________________
સરળ ગુજરાતી વ્યાકરણ
સંઘર્ષી ઘોષ અને અઘોષ બંને પ્રકારના હોઈ શકે. ‘ક્’ ઘોષ સંઘ
છે, જ્યારે ‘વ્’ અઘોષ સંઘર્ષી છે.
પાર્થિક (Laterals) : જીભ ઉપરના તાળવાને અડકી હવાને રોકવાનો પ્રયાસ કરે છે. આ દરમ્યાન જીભની એક કે બંને બાજુ પરથી હવા પસાર થઈ જાય છે. બહાર જતી હવા જતાં જતાં ઘર્ષણ ઉત્પન્ન કરે છે. હવાનું ઘર્ષણ સંઘર્ષી ધ્વનિઓમાં હોય છે તેટલું તીવ્ર હોતું નથી. . આવા ધ્વનિને પાર્થિક ધ્વનિ કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં પાર્થિક ધ્વનિઘટકો બે છે પાર્થિક ‘લૂ’ કૃત્ય : અને મૂર્ધન્ય પાર્થિક ‘ગૂં’. ‘લ’ ઉક્તિના આદિ, મધ્ય અને અંત એમ ગમે તે સ્થાનમાં આવી શકે છે જ્યારે 'ળ'ની ઉપસ્થિતિ પર એક નિયમન છે. તે ઉક્તિના આદિ સ્થાનમાં આવી શકતો નથી, અર્ધસ્વર ‘ય’ની હાજરીમાં તેનું કાલમાન અર્ધું હોઈ શકે છે જ્યારે તે બેવડો આવી શકતો નથી.
૨૨
પ્રકંપી (Thrill) : જીભનો થોડો ભાગ ઊંચો થાય છે તેથી બહાર નીકળતી હવા સહેજ કંપિત થાય છે, રોકાતી નથી. ગુજરાતી ‘૨’ થડકારાવાળો છે.
આ વર્ગમાં ગુજરાતી ભાષાના બે ધ્વનિઘટકો છે ઃ ‘૨’ અને ‘’. ફૂ’એ ‘ડ’નો એક ભિન્ન આવિષ્કાર છે. બે સ્વરની વચ્ચે તેની ઉપસ્થિતિ કળી શકાય છે. ઉક્તિના આદિસ્થાનમાં તે આવી શકતો નથી. ‘દડો’, ‘ઘોડો’ વગેરેમાં તે બોલાય છે.
અનુનાસિકો : મુખ વાટે બહાર આવતી હવા બે ભાગમાં વહેંચાઈ જાય છે. હવાનો એક જથ્થો મુખ વાટે બહાર આવે છે અને બીજો જથ્થો નાક વાટે બહાર આવે છે. અનુનાસિકને ઘોષ-અઘોષનો ભેદ લાગી શકે નહિ.
ગુજરાતીમાં અનુનાસિકના ચાર ધ્વનિઘટકો છે ઃ પરંપરાથી મુકાતું અનુનાસિક બિંદુ. ‘ણ' : મૂર્ધન્ય, ‘ન' : દંત્ય અને ‘મ' : ઓબ્લ્યૂ.
ગુજરાતી ભાષામાં અનુનાસિકની સ્થિતિ વિશિષ્ટ છે. બધા અનુનાસિકો સ્થાનીય વ્યંજનો છે. હવાના એક જથ્થા પર જુદા જુદા સ્થાન પર અવરોધ કરવાથી આમ બને છે. બધા અનુનાસિકોની