________________
૧૧. પર પ્રત્યયઃ તદ્ધિત અને કૃત્ પ્રત્યય તદ્ધિત પ્રત્યય :
નામ, સર્વનામ, અવ્યય અને વિશેષણની પાછળ જે પ્રત્યયો લગાડવામાં આવે છે તેને તદ્ધિત પ્રત્યય કહે છે. તેઓ પાછળ લાગતા હોવાથી પર પ્રત્યય તરીકે પણ ઓળખાય છે. ડૉ. કાન્તિલાલ બ. વ્યાસ જણાવે છે કે “તદ્ધિત એટલે “તતું – “તદ્ સર્વનામનું વિભક્તિ પ્રત્યયવાળું રૂપ (અર્થાત્ નામ, સર્વનામાદિકનાં રૂપ), તેને “ટિત' - યોગ્ય લાગુ પાડી શકાય તેવા (પ્રત્યય). ટૂંકમાં, નામાદિક પદોને લાગતાં પ્રત્યય તે તદ્ધિત. આ પ્રત્યયો ક્રિયાપદ(ધાતુ)ને લાગતા પ્રત્યયોથી ભિન્ન છે.'
આ પ્રત્યયોને ત્રણ વિભાગમાં વહેંચી નાખવામાં આવે છે (૧) સંસ્કૃત પ્રત્યય, (૨) સંસ્કૃતમાંથી પરિવર્તન પાર્મેલા પ્રત્યય અને (૩) અરબીફારસી જેવા પરદેશી પ્રત્યય. આ ત્રણે વિભાગના પ્રત્યયો ગમે તે શબ્દને લાગુ પડતા નથી. તેને માટે ચોક્કસ નિયમો છે. અને એ નિયમો પ્રમાણે પ્રથમ વિભાગના પ્રત્યયો સંસ્કૃત તત્સમ શબ્દોને લગાડવામાં આવે છે. બીજા વિભાગના પ્રત્યયો તદુભવ શબ્દોને લાગુ પડે છે.
તદ્ધિત પ્રત્યયના પ્રકારો નીચે પ્રમાણે છે : (૧) સંબંધવાચક :
આ પ્રકારના પ્રત્યય દ્વારા સંબંધ ફુટ થાય છે.
(ગ) રૂચ : મદીય (મારું), ત્વદીય (તા), પર્વતીય, રાજકીય, આચમનીય
(વ) : નૈવેદ્ય, અર્થ, પાદ્ય, વધ્ય
(5) મ : પાર્થિવ. ચાન્દ્ર (ચંદ્રને લગતો), વૈદર્ભ (વિદર્ભનો રાજા), સાર્વભૌમ (સર્વ ભૂમિનો = ઈશ્વર)
(૩) રૂાઃ લૌકિક (લોકોને લાગુ પડતું), આહ્નિક (દિવસને લગતું), પારલૌકિક, આધ્યાત્મિક, માનસિક, સામાજિક (સમાજ સંબંધી), શારીરિક (શરીર સંબંધી).
(ડું) રૂથ: રાષ્ટ્રિય, શ્રત્રિય * જુઓ ડૉ.કાન્તિલાલ બ. વ્યાસકૃત ‘ગુજરાતી ભાષા', પૃ. ૧૭ર
૭૦