Book Title: Sanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 486
________________ તે માટે નિરંતર જાગૃતિ કેળવવી પડે કે “માત્ર બાહ્ય આરાધના અને પુણ્ય ઉપર મારે મદાર નથી બાંધવો. પણ ભગવાનના વચન મુજબ અંદરની પરિણતિ ઘડીને મારે નિશ્ચિત બનવું છે.” આ જાગૃતિ સાથે જિનવચનો ઘંટાય, તેનું પરિશિલન - ચિંતન - મંથન થાય, આંખના આંસુ અને હૃદયના સમર્પણ પૂર્વક આત્માના ઉદ્ધારની તમન્ના થાય તો મળેલ યોગસાધના તારક બને. તેનાથી ઊંધુ કરવામાં અર્થાત્ ભગવાનની ના હોય તે કામ કરવામાં, તે રીતે કામ કરવામાં આજ્ઞાભંગનું પાપ લાગે અને તેનાથી અસમાધિ થાય. કારણ આજ્ઞાભંગમાં આજ્ઞાથી વિપરીત પરિણામ રહેલા છે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા ઉપદેશપદ (ગા.૨૩૮) ગ્રંથમાં કહે છે કે શુદ્ધ આજ્ઞાબહુમાન = આજ્ઞાયોગ તે મોક્ષમાર્ગ છે. “પ્રત્યેક સંયોગોમાં મારા પરિણામ કેવા કરૂં એવી જિનાજ્ઞા મને મળેલી છે?” – આ વિચાર કરીને તે મુજબ વલણ-વર્તન કેળવવું તે મોક્ષમાર્ગ છે, આજ્ઞાયોગ છે. શાસ્ત્ર દ્વારા તેવી પ્રવૃત્તિ અને પરિણામ જાણીને સંયમી તે અનુસાર જીવન બનાવે તો જ આજ્ઞાબહુમાન તાત્ત્વિક કહેવાય અને તો જ વિશુદ્ધ આજ્ઞાયોગ મળે. માટે “વર્તમાનમાં હું શું કરું કે જેથી (૧) તે બધું ભગવાનને માન્ય થાય ? (૨) ગુરુ-આજ્ઞાનું પાલન થાય? (૩) વિશુદ્ધ સંવર અને પ્રબળ નિર્જરા થાય ?' આ વિચારવું જોઈએ. વિહારમાં નૂતન દીક્ષિત સૌથી પાછળ હોય તો તેની સાથે રહેવાનો વિચાર આરાધક બનાવે, ભલે આપણે મોડા પહોંચીએ. તેના બદલે તે એકલા પડી જાય તો તેમાં શક્યતા એ છે કે કદાચ તેનો સંયમ પ્રત્યેનો સદ્ભાવ અને સંયમી પ્રત્યેનો વિશ્વાસ તૂટી પડે. આરાધનાથી તાત્ત્વિક કલ્યાણ તો જ થાય, જો આરાધકભાવને ટકાવીને આરાધના કરીએ. આરાધકભાવ ખતમ કરીએ તો તેવી આરાધના પરમાર્થથી કલ્યાણકારી બની ન શકે. દા.ત. બોલતી વખતે મુહપત્તિનો ઉપયોગ ન રાખે એવા સાધુ તેના સંયમ ની તાત્વિક ૪૭૫

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538