Book Title: Sati Malayasundari Charitra
Author(s): Jaytilaksuri, Vijaysadgunsuri
Publisher: Sadgun Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 198
________________ પૂર્વભવ 185 અહીં તે ન્યાયનીતિપૂર્વક રાજ્ય પાલન કરતે. શ્રદ્ધાવતને પાળતે તથા નૂતન મંદિરો બંધાવતે ધર્મ હતો, સાધુસંતેની વિશેષ ભક્તિ કરતો વિચરતો હતો. - અનુક્રમે મલયસુંદરીએ બીજા કુમારને જન્મ આપે. તેનું નામ સહસ્ત્રબળ રાખવામાં આવ્યું. એના જન્મની ખુશાલીમાં શાહીનોબત વાગવા લાગી. જે પુણ્યવંતને ત્યાં સદાય ધર્મવૃદ્ધિ હોય ત્યાં સમૃદ્ધિની વૃદ્ધિ કેમ ન હોય ? વૈરાગ્યવાસી મહાબલ EssaહSSSB3E335 335 333 334 335 33[] સુખ અને દુઃખનાં બે ચક છે. એક ચક પૂર્ણ થાય ત્યાં બીજા ચકને ઉદય થાય છે. સંસારના ક્ષણિક સુખ એવા છે કે માનવી એમાં ગરકાવ થઈ જાય પછી તેને પોતાના હિતનું–કર્તવ્યનું ભાન રહેતું નથી...દુઃખ પચાવવું સહેલું છે. સુખ જ અઘરૂં છે. મહાબલકુમારના દુઃખના દિવસે ગયા. સુખનો સૂર્યોદય છે. આ રીતે તે ભોગસુખમાં જે કે મગ્ન થયા પણ ગુરૂએ આપેલા કર્તવ્યના પાઠ તે વિસરતો ન હતો. સુશીલ પ્રેમાળ રાણી મલયસુંદરી, બન્ને નેહવત કુમારો, અને પ્રજાની પરમ પ્રીતિ–આમ એ સુખસાગરની ભરતીમાં પણ ધર્મની નાવને તે ભૂલ્યો નહિ. દનિક ધર્મકર્મ તે તે કરતો જ હતો. વ્યંતરની મદદથી નવીન મંદિર નિર્માણ કરાવતો અને સાધુ સંતોની ભક્તિ કરાવતો. પાણીના પ્રવાહ માફક આમ એના ઘણા વર્ષો રાજ્યપાલનમાં વ્યતીત થઈ ગયા. એકદા તે વૈરાગ્યરસમાં ઝલતે સંસારના કાદવનો વિચાર કરતો હતે....કે હવે આ ભેગના P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205