Book Title: Prabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Author(s): Parmanand Kunvarji Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 177
________________ તા. ૧–૯-૬૭ પ્રબુદ્ધ જીવન કર્મબંધનથી છત્રી વગેરે કરવાથી આ 3 Sલા, અથવા બીજાને નામે ચઢાવી દેતી વિરમણ વ્રત. અસત્ય ન બોલવું. અને એવું પણ ન બેલવું કે જેથી બીજાને દુ:ખ થાય. કોઈના વિશ્વાસને ભંગકર, જુઠી સાક્ષી આપવી, કોઈની સંપત્તિ પિતાની ગણાવવી, અથવા બીજાને નામે ચઢાવી દેવી વગેરે કરવાથી આ વ્રતને ભંગ થાય. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. અચૌર્ય વ્રત. કેઈની વસ્તુ ન ચેરવી અથવા દાણચેરી ન કરવી. (૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત. પિતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી સાથે જાતીય સંબંધ ન કરવો અને પોતાની સ્ત્રી સાથે સંબંધ પણ મર્યાદિત પ્રમાણમાં રાખવો. (૫) પરિગ્રહ પરિમાણ વ્રત. ધન, ધાન્ય, જમીન, પશુ, નકર વગેરેને રાખવાની મર્યાદા નક્કી કરવી. તેને ધન ધાન્ય વગેરે અમર્યાદિત પ્રમાણમાં રાખવાની છૂટ ન હોય. (૬) દિક્ પરિમાણ વ્રત. વેપારને અર્થે કે ગમે તે કારણસર પ્રવાસ કરવાનું હોય. તે માટે દરેક દિશામાં કેટલી હદ સુધી જવું તેની મર્યાદા બાંધવી. (૭) ભેગે પગ પરિમાણ વ્રત. ધન, ધાન્ય ચીજ, વસ્તુ, ઘર, ખેતર, પશુ, નકર વગેરે કેટલી હદ સુધી રાખવા તેની મર્યાદા બાંધવી. અનાજ, ફળફ લ, સુગંધી વિલેપન વગેરે જે વસ્તુને ઉપયોગ કર્યા પછી બીજી વાર ઉપગમાં નથી લઈ શકાતી તે ભાગ્ય, અને વસ્ત્ર, ઘર, વાહન વગેરે કે જેને ફરી ફરીને થઈ શકે છે તે ઉપભેગ. (૮) અનર્થદંડ વિરમણ વ્રત, પિતાને માટે કે કુટુંબીજન માટે જેની આવશ્યકતા નથી એવા હિંસક કે અન્યને દુ:ખ થાય એવા કૃત્યથી પાછા હઠવું. જેમકે કોઈને શસ્ત્રો આપવાં, ઝેર આપવું, પ્રાણીઓને લડાવવા, કેઈને પાપકૃત્યની સલાહ આપવી, મનમાં કોઈને નુકસાન પહોંચાડવાના વિચાર કરવા વગેરે બાબતોથી દૂર રહેવું તે આ વ્રતમાં આવે છે. (૯) સામાયિક વ્રત. આ વ્રતમાં ૪૮ મિનિટ સુધી એક સ્થળે સ્થિર બેસીને ચિંતન કરવું, સ્વાધ્યાય કર કે આધ્યાત્મિક પુસ્તક વાંચવા અને એ રીતે મનને શુભ પ્રવૃત્તિમાં એકાગ્ર કરવાનું છે. જેટલો સમય શ્રાવક સામાયિકમાં હોય તે સમયમાં તેણે અન્યને દુ:ખ ઉપજે એવી પ્રવૃત્તિ મન વચન કાયા એમ ત્રણે પ્રકારે કરવાથી દૂર રહેવું જોઈએ, અને એ પ્રમાણે જગતના સર્વ જી તરફ તેણે સમભાવ રાખતાં શીખવાનું છે, જેથી એ વ્રત છેવટે તેને સાધુના વ્રત તરફ દોરી જાય. (૧૦) દેશાવગાસિક વ્રત. આ વ્રતમાં છઠ્ઠા અને સાતમાં વ્રતમાં જે મર્યાદા બાંધી હોય તેમાં રોજેરોજની જરૂરિયાત પ્રમાણે વધારે સંક્ષેપ કરવાનું હોય છે. (૧૧) પૌષધ વ્રત. એક દિવસ માટે સાધુ જેવું જીવન અંગીકાર કરવું તે પૌષધ વ્રત. એટલે કે એક દિવસ માટે ઉપવાસ કરવ, ગૃહસ્થના બધા વ્યવહારનો ત્યાગ કર અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જ મન, વચન અને કાયાને રોકાયેલા રાખવાં, તે પૌષધવ્રત. કેમકે તે દ્વારા ધાર્મિક જીવનનું સવિશેષ પોષણ થાય છે. (૧૨) અતિથિસંવિભાગ વ્રત. સાધુ-સાધ્વી અને અન્ય જરૂરિયાતવાળાને અન્ન, વસ્ત્ર આપવાં, તથા પોતાની શકિત ગોપવ્યા વિના જે રીતે થઈ શકે તે રીતે તેમને મદદ કરવી. ' આ બાર વૃતમાંથી પહેલાં પાંચ વ્રત છે તે સાધુના જે પાંચ મહાવ્રત કહ્યા છે, તે જ છે પણ તે પ્રમાણમાં હળવા હોવાથી તે અણુવ્રત કહેવાય છે. પછીનાં ત્રણ વ્રત છે તે પહેલાં પાંચ વ્રતમાં ગુણવૃદ્ધિ કરનારા હોવાથી ગુણવ્રત કહેવાય છે. અને છેલ્લા ચાર વ્રત છે તે સાધુ થયા પહેલાં સાધુપણાની તૈયારી કે અનુભવ કરવા રૂપ હોવાથી શિક્ષાવ્રત કહેવાય છે. , આ બાર વ્રતનું પાલન કરવાથી શ્રાવક પવિત્ર જીવન જીવી શકે છે અને પૂર્ણ મુકિતની દિશામાં તેની ગતિ થાય છે. જૈન ધર્મના સિદ્ધાન્ત કર્મબંધનથી છૂટી આત્માને સંપૂર્ણપણે મુકત કરવો એ જૈન ધર્મનું ધ્યેય છે. આત્મા શું છે, કર્મ શું છે, આત્માની શું શકિત છે, કર્મથી બંધાઈને જીવ કેવી રીતે આ સંસારમાં જન્મમરણના ફેરામાં પડી જાય છે એ બધું જાણ્યા અને સમજ્યા વિના જીવ પોતાને મુકત કરી ન શકે. આ જાણવા માટે જગતનાં મૂળ તત્ત્વ, તેના એકબીજા સાથેના સંબંધે, જીવ કેવી રીતે બંધાય છે, કયે માર્ગે એ બંધને છૂટે વગેરેની વિચારણા કરવી જરૂરી છે. આ જાણવા માટેનું જ્ઞાન મુખ્ય નવ તેમાં સમાઈ જાય છે. ૧ જીવતત્ત્વ (ચેતન) ૨ અજીવતત્વ (જડ પદાર્થ) ૩ આસ્રવ (કર્મને આવવાના માર્ગો) ૪ બંધ (કર્મનું આત્મા સાથે બંધાવું) ૫ પુણ્ય (શુભ કર્મ) ૬ પાપ (અશુભ કર્મ) ૩ સંવર (સંયમમાં રહેવું) ૮ નિર્જરા (કર્મને ખપાવવા) ૯ મેક્ષ (મુકિત). આ નવ તત્વ છે. તેમાં પણ મૂળ બે જ તત્ત્વ છે. જીવ અને અજીવ કે જેને જાણવામાં આ જગતનું બધું જ્ઞાન આવી જાય છે. બીજાં સાત તત્વે કર્મબંધન કેમ થાય રાને તેનાથી કેમ છૂટવું તેના નિદર્શક છે. ૧. જીવતત્ત્વ. જીવતત્ત્વને મૂળ ગુણ ચેતના છે. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, અનંત વીર્ય, અને અનંત સુખ એ ચાર જીવના ગુણ છે. પ્રત્યેક જીવ અલગ છે અને તે અનંતા છે. જીવ બે પ્રકારના છે. મુકત અને સંસારી. જે કર્મબંધને ઉછેદી જન્મ મરણથી મુકત થયા છે તે સિદ્ધાત્મા કહેવાય છે અને તે ઉપર કહેલા ચાર ગુણોથી યુકત હોય છે. જે જન્મમરણના ફેરાથી બંધાએલા છે અને મુકત દશાને નથી પામ્યા તે સંસારી જીવ. આ જીવ દેવ, મનુષ્ય, નારક અને તિર્યંચ એ ચાર ગતિમાં કર્મ પ્રમાણે જન્મ ધારણ કરે છે, આયુષ્ય પૂરું થયે મૃત્યુ પામે છે, અને ફરી નો જન્મ ધોરણ કરે છે. " ઇંદ્રિયની પ્રાપ્તિ પ્રમાણે જીવના પાંચ વિભાગ છે. આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શઆ પાંચે ઈંદ્રિ જેને પ્રાપ્ત થયેલી છે તે ઉચ્ચ ગણાય છે. અને જેને એક જ ઈંદ્રિય એટલે કે માત્ર સ્પર્શ ઇંદ્રિય હોય તે સૌથી નીચી કોટિના ગણાય છે. એકેન્દ્રિય જીવ હાલી ચાલી શકતા નથી, તેથી તે સ્થાવર કહેવાય છે. આ સ્થાવર જીવો પાંચ પ્રકારના છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય. માટી, જમીન, પથ્થર વગેરે, બધી જાતનું પાણી, જુદાજુદા પ્રકારને અગ્નિ, પવન અને હરેક પ્રકારની વનસ્પતિ, એ બધા તે તે પ્રકારના જીવોથી ભરેલાં છે. બેઈદ્રિય, ઇંદ્રિય, ચઉરિંદ્રિય અને પંચેન્દ્રિય જીવે હાલી ચાલી શકે છે એટલે તે ત્રસ જીવે કહેવાય છે. બે ઈંદ્રિય જીરે જેવાં કે કમિ–અળસિયા વગેરેને સ્પર્શ અને રસ એ બે ઇંદ્રિય છે. તે ઈન્દ્રિય જેવાં કે કીડી, માંડ,, જ વગેરેને સ્પર્શ, રસ, અને ધ્રાણ એ ત્રણ ઇંદ્રિય છે. ચઉરિંદ્રિય જેવા કે માખી, ડાંસ, મચ્છર, વીંછી વગેરેને ઉપરની ત્રણ સાથે ચક્ષુ મળીને ચાર ઇંદ્રિય છે. પંચેન્દ્રિય જીવોને વધારામાં પાંચમી શ્રોત્રેન્દ્રિય છે. પશુ, પંખી, મનુષ્ય, દેવ અને નારક એ પંચેન્દ્રિય જીવે છે. જૈન સિદ્ધાંત પ્રમાણે નરક સાત પ્રકારે છે. જે અત્યંત પાપ કરે છે તે નરક ગતિમાં જાય છે અને ત્યાં તેને અકલ્પનીય દુ:ખ સહન કરવો પડે છે. જે પુણ્યના કાર્યો કરે છે તે દેવલોકમાં જાય છે અને ત્યાં તેને અમર્યાદિત સુખ ભોગવવા મળે છે. બાર દેવક છે અને તે ઉપરાંત અનુત્તર વિમાનના દેવ અને નીચેની લેટિના દેવે છે. એ. ન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના જીવને મન હેતું નથી અને તે “અમનસ્ક” કહેવાય છે. પંચેન્દ્રિય જીવોને મન છે અને તે સમનસ્ક કહેવાય છે. જો કે આ પંચેન્દ્રિય જીવોના માનસિક વિકાસમાં જીવનમુજબ ઓછા વધતે એમ ઘણે તફાવત હોય છે. ૨. અજીવતત્વ. જીવ તત્ત્વથી ઉલટું તે અજીવ તત્ત્વ, એટલે કે ચેતના હિતનું તત્ત્વ, અજીવ તત્વના પાંચ પ્રકાર છે. ધર્મ, અધર્મ, અહિંસા, સંયમ અને તવરૂપી ધર્મ સર્વશ્રેષ્ઠ મંગળ છે. જે માનવીનું મન આ ધર્મમાં નિરન્તર લીન રહે છે તેને દેવતા પણ નમસ્કાર કરે છે.”

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262