Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
३८
રત્નકરણ્ડક શ્રાવકાચાર
[ભગવાનશ્રીકુંદકુંદ
"
.
સુર્વે વૈષયિષે થંભૂતે ? ‘ ર્મપરવશે ' mયત્તે। તથા ‘ સાન્ત’ અન્તન વિનાશેન સહ वर्तमाने। तथा — दुःखैरन्तरितोदये' दुःखैर्मानसशारीरैरन्तरित उदयः प्रादुर्मावो यस्य। તથા ‘ પાપડીને ’ પાોત્પત્તિવ્હારને।। ૨।।
કહેવાય છે. શામાં અનાસ્થા અર્થાત્ અરુચિ ? ‘ સુદ્ધે ’ ઇન્દ્રિય-વિષય સંબંધી સુખમાં. કેવા (સુખમાં ) ? ‘ ર્મપરવશે' જે કર્માધીન છે એવા તથા ‘સાન્ત' જે અન્ત-વિનાશ સહિત છે એવા તથા ‘દુ:ઐરન્તરિતોયે' જેના ઉદયમાં વચ્ચે વચ્ચે માનસિક અને શારીરિક દુઃખો આવે છે એવા તથા ‘પાપલીને' જે પાપની ઉત્પત્તિનું કારણ છે એવા (સુખમાં ).
-
ભાવાર્થ :- ઇન્દ્રિયજનિત સુખ (સાંસારિક સુખ ) કર્મને આધીન છે, અન્તસહિત (નાશવંત ) છે, માનસિક અને શારીરિક દુઃખોથી (અર્થાત્ આધિ, વ્યાધિ અને ઉપાધિથી ) ખલેલ પામે છે અને પાપનું મૂળ છે, (પાપબંધનું કારણ છે). તેવા સુખમાં ખરેખર (સાચું ) સુખ છે એવી આસ્થાપૂર્વક શ્રદ્ધા ન કરવી તે નિઃકાંક્ષિત અંગ છે.
ઇન્દ્રિયજનિત સુખકર્મના ઉદયને આધીન છે, કારણ કે ઇન્દ્રિયસુખનાં સાધનો શાતાવેદનીય કર્મના ઉદય નિમિત્તે પ્રાપ્ત થાય છે. તે વિષય-સાધનો ઇન્દ્રધનુષવત્ વીજળીના ચમકારા જેમ ક્ષણભંગુર છે. અશાતા વેદનીય કર્મના ઉદય નિમિત્તે તેનો અલ્પકાળમાં અંત આવે છે, માટે તે અન્તસહિત છે.
ઇન્દ્રિયસુખ અખંડ ધારાપ્રવાહરૂપ હોતું નથી. તેથી વારંવાર અનેક દુઃખના ઉદય સહિત હોય છે. કોઈ વખત રોગ થાય, તો કદી સ્ત્રી-પુત્રાદિનો વિયોગ થાય, કદી ધનની હાનિ થાય, તો કદી અનિષ્ટ વસ્તુઓનો સંયોગ થાય. એમ તે અનેક દુઃખોથી અંતરિત હોય છે.
વળી ઇન્દ્રિયસુખમાં એકતાબુદ્ધિ હોવાથી અજ્ઞાની જીવો પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી પાપારંભમાં પ્રવૃત્તિ કરે છે, તેથી તેને પાપનો બંધ થાય છે. આથી ઇન્દ્રિય સુખ પાપનું બીજ છે.
આવા પરાધીન, અન્તસહિત અને દુઃખરૂપ ઇન્દ્રિયસુખમાં સમ્યગ્દષ્ટિને વાસ્તવિક સુખ ભાસતું નથી તેથી તેને તે સાચું સુખ છે એવી આસ્થારૂપ શ્રદ્ધા કેવી રીતે હોય ? અને શ્રદ્ધા વિના તેની વાંછા (આકાંક્ષા) પણ કેમ હોય? ઇન્દ્રિયસુખ ભોગવવાના કાળે પણ આકુળતા જ હોય છે, તેથી તે સુખ નથી પણ દુ:ખ જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com