Book Title: Yashodhar Charitra
Author(s): Ishwarlal Karsandas Kapadia
Publisher: Moolchand Karsandas Kapadia

View full book text
Previous | Next

Page 174
________________ - 163 જે દેવ શાસ્ત્ર ગુરૂને નિમિત્તે હિંસા કરે છે, તે શુભ નથી કેમકે ધમમાં દયા મુખ્ય છેએ સિવાય એમ પણ જાણવું કે જે પૂજ, પ્રતિષ્ટા, જિનાલય બનાવવું, સંઘ યાત્રા, ધર્મશાળા બનાવવી વગેરે સઘળાં કાર્ય ગ્રહોના છે, તે તે મુનિરાજ પોતે ન કરે, અને બીજા ‘પાસ ન કરાવે, અને તેને અનુમોદન પણ ન આપે કેમકે એ કાય હસ્થોના છે. જે પ્રમાણે શાસ્ત્રમાં એનું વિધાન બતાવેલું છે તે પ્રમાણે ગૃહસ્થ કરે, અને જે ગૃહસ્થ એના વિષે મુનિરાજને પ્રશ્ન કરે તો શ્રી મુનિરાજ પગ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઉપલા કાર્ય કરવાને તેમને જણાવે. આ પ્રમાણે કરવાથી તે કાર્ય સંબંધી હિંસા દોષ તે ગૃહસ્થોને જ લાગે છે, પરંતુ ઉપલા કાર્યોમાં જે જે શ્રદ્ધાન, ભકિત અને ધર્મની પ્રભાવના થાય તે સંબંધી જે પુણ્ય ઉત્પન્ન થાય તેના ભાગી યુનિરાજ પણ થશે; કેમકે હિંસા ગૃહસ્થોની છે, તેથી હિંસા સંબંધી દોષ ગૃપ ઉપરજ છે, અને ગૃહસ્થ પણ જે હિંસારૂપ અભિપ્રાય કરે તો તે અશુભ જ છે. જે પૂજા પ્રતિષ્ઠા વગેરે યત્નપૂર્વક કરે તો પણ તે કાર્યમાં જે હિંસા થાય તે ટળી શકતી નથી. જૈન * સિદ્ધાંતમાં પણ એવું વાક્ય કહ્યું છે કે “સાવાશે a g71 રા:” જેમાં પાપ થતું હોય અને પુન્ય વિશેષ હોય તે કાર્ય ગ્રહ-સ્થાએ કરવું યોગ્ય છે, માટે ગૃહસ્થો પણ માં લાભ વિશેષ હોય અને નુકશાન થતું હોય એવું કાર્ય જરૂર કરે, પણ આ રીત મુનિએની નથી, એ હેતુથી મુનિરાજ હિંસાના ફળથી રહિત છે.. - દેવ અને ગુરૂઓને નિમિત્તે હિંસાને આરંભજ જે ધર્મ માનવામાં આવે તો હિંસારહિત ધર્મ જે ભગવાને વર્ણવ્યા છે તે મિક થઈ જાય છે. .. . . . . . :- . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204