્તની છે; સાપથમિક સમ્યગદર્શનની જઘન્ય સ્થિતિ અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમ સાધિક છે. આમ આ બંને પ્રકારના સમ્યગદર્શન સાદિસાંત છે. ક્ષાયિક સમ્યગદર્શનની સ્થિતિ સાદિ અનંત છે, કારણ કે તે સમ્યફદર્શન પ્રાપ્ત કર્યા પછી જીવમાંથી તે લેપ પામતું નથી.
પહેલા, બીજા, ત્રીજા અને ચોથા એ દરેક ગુણસ્થાને ચારે ગતિના જીવ હોઈ શકે છે; ચારે ગતિના જીવ સમ્યગદર્શન પણ પામી શકે છે, ચારે ગતિના જમાના માત્ર ભવ્યજીવ સમ્યગદર્શનના અધિકારી છે.
જીવને પ્રાથમિક સભ્યદર્શન પ્રાપ્ત થયા પછી તે લેપ થાય, જીવની ગમે તેવી અગતિ થાય, તે સંસારમાં રખડે, રવડે અને કૂટાયા કરે તે પણ તેના અનંત સંસારની સ્થિતિ ત્યાંથી મર્યાદિત બની જઘન્યથી અંત મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અર્ધપુદગલપરાવર્ત પ્રમાણુ બને છે, સમ્યગૃષ્ટિ જીવ અવિરત હોવા છતાં તેની દષ્ટિ બદલાતાં મન, વચન અને કાયદ્વારા સકામ નિર્જરાની શરૂઆત કરી આત્મ શાંતિને કાંઈક કાંઈક લાભ પ્રાપ્ત કરી શકે છે. દેશવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાન :
ચોથા અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાને દર્શનમહ આદિના ઉપશમ અથવા ક્ષાપશમ અથવા ક્ષય કરતાં એ દરેક શિથિલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૧૫
બનતાં જીવને સમ્યગદર્શનરૂપ વિવેક પ્રાપ્ત થાય છે. પરન્તુ ચારિત્રમોહ શિથિલ ન થવાથી જીવ તે વિવેકને અમલ કરી શકો નથી. સમ્યગદર્શનની સ્થિતિ ટકાવવા અને વિકસાવવા સારૂ જીવ (સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચ) પાંચમા દેશ વિરતિ ગુણસ્થાને અપ્રત્યાખ્યાની ચાર કષાય અને ચારિત્રમેહને ઉપશમ અને ક્ષયોપશમ દ્વારા શિથિલ કરવા અને ક્રમશઃ વિકાસ સાધવા પ્રયત્નશીલ બને છે. આ ગુણસ્થાને જીવ પાપને સર્વતઃ તજી શકતો નથી, છતાં તેનાથી અંશતઃ ફૂટવા શરૂઆત કરે છે. આ માટે જીવ સમ્યગદર્શન સહિત પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બારવ્રતમાંના કેઈ એક, વધારે કે સર્વ વ્રત સ્વીકારે છે અને સતત જાગ્રતિપૂર્વક તેનું આચરણ કરે છે. મન, વચન અને કાયા એ ત્રણે પ્રકારની પ્રવૃત્તિ દ્વારા જીવ પિતે સ્વીકારેલ વ્રત સાવચેતી રાખી પાળે છે અને એ રીતે પોતે અમુક પાપ કાર્ય કરતો નથી, કરાવતે નથી; છતાં બીજા કેઈ તેવાં કાર્યો કરે તે તેની અનુમોદના કર્યા વિના પણ તે રહી શકતું નથી. અંશતઃ પાપ કાર્યોથી નિવૃત્ત થવાની પ્રવૃત્તિ તેમ જ સત્કાર્યોની પ્રવૃત્તિ જીવ પોતાની ઇચ્છા, સંકલ્પ અને શ્રદ્ધાપૂર્વક કરતો હોઈ આગળના ગુણસ્થાને શરૂ કરેલ સકામનિજ રાની માત્રામાં ક્રમાનુસાર વૃદ્ધિ થતી રહે છે અને તેના પરિણામે તેને અશતઃ આત્મશાંતિને અધિક લાભ પણ મળતે થાય છે.
દેશવિરત ગુણસ્થાન માત્ર સંજ્ઞી તિર્યંચ અને મનુષ્ય એ બેને હાઈ શકે છે. મનુષ્યની માફક તિર્યંચ પણ વ્રત આદિના અધિકારી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
પૂર્વ ૫'ન્યાસજી શ્રીમણિવિજયજી
સર્વ જીવ પ્રતિ મૈત્રી, અધિક ગુણવાન જીવ પ્રતિ પ્રમાદ; ધન, ધાન્ય, તનસુખ, લેાગ, ઉપલેગ, ધમ આદિ સામગ્રીના અભાવે તેમ જ આધિ, વ્યાધિ અને ઉપાધિ આદિના કારણે દુઃખી જીવ પ્રતિ કરૂણા અને વિપરીત મતિ તેમ જ વૃત્તિવાળા જીવ પ્રતિ માધ્યસ્થ્ય ભાવ રાખી સમ્યગ્દર્શન સહિત પાંચ અણુવ્રત, ત્રણ ગુણુવ્રત, ચાર શિક્ષાવ્રત તેમ જ અન્યત્રત, નિયમ, આદિ સ્વીકારી જીવ પેાતાના દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ આત્મગુણના વિકાસ સાધવા આ ગુણસ્થાનથી શરૂઆત કરે છે. આમ આ ગુણસ્થાને જીવ પેાતાના આય્ત્મિક વિકાસ માટે ઇચ્છા, સંકલ્પ અને શ્રદ્ધા સહિત મર્યાદિત તાલીમ શરૂ કરે છે અને તે પ્રકારે જીવન જીવતાં ક્રોધ આદિ કષાયને વશ ન થઇ જવાય તેની વિવેકપૂર્વક તપાસ પણુ રાખતા રહે છે. આ રીતે આ ગુરુસ્થાને જીવ મર્યાદિત અસત્પ્રવૃત્તિ ત્યાગ, સત્પ્રવૃત્તિના આદર આદિ અમલમાં મૂકતા થાય છે. આ કારણે આ ગુણસ્થાન દેશવિરત ( અંશતઃ ત્યાગ) અથવા સંયમાસ ચમ કહેવાય છે; અને તે ઉત્ક્રાંતિ સ્થાન પણ છે. ચેાથા ગુહ્યુસ્થાન કરતાં આ ગુણસ્થાને જીવની સકામ નિર્જરાની માત્રા તેના અશતઃ ત્યાગની માત્રા અનુસાર વધતી રહે છે અને જેમ જેમ જીવ તેના વ્રત, નિયમ, પચ્ચખાણુ, તપ, સયમ, ધ્યાન, આદિમાં પ્રગતિ સાથે છે તેમ તેમ તે માત્રા વિકાસ પામતી જાય છે. દેશચારિત્રની અપેક્ષાએ આ ગુણુસ્થાનની જઘન્ય સ્થિતિ અંતઃમુહૂત્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ શેન કોડ ( એક ક્રોડપૂર્વમાં આઠ વર્ષ ન્યૂન ) છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૧૭
પ્રમત્તસંવત ગુણસ્થાન:
પ્રત્યાખ્યાનીય ચાર કષાય અને ચારિત્રમોહને શિથિલ બનાવતાં જીવ ( સંજ્ઞી મનુષ્ય) છઠું પ્રમતસંયત ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. આ સ્થાને જીવ સર્વ સાવદ્ય ગમે ત્યાગ અર્થાત પાપ કાર્યોથી સર્વતઃ વિરતિ સ્વીકારે છે. આ કારણે આ ગુણસ્થાન સર્વ વિરત ગણાય છે. આ ગુણ સ્થાને જીવ મન વચન અને કાયાની પ્રવૃત્તિદ્વારા પાપ કાર્ય કરતું નથી, કરાવતું નથી તેમજ કઈ કરતે હોય તેની અનુમોદના કરતે નથી અર્થાત્ તેને અનુમતિ પણ આપતું નથી.
આમ છવ સર્વ પાપ પ્રવૃત્તિને ત્યાગ બે પ્રકારે કરે છે. (૧) ગુપ્તિ અને (૨) સમિતિ-મન, વચન, અને કાયાને પાપ પ્રવૃત્તિમાં દોરાતાં, રસ લેતાં અને આચરતાં રોકવા તે ગુપ્તિ છે. સ્વીકારેલ વત અનુસાર સત્મવૃત્તિના આચરણમાં સાવધાન રહેવું તે સમિતિ છે. આ પ્રમાણે જીવન ઘડવા અને જીવી બતાવવા સારૂ જીવ પૌગલિક સુખ અને તેમાં માની લીધેલા આસક્તિ તજવા ઈન્દ્રિય અને મનના વિષય પર સતત જાગતિ રાખી વતે છે; આની સામે પગલિક સુખના પૂર્વ સંસ્કાર તેના પર પૂર જેસથી આક્રમણ કરતા રહે છે અને તેના પરિણામે જીવને કઈ કઈ વાર પ્રમાદમાં ફસાઈ જવાને સંભવ રહે છે. આ કારણે આ ગુણસ્થાન “પ્રમતસંયત” ગણાય છે.
આ ગુણસ્થાને છવના પરિણામધારાની વિશુદ્ધિ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તેને કમની નિર્જરા થવા સાથે આત્મ શાંતિને લાભ પણ વધતા પ્રમાણમાં મળતું જાય છે. ચારિત્રની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૮ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી અપેક્ષાએ આ ગુણસ્થાનની સ્થિતિ દેશનકોડ પૂર્વ વર્ષની (એક ફોડપૂર્વમાં આઠ વર્ષ જૂન) હેાય છે.
દેશવિરત ગુણસ્થાને શરૂ કરેલ અંશતઃ ત્યાગની તાલીમને વેગ સર્વતઃ પાપ પ્રવૃત્તિને ત્યાગ કરવાનું વ્રત લેતાં વધી જાય છે. મંત્રી, પ્રમેહ, કારૂણ્ય અને માધ્ય એ ચાર ભાવના સહિત પાંચ મહાવ્રત અને રાત્રીજન વિરમણ એ છ વ્રત સ્વીકારી જીવ પોતાના દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રિગુણના વિકાસની સાધના કરે છે. આ સાધનાથે તદનુસાર જીવન ઘડી સતત જાગૃતિપૂર્વક જીવતાં કષાયવશ ન બની જવાય તેની વિવેકપૂર્વક જીવ કાળજી રાખે છે અર્થાત્ જીવ જયણા અને ઉપયોગ સહિત વર્તે છે. આમ કરવા છતાં દર્શન અને ચારિત્ર એ બન્ને પ્રકારના મેહના પૂર્વાર્જિત જૂના સંસ્કાર તેના સામે આક્રમણ કરતા રહે છે, પરસ્પરના આ આક્રમણમાં આ ગુણસ્થાને જીવ કદાચ પ્રમાદ પર અથવા કદાચ પ્રમાદ જીવ પર વિજય મેળવતો રહે છે.
પ્રમાદવશ બનતાં જીવને પિતાની આત્મશાંતિમાં વિક્ષેપ પડે છે. જીવ આ વિક્ષેપ પડતે રેકવા સંકલ્પ કરતાં તેને પાંચ પ્રમાદ પર વિજય મેળવવાનું પ્રાપ્ત થાય છે. પ્રમાદ પાંચ છે – (૧) મદ, (૨) વિષય, (૩) કષાય, (૪) વિકથા અને (૫) નિદ્રા.
પ્રમાદને પહેલે વિભાગ મઠ ત્યાગ છે. મદિરા આદિ કેફિ પીણાં, વ્યસન સેવન આદિ પ્રમાદ જીવની બુદ્ધિને બહેકાવે છે અને પાયમાલ કરે છે. આ ઉપરાંત આત્માને ઉન્મત કરનાર જાતિમદ, કુળમદ, રૂપમદ, બળદ, સલિમા, સત્તામ, તપમદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૧૯
અને જ્ઞાનમદ હોય છે. આ દરેક પ્રકારના મદ કરવા, કરાવવા કે તેને અનુમોદવા એ ત્રણે પ્રકારે તેનો ત્યાગ જીવને કરવાને છે.
પ્રમાદને બીજો વિભાગ વિષય ત્યાગ છે. આઠ પ્રકારના સ્પર્શ, પાંચ પ્રકારના રસ, બે પ્રકારના ગંધ, પાંચ પ્રકારના વર્ણ અને ત્રણ પ્રકારના શબ્દ એ ત્રેવીસ ઈન્દ્રિયના વિષય છે; વિષય મરણ, ચિંતન એ અનિષ્ક્રિય એવા મનને વિષય છે, આમાંના ઈષ્ટ વિષયપર રાગ અને અનિષ્ટ વિષયપર કર કરાવો કે તેની અનુમોદના કરવી તે પ્રમાદ છે. આ પ્રમાદ દૂર કરવા આસક્તિ રહિત બની જીવે પોતે સ્વીકારેલ વ્રત અનુસાર જીવન વ્યવહાર પૂરતે ઇન્દ્રિયના વિષયને રાગદ્વેષ રહિત પરિમિત ઉપયોગ એ વિષય ત્યાગ છે. આમ ઈષ્ટ વિષય પર રાગ અને અનિષ્ટ વિષય પર ઢષ કર, કરાવો કે તેને અનુમોદવે એ ત્રણે પ્રકારે વિષય ત્યાગ છવે કરવાને છે.
પ્રમાદને ત્રીજો વિભાગ કપાય ત્યાગને છે. કોષ, માન, માયા, અને લેભ એ ચાર કષાય છે. અનંતાનું બધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એ ચાર એ દરેકના પ્રકાર છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની એ ત્રણ સ્થલ અને સંજવલન એ સૂક્ષમ કષાય છે. કષાય સંસારની વૃદ્ધિ કરનાર છે. કષાયને ઉત્પણ કરનાર નવ નેકષાય છે. જીવને સેલ કષાય અને નવ નેકષાયને ત્યાગ કરવાનો છે, આ કારણે તેણે કષાય કરવા નહિ, કરાવવા નહિ કે કેાઈ કરતું હેય તેને અનુમોદન આપવું નહિ, એ ત્રણે પ્રકારે થાય ત્યાગ કરવાનો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
પ્રમાદને ચેાથે વિભાગ વિકથા ત્યાગને છે. રાજકથા, દેશકથા, કથા અને ભક્તકથા (ખાન પાનની વાત) એમ કથાના ચાર પ્રકાર છે, એ ચાર વિકથા, નિંદા, પારકી પંચાત આદિ કરવા, કરાવવા કે તેની અનુમોદના કરવી એ ત્રણ પ્રકારે વિકથા ત્યાગ કરવાનો છે.
પ્રમાદને પાંચ પ્રકાર નિદ્રા ત્યાગ છે. આ ગુણસ્થાને જીવને બે પ્રકારની નિદ્રા હોય છે. (૧) નિદ્રા અને (૨) નિદ્રાનિદ્રા, આ નિદ્રાને પણ જીવે ત્યાગ કરવાને છે અને સતત જાગ્રત રહી ઉપચોગપૂર્વક જીવન જીવવાનું છે.
ઉપરોક્ત પ્રમાદમાંના જે જે પર જીવ વિજ્ય મેળવતે જાય છે અને તજતો જાય છે, તેમ તેમ તેના આત્માની જાગ્રતિ વધે છે અને પરિણામે તેની અધ્યવસાય વિશુદ્ધિ પણ વિકાસ પામે છે. જીવ આ ગુણસ્થાને પોતાની “ પ્રમત્ત” અવસ્થા રોકવા વિવેકપૂર્વક પ્રયત્ન તે કરતે રહે છે, છતાં પૂર્વાનુભૂત વાસના અને તેના સંસ્કાર જીવને પિતાના પ્રતિ ખેંચ્યા કરે છે. અપ્રમત્ત ગુણસ્થાન :
ઉપર નિર્દેશ કરેલ પ્રમાદ જજ ન્યૂનતા ક્રમશઃ દૂર થતાં જીવ સાતમા અપ્રમત્ત ગુણસ્થાને પહોંચે છે. પ્રમત્ત ગુણસ્થાનમાં જ જીવ અપ્રમત્ત બનવા જાગૃતિ રાખી વર્તે છે; પરન્તુ જીવ અસંખ્યાતવાર પ્રમત્તમાંથી અપ્રમત્તમાં જાય છે અને તેટલી જ વાર અપ્રમત્તમાંથી પ્રમત્તામાં આવે છે. આમાં જીવ જેમ જેમ પ્રમાદ પર કાબુ મેળવતો જાય છે તેમ તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૨૧
પ્રમાદનું બળ ક્રમશઃ ઘટતું જાય છે. અપ્રમત્ત ગુણસ્થાનની સ્થિતિ અંતમુહૂર્તની છે. આ સાતમા ગુણસ્થાનની સમગ્ર સ્થિતિ પણ અંતઃમુહૂની છે. ક્યા પ્રમત્ત અને સાતમા અપ્રમત્ત ગુણસ્થાને જીવ પાંચ પ્રમાદ રેકી આગળ વિકાસ સાધવા ધર્મધ્યાનનું શરણ લે છે અને તેના પરિણામે તે આગળ વધી શકે છે.
ધમ ધ્યાનના ચાર પ્રકાર છેઃ (૧) આજ્ઞાવિચય, (૨) અપાયરિચય, (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય.
વીતરાગની આજ્ઞા વિચારવી અને જીવ પિતે તે આજ્ઞાને અમલ ક્યાં સુધી કરે છે તેની તુલના એ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. જીવ અને દેહ-પુદગલ જુદાં છે; જીવ ચેતનમય અને અવિનાશી છે, જયારે પુદગલ જડ અને નાશવંત છે. પુદગલના ગુણધર્મ તજતા રહી જીવના ગુણધર્મ વિકસાવવાનો વિચાર અને પ્રવૃત્તિ એ અપાયરિચય ધર્મધ્યાન છે. કમની મૂળ અને ઉત્તરપ્રકૃતિ, તેની સત્તા, બંધ, ઉદય, ઉદીરણા અને ક્ષય, કર્મપ્રકૃતિની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ, તેના શુભ-અશુભ વિપાક-રસ-ફળ; તેના પ્રદેશબંધ આદિની વિચારણા સામે
જીવની પિતાની કર્મવિષયક સ્થિતિની તુલના એ વિપાકવિચય ધમ ધ્યાન છે. ચોદરાજલોક, ત્રસનાડી, અલેક (સાત નારક), મગલક, ઉદ્ઘક, નિગઢ, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિના જીવને વસવાનાં સ્થાન; ચોદરાજકમાં વ્યાપક ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલ-અણુ અને સ્કંધ અને મનુષ્ય ઉપયોગી સમય આદિ કાલગણના અંગે વિચાર તેમજ જીવના અત્યારના અને સિલ થતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૨ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી તેના ભાવિસ્થાનને વિચાર અને તુલના એ સંસ્થાનવિચય ધર્મધ્યાન છે, ચૌદરાજકના પ્રમાણ, આકાર આદિને વિચાર પણ સંસ્થાનવિચય ધર્મધ્યાનમાં સમાય છે. દ્રવ્યા, ક્ષેત્ર, કાલ અને ભાવ અનુસાર ચાર ધ્યાનમાંના છેલ્લા બે ધ્યાન દ્વારા જીવ પોતાની અધ્યવસાય શુદ્ધિ ટકાવવા અને વિકસાવવા વિવેકપૂર્વક સાવધાન રહી ઉદ્યમશીલ બને છે. આના પરિણામે પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનની અસંખ્યાતવાર ચડ-ઉત્તર પછી ધર્મધ્યાનના પ્રતાપે પ્રમાદ પર અંશતઃ વિજય પ્રાપ્ત કરી જીવ અપ્રમત્ત અવસ્થા સિદ્ધ કરતાં આઠમા નિવૃત્તિ બાદર અથવા તે અપૂર્વકરણ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. નિવૃત્તિ બાદર અથવા અપૂર્વકરણ ગુણસ્થાન :
જીવની અપ્રમત્ત દશાને અંત આવતાં જીવની જે અવસ્થા હોય છે તે નિવૃત્તિ બાદર છે; આ ગુણસ્થાને સમસમી જુદા જુદા જીના અધ્યવસાય સ્થાનના અસંખ્યાત ભેદ હોઈ શકે છે તેથી આ ગુણસ્થાન નિવૃત્તિનાદર ગણાય છે.
જીવ આઠમા અપૂર્વકરણ ગુણરથાને ગુણશ્રેણિ કરે છે, તેના બે પ્રકાર છેઃ (૧) ક્ષપક અને (૨) ઉપશમ. મેહનીય કર્મને જીતવા પ્રયત્ન કરતો જીવ પક શ્રેણિવાળો અથવા ક્ષેપક અને ઉપશમ શ્રેણિ કરતે જીવ ઉપશમ શ્રેણિવાળો અથવા ઉપશામક ગણાય છે. ઉપશમ શ્રેણિ કરતાં ક્ષપકશ્રેણિમાં છવની અષ્યવસાય શુદ્ધિ અને શ્રદ્ધા અધિકતર હોય છે.
આ ગુણસ્થાને ઉપશમણિ શરૂ કરતે જીવ મોહનીયકમની કેટલીક પ્રકૃતિને ઉપશમ કરે છે, તે જ રીતે ક્ષકShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
( ૧૨૩ શ્રેણિ શરૂ કરતે જીવ મેહનીયકમની કેટલીક પ્રવૃતિઓને ક્ષય કરે છે.
આ ગુણસ્થાનની સ્થિતિ અંતમુહુર્ત છે.
મોહને નિમૂર્ણ કરવા જીવ જે પ્રયત્ન કરે છે તેમાં તેના અનંત સંસારમાં પહેલી જ વાર જીવ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને અપૂર્વસ્થિતિબંધ એ પાંચ કરવાને શક્તિવાન બને છે આ કારણે આ ગુણસ્થાન અપૂર્વકરણ પણ કહેવાય છે.
અપૂર્વકરણના પ્રતાપે જીવ પિતાના અનંત સંસારમાં કદી પણ ન અનુભવી હોય તેવી આત્મશુદ્ધિ અથવા અધ્યવસાય શુદ્ધિ પ્રાપ્ત કરતે જાય છે અને પરિણામે જે આત્મશાંતિની શોધમાં હતો તે આત્મશાંતિની માત્રા આ અને પછીના ગુણસ્થાનમાં ખૂબ ઝડપથી વિકાસ પામતી જાય છે. જુદાંજુદાં કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ન્યૂન, ન્યૂનતર અને ન્યૂનતમ કરતા રહેવી તે સ્થિતિઘાત છે. જુદાં જુદાં કર્મના ગાઢ રસ જે તીવ્ર હોય છે તેને પાતળા, વિશેષ પાતળા બનાવતા રહેવું એ રસધાત છે. પોતાના અધ્યવસાયની વિશુદ્ધિ સમયેત્તર વધારતા રહેવી તે ગુણણિ છે, આ ગુણશ્રેણિ ઉપશમ અને ક્ષપક એ બે રીતે જીવ કરે છે. કર્મના વિવિધ રસમાંના પુણ્યને પાપમાં અને પાપને પુણયમાં એમ પરસ્પર હેરફેર કરતા રહેવું તે ગુણસંક્રમ છે. ગુણસંક્રમ માત્ર વિજાતિય ઉત્તર પ્રકૃતિમાં હોઈ શકે છે, કર્મની મૂળ પ્રકૃતિ કે સજાતિય ઉત્તરપ્રકૃતિમાં ગુણસંક્રમ હેઈ શકતા નથી. આ અને પછીના
સ્થાનમાં માત્ર જઘન્ય સ્થિતિને કર્મબંધ કરવાની લાયકાત મેળવવી એ અપૂર્વ સ્થિતિબંધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૪ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી આ ગુણસ્થાને જીવે શરૂ કરેલ ગુણશ્રેણિ આગળના નવમા અનિવૃત્તિબાદર અને દશમા સૂમસં૫રાય એ દરેક ગુણસ્થાનમાં ચાલુ રહ્યા કરે છે અને તેના પ્રભાવે તે ગુણસ્થાનના અંતે જીવ મોહનીયમને ક્ષય અથવા તેને ઉપશમ કરે છે. અનિવૃત્તિનાદર ગુણસ્થાન:
અપૂર્વકરણ ગુણસ્થાન પુરૂ થતાં જીવ નવમા અનિવૃત્તિ બાદર ગુણસ્થાને આવે છે. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને જીવે છે ગુણશ્રેણિને આરંભ કરેલ છે તેના પ્રતાપે આ ગુણસ્થાને વર્તતા સમસમથી જુદાજુદા જીનાં અધ્યવસાયસ્થાન વિચારતાં તે સમાન ગણાય છે.
નિવૃત્તિ બાદર-અપૂર્વકરણ ગુણસ્થાનમાં વર્તતા સમસમી જીના અધ્યવસાયસ્થાનના અસંખ્યાત ભેદ અને અનિવૃત્તિબાદર ગુણસ્થાનમાં વર્તતા સમસમી જીવેના અધ્યવસાય સ્થાન સમાન હોવાનું કારણ શું તે પ્રશ્ન ઉદ્ભવે છે અને તે વિચારણુય પણ છે. સૂક્ષ્મ વિચાર કરતાં જણાય છે કે જીવના કષાય જેમ જેમ મંદ થતા જાય છે તેમ તેમ જીવનાં અધ્યવસાય સ્થાન ન્યૂન, ન્યૂનતર અને ન્યૂનતમ થતાં જાય છે, આ કારણે આઠમા નિવૃત્તિબાદર ગુણસ્થાને જીવની અધ્યવસાય શુદ્ધિ જે પ્રમાણમાં હોય છે તે કરતાં નવમા અનિવૃતિબાદર ગુણસ્થાને અધ્યવસાય વિશુદ્ધિ ખૂબ ખૂબ વિકાસ પામતી જાય છે; આના પરિણામે નિવૃત્તિ બાદરગુણસ્થાને સમસમી જીનાં અધ્યવસાય સ્થાન અસંખ્યાત અને અનિવૃત્તિનાદર ગુણસ્થાને સમસમી જીવેનાં અધ્યવસાય સ્થાન સમાન માનવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૨૫
આઠમા ગુણસ્થાને શરૂ કરેલ શ્રેણિદ્વારા ચારિત્ર માહનીયકર્મની સંજ્વલન—સૂક્ષ્મ લેાભ સિવાયની બાકીની સર્વ પ્રકૃતિઆના ઉપશમશ્રેણિ કરતા જીવ આ ગુણુસ્થાને ( નવ નાકષાય અને ચાર કષાયનાં ચાર સ્થૂલ અને ત્રણ સૂક્ષ્મ) ઉપશમ કરે છે; જ્યારે ક્ષપકશ્રેણિ કરતા જીવ આ ગુણસ્થાને સજ્વલન àાભ સિવાયની ચારિત્રમેાહનીયની બાકીની સવ પ્રકૃતિના ક્ષય કરે છે. આમ આઠમા અને નવમા એ અને ગુણસ્થાને અને તે પછીના ગુણસ્થાનામાં જીવને ગુણશ્રેણિ તેના વિકાસ માટે સહાયક છે. આ ગુØસ્થાનની સ્થિતિ અંતઃસ્મુહૂત્તની છે.
સૂક્ષ્મસ પરાય ગુણુસ્થાન :
નવમા અનિવૃત્તિમાદર ગુણુસ્થાને જીવ મેાહનીયક્રમની સંજ્વલન લેાભ સિવાયની બાકીની સર્વ પ્રકૃતિએના ઉપશમ અથવા ક્ષય કરે છે; હજી તેને સજ્વલન લેાભના ઉપશમ કરવા અથવા તેના ક્ષય કરવા ખાકી છે. સજ્વલન લેાભના ઉપશ્ચમ કરનાર જીવ સૂક્ષ્મસ પરાયઉપશમક કહેવાય છે; ઉપશમશ્રેણિ કરતા જીવ સંજવલન લાભને ઉપશમ કરી અર્થાત્ તેના પર કાણુ મેળવી અગીયારમા ઉપશાંત માહ ગુણસ્થાને આવે છે; જ્યારે ક્ષપશ્રેણિ કરતા જીવ સંજવલન લાભને ક્ષય કરી-તેના સંપૂર્ણ નાશ કરી ક્ષીણુમેાહ ગુણસ્થાને પહોંચી જાય છે. આમ આ જીવને મેહનીયની સર્વ પ્રકૃતિએના ઉપશમ અથવા ક્ષય થાય છે. આ ગુણુસ્થાનની સ્થિતિ પણ અંતઃમુહૂર્તની છે. આ ગુણસ્થાનમાં પણ જીવના વિકાસમાં અધ્યવસાયની વિશુદ્ધિ-ગુશ્રેણિ જ ભાગ ભજવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૬ ]
ઉપશાંતમાહ ગુણુસ્થાન :
ક્ષપકશ્રેણિ કરતા જીવ માટે આ ગુણસ્થાન નથી. ઉપશમ શ્રેણિ કરતા જીવને સજવલ લેાભના ઉપશમ થતાં આ અગિયારમા ઉપશાંતમેાહ ગુણસ્થાનમાં પ્રવેશ કરવાના રહે છે. દશમા સૂક્ષ્મસ'પરાય ગુણસ્થાને ઉપશમક જીવે પેાતાના સ્થૂલ અને સૂક્ષ્મ એ અને પ્રકારના કષાયના ઉપશમ કરેલ છે; તે કારણે તેમાંના કેટલાંક સત્તામાં છે, પરંતુ ઉદયમાં નથી. આ કારણે તેણે ધમ ધ્યાનમાં મત્ત મનીને કષાયે ઉદયમાં ન આવે તેમ ઉદ્યમશીલ બની રહેવુ પડે છે. આ કારણે આ ગુણસ્થાન ઉપશાંતમેહ ગણાય છે. આ ગુણસ્થાને આવતાં ઉપશમક જીવ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતઃમુહૂત્ત સમય વીતરાગ અવસ્થા અનુભવે છે; તેના અંતે ઉપશાંત કરેલ કષાય મેાહનીય કાટી નિકલતાં તે ઉદ્દયમાં આવે છે. ઉપશાંત કરેલ કષાયની છેલ્લી મર્યાદા આવતાં જીવપર સ્વાર થવાની વારી માહની આવે છે. માવી રાખેલ વરાળને છૂટી મુકતાં તે જેમ વેગ પડે છે તે મુજબ દખાવેલ માહ પણ જીવને વેગપૂર્વક પટકી પાડે છે.
પૂર્વ પન્યાસજી શ્રીમણિવિજયજી
આમ મેાહના ઉડ્ડય સમયે જો જીવનું આયુષ્ય પૂરૂ' થાય તે તે જીવ સમ્યગ્દર્શન સહિત અનુત્તરવિમાનમાં ઉપજે છે; પરંતુ માહના ઉદય સમયે આયુષ્ય અધિક હોય તે જે ક્રમે તે ઉપશાંતમેાહ ગુણસ્થાન સુધી ચઢયા હતા તે જ ક્રમે તેનું પતન થાય છે. સ્પષ્ટ કરતાં એમ કહી શકાય કે જીવ જે ક્રમે ગુણસ્થાન ચઢતાં આત્મવિશુદ્ધિ વિકસાવત જતા હતા તે જ ક્રમે પતન સમયે ક્રમશઃ પેાતાની આત્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૨૭
વિશુદ્ધિ હીન, હીનતર અને હીનતમ કરતો જાય છે અને પરિણામે ગુણસ્થાન ઉત્તર જાય છે. આરોહણ સમયે જીવ જે જે ગુણસ્થાન ગ્ય કર્મ પ્રકૃતિના સત્તા, બંધ, ઉદય, ઉદીરણા આદિના વિચ્છેદ કરતે ગયે હતે તે રીતે જ પતન સમયે ગુણસ્થાન ઉતરતાં તે તે ગુણસ્થાન 5 પ્રકૃતિના સત્તા, બંધ, ઉદય, ઉદીરણા તત્કાળ પ્રાપ્ત કરતો જાય છે. ઉપશાંત મેહ ગુણસ્થાનેથી સરકતાં કેઈક જીવ છા-સાતમા, કોઈક પાંચમા, કેઈક ચોથા ગુણસ્થાને પણ આવે છે અને બાકીના બધા પહેલા ગુણસ્થાને પણ પહોંચી જાય છે.
આ ગુણસ્થાનની સ્થિતિ પણ અંત મુહૂર્તની છે.
પ્રમત્તગુણસ્થાનની જઘન્ય સ્થિતિ અંતઃ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશનક્રોડપૂર્વ વર્ષની છે. અપૂર્વકરણ, સૂકમ સં૫રાય, ઉપશાંતનેહ અને ક્ષીણુમેહ એ દરેક ગુણસ્થાનની સ્થિતિ તેમજ તે સર્વેની સમગ્ર સ્થિતિ અંતઃમુહૂર્તની છે. આ પરથી જણાશે કે જીવ પ્રમત્તમાંથી અપ્રમત્ત બનતાં તેને આધ્યાત્મિક વિકાસ, નિર્જરા અને અધ્યવસાય વિશુદ્ધિ એ સર્વે એટલાં વેગપૂર્વક વિકસતાં જાય છે કે તેને પોતાને વિકાસ કરવામાં માત્ર એક જ અંત મુહૂર પૂરતું થઈ પડે છે. ક્ષીણમાહ ગુણસ્થાન
દશમા સૂમસં૫રાય ગુણસ્થાને ક્ષપકશ્રેણિ કરતે જીવ સંજવલન લેભને ક્ષય કરતાં સકળ મોહનીયમને ક્ષય કરે છે.
અનંતાનુબંધી (ક્રોધ, માન, માયા અને લોભી એ ચાર કષાયને ઉપશમ અથવા સોપશમ અથવા ક્ષય જીવ ચોથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ]
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાને કરે છે. અપ્રત્યાખ્યાની ચાર કષાયને ઉપશમ અથવા ક્ષપશમ જીવ પાંચમા દેશવિરત ગુણસ્થાને કરે છે. પ્રત્યાખ્યાની ચાર કષાયને ઉપશમ અથવા ક્ષપશમ અથવા ક્ષય કરવા સારૂ જીવ છઠ્ઠા પ્રમત્તસંયત અને સાતમા અપ્રમત્તસયત એ બે ગુણસ્થાને પિતાની શુદ્ધિ વધારતો રહે છે. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં ક્ષપક અથવા ઉપશમશ્રેણિ માંડતે જીવ નવમા અનિવૃત્તિનાદર ગુણસ્થાને સંજ્વલન લોભ સિવાયની બાકીની સર્વે કષાય-નેકષાય મેહનીય કર્મપ્રકૃતિએને ક્ષય કરે છે અથવા ઉપશમ કરે છે. દશમા સૂમસંપરાય ગુણસ્થાને પણ જીવ એ શ્રેણિમાં આગળ વધતાં સંજવલન લોભને પણ ક્ષય કરે છે અથવા તો ઉપશમ કરે છે.
ઉપશામક જીવ અગિયારમા ઉપશાંતમૂહ ગુણસ્થાનેથી પાછા પડે છે; જ્યારે ક્ષેપક જીવ દશમા ગુણસ્થાનેથી અગીયારમું ગુણસ્થાન ઓળંગી બારમા ક્ષીણુમેહ ગુણસ્થાને આવે છે. આ ગુણસ્થાને ધમ ધ્યાન અને શુકલધ્યાનના પહેલા બે પાયાનું ધ્યાન સ્વીકારી રહેતાં એ બીજા પાયાના અંતે તેના જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણ ઘાતકર્મને પણ અંતઃમુહૂર્તમાં ક્ષય થતાં જીવ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
ધર્મધ્યાનની સ્પષ્ટતા સાતમા ગુણસ્થાનમાં કરી છે; શુકલધ્યાનના પહેલા બે પાયાની સ્પષ્ટતા કરવાની અહીં પ્રાપ્ત થાય છે.
શુફલધ્યાનના પહેલા બે પાયા અનુક્રમે નીચે પ્રમાણે છેઃ (૧) પૃથફત્વવિતર્કસવિચાર અને (૨) એકત્વવિતર્ક અવિચાર : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
વંથમાળા નં. ૧૫
[ ૧૨૯
શુકલધ્યાનના પહેલા પાયામાં જીવ પિતાના સંભવિત કૃતના આધારે તેનું આલંબન લઈ શબ્દ, અર્થ, શબ્દાર્થ આદિની ભેદ પ્રધાન વિચારણા કરતાં અને તે વિચારનું સંક્રમણ કરતાં કરતાં પિતાના ગુણ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ દરેકને વિકસાવત રહે છે. આના પરિણામે તેના અધ્યવસાય ઉત્તરોત્તર વિશુદ્ધ, વિશુદ્ધત્તર અને વિશુદ્ધત્તમ બનતા જાય છે. આ ધ્યાનના કારણે જીવનું ચેતન અને જડ એ તત્ત્વ અંગેનું, એ દરેકના જુદા જુદા ગુણધર્મ અંગેનું જ્ઞાન અને દર્શન સ્પષ્ટ અને વિશદ બનતું જાય છે અને તેના અંતિમ ફળરૂપે જીવને તેને મૂળ સ્વભાવ-સમભાવ સહજ બનતું જાય છે અને પરિણામે ધ્યાન પણ તેના માટે સ્વાભાવિક અને સહજ બનતું જાય છે.
શુકલધ્યાનના બીજા પાયા એકત્વવિતર્કઅવિચાર ધ્યાનમાં મન, વચન અને કાયાના ચગદ્વારા જીવ સ્થિર બને છે; તેમાં તે અભેદની જે વિચારણા કરે છે તેના પરિણામે તેનામાં એકાગ્રતા વિકસતી જાય છે, એકાગ્રતાના વિકાસ સાથે જીવની અધ્યવસાય વિશુદ્ધિ અને અકામનિર્જરા પણ વિકસતાં જાય છે. આ ગુણસ્થાનના-શુકલધ્યાનના બીજા પાયા એકત્વવિતર્કઅવિચાર ધ્યાનના અંતે એકજ અંત મુહૂર્તમાં જીવ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ વધારાના ત્રણ ઘાતકર્મનો ક્ષય કરે છે. દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને ક્ષાપક જીવે ઘાતી કર્મ એવા મોહનીયને ક્ષય કર્યો છે અને બારમા ક્ષીણમોહ ગુણસ્થાને જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણને ક્ષય થતાં જીવને ચારેય ઘાતીકમરને ક્ષય થતાં તેને કેવળજ્ઞાન અને કેવબદર્શન પ્રાપ્ત થાય છે. આમ છવને અકામ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૦ 1
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી સકામ એ બન્ને પ્રકારની નિર્જરાને અહીં અંત આવે છે. આ ગુણસ્થાનની સ્થિતિ અંત મુહૂર્તની છે. સોગી ગુણસ્થાન
બારમા ક્ષીણમેહ ગુણસ્થાનના અંતે જીવે ચાર ઘાતકમને ક્ષય કર્યો છે, પરંતુ હજી તેને બાકીના ચાર અઘાતી (વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્રો એ દરેકને ક્ષય કરવાનું બાકી છે. વીતરાગ બન્યો હોવાથી જીવ આ અઘાતી કર્મના વિપાક સહજ અને સમભાવે ભેગવે છે. જીવને કષાય નાશ પામ્યા હોવાથી આ ગુણસ્થાને તેને મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારના ગપ્રવૃત્તિ જે હોય છે તે નિ કષાય હાય છે. આ નિઃકષાય યુગપ્રવૃત્તિ ઈયોપથિક ક્રિયા છે. તેનાથી તેને માત્ર પ્રદેશ અને પ્રકૃતિ બંધ હોય છે, પરંતુ સ્થિતિ અને રસ બંધ હોતા નથી. આમ તેનાં આ કર્મ સ્થિતિ અને રસ વિનાનાં હાઈ તે ભગવાઈ જતાં તરત જ ખરી પડે છે.
તેરમા સગી ગુણસ્થાને અઘાતી કર્મના વિપાક અનુભવતાં સામાન્ય કેવળી ભવ્ય જીવને ઉપદેશ આપતા રામાનુગ્રામ વિચરે છે; જ્યારે તીર્થકર પિતાના તીર્થંકર નામકર્મને વેદતાં પ્રવચન અને સંઘ એ બે રૂપે તીર્થની સ્થાપના કરી ભવ્યજીવને તારે છે. આ ગુણસ્થાને વર્તતા જીવને કોઈપણ પ્રકારનું દયાન હેતું નથી; અર્થાત્ તેમને ધ્યાનાંતરિક જીવન્મુક્ત દશા હોય છે. સગી અવસ્થામાં જીવને આમપ્રદેશનું સ્પંદન વર્તતું હોવાથી આ ગુણસ્થાન સગી ગણાય છે.
આ ગુણસ્થાનની સ્થિતિ જીવને તદ્ધવ પૂરતી હોય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૩૧ અર્થાત જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી રેશનકેટાકેટપૂર્વ (કટાકેટીમાં આઠ વર્ષન્યૂન) હેાય છે.
સયોગી ગુણસ્થાનના અંતે છવને બાકી રહેલ આઘાતી સવ કર્મને ક્ષય કરવા યોગનિરોધ કરવાને હેય છે. કઈ કે જીવને જુદાજુદા અઘાતી કર્મની તરતમતા હોય તે તે દૂર કરવાની જરૂર પડે છે, અર્થાત્ વેદનીય, નામ અને નેત્ર એ ઘણુમાંના એક, બે કે ત્રણેયની સ્થિતિ આયુષ્ય કર્મ કરતાં કંઈક અધિક હોય છે ત્યારે આવા પ્રસગે છવને એ ચારે અઘાતી કર્મને સમસ્થિતિના બનાવવા સારૂ કેવળી સમુદઘાતની પ્રક્રિયા કરવી પડે છે. આ પ્રક્રિયા રોગનિરોધ શરૂ કરતાં પહેલાં કરવી રહી.
કેવલી સમાઘાત કરતાં જીવે આઠ સમયની આ પ્રક્રિયા કરવાની હોય છે. (૧) દંડ, (૨) કપાટ, (૩) મંથન, (૪) આતરાપૂરણ, (૫) આંતરાસંહરણ, (૬) મંથન, (૭) કપાટ, સંહણ અને (૮) દંડહરણ.
છવ દંડ પ્રક્રિયાધારા પિતાના આત્મપ્રદેશને ચોદરાજલાકની ત્રસનાડીમાં ઉત્તર-દક્ષિણ ફેલાવે છે; કપાટ પ્રક્રિયા દ્વારા છવ પિતાના આત્મપ્રદેશને ચોદ રાજલોકમાંની ત્રસનાડીમાં પૂર્વપશ્ચિમ ફેલાવે છે. આ પ્રદેશને આંતરા પૂરવા લાયક બનાવવા મંથન ક્રિયા છે, મંથન પ્રક્રિયા દ્વારા જ સતાના આત્માને વલોવે છે તસ પૂરણ પ્રક્રિયા દ્વારા જીવ આ રીતે મંથન કરેલ આત્માને ચૌરાહકની રસની બહારની દિશાવિડશાના આંતરડામાં ફેલાવે છે. આંતરા સંહરણ પ્રકિયાહારા જીવ ચૌદ રાજલોકની ત્રસનાઢી બહારની દિશા-વિદિશામાંના આાંતરામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૨ ]
પૂર્વ પંન્યાસજી શ્રીમણિવિજયજી
ફેલાવેલ પેાતાના આત્મપ્રદેશને સહરી પાછળ ખેંચી લ્યે છે, આ રીતે સહુરેલ પ્રદેશાને કપાટસંહરણ અને દંડસંહરણ એ એ પ્રક્રિયાને લાયક બનાવવા માટે મથન પ્રક્રિયા ક્રીવાર કરવાની હાય છે, જીવ આ રીતે મથન પ્રક્રિયાદ્વારા પેાતાના આત્મ પ્રદેશાને કપાર્ટસ હરણ અને દંડસંહરણ એ એ પ્રક્રિયા માટે લાયક બનાવે છે. અંતે જીવ પાતાના આત્મપ્રદેશેશને કપાર્ટસ હરણુદ્વારા ત્રસનાડીના પૂર્વ પશ્ચિમમાંથી અને દંડસંહરણ દ્વારા ત્રસનાડીના ઉત્તર દક્ષિણમાંથી સહરી લઇ પેાતાના દેહમાં સમાવી લે છે.
જરૂર હોય ત્યાં કેવળીસમુદ્ધાત ર્યા પછી અને જરૂર ન હાય તા તે કર્યો વિના તેરમા સયેાગી ગુરુસ્થાનના અંતે જીવ પ્રથમ ખાદર યાગનિરોધ કરી પછી સૂક્ષ્મ ચેાનિરેષ શરૂ કરે છે. સૂક્ષ્મ ચેનરોધ કરવા સારૂ જીવ શુકલ ધ્યાનના ત્રીજા પાયા સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ધ્યાનના આશ્રય લ્યે છે. શ્વાસેાશ્વાસરૂપે સૂક્ષ્મકાયયેાગની હયાતીમાં જીવ પ્રથમ સૂક્ષ્મ મનાયેાગ અને વચનયાગના નિરોધ કરી અંતે પેાતાના શ્વાસેાશ્વાસના પણ નિરાધ કરી સૂક્ષ્મ કાયયેાગના પણ નિરાધ કરે છે. આ ધ્યાન શરૂ કર્યાં પછી જીવને પતનના અવકાશ ન હાવાથી આ ધ્યાન અપ્રતિપાતી ગણાય છે.
અન્યાગી ગુણસ્થાન:
ચૌદમા અયાગી ગુણસ્થાને આવતાં જીવ પાંચ હસ્વાસ્વર (અ. ઈ. ઉ. ઋ અને ધૃ એ પાંચ હસ્વ સ્વરના ઉચ્ચારણ પૂરતા સમય) કાળ પ્રમાણુ એવા શુકલ ધ્યાનના ચેાથા પાયા ન્યુપરતક્રિયાનિવૃત્તિ ધ્યાનને આશ્રય લ્યે છે. આ ધ્યાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૩૩
જીવના શ્વાસોશ્વાસ બંધ થવાના કારણે શશીકરણ અવસ્થા જીવ અનુભવે છે અર્થાત્ જીવની અવસ્થા મેરૂપર્વતની માફક અચલ, અકંપ અને સ્થિર બની જાય છે. આ ધ્યાનના અંતે છવ સકલ અઘાતી કર્મને ક્ષય કરતાં તેની પિતાની શરીર અવગાહનાના-૨/૩ અવગાહનાએ પૂર્વપ્રયોગ, અસંગત્વ, બંધછેદ અને ગતિપરિણામ એ ચાર કારણે ચૌદ રાજલોકની ત્રસનાડીના ઉર્વ ભાગના અંતે રહેલ સિદ્ધશિલામાં રહેલ સિદ્ધસ્થાનમાં એકજ સમય માત્રમાં પહોંચી ત્યાં સ્થિત થાય છે. ઉપસંહાર :
જીવના આધ્યાત્મિક વિકાસમાં મિથ્યાત્વ એ પહેલું ગુણ સ્થાન છે કે જ્યાંથી વિકાસની ગણના કરવામાં આવે છે. બીજું સાસ્વાદન ગુણસ્થાન જીવનું માત્ર અવનતિ સ્થાન છે; જ્યારે ત્રીજું મિશ્ર ગુણસ્થાન જીવ માટે ઉત્ક્રાંતિ સ્થાન તેમજ અવનતિ સ્થાન હાઈ એ બેયમાંય ભાગ ભજવે છે. શું સમ્યગદષ્ટિ ગુણસ્થાન જીવના વિકાસ માટે ઉપયોગી છે, ત્યાંથી જીવ વિવેક પ્રાપ્ત કરી સંસારના સારાસારની તુલના કરી આત્મસન્મુખ બને છે. પાંચમા દેશવિરત ગુણસ્થાને જીવ પોતાના વિકાસ માટે અંશતઃ પ્રવૃત્તિ શરૂ કરે છે. છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાને આવા વિકાસ માટે સર્વત વિરત બની ગુપ્તિ અને સમિતિ દ્વારા અનુક્રમે પાપપ્રવૃત્તિને ત્યાગી સત્યવૃત્તિ આચરે છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાને પિતાના વિકાસ વધારતા ધર્મધ્યાન આશ્રય લઈ પ્રમાદત્યાગ કરે છે. છઠ્ઠા અને સાતમા એ બે ગુણસ્થાને જીવની અસંસાતવારની ચડઉત્તર પછી આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને છવ તેના અનંત સંસારમાં પહેલી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
વાર સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમણ અને અપૂર્વ સ્થિતિબંધ પ્રાપ્ત કરતે થાય છે. આ ઉપરાંત આ ગુણસ્થાને ઉપશમ અથવા ક્ષપક એ બેમાંની ગમે તે એક (ગુણ) શ્રેણિ ચડવા માંડે છે. આઠમા ગુણસ્થાને શરૂ કરેલ ગુણશ્રેણિના પ્રતાપે નવમા અનનિવૃત્તિનાદર ગુણસ્થાને જીવ સંજવલન લાભ સિવાયની મેહનીયકર્મની બાકીની સત્તાવીશ પ્રકૃતિને ઉપશમ અથવા ક્ષય કરે છે. દશમા સૂમસંપરાય ગુણસ્થાને ક્ષપક સંજવલન લોભ સહિત ચારિત્ર મેહનીયની સર્વ પ્રકૃતિએને ક્ષય કરી બારમાં ક્ષીણમેહ ગુણસ્થાનમાં પ્રવેશે છે, જ્યારે ઉપશમક સંજવલન લેભ સહિત ચારિત્ર મેહનીયની સર્વ પ્રકૃતિને ઉપશમ કરી અગીયારમા ઉપશાંતમૂહ રાણસ્થાનમાં પ્રવેશ કરે છે. ઉપશાંતહ ગુણસ્થાને સૂલમસંપરાય ઉપશમક ધર્મધ્યાનને આશ્રય લઈ પોતાની ઉપશમ સ્થિતિ ટકાવવા પ્રયત્ન તે કરે છે અને તેમ કરતાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષથી અંત મુહૂર્ત વીતરાગદશાને અનુભવ પણ કરે છે, છતાં તેના અંતે મોહના ઉદયના કારણે તેનું પતન થાય છે. આજ સમયે જે જીવનું આયુષ્ય પૂરું થાય તે તે સમ્યગુદર્શન સહિત અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. અને જે તે સમયે જીવનું આયુ અધિક હેાય તે જે ક્રમે તે ગુણસ્થાન ચલ્યો હતો તેજ ક્રમે પાછા પડતાં કવચિત છ-સાતમે, કવચિત પાંચમે, કવચિત એથે અને પ્રાયઃ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાને પહોંચે છે. બારમા ક્ષીણમેહ ગુણરસથાને જીવ શુકલધ્યાનના પૃથકવિતર્કસવિચાર અને એકવિતર્ક અવિચાર એ બે પહેલા અને બીજા પાયાનું અનુક્રમે ધ્યાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૩૫
કરતાં અંતઃમુહૂત્તમાં મેાહનીય ઉપરાંત જ્ઞાનાવરણુ, દનાવરણ અને અંતરાય એ ચારધાતી કમનેા ક્ષય કરતાં કેવળજ્ઞાન અને વળદર્શન પ્રાપ્ત કરે છે. તેરમા સયેાગી ગુણસ્થાને જીવને ધ્યાનાંતરિકાદશામાં જીવન્મુક્ત અવસ્થા અનુભવતાં ભવ્ય જીવને તારવા ગ્રામાનુગ્રામ વિચરતાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિ હોય છે. જરૂર પડે તેા કેવળીસમુદ્ધાત કરી આ ગુણસ્થાનના અંતે શુકલધ્યાનના સમુચ્છિન્નક્રિયાઅપ્રતિપાતી એ ત્રીજા પાયાનું યાન કરતા જીવ સ્કુલ અને સૂક્ષ્મ એ અને પ્રકારના યોગ નિષ કરતાં પેાતાના આત્મ પ્રદેશનું સ્પંદન પણુ રાકી લ્યે છે. ચૌદમાં અયાગી ગુણસ્થાને જીવ શુકલધ્યાનના જ્યુપરતક્રિયાનિવૃત્તિ એ ચેાથા પાયાનું ધ્યાન ધરતાં શૈલેશીકરણ દશા અનુભવતાં આયુષ્યના અ ંતભાગને ભાગવી સકલ ક્રમના ક્ષય કરી સિદ્ધગતિને વરે છે.
ઉપસંહાર કરતાં ગુણસ્થાનની સ્થિતિને વિચાર કરતાં જાય છે કે મિથ્યાત્વની સ્થિતિ અભષ્યજીવની અપેક્ષાએ અનાદિ અનંત અને ભવ્ય જીવની અપેક્ષાએ સાદિ સાંત અને સાદિ અનંત એમ બે પ્રકારે છે. ચેાથા, પાંચમા અને તેરમા એ ત્રણ ગુણુસ્થાનની જયન્ય સ્થિતિ અંતમુહૂત્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ થેાનકોટાકોટી પૂર્વ વર્ષની છે, બાકીના દરેક ગુણસ્થાનની સ્થિતિ માત્ર અંતમુહૂત્તની છે, અને તેમાં પણ છેલ્લા ગુણસ્થાનની સ્થિતિ તે પાંચ હસ્વ સ્વર કાળ પ્રમાણની છે.
પહેલા ચાર ગુણસ્થાને નારક, તિર્યંચ, મનુષ્ય અને ધ્રુવ એ દરેક ગતિના જીવ હાઈ શકે છે; ચારે ગતિમાંના માત્ર સભ્ય જીવ ચેાથે ગુરુસ્થાને હાઈ શકે છે. પાંચમાં ગુણસ્થાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ]
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી
માત્ર ભવ્યજીવમાંના સંસી મનુષ્ય અને તિર્યંચ એ બે ગતિના જીવ હોઈ શકે છે. છઠ્ઠા અને આગળના ગુણસ્થાનમાં માત્ર ભવ્ય જીવમાંના મનુષ્ય ગતિના જીવ જ હેઈ શકે છે.
આ પરથી સ્પષ્ટ થાય છે કે અનંત સંસારમાં જીવ ગમે તેટલી અકામનિજર કરે તે પણ તે સકામ નિજેરાની તેલ આવી શકે તેમ નથી. જીવને વિવેક પ્રાપ્ત થતાં સંસારના સારાસારની તુલના કરી આત્મસન્મુખ બનતાં સકામ નિર્જરા શરૂ થાય છે. સાતમા ગુણસ્થાન સુધી જીવને સકામ નિર્જરા સાથે અકામનિર્જરા પણ હોય છે. આઠમા ગુણસ્થાનથી જીવને માત્ર સકામનિર્જરાજ હોય છે અને તે પણ બારમા ગુણસ્થાનના અંતે જીવને છોડવી પડે છે. જીવ અપ્રમત્ત બનતા તેને વિકાસ એટલે શીઘવેગી બને છે કે માત્ર એક જ અંત મુહૂર્તમાં તે કેવળજ્ઞાન અને કેવળદર્શન પોતાનામાં પ્રકટ કરી શકે છે અને જીવન્મુક્ત બની કૃતકૃત્ય થાય છે; ત્યાર બાદ વેગ નિરાધ કરતાં જીવ સિદ્ધગતિને પણ પામે છે. જીવની અનાદિ સ્થિતિ વિચારતાં તેને અંત લાવવાની ચાવી ગુણસ્થાનમાં રહેલી છે. આ પર જીવ વિચાર કરે તે પતે ક્યા ગુણસ્થાન પર છે અને તેને પોતાને વિકાસ સાધવા ઈચ્છા, સંકલ્પ આદિ ઉદ્ધવે તે તે માટે કેમ આગળ વધવું તેને ક્રમ પણ તેમાં નિર્દેશ કરેલ છે. તે જીવનમાં ઉતા
રહ્યો તેમ કરે છે કે કરશે તે સિદ્ધગતિનું ભાજન બનશે.
સ
મા
તું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
શાસન સમ્રાટ આ.ભ.
શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મ.સા. નાં શિષ્યરત્ન પ.પૂ.આ.ભ. શ્રી પદ્મસૂરિ ગ્રંથાલય દાદા સાહેબ, ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________ થશll Nokt alchbllo જ 6 નગ Literate めたいと Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com