SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા १५ આ ચિત્રા ઝડપથી ખેંચી કાઢેલાં દેખાય છે, તેથી ચીતરનારની અનાવત છે એમ તે કહી શકાય તેવું નથી. જેટલી ઝડપથી આપણે લખાણના અક્ષર ખેંચીએ એટલી ઝડપથી આ ચિત્રકારે આંખ, નાક, માથું, હાથ, પગ અથવા વસ્તુઓ ચીતરી શકે છે. એમ માની શકાય કે આ ચિત્રકર્મ માટે ખાસ ચૂંટી કાઢેલા કેટલાક આધારભૂત આકારે નક્કી થઈ ગયા હશે. ગીતરનાર જે કાંઈ ચીતરે છે તેમાં માનવ દેહ વિષે તે સંપૂર્ણ સમજ રજૂ કરી શકે છે. જાતખતના લોકો, તેમની હીલચાલ તેમજ મુદ્રા તેને સુર્પાચિત છે. વૃત્તાંત પર સચોટ લક્ષ્ય અને એકધારું ચિત્રાંકન એ તેનાં પ્રધાન લક્ષણેા છે. તે વાહવાહ માટે ચિત્રકામ કરતા લાગતા નથી, પણુ કાઇ રીતે ચિત્રમાંથી જ હકીકત પ્રકટ કરી શકાય તેની મથામણ તે કરે છે. એટલેકે વાંચતાં ન આવડતું હોય તેને પણ એ પાનામાંથી જાણવાનું અને જોવાનું મળી રહે અને ધર્મપ્રચારની સાર્થકતા સધાય. ચિત્ર અને લિપિ બંને પવિત્ર આનંદજનક વૈવિહાર બની રહે તે માટે પ્રયત્નો કરવામાં આ ગ્રંથા ગાભા-સમૃદ્ધિની ટાસ રજુ કરે છે. ઘૂંટેલી કાળા, ભૂરી કે લાલ ભોંય ઉપર અક્ષરે અને ચિત્રાની તકતીએ યોગ્યરીતે સાચવીને હાંસીમાં જે વેલપટ્ટીઓ અને આકૃતિની વાડી ભરી દીધી છે તેની ાલે આવે એવી પ્રાચીન પ્રતો જાણવામાં નથી. ધર્મના પવિત્ર ગ્રંથા માટે આવા સમાદર કુરાન, બાઇબલ, ગીતા વગેરેના શ્રીમંત માલિકો અને ધર્માંધાપાએ બતાવ્યા ઇં; પણ કલ્પસૂત્રેાની આવૃત્તિ સાથે હરીફાઇ કરી શકે એવા સમૂહ ભાગ્યેજ મળશે. (આ કથન માત્ર બહાર પડેલાં પુસ્તકાને આધારે છે.) ** જૈન કલ્પસૂત્રાના હાંસીની ચિત્રસામગ્રી ઉપર તા હિંદના જાણીતા કલાવિવેચકાનું પણ ધ્યાન ખેંચાયું જણાયું નથી. તેનું કારણુ આજ સુધી જોઇએ તેટલા પ્રમાણમાં કેટલીક અસલ વસ્તુએ કાની નણુમાં પણ નહોતી એ કહી શકાય. હાંસીઆની એ અપૂર્વ કલાસમૃદ્ધને દુનિયા આગળ રજૂ કરવાનું માન ‘જૈન ચિત્રકલ્પદ્રુમ’ના સંપાદક શ્રી સારાભાઇ નવાબને જ છે. જે નમૂના તેમણે પ્રાપ્ત કરી પ્રકટ કર્યાં છે તે માટે કળાના ઇતિહાસમાં તેમનું માન અને સ્થાન કાયમને માટે સ્વીકારવું પડશે. આ હાંસીઞાની ચિત્રકળા જ એ યુગના માનવીઓની સર્જનશક્તિ અને અપ્રતિમ શોભાતિના સંપૂર્ણ પુરાવા છે. કેવળ એ કે ચાર રગમાં, આખાયે ગ્રંથના એકએક પાને જુદીજુદી વેલપટ્ટીઓ, અભિનયભર્યો પ્રાણીઓ તથા મનુષ્યોને ચીતરનારા ચિતારા આજના કળાકારને કસોટી આપે એવા છે. તેનું આશ્ચર્યકારક, વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જન અજંતાના ભંડારને પડકારે એવું છે. લૂંટાતાં, ચોરાતાં, વેચાતાં વધેત્રે પણ સંસ્કૃતિને આ થાળ એટલો બધો સમુહ છે કે આજના કલ્પનાકૃતિ (designs) માગનારાઓની ભૂખને તે સહજમાં સંતોષે છે, ઘણી વખત ગ્રંથનાં પાનાંએમાં હાંસીઆમાં એક ખૂણા પર લહીઆએ ચિત્રપ્રસંગની ટૂંકી નોંધ કરેલી જણાય છે, તે ઉપરથી લાગે છે કે અક્ષરો લખનાર પોતાનું કામ પૂરૂં કરી ચિતારાને ખાલી જગ્યાઓ ભરવા સોંપી દેતા હશે; એટલે ચિતારા કવિતાની પાદપૂર્તિની પેઠે પ્રસંગના સૂચક આકારેાવાળી વેલપટ્ટી અને ચિત્રા ઉમેરવાનું કામ કરતા હશે. કિવતાની કડીએ છંદમાં બંધાતી આવે તેવી રૂપ અને આકૃતિમાળાની સમતોલ વહેંચણી કરતા તે છેવટના પાના સુધી પાઠે અને ચિત્રાને એકસરખો રસ સાચવી લે છે, આવી એકધારી યેાજનાવાળાં પ્રકાશના આજના સાધનસંપન્ન યુગમાં પણ્ વિરલ છે. ધાર્મિક ચિત્રામાં કથાપ્રસંગનાં પાત્રોનાં સ્વરૂપ આદ્ય કલાગુરુએ બાંધેલાં તેનાં તે જ સાચવવાના સંપ્રદાય આગ્રહપૂર્વક પળાતા હોય તેમ લાગે છે, કારણકે તેમાં ભાગ્યે જ નવા પ્રકાર નજરે પડે છે, છતાં ચિત ચાર કળાકારા નવી ઊર્મિ અને છટા બતાવ્યા વિના રહેતા નથી; અને જ્યાંજ્યાં કંઈકે સામાજિક વાતાવરણુ બતાવવાનું હોય છે ત્યાંત્યાં તે તેમણે અવસ્ય છૂટ લને પોતાના સમાજ ઉતાર્યાં છે.
SR No.009121
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy