SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ જૈન ચિત્ર-કલ્પલતા કળાની દૃષ્ટિએ આ કળાનું વિવેચન કળાનિર્માણુની દૃષ્ટિથી ગુજરાતની જૈનાશ્રિત કળા એ નાનાં બિભિચત્રાની કળા છે અને તે હુ જ મને વિષય છે. નાનાં બૌદ્ધ ચિત્રાના આલેખનનું અનુકરણ તેમાં નથી. ભારતીય ચિત્રકળાના ઇતિહાસમાં સુંદર કળાનિર્માણ અર્થે અગાઉના એક પણ દષ્ટાંત વિના મૂળ બનાવટ નહિ, પણ તેના ઉપયેગ સારૂ ગુજરાતની નાશ્રિત કળાને માન ઘટે છે. પ્રાચીન ગુજરાતની આ કળા એ ગંભીર કળા છે; તેમજ શારીરિક અવયવાળું યથાર્થ દિગ્દર્શન કરાવનારી આ કળા ધણી જ સુંદર ચિત્રકળાની રચના સારૂં પંકાએલી છે, એટલું જ નહિ પણ કળાની નિપુણતા ઉપરાંત તેની અંદર અત્યંત હાર્દિક ભૂખી રહેલી છે. ઘેાડાંએક ચિત્રા જોકે કઠાર અને ભાવશૂન્ય હોય તેમ લાગે છે, તેપણ કેટલીક વખત મુખમુદ્રાલેખન અને લાવણ્યમાં તે ચડી જાય છે. ચિત્રના રંગેની પસંદગી તે ધણા ચા પ્રકારની છે. તાડપત્ર ઉપરની કળા બહુ જ ઊંચી કક્ષાની છે, જોકે તેના વિયા બહુ મર્યાદિત છે. પાછળથી તેરમા સૈકાની એક પ્રતમાં તે! કુદરતી દૃશ્યો પણ ચીતરેલાં મળી આવ્યાં છે. ચૌદમા સૈકાના અંત ભાગમાં આ કળાના સૌથી ઉત્તમમાં ઉત્તમ નમૂના મળી આવ્યા છે. કાગળ ઉપરની કળા પણ કેટલાક દાખલાઓમાં બહુ જ ઊંચી કક્ષાની છે. જાજરમાન સુવર્ણમય અથવા રક્તવર્ણ પૃષ્ઠભૂમિ ઉપર આલેખેલા આસમાની, શ્વેત તેમજ વિવિધ રંગે બહુ જ આનંદ આપે છે. ખરેખર ગુજરાતની જૈનાશ્રિત કળાનું જે કાઈ ખાસ મહત્ત્વનું લક્ષણ હોય તો તે ખાસ શોભાયમાન ચિત્રાથી હસ્તપ્રત શણગારવાનું હતું. ચળકતા સુવર્ણરંગી અને વિવિધ રાતા રંગના સુંદર રંગથી રંગવાની કળા કળાકારની ખૂબીમાં ગૌણ ન હતી પણ તે તે તેના મુખ્ય પાયે હતા. વળી અલંકાર અને શારીરિક અવયવાની દરેક ઝીણવટમાં માપ અને આકારનું ચાક્કસ જ્ઞાન ચિત્રકારની અલંકરણ કરવાની તીવ્ર લાલસાથી અંકાએલું છે. યદ્યપિ ચિત્રકારે તેજ અને છાયાના ઉપયોગ ચિત્રને ઉઠાવવામાં-અહાર પડતાં દેખાડવામાંકર્યો નથી. તાપણું એમ માની લેવું નહિ કે કળાકારે ત્રણ જગ્યામાં-લંબાઇ ઊંડાઈ અને પહેાળાઈમાં– અવગાહતી મૂર્તિઓ (plastic form)ને દેરવાને જરા યે પ્રયત્ન કર્યાં નથી. આ દેખાવ ભરાવદાર અંગે દોરીને, વખતે દાદી આદિ વળાંકને પ્રમાણ કરતાં વધારીને તે કરતા; અને ચિત્ર આપણે બાજુએથી જોતા હૈાએ તેવું બતાવતી વેળા તો કળાકાર બંને આંખાને એવી રીતે દારતા કે આપણને બેિ તદ્દન સપાટ જ લાગે. ચિત્ર ચીતરવાની રીત ગુજરાતની જૈનાશ્રિત કળાના ત્રણે વિભાગ દરમ્યાનનાં ચિત્રા સામાન્ય રીતે મળતાં દેખાય છે; જોકે પ્રતા બનાવવાના પ્રકાર જુદીજુદી રીતના દેખાય છે, મુખ્યત્વે લખનાર અને ચીતરનાર વ્યક્તિએ અલગ અલગ હોય તેમ લાગે છે, તોપણ કેટલાક દાખલાએમાં લખનાર ને ચીતરનાર એક પણ હોય છે. આજે પણ વયેવૃદ્ધ આચાર્ય મહારાજશ્રી જયસૂરીશ્વરજી પોતાની જાતે જ પ્રતો લખે છે અને તેમાં ચિત્રા ચીતરે છે. અક્ષરે લખનારા ચિત્ર ચીતરનાર માટે અમુક જગ્યા છેાડી દેતા. આ વાત પ્રતાની બારીક તપાસ કરવાથી જણાઈ આવે છે. પ્રતના અક્ષરા ચિત્રાની જગ્યા હાડીને ધારાબહુ ચાલ્યા આવતા દેખાય છે; અને કેટલાક દાખલાએમાં ચિત્રકારની સમજ માટે હાંસીઆમાં પ્રસંગને લગતું લખાણ પણ લખેલું મળી આવે છે, કે જેને ચિત્રકાર મુખ્યત્વે અનુસરતા. લખનાર બહુધા પેાતાનું કામ પૂરૂં કરતા ત્યારે તે પ્રત ચિત્રકારને સુપ્રત કરતો હોય એમ સ્પષ્ટ જણાઇ આવે છે. નાનાં ચિત્રાના આલેખનમાં પત્ર ઉપર ખાસ રાખેલી જગ્યામાં તાડપત્ર ઉપર લાલ રંગ અને કાગળ ઉપર પ્રવાહી સુવર્ણની શાહી અથવા સુવણનાં ઝીણામાં ઝીણાં પાનાં (વરખ કે જેનો આજે પણ જૈન મંદિરમાં જિનમૂર્તિની અંગરચના કરવા માટે ઉપયોગ કરવામાં
SR No.009121
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy