________________
૩૮
આવ્યાં છે. આ પ્રકારને પ્રાદિ બહુવ્રીહિ કહે છે. નીચેનાં દૃષ્ટાંતો જુઓ : સહેતુક : હેતુ છે જેની સાથે તે. સહકુટુંબ : કુટુંબ છે જેની સાથે તે. સતેજ : તેજ છે જેની સાથે તે.
આ રીતે જેનું પૂર્વપદ ‘સ’ કે ‘સહં હોય તેને સહબહુવ્રીહિ કહે છે. મારામારી, ધક્કામુક્કી, હોંસાતૂસી, દોડાદોડી, તડાફડી, બાથુંબાથા. રોકકળ, હસાહસ, નાસાનાસ વગેરે શબ્દો ક્રિયા વારંવાર થતી બતાવે છે. આ સમાસોને કર્મવ્યવહાર બહુવ્રીહિ કહે છે.
કહે છે.
સરળ ગુજરાતી વ્યાકરણ
સમશીતોષ્ણ : સરખાં છે શીત અને ઉષ્ણ જેમાં તે. દ્વિતીયકર્મપ્રધાન : બીજું કર્મ છેં જેમાં પ્રધાન (મુખ્ય) તે. ઉભયપદપ્રધાન : ઉભય પદ છે જેમાં પ્રધાન (મુખ્ય) તે. આ સમાસોમાં ત્રણ પદ આવેલાં છે. માટે તેને ત્રિપદી બહુવ્રીહિ
૨. અવ્યયીભાવ :
નીચેના સમાસોના પૂર્વપદ જુઓ : : અર્થ પ્રમાણે
યથાર્થ
આજીવન : જીવન સુધી ઉપરવાડ : વાડ ઉપર
અધોમુખ : મુખ નીચું રાખીને
અહીં પૂર્વપદમાં ‘યથા’, ‘આ’, ‘ઉપર’, ‘અધો' જેવા અવ્યયો છે. આ અવ્યય જ સમાસમાં મુખ્ય હોય છે. તેની અસર સમસ્ત પદ ઉપર એવી પડે છે કે આખા સમાસને તે અવ્યય બનાવી દે છે. એટલે આવા સમાસને અવ્યયીભાવ કહે છે.
અવ્યયીભાવ સમાસમાં કેટલીક વાર
(૧) ઉપરનાં ઉદાહરણોમાં છે તેમ પૂર્વપદ અવ્યય અને ઉત્તરપદ નામ (સંજ્ઞા) હોય છે. પ્રતિપળ, નિરંતર, દરરોજ વગેરે તેનાં બીજાં દૃષ્ટાંતો છે.
(૨) પૂર્વપદ અવ્યય અને ઉત્તરપદ વિશેષણ હોય છે. દા.ત.