Book Title: Sanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 464
________________ અગિયારમા અક્ષણાધિસ્થાનના બે અર્થ ૧૩માં એટલે કે વારંવાર કહેવું અને કોરિ એટલે કે અવધારણ = જકાર પૂર્વક બોલવું. આ ૧૧મું અસમાધિસ્થાન છે. આવશ્યકનિર્યુક્તિવૃત્તિમાં સોદરિ શબ્દના બે અર્થ કરેલ છે. अधिकरणी मने अवधारणी. થરી એટલે કે ઝઘડો થાય તેવી ભાષા બોલીએ અથવા તો સામેનાની સાથે હલકા શબ્દોથી બોલીએ તે અસમાધિનું નિમિત્ત છે. દશવૈકાલિક સૂત્રમાં સાતમા અધ્યયનમાં લખ્યું છે કે “ા વાળ ત્તિ નો વU” (TI.૭/૧૨) અર્થાત “કાણાને તું કાણો છે એમ ન કહેવાય. નવો ઘા પડે કે જૂનો ઘા ઉઘડે એવી ભાષા બોલવાના બદલે નરમમુલાયમ-શીતળ-મલમપટ્ટીની ભાષામાં સાધુ બોલે. જેટલું જોઈએસાંભળીએ-જાણીએ તે બધું બોલવાનું નથી. માટે જ આપણી આંખ અને કાન ખુલ્લા હોય છે તે પ્રમાણે જીભ ખુલ્લી નથી. સામેના કરતા આપણામાં વધુ દોષ દેખાય તો સામેનાની ભૂલ પર બોલવાનું ન થાય. માટે જે બોલીએ તે મીઠી ભાષામાં બોલીએ. કહેલ છે ને ધન્ય જીભ તો તેને રે કહીએ, વાણી વિમલ ઉચ્ચરતી રે, પાપ તાપ સંતાપ શમાવે, તન મન શીતળ કરતી રે.” જે જીભ ઘા શમાવે તે જીભ ધન્યવાદને પાત્ર અને જે જીભ ઘા ઉઘાડે તે અપાત્ર. ગમે તેને, ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે બોલવુંટોકવું એ એકેન્દ્રિય ગતિને આમંત્રણ આપવા સ્વરૂપ છે. કાંઈ પણ બોલતા પહેલાં “અત્યારે આ બોલવાની જરૂર છે ? મારો બોલવાનો અધિકાર છે ?, બોલવાનું પરિણામ શું ?, સામેવાળો મારું માનશે?” તે વિચારીને બોલવું. તે ન માને તો આપણને તેના ઉપર દુર્ભાવ १. अभिक्खभिक्खमोहारीति अभिक्खणमोहारिणी भासं भासइ जहा 'दासो तुमं चोरो व'त्ति जं वा संकियं तं निस्संकियं भणइ एवं चेवत्ति । ૪૫૩

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538