Book Title: Nandishen Jain Sahityani Diary Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 5
________________ શ્રી નંદિષેણ અત્યારે જેને આપણે બિહાર પ્રાંત કહીએ છીએ, તેને જૂના કાળમાં મગધદેશ કહેતા. તેની રાજધાનીનું નામ રાજગૃહી. એના રાજાનું નામ શ્રેણિક. ભગવાન મહાવીર વિચરતા હતા એ સમયની, આજથી આશરે પચીસસો વર્ષ પહેલાંની આ વાત છે. મગધદેશ તો ત્યારે આખા ભારતનું નાક લેખાતો. ચારે દિશામાં પોતાની આણ વર્તાવનાર રાજા-મહારાજા ત્યાં જ થયા. એ દેશની નામના બીજા દેશોમાં પણ ગવાતી. અને રાજગૃહી નગરી તો જાણે બીજી અલકાપુરી જ જોઈ લો! શું એનો વૈભવ ! વાદળ સાથે વાતો કરતી એની ઊંચી ઊંચી હવેલીઓ, દેશ-વિદેશની નવી નવી ચીજોથી શોભતી એની બજારો, એના મોટા મોટા ચોક અને રૂપાળા રૂપાળા ઝરૂખાઓ ભલભલાના મનને ભાવી જતા. દૂર દૂરના સોદાગરો પોતાનો માલ આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36