________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૦૧ આવી શકે છે. નહિ પણ ક્રિયાપદની પહેલાં આવી શકે છે; જેમકે, ૧. એ સભામાં રોજ જાય. (વિધિવાક્ય)
એ સભામાં રોજ ન જાય. (નિષેધવાક્ય) ૨. આજે વરસાદ પડ્યો. ( વિધિવાક્ય)
આજે વરસાદ પડ્યો નહિ. (નિષેધવાક્ય)
ન હતો નું “નહોતો થાય છે અને “નહોતો સહાયકારક ક્રિયાપદ તરીકે હોય ત્યારે મુખ્ય ક્રિયાપદની આગળ તેમજ પાછળ બંને રીતે આવી શકે છે; જેમકે, ૧. એ દોડી શકતો હતો. (વિધિવાક્ય).
એ દોડી શકતો નહોતો. (નિષેધવાક્ય)
એ દોડી નહોતો શકતો. (નિષેધવાક્ય) ૨. હું એ કામ કરવા માગતો હતો. (વિધિવાક્ય)
હું એ કામ કરવા માગતો નહોતો. (નિષેધવાક્ય)
હું એ કામ કરવા નહોતો માગતો. (નિષેધવાક્ય) વિધિવાક્યમાં નું (છું છે. છો, છીએ પૈકી) કોઈ રૂપ હોય તો નિષેધવાક્યમાં તેની જગ્યાએ ‘નથી મુકાયે; જેમકે,
૧. તે પુસ્તકો કામનાં છે. (વિધિવાક્ય)
તે પુસ્તકો કામનાં નથી. (નિષેધવાક્ય) ૨. તમે જમ્યા છો ? (વિધિવાક્ય)
તમે જમ્યા નથી ? (નિષેધવાક્ય) -
અત્યાર સુધી આપણે વિધિવાક્યને નિષેધવાક્યમાં ફેરવતી વખતે ફક્ત હકારાત્મક અર્થને નકારાત્મક અર્થમાં બદલ્યો અને એમ કરતાં મૂળ વાક્યનો અર્થ બદલાઈ જાય છે, એ જોયું. પરંતુ વાક્ય-રૂપાન્તરના નિયમ પ્રમાણે વિધિવાક્યને નિષેધવાક્યમાં ફેરવવું હોય તો મૂળ અર્થ કે ભાવ બદલાય નહિ તે ધ્યાનમાં રાખવું પડે છે. '
- નીચેનાં વાક્યોને નિષેધવાક્યમાં કેવી રીતે ફેરવ્યાં છે તેનો અભ્યાસ કરો :
૧. તમે સાચું બોલો છો. (વિધિવાક્ય) •