Book Title: Sanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 491
________________ ન થાય, પગ ઉપર લાગેલી માટી બીજી માટીનું સ્વકાયશસ્ત્ર ન બને. ઘણી વાર શોર્ટકટ કાઢતા આવું બનતું હોય છે. - પૃથ્વીથી પૃથ્વીની વિરાધના તે સ્વકાય શસ્ત્રથી વિરાધના અને પૃથ્વીની પાણીથી વિરાધના તે પરકાય શસ્ત્રથી પૃથ્વીકાયની વિરાધના. અશુચિમય અંડિલ ભૂમિથી આવીને પગને પૂજ્યા વિના પાણીથી ધોવામાં માટીના જીવોની પાણી દ્વારા વિરાધના થાય. આ પરકાય વિરાધનામાં પણ જાગૃત થવા જેવું છે. પ્રશ્ન :- વર્તમાનમાં તો ડામરના પાકા રોડ બની ગયા છે. તેથી એક ગામથી બીજે ગામ જવામાં માટી બદલાય અને તેથી પગ પૂંજવાનું જણાવેલું પ્રયોજન રોડ ઉપરના વિહારમાં હાલમાં પ્રાયઃ રહેતું નથી. તો પગ પૂંજવા કે નહિ ? જવાબ :- તેમાં જીવની અજયણા કદાચ ન થતી હોય તો પણ પગ પુંજીએ તો આપણા મનમાં જીવદયાના પરિણામ ટકી રહે. જો પગ પૂજવાની ટેવ પાડેલી હોય તો જીવદયાના પાડેલા સંસ્કારોના લીધે કોઈ આવી પડેલા પ્રસંગે અજાણતા પણ વિરાધના ન થાય. માટે પગ પૂંજવાનું ચાલુ રાખવું. વિરાધના ઉપરાંત ભગવાનની આજ્ઞાને પાળવાનો પરિણામ ઘસાઈ ન જાય તે વધારે મહત્ત્વનું છે. ભગવાનની આજ્ઞા છે કે ગામનો રસ્તો બદલાય એટલે નવા રસ્તે જતાં પગ પૂજવાના. તે જ રીતે રાત્રે વિહાર કરતા અંધારામાં પહોંચીએ અને સૂર્યાસ્ત ઉપર એક કલાક થઈ જાય તો પછી વસતિ જોવી કે ન જોવી ? તે પ્રશ્નનો જવાબ એ છે કે આપણા કોમળ પરિણામ અને જીવદયાના સંસ્કારોને ટકાવવા માટે કૃત્રિમ ઉજાસવાળી જગ્યાએ પણ વસતિ જોવી. આરાધના કરતાં પણ આરાધનાના સંસ્કાર વધારે મહત્ત્વના છે. કારણ કે ભવાંતરમાં સૌપ્રથમ સંસ્કાર જ કામ લાગવાના છે. વલ્કલચીરીને પૂજવા-પ્રમાર્જવાના સંસ્કારે જ કેવળજ્ઞાન અપાવ્યું હતું. જેનો જન્મ જંગલમાં થયો, જેનું જીવન પ્રાયઃ જંગલી છે, પુરુષ ૪૮૦

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538