________________
૧૦
સરળ ગુજરાતી વ્યાકરણ
માનવી તો બે જગતમાં વસે છે : બાહ્ય જગત અને આંતર જગત. બાહ્ય જગત સાથે તે આ પ્રકારની સંજ્ઞાઓથી ફામ લઈ શકે, પણ આંતર જગત સાથે કામ લેવું મુશ્કેલ છે. આંતર જગતમાં જન્મતાં વિચારલાગણીને અભિવ્યક્ત કરવા માટે આ શારીરિક સંજ્ઞાઓ અપૂરતી છે. સંજ્ઞા તો એવી હોવી જોઈએ કે તે વધુ ને વધુ સરળ, સ્પષ્ટ, સૂક્ષ્મ અને વ્યાપક હોય. સંજ્ઞાના આ ચાર ગુણોને સહારે માનવીની અભિવ્યક્તિ અને તેનું સંક્રમણ સારી રીતે થઈ શકે છે. ભાષા એ સંકેતોની યોજના છે. આ સંકેતો સરળ, સ્પષ્ટ, સૂક્ષ્મ અને વ્યાપક છે. આને લીધે આપણા સૌના વિચારોના વિનિમયનું તે અમૂલ્ય સાધન બની રહે છે. આ કારણે સૅપિરે (Sapir) યોગ્ય જ કહ્યું છે :
"Language is primarily a system of phonetic symbols for the expression of commuricable thoughts and feelings." એટલે પિરના મત મુજબ ‘માનવીના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવાની ધ્વનિરૂપ વ્યવસ્થા તે ભાષા.’
પ્રો. સ્તુર્તવાં (Sturtvant) ભાષાને ‘યાદચ્છિક ધ્વનિરૂપ સંજ્ઞાઓની વ્યવસ્થા’ તરીકે ઓળખાવે છે. પ્રો. સ્તુર્તવાંના શબ્દોમાં કહીએ તો ‘A Language is a system of arbitrary vocal symbols by which members of social group co-operate and interect.'
પ્રો. સ્તુર્તવાંની વ્યાખ્યાને વિગતે તપાસીએ.
ભાષા એ યાદૈચ્છિક ધ્વનિરૂપ સંજ્ઞાઓની વ્યવસ્થા છે. દરેક ભાષાને પોતપોતાની આગવી ધ્વનિવ્યવસ્થા હોય છે. દરેક ભાષામાં ધ્વનિઓ અમુક ક્રમમાં, અમુક યોજનામાં આવતા હોય છે અને એમાં વ્યવસ્થા હોય છે. પરિમિત ઘટકો દ્વારા આપણે ભાષામાં વ્યવહાર કરીએ છીએ. એ ઘટકોનું સ્વરૂપ કઈ જાતનું છે, એ ઘટકો કયા પ્રકારના છે તેનો અભ્યાસ કરવો જોઈએ. એક ભાષાનો Marginal Sound બીજી ભાષાનો Marginal Sound ન પણ થાય. ભાષા ગળામાંથી ઉત્પન્ન થયેલ કોઈ પણ પ્રકારના ધ્વનિઓની વ્યવસ્થા છે. વાચિક ધ્વનિઓથી ગમે તેમ બોલાએલા કે ઉચ્ચારાએલા શબ્દોમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે ભાષા બને નહિ. વ્યવસ્થા એ માટે