________________
અત્યારે આપણી સમક્ષ આ૦ હેમચંદ્રના જીવન સંબંધી માહિતી આપતી નીચેના ની સામગ્રી મુખ્ય છે – ગ્રંથ
લેખક સંવત ૧. શતાર્થ કાવ્ય
) લઘુવયસ્ક સમકાલીન ૨. કુમારપાળ પ્રતિબંધ કે શ્રી સેમિપ્રભસૂરિ
વિ. સં. ૧૨૪૧ ૩. મહરાજપરાજય. મંત્રી યશપાલ. વિ. સં. ૧૨૨૯-૩૨ ૪. પુરાતનપ્રબંધસંગ્રહ. કર્તા અજ્ઞાત છે. ૫. પ્રભાવક ચરિત્ર. શ્રી પ્રભાચંદ્રસૂરિ. વિ. સં. ૧૩૩૪ ૬. પ્રબંધચિંતામણિ. શ્રી મેરૂતુંગાચાર્ય. વિ. સં. ૧૩૬૧ ૭. પ્રબંધકેશ. શ્રી રાજશેખરસૂરિ વિ. સં. ૧૪૦૫ ૮. કુમારપાલપ્રબંધ. ઉપાધ્યાય જિનમંડન. વિ. સં. ૧૮૯૨ ૯. આચાર્યના હૃદયનું પ્રતિબિંબ પાડતે તેમને જ અક્ષરદેહ. તેમાંથી તેમનાં ‘દ્વયાશ્રય કાવ્ય”, “સિદ્ધહેમ' વ્યાકરણની પ્રશસ્તિ અને “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાનું “મહાવીર ચરિત’ વિશેષ ઉલ્લેખનીય છે.
પ્રસ્તુત ચરિત્ર-ચિત્રણમાં ઉક્ત બધા ગ્રંથને સમીક્ષા ત્મક વિચાર કરવાને ઈરાદે નથી, પરંતુ તે ગ્રંથના સાર રૂપે વર્તમાન વિદ્વાનોએ જે કાંઈ સમીક્ષાત્મક લખાણ કર્યું છે તેને, વિદ્યાર્થી વર્ગને જલદી ગ્રાહ્ય થાય એવી રીતે, સંક્ષેપમાં આપવાને જ મારે આશય છે.
પ્રારંભિક જીવન આચાર્ય હેમચંદ્રને જન્મ વિ. સં. ૧૧૪૫ (ઈ. સ. (૧૮૮૯)ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે થયે હતો. તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org