Book Title: Sati Malayasundari Charitra
Author(s): Jaytilaksuri, Vijaysadgunsuri
Publisher: Sadgun Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 199
________________ 186 સતી મલયસુંદરી કાદવમાંથી ક્યારે છું! ત્યાં વનપાલકે વધામણી આપી“રાજન! ઉદ્યાનમાં ગુરૂમહારાજ પધાર્યા છે.” હીને તે સ્મરણ કરતાં ભાગ્યશાળી જ દેખે.” પુણ્યશાળીને મોરથ થાય અને સિદ્ધિ તુરત ઉત્પન્ન થાય, એવી વાત મહાબલ રાજાને થઈ. વધામણી આપનાર વનપાલકને રાજાએ ઘણું ઈનામ આપ્યું અને પોતે તથા રાણી મલયસુંદરી તથા રાજકું ટબ તથા પ્રજાજને સપરિવાર, નિશાનડિકાયુક્ત ગુરુમહારાજને વંદના કરવા ચાલ્યો. તેણે ગુરુની સમક્ષ વંદન કરી. ગુરુની દેશના શ્રવણ કરી. આત્મા ઉન્નતિની પગથારે ચડવા, તરવા કાજે તે તૈયાર થયો ત્યાં આ નાવ મલી. તેણે વૈરાગ્યમય દેશના સાંભળી તુરત પિતાના મહેલે આવી મલયસુંદરીને કહ્યું “પ્રિય ! હવે આ સર્વ સંસારના વાઘા ઉતારવાની વેળા આવી ગઈ છે. ભેગના કીચડમાં સબડવું હવે જરાય શેઠતું નથી, તમારે શું વિચાર છે ?" “નાથ ! હું તે આ બંધનને કયારનાય તેડવાના વિચાર કરતી હતી. આપની મરજીની જ રાહ જોતી હતી.” બનેએ સંયમના ભાવ જાહેર કર્યા. બને પુત્રોએ, તેમને સ્નેહવશે રોકવા ઘણો આગ્રહ કર્યો પણ જેને આ સંધ્યાના રંગમાં રાચવું નથી તેને કેણ રોકનાર છે ? પૃથ્વીસ્થાનપુરનું રાજ્ય સહસ્ત્રબળને-સાગર તિલકુનું રાજ્ય શતબળને પી દીધું. અને પુત્રાએ માતા. પિતાને અપૂર્વ દીક્ષા–મહોત્સવ કર્યો. અનેક સ્ત્રીઓ સહિત રાણી મલયસુંદરી તથા અનેક પુરુષેયુક્ત મહાબલે સિંહની જેમ ચારિત્રરત્નને અંગીકાર કર્યું. સંયમના કત વાઘામાં શુભતા મહાબલ મુનિ અને સાધ્વી. મલયસુંદરીશ્રીને દેખી પુત્રપરિવાર અને પ્રજાજનોની આંખડી ભી જાણી.... નૂતન રાજા પ્રજાએ નૂતન મુનિવરે તથા નૂતન. સાથ્થીગણની જય પુકારી. જૈન શાસનને જય જયકાર થયે.. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205