SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પલતા 33 ચિત્ર ૪૦ : શ્રી મહાવીરપ્રભુને સંગમદેવના ઉપસર્ગ (પંદરમે સા) થા? આપને જો વિશેષ ખાત્રી કરવી હોય તો હું પોતે જ તેને એક ક્ષણવારમાં ગભરાવી દઉં!' ઇન્દ્રે વિચાર્યું કે જો હું ધારૂં તે સંગમને હમણાં જ ખેાલતા બંધ કરી શકું; પણ જો હું અત્યારે તેને હુકમ કરી જતો અટકાવી દઈશ તો તે દુર્બુદ્ધિ એમ સમજશે કે તીર્થંકરો તે પારકાની સહાયથી જ તપ કરે છે, અને પરિણામે એક સંગમના મનમાં નહિ પણ લગભગ બધા દેવાના મનમાં ખોટું ભૂત ભરાઇ જશે. માટે અત્યારે તે આ દુષ્ટને તેનું ધાર્યું કરવા દેવામાં જ લાભ છે. ક્રોધથી ધમધમી રહેલા સંગમદેવ પ્રભુને ચલાયમાન કરવા ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી, તરત જ સભામાંથી ચાલી નીકળ્યા અને સીધા પ્રભુ પાસે આવી ઊભે। રહ્યો. પ્રભુની શાંત મુખમુદ્રામાંથી શાંતિ અને કરુણાની અમીધારા ઝરતી હતી. પણ સંગમને તો તે ઉલટું જ પરિણમ્યું, કારણકે તેનું હૃદય ક્રોધ અને ઈર્ષ્યાથી ધગધગી રહ્યું હતું. (૧) સૌથી પ્રથમ તેણે ધૂળના વરસાદ વરસાવ્યા. (૨) તે પછી ધૂળને ખંખેરી નાખી તે દુષ્ટે વજ્ર જેવા કઢેર-તીક્ષ્ણ મુખવાળી કીડીએ પ્રભુના શરીર ઉપર વળગાડી, તે કીડીએએ પ્રભુનું આખું શરીર ચાળણી જેવું કરી નાખ્યું. છતાં પ્રભુ અચળ જ રહ્યા. (૩) પછી પ્રચંડ ડાંસ ઉપજાવ્યા. ડાંસના તીક્ષ્ણ ચટકાથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું રૂધિર ઝરવા લાગ્યું. (૪) વળી તીક્ષ્ણ મુખવાળી ઘીમેલા પ્રભુના શરીરે એવી તેા સજ્જડ ચોંટાડી કે આખું શરીર ઘીમેલમય
SR No.009121
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy