Book Title: Sati Malayasundari Charitra
Author(s): Jaytilaksuri, Vijaysadgunsuri
Publisher: Sadgun Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 175
________________ સતી મલયસુંદરી બલસારને કુટુંબ સહિત જેલમાં પૂર્યા બાદ તેની માલ મિલક્ત જપ્ત કરતાં અઢળક નાણું રાજ્યની તીજોરીમાં જમા થયું. દશ મોટા વહાણે જેમાં વિવિધ કરીયાણુ ભર્યા હતા તે પણ લાખોની કિંમતના હતા. કે જેલના સળિયા પાછળ કદર્થના પામતે બલસાર વિચારતે હતો: “ઓહ! કરેલાં કર્મ ઉદયમાં આવ્યા, એ સતિ નારીને સતાવ્યાનું આ ફળ! પણ હવે મારે છુટકારો કઈ રીતે થાય? એ સામાન્ય વેપારી ન હતે. મોટા રાજાઓ. - સાથે એને બેઠક હતી. એને યાદ આવ્યું. રાજાએ જે મિલકત જપ્ત કરી તે સિવાય પણ બીજી ગુપ્ત મિલકત જે પિતેજ - જાણે છે તે બચી છે. તેમાંથી કંઈક ઉપાય કરું. આમ વિચારતાં તેને રાજા વીરધવલ અને રાજા સુરપાલ યાદ આવ્યા! જે તેના મિત્ર સમાન હતા. એ જ આ સંકટમાંથી મને બચાવી લેશે એ જ આ સિદ્ધરાજની સાન ઠેકાણે લાવશે. એણે પોતાના એક વિશ્વાસુ મિત્ર સેમચંદ્રને ગુપ્ત પત્ર લખ્યો અને તેમાં લખ્યું કે “મારી ગુપ્ત મિલકતમાંથી આઠ લાખ સોના મહોર અને આઠ લક્ષણવંત હાથી લઈને જા અને રાજા વીરધવલ તથા રાજા સુરપાલને તે ભેટ આપજે અને મને આ દુષ્ટ રાજાએ જેલમાં પૂર્યો છે તે બધી વાત કરી સહાય માંગજે” બલસારને ખબર ન હતી કે વીરધવલ આ રાજાને સસરે છે અને સુરપાલ એને પિતા છે. ડુબતે તણખલું પકડે તે એને ઘાટ થયો. બલસારના હુકમ મુજબ તે સમચંદ્ર રાજા વરધવલ પાસે ઊપડ્યો. એ દડમજલ કરતા ચંદ્રાવતી આવ્યા ત્યારે તેને ખબર પડી કે રાજા વીરધવલ ભીલ પલ્લીપતિને શિક્ષા કરવા રૌદ્રવનમાં ગયા છે. તે રૌદ્રઅટવી તરફ ઉપડયા. P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205