________________
જૈન ચિત્રકલ્પલતા
૪૯ ભાવાર્થ ગેપિીઓના મુખને આસ્વાદ લઈને છુટો થએલો, અધર પલ્લવનું પાન કરતે (હાય) એવો કેશવ રાત્રિમાં તેણીઓના જ સ્તનતરોને વિષે (વક્ષસ્થળ ઉપર) કામી જેમ સુખપૂર્વક સુઈ ગયો.–૮
હે મેરલી! પ્રાણનાથ (કૃષ્ણ) સ્વરને પરિચય કરવા તત્પર બને તે વખતે, તું મુકુંદના પ્રસન્ન મુખકમળથી, અધરબિંબ-ઓષ્ટપુટ પાસે જાય ત્યારે, એકાંતમાં નંદસૂનુ-કૃષ્ણને કાનમાં મારી દશાનેઅવસ્થાને કહેજે.–૯
ચિત્રમાં શયનમંદિરમાં હીંચકા ઉપર કૃણ એક ગેપી સાથે સુતેલા અને તેના અધરપલવનું પાન કરવા માટે ઉત્સુકતા બતાવતા દેખાય છે. બંને બાજુ એકેક ગેપ હીંચકા ઉપર સૂઈ રહેલા કણું અને ગેપીને હીંચકા નાખતી દેખાય છે. શયનમંદિરની છતમાં ચંદરો બાંધેલો છે. ચિત્રકારે પ્રસંગને તાદસ્ય ચિત્ર આલેખેલું છે. ચિત્ર ૫૮ કૃષ્ણ અને ગોપીઓની વાદીડા.—ઉપર્યુક્ત પ્રતના પાસા ૪૩ ઉપરથી—આ ચિત્રને પ્રસંગ અને લખાણ બંને જુદાં પડે છે.
अहं परं वेद्मि न वेत्ति तत्परात्रा )
स्मरात्सुकानामपि गोपसुभ्रुवां अभूदहपूर्विकया महान् कलि
ર્યાદ્રિવ: કાનુને ૨૨ દ્દા भ्रमद्धमरकुंतलारचितलोललीलालिक
कलक्कणितकिडिणी ललितभेखलाबन्धनं । कपालफलकस्फुरत्कनककुंडलं तन्महा
मम स्फुरतु मानले मदनकेलिशय्यो त्सुकं] । ભાવાર્થ ગેપાલ-કૃષ્ણના વાળ ઓળવામાં કામથી વિલ બનેલી ગેપનો આપસમાં હું જ ઉત્કૃષ્ટ-સારી રીતે (વાળ ઓળવાનું જાણું છું, બીજી જાણતી નથી' આ પ્રમાણે ચડસાચડસીથી ખૂબ ઝગડો જામ્યો. – ૨૬
ભમતા ભ્રમરો જેવા કેશથી હવાએલા કપાળવાળું, અને મધુર અવાજ કરતી ઘુઘરીઓવાળી કટિમેખલાવાનું અને ગંડસ્થલ ઉપર ઝળક ઝલક થતા લવાળું શસ્ત્રાવિષે રતિક્રીડામાં તત્પર તે (શ્રીકૃષ્ણ રૂપી) જ્યોતિ મારા હૃદયમાં કુરો.
ચિત્રની મધ્યમાં કૃષ્ણ કમળ ઉપર અદ્ધર નાચતે દેખાય છે. તેમના પગ નીચે કમળ છે. કણની જમણી બાજા એક ગોપી ડાબા હાથથી ચામર વીંઝતી ઊભી છે. ડાબી બાજુએ બે ગેપીએ ઊભી છે, તેમાંની પહેલી ગોપી તરફ કણ જ એ છે અને તેની સાથે કાંઈક વાત કરતા હોય એમ લાગે છે. ઘણું કરીને આગળની ગેપી કૃષ્ણની માનીતી ગેપી રાધા હોવી જોઇએ. તેણું જમણું હાથની તર્જની આંગળી અને અંગુઠો ભેગો કરીને કૃપણને નાચતા જોઈ તેમની મશ્કરી કરતી હોય એમ લાગે છે. ચિત્રમાં ત્રણ જુદીજુદી જાતનાં ઝાડ ચીતરેલાં છે. રાધાની પાછળના ભાગમાં બીજી એક ગોપી જમણે હાથ ઊંચે રાખીને હાથના વાસણમાં કંઈ લઈ જતી હોય એમ લાગે છે. આ પ્રતનાં ચિત્રોમાં તથા જૈન ચિત્ર-ક૯૫૬મ'ના ચિત્ર રપર અને ૨૫૪માં જે જાતનાં ઝાડ છે તે જ જાતનાં ઝાડ વિ. સં. ૧૫૦૮માં લખાએલા “વસંત વિલાસના ચિત્રપટમાં પણ રજૂ કરેલાં છે, તેથી આ પ્રત તેની સમકાલીન હોવાની સંભાવના છે.