________________
૫. સમાસ આપણા લખાણને ટૂંકું અને સચોટ બનાવવાના ઉદેશથી આપણે સમાસનો ઉપયોગ કરીએ છીએ.
બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક આખો શબ્દ બને તેને સમાસ કહે છે. સમાસના બહુવ્રીહિ, અવ્યયીભાવ, દ્વન્દ્ર, તપુરુષ, કર્મધારય, દ્વિગુ વગેરે પ્રકારોને આપણે સમજીએ. ૧. બહુવતિ સમાસ :
નીચેના સમાસો જુઓ : કમળનયન : કમળ જેવાં નયન શ્વેતાંબર : શ્વેત (સફેદ) અંબર (વસ્ત્ર) વજહૃદય : વિજ જેવું હૃદય આ સમાસોમાં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય છે. એટલે તે કર્મધારય સમાસ છે. બહુવ્રીહિ સમાસમાં પણ પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે. એટલે ઉપરના શબ્દોને બહુવ્રીહિ સમાસમાં મૂકી શકાય. ફેર માત્ર એટલો કે કર્મધારય સમાસ હંમેશાં નામ (સંજ્ઞા) તરીકે જ આવે છે. જ્યારે બહુવ્રીહિ સમાસનો પ્રયોગ હંમેશાં વિશેષણ તરીકે થાય છે. દા.ત. નીચેના વાક્યો જુઓ :
તેણે નાહીને શ્વેતાંબર ધારણ કર્યા.
શ્વેતાંબર જૈન મૂર્તિને પૂજે છે. પહેલા વાક્યમાં “શ્વેતાંબર’ સમાસ નામ (સંજ્ઞા) તરીકે આવે છે અને બીજા વાક્યમાં એ જ શબ્દ વિશેષણ તરીકે આવે છે. પહેલા વાક્યમાં એનો વિગ્રહ ‘શ્વેત (સફેદ) અંબર (વસ્ત્ર)' એવો થાય છે.
જ્યારે બીજી વાક્યમાં “શ્વેત છે અંબર જેનાં એ એવો થાય છે. આમ, સમાસના નામ કે વિશેષણ તરીકે થયેલ પ્રયોગ પરથી તેને અનુક્રમે કર્મધારય કે બહુવ્રીહિ તરીકે ઓળખી શકાય છે.
બહુવ્રીહિ શબ્દ જ આ સમાસનું દૃષ્ટાંત છે. બહુ છે વ્રીહિ (ડાંગર) જેને એમ એનો વિગ્રહ થાય છે. .
૩૬