Book Title: Sanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 469
________________ જ છીએ ને ! તો બીજાની પણ તેવી અપેક્ષા પૂર્ણ કરવાની આપણી ફરજ ખરી કે નહિ ? સામાન્યથી જે બીજાને આપીએ તે કાયમ આપણને મળે –આ નિયમ છે. જે બીજાની ભૂલને માફ ન કરે, તે પોતાની ભૂલ વખતે ઠપકો ન મળે તેવી અપેક્ષા રાખી ન શકે. એવી અપેક્ષા રાખવાનો તેવી વ્યક્તિને અધિકાર પણ નથી. દુનિયાનો આ કાયદો છે કે (૧) જે બીજાને આપો તે તમને મળે અને (૨) જે ભોગવો તે દૂર થતું જાય. વસ્તુને ભોગવવાથી પુણ્ય ક્ષીણ થાય. તેથી તેવી ચીજ-વસ્તુ ભવાંતરમાં મળવાની શક્યતા ઘટી જાય. (૩) જે મને ગમે તે સૌને ગમે. અર્થાત્ મારી ભૂલ બીજા માફ કરે તે મને ગમે છે તો તેની ભૂલને હું માફ કરૂં તે તેને ગમે જ ને ! આ તો માર્ગાનુસારીના પાયાના ગુણો છે. આ આવે તો ઝઘડોસંઘર્ષ વગેરે બંધ જ થઈ જાય. તથા સ્વર્ગનું વાતાવરણ સર્જાય. માટે આ ત્રણ સમજણને આપણે કેળવીએ. કોઈની પૂર્વે થયેલી ભૂલ છ મહિના પછી પણ યાદ આવે તો સમજવું કે તે વાતને આપણે છ મહિનાથી મગજમાં સંઘરેલી છે, જેવી રીતે Bank માં Deposit મૂકીએ તે રીતે. આવા વલણથી શાસ્ત્રો યાદ રાખવાની યોગ્યતા ઘટતી જાય, ઘસાઈ જાય. ન યાદ રાખવાનું ઘણું બધું યાદ રાખીને બેસીએ તો શાસ્ત્રને યાદ રાખવાની Capacity ઘસાતી જાય. મુમુક્ષુપણામાં હતા ત્યારે Simple Living અને High thinking આ સમીકરણ પકડેલ હતું. તેથી જ મુનિજીવનમાં આપણો પ્રવેશ ગુરુ ભગવંતે કરાવ્યો. હવે સંયમજીવનમાં High Living અને simple thinking હોય તે કેમ ચાલે? જે ડાળ ઉપર બેસીએ તે જ ડાળને કાપવામાં આપણા ચારિત્રજીવનની સલામતી કેટલી? Simple Living & High Thinking- આ ડાળ ઉપર તો મુનિજીવન ટકી રહેલ છે. ઉપાશ્રયમાં વાતાવરણ ચોખ્ખું રાખવું હોય તો વિષ્ટા ન જોઈએ. તે જ રીતે મનનું વાતાવરણ ચોખ્ખું રાખવું હોય તો નકામી વાતો ૪૫૮

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538