SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જીવાશ્રિત ચિત્રકળા કારણકે તે બધાં કાગળ ઉપર છે અને જૂનામાં જૂના તાડપત્રના નમૂના કરતાં યે કેટલાક સૈકા પછીનાં છે. એલોરાનાં ભિત્તિચિત્રાની તારીખ કદાચ દસમી અગર અગીઆરમી સદીની હશે. ગમે તેમ હોય, તોપણ તે આપણી દલીલને બરાબર બંધબેસતાં નથી. ચિત્રકારોએ તેમાં ફક્ત ચહેરાઓનાં ચક્ષુઓની સમાનતા સિવાય બીજી વિશેષતાઓ, જેની આપણે ઉપર ચર્ચા કરી ગયા, તેની રજુઆત તે ચિત્રોમાં કરી દેખાતી નથી. ચહેરાઓનાં ચક્ષુઓની આ રીત, જ્યાં સુધી મારી જાણમાં છે ત્યાં સુધી, અજતા, ભાઇ. રસીતાવાસલ અને એલોરાને જન (દિગંબર) ગુફાઓમાં પણ દેખાતી નથી. અને કચીવરમના સ્થાપત્યનિર્માણવાળા દિગંબર મંદિરમાં (કે જ્યાં બે જાતનાં ભિત્તિચિત્રો છે–એક જાતનાં શિખરની નીચેની છત ઉપર અને બીજાં દિવાલો ઉપર ત્યાં પણ નથી. દિગંબર જૈન મૂર્તિઓને વધારાનાં ચક્ષુઓથી શણગારતા નહિ હોવાથી તેમને દેવમંદિરની મૂર્તિઓની નકલ કરવાની હોય જ નહિ કે જેવી રીતે તાંબર શણગારે છે. આના માટે આપણે હજુ વળી આગળ વધીને કહી શકીએ કે તાંબર ચિત્ર ચીતરનાર ચિત્રકારોએ જે પ્રમાણે મનુષ્યને ચહેરો ચીતર્યો તેનું માત્ર અનુકરણ જ ગુજરાતના વૈષ્ણવ ચિત્ર ચિતરનાર ચિત્રકારોએ કર્યું, નહિ કે મિ. ઘેપ કહે છે તેમ પિતાની વાભાવિક ઇચ્છાથી. જૈન મંદિરમાં આવેલી મધ્યકાળની જિનમૂર્તિઓ ઉપરથી જ તે રીતને તેઓ અનુસર્યા હોય એ જ વધારે યુકિતગંગત લાગે છે. એ ઉપરાંત જ્યાં જ્યાં નાનાં છબિચિત્રોને ચહેરાઓ બીજા એવાં ચક્ષુઓવાળા હોય છે તે સઘળા વેતાંબર જિનમૂર્તિના અનુકરણ રૂપે હોય તેમ માલુમ પડે છે. ટૂંકાણમાં, આ પ્રથાનું મૂળ શ્વેતાંબર મંદિરના સ્થાપત્યમાં સમાએલું છે. આ ઉપસેલાં ચક્ષુઓની પ્રથા તાંબર મંદિરમાં ક્યારથી શરૂ થઈ તે શોધી કાઢવું મુશ્કેલ છે, તે પણ તે સંબંધમાં મેં મારી જાતે અમદાવાદમાં મળેલા જૈન સાધુ સંમેલન વખતે બે વયોવૃદ્ધ તથા જ્ઞાનવૃદ્ધ જૈનાચાર્યોની મુલાકાત લીધી હતી અને તેઓશ્રી તરફથી મને જે ખુલાસો મળ્યો હતો તે અક્ષરશઃ નીચે પ્રમાણે છેઃ એવાં ચક્ષુઓની પ્રથા કયારથી શરૂ થઈ તે નિશ્ચિતપણે કહી શકાય નહિ, પરંતુ આ પ્રથા ઘણી પ્રાચીન હોવાનું જૂની જિનમૃતિઓ તથા ચિત્ર ઉપરથી અનુમાન થઈ શકે છે. સૌથી પ્રથમ ચક્ષુઓ કેડીનાં વપરાતાં હતાં. તે પછી હાલમાં મેવાડ, મારવાડ આદ પ્રદેશોમાં વપરાય છે તેવાં મીનાકારી (ચાંદીનાં પતરાં ઉપર રંગકામ કરેલાં) ચક્ષુઓએ કોડીનું સ્થાન લીધું. સમય જતાં મીનાકારી ચક્ષુઓની સુલભતા સધળા સ્થળે નહિ હોવાથી તેનું સ્થાન ફટિકના ચક્ષુઓએ લીધું હોય એમ લાગે છે. મૂર્તિ ઉપર સ્કટિક સીધે ટકી શકે નહિ, તેથી તેને પકડી રાખવા માટે ચાંદીના પતરાનાં ખોખાં તૈયાર કરી તેને સેનાથી રસાવી તેની અંદર ફિટિકના ચક્ષુઓ મૂકવામાં આવે છે. આથી તેનું કદ થુલ થઈ જઈ ચક્ષુઓ ઉપસેલાં (ઉપનેત્રો જેવાં દેખાય છે. આજે કેટલેક ઠેકાણે તો મૂર્તિઓ પર આ ચક્ષુએ ચુંટાડવામાં બહુ બેદરકારી બતાવવામાં આવે છે, તેથી જેમ બને તેમ ચક્ષુઓ દર્શન કરનારને વધારે આકદકારી અને આરમણતા તરફ વધુ ને વધુ ખચવાને સહાયકારી થાય તે માટે જિનમૃતિને તે બરાબર બંધબેસતાં રહે તેવું ધ્યાન દેવાની આવશ્યકતા છે.” વળી આ ચિત્ર મની પુપ તથા સ્ત્રીની આકૃતિઓના કપાળમાં આવા આકારનું, પુરાના કપાળમાં U આવા આકારનું અને કેટલાક દાખલાઓમાં = ત્રણ લીટીઓ સહિતને તિલક જોવામાં આવે છે. સ્ત્રીના કપાળમાં ૦ આવા પ્રકારનું જે તિલક જોવામાં આવે છે તે પ્રજામાં આજે પણ જેમનું તેમ ચાલુ છે, પરંતુ પુરના કપાળમાં આવા પ્રકારનું જે તિલક જૂનાં ચિત્રોમાં જોવામાં આવે છે તે પ્રથા તે સમયના રીતરિવાજોનું સમર્થન ભલે કરતી હોય, પરંતુ આજે તે જૈનેમાંથી નાબૂદ થએલી હોવા છતાં પણ તેનું અનુકરણ વૈષ્ણવ સંપ્રદાયમાં જેમનું તેમ કાયમ રહ્યું છે. પ્રાચીન જે વિષયો સંબંધીનાં ચિત્રોમાં તેમજ અમદાવાદમાં નાગજી ભૂદરની પિળના દેરાસરના ભૂમિમાં આવેલી વિ.સં. ૧૧૦૨ (ઈ.સ. ૧૦૪પ)ની ધાતુની જિનમૂર્તિના તથા
SR No.009121
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy