Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોધ્ધાર ૧૨૮
જૈન ચિત્ર કલ્પલતા
: દ્રવ્ય સહાયક :
પૂજ્ય સાધ્વીજી શ્રી ભદ્રગુણાશ્રીજી મ.સા. તથા સાધ્વીજી શ્રી કલ્પેશપદ્માશ્રીજી મ.સા. ની નિશ્રામાં સં. ૨૦૬૭ ના ચાતુર્માસમાં
શ્રી માણિભદ્ર સોસાયટી, સાબરમતીના આરાધક શ્રાવિકાઓની જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005 (મો.) 9426585904 (ઓ.) 22132543
ઈ.સ. ૨૦૧૨
સંવત ૨૦૬૮
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર
810
સંયોજક – શાહ બાબુલાલ સરેમલ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૦૫. (मो.) ८४२७५८५८०४ () २२१३ २५४3 (8-मेल) ahoshrut.bs@gmail.com અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર – સંવત ૨૦૬૫ (ઈ. ૨૦૦૯) – સેટ નં-૧
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી.
या पुस्त: वेबसाट ५२थी upl st6नलोs FN Aशे. ક્રમાંક પુસ્તકનું નામ
કર્તા-ટીકાકાર-સંપાદક પૃષ્ઠ | 001 | श्री नंदीसूत्र अवचूरी।
पू. विक्रमसूरिजी म.सा.
238 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी
पू. जिनदासगणि चूर्णीकार 286 003 श्री अर्हद्गीता-भगवद्गीता ।
प. मेघविजयजी गणि म.सा. 004 श्री अर्हच्चूडामणि सारसटीकः
| पू. भद्रबाहुस्वामी म.सा. 005 | श्री यूक्ति प्रकाशसूत्रं
| पू. पद्मसागरजी गणि म.सा. 006 | श्री मानतुङ्गशास्त्रम्
| पू. मानतुंगविजयजी म.सा. 007 अपराजितपृच्छा
श्री बी. भट्टाचार्य 008 | शिल्प स्मृति वास्तु विद्यायाम्
श्री नंदलाल चुनिलाल सोमपुरा 850 शिल्परत्नम् भाग-१
के. सभात्सव शास्त्री
322 शिल्परत्नम् भाग-२
श्रीकुमार के. सभात्सव शास्त्री 280 011 | प्रासादतिलक
श्री प्रभाशंकर ओघडभाई 012 काश्यशिल्पम्
श्री विनायक गणेश आपटे 013 प्रासादमम्जरी
श्री प्रभाशंकर ओघडभाई
156 014 | राजवल्लभ याने शिल्पशास्त्र
श्री नारायण भारती गोंसाई 015 शिल्पदीपक
श्री गंगाधरजी प्रणीत 016 | वास्तुसार
श्री प्रभाशंकर ओघडभाई 017 | दीपार्णव उत्तरार्ध
| श्री प्रभाशंकर ओघडभाई 018 જિનપ્રાસાદ માર્તડ
શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા |
498 019 जैन ग्रंथावली
श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स
502 020 हीरश हैन श्योतिष
શ્રી હિમતરામ મહાશંકર જાની 021 न्यायप्रवेशः भाग-१
श्री आनंदशंकर बी. ध्रुव
226 022 दीपार्णव पूर्वार्ध
श्री प्रभाशंकर ओघडभाई अनेकान्त जयपताकाख्यं भाग-१
पू. मुनिचंद्रसूरिजी म.सा. 024 | अनेकान्त जयपताकाख्यं भाग-२
| श्री एच. आर. कापडीआ
500 025 | प्राकृत व्याकरण भाषांतर सह
श्री बेचरदास जीवराज दोशी
454
009
010
162
| 302
352
120
88
110
454
640
023
452
Page #4
--------------------------------------------------------------------------
________________
188
214
414
192
824
288
520
578
278
2521
324
302
038.
196
190
26 | તત્ત્વોપર્ણસિંહઃ
श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य | 027 | વિતવાલા
| श्री सुदर्शनाचार्य शास्त्री 028 જીરાવ
श्री प्रभाशंकर ओघडभाई | 02 | વેવાસ્તુ પ્રમાર
श्री प्रभाशंकर ओघडभाई 030 शिल्परत्नाकर
श्री नर्मदाशंकर शास्त्री 031 प्रासाद मंडन
पं. भगवानदास जैन 032 | શ્રી સિદ્ધહેમ વૃત્તિ વૃદન્યાસ અધ્યાય- પૂ. ભવિષ્યસૂરિની મ.સા. 033 | શ્રી સિદ્ધહેમ વૃહદ્રવૃત્તિ વૃદન્યાસ અધ્યાય-ર પૂ. ભાવસૂરિની મ.સા.
श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-३ 034 | (8).
પૂ. ભાવસૂરિની મ.સા. | श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-3 (२) 035 | (૩)
પૂ. ભાવળ્યસૂરિ મ.સા. 036 | શ્રી સિદ્ધહેમ વૃ૬૬વૃત્તિ વૃદન્યાસ મધ્યાય-૧ | પૂ. ભવિષ્યસૂરિની મ.સા. | 037 વાસ્તુનિઘંટુ
પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા તિલકમશ્નરી ભાગ-૧
| પૂ. લાવણ્યસૂરિજી 039 | તિલકમશ્નરી ભાગ-૨
પૂ. લાવણ્યસૂરિજી 040 તિલકમશ્નરી ભાગ-૩
પૂ. લાવણ્યસૂરિજી 041 સખસન્ધાન મહાકાવ્યમ
પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી 042 સપ્તભડીમિમાંસા
પૂ. પં. શિવાનન્દવિજયજી 043 ન્યાયાવતાર
સતિષચંદ્ર વિદ્યાભૂષણ 044 વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વાલોક
| શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 04s | સામાન્યનિર્યુક્તિ ગુઢાર્થતત્કાલીક
શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 046 | સપ્તભીનયપ્રદીપ બાલબોધિની વિવૃત્તિ પૂ. લાવણ્યસૂરિજી વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટકા
શ્રીવેણીમાધવ શાસ્ત્રી 048 | નયોપદેશ ભાગ-૧ તરકિણીતરણી
પૂ. લાવણ્યસૂરિજી 049 નયોપદેશ ભાગ-૨ તરષિણીકરણી
પૂ. લાવણ્યસૂરિજી 050 ન્યાયસમુચ્ચય
પૂ. લાવણ્યસૂરિજી 051 સ્યાદ્યાર્થપ્રકાશઃ
પૂ. લાવણ્યસૂરિજી 052 દિન શુદ્ધિ પ્રકરણ
પૂ. દર્શનવિજયજી 053 | બૃહદ્ ધારણા યંત્ર
પૂ. દર્શનવિજયજી 054 | જ્યોતિર્મહોદય
સં. પૂ. અક્ષયવિજયજી
202.
480
228
_60
218
190
138
047
296
210
274
286
216
532
113
112
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
સંયોજક – શાહ બાબુલાલ સરેમલ
શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન हीराठैन सोसायटी, रामनगर, साजरमती, अमहावाह - 04.
(मो.) ९४२५५८५८०४ (ख) २२१३२५४3 ( - भे) ahoshrut.bs@gmail.com
અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર - સંવત ૨૦૬૬ (ઈ. ૨૦૧૦)- સેટ નં-૨
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી. या पुस्तक वेबसाइट परथी पए डाउनलोड झरी शडाशे.
પુસ્તકનું નામ
કર્તા-ટીકાકાર-સંપાદક
ક્રમ
055 श्री सिद्धहेम बृहद्वृत्ति बृहद्न्यास अध्याय-६ 056 विविध तीर्थ कल्प
057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः
059
व्याप्ति पञ्चक विवृत्ति टीका
જૈન સંગીત રાગમાળા
060
061 चतुर्विंशतीप्रबन्ध ( प्रबंध कोश )
062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय
063 | चन्द्रप्रभा हेमकौमुदी
064 विवेक विलास
065 पञ्चशती प्रबोध प्रबंध
066 | सन्मतितत्त्वसोपानम्
ઉપદેશમાલા દોઘટ્ટી ટીકા ગુર્જરાનુવાદ
067
068 | मोहराजापराजयम्
069 क्रियाकोश
070 कालिकाचार्यकथासंग्रह
071 सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका
072 | जन्मसमुद्रजातक
073 मेघमहोदय वर्षप्रबोध
074
જૈન સામુદ્રિકનાં પાંચ ગ્રંથો
ભાષા
सं
सं
गुठ
सं
सं
गु.
सं
सं
सं
संगु.
सं
सं
पू. लावण्यसूरिजी म.सा.
पू. जिनविजयजी म.सा.
पू. पूण्यविजयजी म.सा.
श्री धर्मदत्
| श्री धर्मदत्तसूरि
श्री मांगरोळ जैन संगीत मंडळी
श्री रसिकलाल एच. कापडीआ
श्री सुदर्शन
मेघविजयजी गणि
पू.
श्री दामोदर गोविंदाचार्य
पू. मृगेन्द्रविजयजी म. सा.
पू. लब्धिसूरिजी म.सा.
गुठ
सं
सं/हिं
सं/गु. श्री अंबालाल प्रेमचंद
सं.
श्री वामाचरण भट्टाचार्य
सं/हिं
श्री भगवानदास जैन
सं/हिं
श्री भगवानदास जैन
शुभ.
श्री हिम्मतराम महाशंकर जानी
पू. हेमसागरसूरिजी म.सा.
पू. चतुरविजयजी म.सा.
श्री मोहनलाल बांठिया
પૃષ્ઠ
296
160
164
202
48
306
322
668
516
268
456
420
638
192
428
406
308
128
532
376
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર કલ્પવ્રૂમ ભાગ-૧
જૈન ચિત્ર કલ્પદ્રમ ભાગ-૨
075
076
077 संगीत नाटय उपावली
078 ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પસ્થાપત્ય શિલ્પ ચિન્તામણિ ભાગ-૧
079
080 बृह६ शिल्प शास्त्र भाग-१
081 बृह६ शिल्पशास्त्र भाग - २
082 बृह६ शिल्प शास्त्र लाग-3
083 खायुर्वेहना अनुभूत प्रयोगो लाग-१
084 ल्याए 5125
085 विश्वलोचन कोश 086
કથા રત્ન કોશ ભાગ-1
0875था रत्न झेश लाग-2 088 हस्तसञ्जीवनम હસ્તસગ્રીવનમ્
089
090
એન્દ્રચતુર્વિંશતિકા
સમ્મતિ તર્ક મહાર્ણવવતારિકા
शुभ.
शुभ.
गुभ.
शुभ.
गुभ.
शुभ.
शुभ.
४.
शुभ.
गुभ.
सं./हिं
शुभ
गुठ
सं.
सं.
सं.
श्री साराभाई नवाब
श्री साराभाई नवाब
श्री विद्या साराभाई नवाब
श्री साराभाई नवाब
श्री मनसुखलाल भुदरमल
श्री जगन्नाथ अंबाराम
श्री जगन्नाथ अंबाराम
श्री जगन्नाथ अंबाराम
पू. कान्तिसागरजी
श्री वर्धमान पार्श्वनाथ शास्त्री
श्री नंदलाल शर्मा
श्री बेचरदास जीवराज दोशी
श्री बेचरदास जीवराज दोशी
पू. मेघविजयजीगणि
पू. यशोविजयजी, पू. पुण्यविजय
आचार्य श्री विजयदर्शनसूरिजी
374
238
194
192
254
260
238
260
114
910
436
336
230
322
114
560
Page #7
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
पृष्ठ
272
240
254
282
118
466
342 362
134
70
हिन्दी | मुन्शाराम
316 224
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार-संवत २०६७ (ई. 2011) सेट नं.-३ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची।यह पुस्तके वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | क्रम | पुस्तक नाम
कर्ता/ टीकाकार भाषा | संपादक / प्रकाशक 91 | स्याद्वाद रत्नाकर भाग-१
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना | 92 | स्याद्वाद रत्नाकर भाग-२
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 93 | स्याद्वाद रत्नाकर भाग-३
वादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना 94 | स्याद्वाद रत्नाकर भाग-४
वादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना 95 | स्याद्वाद रत्नाकर भाग-५
वादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना 96 | पवित्र कल्पसूत्र
पुण्यविजयजी
साराभाई नवाब 97 | समराङ्गण सूत्रधार भाग-१
भोजदेव
| टी. गणपति शास्त्री 98 | समराङ्गण सूत्रधार भाग-२
भोजदेव
| टी. गणपति शास्त्री 99 | भुवनदीपक
पद्मप्रभसूरिजी सं. वेंकटेश प्रेस 100 | गाथासहस्त्री
समयसुंदरजी
सुखलालजी 101 | भारतीय प्राचीन लिपीमाला
गौरीशंकर ओझा
मुन्शीराम मनोहरराम 102 | शब्दरत्नाकर
साधुसुन्दरजी
सं. हरगोविन्ददास बेचरदास 103 | सुबोधवाणी प्रकाश
न्यायविजयजी
सं./गु
| हेमचंद्राचार्य जैन सभा
| 104 | लघु प्रबंध संग्रह
जयंत पी. ठाकर
ओरीएन्ट इन्स्टीट्युट बरोडा 105 | जैन स्तोत्र संचय-१-२-३
माणिक्यसागरसूरिजी
आगमोद्धारक सभा 106 | सन्मति तर्क प्रकरण भाग-१,२,३
| सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 107 | सन्मति तर्क प्रकरण भाग-४,५
सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 108 | न्यायसार - न्यायतात्पर्यदीपिका
सतिषचंद्र विद्याभूषण
एसियाटीक सोसायटी | 109 | जैन लेख संग्रह भाग-१
पुरणचंद्र नाहर
सं./हि पुरणचंद्र नाहर 110 | जैन लेख संग्रह भाग-२
पुरणचंद्र नाहर
सं./हि | पुरणचंद्र नाहर 111 | जैन लेख संग्रह भाग-३
पुरणचंद्र नाहर सं./हि । पुरणचंद्र नाहर 112 | जैन धातु प्रतिमा लेख भाग-१
कांतिविजयजी
सं./हि | जिनदत्तसूरि ज्ञानभंडार 113 | जैन प्रतिमा लेख संग्रह
दौलतसिंह लोढा
| अरविन्द धामणिया | 114 | राधनपुर प्रतिमा लेख संदोह
विशालविजयजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 115 | प्राचिन लेख संग्रह-१
विजयधर्मसूरिजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा | 116 | बीकानेर जैन लेख संग्रह
अगरचंद नाहटा सं./हि | नाहटा ब्रधर्स 117 | प्राचीन जैन लेख संग्रह भाग-१
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा 118| प्राचिन जैन लेख संग्रह भाग-२
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा | 119 | गुजरातना ऐतिहासिक लेखो-१
गिरजाशंकर शास्त्री
| फार्बस गुजराती सभा 120 | गुजरातना ऐतिहासिक लेखो-२
गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा | 121 | गुजरातना ऐतिहासिक लेखो-३
गिरजाशंकर शास्त्री
फार्बस गुजराती सभा 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-१ पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल | 123 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ | पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-५ | पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल | 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स
पी. पीटरसन
भावनगर आर्चीऑलॉजीकल डिपा. 126 | विजयदेव माहात्म्यम्
जिनविजयजी
जैन सत्य संशोधक
612 307 250 514 454 354 337
354 372 142 336
सं./हि
364
218
656 122
764
404
404
540
274
414
400
320
148
Page #8
--------------------------------------------------------------------------
________________
।
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
पृष्ठ 754
84
194
171
90
310
276 69
100 136 266 244
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार-संवत २०६८ (ई. 2012) सेट नं.-४ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची।यह पुस्तके वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम | पुस्तक नाम
कर्ता/ संपादक
भाषा | प्रकाशक 127 | महाप्रभाविक नवस्मरण
साराभाई नवाब
गुज. | साराभाई नवाब 128 | जैन चित्र कल्पलता
साराभाई नवाब
| साराभाई नवाब 129 | जैन धर्मनो प्राचीन इतिहास भाग-२
हीरालाल हंसराज
गुज.
| हीरालाल हंसराज 130 | ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६
पी. पीटरसन
अंग्रेजी | | एशियाटीक सोसायटी 131 | जैन गणित विचार
| कुंवरजी आणंदजी | गुज. जैन धर्म प्रसारक सभा 132 | दैवज्ञ कामधेनु (प्राचिन ज्योतिष ग्रंथ)
शील खंड
सं. ब्रज. बी. दास बनारस 133 | करण प्रकाश
ब्रह्मदेव
सं./अं. सुधाकर द्विवेदि 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह | यशोदेवसूरिजी
गुज. यशोभारती प्रकाशन 135 | भौगोलिक कोश-१
डाह्याभाई पीतांबरदास | गुज.. गुजरात वर्नाक्युलर सोसायटी 136 | भौगोलिक कोश-२
डाह्याभाई पीतांबरदास | गुज. गुजरात वर्नाक्युलर सोसायटी 137 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-१, २
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 138 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 139 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-१, २
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 140| जैन साहित्य संशोधक वर्ष-२ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 141 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-१,२
जिनविजयजी
हिन्दी । जैन साहित्य संशोधक पुना 142 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 143 | नवपदोनी आनुपूर्वी भाग-१
सोमविजयजी
| शाह बाबुलाल सवचंद 144 | नवपदोनी आनुपूर्वी भाग-२
सोमविजयजी
गुज. शाह बाबुलाल सवचंद 145 | नवपदोनी आनुपूर्वी भाग-३
सोमविजयजी
गुज.
| शाह बाबुलाल सवचंद 146 | भास्वति
| शतानंद मारछता सं./हि एच.बी. गप्ता एन्ड सन्स बनारस 147 | जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण)
रत्नचंद्र स्वामी
| भैरोदान सेठीया 148 | मंत्रराज गुणकल्प महोदधि
जयदयाल शर्मा हिन्दी । जयदयाल शर्मा 149 | फक्कीका रत्नमंजूषा-१, २
कनकलाल ठाकूर
हरिकृष्ण निबंध 150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह)
मेघविजयजी
सं./गुज | महावीर ग्रंथमाळा 151 | सारावलि
कल्याण वर्धन
पांडुरंग जीवाजी 152 | ज्योतिष सिद्धांत संग्रह
| विश्वेश्वरप्रसाद द्विवेदी । सं. ब्रीजभूषणदास बनारस 153| ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम्
रामव्यास पान्डेय सं. | जैन सिद्धांत भवन नूतन संकलन | आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन
हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार २ | श्री गुजराती श्वे.मू. जैन संघ-हस्तप्रत भंडार - कलकत्ता हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
274
168 282
182
गुज.
384
376 387 174
प्रा./सं.
320
286 272
142
260
232
160
Page #9
--------------------------------------------------------------------------
________________
|ળો .. 26
STRoll
203
ક૯૫લતા. . .
269
2030 એ
છે
: હરિ
J[ સંપાદક. સારાભાઈ નવાબ | D
.
Page #10
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પલતા,
વિક્રમના અગિયારમાથી વીસમા શતક સુધીની
ગુજરાતની જેનાશ્રિત કક્ષાના લાક્ષણિક નમૂનાઓને
ચૂંટેલે સંગ્રહ
છે
મારું,
સંપાદક અને પ્રકાશક સં.૧૯૯૬ સારાભાઈ મણિલાલ નવાબ અમદાવાદ - ઈ. ૧૯૪૦
Page #11
--------------------------------------------------------------------------
________________
ગ્રંથસ્વામિત્વના હક સંપાદકને સ્વાધીન
મુદ્રક • ઇચુભાઈ રાવત • કુમાર પ્રિન્ટરી • ૧૪૫૪ રાયપુર , અમદાવાદ
Page #12
--------------------------------------------------------------------------
Page #13
--------------------------------------------------------------------------
________________
તપગચ્છાધિપતિ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીના પ્રશિષ્ય મુનિમહારાજ શ્રીવલ્લભવિજયજી
જન્મ સંવત ૧૯૬૦ના શ્રાવણ સુદ પ
દીક્ષા · સંવત ૧૯૮૦ના માગશર સુદે પ
Page #14
--------------------------------------------------------------------------
________________
પરમપૂજ્ય ગુરુદેવ શ્રીવલ્લભવિજયજીને
Page #15
--------------------------------------------------------------------------
Page #16
--------------------------------------------------------------------------
________________
નિવેદન
જે પ્રાચીન સાહિોદ્ધાર ગ્રન્થાવલિના અગિયારમા પૂ૫ નરીકે “જૈન ચિત્રકલ્પલતા”
નામની આ પુસ્તિકા જનતા સમક્ષ મૂકતાં મને અનહદ આનંદ થાય છે. - ઈ. સ. ૧૯૩૬માં મારા તરફથી જૈન ચિત્રકલ્પમ’ નામના જે બ્રહદ્ ગ્રંથનું પ્રકાશ કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાતની ગ્રંથસ્થ જૈનાશ્રિત કળાને બની શકતો વિસ્તૃત અને વિપુલ પરિચય આપવાને મેં પ્રયત્ન કર્યો હતો. એ પ્રયત્નને જાહેર જનતા તરફથી કેટલા ઉત્સાહપૂર્વક વધાવી લેવામાં આવ્યો હતો, તેની સાબિતી તો એ જ હકીકત બતાવી આપે છે કે મેથી કીમત હોવા છતાં પ્રસ્તુત ગ્રંથની ભાત્ર ગણીગાંઠી નકલો જ સિલિમાં આજે મારી પાસે છે.
એ ગ્રંથની કીમત પચીસ રૂપિયા હોવાથી સામાન્ય વર્ગ તેનો લાભ લેવાથી મોટા ભાગે વંચિત રહ્યાની મારા મિત્રો દ્વારા મને જાણ થઈ, અને તેથી પ્રસ્તુત ગ્રંથનાં સઘળાં જ રંગીન ચિત્રો તથા ઘોડાં ચૂંટી કાઢેલાં એકરંગી ચિત્રો, તેમજ મુખ્ય લેખોમાંથી તારવી કાઢેલા અગત્યના ભાગનો રસથાળ બનાવી આ જૈન ચિત્રકપલના નામની પુસ્તિકા જાહેરમાં મૂકવા હું પ્રેરાયો છું. ઈચ્છું છું કે મારી દરેકે દરેક સાહિત્યપ્રવૃત્તિને જેવી રીતે જનતાએ અપનાવી છે તેવી જ રીતે આ પ્રવૃત્તિને પણ અપનાવશે.
આ ગ્રંથમાં આપવામાં આવેલાં તીર્થકરો તથા દેવદેવીઓનાં ચિત્રોનો ઉપયોગ લેબલો, પિસ્ટર અગર સીનેમા-રલાઈડ માટે કરીને જે કોમની ધાર્મિક લાગણી નહિ દુખાવવા વાચકને વિનતિ છે.
સારાભાઈ મણિલાલ નવાબ
અષાઢ સુદ ૫ ૧૯૯૬ જ, પારસીની ચાલ - સાબરમતી
Page #17
--------------------------------------------------------------------------
________________
Foreword
Introductory Note
પ્રાચીન ચિત્રોનું કલાતત્ત્વ
પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા
ગુજરાતની નાશ્રિત કળા
જૈન ચિત્રકલ્પલતા (ચિત્રબિંવરણ)
લેખાનુક્રમ
W. Norman Brown
९
૧૧
D. 1lrananda Shastri સિકલાલ છે. પરીખ
રવિશંકર રાવળ
१२ ૧૪ સારાભાઇ નવાખ ૧૭ ૧-૫૬
સંક્ષેપાની સમજ
મું॰ = ભક્તામર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ.
= જૈન ગૂર્જર કવિઓ
મ॰ વા વા જે ગુ કુ
૭૦ ફા॰ ૦ = ઉજમફાઈની ધર્મશાળા
દે॰ પા૦ ના દાવિ॰ = દેવાના પાડાના દાવિમલજી,
સવ॰ ૧ = હંસવિચછના સંગ્રહની પ્રત ૧
હંસવ૦ ૨ =
પ્રત ર
પ્રત ક
27
હંસવ૦ ૩ = ક્રાંતિવિ॰ ૧ = પ્રવ્રુત્તકજી શ્રીકાંતવિજયજીના સંગ્રહની પ્રત
અ, શ્લા = અધ્યાય, બ્લેક,
સાહન॰ = સેહવિજયઇ શાસ્ત્રસંગ્રહ
23
આવશ્યક સુધારા
પાના ૫૪ ઉપર ચિત્ર ૭૬ને બદલે ચિત્ર ૬૩ સમજવું.
Page #18
--------------------------------------------------------------------------
________________
ચિત્ર
પૃષ્ટાંક
ચિત્રાનુક્રમ ચિત્ર
પૃછાંક ૧ દેવી સરસ્વતી
૩૦ શ્રી પાર્શ્વનાશ કાઉસગ્ગ ધ્યાનમાં ર૧ ૨ શ્રી હેમચંદસૂરિ, શિષ્ય અને
૩૧ શ્રી બાષભદેવનું નિર્વાણ પરમહંત કુમારપાળ
ક૨–૩૩ નૃત્યનાં જુદાં જુદાં સ્વરૂપ
૧૪ શ્રી ઋષભદેવને રાજ્યાભિષેક * અપ્રતિચકા (ચકેશ્વરી)
૩૫ બ્રાહાણી દેવાનંદા અને ચૌદ રવમ ૫ પુષદના (નારદત્તા)
ફ૬ ચૌદ સ્વામી ૬ બ્રહ્મશાંતિ ચક્ષ
૩૭ ચંડકૌશિકને પ્રતિબંધ અંબાઈ (અંબિકા)
૩૮--૩૯ કલ્પસૂત્રની સુંદર કિનારે ૮ સરસ્વતી
૪૦ શ્રી મહાવીર પ્રભુને સંગમદેવને ઉપસર્ગ ૩૩ કે “પ્રભુ શ્રી મહાવીરનું વન” ૭
૪૧ શ્રી નેમિનાથ વડે ૧૦ ગુરુ મહારાજ શિષ્યને પાઠ આપે છે ૭
૪૨ ભરત અને બાહુબલિ વચ્ચે ઠંયુક્ત ૩૭ ૧૧ પ્રભુ શ્રી મહાવીરનો જન્મ
૪૩ હરિને ગમેપિન ૧૨ પ્રભુ શ્રી મહાવીરનું નિર્વાણ
૪૪ ત્રિશલા અને સિદ્ધાર્થ ૧૩ પ્રભુ શ્રી મહાવીરનું સમવસરણ
૪પ ત્રિશલાને આનંદ ૧૪ પ્રભુ શ્રી મહાવીરનું દીક્ષા કલ્યાણક ૧૦ ૬૬ આમલકી કીડા ૧૫ પ્રભુ શ્રી મહાવીરનું જમ ક૯યાણુક ૧૦ ૪૭ કોશાનત્ય તથા આર્યસમિત સુરિને ૧૬ પ્રભુ શ્રી મહાવીરનું કેવલ્ય કલ્યાણક ૧૦
એક પ્રસંગ ૧૭ પ્રભુ શ્રી મહાવીરને જન્મ
૪૮ કેશાનૃત્ય ૧૮ અષ્ટમંગલ
૪૯ આર્ય સ્થૂલભદ્ર અને ચક્ષાદિ સાત ૧૯ શ્રી પાર્શ્વનાથનો જન્મ
સાથ્થી બહેનો ૨૦ શ્રી મહાવીરનિર્વાણ
૫૦ ભગવાન મહાવીરની દીક્ષા કલિકાલસર્વજ્ઞા શ્રી હેમચંદ્રસૂરિને
પ૧–પર કલ્પસૂત્રનાં સુશોભને શ્રી જયસિંહદેવની પ્રાર્થના
૫૩-૫૪ ,, સિદ્ધહમ વ્યાકરણની હરિત પર સ્થાપના ૧૩
પપ-પ૬ , ૨૩ શ્રી પાર્શ્વનાથનું દેરાસર
પ-પ૮ બાલગોપાલતુતિનાં ચિત્રપ્રસંગે ૪૮ ૨૪ શ્રી આનંદપ્રભ ઉપાધ્યાય વગેરે
પઃ ઉત્તરાધ્યયન સૂત્રને એક પ્રસંગ ૨૫ સિદમ વ્યાકરણની હસ્તિ ઉપર
૬૦ દેવાનું કટક સ્થાપના
૧૧ શ્રી પાલાસમાંથી એક વહાણ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિને
દર દેવોની ઉત્પત્તિશયા શ્રી જયસિંહદેવની વ્યાકરણ રચવા માટે ૬૩ ચક્રવર્તીનાં ચૌદ રત્ન પ્રાર્થના
૬૪ નગરશેઠ શાંતિદાસ તથા તેમની ૨૭ શ્રી પાર્શ્વનાથનું ચવન
સ્ત્રી કપુરબાઈ
૫૫ ૨૮ શ્રી પાર્શ્વનાથને પંચમહિલચ
૬૫ કાગળની પ્રત ઉપરનું એક શોભનચિત્ર પS ૨૯ શ્રી મહાવીર પ્રભુ
૬૬ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ ૫૬
૧૩.
*
*
Page #19
--------------------------------------------------------------------------
Page #20
--------------------------------------------------------------------------
________________
TUTULUU Bauerununua
FOREWORD TAIN painting, in Mr. Nawab's illustrations, is confined to
Svetambara manuscript painting. It covers the Early Western Indian style--sometimes called "Gujarat' or specifically Jain', and the later styles of the great Rajput-Mughal complex, as these were utilized by that division of the Jains.
The facts about miniature painting in India differ so much from those about architecture and sculpture that this book is a good album of the entire school of Early Western Indian miniatures from the 12th to the 16th century A. D. During the time when palmleaf was the material for books there, only Svetambara Jains, so far as our preserved and known documents reveal, illustrated their manuscripts with paintings. After paper displaced palm-leaf, that same community still executed the bulk of the existing miniatures so long as the Early Western Indian' style continued, and only a handful of manuscripts illustrated in that style are known to come from nonJain sources. It was not until the 'Rajput' painting developed that the Jains lost their pre-eminence. Yet even then they used the Rajput and Mughal styles, employing in one case a well known Mughal artist. These later developments of Jain paintings are, like the older, illustrated in Mr. Nawab's book, which indeed brings the story down almost to our own day.
The illustrations of Mr. Nawab's book have high value in presenting new material study of the history of Early Western Indian miniature painting and Svetambara iconography. During the latter part of the 14th century A. D. and the early part of the 15th century, that is to say, at the end of the 'palm-leaf' period and beginning of the 'paper', the paintings have a special delicacy and refinement unknown in the earlier examples and yet without the profuse embellishment and often degeneration of the late 15th and 16th centuries. At this time we find the best drawing of the whole school; and since the drawing is the most important feature of these miniatures, we should perhaps plainly call the examples from that time the best paintings.
Equally interesting, but for different reasons, are the paintings taken from the Devashano pado bhandar manuscript of the Kalpasutra
Page #21
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-કલ્પલતા
१०
and Kalakacharyakatha, in which on the same page a miniature done in the Early Western Indian style will be supplemented with subsidiary side scenes of a Persian character So pronounced are the Persian characteristics of the latter that even experts might be convinced that the paintings are something direct from Persia. This manuscript is the most elaborately decorated I have seen, and the very brilliance and abundance of the ornament would alone constitute the occasion for high interest, although ever remaining second to the unwelded association of styles; that is the manuscript's prime claim upon our attention. The many variations of marginal ornamental arabesque and flower designs which Mr. Nawab has reproduced, especially those in full colour from the Kalpasutra manuscript of the Hamsavijayaji Jnana bhandar, Baroda, graphically reveal to us the mastery which the Gujarat artists of the 15th and 16th centuries had obtained over this means of enriching their pages.
This book represents a large expenditure of both labour and money by Mr. Nawab and his supporters. If it reveals to Jains alone the extent of the treasures their community possesses in manuscript paintings and encourages them to publish more of them, the labour and money will have been well expended. Such amplification of this present work would be a worthy part of that great informal programme of publication with which modern Jains are continuing their ancient and distinguished tradition of learning.
W. Norman Brown
Page #22
--------------------------------------------------------------------------
________________
TL
CUCUC URUCU96069909
INTRODUCTORY NOTE THE Jaina-chitra-kalpadruma, true to its title, gives highly
I interesting chitras or illustrations of ancient paintings, most of which are Jaina and the rest Vaishnavite. They range between the years 1100 and 1913 afrer Christ. The earliest painting represented in this work is from a manuscript of the Nishithachurni of the Sanghvi's pado bhandar at Patan and is dated in the year 1157 of the Vikrama era. The latest is a painting by Yati Himmat vijayji of Patan. These illustrations are of various kinds and the manuscripts from which these are taken all belong to Wastern India, or we can say Gujarat. They are either on palm-leaf or on paper. The earliest is on palm-leaf.
The most interesting illustrations in this publication pertain to the copy of the Kalpasutra of the late Muni Hamsa vijayji's collection in the Atmaram Jnanamandira at Baroda and of Devashab's pado in Ahmedabad. They are pre-Moghul in origin and would show that the art of painting in Gujarat had reached a very high degree of persection before the Moghul rule in India. The Devashah's pado manuscript is quite unique in that it gives illustrations of different attitudes and poses of dances described in the Nat yashastra of Bharata. Similar figures are to be seen in the Chidambaram temple where full descriptive stanzas are also given. These have been published in one of the annual Reports on South Indian Epigraphy, Madras. The Devashah's pado manuscript where these pictures are drawn on the margins gives the labels showing the name of the pose or the dance represented.
These illustrations of the Ragas and the Raginis given in it are original and not copies. Evidently, it is very desirable that the manuscript is printed in its entirety and placed before scholars interested in Indian Music and Dancing soon.
Mr, Sarabhai Nawab and the colleagues are to be congratulated for bringing out this useful work. It throws a flood-light on the history of the art of painting in Gujarat and is sure to get a good reception, and it deserves it.
Hirananda Sastri
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ચિત્રાનું કલાતત્ત્વ
જરૂર છે, સમગ્ર પ્રાચીન શિલ્પના પરિશીલન માટે હવે સ્પષ્ટ પદ્ધતિની શેાધ થવી જોઇએ. અત્યાર સુધી તો પ્રાચીન શિલ્પનું નિરૂપણ માત્ર નમૂનાઓનાં અથવા તેમની છબીનાં નિરીક્ષણથી થતું આવ્યું છે. શિલ્પ માત્રને સમજવાની આ સહજ પદ્ધતિ છે. શિલ્પની ભાષા આંખ બરાબર ઉકેલતી હૈાય ત્યાં તે નિરીક્ષણ માત્ર પણ પર્યાપ્ત ગણાય. પણ બીજા યુગ કે દેશની શિલ્પભાષા તેના અપરિચયના કારણે ભાવકને ભાવ અર્પવા અસમર્થ થાય ત્યારે એકલું નિરીક્ષણ પર્યાપ્ત નથી. વાણીના કરતાં રેખા, રંગ ઇત્યાદિ વધારે વ્યાપક છે તેથી બીજા દેશકાળની વાણીના જેવું મૌન રંગ-રેખા ધારણ કરતાં નથી, અને તેથી અજાણી વાણીના સાહિત્ય જેટલું તેમનું નિરૂપણ અસંભિવત થતું નથી; તે પણ રંગ-રેખાની ભાષાના જ્ઞાન વિના શિર્ષાના ભાવનેા મેધ કરાવવામાં તે અસમર્થ છે.
રંગ-રેખાની પણ ભાષા છે. જગતમાં દેખાતાં રૂપોમાં રંગ-રેખા હોય છે, તેના અનુકરણથી તે તે રૂપ સૂચવે; તે ઉપરાંત શિલ્પીઓના ભાવનું વાહન બનતાં અથવા બનવા તેમનામાં વિશિષ્ટ અર્થભાર આવે છે, શબ્દાર્થના સંબંધ માટે સમયપદ વપરાય છે તેના અહીં અતિદેશ ફરી કહી શકાય કે રંગ-રેખાના પણ્ ‘સમય’ હાય છે, આ રગ-રેખાના સમય સમજ્યા વિના તેમનાથી સાકાર થતી કલાનો ભાવ સમજવા, આસ્વાદ લેવા કે વિવેચન કરવું એ આંધળાના ગાળીબાર જેવું છે.
...
પ્રાચીન શિલ્પીઓના ‘સમય' સમજવા તેમની કૃતિઓ જોવી જરૂરની છે; પણ તેના ઉર્દુલ કરવા તે શિલ્પીઓનાં ધ્યેયે। કયાં હતાં, તે કેવા આસ્વાદ આપવા ઈચ્છતા હતા, કોની પ્રશંસા ઇચ્છતા હતા, ને ખુશ કરવા હતા હતા, તેમનાં સાધના કેવાં હતાં અને તેના તે કેવી રીતે ઉપયોગ કરતા હતા આદિ જાણવાની જરૂર છે. આવા જ્ઞાનથી સજ્જ થઈ ચિત્રોનું નિરીક્ષણ કરવામાં આવે ત્યારે જ યોગ્ય પરીક્ષણ થઇ શકે. આવા જ્ઞાનના અભાવને લઇને આ ક્ષેત્રમાં થએલું ઘણું કામ ફરી કરવાની જરૂર જણાય છે, કારણકે પૂરતી સામ્રગીના અભાવે અપાએલા ઘણા અભિપ્રાયા ભ્રામક દેખાય છે. સુભાગ્યે આ જાતની ઘેાડીક સામગ્રી આપણને પ્રાચીન શિલ્પન્થામાં મળેછે, પણ તેનું સંશેોધન કરવાની જરૂર છે. આ કાર્યમાં પ્રાચીન પરંપરા પ્રમાણે કામ કરનારા શિલ્પીએની મદદ મળે તે વિશેષ લાભ થાય.
આ ગ્રન્થમાં જે ચિત્ર-બિએ ઉદાહરણરૂપે આપેલી છે તેનું કલાની દ્રષ્ટિએ નિરૂપણ કરતાં પહેલાં ઉપરનું સ્પષ્ટીકરણ આપવાનું કારણ એ છે કે નિપુણ મનાતા ચિત્રવિવેચકોને પણ આ ચિત્રકળા સમજવામાં વિઘ્નો નડથાં છે. તેમાં મુખ્ય વિઘ્ન આ ચિત્રકારોનાં લક્ષ્યનું અજ્ઞાન છે. પ્રથમ દષ્ટિપાતે આ ચિત્રા તેમના રંગચમત્કાર અથવા વર્ણચમત્કાર અર્પે છે. ‘શા સરસ રંગ છે ! શી ભભક છે! કેટલી મારતા છે! કેટલી શ્રીમંતાઈ છે !' ઇત્યાદિ ઉદ્ગારા એ ચિત્રા જોતાં જ કોડે છે. વેલબુટ્ટાઓને શણગાર પણ ધ્યાન ખેંચે છે. પ્રાણીઓ પણ ફ્રીક લાગે છે, પરંતુ માણસાનાં -- સ્ત્રી-પુરુષોનાં ચિત્રા જોતાં મનમાં છાનો છાના એવા અભિપ્રાય ઊઠે છે કે આ ચિત્રકારને કાંઇ આવડતું નથી! આથી આ ચિત્રકલા વિષે અભિપ્રાય ઊતરવા માંડે છે! ‘ફ્રીક છે; સાધારણ છે !’ ત્યાદિ મત ઉચ્ચારાય છે, કારણા શેાધાય છે, ઋતિહાસ તપાસાય છે ! આ તો નિકોએ, વાણીગાએએ, જૈને એ પેાયેલી કલા! તેમની સ્થૂલ કલારુચિને સંતાપનારી કલા ! તેમની શ્રીમંતાઇને આગળ ધરતી સાના-મોતીની કલા !
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ચિત્રનું કલાતત્ત્વ
આવો અભિપ્રાય બાંધનાર તે શિલ્પકારોને અને તે કલપેપક ધનિકને અન્યાય કરે છે, તે ઈતિહાસને પણ કલુષિત કરે છે. પ્રથમ તો પૈસાદારોની મરજી પ્રમાણે બધું થવું જોઈએ એ આજના યુગની મહાન શોધ તે દિવસના ધનિકોએ કરી ન હતી; અને ધનિકે છે તે પ્રમાણે પોતાની કલાને નમાવવાની ફરજ તે યુગના શિલ્પીઓએ સ્વીકારી ન હતીએટલે ઐતિહાસિક દષ્ટિએ શોધ કરવી હોય તે બળવું એ જોઈએ કે આ શિલ્પીઓનાં ધ્યેયો શાં હતાં અને તેમના ભાવકોની કઈ અપેક્ષાઓ હતી ?
ભારતીય ચિત્રકારોને માનવો ચીતરવાની આવડત ન હતી એમ તે કોઈ ખુલાસો નહિ આપે. ગુજરાતને આ ચિત્રકારોને તેની આવડત નહિ હોય તે પણ તેમાં રહેલું રેખાનું પ્રભુત્વ
જેનાર માનશે નહિ. ચિત્રમાં “સદશ્ય લાવવાની નિપુણતા તેમને સુસાધ્ય હતી. પણ આ સાદસ્યવાળાં ચિમાં તેમની ચિત્રકલા સમાપ્ત થતી ન હતી. ચિત્રને આ એક પ્રકાર હતો અને તેને ચિત્રસુત્રકાર
સત્ય” એવી પારિભાષિક સંજ્ઞા આપે છે. વિદોવસાદ વિત્ર તરસચમુચ છે જેમાં કંઇક લોકસાદસ્ય હોય તે ચિત્ર “સત્ય” કહેવાય છે.
તે તે પદાર્થની પ્રતિકૃતિ સાધી જે ચિત્રો દોરવામાં આવતાં તે બધાને આમાં સમાવેશ થતો હશે. પણ આ ઉપરાંત ચિત્રકારો બીજી રીતે પણ ચિત્રો દોરતા. આપણે જાણીએ છીએ કે વૃક્ષ, વેલ, પત્ર, પુષ્પ આદિના ચિત્રણમાં કેટલાંક ચિત્રોમાં પ્રતિકૃતિ હોય છે તો કેટલાંકમાં કેવળ સુચને લઈ તેમાંથી વિવિધ મનોહર આકૃતિઓ ઉપજાવીને દોરવામાં આવે છે. કોતરકામમાં પણ આવું હોય છે. આમાં ઉદેશ તે તે મૂળ વસ્તુ સુચવવાના હોતા નથી, પણ આકારની મનોહર રચનાઓ કરવાના હોય છે. પ્રતિકૃતિની લુપતા છોડી દઈ આકારરચનાના સપ્લવમાં રાચતી ચિત્રકલા એ કોઈ હલકી પ્રતિની કલા નથી. કેટલાક આધુનિક કલાવિવેચકોને અંતે તે પ્રકૃતિમાં રાચતી ચિત્રકલા પ્રાક છે, ખરી ચિત્રકલા તો કેવળ આકારથી ભાવ ઉત્પન્ન કરનાર ચિત્રમાં વસેલી છે. *
પ્રાચીન ચિત્રા નિરીક્ષક જાણે છે કે લગભગ દરેક ચિત્રમાં અમુક મુદ્રા, અમુક કરવના, અમુક દષ્ટિ, અમુક પાદચારી, અમુક અભિનય દયાદિ જોવામાં આવે છે. પણ નૃત્ય અને અભિનયમાં જે “ગતિથી સધાય છે તે ચિત્રમાં ‘સ્થિતિથી સાધવાનું હોય છે. આ સાધવાને માટે આકારોને જે રીતે રચવા જોઈએ તે રીતે રચવાનો પ્રયત્ન અમુક ચિત્રોમાં દેખાય છે. આવા ચિત્રોની કસોટી એ છે કે તે તે આકારો તે ભાવ સુચવવા સમર્થ છે કે નહિ; નહિ કે તે આપણને સિતાં માણસોની પ્રતિકૃતિ છે કે નહિ. સંભવ છે કે કેટલાંક ચિત્રોમાં આવા આકારે કોઈ પણ ભાવની પ્રતીતિ કરાવી શકતા ન હોય અને તેથી કેવળ બેહદા જ લાગે. આવાં ચિત્રોમાં શિલીને દોષ નથી, તે તે ચિત્રકારનું સામર્થ્ય દોષપાત્ર છે. વળી કેટલેક ઠેકાણે અમુક આકારની “સમય” આપણે - નતા હોઈએ તેથી પણ ભાવપ્રતીતિ ન થાય. ગમે તેમ હોય, પણ આપણાં પ્રાચીન ચિત્રોમાં એવાં ઘણાં ચિત્રો છે જે પ્રતિકૃતિની મર્યાદાની ઉપેક્ષા કરે છે અને તેમ કરીને કોઈ એવી વેધક રાતે ભાવપ્રતીતિ કરાવે છે કે જે અન્યથા અશક્ય લાગે. આ ગ્રંથમાં એવાં ઘણાં ઉદાહરણ છે.
રસિકલાલ છો. પરીખ
- 'Art' by Clive Bell પ્રકરણ ૧.૩ Significant form and representationની ચર્ચા પૃ. ૨૩ દિપણ.
Page #25
--------------------------------------------------------------------------
________________
696
પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા
૪મા સૈકાથી અજંતાની ચિત્રકળાની ગંગા કાળસાગરમાં લુપ્તથયા બાદ હિંદુસ્તાનમાં
અઢારમા સૈકા સુધી સાહિત્ય સંસ્કૃતિ અને ધર્મના ઘેરા રંગે ફૂલતીકાલની રહેલી, તાડપત્રા અને હરતલિખિત ગ્રન્થામાં સચવાતી આવતી, કલ્પસૂત્રેાની ચિત્રકળામાં છે. ભારતન મધ્યકાળના તિહાસમાં જે વેળા ગુજરાત અનુપમ સ્થાન ભાગવતું હતું તે વખતે તેની ભાગ્યલક્ષ્મીના સ્વામીઓ ગુર્જર નરેશા અને જૈન મુત્સદ્દીએ હતા; એટલે તેમણે સ્થાપત્ય અને દંતર કલાઓનો સમાદર કરી ઇતિહાસમાં અમર પગલાં પાડયાં છે. એમના યુગનાં સ્થાપત્યસર્જન અને શિલ્પસામગ્રીએ તેમજ હસ્તલિખિત ગ્રંથાની સંખ્યાબંધ પ્રતા જોઇએ છીએ ત્યારે એમ જ લાગે છે કે તે યુગના માનવીએ જો કેવળ રાજ્યે જીતવામાં, લડાઇ કરવામાં અને વહેમ તથા કુસંપમાં જ જીવન ગાળતા હોત તો આવું પ્રશુલ કલાસર્જન તેમને હાથે થવું અશકય જ હાત. પણ આઘેથી કાળનાં ચિત્રો જોનારને પ્રશ્નએ એ વચલા ગાળાએામાં કેવી નિરાંત, શાંતિ અને સુખ-સંસ્કૃતિભરી જિંદગી માણી છે તેને ખ્યાલ આ સ્વસ્થતાભરી, ચિંતનશીલ અને ર'ગૌર્ભવાળી ફલાસામગ્રીના થાળ જોવાથી જ આવે તેમ છે.
મધ્યકાળના એ નમૂનાઓમાં સૌથી અગ્રસ્થાન ખંભાત અને પાટણમાંનાં તાડપત્રાનાં ચિત્રાને આપી શકાય. તેની એકએ પ્રતેા જ ઉપલબ્ધ હોવા છતાં જે વસ્તુ આપણી સામે રજી થાય છે તે ઉપરથી ખાત્રી થાય છે કે એ કાળના સમાજમાં ચિત્રકળા કોઇ આગલી પેઢીએથી સચવાતી, ઉછેરાતી અને માન પામતી હોવી જ જોએ; નડતા એ ગ્રંથાનાં ચિત્રોમાં જે રૂઢ થયેલી પાકી શૈલીના ઉપયેાગ થયા છે તે ઉપલબ્ધ ન હોત. આ કળા અનાડી કે અણુધડ હાથમાં જન્મેલી નથી, પરંતુ અનેક પ્રકારનાં કૌશલ્યપૂર્વક રંગ અને રેખાની સજીવતા તથા ફિચરચનામાં કાબેલ થએલા માનવીઓએ સિદ્ધ કરેલી શૈલી છે એમ આપણે સ્વીકારવું પડે છે. એની મુખ્ય ખૂબી તે સરળ રેખામાં આક્ષેબ કાનિરૂપણ કરવાની તેની શક્તિમાં છે. વાડ્મય સાથે ચિત્રકળા કેવો તાલ મેળવે છે એ દર્શાવવામાં આ શૈલી અવધ કરી નાખે છે, આકૃતિ અને રંગાના અહેક સંકેતપૂર્ણ પ્રયોગો દ્વારા એ ચિત્રામાં સાહિત્ય, વિચાર અને દષ્ટિને ઉદ્દીપ્ત કરે એવી એક નવી જ જાતની બિછાત બની રહે છે. જે હાથમાં કલમ કે પીછી લઇ જરાપણ આકૃતિ દોરી શકતા હશે તેમને તે ચિત્રાની ભૂમિકાની સમતોલ ર'ગભરણી, ઉપાડ કે ઊંડાણના પ્રયત્નવગર આનંદસમાધિમાં ગરકાવ કરશે. આજ સુધી આ ચિત્રાના મેટામાં મોટા સમુદાય જૈન ધર્મના ગ્રંથામાંથી મળી આવ્યે હતા, એટલે તેને માત્ર ધર્મના સાંકેતિક સ્વરૂપો અથવા નિશાનીઓ જેવાં ગણી લઇ કલાના ઈતિહાસમાં તેનું સ્થાન નિણિત કરવામાં આવ્યું નહેતું; પરંતુ જ્યારે ગુજરાત, માળવા અને રજપૂતાનામાંથી બીજા સંપ્રદાયા ને સાહિત્યગ્રંથામાંથી પણ આ જ ચિત્રશૈલીના નમૂના હાથ લાગ્યા ત્યારે કલાનિષ્ણાતો સામે એક સળંગ ચિત્રપરંપરા તરવરવા લાગી અને આ ચિત્રામાં કલામર્મવાળાં સ્વરૂપો સમાએલાં દેખાયાં.
કલ્પસૂત્રેા જેવાં જ લક્ષણાવાળી કળા વસંતવલ્લાસ' અને શ્રી ‘બાલગાપાળતુતિ'માં પણ યાનએલી છે, તે ઉપરથી ખાત્રી થાય છે કે મુગલ કળા ખીલી તે પહેલાં ગુજરાત, માળવા અને મારવાડના પ્રદેશોમાં આ ચિત્રશ્રીના ડીકઠીક પ્રચાર થઇ રહ્યો હશે. આ કળાનો પરિચય માત્ર શ્રીમાને જ ભાગવતા નહિ હાય પણ લેાકરંજની કળા તરીકે તે પ્રજાજીવનમાં પણ સ્થાન પામી હશે, એ તે સમયનાં છૂટાં ચિત્રામણા, વા અને કોતરકામેા ઉપરથી સમાય છે; એટલેકે કળાકારા અને તેમની ચિત્રસામથ્રી લેકરચિત અને લેાકચિની જ હતી.
Page #26
--------------------------------------------------------------------------
________________
પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા
१५
આ ચિત્રા ઝડપથી ખેંચી કાઢેલાં દેખાય છે, તેથી ચીતરનારની અનાવત છે એમ તે કહી શકાય તેવું નથી. જેટલી ઝડપથી આપણે લખાણના અક્ષર ખેંચીએ એટલી ઝડપથી આ ચિત્રકારે આંખ, નાક, માથું, હાથ, પગ અથવા વસ્તુઓ ચીતરી શકે છે. એમ માની શકાય કે આ ચિત્રકર્મ માટે ખાસ ચૂંટી કાઢેલા કેટલાક આધારભૂત આકારે નક્કી થઈ ગયા હશે. ગીતરનાર જે કાંઈ ચીતરે છે તેમાં માનવ દેહ વિષે તે સંપૂર્ણ સમજ રજૂ કરી શકે છે. જાતખતના લોકો, તેમની હીલચાલ તેમજ મુદ્રા તેને સુર્પાચિત છે. વૃત્તાંત પર સચોટ લક્ષ્ય અને એકધારું ચિત્રાંકન એ તેનાં પ્રધાન લક્ષણેા છે. તે વાહવાહ માટે ચિત્રકામ કરતા લાગતા નથી, પણુ કાઇ રીતે ચિત્રમાંથી જ હકીકત પ્રકટ કરી શકાય તેની મથામણ તે કરે છે. એટલેકે વાંચતાં ન આવડતું હોય તેને પણ એ પાનામાંથી જાણવાનું અને જોવાનું મળી રહે અને ધર્મપ્રચારની સાર્થકતા સધાય.
ચિત્ર અને લિપિ બંને પવિત્ર આનંદજનક વૈવિહાર બની રહે તે માટે પ્રયત્નો કરવામાં આ ગ્રંથા ગાભા-સમૃદ્ધિની ટાસ રજુ કરે છે. ઘૂંટેલી કાળા, ભૂરી કે લાલ ભોંય ઉપર અક્ષરે અને ચિત્રાની તકતીએ યોગ્યરીતે સાચવીને હાંસીમાં જે વેલપટ્ટીઓ અને આકૃતિની વાડી ભરી દીધી છે તેની ાલે આવે એવી પ્રાચીન પ્રતો જાણવામાં નથી. ધર્મના પવિત્ર ગ્રંથા માટે આવા સમાદર કુરાન, બાઇબલ, ગીતા વગેરેના શ્રીમંત માલિકો અને ધર્માંધાપાએ બતાવ્યા ઇં; પણ કલ્પસૂત્રેાની આવૃત્તિ સાથે હરીફાઇ કરી શકે એવા સમૂહ ભાગ્યેજ મળશે. (આ કથન માત્ર બહાર પડેલાં પુસ્તકાને આધારે છે.)
**
જૈન કલ્પસૂત્રાના હાંસીની ચિત્રસામગ્રી ઉપર તા હિંદના જાણીતા કલાવિવેચકાનું પણ ધ્યાન ખેંચાયું જણાયું નથી. તેનું કારણુ આજ સુધી જોઇએ તેટલા પ્રમાણમાં કેટલીક અસલ વસ્તુએ કાની નણુમાં પણ નહોતી એ કહી શકાય. હાંસીઆની એ અપૂર્વ કલાસમૃદ્ધને દુનિયા આગળ રજૂ કરવાનું માન ‘જૈન ચિત્રકલ્પદ્રુમ’ના સંપાદક શ્રી સારાભાઇ નવાબને જ છે. જે નમૂના તેમણે પ્રાપ્ત કરી પ્રકટ કર્યાં છે તે માટે કળાના ઇતિહાસમાં તેમનું માન અને સ્થાન કાયમને માટે સ્વીકારવું પડશે. આ હાંસીઞાની ચિત્રકળા જ એ યુગના માનવીઓની સર્જનશક્તિ અને અપ્રતિમ શોભાતિના સંપૂર્ણ પુરાવા છે. કેવળ એ કે ચાર રગમાં, આખાયે ગ્રંથના એકએક પાને જુદીજુદી વેલપટ્ટીઓ, અભિનયભર્યો પ્રાણીઓ તથા મનુષ્યોને ચીતરનારા ચિતારા આજના કળાકારને કસોટી આપે એવા છે. તેનું આશ્ચર્યકારક, વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જન અજંતાના ભંડારને પડકારે એવું છે. લૂંટાતાં, ચોરાતાં, વેચાતાં વધેત્રે પણ સંસ્કૃતિને આ થાળ એટલો બધો સમુહ છે કે આજના કલ્પનાકૃતિ (designs) માગનારાઓની ભૂખને તે સહજમાં સંતોષે છે,
ઘણી વખત ગ્રંથનાં પાનાંએમાં હાંસીઆમાં એક ખૂણા પર લહીઆએ ચિત્રપ્રસંગની ટૂંકી નોંધ કરેલી જણાય છે, તે ઉપરથી લાગે છે કે અક્ષરો લખનાર પોતાનું કામ પૂરૂં કરી ચિતારાને ખાલી જગ્યાઓ ભરવા સોંપી દેતા હશે; એટલે ચિતારા કવિતાની પાદપૂર્તિની પેઠે પ્રસંગના સૂચક આકારેાવાળી વેલપટ્ટી અને ચિત્રા ઉમેરવાનું કામ કરતા હશે. કિવતાની કડીએ છંદમાં બંધાતી આવે તેવી રૂપ અને આકૃતિમાળાની સમતોલ વહેંચણી કરતા તે છેવટના પાના સુધી પાઠે અને ચિત્રાને એકસરખો રસ સાચવી લે છે, આવી એકધારી યેાજનાવાળાં પ્રકાશના આજના સાધનસંપન્ન યુગમાં પણ્ વિરલ છે.
ધાર્મિક ચિત્રામાં કથાપ્રસંગનાં પાત્રોનાં સ્વરૂપ આદ્ય કલાગુરુએ બાંધેલાં તેનાં તે જ સાચવવાના સંપ્રદાય આગ્રહપૂર્વક પળાતા હોય તેમ લાગે છે, કારણકે તેમાં ભાગ્યે જ નવા પ્રકાર નજરે પડે છે, છતાં ચિત ચાર કળાકારા નવી ઊર્મિ અને છટા બતાવ્યા વિના રહેતા નથી; અને જ્યાંજ્યાં કંઈકે સામાજિક વાતાવરણુ બતાવવાનું હોય છે ત્યાંત્યાં તે તેમણે અવસ્ય છૂટ લને પોતાના સમાજ ઉતાર્યાં છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્ર-ક૯૫લતા શ્રીપાલ રામનાં ચિત્રો એ રીતે ચિત્રકારની સમકાલીન સૃષ્ટિનું ચિત્ર છે. આ ચિત્રોની ચિત્રકળાની કદર કરતાં સાથે સાથે તેમણે જે સાહિત્ય અને ક્રિયાઓથી આ પ્રત તૈયાર કરી હશે તે પણ આશ્ચર્યકારક પ્રકાર ગણવો જોઈએ, તાડપત્રોને ચૂંટીને ચિત્ર યોગ્ય સફાઈ પર લાવવા તેમજ ચિરસ્થાયી બનાવવાં, અને વિવિધ રંગે ઉખડી ન જાય એવી ક્રિયાથી ભૂમિકા પર તેમને સંલગ્ન કરવાં એ બધી વાત આજના કલાકારને મહાન ભેદ જ રહેવાની, આજે મિત્રના ચિરંજીવપણા માટે સાધને કે ની લેશમાત્ર પરવા કઈ રાખતું નથી. તેઓ સંકડો વર્ષથી તેમના સર્જકોની પ્રતિભાની સાખ પૂરતા આ નમૂના શરમમાં નાખે એવા છે. આ બાબતમાં તે કુશલ વૈજ્ઞાનિકે, કલાકાર અને પ્રાચીન શાસ્ત્રવિશારદે મંડળ એકાગ્ર થઈ કામે લાગે તે જ પુનરુદ્ધાર થઈ શકે.
આ ચિત્રોમાં શૈલીનું અનુકરણ, ઘૂંટણ અને કેટલાક આકારોનાં બીબાં બરાબર સચવાયાં હોય છે એટલે આપણને વૃત્તાંતને ઉકેલ જરા યે મુશ્કેલ પડતો નથી. વૃત્તાંત સાથે આપણને રિવાજો, વસ્ત્ર, ઘરો, ઉપકર વગેરેને સારામાં સારો ખ્યાલ મળે છે. બારમીથી અઢારમી સદી સુધીનું લોકજીવન જેવું હોય તો આમાં મળી શકે.
આ ચિત્રોની બીજી ખૂબી એ છે કે સાધારણમાં સાધારણ માણસને પણ ચિત્ર સમજાય એવી રીતનો તેમાં પ્રયોગ કરવામાં આવ્યું છે. તડકો હોય ત્યારે આખું ચિત્ર પીળા રંગમાં જ ચીતર્યું હોય રાત્રિ હોય ત્યારે ભૂરા રંગ પર જ ચીતરાયું હોય. ઘરમાં રાત્રિ હોય અને દીવો ચીતર્યો હોય તો બધું લાલ ભૂમિ ઉપર આલેખ્યું હોય. વળી પ્રસંગ પ્રમાણે ઋતુ તથા કાળ દર્શાવતાં માણસ અને જનાવરોથી આપણે બધું તરત અટકળી શકીએ છીએ. નદી સરોવર કે કુંડ, તેના પાણીનાં વમળાની રેખાએથી જ સમજાઈ જાય છે. વૃક્ષો ફળો વનસ્પતિઓ વગેરે બરોબર ઓળખાય તેમ તેનાં પાન થડ વગેરે ચીતરાએલાં નજરે પડે છે. વાસ્તવિક દર્શન કરતાં આ લાક્ષણિક દર્શન ચિત્રણના નિયમમાં વધુ ઉપયોગી ગણાયું છે.
આજ સુધી ભારતીય ચિત્રકળાના ઈતિહાસમાં ગુજરાતનો નામોલ્લેખ નહોતો, પરંતુ મધ્ય યુગના આ ચિત્રકળાના નમૂના માત્ર ગુજરાતમાં જ મળ્યા હોવાથી ગુજરાતને તેથી ગૌરવ પ્રાપ્ત થયું છે, આ પ્રાચીન ચિત્રાકૃતિઓની છાયા રાજપૂત કળામાં કેમ ઊતરી ને મુગલ કળાને સમૃદ્ધ કરવામાં આનુવંશિક ઉપકાર કેવી રીતે થયો તેના અંડા તો હજી બેસાડવાના રહે છે જ; પણ જે સ્થાપત્યરચનાઓ અને વચ્ચે આ ચિત્રમાં દેખાય છે તે આજે પણ નહિ બદલાલી સમાજમાં નજરે પડે છે.
ચતુર દષ્ટિવાળા કલાવિવેચકે આ કળાના નમૂના જોતાં જ તેની potency– સર્જક અને પ્રેરક શકિત સ્વીકારશે, એટલું જ નહિ પણ દેશની કળાને તેમાંથી નવો માર્ગે જડશે એમ માનવું ભૂલભરેલું નહિ ગણાય. આજે કળા એટલે શાળાપાદિત વસ્તુ નહિ, પણ પ્રજાની ર્મિ અને ઉલ્લાસમાંથી સર્જાએલી નવસૃષ્ટિ એમ સ્વીકારીએ તે નવસર્જનના પાયામાં ચે આ કળાનાં તને ઉપયોગી થઈ પડવાનાં જ.
રવિશંકર મ. રાવળ
Page #28
--------------------------------------------------------------------------
________________
coerenteaua remunerwc8a
ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળા
ગ્રંથસ્થ જન ચિત્રકળા Oા જરાતની જૈનાશ્રિત કળા જુદાજુદા વિભાગોમાં વહેંચાએલી છે. મુખ્યત્વે કરીને તે જૈન છે. મંદિરના સ્થાપત્યમાં તથા જૈન ધર્મને હસ્તલિખિત ધર્મગ્રંથોમાં મળી આવે છે.
આ બે અંગે પૈકી સ્થાપત્યકળાને પ્રદેશ બહુ જ વિસ્તૃત હોવાથી તે વિષય ભવિષ્ય ઉપર રાખીને પ્રસ્તુત ગ્રંથમાં તેન એ બે મહત્વનાં અંગે પૈકીના એક અંગ તેના ધર્મગ્રંથોની કળાને મળી શકતો ઈતિહાસ આપવાનો મારો ઉદ્દેશ છે. - છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન ગુજરાતનાં મુખ્ય મુખ્ય શહેરોમાં આવેલા જૈન ગ્રંથભંડારો
એની ચિત્રવાળી હસ્તપ્રતોના અભ્યાસ અને બારીક અવલોકનના પરિણામે જે મારી જાણમાં આવ્યું છે તેનું ટૂંક વર્ણન અત્રે રજુ કર્યું છે. મારી પહેલાંના કામ કરનારાઓએ તેમને મળેલી અથવા જ્ઞાત થએલી એવી થોડી પ્રસ્તામાં જ પિતાનું ક્ષેત્ર સંકુચિત કર્યું છે.
ભારતની રાજપુત અને મોગલ કળાની પહેલાં, એટલેકે સોળમી સદીના છેલ્લા સમય પહેલાં લઘુ પ્રમાણમાં છબિચિત્રોની બે જાતની ચિત્રકળા મળી આવે છે. આ બે જાતમાંથી એક જાતુ નેપાળ અને ઉત્તર બંગાલ તરફની અગિયારમી સદીના સમયની મળી આવે છે, અને બીજી ગુજરાત કાયિાવાડ અને રાજપુતાના બાજુની અગિયારમી સદીના અંત સમયથી મળી આવે છે. આ બંને જાતની કળાઓમાં એકબીજીનું અનુકરણ કઈ રીતે થયું હોય, એટલે કે એકબીજી કળાને સીધો સંબંધ હોય એમ લાગતું નથી, પરંતુ તે બંને કળાએ પ્રાચીન ભારતવાસીઓએ પિતાની મેળે—સ્વતંત્રરીતે ઉપજાવી કાઢેલી છે. પૂર્વ ભારતની ચિત્રકળા મુખ્યત્વે બૌદ્ધધર્મના ગ્રંથમાં અને પશ્ચિમ ભારતની ચિત્રકળા મુખ્યત્વે વેતાંબર જૈનોના હસ્તલિખિત ધર્મગ્રંથોમાં મળી આવે છે.
આ ચિત્રકળાને ત્રણ વિભાગમાં વહેંચી નાખવી જોઈએ.
પ્રાચીન સમયની આ ચિત્રકળા તાડપત્રની હસ્તપ્રતોમાં મળી આવે છે અને તાડપત્રી એ ચિત્રકળા બે વિભાગમાં વહેચાએલી છે. પહેલા વિભાગની શરૂઆત સેલંકી રાજ્યના ઉદયથી થાય છે. મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના રાજ્યકાળની શરૂઆતમાં જ વિ.સં. ૧૧૫૭ (ઇ.સ ૧૧૦૦) માં ગુજરાતના પ્રાચીન બંદર ભંગુકચ્છ (ભરૂચ)માં લખાએલી નિશીથગૃણિની પ્રત હજી વિદ્યમાન છે, જે પાટણના સંઘવીને પાડાના ભંડારમાં આવેલી છે. જેના ઉપર તારીખ લખેલી છે તેવી આજ દિન સુધીમાં મળી આવેલી ગુજરાતની જૈશ્રિત ચિત્રકળાની સૌથી જૂનામાં જૂની ચિત્રવાળી પ્રત આ એક જ છે. પહેલા વિભાગને અંત પણ એ જ ભંડારની વિ.સં. ૧૩૪૫ (ઈ.સ.૧૨૮૮)ની સાલમાં લખાએલી જુદીજુદી પ્રાકત કથાઓની તાડપત્રની પ્રતિમાંનાં ચિથી આવે છે. કારણ કે વિ. સં. ૧૭પ૬ (ઈ.સ. ૧૯૯૦ની સાલ પછીનાં ચિત્રોની ચિત્રકળામાં બહારની બીજી કળાઓનું મિશ્રણ થોડેઘણે અંશે જણાઈ આવે છે. તાડપત્ર ઉપરનાં ચિત્રેના બીજા વિભાગની શરૂઆત વિ.સં. ૧૭૫૭ (ઈ.સ. ૧૩૦૦)થી થાય છે અને તેને અંત લગભગ વિ.સં. ૧૫૦૦ (ઈ.સ. ૧૪૪૩)ની આસપાસમાં આવે છે. આ બીજ વિભાગને સમય દરમ્યાનની ત્રણ હસ્તલિખિત પ્રતો મારા જાણવામાં આવેલી છે, જેમાંની એક પ્રત ઉપર વિ.સં. ૧૪૨૩ (ઈ.સ. ૧૩૭૦)ની તારીખ નોંધાએલી છે અને તે અમદાવાદની ઉજમફઈની ધર્મશાળાના ગ્રંથભંડારમાં આવેલી છે.
આ બીજા વિભાગના સમય દરમ્યાનનાં કેટલાંક ચિ તે લાકડાની પાટલીઓ કે જે તેડપત્રની ઉપર નીચે બાંધવામાં આવતી હતી તેના ઉપર તથા કપડાં ઉપર પણ મળી આવે છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
१८
જૈન ચિત્ર-કલ્પલતા લાકડાની એવી એ પાટલીએ વિ.સં. ૧૪૨૫ (ઈ.સ. ૧૭૬૮)માં ચીતરાએલી તારીખની નોંધવાળી મળી આવેલી છે, અને કપડાં ઉપરનાં ચિત્રા વિ.સં. ૧૪૧૦ (ઈ.સ. ૧૭પ૭)થી મળી આવે છે. ગુજરાતની જૈનાશ્રિત કળાના ત્રીા વિભાગનાં ચિત્રા મુખ્યત્વે કાગળની હસ્તલિખિત પ્રામાં મળો આવે છે. તેની શરૂઆત ઈ.સ. ની પંદરમી સદીની શરૂઆતથી થઈ હોય એમ મારૂં માનવું છે. જોકે રાવ બહાદુર ૐ.... હીરાનન્દ શાસ્ત્રી પાસે એક પ્રત વિ.સં. ૧૧૨૫ની સાલની લખાએલી મેં જોએલી છે; પરંતુ મારી માન્યતા પ્રમાણે તે તારીખ નકલ કરનારે જૂની જે પ્રત ઉપરથી નકલ કરી હરશે તેની તે કાયમ રાખેલી છે, જે તે પ્રતમાંનાં ચિત્રા માટે ઉપયોગમાં લેવામાં આવેલા સાનેરી શાહી તથા ચિઠ્ઠા દારવાની ચિત્રકારેાની રીત ઉપરથી નિષ્પક્ષ નિરીક્ષકને સહેજે જણાઈ આવે છે. તેથી તે પ્રત પંદરમી સદી પહેલાંની નથી જ એમ હું માનું છું. આ ત્રીજા વિભાગની કળાના અંત વિક્રમની સેાળમી સદીના અંત સમય દરમ્યાન આવે છે, જે વેળા ગુજરાતની જૈનાશ્રિત કળા પ્રથમ મુગલ અને પછી રાજપુત કળાની અસર નીચે આવી ગઇ હતી; અને તે પછી અઢારમા સૈકામાં તા સમકાલીન રાજપુત કળા જે લગભગ નષ્ટ થવા આવી હતી તેમાં ગુજરાતની આ જૈનાશ્રિત કળા સંપૂર્ણપણે સમાઇ ગઇ.
આ ત્રીજા વિભાગના સમય દરમ્યાનનાં જૈન સિવાયનાં બીજાં ચિત્રા વૈષ્ણવ સંપ્રદાયના ગણ્યાગાંવા ધર્મગ્રંથામાં મળી આવે છે, પરંતુ પંદરમી સદી પહેલાંનાં ગ્રંથસ્થ ચિત્રા જૈન શ્વેતાંબર કામના ધર્મગ્રંથામાં જ મળી આવે છે, અને આ જ કારણથી આ કળાને કેટલીક વખત જૈન’ અગર શ્વેતાંબર જૈન' કળાના નામથી સંખેાધવામાં આવેલી છે.
કેટલાક વિદ્વાનો આ કળાને ગુજરાતી કળા’ના નામથી ઓળખાવે છે. પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં રજુ કરેલા પુરાવા ઉપરથી આપણે જાણી શકીશું કે આ કળાના વિકાસ એકલા ગુજરાતમાં જ નહિં પણ પશ્ચિમ ભારતના દરેક પ્રદેશમાં થએલા હતા. ઉ.ત. સ્વર્ગસ્થ મુનિમહારાજ શ્રીહંસવિજયજીના વડાદરાના સંગ્રહમાં આવેલી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત વિસં. ૧૫૨૨માં રાજપુતાનામાં આવેલા યવનપુર (જોનપુર)માં લખાએલી છે. બીજી એક સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રત વડોદરામાં વયેવૃદ્ધ ગુરુદેવ પ્રવર્તક શ્રીકાંતિવિજયજીના સંગ્રહમાં છે, તે માળવામાં આવેલા મંડપદુર્ગ (માંડવગઢ)માં લખાયેલી છે. ત્રીજી પ્રત ઉત્તરાયન સૂત્રની સંવત ૧૫૨૯માં મંડપદુર્ગમાં લખાએલી અમદાવાદના દેવશાના પાડાના ઉષાશ્રયમાં આવેલા શ્રી યાવિમલજી શાસ્ત્રસંગ્રહમાં આવેલી છે.
આ સિવાય બીજી ઘણી પ્રતા માંડવગઢ વગેરેમાં લખાએલી મળી આવે છે. ગ્યા તથા બીન પુરાવાઓ ઉપરથી આ કળાને ગુજરાતી કળા’ને બદલે આપણે અગાઉ જણાવી ગયા તેમ ‘ગુજરાતની કળા' (પ્રાચીન વ્યાપક અર્થમાં) તરીકે સંમેધવી વધારે વાસ્તવિક છે. આ કળાને પ્રચાર આખા પશ્ચિમ ભારતમાં થવાનું એક કારણ એ પણ હોય કે પ્રાચીન ગુજરાતના સ્વતંત્ર હિંદુ રાજવીએના અજેય બાહુબળના પ્રતાપે તે મુલકો ગુજરાત પ્રદેશની છાયા નીચે હોવાથી સંભવત છે કે ગુજરાતના ચિત્રકારો ત્યાં જવાને લીધે આ કળાનેા પ્રચાર પશ્ચિમ ભારતના સઘળા પ્રદેશોમાં થયે। હાય. બીજું કારણ એ છે કે આ કળાના પ્રાચીન સમયના તાડપત્રના જે નમૂનાઓ મળી આવ્યા છે તે સઘળા જ મુખ્યત્વે કરીને ગુજરાતના પ્રાચીન પાટનગર અગુહિલપુર પાટણ તથા તે વખતના પ્રખ્યાત અંદર ભૃગુકચ્છ (ભરૂચ)ના છે.
ગુજરાતની આ જૈનાશ્રિત કળાના સંપ્રદાય ભારતીય ચિત્રકળાના ઇતિહાસ માટે બહુ જ મહત્ત્વનો છે. તેનું એક કારણ તે એ છે કે આ ચિત્રકળાના નાના અગર મેટા દરેક ચિત્રે કેટલા યે સૈકા સુધી અજંતા, બધ અને એલેરાની ગુફાઓનાં મિત્તિચિત્રાની પરંપરા જાળવી રાખી છે. બીજું કારણું એ કે તે સ્વચ્છતા અને સુંદરતામાં ઘણી જ આગળ પડતી અને પ્રખ્યાતિમાં આવેલી
Page #30
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળા
१९
રાજપુત અને મુગલકળાની જન્મદાત્રી છે. ત્રીજી બાજુએ કેટલાક દાખલામાં તેની સાથે દંરાની કળાનું મિશ્રણ થએલું છે,
ગુજરાતની જૈનાશ્રિત કળાનાં નાનાં ચિત્રાની આટલી બધી ઉપયાગતા હોવા છતાં તેના તરફ બહુ જ એછું ધ્યાન આપવામાં આવ્યું છે તેથી તેમજ તેના ઉપરનાં બહુ જ ચેડાં લખાણા પ્રસિદ્ધિમાં આવેલાં હોવાથી હજુ સુધી કેટલાક વિદ્વાનોને આ કળા તદ્દન અજ્ઞાત છે.
અજાણ રહેવાનું એક કારણ એ પણ છે કે જૈન ગ્રંથભંડારા સિવાય ભારતનાં મ્યુઝિયમેામાં તેમજ પાશ્ચાત્ય પ્રદેશમાં તેની જે પ્રતો જોવામાં આવે છે તે, મળી આવતી પ્રતાના સામા ભાગની પણ નથી. ભારતના જૈન ગ્રંધભંડારામાં તેમજ જૈન સાધુએ તથા જૈન ધનાઢયોના ખાનગી સંગ્રહમાં અધી મળીને હજારા હસ્તપ્રતા હજુ અણુશાલી પડી છે. બીજું કારણ વસ્તુના અજ્ઞાતપણાને લીધે તેના વહીવટદારેની તે નહિ બતાવવાની સંકુચિતતા છે. કેટલાક દાખલાઓમાં આ સંકુચિતતા વ્યાજબી પણ છે.
ગુજરાતની આ જૈનાશ્રિત કળાના નમૂનાઓ પરદેશમાં મુખ્યત્વે કરીને નીચેનાં સ્થળે એ આવેલા છેઃ ઇંગ્લંડમાં બ્રિટિશ મ્યૂઝિયમમાં, ઇંડિયા ઍકિસની લાયબ્રેરીમાં, રાયલ એશિયાટિક સાસાએટીની લાયબ્રેરીમાં, બૉલીઅન લાયબ્રેરીમાં, કૅમ્બ્રિજ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં; જર્મનોમાં Staats Bibliothek અને મ્યૂઝિયમ fur Volkernkunde બંને બર્લિનમાં; ઑસ્ટ્રિયામાં વીએેનાની યુનિવર્સિટીની લાયબ્રેરીમાં; અને ફ્રાન્સમાં Strasbourgની લાયબ્રેરીમાં, કદાચ ઘેાડીઘણી ઇટાલીના કલોરેન્સની લાયબ્રેરીમાં પણ હોય. અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સમાં ખાસ કરીને સ્ટન મ્યૂઝિયમમાં કે જ્યાં (ભારતીય જૈન ગ્રંથભંડારા બાદ કરીએ તે) પરદેશમાંના આ કળાના સારામાં સારા સંગ્રહ છે; વોશિંગ્ટનમાં દ્વીઅર ગૅલેરી આક આર્ટમાં, ન્યૂ યોર્કમાં મેટ્રોપોલિટન મ્યૂઝિયમમાં, ડેટ્રોઈટના આર્ટ મ્યૂઝિયમમાં તથા ઘણા અમેરિકન ધનકુબેરોના ખાનગી સંગ્રહામાં
આ ચિત્રા આવેલાં છે. આ પ્રમાણે પશ્ચિમના પ્રદેશેામાં બહુ જ થૈડી જગ્યાએાએ પ્રતા ગએલી હોવાથી પણ ઘણા પાશ્ચાત્ય વિદ્રાના આ ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળાથી અજાણ્યા હોવાનું સંભવી રાકે છે, પરંતુ હવે એવા સમય આવી લાગ્યે છે કે ભારતીય ચિત્રકળાના અભ્યાસીમેને આ કળાથી અજ્ઞાત રહેવાનું પાલવી શકે જ નહિ,
ગુજરાતની આ જેનાશ્રિત કળા જે મુખ્યત્વે નાનાં બિચિત્રાની કળા છે તેને, જેના ઉપર તે ચોતરવામાં આવી છે તેના પ્રકાર પ્રમાણે જે વહેંચી નાખવામાં આવે તો તે ચાર વિભાગમાં વહેંચાઈ જાય છે. આ ચાર વિભાગમાં પહેલા વિભાગની કળાનાં બધાં ચિત્રા તાડપત્રની હસ્તલિખિત પ્રતા ઉપર ચીતરેલાં કાયમ છે, જે ચિત્રાને આપણે ઉષર એ વિભાગમાં વહેંચી નાખ્યાં છે. બીન્ન વિભાગનાં ચિત્રા તાડપત્રની પ્રતાની ઉપર નીચે બાંધવામાં આવતી લાકડાની પાટલી ઉપર ચીતરેલાં હેવામાં આવે છે. ત્રા વિભાગનાં ચિત્રા કપડાં ઉપર અને ચાથા વિભાગનાં કાગળ ઉપર ચીતરાએલાં મળી આવે છે. પાછળના ત્રણ વિભાગનાં ચિત્રાને આપણે ઉપર ત્રીવિભાગમાં સમાવી દીધાં છે, તેનું કારણ લાકડા તથા કપડાં ઉપરનાં ચિત્રા માત્ર ગણ્યાગાંડવાં મળી આવ્યાં છે તે છે. તાડપત્રની કળાને આપણે ‘પ્રાચીન કળાના નામથી સંòોધન કર્યું છે. ઇ.સ. ચૌદસા પચાસમું વર્ષ તાડપત્રની કળા તથા કાગળની કળાના ભાગલા વહેંચવા માટે યોગ્ય હાય એમ મને લાગે છે, પ્રાચીન તાડપત્ર ઉપરની નાનાં ચિત્રોની કળા ઇ.સ.ના પંદરમા સૈકાના ઉત્તરાર્ધ પછી તદ્દન લુપ્ત થઇ ગઇ હેાય એમ દેખાય છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૦
જૈન ચિત્ર-કલ્પલતા
કળાની દૃષ્ટિએ આ કળાનું વિવેચન
કળાનિર્માણુની દૃષ્ટિથી ગુજરાતની જૈનાશ્રિત કળા એ નાનાં બિભિચત્રાની કળા છે અને તે હુ જ મને વિષય છે. નાનાં બૌદ્ધ ચિત્રાના આલેખનનું અનુકરણ તેમાં નથી. ભારતીય ચિત્રકળાના ઇતિહાસમાં સુંદર કળાનિર્માણ અર્થે અગાઉના એક પણ દષ્ટાંત વિના મૂળ બનાવટ નહિ, પણ તેના ઉપયેગ સારૂ ગુજરાતની નાશ્રિત કળાને માન ઘટે છે. પ્રાચીન ગુજરાતની આ કળા એ ગંભીર કળા છે; તેમજ શારીરિક અવયવાળું યથાર્થ દિગ્દર્શન કરાવનારી આ કળા ધણી જ સુંદર ચિત્રકળાની રચના સારૂં પંકાએલી છે, એટલું જ નહિ પણ કળાની નિપુણતા ઉપરાંત તેની અંદર અત્યંત હાર્દિક ભૂખી રહેલી છે. ઘેાડાંએક ચિત્રા જોકે કઠાર અને ભાવશૂન્ય હોય તેમ લાગે છે, તેપણ કેટલીક વખત મુખમુદ્રાલેખન અને લાવણ્યમાં તે ચડી જાય છે. ચિત્રના રંગેની પસંદગી તે ધણા ચા પ્રકારની છે. તાડપત્ર ઉપરની કળા બહુ જ ઊંચી કક્ષાની છે, જોકે તેના વિયા બહુ મર્યાદિત છે. પાછળથી તેરમા સૈકાની એક પ્રતમાં તે! કુદરતી દૃશ્યો પણ ચીતરેલાં મળી આવ્યાં છે. ચૌદમા સૈકાના અંત ભાગમાં આ કળાના સૌથી ઉત્તમમાં ઉત્તમ નમૂના મળી આવ્યા છે. કાગળ ઉપરની કળા પણ કેટલાક દાખલાઓમાં બહુ જ ઊંચી કક્ષાની છે. જાજરમાન સુવર્ણમય અથવા રક્તવર્ણ પૃષ્ઠભૂમિ ઉપર આલેખેલા આસમાની, શ્વેત તેમજ વિવિધ રંગે બહુ જ આનંદ આપે છે. ખરેખર ગુજરાતની જૈનાશ્રિત કળાનું જે કાઈ ખાસ મહત્ત્વનું લક્ષણ હોય તો તે ખાસ શોભાયમાન ચિત્રાથી હસ્તપ્રત શણગારવાનું હતું. ચળકતા સુવર્ણરંગી અને વિવિધ રાતા રંગના સુંદર રંગથી રંગવાની કળા કળાકારની ખૂબીમાં ગૌણ ન હતી પણ તે તે તેના મુખ્ય પાયે હતા. વળી અલંકાર અને શારીરિક અવયવાની દરેક ઝીણવટમાં માપ અને આકારનું ચાક્કસ જ્ઞાન ચિત્રકારની અલંકરણ કરવાની તીવ્ર લાલસાથી અંકાએલું છે.
યદ્યપિ ચિત્રકારે તેજ અને છાયાના ઉપયોગ ચિત્રને ઉઠાવવામાં-અહાર પડતાં દેખાડવામાંકર્યો નથી. તાપણું એમ માની લેવું નહિ કે કળાકારે ત્રણ જગ્યામાં-લંબાઇ ઊંડાઈ અને પહેાળાઈમાં– અવગાહતી મૂર્તિઓ (plastic form)ને દેરવાને જરા યે પ્રયત્ન કર્યાં નથી. આ દેખાવ ભરાવદાર અંગે દોરીને, વખતે દાદી આદિ વળાંકને પ્રમાણ કરતાં વધારીને તે કરતા; અને ચિત્ર આપણે બાજુએથી જોતા હૈાએ તેવું બતાવતી વેળા તો કળાકાર બંને આંખાને એવી રીતે દારતા કે આપણને બેિ તદ્દન સપાટ જ લાગે.
ચિત્ર ચીતરવાની રીત
ગુજરાતની જૈનાશ્રિત કળાના ત્રણે વિભાગ દરમ્યાનનાં ચિત્રા સામાન્ય રીતે મળતાં દેખાય છે; જોકે પ્રતા બનાવવાના પ્રકાર જુદીજુદી રીતના દેખાય છે, મુખ્યત્વે લખનાર અને ચીતરનાર વ્યક્તિએ અલગ અલગ હોય તેમ લાગે છે, તોપણ કેટલાક દાખલાએમાં લખનાર ને ચીતરનાર એક પણ હોય છે. આજે પણ વયેવૃદ્ધ આચાર્ય મહારાજશ્રી જયસૂરીશ્વરજી પોતાની જાતે જ પ્રતો લખે છે અને તેમાં ચિત્રા ચીતરે છે. અક્ષરે લખનારા ચિત્ર ચીતરનાર માટે અમુક જગ્યા છેાડી દેતા. આ વાત પ્રતાની બારીક તપાસ કરવાથી જણાઈ આવે છે. પ્રતના અક્ષરા ચિત્રાની જગ્યા હાડીને ધારાબહુ ચાલ્યા આવતા દેખાય છે; અને કેટલાક દાખલાએમાં ચિત્રકારની સમજ માટે હાંસીઆમાં પ્રસંગને લગતું લખાણ પણ લખેલું મળી આવે છે, કે જેને ચિત્રકાર મુખ્યત્વે અનુસરતા. લખનાર બહુધા પેાતાનું કામ પૂરૂં કરતા ત્યારે તે પ્રત ચિત્રકારને સુપ્રત કરતો હોય એમ સ્પષ્ટ જણાઇ આવે છે. નાનાં ચિત્રાના આલેખનમાં પત્ર ઉપર ખાસ રાખેલી જગ્યામાં તાડપત્ર ઉપર લાલ રંગ અને કાગળ ઉપર પ્રવાહી સુવર્ણની શાહી અથવા સુવણનાં ઝીણામાં ઝીણાં પાનાં (વરખ કે જેનો આજે પણ જૈન મંદિરમાં જિનમૂર્તિની અંગરચના કરવા માટે ઉપયોગ કરવામાં
Page #32
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળા આવે છે), જેટલી જગ્યામાં ચિત્ર દોરવાનું હોય તેટલી જગ્યામાં, પ્રથમ લગાડવામાં આવતાં, તેની પાછળની પૃષ્ટભૂમિ મોટે ભાગે ઘેરા રાતા રંગમાં કરવામાં આવતી અને તેના ઉપર રંગની ભૂકી એવી રીતે લગાડવામાં આવતી કે ચિત્ર પોતે સુવર્ણમય જ લાગે. બાહ્ય રેખાઓ અને આંખો, આંખનાં પિોપચાં, કાન, આંગળીઓ વગેરે પછીથી કાળા રંગમાં રંગવામાં આવતાં હતાં. જે છબચિત્રો આ રીતે દેરવાનું પરિણામ એ આવ્યું કે સ્ત્રી અને પુરુષોની મુખાકૃતિઓ, તેમનાં વસ્ત્રો અને પુષ્પાદિથી રચેલા બીજા અલંકારે જાણે એનાથી સપાટ ચીતરેલાં હોય એમ જણાય છે. ચિત્રને જયારે આપણે બાજુ ઉપરથી તપાસતા હોઈએ ત્યારે જણાય છે કે આવી છબિના ચહેરામાં નાકને કેટલીક વખત લાલ રંગથી રંગવામાં આવતું હતું.
આ રીતે ચિત્ર તે સંપૂર્ણ દોરાતું; પણ હવે તેમાં રંગ પૂરવાને પીછી ઉપર આસમાની રંગ લેવાતો અને વસ્ત્ર તથા બીજા ભાગો ઉપર તે જરૂર પુરતો મૂકવામાં આવતો; તેમજ મનુષ્ય અને પ્રાણીઓના શરીરને ગેળ ભરાવદાર ભાગે જેવી કેટલીક જગ્યાઓ એ જાડી પછીથી રંગ પૂરીને તે પ્રમાણમાં ઘટ-સ્કૂલ દેખાય તેમ કરાતું. “ત ખાલી જગ્યાએ કેઈક વાર ઇરાદાપૂર્વક રાખવામાં આવતી, પણ ક્યારેક સુવર્ણનાં પાનાં ચોટાડતાં અકસ્માતથી પણ રહી જતી. સાધુઓનાં સફેદ કપડાં બતાવવા માટે તે મોતના રંગ જેવો ધોળો રંગ કયારેક વપરાતે.
બહુ જ ઓછા પ્રસંગે એક પાંચમે રંગ વપરાશમાં લેવાત. એ રંગ તે બહુ જ સુંદર ઘેરે મોરથુથી જેવો લીલો રંગ. પ્રાચીન હસ્તપ્રતોના ચિતરનારાઓના રંગસંભારમાં આ સિવાય બીજા કેઈપણ રંગ મળી આવતા નથી. પણ પછીના વખતની કાગળના સમયની હસ્તપ્રતોમાં કેટલીકવાર સુવર્ણરંગની જગ્યા પીળા રંગે અને રાતા રંગની પૃષ્ટભૂમિની જગ્યા આસમાની રંગે લીધેલી લાગે છે..
જૈનાશ્રિત કળાનાં નાનાં છબિચિત્રો દોરવામાં શરીરના પ્રત્યેક અંગ પ્રત્યંગ દોરવાની રચના વાસ્તવિક તુલના ઉપર બાંધવામાં આવતી હતી. શિપકળાના અંગાર આમાં મુખ્ય ભાગ ભજવે છે.
કોતરકામવાળી ઊપસેલી વેલો અને છોડવાઓ કાં તે એક જ શિલીના બનાવાતા અગર કુદરત ઉપરથી પણ બનાવવામાં આવતા. પશુઓ અને પક્ષીઓનાં ચિ, ખાસ બ્લ રંગથી રંગેલા રાજહંસ, સફેદ રંગને હાથીઓ, ઘડાઓ, હરણ, વિવિધ જાતનાં નૃત્યચિત્રો વગેરે કિનારીની ઉપર તથા આજુબાજુના હાંસીઆઓમાં શોભા આપનારા પદાર્થો તરીકે જવામાં આવતા; તેમજ જૈન ધર્મનાં આઠ પવિત્ર પ્રતીક-અષ્ટ મંગલ–ને તથા ચૌદ સ્વપ્નાદિનો પણ તેવી જ જાતને ઉપયોગ કરવામાં આવતા.
આ કળા આ નાનાં છબિચિાનું અસ્તિત્વ ન હોત તો આપણને તે જ કાળનો પરિચય નહિવત અથવા બહુ જ અપ હત. આ ચિત્રો તે સમયના જીવનનું અને સંસ્કારનું જે જ્ઞાન આપણને પૂરું પાડે છે તે બહુ જ કિંમતી છે. ખરેખર તે ઉપરથી આપણે જન્મથી માંડી મરણ પતના સમસ્ત જીવનના દરેક ભાગનું વિશ્વસનીય અને બહુવિધ દૃશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.
આવાં નાનાં છબિચિત્રોમાં ચીતરાએલી વ્યક્તિઓને ચહેરાની તાદૃશ્યતા કે તેમના ચારિત્ર્યની છાપ તેમાં પાડવાની શકિત એ ચિત્રકારોમાં હોય એમ ઇચ્છવું એ વધારે પડતું ગણાય. વસ્તુતઃ સર્વ મહાપુરુષો અને સાધુઓ, દેવ અને દેવીઓ, રાજાઓ અને રાણીઓ, સુભટ અને સ્ત્રી પુરુષો જે પ્રાચીન ચિત્રકારોએ ચીતર્યાં છે તે જાણે એક એકકસ બીબામાંથી નીકળ્યાં હોય તેવાં જણાય છે.
સુપ્રસિદ્ધ કલામર્મજ્ઞ ડૅ. આનંદકુમારસ્વામી આ કળાને નીચેના શબ્દોમાં અભિનંદન આપે છેઃ
"That the handling is light and casual does not imply a poverty of craftsmanship (the quality of roughness in 'primitives' of all ages seems to unsophisticated observers a defect), but rather perfect ade
Page #33
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્ર-ક૯૫લતા quacy; it is the direct expression of a flashing religious conviction and of freedom from any specific materialinterest. This is the most spiritual form known to us in Indian painting, and perhaps the most accomplished in technique, but not the most emotional nor the most intriguing Human interest and charm, on the other hand, are represented in Ajanta painting and in late Rajput art.' અર્થાત-હથેટી હળવી અને પ્રાસંગિક હોય તેટલા ઉપરથી કળાનૈપુણ્યની ઊણપ છે એમ ફલિત થતું નથી. (દરેક યુગનાં પ્રાથમિક ચિત્રોનું ખરબચડાપણું સામાન્ય જેનારને તે ખામી રૂપ જ દેખાય છે.) ઉલટું પૂર્ણ સંયોજન જણાય છે; કારણકે તે સતેજ ધર્મશ્રદ્ધા અને જડ વસ્તુ પરના રાગની મુક્તિના સીધા પરિણામરૂપ છે. ભારતીય ચિત્રકળાનું આ અતિ આધ્યાત્મિક, અને કૌશલ્યમાં કદાચ એક નિપુણતાવાળું સ્વરૂપ છે, જોકે તે બહુ ભાવનાત્મક કે અટપટું નથી. બીજી બાજુ, અજંતાનાં ચિત્રોમાં અને પાછળની રાજપુત કળા'માં માનુષી રસ અને સાંદર્ય પ્રતિષ્ઠિત કરેલાં છે.”
આ કળાની ખાસ વિશિષ્ટતાએ આ કળાનાં ચિત્રોની ખાસ વિશિષ્ટતાઓ તો તેનાં સ્ત્રી અને પુરુષ બંનેના ચહેરાની રીતે બહુ જ જુદા પ્રકારની છે તે છે; અને વળી તે સાથે તેની આંખ બહુ જ અજાયબીભરી હોય છે. પ્રાચીન તાડપત્રના સમય દરમ્યાન ચહેરાઓ હમેશાં એમાંથી એક તરક,બેતૃતીયાંશ અગર કાંઇક વધારે પડતા ચીતરેલા હોય છે. પછીના-કાગળના-સમય દરમ્યાન આગળની આંખ હમેશાં સંપૂર્ણ દોરવામાં આવતી કે જે પોટેટની ખાલી જગ્યા રોકતી. મિ. ઘોણ સમજાવે છે કે “આ ફેરફાર ચિત્રકારની ઇરછા મુજબ થતો, કારણકે તે એમ બતાવવા માગતું કે તે આ કાંઇ સાદું ચિત્ર ચીતર નથી, પરંતુ તેનો ઇરાદે એક સાંપ્રદાયિક ચિત્ર તૈયાર કરવાનો છે.” આ દલીલ ગમે તેમ હોય, પણ તેના કરતાં મેં અત્રે રજુ કરેલી દલીલ વધારે યોગ્ય હોય તેમ મને લાગે છે. હાલમાં શ્વેતાંબર મંદિરમાં મોટે ભાગે દરેક મૂર્તિ ઉપર, મૂર્તિના પથ્થરમાં કોતરેલા મૂળ ચઓ ઉપરાંત વધારાનાં સ્ફટિકનાં ચક્ષુઓને (કે જેને આકાર લંબગોળ જેવો અને બંને ખૂણાઓ અણીવાળા હોય છે તેનો ઉપયોગ વધારે ભકિ–બહુભાનતા દેખાડવા માટે કરવામાં આવે છે. આ સ્ફટિકનાં ચક્ષુએ મૂર્તિની મૂળ કુદરતી આંખ ઉપર અરધો ઈચ અગર તેથી વધારે આગળ ઉપસી આવતાં દેખાય છે, અને જ્યારે મૂર્તિને એક બાજુ ઉપરથી જોવામાં આવે ત્યારે જૂનાં ચિત્રમાં જેવી રીતની પટેટની આંખે ચીતરવામાં આવેલી હોય છે તેને બરાબર મળતાં તે દેખાય છે. અત્યાર સુધી જાણમાં આવેલા આ કળાના નમૂનાઓ જૈન શ્વેતાંબર સંપ્રદાયની પ્રતામાં ચીતરેલા દેખાય છે અને તેમાં મુખ્યત્વે તીર્થકરોનાં, દેવદેવીઓનાં ને પ્રખ્યાત ધર્મગુરુઓનાં જેવાં હોય છે તેવાં ચક્ષુ જ શ્વેતાંબર જૈન મંદિરના સ્થાપત્યમાં છે. એટલે મારી માન્યતા મુજબ તે આ જૈશ્રિત કળામાં જે ઉપસેલાં ચક્ષઓ દેખાય છે તેમાં તથા શરીરના બીજા અવયવો જેવાં કે નાક, કાન, આંખની ભમરી વગેરે અંગોપાંગમાં ચિત્રકારે તાંબર જૈન મંદિરને સ્થાપત્યનું જ અનુકરણ કરેલું હોય તેમ સ્પષ્ટ ભાસે છે. એક બાજુ તીર્થકરે, દેવદેવીએ, સાધુઓ અને દેરાસરની અંદરની બાજુમાં કોતરેલી નર્તકીઓની એ મૂતિઓ તથા બીજી બાજુ આપણાં અહીં રજુ કરવામાં આવેલાં ચિત્રો છે એ બંનેની વચ્ચે દેખાતી સરખામણી મારી આ દલીલને મજબૂત પુરાવો આપે છે.
જોકે પંદરમા સૈકાની વૈષ્ણવ સંપ્રદાયની હસ્તપ્રતોમાંના તેમજ એલોરાની ગુફામાંના કલાસના હિંદુ મંદિરનાં ભિત્તિચિત્રના ચહેરાઓ પણ તે જ જાતની વિશેષતા દર્શાવે છે. વૈષ્ણવ સંપ્રદાયની હસ્તપ્રતોનાં ચિત્રોમાં આ જાતની જે વિશેષતા જોવામાં આવે છે તે બહુ મહત્ત્વની નથી.
Page #34
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જીવાશ્રિત ચિત્રકળા કારણકે તે બધાં કાગળ ઉપર છે અને જૂનામાં જૂના તાડપત્રના નમૂના કરતાં યે કેટલાક સૈકા પછીનાં છે. એલોરાનાં ભિત્તિચિત્રાની તારીખ કદાચ દસમી અગર અગીઆરમી સદીની હશે. ગમે તેમ હોય, તોપણ તે આપણી દલીલને બરાબર બંધબેસતાં નથી. ચિત્રકારોએ તેમાં ફક્ત ચહેરાઓનાં ચક્ષુઓની સમાનતા સિવાય બીજી વિશેષતાઓ, જેની આપણે ઉપર ચર્ચા કરી ગયા, તેની રજુઆત તે ચિત્રોમાં કરી દેખાતી નથી. ચહેરાઓનાં ચક્ષુઓની આ રીત, જ્યાં સુધી મારી જાણમાં છે ત્યાં સુધી, અજતા, ભાઇ. રસીતાવાસલ અને એલોરાને જન (દિગંબર) ગુફાઓમાં પણ દેખાતી નથી. અને કચીવરમના સ્થાપત્યનિર્માણવાળા દિગંબર મંદિરમાં (કે જ્યાં બે જાતનાં ભિત્તિચિત્રો છે–એક જાતનાં શિખરની નીચેની છત ઉપર અને બીજાં દિવાલો ઉપર ત્યાં પણ નથી. દિગંબર જૈન મૂર્તિઓને વધારાનાં ચક્ષુઓથી શણગારતા નહિ હોવાથી તેમને દેવમંદિરની મૂર્તિઓની નકલ કરવાની હોય જ નહિ કે જેવી રીતે તાંબર શણગારે છે. આના માટે આપણે હજુ વળી આગળ વધીને કહી શકીએ કે તાંબર ચિત્ર ચીતરનાર ચિત્રકારોએ જે પ્રમાણે મનુષ્યને ચહેરો ચીતર્યો તેનું માત્ર અનુકરણ જ ગુજરાતના વૈષ્ણવ ચિત્ર ચિતરનાર ચિત્રકારોએ કર્યું, નહિ કે મિ. ઘેપ કહે છે તેમ પિતાની વાભાવિક ઇચ્છાથી. જૈન મંદિરમાં આવેલી મધ્યકાળની જિનમૂર્તિઓ ઉપરથી જ તે રીતને તેઓ અનુસર્યા હોય એ જ વધારે યુકિતગંગત લાગે છે. એ ઉપરાંત જ્યાં જ્યાં નાનાં છબિચિત્રોને ચહેરાઓ બીજા એવાં ચક્ષુઓવાળા હોય છે તે સઘળા વેતાંબર જિનમૂર્તિના અનુકરણ રૂપે હોય તેમ માલુમ પડે છે. ટૂંકાણમાં, આ પ્રથાનું મૂળ શ્વેતાંબર મંદિરના સ્થાપત્યમાં સમાએલું છે. આ ઉપસેલાં ચક્ષુઓની પ્રથા તાંબર મંદિરમાં ક્યારથી શરૂ થઈ તે શોધી કાઢવું મુશ્કેલ છે, તે પણ તે સંબંધમાં મેં મારી જાતે અમદાવાદમાં મળેલા જૈન સાધુ સંમેલન વખતે બે વયોવૃદ્ધ તથા જ્ઞાનવૃદ્ધ જૈનાચાર્યોની મુલાકાત લીધી હતી અને તેઓશ્રી તરફથી મને જે ખુલાસો મળ્યો હતો તે અક્ષરશઃ નીચે પ્રમાણે છેઃ
એવાં ચક્ષુઓની પ્રથા કયારથી શરૂ થઈ તે નિશ્ચિતપણે કહી શકાય નહિ, પરંતુ આ પ્રથા ઘણી પ્રાચીન હોવાનું જૂની જિનમૃતિઓ તથા ચિત્ર ઉપરથી અનુમાન થઈ શકે છે. સૌથી પ્રથમ ચક્ષુઓ કેડીનાં વપરાતાં હતાં. તે પછી હાલમાં મેવાડ, મારવાડ આદ પ્રદેશોમાં વપરાય છે તેવાં મીનાકારી (ચાંદીનાં પતરાં ઉપર રંગકામ કરેલાં) ચક્ષુઓએ કોડીનું સ્થાન લીધું. સમય જતાં મીનાકારી ચક્ષુઓની સુલભતા સધળા સ્થળે નહિ હોવાથી તેનું સ્થાન ફટિકના ચક્ષુઓએ લીધું હોય એમ લાગે છે. મૂર્તિ ઉપર સ્કટિક સીધે ટકી શકે નહિ, તેથી તેને પકડી રાખવા માટે ચાંદીના પતરાનાં ખોખાં તૈયાર કરી તેને સેનાથી રસાવી તેની અંદર ફિટિકના ચક્ષુઓ મૂકવામાં આવે છે. આથી તેનું કદ થુલ થઈ જઈ ચક્ષુઓ ઉપસેલાં (ઉપનેત્રો જેવાં દેખાય છે. આજે કેટલેક ઠેકાણે તો મૂર્તિઓ પર આ ચક્ષુએ ચુંટાડવામાં બહુ બેદરકારી બતાવવામાં આવે છે, તેથી જેમ બને તેમ ચક્ષુઓ દર્શન કરનારને વધારે આકદકારી અને આરમણતા તરફ વધુ ને વધુ ખચવાને સહાયકારી થાય તે માટે જિનમૃતિને તે બરાબર બંધબેસતાં રહે તેવું ધ્યાન દેવાની આવશ્યકતા છે.”
વળી આ ચિત્ર મની પુપ તથા સ્ત્રીની આકૃતિઓના કપાળમાં આવા આકારનું, પુરાના કપાળમાં U આવા આકારનું અને કેટલાક દાખલાઓમાં = ત્રણ લીટીઓ સહિતને તિલક જોવામાં આવે છે. સ્ત્રીના કપાળમાં ૦ આવા પ્રકારનું જે તિલક જોવામાં આવે છે તે પ્રજામાં આજે પણ જેમનું તેમ ચાલુ છે, પરંતુ પુરના કપાળમાં આવા પ્રકારનું જે તિલક જૂનાં ચિત્રોમાં જોવામાં આવે છે તે પ્રથા તે સમયના રીતરિવાજોનું સમર્થન ભલે કરતી હોય, પરંતુ આજે તે જૈનેમાંથી નાબૂદ થએલી હોવા છતાં પણ તેનું અનુકરણ વૈષ્ણવ સંપ્રદાયમાં જેમનું તેમ કાયમ રહ્યું છે. પ્રાચીન જે વિષયો સંબંધીનાં ચિત્રોમાં તેમજ અમદાવાદમાં નાગજી ભૂદરની પિળના દેરાસરના ભૂમિમાં આવેલી વિ.સં. ૧૧૦૨ (ઈ.સ. ૧૦૪પ)ની ધાતુની જિનમૂર્તિના તથા
Page #35
--------------------------------------------------------------------------
________________
છે
જેન ચિત્રકલ્પલતા પંદરમા સૈકાના ધાતુના બે પંચતીર્થના પટમાંની જિનમૂર્તિના કપાળમાં પણ આવા ધ પ્રકારનું તિલક મળી આવતું હોવાથી આપણે સહેજે અનુમાન કરી શકીએ કે પંદરમી સોળમી સદી સુધી તે ગુજરાતનાં પુરુષપાત્રો, પછી તે જે હો કે વૈષ્ણવ, પિતાના કપાળમાં આવા એ પ્રકારનું તિલક કરતાં હોવાં જોઈએ. તે પ્રથા ક્યારે નાબૂદ થઈ તેનું ખરેખરું મૂળ શોધી કાઢવું મુશ્કેલ છે, પરંતુ એટલું તે ચેકકસ છે કે મિ. મહેતા કહે છે તેમ, પ્રાચીન ચિત્રમાં મળી આવતાં આવા ધ પ્રકારનાં તિલકો
ઈ સંપ્રદાયનાં ઘાતક નહોતાં. તીર્થકરોનાં ચિત્રોમાં બંને પ્રકારનાં તિલકે મળી આવે છે. સાધુ અગર સાધ્વીના કપાળમાં કોઈ પણ જાતનું તિલક જોવામાં આવતું નથી. સાધુઓ અને સાધ્વીએનાં કપડાં પહેરવાની રીત તદ્દન જુદી જ દેખાઈ આવે છે, કારણકે સાધુઓને એક ખભે અને માથાનો ભાગ તદ્દન ખુલ્લો –વસ્ત્ર વગરને હોય છે; જ્યારે સાધ્વીઓને પણ માથાને ભાગ ખુલ્લો હોવા છતાં તેઓનું ગરદનની પાછળ અને આખું શરીર કાયમ કપડાંથી આચ્છાદિત થએલું હોય છે. પ્રાચીન ચિત્રામાં રાજમાન્ય વિદ્વાન સાધુઓ સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા દેખાય છે, તે એ સમયની પ્રથાની રજાઆત ચિત્રકારે ચિત્રમાં કરી બતાવ્યાની સાબિતી છે.'
| મોગલ સમય પહેલાંના એક પણ જૂના ચિત્રમાં સ્ત્રીઓના માથા ઉપર ઓઢણું અગર સાડી ઓઢેલી જણાતી નથી. સ્ત્રીઓ ચોળી પહેરે છે, પણ તેના માથાને ભાગ તદ્દન ખુલ્લો હોય છે. આ ઉપરથી ગુજરાતમાં સ્ત્રીઓએ માથે ઓઢવાને ચાલ મેગલ રાજય પછીથી શરૂ થએલે હોય એમ લાગે છે. મોગલ સમય પહેલાંના દરેક ચિત્રમાં સ્ત્રીઓની માફક પુરુષને પણ લાંબા વાળ હોય છે અને તેઓએ અંડા વાળેલા જૂનાં ચિત્રોમાં દેખાઈ આવે છે. વળી પુરુષે દાઢી રાખતા અને કાનમાં આભૂષણો પણ પહેરતા. સ્ત્રીઓએ માથે ઓઢવાને અને પુોએ ચોટલા તથા દાઢી કાઢી નખાવવાને રિવાજ મોગલ રાજ્ય અમલ પછીથી જ ગુજરાતમાં પડેલો હોય એમ લાગે છે.
૧ “એક દિવસ પ્રાત:કાળને વિષે કુમારપાળ ૭૨ સામંતો, ૩૬ રાજ કુળો અને બીજા અનેક કવિ, વ્યાસ, પુરોહિત, રાજગુરુ, મંત્રી વગેરે પશ્વિન રસહિંત રાજસભામાં સુવર્ણના પુષપ્રમાણ આસન ઉપર બેઠેલો હતો, તેવામાં તેણે કાંચનમય આસન ઉપર બેઠેલા હેમચંદ્રાચાર્યને કહ્યું. . . .--કુમારપાલ પ્રબંધ ભાષાંતર, પૃષ્ઠ ૧૦૯, ૨ “આ પુરુષને મારું તો છે નહિ અને આ બધી એનાં કેશાદિ લક્ષણ કહે છે એ મોટું આશ્ચર્ય છે, એમ વિચારી કુમારપાળે તેમને પૂછ્યું, એટલે તેમણે તેમને કહ્યું કે હે નરોત્તમ સાંભળો , પૃષ્ઠ ઘસારે છે તેથી વેણુનું અનુમાન થાય છે, કંધે ઘસારા છે તેથી ભરણની લક્ષ્મી પ્રકટ થાય છે, છાતી બધી ગેર છે, તે ઉપરથી લાંબી દાઢી હશે એમ જણાય છે.”
–ચારિજસુંદરગતિ કુમારપાળ ચરિત્ર ભાષાંતર પા. ૪૧ (સંદરમી સદી)
Page #36
--------------------------------------------------------------------------
________________
OUUUUUUUUUUUU
જૈન ચિત્ર-કલ્પલતા
LAW
:કા
T
.
* fમ
ક:રાજક- તિ
ક
જ
'ના,
છે
ને ?
ચિત્ર ૧ દેવી સરસ્વતી – સરસ્વતી દેવીનું આ ચિત્ર ખંભાતના શાંતિનાથના ભંગરની પ્રત મનું છે,
અંને છે. બ્રાઉનના લખેલા ‘કાકકથા’ નામના અંગ્રેજી પુસ્તકમાંથી તેઓની પરવાનગીથી લેવામાં આવ્યું છે.
સરસ્વતીના આ ચિત્રનું વર્ણન આપતાં પ્રો. બ્રાઉન આમ જણાવે છે: દેવી સરસ્વતી (અગર ચોશ્વરી) પહેલાં મારા તરફથી ઈન્ડિયાને
આર્ટ એન્ડલેટર્સ. ચિત્ર ૧ : દેવી સરસ્વતી (વિ. સ. ૧૧૮૪)
૩ (ઇ.સ.૧૯૨૯)ના પાના ૧૬ પર પ્રસિદ્ધ કરવામાં આવેલું ચિત્ર નંબર ૧ જે પ્રતમાંથી લેવામાં આવેલું છે તે જ પ્રતમાંથી.'
આ ચિત્ર ચાર હાથવાળી દેવાનું છે. તેના ઉપરના બંને હાથમાં કમળનું ફૂલ છે તથા [ચેના બંને હાથમાં અનુક્રમે અક્ષત્ર (જપમાળા અને પુસ્તક છે. દેવીની આગળ ડાબી બાજુએ હંસ પક્ષી ચીતરેલું છે. દેવીની જમણી બાજુએ સર્જક અને ડાબી બાજુએ શુમાર નામના પુર બે હસ્તની અંજલિ જેડીને રસ્તુતિ કરતા દેખાય છે.
મિ. બ્રાઉન આ ચિત્ર સરવી (અગર ચક્રેશ્વરીનું હોવાની શંકા ઉઠાવે છે, પરંતુ હંસ પક્ષીની રજુઆત આપણને સાબિતી આપે છે કે એ સરસ્વતીનું જ ચિવ છે. વળી આ ચિત્રમાં જે વસ્તુઓની રજુઆત તેના હાથમાં જોવામાં આવે છે તે પ્રમાણેનું જ વર્ણન જોતિ નામના એક વિદ્વાન જે રાધએ રચેલા બ્રીફારકાસ્તોત્રમાં છે.
નંબર ૧ને આ ચિત્રની એકએક આકૃતિ જાણે એક જ ટકે આલેખવામાં આવી હોય એમ લાગે છે, છતાં તેની પાછળ સ્વરૂપનું સંપૂર્ણ ભાન પ્રત્યક્ષ થાય છે, એ, કલાકાર પછી ઉપરનું અદભુત પ્રભુત્વ અને છટા બતાવી આપે છે. વૃત્તાંતની વિગતે જરા પણ ચુક્યા વિના
4 The Goddess Sarasvati (or Chakresvari?) From the same MS. as Figure 1. Previously published by me in Indian Art and Letters Vol III. pp. 16 ff., 1929.
-The story of Kalak. p. 116. २ वरददक्षिणबाहुधृताक्षका, विशदवामकराषितपुस्तिका ।
उभयपाणिपयोजधृताम्बुजा, दिशतु मेऽभितानि सरस्वती ||४|| भ. पा. का. सं० भाग २ पृष्ठ १९८
ભાવાર્થ-વરદાન દેનારી મુદ્રાવાળી તેમજ ૪' માળાને ધારણ કરેલા દક્ષિણ હરતવાળી, વળી નિર્મળ ડાબા હાથમાં પુસ્તક રાખ્યું છે એવી તેમજ અને કરકમળ વડે કમળને ધારણ કર્યું છે એવી સરસ્વતી અને મનોવાંછન અ.
Page #37
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-ક૯૫લતા આલેખાએલાં, સુશોભન અને સુરના મિનારૂપ આ ચિત્ર છે. તેમાં એ સરસવતીની ઉભી મૂર્તિનું હસવ અને અંગભંગ અલૌકિક પ્રકારનાં છે.
*
has
:
સામાન
ચિત્ર ૨ શ્રી હેમચંદ્રસૂરિ, શિખ અને પાર્વત કુમારપાળ–ખંભાતના શાંતિનાથ મંદિરની દશવૈકાલિક
લઘુત્તિની સં. ૧૨૦૦ (સ. ૧૧૪૩)માં લખાએલી તાડપત્રની હસ્તલિખિત પ્રતા ઇલ્લા પાના ઉપરથી આ ચિત્ર લેવામાં આવેલું છે. ચિત્રમાં ડાબી બાજુએ સિંહાસન ઉપર બેઠેલા આચાર્ય બીહેમચંદ્રસુરિ જમણા હાથમાં તાડપત્ર રાખીને, સામે બેઠેલા પોતાના શિષ્ય શ્રીમદ્રસુરિને પાઠ આપતા હોય તેમ લાગે છે, કારણકે આ પ્રત તેઓશ્રીના ૫ નિમિત્તે લખાવવામાં આવી હવાને ઉલ્લેખ છે. મહેંદ્રરિની પાછળ બે હાથ
કંડીને ઉભેલી જે ગૃહની આકૃતિ ચીતરેલી ચિવ ૨ : શ્રી હેમચંદ્રસૂરિ, શિષ્ય અને પરમાઈત કુમારપાળ દેખાય છે તે ઘણું કરીને ગૂર્જરેશ્વર કુમારપાલની (વિ. સં. ૧૨૦૦).
હોય તેમ લાગે છે. શ્રી હેમચંદ્રસુરિની આગળ સ્થાપનાચાર્ય છે તથા મસ્તક ઉપરની છતમાં અંદર ચીતરેલો જણાય છે.
. તાપી જિદ્દી કમી ન જાય સિTI - E
ચિત્ર ૩ ચિત્ર . રન મા ભાગ ઘસાઈ ગએલા હોવાથી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી
રવિશંકર રાવળ પાસે તેના આદ્ય વરૂપની રેખાવલિઓ પૂર્ણ કરાવીને અત્રે રજુ કરી છે.
ચિત્ર ૪ અપ્રતિચક્ર ચકેશ્વરી)–વિદ્યાદે પ: મંત્રઃ શાં શતાય હું નમ: ; નિરંતર હાથમાં ચક્ર હોવાથી ચકેશ્વરી; પ્રતનું પાનું ૮૩; ચિત્રનું કદ રૂંકર ઈચ; પૃભૂમિ વાદળી; ચાર હાથ: ચારે હાથમાં ચક; શરીરનો વર્ણ તપાવેલા સુવર્ણ જેવ; મુકુટ વર્ણ સુવર્ણ; ચુછી લીલા રંગની; ઉત્તરીય વસ્ત્ર કાળા રંગ ટાવાઇ
કેદ; ગરડને વાહન ઉપર લદાસને બેડક; એકેશ્વરીની મેટી માનુષી કદની મુર્તિ શત્રુંજય "પર્વત ઉપર છે.
ચિત્ર 3 : બાજુના અરપષ્ટ ચિત્ર ઉપરથી, તેનું આદ્ય સ્વરૂપ
કેપીને કરેલું રેખાલેખન
રિ તેની પ્રતિ નીચે પ્રમાણે છે –
॥ मंगलं महाश्री ।। संवत १२१८० (५२०० वर्षे श्रावण मुदी , गुरु दिने अणहि लपुरपत्तन મા જારી કૂવા || . . ગારજૂદાન વરવતી વિમાન . . . . . ] પ્રતીક. સસ . . . ઘાવ નિર્માસન લૂથના રચાતકર . . . . # ભૂમિ ગ | ઘટના ... | श्रीहेम चंद्रेण महत्तर हेतो दशवकालिक लघुवृत्ति लिखापितमिति ।। लेखक पाठकयो: ।। शुभं भवतु | fજા મ7 ||દા દા.
Page #38
--------------------------------------------------------------------------
________________
करना
शकचरीप
संचिय
dhe KIDORMEPURES
entenXSIDDESSERIEDIESUILS
UJElefallen
B ARRE
HERRARDUPITE શિલiaણાવે GP@LAURULE
विद्यदधियां दियायवायगावा३० भाससञ्चालगाया
यि ४ : मप्रतिया (बईवरी)-विवाहका ५
(वि.सं. १२१८)
चित्र ५ : पु०५६।। (२)-विद्यापी
अभयसाय याताडायम विवितायति
शाति
पणियसि जाईणदिप दिमच्यासमा
DERLEPPE PolePEMER 12Dahale
ચિંત્ર ૬ ; મૃદાશાંતિ ચક્ષ
(वि.सं. १२१८)
थि७ : मा० (मि)
Page #39
--------------------------------------------------------------------------
________________
૪
જૈન ચિત્ર-કલ્પલતા ચિત્ર : પુસ્જદત્તા (રદત્તા)-વિદ્યાદેવી ; મંત્રઃ ૐ વાં પુદ્દત્તાત્રૈ ૐ નમઃ । ; મનુષ્યને વરદાન વગેરે ઇચ્છિત વસ્તુ આપનાર હોવાથી પુરષદત્તા; પ્રતના પાના ૮૩ ઉપરથી; ચિત્રનું કદ ૧૭×ર ઇંચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની; ચાર હાથ; ઉપરના જમણુા હાથમાં તલવાર અને ડાબા હાથમાં ખેટક (દાલ), તથા નીચેના જમણા હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમાં માતુલિંગ (બિલ્હેરા)નું ળ; શરીરના તથા મુકુટો રંગ સુવર્ણ; કંચુકો રંગ લીલૈ।; ઉત્તરીય વસ્ત્ર ધોળાં ટપકાંના ભાતવાળું લાલ રંગનું; દ્વેષી (ભેંસ)ના વાહન ઉપર ભદ્રાસને બેક,
ચિત્ર હું બ્રહ્મરાાંતિ યજ્ઞ—વ્રતનું પાનું ૨૨૭; ચિત્રનું કદ ૨×૨ ઇંચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગન; દેખાવથી વિકરાલ; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં છત્ર તથા ડાબા હાથમાં દંડ, અને નીચેના જમણા હાથમાં પુસ્તક તથા ડાબે હાથ વરદ મુદ્રાએ; શરીરને વર્ણ પળે; હંસના વાહન ઉપર ભદ્રાસને બેક; મુકુટમંડિત જટા. બ્રહ્મશાંતિ યાની માન્યતા ઘણી જ પ્રાચીન છે. એક માન્યતા એવી છે કે મહાવીરને વર્ધમાનપુર (હાલના વઢવાણુ)ની પાસે યક્ષના મંદિરમાં જે શલપાણ્િ યક્ષે મિથ્યાદષ્ટિ અવસ્થામાં ઉપસર્ગ કર્યો હતો, તે જ શૂલપાણિ યક્ષ પછીથી સમકિત પામ્યા અને તે જ બ્રહ્મશાંતિ યક્ષ તરીકે એળખાવા લાગ્યા.
ચિત્ર છ અંબાઇ (અંજિકા)—પ્રતના ખાના ૨૨૭ ઉપરથી. વિ. સં. ૧૨૪૧ (ઇ. સ. ૧૧૮૪)માં પ્રાચીન ગુજરાતી ભાધામાં ભરતેશ્વર બાહુબલ્લિ રાસની રચના કરનાર શ્રીશાલિભદ્રસૂરિએ રચેલા બુદ્ધિરાસની શરૂઆતના મંગલાચરણમાં અંબિકાના અંબાઇ નામથી જ ઉલ્લેખ કર્યો છે, જે નીચે પ્રમાણે છે.ક
‘પવિ દૈવિ ભાઇ, પંચાણ ગામિણ વરદા, જિષ્ણુ સાસણિ સાંનિધિ કઇ સમિણિ
સુર સામિણ તું સદા સેાહાગિણિ,’
અંબા એટલે માતાજનની. જેવી રીતે માતા પેાતાના સંતાન ઉપર વાત્સલ્યભાવો ધરનારી હોય છે તેમ અંબિકા પણ ભક્તજનોનું વાત્સલ્ય કરવાવાળી હોવાથી તેનું અંબા–અંબિકા નામ સાર્થક છે. આ ચિત્ર ચીતરનાર ચિત્રકારે તેના જમણા હાથમાં પુત્ર રાખીને તેના તરફ વાત્સલ્યભર્યાં નયનાએ નિહાળી રહેલી ચીતરીને અને તેના ડાબા હાથમાં પરમ મંગલરૂપ વ્રસુંની આપીને તેના નામની સાર્થકતા સિદ્ધ કરી બતાવી છે. અંબિકાદેવીના પૂર્વભવ વગેરેનું વર્ણન શ્રીજિનપ્રભસૂરિએ ‘વિવિધતીર્થકલ્પ' નામના ગ્રંથમાં ‘અંબિકાદેવી કલ્પ’માં કરેલું છે.પ અંબિકા દેવીની પણ ભિન્નભિન્ન પ્રકારની સુંદર મૂર્તિ, સુંદર ચિત્રા તથા ભિન્નભિન્ન પ્રકારના તેંત્ર, મંત્રા, યંત્રા વગેરે મળી આવે છે, પરંતુ વિસ્તારભયથી તે અત્રે હું આપતાં મારા તરફથી અન્યત્ર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
ચિત્ર ૮ સરસ્વતી-પ્રતના પાના ૧ ઉપરથી; ચિત્રનું કદ ર×૨ટ્ટ ઇંચ; પૃષ્ઠભૂમિ ઘેરા રાતા રંગની; ચારે હાથ; ઉપરના જમણા હાથમાં કમળ, તથા ઉપરના ડાબા અને નીચેના જમણા હાથમાં વીણા; નીચેના ડાબા હાથમાં પુસ્તક; કમળના આસન ઉપર ભદ્રાસને બેડક; વાહન હંસનું; શરીરનો વર્ણ ગૌર (સફેદ); કંચુકી લાલ; મુકટનો રંગ લાલ રંગની ભાતવાળા પીળે!. સરસ્વતી વિષે
૪ ૦ વ્યૂ ક ભા ૧, પૃ′ ૨.
૫ ‘અમ્બિકાદેવી કલ્પ’ નામને! આખો કપ મૂળ પ્રાકૃત તથા ગુજરાતી ભાષાંતર સાથે ખપ્પભટ્ટસૂકૃિત વિરાતિકા' નામના ગ્રંથના પાના ૧૪૫ થી ૧૪૯ ઉપર આપેલા છે.
૬ જુઓ ‘શ્રીમૈરવવાની વસ્તુ' નામના જૈન મંત્રશાસ્ત્રનો ગ્રંથ
Page #40
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-કલ્પલતા
ચિત્ર ૮ : સરવરતી (વિ. સં. ૧૨ ૧૮) જુદાજુદા પ્રકારની સુંદર મૃતિએ, જૈન મંદિરોમાં અને તાડપત્રની તેમજ કાગળની હસ્તલિખિત પ્રતોમાં જુદા જુદા પ્રકારનાં ચિત્રો, તથા જૈનસાહિત્યમાં જુદા જુદા પ્રકારનાં ભિન્નભિન્ન સ્વરૂપોની ક૯૫*નાએ જેટલી વિસ્તૃત સ્વરૂપમાં મળી આવે છે તેટલી ભારતના બીજા કે સંપ્રદાયમાં મળી આવતી *નથી. સરસ્વતીની મૂર્તિઓ, ચિત્રો તથા સ્વરૂપને લગતા એક જુદા જ વિસ્તૃત નિબંધ મેં તૈયાર કર્યો છે જે જૈન સત્યપ્રકાશ” માસિક માં છપાએલ છે, એટલે આ પ્રસંગ અત્રે જ સમાપ્ત કર્યું છું. સરસ્વતીની સૌથી પ્રાચીન મૂર્તિ મથુરાના કંકાલીટીલામાંથી મળી આવી છે. ચિત્ર ૯ ‘પ્રભુ શ્રીમહાવીરનું રચ્યવન’—પુપત્તર વિમાનમાંથી વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ઍવ્યા–ચુલીને શ્રી મહાવીર ભગવાન બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કેડાલગેત્રી ઋભિદત્ત
"The right hand figure represents a headless statue of Sarasvati, the goddess of speech and learning, found in 1889 near the first or eastern temple in the mound, which seems to have belonged to the Swetamber sect.
The goddess is shown sitting squatted, with her knees up, on a rectangular pe. destal, holding a manuscript in her left hand. The right hand, which was raised, has been lost. The figure is clothed in very stiffly executed drapery, a small attendant with hair dressed in rolls stands on each side. The attendant on the left wears a tunic and holds a jar - the attendant on the right has his hands clasped in adoration.'
---'Statues of Sarasvati and a female' plate. 99 page 56 in "The Jain Stupa and other Antiquities of Mathura.' 1901, by V. A. Smith 1. c. S.
Page #41
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-કલ્પલતા બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદા ને જાલંધરની છે, તેની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. આષાઢ સુદ ૬ ના દિવસની મધ્યરાત્રિના સમયે અને ઉત્તરાફાલ્વની નક્ષત્રને ચંદ્રનો યોગ થયો હો તે વખતે પ્રભુ દિવ્ય આહાર, દિવ્ય ભવ અને દિવ્ય શરીરને ત્યાગ કરી ગભમાં આવ્યા.
ચિત્રમાં પબાસન ઉપર પ્રભુ મહાવીરની મૂર્તિ બિરાજમાન કરેલી છે. આજે જેવી રીતે જિનમંદિરમાં મૂર્તિને આપણોથી શણગારવામાં આવે છે તેવી જ રીતે ચિત્રમાં પણ મૂર્તિને માથે મુકુટ, બે કાનમાં કુંડલ, ગરદનમાં કઠ, હૃદય ઉપર મોતીને અગર હીરાનો હાર, બંને હાથની કાણીના ઉપરના ભાગમાં બાજુબંધ અને બને કડાં ઉપર બે કડાં છે; હાથની હથેળીઓ પલાં ઉપર મૂકીને ભેગી કરી છે. અને તેના ઉપર સેનાનું શ્રીફળ વગેરે ચીતરવામાં આવ્યું છે; મૂર્તિ 'પદ્માસને બિરાજમાને છે; મૂર્તિની આજુબાજુ પરિકર છે.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે તમારે તીર્થકરનું ચવન થાય છે ત્યારે શરીરની કોઈપણ જાતની આકૃતિ તો હતી નથી અને તીર્થંકર નામ કર્મને ઉદય તો તેઓએ શ્રમણપણે અંગીકાર કર્યા પછી કેવલ્યજ્ઞાનની પ્રાપ્ત થયા પછી સત્તામાં આવે છે, તે તેના વ્યવનને પ્રસંગ દર્શાવવા તેઓની મૂર્તિ મૂકવાનું કારણ શું?
જૈન સંપ્રદાયના અનુયાયીઓ દરેક તીર્થકરમાં પાંચે કલ્યાણકે એક સરખા જ મહત્વનાં માને છે. પછી તે યવન, જન્મ, દીક્ષા, કેવલ્ય કે નિર્વાણ હાલેઃ અને તે સઘળાં ચે સરખા જ પવિત્ર હોવાથી ગુજરાતના પ્રાચીન ચિત્રકારોએ પાંચે કલ્યાણક દર્શાવવા માટે જુદી જુદી કલ્પના કરી અમુક પ્રકારની આકૃતિઓ નકકી કરેલી હોય એમ લાગે છે, કારણકે જેવી રીતે આપણને અહીં યવન કલ્યાણક ચિત્રપ્રસંગમાં પ્રશ્ન ઉદભવે છે. તે જ રીતે નિવાણ કલ્યાણકના ચિત્રપ્રસંગમાં પણ ઉદ્ભવવાનો જ, કેમકે પ્રભુ નિર્વાણ પામ્યા પછી તેઓને શરીર કે આકૃતિ વગેરે કાંઇ હોતું નથી. હવે આપણે પાંચે કલ્યાણકામાં પ્રાચીન ચિત્રકારોએ કઇકઈ કપનાકૃતિઓ નક્કી કરેલી છે તે સંબંધી વિચાર કરી લઈએ એટલે આગળના આ પાંચે પ્રસંગોને લગતાં ચિત્રોમાં શંકા ઉદ્ભવવાનું કારણ ઉપસ્થિત થાય જ નહિ.
૧ ચ્યવન કલ્યાણક—આ પ્રસંગ દર્શાવવા માટે પ્રાચીન ચિત્રકારો હમેશાં જે જે તીર્થકરના ચવા કલ્યાણકનો પ્રસંગ હોય તેના લંડન સહિત અને કેટલાંક ચિંતામાં તો તેઓને શરીરનો વર્ણ સહિત તે તે તીર્થંકરની મૂર્તિની પરિકર સહિત રજુઆત કરે છે. (જુઓ ચિત્ર ૯).
ર જન્મ કલ્યાણક–આ પ્રસંગ માટે જે તે તીર્થકરના જન્મ કલ્યાણક પ્રસંગ દર્શાવવા હોય તે તે તીર્થકરની માતા અને એક નાના બાળકની રજુઆત કરે છે. (જૂઓ ચિત્ર ૧૧).
૩ દીક્ષા કલ્યાણક–જે જે તીર્થકરના દીક્ષા કલ્યાણકને પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીર્થકરોની, ઝાડ નીચે બેસી એક હાથથી એટલીને પંચમુષ્ટિ કેચ કરતી આ કનિન અને પાસે એ હાથ પહોળા કરીને કેશને ગ્રહણ કરતા ઇન્દ્રની રજુઆત ચિત્રમાં તેઓ કરે છે. (જુઓ ચિત્ર ૨૮).
૪ કેવલ્ય કલ્યાણક–જે જે તીર્થકરના કૈવલ્ય કલ્યાણ નો પ્રસંગ દર્શાવવાને તેના આશય હોય તે તે તીર્થકરના સમવસરણની રજુઆત તેઓ કરે છે. (જુઓ ચિત્ર ૧૩).
૫ નિર્વાણ કલ્યાણક --- જે તીર્થકરના નિર્વાણ કલ્યાણક પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીર્થકરને શરીરના વર્ણ તથા લંછન સાથે તેઓની પદ્માસનાની બેઠકો વાળેલી પલાંઠી નીચે સિદ્ધશીલાની (બીજને ચંદ્રમાના આકાર જે {) આકૃતિની તથા બંને બાજુમાં એક ઝાડની રજુઆત પ્રાચીન ચિત્રકારે કરતા દેખાય છે. (જીએ ચિત્ર ૧૨).
Page #42
--------------------------------------------------------------------------
________________
(6281 R1]) iace blete pe11e 1 Tokioje P21]19116 Toko
121-191.18 Fok
hre 9th rate
1219 hec breze P21-19141K Fok ihes Fahre 1929: 8117 kt)
SAINTERELARAMINEDREAM
SANERaate AMALPURe eDELIBREAMPIMARY
LAENDRAPRIORMBERTAL
STOTRALRESS
SRIO asemakaian AlhoeDIS PASPIDEMISeptetailPSE
Airgaman Huyeuraliasat
Lathmanmar DESTA RR &
HalentediAEL ISHESDET M ane AMERIENDPip
सलमानाने समठासिब
malajielania TIRPOR JapanladesmastDIREMEDIES bebeea2WINAN
HARDPREMEITRAREERABARDS
PURANERAL
RERNARD
ISIDHBsafaltentialee PECIRTRADDHA
ASHEMEDnyscelhumanATHESEMINAR
peliaisasiesaseeple Setu BUMBJ2let Bunetalse 231 Bursta2Daantinentalaalace
साखहरीरका
Radit
साकसिाणात
Sanean Tatamera
iteisastDEREDDHIRAT20
Bythmiaaaaaal ANSAREERatness y faltaanalyptun
ElejaduISUTRADESMANANDURREARRRRREY AurangabaingamadNDEasteneratap iglaineesairasasanasena AnikeaninDaininenem iesanitarian
E
Page #43
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્ર-કપલ ચિત્ર ૧૦ ગુરુ મહારાજ શિવને પાઠ આપે છે કે ધર ભંડારી પ્રતમાંથી. આ પ્રતમાં ચિત્રકારને આશય મહાવીરનાં પાંચે કલ્યાણક દર્શાવવાને છે. તેમાં બાકીના અવન, જન્મ, કેવલ્ય અને નિર્વાણ કલ્યાણકના પ્રસંગે તે તેણે પ્રાચીન ચિત્રકારોની રીતિને અનુસરતાં જ દોરેલા છે, પરંતુ દીક્ષા કલ્યાણક પ્રસંગમાં પંચમુખિલોરાના પ્રસંગને બદલે આ ચિત્રમાં જે સાધુઓનું દીક્ષિત અવસ્થાનું ચિત્ર દોરેલું છે.
ચિત્રની અંદર મર માં તેમાં બાંધેલા ચંદરવાની નીચે ભદ્રાસન ઉપર બેઠેલી આકૃતિ આચાર્ય મહારાજની છે. ઘણું કરીને તે આ પ્રો લખાવવાને ઉપદેશ આપનાર આચાર્ય મહારાજની હશે. તેઓને જમણી બાજુના એક ખભા ઉધાડે છે. જમણા હાથમાં મુહપત્તિ રાખીને તથા ડાબે હાથે વરદ મદ્રાએ રાખી, સામે હાથમાં તાડપત્રનું પાનું પકડીને બેઠેલા શિય-સાધુને કાંઈ સમજવતા હોય એમ લાગે છે. ગુરુ અને શિય બંને વચમાં સહેજ ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યની રજુઆત ચિત્રકારે કરેલી છે. ભદ્રાસનની પાછળ એક શિષ્ય કપડાના ટુકડાથી ગુરને શુપા કરતો દેખાય છે. ચિત્ર ૧૧ પ્રભુ શ્રી મહાવીરનો જન્મ–ઉપરોક્ત પ્રતમાંથી.
જે વખતે ગ્રહ ઉચ્ચ સ્થાનમાં વર્તતા હતા, ચંદ્રને ઉત્તમ યોગ પ્રાપ્ત થયો હતો, સર્વત્ર સૌમ્યભાવ શાંત અને પ્રકાશ મલી રહ્યાં હતાં, દિશામાં અંધકારનું નામનિશાન પણ ન હતું, ઉલ્કાપાત, રજોવૃષ્ટિ, ધરતીકંપ કે દિમદાહ જેવા ઉપદ્રવોનો છેક અભાવ વર્તાતા હતા, દિશાઓને અંત પર્યત વિશુદ્ધિ અને નિર્મળતા પથરાએલી હતી, જે વખતે સર્વ પક્ષીઓ પોતાના કલરવ વડે જયજી શબ્દનો ઉપચાર કરી રહ્યાં હતાં, દક્ષિણ દિશાના સુધી શીતળ પવન, પૃથ્વીને મંદમંદપણે સ્પર્શ કરતા, વિશ્વમાં પ્રાણીઓને સુખ–શાંતિ ઉપજાવી રહ્યો હતો, પૃવી પણ સર્વ પ્રકારના ધાન્યાદિથી ઉભરાઈ રહી હતી અને જે વખત સુકાળ આરોગ્ય વગેરે અનેક રોગોથી દેશવાસી લોકોનાં હૈયાં હના હિંડોળે ઝૂલી રહ્યાં હતાં, તેમજ વસંતોત્સવાદની ક્રીડા દેશભરમાં ચાલી રહી હતી, તે વખતે, મધ્યરાત્રિને વિષે ઉત્તરાફાશુની નક્ષત્ર સાથે ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં આરેવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ બાધારહિતપણે આરોગ્ય પુત્રને જન્મ આપ્યો.
ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી, વિવિધ પતિના ફૂલોથી આચ્છાદિત કરેલી; સુગંધીદાર યા ઉપર ત્રિશલા ક્ષત્રિયાણ સૂતાં છે. જમણા હાથે પ્રભુ મહાવીરને બાળક રૂપે પકડીને તેમના તરફ-સન્મુખ જોઈ રહેલાં છે. તેમના જમણા હાથ નીચે તકીઓ છે. તેમનું સારું શરીર વસ્ત્રાભૂષણોથી સુસજિજત છે. તેમના ઉત્તરીય વસ્ત્ર-સાડી–માં હંસાલીની સુંદર ભાત ચીતરેલી છે. તેમને પોષાક ચૌદમા સૈકાનાં શ્રીમંત વૈભવશાળી કુટુંબની સ્ત્રીઓના પહેરવેશને સુંદરમાં સુંદર
યાલ આપે છે. પલંગની નીચે પાણીની ઝારી તેમજ પલંગમાંથી ઉતરતી વખતે પગ મૂકવા માટે પાદપીક–પગ મૂકવાનો બા –પણ ચીતરેલ છે. ઉપરના ભાગની ધમાં દર પણ બાધલો છે. ચિત્ર ૧ર પ્રભુ શ્રી મહાવીરનું નિર્વાણ—ઉપરોક્ત પ્રતમાંથી જ.
શ્રમણ ભગવાન મહાવીરે જે વાળમાં મધ્યમ અપાપાપુરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનની સભામાં છેલ્લું ચોમાસું વર્ષાઋતુમાં રહેવા માટે કર્યું, તે ચોમાસાને ચાળે મહિને, વપકાળને સાતમે પખવાડિયે એટલેકે કાર્તિક માસના (ગુજરાતી આસો માસના) કૃષ્ણ પખવાડિયામાં, તેના પંદરમે દિવસે (ગુજરાતી આસો માસની અમાસે), પાછલી રાત્રિએ કાળધર્મ પામ્યા. તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા.
પ્રભુ મહાવીરની મૂર્તિ, જે પ્રમાણે ચિત્ર ન. ૯માં વર્ણવી ગયા તે પ્રમાણેનાં આભૂષણ સહિત ચીતરેલી છે. નિર્વાણ કલ્યાણકને પ્રસંગ દર્શાવવા ખાતર સિદ્ધશિલા ની આકૃતિ અને બંને
Page #44
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પલતા બાજુએ એકેક ઝાડ વધારામાં ચીતરેલાં છે. આ ચિત્રની પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની છે. સિદ્ધશીલાના રંગ સફેદ છે. આજુબાજુનાં બંને ઝાડનાં પાંદડાં લીલા રંગના છે. આ ઝાડનાં પાંદડાં ચિત્રકારે એટલાં બધાં બારીક અને સુકે મળ ચીતરેલાં છે કે તેને સંપૂર્ણ ખ્યાલ આ હાકટોન ચિત્રથી કોઈપણ રીતે આવી શકે નહિ. અમદાવાદમાં લાલ દરવાજે આવેલી સીદીસૈયદની મસ્જિદની દીવાલમાં કતરેલી સુંદર સ્થાપત્યકળીઓની સુચના મૂળ આવા કોઈ પ્રાચીન ચિત્રના અનુકરણમાંથી સરજાએલી હોય એમ મારું માનવું છે. સ્થાપત્યકામની એ દીર્ઘકાય જાળી કરતાં બે અગર અઢી ઈચની ટૂંકી જગ્યામાંથી ફક્ત અરધા ઇંચ જેટલી જગ્યામાં ઝાડની પાંદડીએ પાંદડી ગણી શકાય એવા બારીક ઝાડની કલાનું સર્જન કરનાર ગુજરાતના પ્રાચીન ચિત્રકારો આજે પણ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે.
ચિત્ર ૧૩ પ્રભુ શ્રી મહાવીરનું સમવસરણ—ઉપરોક્ત પ્રમાંથી જ.
તાર્યકરને કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી દેવો સમવસરણની રચના કરે છે. આ સ વસરણની બે જાતની રચનાઓ આપણને પ્રાચીન ચિત્રામાં મળી આવે છે. એક જાતની રચના ગોળાકૃતિમાં હોય છે અને બીજી જાતની ચતુષ્કોણ-ચાર ખૂણાવાળી-ચોખંડી હોય છે.
આ ચિત્ર ગોળાકૃતિવાળા સમવસરણનું છે. સમવસરણની મધ્યમાં મહાવીરની મૂર્તિ તથા આજુબાજુ ફરતા ત્રણ ગઇ છે. મસ્તકની પાછળના ભાગમાં એક વૃક્ષને બદલે બે બાજુ લટકતાં કમળ જેવી આકૃતિ ચીતરેલી છે. ગઢની ચારે દિશાએ એકેક દરવાજો તથા ગઢની બહાર ચારે ખૂણામાં અંકેક વાપિકા-વાવ ચીતરેલી છે. પ્રસંગોપાત્ત સમવસરણનું ટુંક વર્ણન આપવું મને યોગ્ય લાગે છે.
‘પ્રથમવાયુકુમાર દેવો જ પ્રમાણ પૃથ્વી ઉપરથી કરો, ઘાસ વગેરે દૂર કરી તેને શુદ્ધ કરે છે. પછીથી મેવકુમાર દે સુગંધી જળને વૃષ્ટિ કરી એ પૃથ્વીનું સિંચન કરે છે. તીર્થકરના ચરણેને પિતાના મસ્તકે ચડાવનાર આ પૃથ્વીની જાણે પૂજા કરતા હોય તેમ વ્યંતરો છે ઋતુના પચરંગી, સુગંધી, અમુખ ડીંટવાળાં પુષ્પોની જાનું પત વૃષ્ટિ કરે છે. ત્યાર બાદ વાણવ્યંતર દેવો સુવર્ણ, મણિ અને માણેક વડે પૃથ્વીતલ બાંધે છે, અર્થાત એક જન પતિની આ પૃથ્વી ઉપર પાબંધ કરે છે. ચારે દિશાઓમાં તેઓ મનહર તોરણ બાંધે છે. વિશેષમાં ભવ્ય જનોને દેશના સાંભળવા માટે બોલાવતા હોય તેમ તેણેની ઉપર રહેલો વજન સમુહ રચીને તેઓ સમવસરણને શભા-સુશોભિત કરે છે. તેરણાની ચેિ પૃથ્વીની પીઠ ઉપર આલેખાએલાં આઠ મંગળ મંગલતામાં ઉમેરો કરે છે.
વૈમાનિક દેવો અંદરને, તોતિ મળે અને ભવનપતિ બહાર ગઢ બનાવે છે. મણિના કાંગરાવાળા અને રત્નાને બનાવેલું અંદર ગત જાણે સાક્ષાત રાહગિરિ' હૈય તેમ શોભે છે. રત્નના કાંગરાવાળા અને સેનાને બનાવેલો મધ્ય ગઢ અનેક દ્વીપોમાંથી આવેલા સૂર્યની શ્રેણિ જે ઝળકી રહે છે. સૌથી બહારના ગઢ સેનાના કાંગરાવાળો અને રૂપાને બનેલા હોવાથી તીર્થકરને વંદન કરવા માટે જાણે સાક્ષાત્ તાવ્ય પર્વત આવ્યા હોય એમ ભાસે છે.
આ પ્રતિમાના ચિત્રપ્રસંગે જુદીજુદી પ્રતીમાં આલેખાએલા હોવા છતાં આ ચિત્રો આલેખનમાં વધુ સુકામનાવાળા તેમજ કાંઈક વધારે સિકતાથી આલેખાએલાં હોય એમ લાગે છે.
૮ વિસ્તૃત વર્ણન માટે વધુ એ—૧ આવશ્યક નિર્યુક્તિ, ર ત્રિપકડીશલાકાપુરષચરિત્ર, ૩ સમવસરણ પ્રકરણ, ૪ લોક
121 +{ 30 , 'Jain Iconography (Il Samavasarana' by D.R. Blanda kar M.A. in Indian Antiquary, Vol XL pp. 125 to 130 & 153 to 161, 1911.
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૪ ૧૫ અને ૧૬ : (જુએ ભાજુએ) (વિ. સં. ૧૪૨૭)
डाण्दबत्तरा
ता
चिलवर नापा काल मासमहम
T
ચિત્ર ૧૭ : શ્રીમહાવીરનો જન્મ (ચાદમાં સેકા)
ચિત્ર ૧૪ પ્રભુ શ્રીમહાવીરનું દીક્ષા કલ્યાણક—વર્ણન માટે જુગ્ગા નં. ૧૦ના આ જ ચિત્રનું વર્ણન.
ચિત્ર ૧૫ પ્રભુ શ્રીમહાવીરનું જન્મ કલ્યાણક-વર્ણન માટે જુએ નં. ૧૧ના આ જ ચિત્રનું વર્ણન.
ચિત્ર ૧૬ પ્રભુ શ્રીમહાવીરનું કૈવલ્ય કલ્યાણક વર્ણન માટે જુઓ નં. ૧૩ના આ જ ચિત્રનું વર્ણન.
ચિત્ર ૧૭ પ્રભુ શ્રીમહાવીરના જન્મ-ઈડરની પ્રતના પાના ૩પ ઉપરથી. વર્ણન માટે જીએ ચિત્ર ૧૧નું આ પ્રસંગને
ચિત્ર ૧૮ : અષ્ટમંગલ (ચૌઘ્ને સેકા)
दिखांडस वि
ऋणुतार नि देशासा समपर्णसम पारकासा
Page #46
--------------------------------------------------------------------------
________________
OHIO IN D)
'Oિ
OOD
ચિત્ર ૧૯ : શ્રી પાર્શ્વનાથનો જન્મ (ચાદમા સૈકા)
ચિત્ર ૨૦ : શ્રી મહાવીરનિર્વાણ (ચૌદમે રેસા)
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૨
જૈન ચિત્ર-કલ્પલતા લગનું વર્ણન. ચિત્ર ૧૧માં ત્રિશલા માતા મહાવીરના સન્મુખ જોઈ રહેલાં છે અને તે એકલાં જ છે, જ્યારે આ ચિત્રમાં ત્રિશલાના હાથમાં મહાવીર બાળક રૂપે છે; પરંતુ તેણીની નજર સ્ત્રી–નાકર જે પગ આગળ ઊભી છે. તેની સન્મુખ છે. અને ડાયા હાથે ત્રિશલા તે નાકરને પુત્રજન્મની ખુશાલીમાં કાંઈક નામ આપતાં હોય એમ લાગે છે. છતના ભાગમાં ચંદરવા આંધેલો છે. પલંગની નીચે ચિત્રની જમણી બાજુથી અનુક્રમે શેક કરવા માટે સગડી તથા પગ મુકીને ઊતરવા માટે પાદવૉર્ડ છે. પાદીઠ ઉપર રમકડા જેવા કાંઇક વસ્તુ છે જે સ્પષ્ટ સમજી શકાતી નથી અને થૂંકવા માટે પીચદાની છે. આ ચિત્ર મૂળ ચિત્ર કરતાં મેોટું કરીને અત્રે રજુ કરેલું છે.
ચિત્ર ૧૮ અષ્ટ મંગલ-ઇડરની પ્રતના પાના ૨ ઉપરથી. અષ્ટમંગલનાં નામેા અનુક્રમે નીચે પ્રમાણે છે: (૧) દર્પણ, (૨) ભદ્રાસન, (૭) વર્ધમાન સંપુટ, (૪) પૂર્ણ-કલશ, (૫) શ્રીવત્સ, (૬) મયુગલ, (9) સ્વસ્તિક, (૮) નન્દાવર્ત વિસ્તૃત વર્ણન માટે જુઓ ‘જૈન ચિત્રક’માં આજ પ્રકારના ચિત્ર પ૯નું વર્ણન.
ચિત્ર ૧૯ શ્રીપાર્શ્વનાથના જન્મ-રવી પ્રતના પાના ૫૮ ઉપરથી. મૂળ કદ રË×ર ઇંચ ઉપરથી મારું કરાવીને અત્રે રજુ કરેલું છે. સારૂં હૈ ચિત્ર સેનાની શાહીથી ચીતરેલું છે.
તે કાળે અને તે સમયે હેમંત ઋતુના બળે માસ, ત્રીજું પખવાડિયું (પેપ માસનું કૃષ્ણ પખવાડિયું) વર્તતું હતું. તે પેપ માસના કૃષ્ણ પખવાડિયાની દશમ (ગુજરાતી માગસર વદી દશમ)ની નિધિને વિષે નવ માસ બરાબર પૂર્ણ થતાં અને ઉપર સાડાસાત દિવસ વ્યતીત થતાં મધ્યરાત્રિને વિષે વિશાખા નક્ષત્રમાં ચન્દ્રના યોગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી તે વામાદેવીએ ગતિ પુત્રને જન્મ આપ્યો.’ ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી ફૂલની ચાદવાળી સુગંધીદાર સુકોમળ શય્યા ઉપર વામાદેવી મૃતાં છે. જમણા હાથમાં પાર્શ્વકુમારને બાળક રૂપે પકડેલા છે અને તેમની સન્મુખ ઈ રહેલાં છે. તેમના જમણા હાથ નીચે તકાઓ છે. આખું શરીર વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત છે. દરેક વસ્ત્રમાં જુદીજુદી નતની ડિઝાઇનો ચીતરેલી છે. પલંગ ઉપર ચંદરવા બાંધેલા છે. પલંગની નીચે પાણીની ઝારી, ધૃધાણું, ગગડી તથા ચુંકદાની પણ ચીતરેલા છે. તેણીના પગ આગળ એક સ્ત્રી-નાકર જમણા હાથમાં ચામર ઝાલીને પવન ઢાળતી ચીતરેલી છે.
ચિત્ર ૨૦ શ્રીમહાવીરનિવાણ-ડિરની પ્રાના પાના પર ઉપરથી. ચિત્રના મૂળ કદ ૨×૨ ઇંચ ઉપરથી મોટું કરાવીને અત્રે રજુ કરવામાં આવ્યું છે, વર્ણન માટે જીએ ચિત્ર ૧૨નું આ પ્રસંગને લગનું વર્ણન. ચિત્રમાં ફક્ત બંને યાજુનાં ઝાડની રજુઆત જુદા પ્રકારની છે તથા બંને બાજુ ઈન્દ્ર શ્રી દકથી ભરેલા સુવર્ણકલશ ઝાલીને ઊભા છે તે સિવાય બધી બાબતમાં સમાનતા છે.
ચિત્ર ૨૧ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિને શ્રીજયસિંહદેવની વ્યાકરણ રચવા માટે પ્રાર્થના-પાટણના તપાગચ્છના ભંડારની તાડપત્રની પાંથી ૧૯, પુત્ર ૭૫માં બે વિભાગ છે. પહેલા વિભાગમાં પત્ર૧ થી ૨૯૭સુધી સિદ્ધહેમચંદ્ર વ્યાકરણવૃત્તિ છે અને બીન વિભાગમાં સિદ્ધહૈમચંદ્ર વ્યાકરણાંતર્ગત ગણપાઠ પત્ર ૨૯૮થી ૩૫૦ સુધી છે. અંતમાં લેખક વગેરેની પુષ્ટિકા આદિ કશું યે નથી. પ્રનના પત્રની લંબાઈ ૧૨ ઇંચની અને પહોળાઈ ફક્ત ૨૨ ઇંચની છે. અત્રે રજુ કરેલાં ચિત્રા પહેલા વિભાગના પત્ર ૧--૨ અને ૨૯૬-૨૮૭ ઉપરથી લીધેલાં છે. આ ચિત્રા પૈકીનાં પહેલાં બે (૨૧-૨૨ ) ગુજરાતના ઇતિહાસ માટે બહુ જ મહત્ત્વનાં હોવાથી મૂળ રંગમાં આ પુસ્તકના ચિત્ર ૨૫-૨૬ તરીકે આપ્યાં છે. જુએ પૃ. ૧૭.
‘એક વખતે અવંતિના ભંડારમાં રહેલાં પુસ્તકો ત્યાંના નિયુકત પુરુષોએ બતાવતાં તેમાં એક લક્ષગુરાાસ્ત્ર (વ્યાકરણ) રાળના દેવામાં આવ્યું. એટલે તેણે ગુરુને પૃછ્યું કે આ શું છે? ત્યારે
Page #48
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-કલ્પલતા
योगेश तु
गोग
श्रीवा कारवारथि
RIEPLER
कडा
अनवासासा
विभि
घाघाना।।
लास्का एव
मा विद्यादानादा शिमला सम सर्वप्रदोसि मासनामध्य
स
比英國爽夏季
aar
इतिकिसान कृत्संगतिका दिलाव अवताशनक यशासाठ कालापान मानस
१३
मारणादि आदीधीवा माडवारमरि
वादतिर
घपटविधिः।।
समोघम खाताहाता - पदावधिपदनिधि
ચિત્ર ૨૧ થી ૨૪:ઉપરથી અનુક્રમે—(૨૧) કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિને શ્રી જયસિંહદેવની વ્યાકરણ રચવા માટે પ્રાર્થના; (२२) सिद्धडेभ व्याडरनी हस्ति पर स्थापना; (23) श्री पार्श्वनाथनुं डेरासर : शा. विकुभ, शा उर्भ तथा हीराहे श्रापि;
(૨૪) શ્રીઆનંદપ્રભ ઉપાધ્યાયને સિદ્ધહેમ વ્યાકરણની પ્રત લખાવવા માટે મૈત્રી કર્મણ વિનતિ કરે છે. (ચઉદમા સૈકા)
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૪
જેન ચિત્ર-કપલતા આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરિ) બોલ્યા કે “એ ભોજ વ્યાકરણ શદશાસ્ત્ર તરીકે પ્રવર્તમાન છે, વેદાનોમાં શિરોમણિ એવા ભાલવાધિપતિએ શબ્દશાસ્ત્ર, અલંકાર, નિમિત્ત અને તર્કશાસ્ત્ર રચેલાં છે, તેમજ ચિકિત્સા, રાજસિદ્ધાંત, વૃદ્ધ, વાસ્તુ- ઉદય, અંક, શકુન, અધ્યાત્મ અને સ્વમ તથા સામુદ્રિક શાસ્ત્રો પણ અહીં છે. ઉપરાંત નિમિત્તશાસ્ત્ર, વ્યાખ્યા અને પ્રચૂડામણ ગ્રંથો છે. વળી મેઘમાળા અર્થશાસ્ત્ર પણ છે અને એ બધા ગ્રંથ તે રાજાએ બનાવેલા છે.”
આ પ્રમાણે સાંભળતાં સિદ્ધરાજ એલી ઉઠવ્યો કે “આપણું ભંડારમાં શું એ શાસ્ત્રો નથી ? સમસ્ત ગુર્જર દેશમાં શું કોઈ. વિદ્રાને નથી ?” ત્યારે બધા વિદ્વાનો મળીને શ્રી હેમચંદ્રસૂરને જોવા લાગ્યા, એટલે મહાભિક્તિથી રાજાએ નમ્રતાપૂર્વક વિનતિ કરી કે “હે ભગવન્! એક વ્યાકરણશાસ્ત્ર બનાવીને અમારા મનોરથ પૂરા કરો.”
ચિત્ર નં. ૨૫ માં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે. તેમાં ચિત્ર પરિચયની શરૂઆત પહેલા ચિત્રથી થાય છે. જમણી બાજુએ ભદ્રાસન ઉપર શ્રી હેમચંદ્રસૂર બેઠા છે. તેઓને જમણા હાથમાં મુહપત્તિ છે તથા ડાબે હાથ તેઓશ્રીએ વરદ મુદ્રાએ રાખેલો છે. તેઓની સન્મુખ સ્થાપનાચાર્ય છે. જમણા ખભા ઉઘાડે છે. બગલમાં એ (જન સાધુઓનું જીવરક્ષા ઉપડ્યોગમાં આવતું એક ગરમ ઉનનું ઉપકરણ) છે. સામે એક શિષ્ય બે હાથે તાડપત્રનું એક પત્ર ઝાલીને બેઠા છે, જેના ઉપર “સિદ્ધહેમ' નું પહેલું સુત્ર કે કાળુ નમ: અષ્ટ લખેલું છે. શિષ્યની પાછળ બે હાથની અંજલિ ઘડી નમ્ર વદને ગુરુશ્રીના વચનામૃતનું પાન કરતા રાજવંશી પુષ્પાબેલા છે. જેમાં એક વ્યક્તિના ચિત્ર ઉપર નચત્તવ અને બીજી વ્યક્તિ ચિત્ર ઉપર શ્રીકુમારપાવ આ પ્રમાણેના અદયરોધી નામે લખેલાં છે. ચિત્રની ઉપરના ભાગમાં થોમવન્દ્રમૂરિ શ્રીરસિવરાજ્ઞવ્યથા સિકવન્દ્રચાવાનમfપત્ત આ પ્રમાણેના સ્પષ્ટ અદાર લખેલા છે. જે સમયે સિદ્ધરાજ જયસિહદેવ તથા કુમારપાલદેવ બે મહાન ગૂર્જરેશ્વર જૈન ધર્મનું તથા જૈનાચાર્યોનું આ પ્રમાણે બહુમાન કરતા હશે તે સમયે ગુજરાતની પુણ્યભૂમિ ઉપર અંહસાનું કેટલું બધું પ્રાબલ્ય પ્રવર્તતું હશે તેને ખ્યાલ સુદ્ધાં આજના પરતંત્ર વાતાવરણમાં આ મુશ્કેલ છે. ચિત્રમાં સિદ્ધરાજ જયસિહદેવ તથા કુમારપાલદેવની એકી સાથે જ રજુઆત કરેલી હોવાથી આ પ્રત બંનેની હયાતી બાદ લખાઈ હશે તેમ સાબિતી આપે છે. જોકે રિત્રમાં વપરાએલા રંગે તથા લપિ પણ એ વાતની સાબિતી આપે છે જ. આ ચિત્રના અનુસંધાને નાના ચિત્રમાં વર્ણવેલી “સિદ્ધહૈ' વ્યાકરણના પ્રચારને લગતી ઘટનાનો પ્રસંગ જોવાનો છે. પિતાને કુળને શોભાવનાર એ કાલ નામે એક કાયરથ હતો જે આઠ વ્યાકરણનો અભ્યાસ અને પ્રજ્ઞાવાન હતા. તેને જોતાં જ આચાર્યશ્રીએ વ્યાકરણશાસ્ત્રના તરવાથે જાણનાર એવા તને તરત જ અધ્યાપક બનાવ્યો. પછી પ્રતિમાસે જ્ઞાનપંચમી (શુકલ પંચમીના દિવસે તે પ્રશ્નો પૂછી લેતા અને ત્યાં અભ્યાસમાં પ્રવૃત્ત થએલા વિદ્યાર્થીઓને રાળ કંકણાદિથી વિભૂષિત કરતો. એમ એ શાસ્ત્રમાં નિષ્ણાત થએલા જનેને રાજા રેશમી વસ્ત્રો, કનકાભૂષણો, સુખાસન અને આતપત્રથી અલંકૃત કરતો'.૧૦
ચિત્રમાં ઉપરના ભાગમાં વણતરછાત્રાનું વ્યાજ પર્યત એમ રપષ્ટ લખેલું છે. જમણી બાજુએ લાકડાના ઊંચા આસન પર જમણા હાથમાં સોટી લઈ વિદ્યાર્થીઓને શિક્ષા કરવા) અને ડાબા હાથની તર્જની આંગળી ઊંચી કરીને પંડિત સામે બેઠેલા વિદ્યાર્થીઓને તર્જના કરતો અને અભ્યાસ કરાવતો બેઠેલે છે. તેના ગળામાં ઉપવીત–જનોઈ-નાખેલી છે. તેનો ચહેરો પ્રૌદ, પ્રતિભાવાન અને બુદ્ધિશાળી હોવાની ખાત્રી આપે છે. ઉપરના છનના ભાગમાં ચંદરો બોલે છે, એ સ્થાપનાચાર્ય
૯ જીઓ “દમાવતે કૌન વહૂઝિયલે. ૭૪ થી ૮૧ સુધી, ૧૦ ના બ્રીઝમાત્ર તે જમવરપ્રવધે છે. ૧૧૨ થી ૧૧:
Page #50
--------------------------------------------------------------------------
________________
૧૫
જૈન ચિત્ર-ક૯પલતા ઉપર પુસ્તક મૂકેલું છે. જે ઘણું કરીને “સિદ્ધહેમ વ્યાકરણની પ્રત હશે એમ લાગે છે. પતિની સામી બાજુએ ચારે વિદ્યાર્થીઓ બંને હાથમાં “સિદ્ધહેમ'નું પહેલું સૂત્ર ધર્મ નમ: અક્ષરો લખેલું પત્ર લઈને અભ્યાસમાં પ્રવૃત્તિ કરતા હોય એમ લાગે છે. આ ચિત્ર પ્રતને બીન પત્ર ઉપરથી લીધેલું છે. ચિત્ર ર૨ સિદ્ધહૈમ વ્યાકરણની હસ્તિ ઉપર સ્થાપના–ઉપર્યુક્ત પ્રતને પત્ર ૨ ઉપર ચિત્રપ્રસંગ.
આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ એ પ્રસંગે છે. તેમાં ચિત્રના પરિચયની શરૂઆત ઉપર ના જિનમંદિરના ચિત્રથી થાય છે. ડાબી બાજુએ સિદ્ધરાજ જયસિહદેવ પતે બંધાવેલા રાયવિહાર ૧૧ નામના ચૈત્યમાં શ્રી જિનેશ્વરદેવની બે હાથની અંજલિ જોડીને રસ્તુતિ કરતા દેખાય છે. જમણી બાજુએ રાજસ્તિ ઉપર મહારાજાધિરાજ ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જસિહદેવી સવારી હોય એમ લાગે છે. તેના ડાબા હાથમાં ખુલી તલવાર છે. અને જમણા હાથમાં ‘સિદ્ધ હેમ’ પ્રતનું એક પત્ર પકડયું હોય એમ લાગે છે. હાથીના કુંભસ્થળ ઉપર માવત જમણા હાથમાં અંકુશ લઇને બેઠેલો છે. માવતના મસ્તકની ઉપરના ભાગમાં વેત છત્રના દંડને ભાગ દેખાય છે. હાથીની પાછળ ચામર ધરનારી એક સ્ત્રી જમણા હાથથી ચાર વીંઝતી મેલી છે. હાથીની જમણી બાજુએ એક પુરજ ઢોલ વગાડતા દેખાય છે. આ પ્રસંગને લગતા ઉલ્લેખ “પ્રબંધ ચિંતામણિમાં થમેરૂતુંગરએ કરેલો છે?
શ્રી હેમચંદ્રસૂરિએ એમના વ્યાકરણને અવગાહન કરી એક જ વર્ષમાં સવાલાખ લોકપ્રમાણ એવું પંચાંગ પૂર્ણ વ્યાકરણ રચ્યું અને રાજા તથા પિતાની સ્મૃતિ-યાદગીરી-માં તેનું નામ “સિદ્ધહેમ' રાખ્યું. વળી આ ગ્રંથ રાજાની સવારીના હાથી ઉપર રાખી રાજાના દરબારમાં લાવવામાં આવ્યો. હાથી પર છે ચામર ધરનારી સ્ત્રીઓ બંને બાજુ ચામર ઢાળતી હતી અને ગંથ પર કેત છત્ર ધર્યું હતું ત્યાર પછી તેનું પફન રાજસભાના વિદ્વાન પાસે કરવામાં આવ્યું અને રાજાએ સમૂચિત પૃષચાર કર્યા પછી તેને રાજકીય સરસ્વતી કોષમાં સ્થાપિત કરવામાં આવ્યું....૧૨
આ પછી ચિત્રના અનુસંધાને, તેને પ્રચારને અંગે તેના વિદ્યાર્થીઓને પારિતોપિકાદ આપવાનો નીચેના ભાગમાં વર્ણવેલો પ્રસંગ જેવાને છે. ડાબી બાજુએ છીથી કુમાર નામને રાજ્યાધિકારી સિહારાન ઉપર વસ્ત્રાભૂષણોથી સુમતાજ થઈને બેઠો છે. તેણે જમણા ખભા ઉપર ઉઘાડી તલવાર જમણા હાથે મૂઠમાંથી પકડીને રાખેલી છે અને ડાબા હાથની તર્જની આંગળી ઊંચી કરીને હાથની મૂડીમાં કાંઇક –ઘણું કરીને સામે બે હાથની અંજલિ જોડીને બેઠેલા વિદ્યાર્થીઓને પારિતોષિક આપવાની વસ્તુ રાખીને બે લતા દેખાય છે. વિદ્યાર્થીની પાછળ, ગળામાં જનાઈ સહિત, ડાબા ખભા ઉપર સેટી રાખીને જમણા હાથની તર્જની આંગળી અને અંગુઠાને ભેગા રાખીને ઉભેલો કાકલ કાયસ્થ પંડિત આ વિદ્યાર્થી ઘણું જ સારું ભણ્યો છે એમ એપ બતાવતો અને વીર કુમારને પારિતોફિક આપવાનું કહેતા હોય એમ લાગે છે. વિદ્યાર્થીની યુવાન વય બતાવવા ચિત્રકારે દાટી અગર મૂછના વાળની રજુઆત કરી નથી. મારી માન્યતા પ્રમાણે જેવી રીતે કાકલ કાયસ્થને પંડિત તરીકે આ વ્યાકરણને અધ્યાપક નીમવામાં આવ્યો હતો તેવી જ રીતે ચિત્રમાં વર્ણવેલા શ્રી વીરકુમારને તેના પ્રચારના અને તેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પારિતોધિકાદિ આપવાના અધિકારપદે નીમવામાં આવ્યો હશે. આ ચિત્રમાં આપણને તેને પ્રચાર કરનાર અધિકારીનું નામ મળી આવે છે ? ગુજરાતના ઇતિહાસને માટે મહત્ત્વનું છે.
૧૧ છીમાર્નાવિદ્યાલાવાચચાવુન્નતે |
तियञ्च पदं प्रणिजगाद सः ।। २२६ ।। -श्रीप्रभावकचरिते श्रीहेमचन्द्रसुरिप्रबन्धे ૧૨ જાઓ છાત્રા નામ તૃતીગઇજા: પૃg ૬૦-૬ ૨. સંપાદક : જિનવિજયજી
Page #51
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલતા ચિત્ર ર૩ શ્રી પાર્શ્વનાથનું દેરાસર–શા. વિક્રમ, શા. રાજસિંહ, શા કર્મણ તથા હીરાદે શ્રાવિકા - ઉપર્યુક્ત પ્રતના પાના ૨૯૬ ઉપર ચિત્ર. ચિત્રનું કદ ૨૧૪૨ ઈય છે.
જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું શિખરબંધ દેરાસર છે, જેમાં મધ્ય ભાગમાં લિ વર્ણની શ્રી પાર્શ્વનાથ પ્રભુની સુંદર મૃત આભૂષણો સહિત બિરાજમાન છે. મસ્તકે માંગણી સાત કણાઓ છે. મૂર્તિની સન્મુખ ગર્ભાગારની બહાર રંગમંડપમાં રા. વિક્રમ સા. રાન્નસિંહ, સા. યળનામના ત્રણ પુ તથા કવિ હરાવી નામની એક સ્ત્રી અનુક્રમે છે. ઘણાં બે હાથની અંજલિ જોડીને પ્રભુની સ્તુતિ કરતાં ઊભાં છે. દેરાસરનું શિખર આકાશમાં ઉડતી ધ્વજા સહિત દેખાય છે, શિખર તથા ગમંડપ ગુજરાતની મધ્યકાલીરથાપત્યકળાના સુંદર નમૂના છે. શિખરની બંને બાજુએ ઊડતાં પક્ષીઓની તથા ગમંડપ ઉપરથી કૂદકા મારીને શિખર તરફ જતાં ત્રણ વાંદરાંઓની રજુઆત કરવામાં, આ દેરાસર ગગનચુંબી છે તેમ બતાવવાને ચિત્રકારના ઇરાદે છે. રા. વિમ, . સિંઢ તથા સા. કર્મળ ત્રણે સગા ભાઈઓ તથા વૈભવશાળો ગૃહસ્થ-શ્રાવકે હશે તેમ તેઓના પહેરવેશ ઉપરથી જણાઈ આવે છે. મારી માન્યતા પ્રમાણે કદાચ ચિત્રમાં રજુ કરેલું પાર્શ્વનાથનું મંદિર પણ તેઓએ બંધાવ્યું હોય. ગુજરાતમાં પ્રાચીન ચિત્રોમાં વાંદરાંની રજુઆત સૌથી પ્રથમ આ ચિત્રમાં મળી આવે છે. એક વિ. . ૧૪૯૦ (ઇ.સ.૧૪૪૭)ના કાપડ ઉપર ચીતરાલા પંચતીર્થ પટમાં પણ વાંદરાની રજુઆત કરવામાં આવી છે. પરંતુ તે પટ આપણ આ ચિત્રથી પછીના સમયને છે.
ચિત્ર ૨૪ આનંદપ્રભ ઉપાધ્યાયને સિદ્ધહેમ વ્યાકરણની પ્રત લખાવવા માટે મંત્રી કર્મણ વિનતિ કરે છે– ઉપરના ચિત્રના અનુસંધાનનું આ ચિત્ર મૂળ પ્રતના પાના ૨૯૭ ઉપરથી લેવામાં આવ્યું છે. ચિત્રને કદ ૨૩૪ર૬ર છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે, તેમાં ચિત્રના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. જમણી બાજુએ સિંહાસન ઉપર કાનામવાધ્યાય નામના જૈન સાધુ જમણા હાથમાં મુહપત્તિ રાખીને તથા ડાબે હાથ ઢીંચણ ઉપર ટેકવીને સામે બેઠેલા શિષ્યને પાઠ આપતા હોય એમ લાગે છે. સામે બેઠેલા શિષ્યનું નામ લૈિંતિમુનિ છે. કીર્તિતિલક મુનિના બંને હાથમાં તાડપત્રનું એક પાત્ર છે. તેમની પાછળ સા. રમણ તથા ઉપરના ભાગમાં તા. વિશ્વમાઢ બે હાથની અંજલિ જેડીને બેઠેલા અને ગુરુના ઉપદેશનું શ્રવણ કરતા દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને નીચેના ચિત્રમાં બે સાથીઓ કે જેમનાં નામ અનુક્રમે શ્રીyક્રાંતાનનો તથા શ્રીમુત્રતામામ મુદા છે અને બંને સાધ્વીઓની સામે બે શ્રાવિકાઓ છે. જેમાં એકનું નામ વાઇ ફ્રી વિમુરાથવિ. એટલે વાયટગચ્છીય હીરાદેવી મુખ્ય શ્રાવિકા છે. ઉપર્યુકત ચિત્રની બધી વ્યક્તિઓ તથા નીચેના ચિત્રની સાવીઓ તથા શ્રાવિકાઓ આનંદપ્રભપધ્યાયને ઉપદેશ શ્રવણ કરે છે. વિશેષ તો પ્રત લખાવનારના સમયના મુખ્ય સાધુએ, સાથીઓ, શ્રાવકે તથા શ્રાવિકાઓનાં નામ સાથેના આ ચિત્રા હોદને તે આપણને તે સમયના ચતુવિધ સંધના રીતરિવાજે તથા પહેશોને બહુ જ સુંદર ખ્યાલ પૂરો પાડે છે.
આ ચિત્રમાં મુખ્યત્વે કરીને લાલ, કાળો, ઘેળો, પીળો, લીલે તથા ગુHબી રંગને ઉપયોગ કરવામાં આવ્યો છે. ચિત્ર ૨૨-૨૩માં જિનમંદિરની રજુઆતમાં તે સમયનાં જિનમંદિરની સ્થાપત્યરચનાનું, તથા ચિત્ર ૨૨-૨૩-૨૪માં સ્ત્રી-પુરુષોના પહેરવેશો તેમજ તે સમયના ગુજરાતના વૈભવશાળી ગૃહસ્થોના રીતરિવાજોનું ભાન કરાવનારા પુરાવા છે. ચિત્ર ૨૨માં હાથીને જે રંગ પોપટીઓ લીલો છે તે ચિત્રકારની કલ્પના માત્ર છે અને તે બતાવીને તેને આશય આ હાથી સામાન્ય નથી પણ વિશિષ્ટ જાતિને છે તે બતાવવાને છે. ચિત્ર ૨૩-૨૪માં સા. વિક્રમ, સા, રાજસિંહ તથા સા. કર્મણના માથાની પાછળના ભાગમાં ખેડા વાળેલા છે અને અંબોડામાં દરેકે માથાનો ખૂપ (માથે પહેરવામાં આવતા દાગીને) ઘાલે છે તે રિવાજ આજે સ્ત્રીઓમાં હજુ ચાલુ છે, પરંતુ ગુજરાતના
Page #52
--------------------------------------------------------------------------
________________
#Rep/
(
રિ1િ0;4ટોર દીTદમ-શ્વાછર 2 ) ) 8 0 0 0 0 0 '
ઉપર-ચિત્ર ૨૫ : સિદ્ધહેમ વ્યાકરણની હતિ ઉપર થાપના, નીચે -ચિત્ર ૨ : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિને શ્રી જયસિહદેવની
વ્યાકરણ રચવા માટે પ્રાર્થના (ચૌદમે સૈકા)
Page #53
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પલતા
૧૮
પુરુષોમાંથી હાલમાં નાબૂદ થઇ ગયેલે છે, ચિત્ર ૨૬ તથા ૨૪માં હીરાદેવી પ્રમુખ શ્રાવિકાએ માથે સાડી ઓઢેલી નથી અને કાનમાં ગોટી વાળાએ તથા ફૂલ ઘાલેલાં છે. ચિત્ર ૨૪માંની મે સામેનાં માથાં પણ ખુલ્લાં છે જે તે સમયના પહેરવેશનું દિગ્દર્શન કરાવનારા નમૂના છે. પ્રાચીન ચિત્રોમાં સ્ત્રીએની આકૃતિ કંચુકી તથા સ્તનની રજુઆતથી પુરની આકૃતિને મુકાબલે તરત જ જુદી તરી આવે છે.
પ્રત લખાવનાર સંબંધી માહિતી
કર્મણ નામે અમદાવાદના એક સુલતાનને મંત્રી પંદરમા સૈકામાં થએલા છે, જેણે અમદાવાદમાં આચાર્યશ્રી સેમજયસૂરિના શિષ્ય મહીસમુદ્રને વાચકપદ અપાવ્યું હતું.૧૩ પરંતુ નં નામો સાથે સરખાવતાં તથા પ્રતની લિપિ નેતાં આ પ્રત તેરમા અગર ચૌદમા સૈકામાં લખાલી હોય એવી લાગે છે તેથી આ પ્રત લખાવનાર ઉપર્યુક્ત કર્મણ હોવાની સંભાવના બહુ જ ઓછી છે. આ પ્રત ચૌદમા સૈકા દરમ્યાન લખાએલી હેાય એમ લાગે છે. પ્રતનાં ચિત્રોમાં સમકાલીન ષ્ટિની છાપ ઊતરી છે. જૂનાં ખોખાં પ્રમાણે ચિત્રા દેરવા છતાં પાત્રા, પ્રાણીઓ વગેરેનાં રૂપરગ તાદશ અન્યાં છે.
ચિત્ર ૬૫ તથા ચિત્ર ૬ જુએ અનુક્રમે ચિત્ર ૨૨ તથા ચિત્ર ૨૧નું વર્ણન.
ચિત્ર ૬ શ્રીપાર્શ્વનાથનું ચ્યવન—દિરની પ્રતના પાના પ૭ ઉપરથી. ચિત્રના મૂળ કદ રડું× ઇંચ ઉપરથી મારું કરીને અત્રે રજૂ કરવામાં આવ્યું છે.
‘પુરુષપ્રધાન અર્જુન્ શ્રીપાર્શ્વનાથ ગ્રીષ્મકાળના પહેલા માસમાં, પહેલા પખવાડિયામાં, ચૈત્ર માસના કૃષ્ણપક્ષમાં (ગુજરાતી ફાગણ માસમાં) ચોથની રાત્રિને વિષે, વીસ સાગરોપમની સ્થિતિવાળા પ્રાપ્ત નામના દશમા દેવલેાકથી વ્યવીને વારાણસી નગરીના અન્ક્સન નામે રાજાની વામાદેવી પટરાણીની કુક્ષિને વિષે મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યાગ પ્રાપ્ત થતાં દેવ સંબંધી, આહાર, ભવ અને શરીરનો ત્યાગ કરી ગર્ભપણે ઉત્પન્ન થયા.'
પાર્શ્વનાથ ભગવાનની નીલ વર્ણની પદ્માસનસ્થ મુર્તિ ચ્યવન કલ્યાણક દર્શાવવા અત્રે રજુ કરી છે, મસ્તક ઉપર કાળા રંગની ધરણેન્દ્રની સાત કણા છે. મૂર્તિ આપણાથી શણગારેલી છે, પક્ષાસન વગેરેનું વર્ણન અગાઉ ચિત્ર ૯માં આપણે બૈ ગયા છીએ,
ચિત્ર ૨૮ શ્રીપાર્શ્વનાથના પંચષ્ટિ લાચ—ડરની પ્રતના પાના ૬૦ ઉપરથી. મૂળ ચિત્રના કદ ર×ર ઇંચ ઉપરથી મોટું કરીને અત્રે રજૂ કર્યું છે.
શ્રીપાર્શ્વનાથ પ્રભુએ શ્રમણું અંગીકાર કર્યું ત્યારે હેમંતઋતુનું ત્રીજું પખવાડિયું–પાપ ભાસના કૃષ્ણપક્ષ વર્તતા હતા. તે પખવાડિયાની અગિયારશના દિવસે (ગુજરાતી માગશર વદી અગિયારશે), પહેલા પ્રહરી વિષે, વિશાલા નામની પાલખીમાં મેસીને આશ્રમપદ ઉદ્યાનમાં, અજ્ઞાક નામના ઉત્તમ વૃક્ષની પાસે આવી, પાલખીમાંથી નીચે ઊતરી, પેાતાની મેળે જ પોતાનાં આભૂષણ વગેરે ઊતાર્યાં અને પોતાની મેળે જ પંચમુષ્ટિ લેોચ કર્યાં.' આખી યે ચિત્રમાલામાં આ ચિત્ર બહુ જ ધ્યાન ખેંચે તેવી રીતે ચિત્રકારે તાદશ ચીતર્યું છે. આયાના ઝાડની ગાØણી બહુ જ સુંદર પ્રકારની છે. આખું યે મૂળ ચિત્ર સાનાની શાહીથી ગીતરેલું છે.
३३ मा श्री तीर्थयात्रारुपुण्यकारिणा श्रीकर्मणाऽऽरेन महीपमन्त्रिणा | महीसमुद्रभिपण्डितप्रभोः पादयुपाध्याय पदं विवेकिना ॥ ३७ ॥ --]][7.રાવ્ય સર્જ ૩. જ઼ ૨૮
Page #54
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ર૭ : શ્રી પાર્શ્વનાથનું ચ્યવન (ાદમા સૈકા)
ચિત્ર ૨૮ : શ્રી પાર્શ્વનાથનો પંચ મુષ્ટિ લેચ (ચૈાદમા સૈકા)
Page #55
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-કલ્પલતા
૨૦
ચિત્ર ૯ શ્રીમહાવીરપ્રભુ—મારાભાઇ નવાબના સંગ્રહમાંથી. કાલકકથાની તાડપત્રની પ્રતના પાનાનું મૂળ કદનું લગભગ ચૌદમી સદીનું આ ચિત્ર તે સમયનાં જિનમંદિરની સ્થાપત્યરચનાના સુંદર ખ્યાલ આપે છે. સ્થાપત્ય, શણગાર તથા તેની કુદરતી આંખો, મૃદુ-કામળ છતાં પ્રમાણેાયેત હાસ્ય કરતું મુખ, તે સમયના ચિત્રકારની ભાવ અર્પણ કરવાની શક્તિના સાક્ષાત પરિચય આપે છે. મૂર્તિની એકની નીચે પબાસનમાં વચ્ચે કમળ, બંને બાજુએ એકેક હાથી, એકેક સિંહ તથા કિન્નર ચીતરેલા છે. મૂર્તિની આજુબાજુ છે. ચારધારી દેવા ઊભા છે. મસ્તકની બાજુમાં એકેક સ્ત્રી ફૂલની માળા લઇને અને તે દરેકની પાછળ ખાલી હાથે ઊભી રહેલી એકેક વ્યક્તિ ચીતરેલી છે. મૂર્તિના મસ્તકની ઉપરના ભાગમાં લટકતું છત્ર છે. આ ચિત્રથી તાડપત્રની ચિત્રકળાના વિભાગ
સમાપ્ત થાય છે.
ચિત્ર ૩૦ જમણી બાજી: શ્રીપાર્શ્વનાથ કામગ ધ્યાનમાં; ડાળી બાજીઃ શ્રીપાર્શ્વનાથનું નિર્વાણુ અને ધરણેન્દ્ર તથા તેની પટરાણી-ઇડરની પ્રતના પત્ર ૬૧ ઉપરથી. આ ચિત્ર મૂળ કદમાં તેના લખાણ સાથે લીધેલું છે.
ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગો છે; તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના ઉષસર્ગના ચિત્રથી થાય છે. શ્રીપાર્શ્વનાથ પ્રભુ શ્રમપણું અંગીકાર કર્યાં પછી, વિચરતા થકા, એકદા કાઈ તાપસના આશ્રમમાં આવી ચડયા. ત્યાં રાત્રીને વિષે એક કુવાની નજીકમાં જ વટવૃક્ષ નીચે પ્રતિમાધ્યાને સ્થિર થયા. તે સમયે કમરના જીવ મેધનાલી નામના દેવે કલ્પાંતકાળના મેધની પેઠે વરસાદ વરસાવવા માંડયો. આકાશ અને પૃથ્વી પણ જળમય જેવાં બની ગયાં. જળને òસબંધ પ્રવાહ પ્રભુના ઘૂંટણ પર્યંત પહોંચ્યા. ક્ષણવારમાં પ્રભુની કંડ સુધી પાણી પહોંચું અને હેતઐતામાં કંડની ઉપરવટ અને નાસિકાના અગ્રભાગ સુધી પાણી ફરી વળ્યું. છતાં પ્રભુ તો અચા અને અડગ જ રહ્યા. એ અવસરે ધરણેન્દ્રનું આસન કંપ્યું. તેણે અવધિજ્ઞાનથી પ્રભુ ઉપર ભયંકર ઉપદ્રવ થા તૈયા. તત્કાળ ધરણેન્દ્ર પોતાની પટરાણીએ સહિત પ્રભુની પાસે આવ્યા અને ભક્તિભાવભર્યાં નમસ્કાર કરી તેમના મસ્તક ઉપર કામે રૂપા છત્ર ધરી રાખ્યું.’
જમણી બાજુએ પાર્શ્વનાથ પ્રભુની પાછળ ગરદન સુધી જળ બતાવવા માટે ચિત્રકારે ઝાંખા લીલા રંગના લીટા મારીને જળની આકૃતિ ઉપાવી કાઢી છે. તેમના પગની નીચે એક સ્વરૂપે ધરણેન્દ્ર છે હાથ તેડી પદ્માસને મેસીને અને પલાંઠી વાળેલા પોતાના બંને પગ ઉપર પ્રભુના એ પગ રાખીને બેઠો છે; બીજું સ્વરૂપ નાગનું કરી, આખા શરીરને વીંટળાઇ વળી, સાત કણા રૂપી છત્ર મસ્તક ઉપર ધરી રહ્યો છે; ત્રી‚ મૂળ રૂપે તે પાર્શ્વનાથ પ્રભુની ડાબી બાજુએ એ હાથની અંજલિ બેડીને પ્રભુની સ્તુતિ કરતા ઊભા છે. તેની પાછળ તેની પટરાણી એ હસ્તની અંજલિ જોડીને પ્રભુના ગુણગાન કરતી ઊભી છે. ધરણેન્દ્રે આટલી બધી ભિત કરી અને કમડે પ્રભુની આટલી બધી કર્થના કરી. બંનેએ પોતપોતાને ઉચિત કાર્યો કર્યાં છતાં બંને તરફ સમાન દ્રષ્ટિવાળા પ્રભુ પાર્શ્વનાથ જગતનું કલ્યાણ કરનારા હોવાથી કેમ વંદનીય ન થાય ? આ પછી ચિત્રના અનુસંધાને ઉપરના ચિત્રમાં વર્ણવેલે પ્રભુ પાર્શ્વનાથના નિર્વાષ્ણુના પ્રસંગ જેવાના છે. ‘વર્ષાકાળના પહેલા મહિનાના બીન પખવાર્બાડયામાં, શ્રાવણ શુક્લ અષ્ટમીના દિવસે, સમ્મેત નામના પર્વતના શિખર ઉપર જળરહિત માસક્ષમણ (એક મહિનાના ઉપવાસ)નું તપ કરી પાર્શ્વનાથ પ્રભુ નિર્વાણ પામ્યા–મેક્ષે ગયા.’ ચિત્ર ૩૧ શ્રીઋષભદેવનું નિર્વાણુ ઇડરની પ્રતના પાના ૭૮ ઉપરથી, ચિત્રનું મૂળ કદ રડું×૨ ઇંચ ઉપરથી મારું કરીને અત્રે રજૂ કર્યું છે.
‘શ્રીઋધભદેવ પ્રભુ શિયાળાના ત્રીજા માસમાં, પાંચમાં પ્રખયામાં, માઘ માસની વિદે તેરશ (ગુજરાતી પોષ વદ ૧૭) ને દિવસે અષ્ટાપદ પર્વતના શિખર ઉપર, જળ રહિત ચૌદભક્ત,
Page #56
--------------------------------------------------------------------------
________________
by doc
सणासमासर्वहायायाधिचिंगसाडविण्दया सिन।यवाद्यमाण्टिाक्याडोनपचनावसिासद्य दिाछाचावाझिलरासधरावासालिरीवितिमिश राणाक्षरकमाएकालझासिधानिजितिविशारहा
झविष्णमान हातिधतिको दाहासवधि पावसाचाया
ASMEER
वित्र २८ : श्रीमहावीर (योहमा सै।)
JOGI
पाणित
याणा एकंवाससटा मीमसणि णण्दममारमा मागरकोर्षि
सिवासा
ચિત્ર ૩ ૦ : શ્રી પાર્શ્વનાથ કાઉસગ્ગ ધ્યાનમાં; ડાબી બાજુ . શ્રી પાર્શ્વનાથને નિર્વાણ અને ધરણેન્દ્ર તથા તેની પટરાણી (ચાદમા સૈકા)
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૨
જૈન ચિત્ર-કલ્પલતા
ચિત્ર ૩૧ : શ્રીઋષભદેવનું નિર્વાણ
છે. ઉપવાસના તપ કરી, અભિજિત્ નામના નક્ષત્રને વિષે ચંદ્ર યાગ પ્ર!પ્ત થતાં, સવારના સમયે પËકાસને બેસીને નિર્વાણુ પામ્યા.'
ચિત્રમાં સર્વ આભૂષણો સહિત સિદ્ધશિલા ઉપર બેઠેલા ઋમદેવ પ્રભુની અને આજુબાજુ એ ઝાડની રજૂઆત કરીને ચિત્રકારે શ્રીઋષભદેવના નિર્વાણ કલ્યાણકના પ્રસંગ ચીતરેલા છે. ડરની આ પ્રતના દરેક ચિત્રની પૃષ્ઠભૂમિ સીંદુરિયા લાલ રંગની છે. આ ધ યે ચિત્રા અસલ માપે ઉતારેલાં છે. તેમાં રંગભરણીની સરસ વહેંચણી તથા વાતાવરણ અને પદાર્થોની ઝીણવટમાં પરંપરાગત આકૃતિએ ચીતરી છે, પણ મૂળ આકારાના પ્રત્યક્ષ પરિચય નહિ હોવાથી ચિત્રકારોએ નક્કી કરેલાં આકારોનાં કૃત્રિમ રૂપે ચિત્રકાર ચીતર્યે ગયા છે; છતાં સુશોભનામાં જરા ગે તે પાછો પડતો નથી. આ પ્રતમાં સાનાની શાહીનો ખૂબ છૂટથી ઉપયોગ કરવામાં આવ્યા છે.ચિત્રનાં પાત્રા ચીતરવામાં તાડપત્ર ઉપર સુવર્ણની શાહીનો ઉપયોગ આ એક જ પ્રતમાં કરવામાં આવ્યા છે. ઉપરાંત, સીંદુરિયા, લાલ, ગુલાબી, કરમજી, પીળા, વાદળી, રૂપેરી, જાંબુડી, સફેદ, કાળે!, આસમાની તથા નારંગી રંગને પણ ઉપયોગ આ પ્રતનાં ચિત્રામાં કરવામાં આવ્યા છે. ચિત્ર ૩૨-૩૩ નૃત્યનાં જુદાંજુદાં સ્વરૂપા—અમદાવાદના દે પા॰ ના દાવિ શાસ્ત્રસંગ્રહની કલ્પસૂત્ર તથા કાલકકથાની અપ્રતિમ કારીગરીવાળા સુવર્ણાક્ષરી પ્રતના પાના ૧૨૭ ઉપરથી.
કાગળની પ્રતના હાંસીઆમાંનાં ચિત્રા મધ્યેના નર્તના પાત્રવાળાં ચિત્રો આ વસ્તુસઁકલનાનાં અપ્રતિમ પ્રતિનિધિ જેવાં છે. ચિત્રકાર બરાબર જાણે છે કે ચિત્રામાં શું કહેવાનું છે, અને તેને અનુરૂપ તે રચના કરી શકે છે. આ ચિત્રનાં ચારે રૂપાનું એકેએક અંગ એવું તો બારીક દેરાએલું છે કે આપણી સામે જાણે તે સમયની જીવતીજાગતી ગુજરાતણેા ગળે રમતી ખડી ન કરી દીધી હોય!
Page #58
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૩૨-૩૩ : નૃત્યનાં જુદાંજુદાં સ્વરૂપા (પંદરમા સૈકા)
ચિત્ર ૩૪ : શ્રીષભદેવના રાજયાભિષેક (વિ. સં. ૧૫૨૨)
Page #59
--------------------------------------------------------------------------
________________
ક
છે
ચિત્ર ૩૫ : શ્રાદાણી દેવાનંદા અને ચંદ્ર સ્વરૂમ (વિ. સં. ૧૫૨)
Page #60
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-ક૯૫લતા
ચિત્ર ૩૪ (હંસવિ૦ ૧, પાનું ૬૦) શ્રી ઋષભદેવના પ્રથમ રાજા તરીકે) રાજ્યાભિષેક-ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે, તેમાં ચિત્રના પરિચયની શરૂઆત નીચેના રાજ્યાભિષેકના પ્રસંગથી થાય છે. આ પ્રસંગના વર્ણન માટે મહાકવીશ્વર શ્રીધનપાલવિરચિત ‘શ્રીપભપંચાશિકા'ના નવમાં લોકમાં નીચે મુજબ વર્ણન આપેલું છે૧૪ હે જગનાથ! ઇન્દ્ર દ્વારા જલદી રાજ્યાભિષેક૧૫ કરાએલા એવા આપને, વિસ્મય પૂર્વક લાંબા કાળ સુધી કમળનાં પત્રો વડે અભિષેક-જલ ધારણ કરવા પૂર્વક જે (યુગલિકોએ) યા તેમને ધન્ય છે.”
ચિત્રમાં ડાબી બાજુએ સિંહાસન ઉપર શ્રી ઋષભદેવ બેઠેલા છે. તેમના ઊંચા કરેલા ડાબા હાથમાં કપડા જેવું કંઈક દેખાય છે. તેઓ પોતાની તર્જની આંગળી ઊંચી કરીને, સામે બંને હાથમાં કમળપત્રમાં અભિષેક-જલ ધારણ કરીને ઉભા રહેલા યુગલિકના એક છેડલા (સ્ત્રી-પુરુષ)ને કાંઈક કહેતા હોય એવો ભાવ દર્શાવવા ચિત્રકારે પ્રયત્ન કરેલો છે. સામે ઊભું રહેલું યુગલ નમ્ર વદને હાથના મેળામાં કમળપત્રમાં અભિષેક-જલ ધારણ કરીને વિમિત નયનેએ શ્રીપભદેવ સામે જેવું દેખાય છે. ચિત્રકારે કમળપત્ર બતાવવા ખાતર યુગલિક પુરુષને બંને હાથ આગળ દાંડી સાથે કમળપત્ર બતાવેલું છે. ત્રણે વ્યક્તિઓનાં કપડામાં જુદી જુદી જાતનાં શોભના આલેખેલાં છે, જે પંદરમા સૈકાનાં સ્ત્રીપુરુષના વૈભવશાળી પહેલ્વેશની આબેદમાં રજુઆત કરતા પુરાવા છે. ચિત્રના ઉપરના ભાગમાં બાંધેલા ચંદરવામાં શ્રેણીબદ્ધ પાંચ હંસ ચીતરેલા છે.
આ ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં આલેખેલો, શ્રી ઋષભદેવે પોતાની રાજભાવસ્થામાં જગતના પ્રાણીઓને ઉપકારની ખાતર સૌથી પ્રથમ કુંભારની કળા બતાવી તે પ્રરાંગ જોવાનો છે.
ઋષભ પંચાશિકા'ને ૧૦મે કલાકમાં આ પ્રસંગનું વર્ણ નીચે મુજબ આપેલું છે. જેમણે (શબ્દ વિદ્યા, લેખન, ગણિત, ગીત ઈત્યાદિ વિદ્યા-કળાઓ અને (કુંભારાદિકનાં) શિલ દેખાડ્યાં છે તેમજ જેમણે (ખેતી, પશુ-પાલન, વાણિજ્ય, લગ્ન ઇત્યાદિ સમસ્ત પ્રકારની લોકવ્યવહાર (પણ) સારી રીતે સમજાવ્યો છે, એવા આપ જે પ્રજાના સ્વામી થયા છે તે કૃતાર્થ છે.'—૧૧
શિ૯૫ના મુખ્ય પાંચ ભેદે છે. આવશ્યક-નિયંતિની ગાથા ૨૦૭માં ૧૭ તેનું નીચે પ્રમાણે વેણુ છેઃ ‘કુંભાર, લુહાર, ચિતાર, વણકર અને નાપત (હોમ) ના એમ પાંચ શિ૯ો મુખ્ય છે અને વળી તે પ્રત્યેકના વીસ વીસ અવાક્તર ભેદો છે.'
જગતને કુંભારની કળા પ્રથમ તીર્થંકરે બતાવી હતી. (હિંદુ શાસ્ત્રમાં બ્રહ્માએ બનાવી હતી એમ કહેવામાં આવે છે. પ્રસંગ એ બન્યો હતો કે કલ્પવૃક્ષને વિચ્છેદ થવાથી લોકો કંદમૂળ અને ફલાદિક ખાતા હતા, અને ઘઉં, ચોખા ઇત્યાદિ અનાજ કાચું ને કાચું ખાતા હતા. તે તેમને પચતું નહોતું. આથી પ્રજાએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી, ત્યારે હાથથી ઘસીને પાણીમાં પલાળીને અને પાંદડાના પડીમાં લઈને ખાવું એમ તેમણે ઉપદેશ આપ્યો. એમ કરવા છતાં પણ લોકોનું દુઃખ દૂર થયું નહિ, એટલે ફરીથી તેઓએ પ્રભુને વિપ્તિ કરી. પ્રભુએ કહ્યું કે મેં સુચવ્યા મુજબ પૂર્વોક્ત
१.४ धन्ना सबिम्हयं जेहिं, झत्ति कयरज्जमज्जणो हरिणा ।
चिरधरिअनलिणपत्ता-भिसेअसलिलेहि दिट्ठो सि ॥९॥ ૧૫ આ રાજ્યાભિષેકની વિશેષ માહિતી માટે જુઓ ‘આવશ્યક.. ५६ दाविअविज्जासिप्पो, वज्जरिआसेसलोअववहारो।
जाओ सि जाय सामिअ, पयाओ ताओ कयत्थाओ ||१०|| ५७ पंचेव य सिप्पाई, घड १ लोहे २ चित्त ३ गत ४ कासवए ५।
इकिकस्य य इत्तो, वीसं वीसं भवे भेया ।। २०७॥
Page #61
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-કપલતા વિધિ કર્યા બાદ ઘઉં વગેરેને મુષ્ટિમાં અથવા બગલમાં થોડો વખત રાખ્યા બાદ ભક્ષણ કરો. આમ કરવાથી પણ તેમનું દુઃખ દૂર થયું નહિ. તેવામાં વૃક્ષની શાખાઓ પરસ્પર ઘસાતાં અંગે ઉત્પન્ન થયો. આને વાસ્તવિક સ્વરૂપથી અજાણ્યા એવા તે સમયના મનુષ્ય તેને રત્ન જાણીને પકડવા ગયા; પરંતુ તેથી તે તેમના હાથ દાઝવા લાગ્યા. આથી અગ્નિને કોઈ અદ્ભુત ભૂત માનતા તથા તેથી ત્રાસ પામતા લોકે પ્રભુ સમક્ષ આવ્યા, ત્યારે પ્રભુએ તેમને કહ્યું કે સ્નિગ્ધ અને રૂક્ષ કાળને દોષ થવાથી આ તો અગ્નિ ઉત્પન્ન થયો છે, માટે તમારે તેની પાસે જવું અને તેની સમીપમાં રહેલાં તૃણાદિકને દૂર કરી તેને ગ્રહણ કરી, અને ત્યાર બાદ પૂર્વોક્ત વિધિ પ્રમાણે તૈયાર કરેલા ઘઉં વગેરેને તેમાં નાખી પકવ કરી તેને આહાર કરે. તે મુગ્ધ લોકોએ તેમ કર્યું એટલે ઘઉં વગેરેને તે અગ્નિ સ્વાહા કરી જેવી લાગે. આ વાત તેઓએ પ્રભુ સમક્ષ રજૂ કરી. આ સમયે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા. એમણે ત્યાં જ તેઓની પાસે લીલી માટીને પિડ મંગાવી તેને હાથીના કુંભસ્થળ ઉપર મૂકી તેનું એક પાત્ર બનાવ્યું અને એ પ્રમાણે પાત્ર બનાવી તેમાં ધઉ વગેરે રાખી તેને અગ્નિની મદદથી પકાવી તે ખાવાની તેમને સૂચના કરી આ પ્રમાણે પ્રભુએ કુંભારના શિલ્પને વિધિ બતાવ્યો.
ચિત્રમાં સફેદ હાથી ઉપર સપભદેવ બેઠા છે. તેઓશ્રીના ડાબા હાથમાં માટીનું એક પાત્ર છે, અને તે હાથ ઊંચા કરીને સામે ઉભા રહેલા યુગલક પુરૂને તે આપવા માટે ઉત્સુકતા બતાવતા ચિત્રકારે એમને રજૂ કર્યા છે. સામે ઉભા રહેલા યુગલિક પુરૂષના બને હાથના ઊંચા કરેલા ખોબામાં પણ માટીના પાત્રની રજુઆત ચિત્રકારે કરી છે. હાથી પણ શણગારેલો છે. પ્રભુની પાછળ અંબાડીનું સિંહાસન બતાવ્યું છે અને એમને ઉત્તરાસંગને ભાગ ઊડતો બતાવીને ચિત્રકારે છટાથી ગમન કરતા હાથીની રજુઆત કરી છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં આકાશમાં વાદળા દવ્યાં છે. ચિત્ર ૩૫ બ્રાહ્મણી દેવાનન્દા અને ચૌદ સ્વપ્ન : હંસવિદ ૧ ના પ્રતના પાના ક ઉપરથી–આખું પાનું પ્રતના મૂળ કદનું અત્રે નમૂના તરીકે રજૂ કરેલું છે. ચિત્ર ૩૧ ચૌદ સ્વનઃ કતિવિ૦ ના પાના ૧૬ ઉપરથી–વાચકેની જાણ ખાતર એ ચદે સ્વપ્નનું ટુંક વિવેચન અત્રે કરવામાં આવે છે.
(૧) હાથી-ચાર મહાન જંતુશળવાળા, ઉચો, વરસી રહેલા વિશાળ મેઘ જેવો અને વૈતાદ્રવ્ય પર્વતનાં જેવો સફેદ. તેના શરીરનું પ્રમાણ કેન્દ્રના ઐરાવણ હાથીના જેવડું હતું. સર્વ પ્રકારનાં શુભ લક્ષણવાળા, હાથીઓમાં સર્વોત્તમ અને વિશાળ એવા પ્રકારને હાથી ત્રિશલા દેવીએ પ્રથમ સ્વપનામાં જોયો. હાથી એ પરમ મંગળકારી તથા રાજ્યચિહ્નો દ્યોતક છે.
(૨) વૃષભ-વેત કમળની દવાઓની રૂપકાંતિને પરાજિત કરતો, મજબૂત, ભરાવદાર માંસપેશીવાળો, પુષ્ટ, યથાસ્થિત અવયવવાળો અને સુંદર શરીરવાળા વૃષભ ત્રિશલાદેવીએ બીજા સ્વપ્નમાં જોયા. તેનાં અતિશય ઉત્તમ અને તીણ શીંગડાંઓના આગલા ભાગમાં તેલ લગાડેલું હતું. તેના દાંત સુશોભિત અને શ્વેત હતા. વૃષભ (બળદ) એ કૃષિને ઘાતક છે.
(૩) સિંહ-ત્રીજા સ્વપ્નમાં ત્રિશલાએ સિંહ જે. તે પણ મોતીના હાર, ચંદ્રનાં કિરણને રૂપાના પર્વત જેવો મત રમણીય અને મને હર હતું. તેના પંજા મજબૂત અને સુંદર હતા. પુષ્ટ અને તરુણ દાઢે વડે તેનું મુખ જોભી રહ્યું હતું, તેની મનોહર જીભ લપલપાયમાન થતી હતી. સાથે વિશાળ અને પુષ્ટ હતી. સ્કર પરિપૂર્ણ અને નિર્મળ હતા. બારીક અને ઉત્તમ કેશવાળી વડે તે અનહદ શોભી રહ્યો હતો. તેનું પુછ કુંડલાકાર અને શોભાયમાન હતું. તે વારંવાર જમીન સાથે અકળાતું અને પાછું કંડલાકાર બની જતું. તેની આકૃતિમાં સૌમ્યભાવ દેખાઇ આવતા હતા.
Page #62
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-કલ્પલતા
wwwwwww
ALLERY
२७
ચિત્ર ૩૬ : ચૈાદ રવમ (પંદરમે સેકા)
આવા લક્ષણવંતા સિંહ આકાશમાંથી ઊતરતા અને પેાતાના મુખમાં પ્રવેશ કરતા ત્રિશલા ક્ષત્રિયાણીએ જોયા. સિંહ પરાક્રમના ઘાતક છે.
(૪) લક્ષ્મીદેવી-અખંડ ચંદ્રમા જેવી કાંતિવાળી લક્ષ્મીદેવીનાં ચોથા સ્વપ્નમાં દર્શન થયાં. તે લક્ષ્મીદેવી ઊઁચા હિમવાન પર્વતને વિષે ઉત્પન્ન થએ મળ રૂપી મોહર સ્થાને બેઠેલાં હતાં. ચિત્રની મધ્યમાં મેટી આકૃતિ લક્ષ્મીદેવીની છે. તેના કમળરૂપી સ્થાનના વિશેષ વર્ણન માટે જીએ કલ્પસૂત્ર સુમેાધિકા વ્યાખ્યાન ૨ જ.
(૫) ફૂલની માળા-પાંચમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ કલ્પવૃક્ષનાં તાજાં અને સરસ ફૂલાવાળી ચોમેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાંથી ઊતરતી જોઈ. માળા શૃંગારની દ્યોતક છે. (૬) પૂર્ણ ચન્દ્ર-છઠ્ઠા સ્વપ્નને વિષે ત્રિશલાએ ચન્દ્રનાં દર્શન કર્યા. શુક્લપક્ષના પખવાડિયાની પૂર્ણિમાને પેાતાની કળા વડે શોભાવનાર સંપૂર્ણ ચન્દ્ર તેણે જોયા. ચન્દ્ર નિર્મળતાના દ્યાતક છે અને બીજા પક્ષે અંધકારને નાશક છે.
(૭) ઊગતા સૂર્ય-સાતમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ અંધકારના સમૃહને નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યનાં દર્શન કર્યા. સૂર્ય અતુલ પરાક્રમના ઘાતક છે.
(૮) સુવર્ણમય ધ્વજદંડ-આઠમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉત્તમ અતિના સુવર્ણમય
Page #63
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-કલ્પલતા દંડ ઉપર ફરતી વજા જોઈ. તેના ઉપલા ભાગમાં વેત વર્ણનો એક સિહ ચીતર * ધ્વજ એ વિજયનું ચિહ્ન છે.
(૯) જળ પૂર્ણ કુંભ-નવમાં વનને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પાણીથી ભરેલો કુંભ જોયા. તે કુંભ (કવશ) અતિ ઉત્તમ પ્રકારના સુવર્ણ સમ અતિ નિર્મળ અને દીપ્તિમામે હતો. એમાં સંપૂર્ણ જળ ભરેલું હોવાથી તે કલ્યાણને સૂચવનો હતે. પૂર્ણ કુંભ મંગલને ઘાતક છે.
(૧૦) પધરાવર—દસમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પદ્મસરોવર જોયું. આખું સરોવર જુદીજુદી જાતનાં વિવિધરંગી કમળોથી તથા જળચર પ્રાણીઓથી સંપૂર્ણ ભરેલું હતું. આવું રમણીય પાસવર દસમા વનમાં જોયું. સરોવર નિર્મળતાનું સ્થાનક છે.
(૧૧) ક્ષીરસમુદ્ર-અગિયારમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ ક્ષીરસમુદ્ર જે. એ સમુદ્રના મધ્ય ભાગની ઉજવલતા ચન્દ્રનાં કિરણ સાથે સરખાવી શકાય. ચારે દિશામાં તેને અસાધ જળપ્રવાહ વિસ્તરી રહ્યો હતો.
(૧૨) દેવવિમાન–બારમા વનમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ દેવવિમાન જોયું, જેના ૧૦૦૮ થાંભલા હતા. તેમાં દિવ્ય પુષ્પની માળાઓ લટકતી હતી. તેની ઉપર વરૂ, વૃષભ, ઘોડા, મનુષ્ય, પંખી, હાથી, અશોકલતા, પલતા વગેરેનાં મનોહર ચિત્રો આલેખેલાં હતાં. તેની અંદરથી મધુર સ્વરે ગવાતાં ગાય અને વાજિંત્રોના નાદથી વાતાવરણમાં સર્વત્ર સંપૂર્ણતા પથરાઈ જતી હતી. વળી તે વિમાનમાંથી કાલાગુરૂ, ઊંચી જાતને હિંદુ દશાંગાદિ ઉત્તમ સુગંધી દ્રવ્યોથી ઉત્તમ હેક નીકળતી હતી. આવું ઉત્તમ વિમાન તેણે જોયું.
(૧૩) રાશિ-તેરમા વનમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ રાને ઇગલો જોયો. તેમાં પુલકરત્ન, વજીર, ઈન્દ્રનીલ રત્ન, સ્ફટિક વગેરે રને જોયાં. તે ઢગલો પૂછવાતાળ પર હોવા છતાં કઈ , વડે ગગનમંડલ સુધી દીપી રહ્યો હતો.
(૧૪) નિધૂમ અગ્નિ-ચૌદમા સ્વપ્નમાં એ ત્રિશલા ક્ષત્રિયાણીએ ધુમાડા વગરનો અગ્નિ જોયો. અગ્નિમાં સ્વચ્છ ઘી અને પીળું મધ સીંચાતું હોવાથી તે ધુમાડા વગર હતો. તેની જવાળાઓ પૃથ્વી ઉપર રહી રહી જાણે કે આકાશના કેઈએ કે પ્રદેશને પકવા પ્રયત્ન કરી રહી હોય એવી ચંચલ લાગતી હતી. ચિત્ર ૩૭ ચંડકૌશિકને પ્રતિબોધ–દે પાઠ ના દયાવિ૦ ની કલ્પસૂત્રની પ્રતની સુશોભનકળાના નમૂલી તરીકે આખા પાનાનું ચિત્ર અત્રે રજુ કર્યું છે. આ આખી યે બતમાં મૂળ લખાણ કરતાં ચિત્રકળાને સુશેન સંગાર મુખ્ય ભાગ ભજવે છે.
મોરાક ગામથી વિહાર કરી પ્રભુ તાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગવાળી આએએ કહ્યું કે “વામી! આપ જે માર્ગે જાઓ છો તે જેકે તાંબાનો સીધે માર્ગ છે, પણ રસ્તામાં કનકલ નામનું તાપસનું આશ્રમસ્થાન છે ત્યાં હમણાં એક ચંડકૌશિક નામને દૃષ્ટિવિપ સર્ષ રહે છે, માટે આપ આ સીધા માર્ગે જવાનું માંડી વાળે.' છતાં કરુણાળુ પ્રભુ, બીજા કોઈ ઉદ્દેશથી નહિ, પણ પિલા ચંડકૌશિકને પ્રતિબોધવા તે જ માગે તે જ આશ્રમ ભણી ગયા.
ચંડકૌશિકને પૂર્વ ભવ એ ચંડૌશિક પૂર્વ ભવમાં ઉગ્ર તપસ્વી સાધુ હતા. એક દિવસે તપસ્યાના પારણે ગોચરી વહોરવા એક શિવની સાથે ગામમાં ગયા. રસ્તે તેમના પગ નીચે એક નાની દેડકી આવી ગઈ. દેડકીની થએલી વિરાધનાને પ્રાયશ્ચિત્તપૂર્વક પડિકમવા માટે હિતચિંતક શિષ્ય ગુરને ઇરિયાવહી પડિ કક્કમતાં, ગેયર પડિકકમતાં, અને સાયંકાળનું પ્રતિક્રમણ કરતાં, એમ ત્રણ વાર દેડકીવાળી વાત સંભારી આપી. આથી સાધુને ખૂબ ક્રોધ ચઢયો. ક્રોધમાં ને ક્રોધમાં તેઓ શિષ્યને મારવા દેવા. પણું અકસ્માત એક થાંભલા સાથે અકળાતાં તપસ્વી સાધુ કાળધર્મ પામ્યા. ત્યાંથી તેઓ તિક
Page #64
--------------------------------------------------------------------------
________________
बाणा वरिया
साडि
ચિત્ર ૩૭ : ચંડવૈશિકને પ્રતિબંધ (પંદરમે સૈકા)
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૦
જેન ચિત્ર-કપલતા વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી વીને તે આશ્રમમાં પાંચસો તાપનો સ્વામી ચંડકૌશિક નામે તાપસ થયો. તેને પોતાના આશ્રમ ઉપર એટલો બધો મોહ હતો કે કદાચ કોઈ માણસ આશ્રમનું કંઇ ફળ-ફૂલ તોડે તે તે જ વખતે ક્રોધે ભરાઈ કુહાડે લઈને મારવા દોડે. એક વખતે તે તાપસ થોડા રાજકુમારોને પોતાના આશ્રમના બાગમાંથી ફળ તોડતાં જોઈ ક્રોધે ભરા. કુહાડે લઈ મારવા ધસી જતો હતો, એટલામાં અચાનક કુવામાં પડી ગયું અને ક્રોધના અધ્યવસાયથી મરીને તે જ આશ્રમમાં પોતાના પૂર્વભવના નામવાળો દૃષ્ટિવિષ સર્પ થયો.
મહાવીર પ્રભુ તે આશ્રમમાં આવીને કાઉસગ્નધ્યાને સ્થિર રહ્યા. પ્રભુને જોઈ કંધથી ધમધમી રહેલો તે સર્પ, સૂર્ય સામે દૃષ્ટિ કરી, પ્રભુની તરફ દૃષ્ટિવાળા ફેંકે અને રખેને પ્રભુ પિતાની પર પડે એવા ભયથી પાછો હટી જાય. એટલું છતાં પ્રભુ તો નિશ્ચલ જ રહ્યા, આથી તેણે વિશેષ વિશેષ દષ્ટિવાળા ફેંકવા માંડી. તથાપિ એ વાળાઓ પ્રભુને તે જળધારાઓ જેવી લાગી ! ત્રણ વાર દષ્ટિવાળા છેડવા છતાં પ્રભુનું એકાગ્ર ધ્યાન તૂટવા ન પામ્યું, તેથી તે અસાધારણ રોષે ભરાયે. તેણે પ્રભુને એક સપ્ત પંખ માર્યો. તેને ખાત્રી હતી કે મારા તીવ્ર વિષનો પ્રતાપ એટલે ભયંકર છે કે પ્રભુ હમણું જ મૂછત થઈને પૃથ્વી ઉપર પવા જોઈએ. પરંતુ આશ્ચર્ય જેવું છે કે પ્રભુના પગ ઉપર વારંવાર ડસવા છતાં પ્રભુને તેનું લેશ માત્ર પણ ઝેર ન ચઢવું. ઉલટું દંશવાળા ભાગમાંથી ગાયના દૂધ જેવી રૂધિરની ધારા વહેવા લાગી.
વિસ્મય પામેલા ચંડકૌશિક સર્ષ થોડી વાર પ્રભુની સન્મુખ નિહાળી રહ્યો. પ્રભુની મુદ્રામાં તેને કંઈક અપૂર્વ શાંતિ જણાઈ. એ શાંતિએ તેના દિલ ઉપર અપૂર્વ અસર કરી. તેના પિતાનામાં પણ શાંતિ અને ક્ષમા આવતાં દેખાયાં ૧૮ ચંડકૌશિકને શાંત થએલો જોઈ પ્રભુએ કહ્યું કે “ ચંડકૌશિક ! કંઇક સમજ અને બુઝ-બોધ પામ!' પ્રભુની શાંતિ અને ધીરતાએ તેના પર અસર તે કરી જ હતી, એટલામાં પ્રભુનાં અમૃત શાં મીઠાં વેણ સાંભળતાં અને તે વિષે વિચાર કરતાં તેને નતિસ્મરણ (પોતાના પૂર્વ ભવ સંબંધીનું) જ્ઞાન ઉપન્ન થયું. તે પોતાના ભયંકર અપરાધનો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પ્રભુને પ્રદક્ષિણા આપતો તે મનમાં વિચાર કરવા લાગ્યો કે ખરેખર આ કરુણાસમુદ્ર ભગવે તે મને દુર્ગતિ રૂપ મટી ખાઈમાં પડતે બચાવી લીધું. તે જ વખતે તેણે અનશન વ્રત લઈ લીધું. રખેને પોતાની વિષમય ભયંકર દષ્ટિ કઈ સદે કે નિર્દો પ્રાણ ઉપર પડી જાય એવા શુભ હેતુથી તેણે પોતાનું મસ્તક દરને વિષે છુપાવી દીધું,
આ પ્રસંગને મળતે જ કૃષ્ણના જીવનનો એક પ્રસંગ એક વખત એક વામાં નદીકિનારે નન્દ વગેરે સૌ ગે સૂતા હતા, તે વેળા એક પ્રચંડ અજગર આવ્યો. પૂર્વ જન્મમાં તે વિદ્યાધર હાઈ પોતાના અપના અભિમાનથી મુનિને શાપ મળતાં અભિમાનના પરિણામ રૂપે સર્પની આ નીચ નિમાં જન્મ્યો હતો. તેણે નન્દને પગ ગ્રા. બીજા બધા ગેપબાળકોને સર્પના મુખમાંથી એ પગ છોડાવવાનો પ્રયન નિષ્ફળ ગયો ત્યારે છેવટે કૃણે આવી પિતાના ચરણથી એ સપને સ્પર્શ કર્યો. સ્પર્શ થતાં જ એ સર્ષ પિતાનું રૂપ છોડી મૂળ વિદ્યાધરના સુંદર રૂપમાં ફેરવાઈ ગયે ભક્તવત્સલ કૃષ્ણના ચરણસ્પર્શથી ઉદ્ધાર પામેલ એ સુદર્શન નામને વિદ્યાધર શ્રીકૃષ્ણની સ્તુતિ કરી સ્વસ્થાને ગમે.
-- ભાગવત દશમ , એક ૩૪, લે. પ-૧૫, પૃષ્ઠ ૯૧૭-૯૧૮.
૧૮ આવી જ એક વાત બુદ્ધ વિષે જાતક નિદાનમાં છે. ઉલ્લામાં (ભગવાન બુદ્ધ એકવાર ઉચ્છલકાશ્ય નામના પાંચ શિષ્યવાળા જટિલની અગ્નિશાળ માં રાતવાસો રહ્યા જ્યાં એક ઉગ્ર આશીવિષ સ રહેતો હતો. બુદ્ધે તે સપને જરાપણ ઈજા પહોંચાડ્યા સિવાય નિસ્તેજ કરી નાખવા ધ્યાન સમાધિ આદરી. પણ પિતાનું તેજ પ્રકટાવ્યું. છેવટે બુદ્ધના તેજે સપજને પરાભવ કર્યો. સવારે બુએ જટિલને પિને નિતેજ કરેલ સી બતાવ્યો, એ જોઈએ જટિલ બુદ્ધને પિતાના શિષ્યો સાથે ભક્ત થયા.
Page #66
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-કલ્પલત્તા
1
પાનાની જમણી બાજુના ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા ઇં; તેમાં કથાના પિરચયની શરૂઆત ઉપરના ડકૌશિકના પૂર્વ ભવના સાધુ અવસ્થાના ચિત્રથી થાય છે. ચંડકૌશિક સાધુ બંને હાથમાં એધા પકડી શિષ્યને મારવા જતા-દોડતા દેખાય છે. મારવા જતાં મસ્તક થાંભલા સાથે અંધારામાં અથડાય છે. સામે બંને હાથની અંજલિ જોડી હાથમાં આવે રાખી નમ્ર ભાવે વિનયપૂર્વક દેડકાની વિરાધનાને પ્રાયશ્ચિત્તપૂર્વક પડિક્કમવા માટે ગુરુમહારાજને યાદી આપતા શિષ્ય ઊભેલો દેખાય છે. તેના પગ આગળ જ થાંભલા નજીક પ્રસંગાનુસાર ચિત્રકારે દેડકી ચીતરેલી છે. આ પછી, ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલા ચંડકૌશિકના બાકીના પૂર્વ ભવાના પ્રસંગ જોવાના છે. ચંડકાશિક સાધુ અવસ્થામાંથી કાળધર્મ પામી ન્યાતિષ્ઠવિમાનમાં દેવ તરીકે ઉપન્ન એલા બતાવવા માટે અત્રે વિમાનની અંદર બેઠેલા એક દેવની આકૃતિ ચિત્રકારે ચીતરેલી છે. તેની (વિમાનની) નીચે, તે દેવલોકમાંથી ચવીને ચંડાશિક નામે તાપસ તરીકે ઉત્પન્ન થયેલા હૈાવાથી, તેને તાપસ સ્વરૂપે પેાતાના બગીચામાંથી કળ-ફૂલ તોડતાં રાજકુમારને હાથમાં કુહાડા લકને મારવા જતાં કુહાડા સાથે અચાનક કૂવામાં પડેલા ચીતરેલા છે. ત્યાંથી મરીને તે પોતે જ ચંડકાશિક નામે દિવિધ સર્પ થયા છે તે બતાવવા માટે ચિત્રકારે કાળા ભયંકર નાગ ચીતરેલે છે.
પાનાની ડાબી બાજુના ચિત્રમાં આ ચિત્રના અનુસંધાને, શ્રમણ ભગવાન મહાવીરે ચંડકાશિકને કરેલા પ્રતિબોધના પ્રસંગ હેવાના છે. ચંડકાશિકના બિલ—દર આગળ જ પ્રભુ મહાવીર કાઉસગ્ગધ્યાને ઊભા છે. પ્રભુ મહાવીરના શરીરે ચિત્રકારે જે આભૂષણો પહેરાવ્યાં છે તે તેનું જૈન ધર્મ પ્રત્યેનું અજ્ઞાન સૂચવે છે, કારણકે તીર્થંકર જ્યારે સાધુપણામાં વિચરતા હોય ત્યારે, આભૂષણ વગેરેના શ્રમણપણું – સાધુપણું અંગીકાર કરતી વખતે ત્યાગ કરેલો હોવાથી, તેમની એ સાધકઅવસ્થામાં આભૂષણો તેઓના અંગ ઉપર સંભવે જ નહિ. વર્ણનમાં તેને પ્રભુના પગે ડંખ મારત વર્ણવેલા છે ત્યારે ચિત્રમાં પ્રભુના આખા શરીરે વીંટળાએલો તેને ચીતરેલો છે, પછીથી પ્રભુએ પ્રતિષ્ઠાવ્યા બાદ પોતાનું મુખ બિલમાં નાખીને પડી રહેલા ચિત્રકારે ચીતરેલા છે. પાનાની ઉપરના સુશોભનમાં છે સુંદર હાથીએ, નીચેના ભાગમાં પાંચ ઘોડેસવારા તથા એક પદાતિ થીઆરથી સુસજ્જત થએલે, અને આજુબાજુના બંને હાંસીઆએના ઉપરના ભાગમાં યુદ્ધ કરતા ઘેાડેસવારો તથા નીચેના ભાગમાં જળભરેલી વાવા અને વાવાની અંદર સ્નાન કરતા ચાર પુરુષો ચીતરેલા છે, પાનામાં આવેલી માત્ર ચાર લીટીઓમાં ફક્ત ૧૪ અક્ષરાના લખાણ સિવાય આખું પાનું અપ્રતિમ સુÀોભનકળા તથા ચિત્રકળાની રજુઆત કરે છે.
ચિત્ર ૩૮-૩૯ કલ્પસૂત્રની સુંદર કિનારા—હંસવિ૦ ૨ ના પાનાની આજુબાજુનાં જુદીજુદી જાતનાં આ સુશોભના કકત વાદળી અને સફેદ રંગથી જ ચીતરનાર ચિત્રકારેની કલ્પનાશક્તિ કોઇ અજાયબીભરી હોય એમ લાગે છે.
ચિત્ર ૪૦ શ્રીમહાવીરપ્રભુને સંગમદેવી ઉપસર્ગ —પંદરમા સૈકાની હસ્તલિખિત, સુવર્ણાક્ષરી,તારીખ
વગરની પ્રત ઉપરથી.
એક વખતે શક્રેન્દ્રે પોતાના અવધિજ્ઞાનથી પ્રભુને ધ્યાનમગ્ન જોઇ, તુરત સિંહાસન ઉપરથી ઊતરી પ્રભુને ઉદ્દેશી નમન કર્યું. તે પછી ઇન્દ્રે પ્રભુના ધૈર્યગુણની પ્રશંસા કરતાં પેાતાની સુધાઁ સભામાં બેઠેલા દેવા સમક્ષ કહ્યું કે ‘અહા ! શ્રીવીરપ્રભુ કેવા ધ્યાનમગ્ન થઈ રહ્યા છે! તેમની ધીરતાની અને અડગતાની હું કેટલી સ્તુતિ કરૂં! તેમના ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવા ત્રણે જગતનાં પ્રાણીઓ કદાચ એકઠાં થાય તોપણ નિષ્ફળ જ જાય ! સભામાં ખેડેલે ઇન્દ્રના એક સામાનિક દેવ સંગમ પ્રભુની પ્રશંસા સહન ન કરી શક્યા. તે ભ્રકુટિ ચડાવી ધ્રૂજતા સ્વરમાં તાડુકી ઊઠી આવ્યો કે આ દેવાની સભામાં એક પામર જનનાં વખાણ કરતાં આપને જરા યે સંકોચ નથી
Page #67
--------------------------------------------------------------------------
________________
જ
ન કરી
જ
છે
. .
.
(
3 % 26
* સાપ જ તેમાં પણ ગોળ
હાજર હતા. મારા
ચિત્ર ૩૮
કહપાત્રની સુંદર કિનારો (પંદરમે સંકે).
ચિત્ર ૩૯
Page #68
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પલતા
33
ચિત્ર ૪૦ : શ્રી મહાવીરપ્રભુને સંગમદેવના ઉપસર્ગ (પંદરમે સા)
થા? આપને જો વિશેષ ખાત્રી કરવી હોય તો હું પોતે જ તેને એક ક્ષણવારમાં ગભરાવી દઉં!' ઇન્દ્રે વિચાર્યું કે જો હું ધારૂં તે સંગમને હમણાં જ ખેાલતા બંધ કરી શકું; પણ જો હું અત્યારે તેને હુકમ કરી જતો અટકાવી દઈશ તો તે દુર્બુદ્ધિ એમ સમજશે કે તીર્થંકરો તે પારકાની સહાયથી જ તપ કરે છે, અને પરિણામે એક સંગમના મનમાં નહિ પણ લગભગ બધા દેવાના મનમાં ખોટું ભૂત ભરાઇ જશે. માટે અત્યારે તે આ દુષ્ટને તેનું ધાર્યું કરવા દેવામાં જ લાભ છે. ક્રોધથી ધમધમી રહેલા સંગમદેવ પ્રભુને ચલાયમાન કરવા ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી, તરત જ સભામાંથી ચાલી નીકળ્યા અને સીધા પ્રભુ પાસે આવી ઊભે। રહ્યો. પ્રભુની શાંત મુખમુદ્રામાંથી શાંતિ અને કરુણાની અમીધારા ઝરતી હતી. પણ સંગમને તો તે ઉલટું જ પરિણમ્યું, કારણકે તેનું હૃદય ક્રોધ અને ઈર્ષ્યાથી ધગધગી રહ્યું હતું.
(૧) સૌથી પ્રથમ તેણે ધૂળના વરસાદ વરસાવ્યા. (૨) તે પછી ધૂળને ખંખેરી નાખી તે દુષ્ટે વજ્ર જેવા કઢેર-તીક્ષ્ણ મુખવાળી કીડીએ પ્રભુના શરીર ઉપર વળગાડી, તે કીડીએએ પ્રભુનું આખું શરીર ચાળણી જેવું કરી નાખ્યું. છતાં પ્રભુ અચળ જ રહ્યા. (૩) પછી પ્રચંડ ડાંસ ઉપજાવ્યા. ડાંસના તીક્ષ્ણ ચટકાથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું રૂધિર ઝરવા લાગ્યું. (૪) વળી તીક્ષ્ણ મુખવાળી ઘીમેલા પ્રભુના શરીરે એવી તેા સજ્જડ ચોંટાડી કે આખું શરીર ઘીમેલમય
Page #69
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-કલ્પલતા
૩૪
થઈ ગયું. (૫) તે પછી વીંછીએ. વિકર્યાં. પ્રલયકાળના અગ્નિના તણખા જેવા તે વીંછીએ ભગવંતના શરીરને ભેદી નાખ્યું. (૬) ત્યાર પછી નળિયા વિકર્યાં. તે ‘ખી ! ખી !’ એવા શબ્દો કરતા દોડીદોડીને પોતાની ઉગ્ર દાઢા વડે ભગવંતના શરીરનું માંસ તેડવા લાગ્યા. (છ) પછી ભયંકર સર્પી છોડી મૂક્યા. પરમાત્મન્ મહાવીરનું આખું શરીર—પગથી માથા સુધી --સૌથી છવાઇ ગયું, કણાઓ ફાટી જાય તેવા વ્હેરથી પ્રભુના શરીર ઉપર કૃષ્ણાના પ્રહારો થવા લાગ્યા, દાઢા ભાગી ાય તેટલા બળથી તે ડસવા લાગ્યા. (૮) પછી સંગમે ઉદરા વિધુર્યાં. તે નખથી અને દાંતથી પ્રભુને ખવા લાગ્યા અને તેની ઉપર પેશાબ કરીને પડેલા ઘા ઉપર ક્ષાર છાંટવા જેવું કરવા લાગ્યા. (૯) તે પછી મોન્મત્ત હતી વિકુૉ. હસ્તીએ પ્રભુના શરીરને સૂંઢથી પકડી, અંદર ઉછાળી, કંકૂશળ ઉપર ઝીલી, દાંત વડે પ્રહાર કર્યાં અને પગ નીચે પણ દાઝ્યા. (૧૦) હાથીથીક્ષાભ ન થયા. એટલે હાથણીએ આવી. તે હાથણીએ એ પણ તીક્ષ્ણ દાંતથી પ્રભુને ઘણા પ્રહાર કર્યાં. (૧૧) પછી અધમ સંગમદેવે પિશાચનું રૂપ ધારણ કર્યું. તે પિશાચ અગ્નિની જવાળાથી વિકરાળ બનેલા પેાતાના મુખને કાડી હાથમાં તલવાર પકડી પ્રભુની સન્મુખ ધસી આવ્યા અને અટ્ટહાસ્ય કરી ઘેાર ઉપસર્ગ કર્યાં. (૧૨) તે પછી નિર્દય સંગમે વાધનું રૂપ લીધું. પોતાની વજ્ર જેવી દાટથી અને ત્રિશૂલ જેવા તીક્ષ્ણ નહેથી પ્રભુના આખા શરીરને તેણે વિદારી નાખ્યું. (૧૩) છતાં પણ પ્રભુને ધ્યાનમાં અચળ નેઇ સંગમે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતાનું રૂપ લીધું. તે નણે કરુણાજનક વિલાપ કરીને મોલવા લાગ્યા કે હે પુત્ર! તેં આવી દુષ્કર દીક્ષા શું કરવા લીધી ? અમે ઘણાં દુ:ખી થઈ આડાં અવળાં નિરાધાર ભિખારીની જેમ રઝળીએ છીએ, તું અમારી સંભાળ કેમ નથી લેતા?' આવા વિલાપથી પણ પ્રભુ ધ્યાનમાં નિશ્ચલ જ રહ્યા. (૧૪) ત્યારે સંગમે એક છાવણી વિકર્યાં. તે છાવણીના માણસોએ પ્રભુના પગ વચ્ચે અગ્નિ મળગાવી ભાત રાંધવા પગ ઉપર વાસણ મૂક્યું, અગ્નિ એટલે બધા આકરા કર્યાં કે પ્રભુના પગ નીચેથી પણ મળવા લાગ્યા. (૧૫) તે પછી એક ચાંડાલ વિક્ર્વ્યાઁ. તે ચાંડાલે પ્રભુની ડાકમાં, બે કાનમાં, બે ભુખ્તમાં અને એ હંધા વગેરે અવયવા ઉપર પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહારા એટલા બધા કર્યા કે પ્રભુનું શરીર પાંજરા જેવા છિદ્રવાળું થઈ ગયું. (૧૬) તે પછી પ્રચંડ પવન વિષુવ્યોં. એ પવનથી પર્વતા પણ કંપવા લાગ્યા. પ્રભુને ઉપાડીને નીચે પટકી દીધા. (૧૭) વળી એક ભયંકર વંટોળ ઊપજાવી, કુંભારના ચાકડાની ઉપર રહેલા માટીના પિંડની પેઠે પ્રભુને ખૂબ ભમાવ્યા. (૧૮) તે પછી સંગમે ક્રેધે ભરાઈને હજારભાર જેટલું વજનદાર એક કાળચક્ર વિકવ્યું. તે કાળચક્ર ઉપાડી ોરથી પ્રભુના શરીર ઉપર નાખ્યું, તે ચક્ર પ્રભુના શરીર ઉપર પડવાથી તે ઢીંચઙ્ગ સુધી જમીનમાં પેસી ગયા. (૧૯) તે પછી કંટાળીને છેલ્લામાં છેલ્લા અનુકૂળ ઉપસાઁ અજમાયશ કરવાનો વિચાર કરીને, રાત્રિ હોવા છતાં પ્રભાત વિષુવ્યું. માસા આમતેમ કરવા લાગ્યા અને તે પ્રભુને કહેવા લાગ્યા કે હૈ દેવાર્ય! પ્રભાત થઈ ગયું છતાં આમ ધ્યાનમાં ને ધ્યાનમાં કયાં સુધી રહેશો? ઊઠે, આપના ધ્યાનનો સમય તો ક્યારના યે પૂરા થઈ ગયા.' પણ પ્રભુ તો પેાતાના ધ્યાનમાં રાત્રિ ભાળી રહ્યા હતા, તેથી જરા પણ ન ડગ્યા. (૨૦) આખરે તેણે દેવઋદ્ધિ વિકી, અને વિમાનમાં અેસી પ્રભુને લલચાવવા લાગ્યા કે હે મહિ”! હું આપનું આવું ઉગ્ર તપ અને પવિત્ર સત્ત્વ નિહાળી ભારે પ્રસન્ન થયો છું, તે આપને જે જોઈએ તે માગી લેા. કહો તો આપને સ્વર્ગમાં લ જાઉં, કહો તો મેાક્ષમાં લઇ નવું.' એ ભીડી શબ્દોથી પણ પ્રભુ ન લેાભાયા. એટલે તેણે તત્કાળ કામદેવની સેના જેવી દેવાંગનાએક વિકીં. તે દેવાંગનાઓએ હાવભાવાદિ ઘણા ઉપસર્ગ કર્યા, પણ પ્રભુનું એક રૂંવાડું યે ન કરક્યું તે ન કરકયું, એવી રીતે દુષ્ટ સંગમે એક રાત્રિમાં મેટામેટા વીસ ઉપસર્ગો કર્યાં, છતાં પ્રભુએ તે તેના તરફ દયાદષ્ટિજ વર્ષોંની, ધન્ય છે મહાવીરની અસીમ કરુણાને
Page #70
--------------------------------------------------------------------------
________________
www છે કે એ છે કે
w
,
ચિત્ર ૪૧ : શ્રી નેમિનાથને વરધોડો (પંદરમી )
Page #71
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-કલ્પલતા | ચિત્રમાં વચ્ચે મહાવીર પ્રભુ કાઉસગધ્યાને ઉભા છે. આ ચિત્રમાં આભૂષણ વગેરે જે પહેરાવેલાં છે તે ચિત્રકારની અણસમજણને આભારી છે. કપાળમાં બ્રાહ્મણનું તિલક કર્યું છે તે પણ અવાસ્તવિક છે. સાધુને કપાળમાં તિલક હોય જ નહિ. પ્રભુના મસ્તકના ઉપરના ભાગમાં બે ડરાણુ જેવાં પ્રાણીઓ છે, પણ વર્ણનમાં હરણને ઉલ્લેખ માત્ર પણ નથી. કાન પાસે બંને બાજુથી બને હાથથી પવનને આમંત્રિત કરતી બે પુરષ વ્યક્તિઓ ઉભેલી છે. જમણી બાજુ વીંછી, વાઘ તથા છાવણીને લશ્કરી પઠાણ સિપાઈ પ્રભુના જમણા પગ ઉપર ભાત રાંધવાનું વાસણ મૂકીને ભાત રાંધતે ઉભેલો દેખાય છે. ડાબી બાજુ સર્પ, હાથી, નેળિયો તથા ડાબા પગ ઉપર ચાંડાલે મૂકેલું તીર્ણ ચાંચવાળું પાંજરા વગરનું એક પક્ષી ચીતરેલું છે. ચિત્ર ૪૧ શ્રી નેમિનાથનો વરઘડે-કાંતિવિર ૧ ના પાના ૬૩ ઉપરથી મૂળ રંગમાં સહેજ નાનું કરીને આ ચિત્ર અત્રે રજુ કર્યું છે.
લગ્નના દિવસે શ્રીનેમિકુમારને ઉગ્રસેનના ઘેર લઈ જવા તૈયાર કર્યા તેમનાં અંગ ઉપર ઉત્તમ વસ્ત્ર પહેરાવ્યાં, એક સરસ વેત અશ્વ પર તેમને બેસાડવા, મસ્તક ઉપર એક છત્ર ધર્યું, બંને પડખે ચામર વીંઝાવા લાગ્યા અને તેમની પાછળના અને હણહણાટથી દિશાઓ ગર્જી રહી. નેમિકુમારની પાછળ બીજા અનેક રાજકુમારો અશ્વ ઉપર સવાર થઈ ચાલવા લાગ્યા. સમુદ્રવિજયાદિ દશાહી. કૃષ્ણ અને બળભદ્ર વગેરે આત્મીય પરિવાર પણ સાથે ચાલવા લાગ્યું. શિવાદેવી માતા અને સત્યભામા વગેરે અંત:પુરવાસિની સ્ત્રીઓ પણ મહામૂલ્યવાળી પાલખીમાં બેસી મંગલ ગીત ગાવા લાગી.
એટલામાં નેમિકુમારની નજર એક સફેદ મહેલ તરફ ગઈ. તેમણે પોતાના સારથિને પૂછયું: “મંગલના સમૂહથી શોભતે આ વેત મહેલ કે હશે?” સારથિએ તે મહેલ તરફ આંગળી ચીંધી કહ્યું: “સ્વામી! કૈલાસના શિખર સમો એ આલિશાન મહેલ બીજા કોઇને નહિ, પણ આપણા સસરા ઉગ્રસે રાજાને જ છે. અને આ સામે જે બે સ્ત્રીઓ અંદર અંદર વાતચીત કરી રહી છે તે આપની સ્ત્રી રાજમતિની ચન્દ્રાના તથા મૃગલોચન નામની બે સુખીએ છે.'
ચિત્રમાં નેમિકુમાર હાથી ઉપર બેઠેલા છે. તેમના મસ્તક ઉપર એક છત્ર ધરેલું છે, બે હાથ માં શ્રીફળ પકડેલું છે અને તેઓ ઉત્તમ વસ્ત્રાભૂષણથી સુસજિત થએલા છે. સામેના મહેલના ઝરૂખામાં જમણી બાજુએ વચ્ચે ડાબા હાથમાં મુખ જોવા માટે પણ લઇને બેઠેલી, વસ્ત્રાભૂષણથી સુસજિજત રામતિ નેમિકુમારના સન્મ જોતી બેઠેલી છે. તેની પાછળ અને આગળ તેની બે સખીઓ ચન્દ્રાનાના અને મૃગલોચના ઊભી છે. પાછળ ઉભી રહેલી સખી ડાબા હાથમાં કપડું પકડીને તેના છેડાથી પવન નાખી રહી છે. તેણીના ઉત્તરીય વસ્ત્રમાં હંસની ડિઝાઇન છે. સમુખ ઊભી રહેલી સખીના બે હાથમાં શ્રીફળ જેવી કાંઈક મંગલસુચક વસ્તુ છે, હાથીની આગળ ચિત્રના ઉપરના તથા નીચેના ભાગમાં ભૂંગળ વગાડનારા ભગળો વગાડે છે. વચ્ચે એક સ્ત્રી જમણા હાથમાં ફૂલ પકડીને નાચતી જણાય છે તથા તેની નજીક એક ઢોલી ઢોલ વગાડતો દેખાય છે. ઢેલીની પાછળ અને હાથીની પાછળ એકેક છત્ર ધરનાર માણસ છે. વળી હાથીની પાછળ બીજા ઘોડેસવાર રાજકુમાર તથા રથમાં બેઠેલા સમુદ્રવિજયાદિ દશા હોય એમ લાગે છે. ચિત્રમાં રથને બળદને બદલે ઘોડા જોડેલા છે જે ચિત્રકારના સમયના રિવાજનો ખ્યાલ આપે છે. પાનાની ડાબી બાજુના છેડે પાનાને ૬ ૩ આંક છે. આ જ ચિત્ર ઉપરથી પંદરમા સૈકાના પુરુષ અને સ્ત્રીઓના પહેરવેશ, આભૂવો, વાજીંત્રો, નૃત્ય તથા તે સમયની સમાજરચનાનો ઘણે જ સુંદર ખ્યાલ આવી શકે તેમ છે. આખું ચિત્ર સુવર્ણની શાહીથી ચીતરેલું છે. ચિત્રમાં લખાણનું
Page #72
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-ક૯પલતા
૩૭
ચિત્ર ૪૨ : ભરત અને બાહુ બલિ વચે નું ઠં યુદ્ધ (વિ.સં. ૧૫૨૨) નામનિશાન પણ નથી. વળી આ ચિત્રની પૃષ્ઠભૂમિ વાદળી રંગની હોવાથી ચિત્રને ઉઠાવે બહુ જ મનોહર લાગે છે.
- આ ચિત્રપ્રસંગ જિનમંદિરોનાં લાકડાનાં કોતરકામ તથા સ્થાપત્યકામમાં પણ ઘણે ઠેકાણે કાતરેલે નજરે પડે છે. દેલવાડાના સુપ્રસિદ્ધ અપ્રતિમ સ્થાપત્યના ભંડાર સમા વસ્તુપાલ તેજપાલે બંધાવેલા જિનમંદિરમાં પણ આ પ્રસંગ બહુ જ બારીકીથી કાતરેલા છે. પ્રાચીન કવિઓએ આ પ્રસંગ પરથી ઉપજાવેલાં ઊર્મિકાવ્યા પણ બહુ જ મોટી સંખ્યામાં મળી આવે છે. આ પ્રસંગને લગતા એક ભિત્તિચિત્રનો ઉલ્લેખ, પાર્શ્વનાથ ભગવાનના વૈરાગ્ય પ્રસંગે, નવમા સકામાં થએલા શીલાંકાચાર્યે રચેલા ‘ઉપન મહાપુરુષે ચરિ’ માં કરેલું જોવામાં આવે છે. ચિત્ર ૪૨ હંસવિ૦ ૧ ના પાના ૬૦ ઉપરથી ભરત અને બાહુબલિ વચ્ચેના કંઠયુદ્ધનો પ્રસંગ–આ પ્રસંગને લગતું ચિત્ર બીજી કોઈપણ પ્રતમાં હોવાનું મારી જાણુમાં નથી.
ભરત અને બાલિ અને ભાઈઓ વચ્ચે બાર વર્ષ સુધી ભયંકર યુદ્ધ ચાહ્યું"પરંતુ ધણા માણસનો કચ્ચરઘાણ નીકળી જતો હોવાથી શકે તે બનેને ઠંદ યુદ્ધ કરવાની સલાહ આપી, જે તેમણે માન્ય કરી. પછી શકે દૃષ્ટિયુદ્ધ, વાયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ એમ ચાર પ્રકારના યુદ્ધથી પરપર લડવાનું ઠરાવી આપ્યું. એ ચારે યુદ્ધમાં આખરે બલવાન બાહુબલિને વિજય થયા, ભરતની
Page #73
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પલતા હાર થઈ. ભરત મહારાજાએ પોતાની હાર થવાથી શાંતિ ગુમાવી દીધી. તેમણે એકદમ કોધમાં આવી બાહુબલિને નાશ કરવા ચક છેડયું, પરંતુ બાહુબલિ સમાનગેત્રના હોવાથી તે ચક્ર કોઈ પણ ન કરી શકયું.
બાહુબલિએ વિચાર કર્યો કે “અત્યાર સુધી કેવળ ભ્રાતૃભાવને લીધે જ ભરતની સામે મેં આકરે ઈલાજ લીધે નથી. માટે હવે તે તેને સખતમાં સખત સજા કરવી જોઈએ. હું ધારું તો અત્યારે ને અત્યારે જ એક મુઠ્ઠી મારી તેના ભુકકા ઉડાડી દઉં એમ છું. તરત જ તેમણે ક્રોધાવેશમાં મુઠ્ઠી ઉગામી ભરતને મારવા દોટ મૂકી દોટ તો મૂકી, પણ થોડે દૂર જતાં જ બહસ્પતિ સમાન તેમની વિવેકબુદ્ધિએ તેમને વાર્યા. તે પુનઃ વિચારવા લાગ્યા કે “અરેરે ! આ હું કોને મારવા દોડી જાઉં છું? મોટા ભાઈ તો પિતા તુલ્ય ગણાય ! તેમને મારાથી શી રીતે હણી શકાય? પરંતુ મારી ઉગામેલી આ મુષ્ટિ નિષ્ફળ જાય એ પણ કેમ ખમાય !” પણ તેઓની આ મૂંઝવણ વધારે વાર ન રહી. તેમણે એ મુષ્ટિવડે પિતાના મસ્તક પરના વાળનો લોચ કરી નાખ્યો અને સર્વસાવદ્ય કર્મ તજી દઈ કાઉસગ્ગધ્યાન ધર્યું.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે અને ચાર વિભાગ છે. તેમાં કથાના પરિ ચયની શરૂઆત ઉપરના પહેલા વિભાગના દષ્ટિયુદ્ધ અને વાગયુદ્ધથી થાય છે; પછી ચિત્રના અનુસંધાને અનુક્રમે બીજા વિભાગમાં મુષ્ટિયુદ્ધ ને દંડયુદ્ધ છે. ત્રીજા વિભાગમાં મુષ્ટિયુદ્ધને પ્રસંગ જોવાનો છે. ચિત્રમાં બાહુબલિને મુકુટ દૂર પડતા તથા તેમને મુષ્ટિથી વાળ ઉખેડતા ચિત્રકારે રજૂ કરેલા છે. ચેથા વિભાગમાં કાઉસગધ્યાનમાં સાધુ અવસ્થામાં બાહુબલિ ઊભા છે. તેઓ, છાતી ઉપર તથા બંને હાથ ઉપર લાલ રંગના જંતુ-ઘણું કરીને જંગલી સ તથા બે ખભા ઉપર બે પક્ષીઓ અને પગના ભાગમાં ઝાડીથી વીંટળાએલા ચિત્રમાં દેખાય છે. બંને બાજુએ એકેક ઝાડ છે. ડાબી બાજુએ ઝાડની બાજુમાં તેઓની બ્રાહ્મી અને સુંદરી નામની બે સાળી બહેને હાથ જોડીને વિનતિ કરતી, ભાનરૂપી હાથીથી હેઠા ઊતરવા માટે સમજાવતાં કહે છે કે વીરા મારા ગજ થી હેઠા ઊતરે, ગજે તે કેવલ ન હોય!” સાધ્વીઓની પાછળ પણ બીજા ત્રણ ઝાડ ઉગેલાં ચિત્રકારે બતાવ્યાં છે. ચિત્ર ૪૩ હરિગમેપિન આ ચિત્ર સહન પાના ૧૧ ઉપરથી લેવામાં આવ્યું છે. ચિત્રમાં હરિગમેપિન બે હાથમાં આકાશમાર્ગે ગર્ભ લઇને જતો દેખાય છે. તેના પગની નીચેના ભાગમાં પહાડની આકૃતિ તથા બંને બાજુ સુંદર ઝાડ ચિત્રકારે ચીતરેલાં છે. તેને આકાશમાર્ગે ચાલતા હેવાને બતાવવા માટે હંસપીની ડીઝાઈનવાળા તેના ઉત્તરાસિંગના છેડાને ઊડતો ચિત્રમાં બતાવેલ છે. ચિત્રકારને આશય ગર્ભ બદલતી વખતનું દસ્ય બતાવવાનો છે. ચિત્ર ૪૪ ત્રિશલા સિદ્ધાર્થને સ્વમનો વૃત્તાંત કહે છે-આ ચિત્ર સેહનવ્રત ઉપરથી લેવામાં આવ્યું છે.
સિદ્ધાર્થરાજ સ્નાનગૃહમાંથી નીકળી, બહાર ક્યાં સભાનું સ્થાન હતું ત્યાં પહોંચ્યા અને સિંહાસન ઉપર પૂર્વદિશા તરફ મુખ રાખી બિરાજમાન થયા. ત્યાર બાદ પોતાનાથી બહુ નજીક નહિ તેમ બહુ દૂર નહિ એવી રીતે સભાના અંદરના ભાગમાં પડદો બંધાવ્યો. આ પડદાને વિવિધ પ્રકારનાં ભણિ અને રત્નો જડેલાં હતાં. પડદાની અંદર રાણીને બેસવાનું એક વિકાસ ગોઠવવામાં આવ્યું છે.
ચિત્રમાં સિદ્ધાર્થ રાજા જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં કુલ લઈને સિંહાસન ઉપર વસ્ત્રાભૂષણથી સુસજિત થઈ બેઠેલા છે. મસ્તક ઉપર છત્ર લટકી રહેલું છે. વચ્ચે પડદો છે. પડદાના આંતરામાં ત્રિશલા જમણા હાથમાં ફૂલ લઈને વસ્ત્રાભૂષણોથી સુસજિત થઈને બેઠાં છે. તેમના માથે ચંદરવો બાંધે છે, ચિત્રના ઉપરના ભાગમાં બે મોર ચીતરેલા છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-કપલતા
૩૯
I
AM
A
છે
ગ,
Sri
in Hindi
ચિત્ર ૪૩ : હરિબૈગમેષિત (પંદરમા સૈકે)
ચિત્ર ૪૪ :ત્રિશલા સિદ્ધાર્થને વમન વૃત્તાંત કહે છે (પંદરમે સા)
ચિત્ર ૪૬ : આમલકી ક્રીડા (પંદરમે સંકે)
ચિત્ર ૪૫ : ગર્ભના ફરકવાથી ત્રિશલાને આનંદ (પંદરમા સૈકે)
Page #75
--------------------------------------------------------------------------
________________
૪૦
જૈન ચિત્ર-કપલતા ચિત્ર ૫ ગર્ભના ફરકવાથી ત્રિશલાને આનંદ-સહન પાન ૩૦ પરથી. ગર્ભ સહીસલામત છે એમ જણાતાં ત્રિશલા માતાના આનંદનો પાર ન રહ્યો. ચિત્રમાં ત્રિશલા માતા ખૂબ આનંદમાં આવી જઈને હીંચકા ઉપર બેઠેલાં છે. કલ્પસૂત્રની પ્રતનાં ચિત્રોમાં બીજી કોઈપણ પ્રતમાં આ પ્રસંગ આ રીતે ચીતરેલું જોવામાં આવ્યો નથી. હીંચકામાં સુંદર બારીક કોતરકામ કરેલું દેખાય છે. માતાની જમણી બાજુએ ચામરધારિણી સ્ત્રી ડાબા હાથથી ચામર વીંઝતી દેખાય છે. ડાબી બાજુ એક શ્રી વાડકામાં ચંદન ઘનસાર વગેરે ઘસીને વિલેપન કરવા આવતી હોય એમ લાગે છે, કારણકે હીંચકાની નજીકમાં બંને બાજુ બીજી બે સ્ત્રીઓ બેકેલી છે તે ઘણું કરીને ત્રિશલાની દાસીઓમાંની લાગે છે; વળી બીજી બે સ્ત્રીઓ હાથમાં સુખડના ટુકડાથી કાંઈક ઘસતી હોય એમ સ્પષ્ટ દેખાય છે. ચિત્ર ૪૬ આમલકી ક્રીડા-સેલના પાના ૩૪ ઉપરથી.
(૧) એક વખતે સૌધર્મેન્દ્ર પિતાની સભામાં મહાવીરના ધગુણની પ્રશંસા કરીને કહેવા લાગ્યો કે “હે દેવી! અત્યારના આ કાળમાં મનુષ્ય માં શ્રી વર્ધમાનકુમાર એક બાળક હોવા ? પણ તેમના જેવો બીજો કોઈ પરાક્રમી વીર નથી. ઇન્દ્રાદિ દેવો પણ તેમને બીવડાવવાને અસમર્થ છે. આ સાંભળીને એક દેવ કે જેનું નામ જણાવવામાં નથી આવ્યું તે તયાં કુમારે ક્રીડા કરતા હતા ત્યાં આવ્યા અને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા, ચળકતા મણિવાળા, કુફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, કૂર આકૃતિવાળા અને વિસ્તૃત કુણાવાળા મેટા સર્પનું રૂપ બનાવીને ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આવો ભયંકર સર્પ જોઈ ભયભીત બનેલા બધા કુમારે રમતગમત પડતી મૂકી નાસી છુટયા, પરંતુ મહાપરાક્રમી પૈર્યશાળી શ્રીવર્ધમાનકુમારે જરા પણ ભય પામ્યા વિના પિતે ત્યાં તેની પાસે જઈ, સર્પને હાથથી પકડી દૂર ફેંકી દીધે. સર્ષ દૂર પડયો એટલે નિર્ભય બનેલા કુમારો પાછા એકઠા થઈ ગયા અને ક્રીડા શરૂ કરી દીધી.
(૨) હવે કુમારે એ વૃક્ષની મત પડતી મુકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમારે વધારી દેવ શ્રી વર્ધમાનકુમાર સાથે રમતાં હારી ગયો. તેણે કહ્યું કે “ભાઈ, હું હાર્યો અને આ વર્ધમાનકુમાર જીત્યા માટે એમને મારા ખભા ઉપર બેસવા દો.” શ્રી વર્ધમાન ખભા ઉપર બેઠા એટલે દેવે તક સાધી તેમને બીવડાવવાને પ્રપંચ કર્યો તેણે પિતાની દેવશકિતથી સાત તાડ જેટલું પિતાનું ઊંચું શરીર બનાવ્યું. પ્રભુ તેને પ્રપંચ અવધિજ્ઞાનબળથી જાણી ગયા. તેમણે વજ જેવી કઠોર મુષ્ટિથી તેની પીઠ પર એવો તે પ્રહાર કર્યો કે તે ચીસ પાડવા લાગ્યો અને પીડા પામવાથી મચ્છરની જેમ સંકેચાઈ ગયા. પ્રભુનું પરાક્રમ તથા ધર્ષ પ્રત્યક્ષ અનુભવી ઈન્દ્રના સત્ય વચનને તેણે મનમાં સ્વીકાર કર્યો અને પિતાનું અસલ સ્વરૂપ પ્રકટ કરી સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યા. તે વખતે ઇન્દ્ર ધર્યશાળી પ્રભુનું ‘વીર' એવું ગુણપન્ન નામ પાડયું.
ચિત્રમાં વર્ધમાનકુમારે માથે મુકુટ તથા કાનમાં કુંડળ વગેરે આભૂષણો પહેરેલાં છે અને ડાબા હાથે ઝાડને વીંટાઈ વળેલા સર્પને મે આગળથી પકડેલો છે. વર્ધમાનકુમારની પાછળ બે તથા ઉપરના ભાગમાં ત્રણ બીન છોકરાઓ ચીતરેલા છે. નીચેના ભાગમાં બે બાજુ બે ઝાડ ચીતરેલાં છે. વચમાં, દેવની ઉપર બેઠેલા મહાવીર, અને તેમના જમણા હાથની મુષ્ટિને પ્રહાર સહન નહિ થવાથી કમરમાંથી વળી જઈને છેડા જેવો બની ગએલો દેવ ચીતરેલો છે. વળી નજીકમાં એક વ્યક્તિ ઉભેલી છે જે જમણો હાથ ઊંચા કરીને કોઈને બેલાવીને મહાવીરનાં આ પરાક્રમને પ્રસંગ બતાવતી હોય એમ લાગે છે.
આ પ્રસંગની સાથે સરખાવો શ્રીકૃષ્ણની બાળકીડાનો એક પ્રસંગ. (1) કૃષ્ણ જ્યારે બીજાં ગેપ બાળકો સાથે રમતા હતા ત્યારે તેમના શત્રુ કંસે મારવા
Page #76
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-કલ્પલતા
૪૧ મેાકલેલા અધ નામના અસુર એક યેાજન જેટલું સર્પરૂપ ધારણ કરી માર્ગે વચ્ચે પડયા અને કૃષ્ણ સુદ્ધાં બધાં બાળકોને ગળી ગયા. આ જોઇ કૃષ્ણે એ સર્પના ગળાને એવી રીતે રૂંધી નાખ્યું કે જેથી તે સર્પ અઘાસુરનું મસ્તક ફાટી શ્વાસ નીકળી ગયા અને તે મરી ગયા. તેના મુખમાંથી બાળકો બધા સંકુશો બહાર આવ્યા. -ભાગવત દશમસ્કન્ધ, અ ૧૨ બ્લા॰ ૧૨:૩૫, પૃ. ૮૮. (૨) એકબીજાને અરસપરસ ઘેડા અનાવી જ્યારે ગેપ બાળકો સાથે કૃષ્ણ અને બળભદ્ર રમતા હતા તે વખતે કંસે મેકલેલા પ્રલમ્બ નામના અસુર તે રમતમાં દાખલ થયા. તે કૃષ્ણ અને બળભદ્રને ઉપાડી જવા ઇચ્છતા હતા. એણે બળભદ્રના ઘોડા બની તેમને દૂર લઇ જઇ એક પ્રચંડ અને ભયાનક રૂપ પ્રગટ કર્યું.બળભદ્રે છેવટે ન કરતાં સખત મુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લેહી વમો કરી હાર કર્યો અને અંતે બધા સકુશળ પાછા ફર્યાં, -ભાગવત દશમસ્ક,અ. ૨૦લા.૧૮-૩૦ ચિત્ર ૪૭ કોશાનૃત્ય તથા આર્યસમિતસૂરિના એક પ્રસંગ-હેવ॰ ૧ ના પાના ૬૮ ઉપરથી.
ચિત્ર ૪૭ : કાશાનૃત્ય તથા આયસમિતસૂરિના એક પ્રસંગ (વિ. સ. ૧૫૨૨)
ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે, તેમાં ઉપરના પ્રસંગો પરિચય ‘જૈન ચિત્રકલ્પદ્રુમ' ગ્રંથમાં ચિત્ર ૨૨૨ના પરિચયમાં આપ્યા છે. ફેરફાર માત્ર, આ ચિત્રમાં રથકારની પાસે મેર નથી તેમ રથકાર ગાદી ઉપર ઘૂંટણ વાળીને બેઠેલા છે જ્યારે ચિત્ર ૨૨૨માં તે ઊભા છે એ છે. આ ચિત્રમાં આંબાનું ઝાડ બંનેની વચ્ચે ચીતરેલું છે, જ્યારે ચિત્ર ૨૨૨માં તે વેશ્યાની ડાબી બાજુ ઉપર પાછળના ભાગમાં છે. વળી ૨૨૨માં વેશ્યાએ માથે મુકુટ તથા ગળામાં ફૂલનો હાર પહેરેલા છે, જ્યારે આ ચિત્રમાં તેણીનું માથું તદ્દન ખુલ્લું છે તથા ગળામાં મેતીનો હાર પહેરેલા છે, તેણીનાં વસ્ત્રભૂષણા આ ચિત્રમાં વધુ કિંમતી છે,
આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના આર્યસમિતસૂરિ તથા તાપસને લગતા પ્રસંગ જોવાન છે, આભારદેશમાં ાચલપુરની નજીક, કન્ના તથા એન્ના નામની નદીની મધ્યમાં આવેલા દ્વીપમાં બ્રહ્મદીપ નામના પાંચસેા તાપસા રહેતા હતા. તેમાં એક તાપસ એવા હતા કે જે પાણી પર થઇને, પેાતાના પગ ભીંળવા દીધા વિના, જમીન પર ચાલે તેવી જ રીતે, પારણાને માટે નદીની પેલી પાર ચાહ્યા જતા. તેની આવી કુશળતા જોઇને લોકોને થયું કે “અહે. આ તાપસ કેટલો બધો શક્તિશાળી છે ! જૈનોમાં આવા કોઇ શિક્તશાળી પુરુષ નહિ હાય.'
Page #77
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-કલ્પલતા શ્રાવકોએ શ્રીવજૂસ્વામીછના મામા શ્રીઆર્યસમિતસૂરિને ખોલાવ્યા અને ઉપર્યુક્ત વાપસ સંબંધી હકીકત કહી સંભળાવી. આર્યસમિતરિજીએ કહ્યું કે ‘એમાં પ્રભાવ કે પ્રતાપ જેવું કાંઈ જ નથી, એ કેવળ પાદક્ષેપ શક્તિનો જ પ્રતાપ છે.'
તે પછી શ્રાવકોએ પેલા તાપમને જમવાનું આમંત્રણ મેાકલ્યું. તાપમ જમવા ઊંચો એટલે તેનાં પગ અને પાવડી ખૂબ સારી રીતે ધાવડાવ્યાં. ભાજનક્રિયા પણ પૂરી થઇ. પછી તાપસની સાથે શ્રાવકા પણ નદીના કિનારા સુધી સાથે સાથે ચાલ્યા. જે લેપના પ્રતાપથી તાપસ નદીનાં પાણી ઉપર થઇને ચાલી શકતા હતા તે લેપ ધાવાઈ ગએલા હતા, છતાં જાણે કાંઇ બન્યું જ નથી એવી ધૃષ્ટતા સાથે તાપસે નદીમાં ઝુકાવ્યું. નદીમાં પગ મૂકતાં જ તે ડૂબવા લાગ્યા અને સૌકાઇ તેની મશ્કરી કરવા લાગ્યા.
એટલામાં આર્યસમિતજી ત્યાં પધાર્યાં. તેમણે લેાકાને કેવળ ખરી વસ્તુસ્થિતિનું ભાન કરાવવા માટે પોતાના હાથમાંનું યેગચૂર્ણ (વાસક્ષેપ) નદીમાં નાખ્યું અને કહ્યું કે હું એન્ના! મને પેલે પાર જવા દે.' એટલું કહેતાં જ નદીના બંને કાંઠા મળી ગયા! સૂરિજીની આવી અદ્ભુત શક્તિ જોઈ લોકો ભારે આશ્ચર્ય પામ્યા. પછી તેમણે તાપસાના આશ્રમમાં જઇ તેમને પ્રતિòાધ્યા અને દીક્ષા આપી.
૪૨
ચિત્રમાં જમણી બાજુએ ઊભેલા નાના સાધુ તે વજસ્વામીજી છે અને તેમની સાથે જમણા બગલમાં એàા રાખીને હાથમાંનું યાગચુર્ણ નાખતા તથા ડાબા હાથમાં મુત્તિ રાખીને ઊભા રહેલા શ્રીઆર્યસમિતસૂરેિજી છે. સામે બે તાપસા પૈકી એક જમણા હાથની તર્જની આંગળી તથા અંગુડ્ડાને ભેગા કરીને તથા બન્ને જમણા હાથ ઊંચો રાખીને સૂરિજીની આવી અદ્ભુત શક્તિ બે વિસ્મિત–આશ્ચર્યમુગ્ધ થએલા દેખાય છે. તાપસાના માથે જટા તથા કપાળમાં ત્રિપુંડ-તિલક પણ સ્પષ્ટ દેખાય છે. બાજુમાં મેન્ગા નદીનું પાણી વહેતું ચિત્રકારે બતાવીને ચિત્ર મધ્યેની બધી આકૃતિએ નદીના તટ પર જ ઊભી છે એમ બતાવવા પ્રયત્ન કર્યો છે.
ચિત્ર ૪૮ કોશાનૃત્ય-આ પ્રસંગના વર્ણન માટે પણ જુએ ચિત્ર ૨૨૭નું આ પ્રસંગને લગતું વિસ્તૃત વર્ણન. આ ચિત્ર ‘જૈર્નાચત્ર-કલ્પદ્રુમ'ના ચિત્ર ૧૯૬ અને ૨૨૨ બંને કરતાં જુદી જ નવીનતા રજૂ કરે છે. ચિત્ર ૨૨૨માં રથકારના પગ આગળ કળાના તથા વસંતઋતુના પ્રસંગ દર્શાવવા એકલો માર જ ચીતરેલા છે, જ્યારે પ્રસ્તુત ચિત્રમાં થકારના મસ્તકના ઉપરના ભાગમાં વસંતના આગમનને સૂચવતી પંચમ સ્વરે ગાતી કોયલ તથા તેની ખેતીમાં પણ કાયલેાની ડીઝાઇન ચીતરેલી છે. વળી આ ચિત્રમાં સરસવના તગલા અને સાયને બદલે એકલું ફૂલ જ રજૂ કરેલું છે. કેશા નર્તકીનો અભિનય તથા પગને કા કાઈ અલૌકિક પ્રકારના છે. બંનેના મસ્તક ઉપરના મુકુટો વળી ગુજરાતના કોઇપણ પ્રાચીન ચિત્રમાં નહિ લેવામાં આવતા જુદા જ પ્રકારના જણાય છે, કદાચ આ ચિત્રવાળી પ્રત, ગુજરાતના સાહસિક વ્યાપારીઓ જાવા વગેરે ટાપુઓમાં વ્યાપારાર્થે જતા તે સમયે ત્યાંના કોઈ ચિત્રકાર પાસે ચીતરાવી લાવ્યા હાય એમ લાગે છે, કારણકે ચિત્ર ચીતરવાની ઢળ ગુજરાતના પ્રાચીન ચિત્રકારોની જ છે છતાં પહેરવેશ તે બાજુના કા પ્રદેશના છે. વળી આમ્રવૃક્ષનાં પાંદડાં પણ આ ચિત્રમાં વધુ સ્પષ્ટ દેખાય છે.
ચિત્ર ૪૯ આર્યસ્થૂલભદ્ર અને યક્ષાદિ સાત સાધ્વી બહુના ચિત્રમાં સાધુ તથા સાધ્વીમના પહેરવેશ બીજાં ચિત્રા કરતાં તદ્દન જુદી જ રીતના છે. બંનેના પહેરવેશ બૌદ્ધ સાધુના પહેરવેશને મળતા આવે છે. આખું યે ચિત્ર મૂળ સુવર્ણની શાહીથી ચીતરેલું છે. આ પ્રસંગના વિસ્તૃત વર્ણન માટે જુઓ ‘જૈન ચિત્ર-કલ્પદ્રુમ'માં ચિત્ર ૨૨૭ નું વર્ણન. બંનેમાં ફેરફાર માત્ર જૂજ છે, ચિત્ર ૨૨૭માં સામાન્ય સિંહ ચીતરેલો છે, જ્યારે આ ચિત્રમાં એ દાંતવાળા અને પરાક્રમી વેગવાનસિંહ
Page #78
--------------------------------------------------------------------------
________________
(uttશાહ
25 .
ચિત્ર ૪૮ : કેશાનૃત્ય
(પંદરમે સંકો)
ચિત્ર ૪૯ : આર્યધૂલભદ્ર અને ચક્ષાદિ સાત સાધ્વી બહેન
Page #79
--------------------------------------------------------------------------
________________
૪૪
भाषणनियम
डा
वागमण्ड વ
માતા
જૈન ચિત્ર-કલ્પલતા
TO
ચિત્ર ૫૦ : ભગવાન મહાવીરની દીક્ષા (પંદરમા સૈકા) સુંદર રીતે ચીતરેલા છે: ચિત્ર ૨૨૩માં ઉપર અને નીચે બબ્બે સાધ્વીએ ચીતરીને ચારની રજૂઆત કરેલી છે, જ્યારે આ ચિત્રમાં સાત સાધ્વીઓ ચીતરેલી છે. દરેકના મસ્તકની પાછળ બૌદ્ધ ભિક્ષુઓનાં પ્રાચીન ચિત્રામાં દિવ્યતેજ (ભામંડલ) બતાવવા સફેદ ગાળ આકૃતિ મૂકવામાં આવે છે તેવી જ રીતે આ ચિત્રમાં દરેક આકૃતિની પાછળ તેની રજૂઆત કરવામાં આવી છે. વળી વધારામાં નીચેના પ્રસંગમાં સ્થાપનાચાર્ય, સાધુના માથે છત્ર તથા છત્રની પાસેથી ઊડતી એક કોયલ ચીતરી છે, જેની રજૂઆત ચિત્ર ૨૨૩માં બીલકુલ દેખાતી નથી.
ચિત્ર ૫૦ ભગવાન મહાવીરની દીક્ષા-ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના પાલખીના ચિત્રથી થાય છે. ‘પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીસ ધનુષ્ય પહેાળી, છત્રીસ ધનુષ્ય ઊંચી, સુવર્ણમય સેંકડો સ્તંભોથી શોભી રહેલી અને મણિ તથા સુવર્ણથી જડિત, એવી ‘ચંદ્રપ્રભા' નામની પાલખીમાં પ્રભુ (મહાવીર) દીક્ષા લેવા નિસર્યાં.
તે સમયે હેમંત ઋતુના પહેલા મહિના માગશર માસ, પહેલું પખવાડિયું કૃષ્ણપક્ષ અને દશમની તિથિ હતી. તે વેળા તેમણે છના તપ કર્યાં હતા અને વિશુદ્ધ લેસ્યાએ વર્તતી હતી. પ્રભુના જમણે પડખે કુલની મહત્તરા સ્ત્રી હંસલક્ષણ (કાપડની તિવિશેષ) ઉત્તમ સાડી લઇને ખેડી હતી. ડાબે પડખે પ્રભુની ધાવમાતા દીક્ષાનાં ઉપકરણ લઇને ખેડી હતી. સર્વ પ્રકારની તૈયારી થઈ રહ્યા પછી નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવાએ પાલખી ઉપાડી.' આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલેા પ્રભુ મહાવીરે કરેલા અનગારપણા સાધુવ્રત) ના સ્વીકારો પ્રસંગ જોવાના છે. અરોક વૃક્ષ (આસોપાલવ નહિ)ની હેઠળ આવી પ્રભુ નીચે ઊતર્યાં અને પોતાની મેળે જ આભૂષણો ઉતારવા લાગ્યા. સર્વ અલંકારનો ત્યાગ કર્યાં પછી, શ્રમણ્ ભગવાન મહાવીરે પોતાની મેળેજ એક મુષ્ટિ વડે દાઢીમૂછના અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશના એવી રીતે પંચમુષ્ટિ લોચ કર્યાં. એ વેળા નિર્જળ છટ્ટના તપ તા હતા જ. ઉત્તર કાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રનો યાગ થયા ત્યારે ઇન્દ્રે ડાળા ખભા ઉપર સ્થાપન કરેલું દેવષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને,
Page #80
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧
કલ્પસૂત્રનાં સુશેનો (પરમા સૈકા)
*****
ચિત્ર પુર
Page #81
--------------------------------------------------------------------------
________________
ચિત્ર પ૩
કલ્પવનાં સુશે।ભને (પંદરમા સેકા)
ચિત્ર ૫૪
Page #82
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૫૫
કલ્પસૂત્રનાં સુશોભને (પંદરમે સૈકા)
ચિત્ર ૫૬
Page #83
--------------------------------------------------------------------------
________________
एमापानिरालाद्यसवेक्षिकाशा सायनिखरवामवाकवावामनाना राधवबनवतामाकामावकाता रपल्लपिबनादमधुर मधुरविंदर वाचवन्यांनवपाक्थयरामिका एप्लमदिशांनंदवानाधाथिमणि नदशामाथिमसलिमुकदमद आरविदानश्रवणानच्यधाममात्र ।
त्यागनाथ
हेयरोवभिनवेनिसत्यरामारा अकानामापागारचक्रवार दक्कियामदानकलिबान घकशकलायाफने॥२५६धर्म उमरकंतलाशचानाशलालालक कनकणितविकिपाललिकामा स्वलावेधनाकापणलफलकस्कर कनकऊंडलामादाममरका मानासमदत कलिशायय
ચિત્ર પ૭-૫૮ : બાલગેપાલ સ્તુતિના ચિત્રપ્રસંગે (પંદરમે સૈકા) એકલા એટલે રાગદ્વેષરહિતપણે, દેશના લોચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધાદિને દૂર કરવારૂપ ભાવથી મુંડ થઇને, ગૃહવાસથી નીકળી તે અનગારપણાને-સાધુપણાને પામ્યા.” ચિત્ર ૫૧ થી ૫૬ કલ્પસૂત્રનાં સુશોભને-હંસવિ૦ ૧ ની પ્રતમાંથી સુશોભનકળાના નમૂના તરીકે થોડાંક શોભના અને મૂળ રંગમાં રજુ કરેલાં છે. સુશોભનકળાના તે અદ્વિતીય નમૂના છે. ચિત્ર ૫૭ કૃષ્ણની ગોપીઓ સાથે ક્રીડા-બાલગોપાલ સ્તુતિ’ની પ્રતના પાના ૪૦ ઉપરથી. પાનના લખાણને જ ચિત્રકાર અનુસર્યો હોય એમ લાગે છે.
गोपीभिरास्त्राद्य मुखं विमुक्तः (मुक्तः)
शेते स्म रात्रौ सुखमेव केशवः । स्तनांतरेष्वेव बभुव तासां
कामीव कान्ताधरपल्लवं पिबन् ।। ८ ।। मधुरमा(धारबिंबं प्राप्नुवयां भवत्यां
कथय रहसि कर्ण महिद)शां नंदसूनाः। अयि मरूलि मुकुंदस्मेरवक्त्रारवि(विंदात्
श्रवणनिचय धूभ्रे (स्वरपरिचय नभ्रे) संप्रति प्राणनाथे ।।९।।
Page #84
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પલતા
૪૯ ભાવાર્થ ગેપિીઓના મુખને આસ્વાદ લઈને છુટો થએલો, અધર પલ્લવનું પાન કરતે (હાય) એવો કેશવ રાત્રિમાં તેણીઓના જ સ્તનતરોને વિષે (વક્ષસ્થળ ઉપર) કામી જેમ સુખપૂર્વક સુઈ ગયો.–૮
હે મેરલી! પ્રાણનાથ (કૃષ્ણ) સ્વરને પરિચય કરવા તત્પર બને તે વખતે, તું મુકુંદના પ્રસન્ન મુખકમળથી, અધરબિંબ-ઓષ્ટપુટ પાસે જાય ત્યારે, એકાંતમાં નંદસૂનુ-કૃષ્ણને કાનમાં મારી દશાનેઅવસ્થાને કહેજે.–૯
ચિત્રમાં શયનમંદિરમાં હીંચકા ઉપર કૃણ એક ગેપી સાથે સુતેલા અને તેના અધરપલવનું પાન કરવા માટે ઉત્સુકતા બતાવતા દેખાય છે. બંને બાજુ એકેક ગેપ હીંચકા ઉપર સૂઈ રહેલા કણું અને ગેપીને હીંચકા નાખતી દેખાય છે. શયનમંદિરની છતમાં ચંદરો બાંધેલો છે. ચિત્રકારે પ્રસંગને તાદસ્ય ચિત્ર આલેખેલું છે. ચિત્ર ૫૮ કૃષ્ણ અને ગોપીઓની વાદીડા.—ઉપર્યુક્ત પ્રતના પાસા ૪૩ ઉપરથી—આ ચિત્રને પ્રસંગ અને લખાણ બંને જુદાં પડે છે.
अहं परं वेद्मि न वेत्ति तत्परात्रा )
स्मरात्सुकानामपि गोपसुभ्रुवां अभूदहपूर्विकया महान् कलि
ર્યાદ્રિવ: કાનુને ૨૨ દ્દા भ्रमद्धमरकुंतलारचितलोललीलालिक
कलक्कणितकिडिणी ललितभेखलाबन्धनं । कपालफलकस्फुरत्कनककुंडलं तन्महा
मम स्फुरतु मानले मदनकेलिशय्यो त्सुकं] । ભાવાર્થ ગેપાલ-કૃષ્ણના વાળ ઓળવામાં કામથી વિલ બનેલી ગેપનો આપસમાં હું જ ઉત્કૃષ્ટ-સારી રીતે (વાળ ઓળવાનું જાણું છું, બીજી જાણતી નથી' આ પ્રમાણે ચડસાચડસીથી ખૂબ ઝગડો જામ્યો. – ૨૬
ભમતા ભ્રમરો જેવા કેશથી હવાએલા કપાળવાળું, અને મધુર અવાજ કરતી ઘુઘરીઓવાળી કટિમેખલાવાનું અને ગંડસ્થલ ઉપર ઝળક ઝલક થતા લવાળું શસ્ત્રાવિષે રતિક્રીડામાં તત્પર તે (શ્રીકૃષ્ણ રૂપી) જ્યોતિ મારા હૃદયમાં કુરો.
ચિત્રની મધ્યમાં કૃષ્ણ કમળ ઉપર અદ્ધર નાચતે દેખાય છે. તેમના પગ નીચે કમળ છે. કણની જમણી બાજા એક ગોપી ડાબા હાથથી ચામર વીંઝતી ઊભી છે. ડાબી બાજુએ બે ગેપીએ ઊભી છે, તેમાંની પહેલી ગોપી તરફ કણ જ એ છે અને તેની સાથે કાંઈક વાત કરતા હોય એમ લાગે છે. ઘણું કરીને આગળની ગેપી કૃષ્ણની માનીતી ગેપી રાધા હોવી જોઇએ. તેણું જમણું હાથની તર્જની આંગળી અને અંગુઠો ભેગો કરીને કૃપણને નાચતા જોઈ તેમની મશ્કરી કરતી હોય એમ લાગે છે. ચિત્રમાં ત્રણ જુદીજુદી જાતનાં ઝાડ ચીતરેલાં છે. રાધાની પાછળના ભાગમાં બીજી એક ગોપી જમણે હાથ ઊંચે રાખીને હાથના વાસણમાં કંઈ લઈ જતી હોય એમ લાગે છે. આ પ્રતનાં ચિત્રોમાં તથા જૈન ચિત્ર-ક૯૫૬મ'ના ચિત્ર રપર અને ૨૫૪માં જે જાતનાં ઝાડ છે તે જ જાતનાં ઝાડ વિ. સં. ૧૫૦૮માં લખાએલા “વસંત વિલાસના ચિત્રપટમાં પણ રજૂ કરેલાં છે, તેથી આ પ્રત તેની સમકાલીન હોવાની સંભાવના છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
૫૦
જૈન ચિત્ર-કલ્પલતા
ચિત્ર પ≠ : ઉત્તરાધ્યયનસૂત્રના એક પ્રસંગ (પંદરમા સૈકા)
ચિત્ર પ૯ ઉત્તરાધ્યયન સૂત્રને એક ચિત્રપ્રસંગ—હંસવિ॰ ૩ ની પ્રતમાંથી.
ચિત્રમાં, ઉપર ગાળાકૃતિમાં પાણી ભરેલું તળાવ, તેમાં તરતાં રાજહંસ વગેરે જળચર પક્ષીએ અને વચ્ચે એક મેટું કમળ ઊગેલું બતાવ્યું છે. તળાવના કાંઠા ઉપર જળચર પક્ષીઓ કરતાં બતાવ્યાં છે. આ ચિત્ર દોરવાના ચિત્રકારનો આશય એવા છે કે જેવી રીતે મેટા તળાવનાં જળ આવવાના ચારે બાજુના માર્ગોં બંધ કરવામાં આવ્યા છે, તેવી રીતે સંયમી પુરુષને નવાં પાપ આવવાનાં દ્વારા વ્રતદ્વારા રૂંધાઇ જવાથી બાકી રહેલાં પહેલાંનાં બંધાએલાં કર્માં તપદ્રારાએ શોષાઇ જાય છે. તે એવી રીતે કે જેમ જળ આવવાના માર્ગો બંધ કર્યાં પછી તળાવની અંદરનું પાણી સૂર્યના પ્રચંડ તાપથી શોષાઇ જાય છે તેમ. વળી ચિત્રમાં નીચેના ભાગમાં સાધુની આજુબાજુ એ ઝાડા જુદીજુદી જાતનાં ચિત્રકારે ચીતર્યા છે. તે ચીતરવાના આશય પણ ઉપરની કલ્પનાને મળતા હોય એમ લાગે છે. ઝાડ જેવી રીતે જળ વગેરેનાં સીંચનથી આવડાં મેટાં ઊગેલાં છે, તેવી જ રીતે સંયમી પુરુષ પણ કાઁથી બંધાતાબંધાતા ઉમરલાયક થાય છે; પરંતુ જેમ વૃદ્ધિ પામેલા ઝાડને પણ જો જળમીંચન વગેરે કરવામાં ન આવે તે આખરે તે સૂર્યના તાપથી કરમાને નાશને પામે, તેવી રીતે જ સંયમી પુરુષને નવાં કર્મી આવવાના રસ્તા બંધ થવાથી જૂનાં કર્મોના નાશ તપશ્ચર્યાં વગેરે ક્રિયાએથી થઇ જાય તો અંતે સર્વ પાપકમાંથી મુકાઈને તે મેાક્ષસુખને પામે, ઝાડ ચીતરવાના ચિત્રકારને આશય આ બતાવવાના હોય એમ લાગે છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૬૦ • દેવાનું કટક (સત્તરમેા સેકા)
Page #87
--------------------------------------------------------------------------
________________
પર
જૈન ચિત્ર- કપલતા
Rીપી પાકી ATM
/11/
'///// By
ચિત્ર ૬૧ : શ્રીપાલ રાસમાંથી એક વહાણ (ઓગણીસમા સૈકા)
ચિત્ર ૬૦ દેવાનું કટક,
गंधव्व नट्ट हय गय, रह भड अणियाणि सव्व इंदाणं ।
माणियाण वसहा, महिसाय अहोनिवासीणं ।। ४५॥ ભાવાર્થ: ૧.ગંધર્વ-ચિત્રમાં જમણા ખભા ઉપર તંબુરો રાખીને ઊભા રહેલે છે; તેર નકે -ચિત્રમાં બે હાથમાં મંજીરાં રાખીને વગાડતા તથા નાટક કરતો દેખાય છે તે; ૩ ઘેડો-ચિત્રમાં આગળના ડાબા પગ ઊંચા રાખીને ઉભેલો છે તે; $ હાથી-ચાલતો હાથી ચિત્રમાં ચીતરેલો છે, જેના પાછલા બે પગ બાંધેલા છે તે; ૫ રથ-ચિત્રમાં મોગલ સમયના રથ તેના હાંકનાર સહિત ચીતરે લે છે તે.
રથને બે ઘડા જોડેલા છે જેમાંના એક સફેદ અને એક કાળે છે. આ ચિત્રમાં ઉપર મુજબનું દેવાના સાત કટ કમાંથી પાંચ કટ કનું આલેખન આપેલું છે. તે સિવાય ૬ ઢું કટક સુભટ અને ૭મું કટક વૃષભ અથવા પાડે હોય છે. વૈમાનિકને વૃષભ અને ભવનપતિને પાડો હોય છે. એ બંનેનાં ચિત્રો પાનાની પાછળની બાજુ ઉપર હોવાથી અત્રે આપ્યાં નથી. ચિત્ર ૧૧ શ્રીપાલ રાસમાંથી એક વહાણ: શ્રીપાલ રાસની પ્રતના પાના ૪પ ઉપરથી—આ વહાણુને રાસકાર શ્રાવિનયવિજયજી એ જુંગ જાતિના વહાણ તરીકે ઓળખાવ્યું છે. તેનું વર્ણન કરતાં તે જણાવે છે કે ‘જેને જોતાં જ અચંબો થાય તેવું એક જંગ જાતિનું વહાણ, કે જેના થંભાને કારીગરોએ સુંદર ધડેલા તથા મણિમાણેકથી જડેલા; અને તે આકાશને જઈ અડવ્યા હોય એટલા ઉંચાઈમાં છે; તેમજ તે વહાણની અંદર સેનેરી શાહીથી ચીતરેલાં મનહર ચિત્રામણોવાળા ગેખ ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે અને તે વહાણને માથે સુંદર વૃજાઓ ફરકી રહેલી છે; તેમજ તેમાં તરેહતરેહનાં મનહર વાછા વાગી રહ્યાં છે કે જેના શબ્દો વડે તે વહાણુ સમુદ્રની અંદર ગાજી રહ્યું છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-ક૯૫લતા
हाएटमण्यरमिएटामाको विमाएगायायाललरहजार DJવારિસાઇ gયું
रज्ञामकलोकस्थदिला
ચિત્ર ૧૨ : દેવેની € ત્પત્તિશય્યા (સત્તરમા સૈકે)
કન T
C =
IMશિ છે
"
આ છે 'મીની
વEાર્દિરા વિદ્યmswા પવિત્ર ચિલ્ડરવાના સ્થાપત્તા » શ્રી II
ચિત્ર ૬૩ : ચક્રવતનાં સૈદ રને (સત્તરમા સૈકે) ચિત્ર ૬ર દેવોની ઉત્પત્તિ-શમ્યા-આ શસ્યામાંથી દેવની ઉત્પત્તિ થાય છે. અર્થાત જેમ મનુષ્યની ઉત્પત્તિ માતાની કક્ષિમાંથી ગર્ભપણે થતી જોવાય છે તે પ્રમાણે દેવલોકમાં ઉત્પન્ન થવાની ઉત્પત્તિ થયા હોય છે. તેની ઉપર દેવદુષ્ય વસ્ત્ર ઢાંકેલું હોય છે અને તે દેવદુષ્ય વસ્ત્રની નીચેથી દેવની ઉત્પત્તિ
Page #89
--------------------------------------------------------------------------
________________
૫૪
જૈન ચિત્ર-કપલતા થાય છે અને એથી જ એને “વૃત યોનિ' કહે છે. અંતર્મુર્તમાં તેમાંથી તરણુ દેવ ઉત્પન્ન થાય છે (જુઓ ચિત્રની ડાબી બાજુએ) અને ઉત્પન્ન થયા બાદ (ચિત્રની જમણી બાજુએ) સાથે જ બતાવેલ ઉપપાત સભામાં જઈ તે દેવયોગ્ય પ્રાથમિક ક્રિયાઓનો પ્રારંભ કરે છે. ચિત્ર ચક્રવતીનાં ચીદ રો. રત્નનાં નામ રત્નનું પ્રમાણ રત્નની જાતિ ઉપયોગ વિષય ૧ ચ ર વામ (ચાર હાથ એકનિદ્રા શત્રુઓનો પરાજય કરવામાં અનન્ય સાધન.
પ્રમાણુ) ૨ છત્ર રન
ચક્રવર્તીના હસ્તસ્પર્શ માત્રથી બાર જન વિરતાર થઈ શકે, જેની નીચે ચક્રવર્તીનું સૈન્ય રહી શકે. જેનાથી ઊંચીનીચી જમીન સરખી થઈ શકે અને કારણ પડશે એક હજાર યોજન જમીનમાં જેનાથી
ખાડો થઈ શકે. ૪ ચર્મ રત્ન બે હસ્ત પ્રમાણે
ચક્રવર્તીના સ્પર્શ માત્રથી બાર યોજન જેનો વિસ્તાર
થઈ શકે; ઉપર ચક્રવર્તીના સૈન્યને સમાવેશ થઈ શકે. ૫ અષ્ણ ૨૧ ૩૨ અંગુલ
રણસંગ્રામમાં શત્રુસમૂહને ઘાત કરવામાં અપ્રત
હત શકિતવાળું. ૬ કાકિણી રજા ૪ અંગુલ
વૈતાની ગુફામાં પ્રકાશમંડલો કરવામાં ઉપયોગી. છ મણિ રન ૪ અંગુલ લંબાઈ , બાર જન સુધી પ્રકાશ કરનાર, માથે અથવા હાથ
- ૨ , પહોળાઈ વગેરે અવયવ પર બાંધે છતે સર્વ રોગનો નાશ કરનાર. ૮ પુરોહિત રભ તે તે કાળને ઊંચત પંચેન્દ્રિય શાન્તિક કર્મ કરનાર, ૯ ગજ રતન
મહાવેગવાન, પ્રૌઢ પરાક્રમી. ૧૦ અશ્વ રત્ન ૧૧ સેનાપતિ રન ,
ગંગા-સિંધુને પેલે પાર વિજય કરનાર. ૧૨ ગૃહપતિ રત્ન ને તે કાળને ઊંચિત પંચેન્દ્રિય ઘરનું સર્વ પ્રકારનું કામકાજ કરનાર (ભંડારી). ૧૩ વાર્ધક(સુત્રધારીરત્ન ,, , સુતારનું કાર્ય કરનાર, ૧૪ સ્ત્રી રન ,, , અતિ અદ્દભુત વિષયભોગનું સાધન.
ચિત્રમાં રન માં પુરોહિતના ડાબા હાથમાં શાંતિપાઠનું પાનું આપેલું છે અને જમણું હાથની આંગળી ઊંચી કરીને તે કાંઈક બોલતે જણાય છે. રત્ન ૧૧ માં સેનાપતિના જમણા હાથમાં ભાલે તથા ડાબા હાથમાં હાલ છે. રત્ન ૧૨ માં ડાબા હાથમાં તાજવાં પકડીને ગૃહપતિ–ભંડારીને ચીતરેલો છે અને રન ૧૩ માં સુતારને પ્રસંગ દર્શાવવા જમણા હાથમાં રાખેલા કુહાડાથી ડાબા હાથમાંનું લાકડું છે તો ચીતરેલો છે. ચિત્ર ૬૪ નગરઃ શાંતિદાસ તથા તેમની સ્ત્રી કપુરબાઈ-આ પતરૂં મને વડોદરાના શુક્રવારબજારમાંથી મૂળ મળેલું. ગુજરાતના ઇતિહાસમાં શાંતિદાસ નગરશેઠ અગ્રસ્થાન ભોગવે છે. તેમના વંશજો આજે પણ અમદાવાદના નગરશેઠ તરીકે ઓળખાય છે.
શાંતિદાસ નગરશેઠનું એક ચિત્ર ઝવેરીવાડામાં આવેલા સાગરગચ્છના ઉપાશ્રયના થાંભલા ઉપર ચીતરેલું છે, જે ઉપરથી ફેટે લઈને ગુજરાત સાહિત્ય સભાએ “ગુજરાતનું પાટનગર અમદાવાદ નામના પુસ્તકમાં પૃa ૬૦૧ની સામે પ૬ નંબરના ચિત્ર તરીકે તે છપાવેલું છે. એમાં તેઓ પોતાના ગુરુ શ્રી રાજસાગર (સૂરિ)ના ઉપદેશનું શ્રવણ કરતા અંજલિ જોડીને નીચેના ભાગમાં
Page #90
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ પેલતા
પપ
(
हाक मिसा 13 O , ". -
र५ साधा B. (nત છે એ
ચિત્ર ૬૪: નગરશેઠ શાંતિદાસ તથા તેમની સ્ત્રી કપુરબાઈ બેઠેલા છે, જ્યારે આ પતરામાં શ્રીરાજસાગરસૂરિના ગુરુભાઈ શ્રીકિરતિસાગર ઉપાધ્યાયના સામે અંજલિ જોડીને તેઓ ઊભેલા છે. પતરાના બીજા ભાગમાં તેની બીજી સ્ત્રી કપુરબાઈ કે જેની કુક્ષિથી વિ. સં. ૧૬ ૮૬ માં રત્નજી નામના પુત્રને જન્મ થયો હતો ૧૯ તે હાથમાં જપમાળા અને બંગલમાં એથે લઈને બેઠેલાં સકલવીરધન(ન) સાધ્વીની સામે બે હાથ જોડીને ઊભેલાં છે. બંને ભાગની છતેમાં ચંદરો બાંધેલો છે અને કુ અક્ષર લખેલો છે. નીચેના ભાગમાં પાદુકાએ કરેલી છે. સાગરગરજીની ઉપાશ્રયના ચિત્ર કરતાં આ પતરાની આકૃતિઓ બહુ જ સારી રીતે સચવાએલી છે.
ચિત્ર ૬૫ કાગળની પ્રત ઉપરનું એક શેભનચિત્ર. અમદાવાદના ડહેલાના ઉપાશ્રયની “નમિણવૃત્તિ 'ની એક પ્રતના છેલ્લા પાના ઉપરથી. ચિત્ર ૧૬ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિઃ પ્રવર્તક શ્રી કાંતિવિજયજીના સંગ્રેડ
માંથીવાડીપાર્શ્વનાથના જિનમંદિરની ચિવ ૬૫: કાગળની પ્રત ઉપરનું એક શોભન ચિત્ર બાંધણી સ્થાપત્યના નિયમોના અનુસાર જેઓની દેખરેખ નીચે કરવામાં આવી હતી અને જેઓ શિલ્પશાસ્ત્રના અખંડ અભ્યાસી હતા તથા
Hક
તુમ - THE
ન#'a= માટે પ્રકાશન R .
૧૯ જુઓ : ગુજરાતનું પાટનગર અમદાવાદ', પૃષ્ટ હ૩૭ની ફુટનટ.
Page #91
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર-ક૯૫લતા
ચિત્ર ૬૬ : કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરી (વીસમો સૈકા) વિ.સં. ૧૯૭૦ (ઇ. સ. ૧૯૧૩)માં જેઓ કાળધર્મ પામેલા તે શિ૯પશાસ્ત્રપારંગત પાટણનિવાસી યુતિવર્ય શ્રીહિંમતવિજયજી એ આ ચિત્ર સ્વહસ્તે જ તૈયાર કરીને પ્રવર્તક શ્રીકાંતિવિજયજીને ભેટ આપેલું છે.
ચિત્રની વચમાં પ્રવચનમુદ્રાએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસુરીશ્વરજી વિરાજમાન છે. તેઓના શાંત, મૃદુ હાસ્ય કરતા દેદીપ્યમાન ચહેરે ભલભલાને માન ઉપજાવ્યા વિના ન રહે. તેમના મસ્તકની પાછળના ભાગમાં ભામંડલ છે અને ગરદનની પાછળના ભાગમાં એધે છે. નીચે જમણી બાજુએ પરમાહેત કુમારપાળ તથા ડાબી બાજુએ ઉદયનમંત્રિ બંને હસ્તની અંજલિ જોડી ઉભેલા છે. તેઓના પગ આગળ જમણી તરફ પગ દબાવતા તેઓના મુખ્ય શિષ્ય શ્રી રામચંદ્રસૂરિ અને ડાબી તરફ બીજા શિષ્ય શ્રી લાલચંદ્ર હોય એમ લાગે છે. આજે માંહોમાંહેના કુસંપમાં જૈન યતિઓમાંથી આ કળાનો લગભગ લોપ થઈ ગયેલ છે.
Page #92
--------------------------------------------------------------------------
________________ અમારાં પ્રકાશનો. ચિત્રસંખ્યા 320 રપ છે e 41 ર 25-0 - 250 પ ૭-૮-૦ની પ-૦૦) 50 જૈન ચિત્રક૯૫દ્મ મહાપ્રોભાવિક નવસમરણ ભેરવ પદ્માવતી ક૯૫ મેત્રાધિરાજ ચિંતામણિ જૈન સ્તોત્ર સંદેહ ભાગ-૧ શ્રી ઘંટાકર્ણ માણિભદ્ર, મંત્ર-તંત્ર-કઃપાદિ સંગ્રહ અનેકાર્થ સાહિત્ય સંગ્રહ ભાગ-૧ 1151 સ્તવન મંજીષા શ્રી જૈન સરઝાયસંગ્રહ ભા સ્તીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા શ્રી જિનદર્શન ચાવીશી જેન ચિત્રકુટ પૂલતા 2 ઇ 2 | ૮-૦-દ 0-4-0 16-p-9 તેયાર થતા ગ્રંથા. ચિત્રક૯પસૂત્ર (બારસા સૂત્ર) દરેક પાને પાને રંગીન ડીઝાઈના ભારતનાં જૈન તીર્થો અને તેમનું શિ૯૫થાપત્ય ભાગ-૧ શ્રી કાલકાચાર્ય (નવલકથા) મહર્ષિ મેતારજ( , ) શ્રમણ ભગવાન મહાવીર (ઐતિહાસિક દૃષ્ટિએ . ૧પ-૦૦ 28 છે 200 કરી ખા ! પ્રયા* સારાભાઈ મણિલાલ નવાબ - નાગજીભૂદરની પાળ - અમદાવાદ