________________
?
૧૩ માત્રાનું કારણ શું? (ર૧) પ્રત્યભિજ્ઞામાં અનુમાન વગેરેનો સમાવેશ કઈ રીતે થઈ શકે? (રર) તકનું સ્વરૂપ શું? (ર૩) વ્યાતિગ્રહમાં તેની જરૂરિયાત કઈ રીતે અને કેટલે અંશે છે? (૪) સામાન્ય લક્ષણો બાધ થવામાં અને શબ્દાર્થના વાગ્ય–વાચકભાવની સમજણ પાડવામાં કોની વિશેષ જરૂરિયાત પડે છે? (૨૫) તકતું સવતઃ પ્રમાણપણું કઈ રીતે સમજવું? (૨૬) અનુમાનના બે ભેદ કયા? (ર) સાધ્ય-પક્ષસિદ્ધિનું સ્વરૂપ શું? (૨૮) ક્ટાંતની જરૂરિયાત કઈ અપેક્ષાએ સમજવી? (૨૯) હેતુનું અને તેના વિધિસાધકપ્રતિષેધસાધક-ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ નામના ભેદનું સ્વરૂપ શું? (૩૦) અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈકાંતિક લેવાભાસનું સ્વરૂપ શું? (૩૧) આ ત્રણથી વધારે હત્વાભાસને નહિ માનવાનું શું કારણ? (૩૨) આગમ પ્રમાણનું સ્વરૂપ શું? (૩૩) અનુમાનથી આગમની જુદાઈ કઈ રીતે સંભવે? (૩) સપ્તભંગીનું સ્વરૂપ શું? (૩૫) તે પ્રસંગે સકલાદેશ, વિકલાદેશનું અને તેના કારણભૂત કાલ–આત્મસ્વરૂપ–અર્થ–સંબંધ-ઉપકાર–ગુણિદેશ-સંગશબ્દસ્વરૂપનું વરૂપ શું? આ પાંત્રીશ પ્રશ્નોના ખુલાસા પ્રથમ પ્રમાણ-પરિચછેદમાં ગ્રંથકારે જણાવ્યા છે. બીજા નથ-પરિચ્છેદમાં નયનું લક્ષણ અને તેના ભેદ બતાવવાના પ્રસંગે શબ્દની પંચતી પ્રવૃત્તિ કયા નયવાળ કઈ અપેક્ષાએ માનતો નથી તે વિસ્તારથી દર્શાવીને એપિત, અનપિત્ત, વ્યવહાર, નિશ્ચય, જ્ઞાનક્રિયા વગેરેનું ભેદપ્રદર્શનપૂર્વક સ્વરૂપ જણાવીને છેવટે નયાભાસને ટૂંકમાં સમજાવ્યા છે. ત્રીજા નિક્ષેપ નામના પરિરકેદમાં નામાદિ નિક્ષેપનાં સ્વરૂપ, ભેદ, રાજને દર્શાવીને દરેક નિક્ષેપ શું શું માને છે? તે જણાવીને તેને નયમાં ઉતાર્યા છે. નિપાની ઉત્પત્તિને પ્રકાર જણાવતાં જીવના પણ નિક્ષેપા જણાવ્યા છે. તો શારૂપી મહેલમાં ચઢવા માટે આ ગ્રંથ પગથિયા જેવું છે. મૂળ ગ્રંથ ૮૦૦ શ્લોકપ્રમાણુને છે. તે જે. ધ. પ્ર. સ. ભાવનગર તરફથી છપાયે છે. એમ સંભવી શકે છે કે જેમ બૌદ્ધ પતિ સાક્ષકારની “તકભાષા જઈને વૈદિક પંડિત કેશવમિત્રે સ્વમતાનુસારી તકભાષા” બનાવી, તેમ તે બને તકભાષાનું નિરીક્ષણ કરીને વાચકવયે આ ગ્રંથની રચના કરી હોય.
૭. ગુરૂતરત્રનિશ્ચય-મૂળ પ્રાકૃતગાથા ૯૦૫ છે અને તેની ઉપર વાચકવર પોતે જ સંસ્કૃત ગદ્યમાં ૭૦૦૦ (સાત હજાર) લેખ્રમાણ ટીકા બનાવી છે. મૂળમાં પ્રસરે વ્યવહાર ભાગ' વગેરે ગ્રંથની પણ ગાથાઓ ગોઠવી છે. એ પ્રમાણે ટીકામાં પણ તે તે ગ્રંથાના પ્રસંગને અનુસારે જરૂરી પાડે આપ્યા છે, એટલું જ નહિ પણ જ્યાં પિતાને જરૂર જણાય ત્યાં સ્પષ્ટીકરણ પણ કર્યું છે. ગુરુતત્વનું યથાર્થ નિરૂપણ કરવા માટે અહીં વિશાળ અધિકારસ્વરૂપ ચાર ઉલ્લાસની સંકલના કરી છે. તેમાં પહેલા ઉલ્લાસમાં(૧) શ્રી ગુરુમહારાજનો પ્રભાવ કે હાય છે? (૨) ગુરુકુલ વાસને પ્રભાવ શ? (૩) ગુરુ કેવા હોય? ( શ્રદ્ધાશુદ્ધભાવનાં કારણે કયાં કયાં હોઈ શકે? (૫) ભાવવૃદ્ધિ શાથી થાય? (૬) કેવળ નિશ્ચયવાદી સ્વમતના પોષણ માટે કઈ કઈ દલીલે રજૂ કરે છે? (૭) સિદ્ધાતી તે (નિશ્ચય)વાળું કઈ રીતે ખંડન કરે છે? આ સાતે પ્રશ્નોને સ્પષ્ટ ખુલાસે છે. બીજા ઉલ્લાસમાં – ગુરૂનું લક્ષણ જણાવતાં સદ્દગુરુ, વ્યવહાર, વ્યવહસ્તધ્ય, વ્યવહારના પાંચ ભેદ, પ્રાયશ્ચિત્ત, તેને લેવાને