________________
(૨૪) શિષ્યને પોતે ભણાવી ન શકે તેવા સંયોગમાં યોગ્ય સંયમી
પાસે ભણાવવા માટેની તૈયારી જોઈએ.
આ ચોવીશ બાબતમાં જે વ્યવસ્થિત બને તેમાં નૈૠયિક ગુરુતત્ત્વ પ્રગટ થાય- તેવી પ્રબળ સંભાવના રહેલી છે. તેવા ગુરુ પ્રત્યે યોગ્ય શિષ્યમાં ઉત્કૃષ્ટ સમર્પણ ભાવ જાગે અને આ રીતે તેવા ગુરુ સ્વ-પરના તારક બને. તમે આવું ગુરુતત્ત્વ પ્રગટાવશો જ એવી શ્રદ્ધા રાખું ને ? જો કે તમે ઘણા ગુણીયલ છો એટલે આ બાબતમાં સફળ-સાવધાન બનશો જ એવો વિશ્વાસ છે.
-લખી રાખો ડાયરીમાં...મોક્ષ જરા પણ અઘરો નથી. પરંતુ આપણે આપણી ક્ષુદ્રતા, તુચ્છતા, સંકુચિતતા, ઈર્ષ્યા વગેરેના લીધે તેને અઘરો બનાવ્યો છે.
-
૨૯૯