SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથમાળા નં. ૧૫ અભિન્નતા દર્શાવે છે; સ્પષ્ટ કરતાં કહી શકાય કે જે આકાશપ્રદેશમાં આત્મપ્રદેશ અવગાહીને રહેલા છે તે જ આકાશપ્રદેશમાં કર્મયોગ્ય પુદગલસ્કંધે પણ અવગાહીને રહેલા છે. આવાજ પુદગલ-સ્કંધો જીવ ગ્રહણ કરી શકે છે અને તેને કર્મરૂપે પરિણુમાવી શકે છે. જે આકાશપ્રદેશને આત્માએ અવગાહ્યા નથી અને જે કર્મસ્કો આત્મપ્રદેશથી અલિપ્ત છે તેવા કર્મ પુદ્ગલ ગ્રહણ કરવાની કે તેને કર્મરૂપે પરિણમાવવાની જીવની તાકાત નથી અર્થાત્ યેગ્યતા નથી. આવા કર્મ સ્કંધો પણ સ્થિત અર્થાત્ સ્થિર હોય તેને જ જીવ ગ્રહણ કરી શકે છે; અસ્થિર અથવા ચંચળ કર્મધેને જીવ ગ્રહણ કરતા જ નથી. - આ રીતે ગ્રહણ કરેલ પુગલસ્કને જીવ કર્મરૂપે પરિ ગુમાવે છે તેજ સાથે તેમાં પ્રકૃતિ, સ્થિતિ અને રસ એ ત્રણનું પણ સામાન્યતઃ નિર્માણ થાય છે. આપણે પહેલાં જોયું કે સ્થિતિ અને રસ જીવ ન્યૂનાધિક કરી શકે છે; પણ પ્રદેશમાં ન્યૂનાધિક કરવાની તેની તાકાત નથી. આ કારણે જીવને પ્રદેશબંધ અનુસાર કર્મવિપાક તે અનુભવવા જ રહે છે. સ્થિતિ અને રસ વિનાના આવા પ્રદેશવિપાકમાં જીવને કાંઈ શાતા અશાતા આદિને પ્રત્યક્ષ અનુભવ થતો નથી. પ્રકૃિતબંધ: પ્રતિબંધ જીવને હોય છે તેનું કારણ પણ યોગ છે. કર્મની પ્રકૃતિનું નિર્માણ એટલે કર્મના સ્વભાવનું નિર્માણ. કર્મ જીવને પ્રકૃતિ અનુસાર વિપાક-ફળ આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat છે. સ્થિતિ અને અનુસાર કવિ દેશવિપાકમાં જ www.umaragyanbhandar.com
SR No.034920
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorChimanlal Dalsukhbhai Shah
PublisherManivijayji Granthmala
Publication Year1957
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy