Book Title: Prabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Author(s): Parmanand Kunvarji Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 64
________________ ૨૩ર પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૬૭ . છતાં રામ રે એક નાનકડે સુવાલ - શહેર સુધરાઈમાં અમેને લેવા પડતા આસરે ૩૫ જેટલાં લાયસસે એક કરવા માટે અનેક વેળાની કાલુદીરો અને પ્રયત્ન બહેરા કાને અથડાયાં; અને છેવટે શ્રી જ્ય ર્જની નેતાગીરી નીચે રચે કાઢવો પડયો. ૧૯૪૨ ની સાલમાં મળતો નફો આજ સુધી એટલે ૧૯૬૭ માં પણ તે નફાથી મારે રેશનીંગ ચલાવવું પડે છે. અભણ જેવા દુકાનદારે બીજો કયે બંધ કરી શકે ? શ્રી પૅર્જને ભાંગફોડીયા ગણવામાં આવે છે પણ પાનશેત બંધનું પ્રકરણ રચનાત્મક હતું કે? બીજા તે સેંકડે. દાખલા આપીએ તે ઓછા છે. આપશ્રી પૅર્જની એક મુલાકાત જરૂર લ્યો તે સત્ય શું છે તે તમે ને જરૂર સમજાશે. આશા છે કે આ બાબતને આપ જરૂર ન્યાય આપશે. દામજી સેજુ મેતા, એક દુકાનદાર તંત્રી નોંધ: આ બને ચર્ચાપત્રોને વિગતવાર જવાબ આપવાની હું કોઈ જરૂર જોતું નથી. મુંબઈને મળેલી લોકસભાની બેઠકોમાંથી એક બેઠક માટે ઉભા રહેલા બે પ્રતિનિધિએમાંથી પરાભવ પામેલા શ્રી એસ. કે. પાટીલ અને સફળતાને વરેલા શ્રી જ્યોર્જ ફરનાન્ડીઝના આજ સુધીના જાહેર જીવન અંગે મારે અમુક દષ્ટિકોણ અને અભિગમ છે, ચર્ચાપત્રો લખનાર બંધુઓને તેથી જુદો જ દષ્ટિકોણ અને અભિગમ છે અને તેના પરિણામે મારા પ્રત્યાઘાતથી તેમના પ્રત્યાઘાતમાં. એટલે મોટો ફરક પડે છે. અહિ મારે એક બાબત કબૂલ કરવી જોઈએ કે હું જેટલે એસ. કે. પાટીલને જાણું છું તેટલો જર્જ ફર્નાન્ડીઝને જાણતા નથી. અમુક ' વર્ગને થતા અન્યાય અને ભેગવવી પડતી અગવડે દૂર કરવામાં જ્યોર્જ ફરનાન્ડીઝે જે કાંઈ સેવા બજાવી હોય તે વિશે મને બહુ ઓછી માહીતી છે. તેમને હું માત્ર “મુંબઈ બંધ’ અને ‘ઘેરા ડાલોના પ્રચંડ પુરસ્કત તરીકે ઓળખું છું. કોઈ પણ દેશ કે શહેરના અમુક વર્ગોનું હિત સાધવા ખાતર અખત્યાર કરવામાં આવતા આ ઢબના આત્યંતિક પગલાંઓ મારા અભિપ્રાય મુજબ લોકશાહીને અત્યન્ત ઘાતક છે અને સામુદાયિક જબરદસ્તીનાં દ્યોતક છે. નાગરિકોની ચાલુ જીવનવ્યવસ્થાનું રૂંધન કરીને અને રાજ્યસત્તાના ગળે ટુંપે દઈને પોતાની માગણીઓ મંજુર કરાવવાના આ પ્રયોગ છે. આવાં પગલાંઓના કારણે આમજનતાને પારવિનાની હાડમારીઓ અને યાતનાઓ ભોગવવી પડે છે. અને એમ છતાં આ અંગે માત્ર આવાં પગલાંઓને આદેશ આપનાર નેતાનું રૂવાડું ફરકતું નથી હોતું. ઉલટું લેકોની હાડમારીઓ જેટલી વધારે તેટલી પોતાના આન્દોલનની સફળતા વધારે–આવા ખ્યાલપૂર્વકની નિષ્ફર મોદશા. તેનામાં નજરે પડે છે. સુલેહ શાન્તિ અને સમજાવટના માર્ગે અને લોકશાહી સાથે સંગત એવા ઉપાય વડે પરિસ્થિતિ પલટવાના અહિંસક માર્ગની તેમાં કેવળ અવગણના હોય છે. આવા “ધ” અને “ધરા ડાલ’ની પ્રવૃત્તિને દેશના સમજુ અને શાણા વર્ગે સચોટ ભાષામાં વખેડી નાખી છે અને આવી પ્રવૃત્તિ દેશ માટે કેટલા મોટા ભયસ્થાનરૂપ છે અને દેશમાં વિક્સતી લોકશાહી માટે કેટલી બધી ખતરનાક છે તે તરફ અનેક દેશહિતચિન્તકાએ ભારતના પ્રજાજનનું સારા પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પરમાનંદ એક રમુજી છતાં રહસ્ય પૂર્ણ કથા (સ્વીડનવાસી સ્વેન હેડિન નામને યુરોપના એક અગ્રણી ભૂગોળસંશોધક ઓગણીસમી સદીના છેવાડે થઈ ગયો. તે ૧૯૫૨ની સાલમાં ૮૮ વર્ષની વૃદ્ધ ઉમરે અવસાન પામ્યો. તેણે ૧૮૮૫ની સાલથી ૧૯૦૯ સુધીના મધ્ય એશિયાના પ્રવાસની સાહસકથાઓ “my life as an explorer” એ મથાળાથી પુસ્તક- આકારે ૧૯૨૫માં પ્રગટ કરેલ. તે પુસ્તક મૂળ સ્વીડીશ ભાષામાં હતું. તેનું આજથી ૪૨ વર્ષ પહેલાં અંગ્રેજીમાં ભાષાન્તર થયેલું. તેને ગુજરાતી અનુવાદ સંક્ષેપમાં સ્વામી આનંદે બે વર્ષ પહેલાં “એશિયાનાં ભ્રમણ અને સંશોધન” એ નામથી તૈયાર કર્યો અને અમદાવાદની બલગેવિંદ કુબેરદાસની કંપનીએ (ગાંધી માર્ગ અમદાવાદ-૧.)એ અનુવાદ બે ભાગમાં પ્રગટ કર્યો છે અને પ્રત્યેક ભાગની કિંમત રૂા. ૩ રાખવામાં આવી છે. આ અત્યન્ત રોમાંચક પ્રવાસવર્ણનમાંથી નીચેની એક રમુજી કથા ઉદધૃત કરવામાં આવી છે. પરમાનંદ) અહીંની કોઈ દરગાન શેખે કુરાન ભણાવી ગણાવીને ચેલે તૈયાર કર્યો. પેલે કહે : “હવે હું દુનિયામાં નીકળું, ને કિસ્મતને અજમાવું. મને દુવા આપે, ને ઘોડું બંધાવો.” મુરશદે એક ગધેડો દીધો અને કહે, “જ, અલ્લા તારી પડખે રહો. મારી દુઆ છે.” પેલે રણવગડાની વાટે નીકળે ને રાત દિવસના પંથ કરી રણ ઓળંગ્યું. પણ ગધેડો ભૂખ્યા તરસ્યો મરી ગ ! ખાડો ખોદી ત્યાં જ દાટ. માથે એકલવાયો બેઠો રૂએ. ત્યારે કોઈ તાલેવંતની વણઝાર નીકળી. - સાંઈ બાબા! શું બન્યું? આટલું બધું કાં રહે ?'' “ભાઈએ! મારો એકના એક મિત્ર મુએ. હાય રે! મારે બેલી, આ રણવગડાની વાટે મને અંતરિયાળ છોડી ગયા !'' કહી વળી દૂઠો મૂકો. આમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા આ સાંઈની મિત્રનિષ્ઠા અને વફાદારી જોઈ પેલા તાલેવન્ત વણઝારા એટલા બધા પીગળી ગયા કે એમણે ત્યાં ને ત્યાં સાંઈના મિત્રની યાદગીરીમાં ભવ્ય રોજો બાંધવાની બાંહેધરી દઈ સાંઈનું સાન્તવન કર્યું. પછી તો આ ધર્મકાર્ય માટે તાબડતોબ ઈંટપથ્થર, આરસમરમર જેવી કિંમતી બાંધસામગ્રીની પિઠ ચાલુ થઈ, અને રણવગડા વચ્ચે આભ ઊંચા ઘુમ્મર -મિનારાવાળો ભવ્ય રોજે ઊભે થઈ ગયે, જેની નામના દુનિયા આખીમાં ફેલાઈ ગઈ. દૂરદૂરના દેશના જાત્રાજુઓ ત્યાં આવવા લાગ્યા. - પેલા કાશધરના મુરશદ શેખને કાને પણ આ ખ્યાતિ પહોંચી. ને “ઘરડે ઘડપણ હું યે આ જગવિખ્યાત તીર્થસ્થાનની જાત્રા કરી લઉં !' એવી મંછાથી રૂ. ૨ જયારતે નીકળયા, દડમજલ કરતાં મહિને પનરે પહોંચ્યા. જુએ તે વર્ષો અગાઉ પિતાને ત્યાંથી નીકળેલા મુરીદ રોજાના મુજાવરની જગ્યાએ બેઠા છે! ઓળખતાં વેંત મુરશદજીને હૈયે હરખ માય નહિ ! આવા મેટા સ્થાને પિતાને મામૂલી ચેલે કઈ રીતે પહોંરયો ? પણ બધા વચ્ચે પૂછવું કઈ રીતે ? રાત પડી અને લેકની અવરજવર ઓછી થઈ ત્યારે એકાંતે બેસીને પૂછા કરી : “બેટા, તને મારી હજાર લાખ દુઆ. પણ ભાઈ, હું યે તારો મુરરાદ. મને કહે તે ખરે કે આવડી મોટી ઈજાને હોદે તું કેમ રીતે પહોંચ્ય! કયા પીર અહીં થઈ ગયા, જેની દરગા પર આવડો ભવ્ય રોજો બંધાય છે?” ચેલાએ કાનમાં કહ્યું : ' “તમે મને ચડવા સારુ ગધેડે આપેલે ને ? એ જ આ જગ્યાએ મરી ગયેલે !” મુરશદજીએ વાહવા કરી. લગાર રહીને ચેલે પૂછયું : “મુરશદજી! તમે કાશધરમાં જ્યાં મને ભણાવતાં એ દરગા કયા પીરની ? તારાવાળા ગધેડાના બાપની !” સ્વામી આનંદ '

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262