________________
૨૬
સરળ ગુજરાતી વ્યાકરણ અનુસ્વાર કે વિસર્ગ સીધેસીધા લંજન પછી આવી શકતા નથી. અનુસ્વાર સ્વરની પછી કે વ્યંજનમાં સ્વર ઉમેરાયા પછી આવે છે. દા.ત. સંપત્તિ, સુંદર, સ્વરની પછી (અનુ” એટલે પછી કે પાછળ ) એનો ઉચ્ચાર થાય છે માટે તે અનુસ્વાર કહેવાય છે. સંસ્કૃત શબ્દોના અનુનાસિકોની જગ્યાએ ગુજરાતીમાં ઘણુંખરું આગલા સ્વર પર અનુસ્વાર લખવામાં આવે છે. દા.ત. સંસ્કૃતમાં – સમ્પત્તિ, સુર. પણ ગુજરાતીમાં - સંપત્તિ, સુંદર, ગુજરાતીમાં પણ સંસ્કૃતની જેમ સમ્પત્તિ કે સુન્દ્રા લખીએ તો તે ખોટું નથી.
વિ (વિશેષ) + સુજુ (છોડવું) મળીને વિસર્ગ શબ્દ બન્યો છે. જેનો ઉચ્ચાર કરતાં શ્વાસને વિશેષ છોડી દેવામાં આવે છે તે વિસર્ગ. વિસર્ગ એકલા સ્વર પછી આવી શકતો નથી, પણ વ્યંજન સાથે મળેલા સ્વર પછી જ આવે છે. દા.ત. મનઃસૃષ્ટિ, દુઃખ. ૨. સ્વર :
સ્વરના મુખ્ય બે પ્રકાર છે. હ્રસ્વ અને દીર્થ.
અ, ઇ. ઉં, ઋ – આ ચાર સ્વરનો ઉચ્ચાર હ્રસ્વ (ટૂંકો) છે માટે તે હ્રસ્વ સ્વર કહેવાય છે.
આ, ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ – આ સાત સ્વરનો ઉચ્ચાર દીર્ઘ (લાંબો) છે માટે તે દીર્ઘ સ્વર કહેવાય છે.
* આ સ્વરોમાંના એ. એ. ઓ. ઔ - આ સ્વતંત્ર સ્વર નથી. પણ જુદા જુદા સ્વરની મેળવણીથી બન્યા છે. અં કે “આ ની સાથે ‘ઈ’ કે ‘ઈ’ મળતાં “એ'; “અં કે “આની સાથે “એ” મળતાં ઐ; “અ કે “આની સાથે ઉ’ કે ‘ઊ મળતાં ‘ઓ'; “અ” કે “આની સાથે ‘ઓ મળતાં ‘ઓ થાય છે. એટલે એ “સંયુક્ત દીર્ધસ્વર' નામથી પણ ઓળખાય છે. - આ ચાર (એ, ઐ, ઓ, ઔ) અને બીજા ત્રણ આ, ઈ. ઊ મળી સાત સ્વર માટે (સાધિત અથવા) સંધિસ્વર એવો શબ્દપ્રયોગ પણ થાય છે. જે સ્વર મૂળ સ્વર ઉપરથી સાબિત થયેલા (એટલે કે બનેલા) હોય તે સાધિત સ્વર. પહેલા ચાર સ્વર કયા કયા સ્વર જોડાઈને બનેલા છે તે આપણે ઉપર જોયું છે. બાકીના આ. ઈ. ઊ એ ત્રણ સ્વર અ, ઇ.