Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 29
________________ જૈનસાહિત્યની ડાયરી બારમો વિદ્યાર્થી : આપણાં મહાકાવ્યો ને તેના કર્તાનાં નામ જણાવશો ? ૨૭ શિક્ષક : ઘણી ખુશીથી. ઘણા તીર્થંકરોનાં ચરિત્રો શિષ્ટ કાવ્યોમાં લખાયેલાં છે. શ્રી શાંતિનાથ ચરિત્ર, નેમિનાથ ચરિત્ર, શ્રી પાર્શ્વનાથ ચરિત્ર, શ્રી વાસુપૂજ્ય ચરિત્ર વગેરે ઘણાં કાવ્યો છે. એ સિવાય શ્રી અમરદેવસૂરિએ જયંત વિજય મહાકાવ્ય લખ્યું છે. શ્રી અમરચંદ્રસૂરિએ પદ્માનંદાભ્યુદય મહાકાવ્ય તથા બાળભારત મહાકાવ્ય રચ્યાં છે. ઉદયપ્રભસૂરિએ ધર્માભ્યુદય મહાકાવ્ય રચ્યું છે. કવિશ્રી જયશેખરસૂરિએ જૈન કુમારસંભવકાવ્ય લખ્યું છે. શ્રી દેવપ્રભવસૂરિ મલધારીએ પાંડવચરિત્ર મહાકાવ્ય બનાવ્યું છે. શ્રી ધનંજય મહાકવિએ રાઘવ પાંડવીયમહાકાવ્ય (દ્વિસંધાન મહાકાવ્ય) રચ્યું છે. શ્રી નયનચંદ્રસૂરિએ હમ્મીર મહાકાવ્ય તથા પદ્મચંદ્રજીએ ધન્નાભ્યુદય મહાકાવ્ય લખ્યું છે. વળી પદ્મસુંદરગણિએ રાયમલ્લાભ્યુદય મહાકાવ્ય તથા પાર્શ્વનાથ કાવ્ય રચ્યાં છે તથા માણિક્યચંદ્રસૂરિએ પાર્શ્વનાથ ચરિત્ર તથા નલાયન કાવ્યની રચના કરી છે. શ્રી હેમચંદ્રાચાર્યે પણ ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્ર તથા ક્રયાશ્રય નામનાં મહાકાવ્ય લખ્યાં છે. એ સિવાય બીજાં પણ ઘણાં કાવ્યો છે. ખંડકાવ્ય, સ્તોત્ર અને સ્તુતિઓનો તો પાર જ નથી. તેરમો વિદ્યાર્થી : આપણામાં નાટકો કેટલાં છે? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36