Book Title: Nandishen Jain Sahityani Diary Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 6
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૭ નગરીમાં ઠાલવતા. અને સમુદ્ર બધી નદીઓનાં જળને પોતાના પેટમાં સમાવી દે તેમ આ નગરી કીમતીમાં કીમતી માલને પણ ખરીદી લેતી. કોઈ સોદાગર કદી ખાલી હાથે પાછો જાય એવું બને જ નહિં. એ દેશની પ્રજા પણ ભારે ભોળી : ભોગ જોઈને ભોગમાં પડતાંય એને વાર નહીં, અને ત્યાગ જોઈને બધું છોડી દેતાંય વાર નહીં. કૂડકપટનું તો જાણે ત્યાં કામ નહીં. આવી સોહામણી નગરી અને આવી ભલીભોળી પ્રજાના શિરછત્રનું નામ રાજા શ્રેણિક રાજા તો જાણે પ્રજાના સાચા પિતા. આઠે પહોર એ પ્રજાની ચિંતા કર્યા કરે. પ્રજા સુખી તો રાજા સુખી, એ જાણે એનો જીવનમંત્ર. ધર્મની વાત તો રાજાજીને ખૂબ ખૂબ ગમે. પ્રજા ધર્મ કરે તે માટે શ્રેણિક રાજા જેને જે જોઈએ તે સહાય આપે. રાજા શ્રેણિકને અનેક રાણીઓ ને અનેક રાજકુમારો. મહાબુદ્ધિશાળી મંત્રી અભયકુમાર પણ રાજા શ્રેણિકના જ પુત્ર. એમની બુદ્ધિની તો શી વાત ! શ્રેણિક રાજાના બીજા એક પુત્રનું નામ નંદિષેણ. લાડકોડમાં ઊછરેલ નંદિષેણ દેખાવે રૂપાળા અને શરીરે બળવાન હતા. કદી હિંમત હારે નહીં એવું નીડર એમનું મન હતું. શહેરથી દૂર દૂર એક જંગલ હતું. જંગલ પણ કેવું ! પેસીએ તો જાણે બી મરીએ, મોટાં મોટાં ઝાડો અને લાંબી લાંબી વેલડીઓ, જાળાં-ઝાંખરાં અને ખાડા-ટેકરાઓનો કોઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36