Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 538 દ્વાર ૨૦૬મું - 363 પાખંડીઓ સત્ત્વ અસત્ત્વ સદસત્ત્વ જીવ અજીવ પુણ્ય પાપ આગ્નવ સંવર અવક્તવ્યત્વ 9 X સવક્તવ્યત્વ અસદવક્તવ્યત્વ બંધ સદસવક્તવ્યત્વ નિર્જરા મોક્ષ સત્ત્વ 4 = 4 અસત્ત્વ ઉત્પત્તિ X સદસત્ત્વ અવક્તવ્ય 63 + 4 = 67. (1) સત્ત્વ-સ્વરૂપથી હોવું તે. દા.ત. ઘડો સ્વપર્યાયોથી છે. (2) અસત્ત્વ-પરરૂપથી ન હોવું તે. દા.ત. ઘડો પરપર્યાયોથી નથી. (3) સદસત્ત્વ-સંપૂર્ણ વસ્તુ ક્રમથી સ્વરૂપથી હોવી અને પરરૂપથી ન હોવી તે. દા.ત. ઘડો સ્વપર્યાયોથી છે અને પરપર્યાયોથી નથી. (4) અવક્તવ્યત્વ-સંપૂર્ણ વસ્તુ એકસાથે સ્વરૂપથી હોવી અને પરરૂપથી ન હોવી તે. દા.ત. ઘડામાં એકસાથે સ્વપર્યાયોથી વિદ્યમાનતા અને પરપર્યાયોથી અવિદ્યમાનતા કહેવી હોય તો ઘડો અવક્તવ્ય છે. (એટલે કે એવો કોઈ શબ્દ નથી કે જેનાથી ઘડામાં એકસાથે સ્વપર્યાયોથી વિદ્યમાનતા અને પરપર્યાયોથી અવિદ્યમાનતા કહી શકાય.) (5) સદવક્તવ્યત્વ - વસ્તુ અમુક ભાગમાં સ્વરૂપથી હોવી અને અમુક ભાગમાં એકસાથે સ્વરૂપથી હોવી અને પરરૂપથી ન હોવી તે. દા.ત. ઘડો અમુક ભાગમાં સ્વપર્યાયોથી છે અને તેના અમુક ભાગમાં એકસાથે સ્વપર્યાયોથી વિદ્યમાનતા અને પરપર્યાયોથી