Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Khushaldas Jagjivandas
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 12
________________ પિતાનું નામ “ચચ્ચ” અથવા “ચાચિગ અને માતાનું નામ “ચાહિણી” અથવા “પાહિણી” હતું. તેઓ ધંધુકાના વતની હતા. જાતે મોઢ વાણિયા હતા. પિતા શિવધર્મી હતા અને માતા જેનમતાનુયાયિની હતી. માતાપિતાએ પુત્રનું નામ ચંગદેવ રાખ્યું હતું. પુત્રનાં લક્ષણ પારણામાંથી જ જણાય છે” એ પુરાતન કહેવત અનુસાર બાળક ચંગદેવનું વર્તન પાસે રહેનારને એવું અનુમાન કરવા પ્રેરતું કે આ બાળક ભવિષ્યમાં જરૂર પ્રતિભાસંપન્ન પુરુષ થવો જોઈએ. એક વાર બાળક ચંગદેવ જ્યારે પાંચેક વર્ષનો થયે હશે, ત્યારે પૂર્ણતલ્લ ગચ્છના આચાર્ય દેવચંદ્રસૂરિ વિહાર કરતા કરતા ધંધુકામાં આવી પહોંચ્યા. જૈન સાધુઓના સામાન્ય ક્રમ મુજબ સૂરીશ્વર ત્યાં હમેશાં વ્યાખ્યાન આપતા. એક દિવસ વ્યાખ્યાન પૂરું થયે ચંગદેવ સૂરિ પાસે ગયો અને સંસાર સમુદ્ર તરવા માટે સુચારિત્રરૂપી નૌકા આપવાની” એમને વિનંતી કરી. સૂરિએ તેનું અને તેના માતાપિતાનું નામ પૂછ્યું. તે વખતે ચંગદેવને મામે નેમિ’ ત્યાં હો, તેથી તેણે સૂરિને ચંગદેવને પરિચય કરાવ્યું. શારીરિક લક્ષણેના જાણકાર સૂરિએ કહ્યું કે આ છોકરો અસાધારણ છે. જે તેનાં માતાપિતા અનુમતિ આપે તે, અમે તેને તેની ઈચ્છાનુસાર ચારિત્ર અંગીકાર કરાવીએ અને સકળ શાસ્ત્રોના પરમાર્થમાં અવગાહન કરાવીએ. અમને લાગે છે કે તે તીર્થકર જે પમેપકારક થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 216