________________
Vol. XXVIII, 2005
જૈન પરંપરામાં શીલકથાઓ
131
ટીકા લખી છે, અને જૂની ગુજરાતીમાં પણ તેના પર સાતથી વધારે બાલાવબોધ રચાયા છે. તે બધામાં વિક્રમના સોળમા સૈકામાં રચાયેલો મેરુસુંદરગણિનો “બાલાવબોધ' વધારે પ્રસિદ્ધ છે. અત્રે એક બાબત એ પણ નોંધવા જેવી છે કે શીલકથાઓ દરેક ધર્મના સાહિત્યમાં મળે છે, પણ જૈન ધાર્મિક સાહિત્યમાં શીલકથાઓનું જે મહત્ત્વ છે, તેવું અન્યત્ર નથી. વળી ઈ. સ.ની દસમી સદીથી શરૂ થયેલી શીલકથાઓ લખવાની પરંપરા ઠેઠ અઢારમી સદી સુધી આ ધર્મમાં ચાલુ રહી છે, તેવી રીતે બીજા ધર્મમાં આ સાહિત્યપ્રકારની પરંપરા સળંગ મળતી નથી. શીલનો અર્થ :
વિશ્વનો પ્રત્યેક ધર્મ શીલ ઉપર ભાર મૂકતો આવ્યો છે, પણ જૈન ધર્મમાં તેને પાયાના સિદ્ધાંત તરીકે જે આગવું મહત્ત્વ મળ્યું છે, તેવું બીજા કોઈ ધર્મમાં ભાગ્યે જ મળ્યું છે. “શી. મા.'માં શીલનો રૂઢ અર્થ બ્રહ્મચર્યનું પાલન લેવામાં આવ્યો છે. શીલની સ્પષ્ટ અને વ્યવસ્થિત વ્યાખ્યા આગમગ્રંથોમાં મળતી નથી, પણ તેના મહત્વ વિશેની અનેક ગાથાઓ દશવૈકાલિકસૂત્ર (દ. વૈ. સૂ.)માં અને ઉત્તરાધ્યયનસૂત્ર (ઉં. સૂ.)માં મળે છે, જેમાંની કેટલીક નીચે પ્રમાણે છે.
मूलमेयमहम्मस्स महादोससमुस्सयं ।
તહા મેદુ સંસ નિકથા વMયંતિ i દ. વૈ. સૂ. ૬. ૧૬ (આ અધર્મનું મૂળ છે, મહાદોષનો સમૂહ છે, માટે નિગ્રંથો મૈથુનના સંસર્ગને ખરેખર ત્યજી દે છે.)
देवदाणवगंधव्वा, जक्खरक्खसकिंकरा । बंभयारिं नमसंति, दुक्करं जे करंति तं ॥ एस धम्मे धुवे णिच्चे, सासए जिण देसिह । સિદ્ધિા શિાંતિ રાખો િિાસંતિ તાત્તિ સેમિ ! ઉ સૂ. ૧૬.૧૬-૧૭
(દવો, દાનવો, ગંધર્વો, યક્ષો, રાક્ષસો અને કિન્નરો, જે બ્રહ્મચારી આ દુષ્કર વ્રત પાળે છે, તેને નમે છે. આ ધ્રુવ, નિત્ય, શાશ્વત અને જિનદેવ વડે આદિષ્ટ ધર્મ છે, કેમકે એનાથી ભવ્યજીવો સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને બીજાઓ સિદ્ધ થશે એમ હું તને કહું છું.)
શીલની વ્યવસ્થિત વ્યાખ્યા તો ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' મહાકાવ્યમાં મળે છે. શીë સાવદ્યાનાં પ્રત્યાયાનું નિરાતે " આ વ્યાખ્યા ઘણી વિશાળ છે, કારણ કે, એમાં પાંચ અણુવ્રત(અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ), ત્રણ ગુણો (દિગ્વિરતિ, ભોગોપભોગવિરતિ અને અનર્થદંડવિરતિ) અને ચાર શિક્ષાવ્રત(સામાયિક, દશાવકાશિક, પૌષધ અને અતિથિસંવિભાગ)નો સમાવેશ થાય છે, પણ વ્યવહારમાં સામાન્ય રીતે પાંચમાના એક એવા બ્રહ્મચર્યનું પાલન તે શીલ એવો અર્થ લેવામાં આવે છે. શલના બે ભેદ છે : સર્વવિરતિ અને 'દેશવિરતિ. સાધુઓને માટે સર્વવિરતિવ્રત એટલે કે અખંડ બ્રહ્મચર્ય પાલનનું વ્રત હોય છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org