Book Title: Sati Malayasundari Charitra
Author(s): Jaytilaksuri, Vijaysadgunsuri
Publisher: Sadgun Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 181
________________ સતી મલયસુંદરી પાછું હતું ગયું તેમ સામે પક્ષે વિજય વરવા તે સૈન્ય આગળ વધતું ગયું. પિતાના સૈન્યને પાછું હતું જઈ રણુરંગ હાથી પર બેઠેલે રાજા સિદ્ધરાજ સિંહનાદ કરતે, પિતાના સૈનિકોને સ્થિર કરતે, સામે સૈનિકોને ત્રાસ આપતો મોખરા પર આવી લડવા લાગે. સિદ્ધરાજને સન્મુખ આવ્યો જાણી રાજા વીરધવલે અને રાજા સુરપાલે પિતાને હાથી તેની સન્મુખ લાવી બાણોથી તે લડવા લાગ્યા. આખરે સામે પક્ષ અજેય જણાતાં સિદ્ધરાજે વ્યંતર દેવનું સ્મરણ કર્યું. તુરત તે વ્યંતરદેવ હાજર યઃ સિદ્ધરાજની આજ્ઞા થતાં જ તે સામા પક્ષના બાણ માર્ગમાંથી જ હરી લેવા માંડે. આ બાજુ સિદ્ધરાજના બાણથી ત્રાસી સામા પક્ષના સુભટો ભાગવા લાગ્યા. એક તે બળવાન, યુવાન અને વ્યંતરની સહાય. સિદ્ધરાજનું જેર એકદમ વધી ગયું. અને તેણે ક્ષણવારમાં બન્ને રાજાના મુગટ, ગદા, ચામર, ધ્વજા, અને છત્ર બાણથી ઉડાવી દીધા. એટલું જ નહિ તેણે રાજાના રક્ષકેના શસ્ત્રો પણ હાથમાંથી ઉડાડી દીધા. જેમ ચંદ્રને ઉદય થાય અને ગુરુ અને શુકનાં તેજ હરાઈ જાય તેમ તે અને રાજા નિસ્તેજ થયા. બને લજજાથી અધોમુખ જોઈ રહ્યા. એ સમયે પૂર્વની ગોઠવણ પ્રમાણે રાજા સિદ્ધરાજે વ્યંતર દેવની સહાયથી એક બાણ મૂકયું. તેમાં ચિઠી મૂકી હતી તે બાણ દેવ-સહાયે બને રાજાને પ્રદિક્ષણ દઈ રાજા સુરપાલના ચરણ પાસે ચીઠી મૂકી સિદ્ધરાજ પાસે ચાલ્યું ગયું. આવું કૌતુક જોઈ સૈનિકે તુરત રાજા સુરપાલ પાસે આવ્યા. રાજા સુરપાલે પણ તે પત્ર મોટેથી વાંચવા માંડે. “શ્રીમાન P.P. Ac. Gunratnasuri Nue.Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205