Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 28
________________ ૨૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૭ રચાયાં છે. ને ગુજરાતી ભાષા પર તો સેંકડો વર્ષ સુધી એકલા હાથે જૈનોએ જ પ્રભુત્વ ભોગવ્યું છે. કાવ્યની સંખ્યાના સુમાર નથી. અનેક કાવ્યો ઉપરાંત દ્વિસંધાનકાવ્ય, ત્રિસંધાનકાવ્ય, અને છેક સપ્તસંધાનકાવ્ય એટલે જેના શ્લોકમાંથી સાત સંબંધવાળા અર્થ નીકળે ને સાતનાં જુદાં જુદાં જીવન સમજાય તેવાં પણ રહ્યાં છે. એક અષ્ટલક્ષ્મી નામનો ગ્રંથ છે. તેમાં એક શ્લોકના આઠ લાખ અર્થો કર્યા છે. શ્રી હેમચંદ્રાચાર્યે છંદશાસ્ત્ર તથા અલંકાર પર સ્વતંત્ર ગ્રંથો રચ્યા છે. શ્રી વામ્ભટે પણ કાવ્યાલંકાર નામે અલંકારશાસ્ત્ર રચ્યું છે. શ્રી અમરચંદ્રસૂરિએ કવિશિક્ષાવૃત્તિ, કવિકલ્પલતા, છંદો રત્નાવલિ, કલાકલાપ વગેરે ગ્રંથો રચ્યા છે. શ્રી નમિસાધુએ પ્રખ્યાત કાવ્યાલંકાર પર ટિપ્પન રચ્યું છે. શ્રી નરેન્દ્રપ્રભસૂરિએ અલંકાર મહોદધિ બનાવ્યો છે. શ્રી માણિક્યચંદ્રસૂરિએ કાવ્યપ્રકાશસંકેત બનાવ્યો છે. અને કોશની રચનામાં તો શ્રી હેમચંદ્રાચાર્યો હદ કરી છે. અભિધાનચિંતામણિ, અનેકાર્થ કોશ, દેશી નામમાલા, નામશેષ, નિઘંટુ એ બધા એમણે એકલાએ જ રચ્યા છે, ઉપરાંત સટીક ધાતુપાઠ, સટીક ધાતુપારાયણ, ધાતુમાળા, લિંગાનુશાસન વગેરે સંસ્કૃત ભાષાશાસ્ત્રમાં મહત્ત્વના ગ્રંથો રચ્યા છે. ધનંજય કવિએ ધનંજય નામમાળા બનાવી છે. શ્રી હર્ષકીર્તિજીએ શારદીય નામમાલા રચી છે. બીજાઓએ પણ ઘણું કર્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36