________________
૨૨
જૈન ચિત્ર-કલ્પલતા
ચિત્ર ૩૧ : શ્રીઋષભદેવનું નિર્વાણ
છે. ઉપવાસના તપ કરી, અભિજિત્ નામના નક્ષત્રને વિષે ચંદ્ર યાગ પ્ર!પ્ત થતાં, સવારના સમયે પËકાસને બેસીને નિર્વાણુ પામ્યા.'
ચિત્રમાં સર્વ આભૂષણો સહિત સિદ્ધશિલા ઉપર બેઠેલા ઋમદેવ પ્રભુની અને આજુબાજુ એ ઝાડની રજૂઆત કરીને ચિત્રકારે શ્રીઋષભદેવના નિર્વાણ કલ્યાણકના પ્રસંગ ચીતરેલા છે. ડરની આ પ્રતના દરેક ચિત્રની પૃષ્ઠભૂમિ સીંદુરિયા લાલ રંગની છે. આ ધ યે ચિત્રા અસલ માપે ઉતારેલાં છે. તેમાં રંગભરણીની સરસ વહેંચણી તથા વાતાવરણ અને પદાર્થોની ઝીણવટમાં પરંપરાગત આકૃતિએ ચીતરી છે, પણ મૂળ આકારાના પ્રત્યક્ષ પરિચય નહિ હોવાથી ચિત્રકારોએ નક્કી કરેલાં આકારોનાં કૃત્રિમ રૂપે ચિત્રકાર ચીતર્યે ગયા છે; છતાં સુશોભનામાં જરા ગે તે પાછો પડતો નથી. આ પ્રતમાં સાનાની શાહીનો ખૂબ છૂટથી ઉપયોગ કરવામાં આવ્યા છે.ચિત્રનાં પાત્રા ચીતરવામાં તાડપત્ર ઉપર સુવર્ણની શાહીનો ઉપયોગ આ એક જ પ્રતમાં કરવામાં આવ્યા છે. ઉપરાંત, સીંદુરિયા, લાલ, ગુલાબી, કરમજી, પીળા, વાદળી, રૂપેરી, જાંબુડી, સફેદ, કાળે!, આસમાની તથા નારંગી રંગને પણ ઉપયોગ આ પ્રતનાં ચિત્રામાં કરવામાં આવ્યા છે. ચિત્ર ૩૨-૩૩ નૃત્યનાં જુદાંજુદાં સ્વરૂપા—અમદાવાદના દે પા॰ ના દાવિ શાસ્ત્રસંગ્રહની કલ્પસૂત્ર તથા કાલકકથાની અપ્રતિમ કારીગરીવાળા સુવર્ણાક્ષરી પ્રતના પાના ૧૨૭ ઉપરથી.
કાગળની પ્રતના હાંસીઆમાંનાં ચિત્રા મધ્યેના નર્તના પાત્રવાળાં ચિત્રો આ વસ્તુસઁકલનાનાં અપ્રતિમ પ્રતિનિધિ જેવાં છે. ચિત્રકાર બરાબર જાણે છે કે ચિત્રામાં શું કહેવાનું છે, અને તેને અનુરૂપ તે રચના કરી શકે છે. આ ચિત્રનાં ચારે રૂપાનું એકેએક અંગ એવું તો બારીક દેરાએલું છે કે આપણી સામે જાણે તે સમયની જીવતીજાગતી ગુજરાતણેા ગળે રમતી ખડી ન કરી દીધી હોય!