Book Title: Upsargahara Stotra Laghuvrutti Author(s): Purnachandracharya, Bechardas Doshi Publisher: Mohanlal Girdharlal Shah Bhavnagar View full book textPage 3
________________ ~ ~ ~ ~ પ્રસ્તાવના, આ નાના પુસ્તકમાં એક સાથે ત્રણ કૃતિઓની ત્રણ કૃતિઓ આવેલી છે–પહેલી કૃતિ ઉપસર્ગહરસ્તોત્ર (ઉવસગ્ગહર), બીજી કૃતિ તે ઉપરની ટીકા અને ત્રીજી કૃતિ પ્રિયંકરનૃપ કથા અથવા ઉપસર્ગહરસ્તોત્રપ્રભાવિની કથા છે. આ ટુંકી પ્રસ્તાવનામાં પણ એ ત્રણે કૃતિઓના કર્તા સંબંધે ઇતિહાસની દષ્ટિએ યથાપ્રાપ્ત વિચાર કરવાને છે અને તે આ પ્રમાણે છે:' ઉપસર્ગહર તેત્ર–વૃત્તિકાર પિતાની વૃત્તિમાં આ સ્તોત્રના કર્તા વિષે કોઈ પ્રકારને નામગ્રાહ ઉલ્લેખ કરતા નથી, પંતુ કથાકાર મહાશય જણાવે છે કે – __ 'उपसर्गहरस्तोत्रं कृतं श्रीभद्रबाहुना । ज्ञानादित्येन संघाय शान्तये मङ्गलाय च ॥ उवसग्गहरं थुत्तं काऊणं जेण- संघकल्लाणं । करुणायरेण विहियं स भद्दबाहू गुरू जयउ ॥ આ ઉપરથી અને સંપ્રદાયના પ્રવાદ ઉપરથી ઉપસર્ગહરતેત્રના કર્તા શ્રી ભદ્રબાહસ્વામી લાગે છે. ભદ્રબાહું નામના આચાર્યો એક કરતાં વધારે થએલા છે, તેથી આ કૃતિ કયા ભદ્રબાહુની છે? એ પ્રશ્નનો નિવેડો લાવી શકાતું નથી. એક ભદ્રબાહુ તે વીરા બીજા સૈકામાં થએલા છે. તે વિષે આચાર્ય હેમચંદ્રજી જણાવે છે કે वीरमोक्षाद् वर्षशते सप्तत्यग्रे गते सति । भद्रबाहुरपि स्वामी ययौ स्वर्ग समाधिना ॥ ૧ જૂઓ પ્રિયંકરતૃપકથાની શરૂઆત પાને ૮. ૨ જૂઓ પરિશિષ્ટ પર્વ સર્ગ - ૧૧૨. ~ ~* ~ ~~ ~ ~૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 116