Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 33
________________ જૈનસાહિત્યની ડાયરી ..... ..... ચિકિત્સોત્સવ, દ્રવ્યાવલિ (નિઘંટુ), પ્રતાપ કલ્પગ્રંથ, માધવરાજ પદ્ધતિ, યોગરત્નાકર, રત્નસાગર રસચિંતામણિ, વૈદક સારોદ્ધાર વગેરે. ગણિતના અનેક ગ્રંથો પૈકી શ્રી મહાવીરાચાર્યે ઈ.સ.ના નવમા સૈકામાં રચેલ ગણિતસારસંગ્રહનો તો અંગ્રેજી અનુવાદ પણ થઈ ચૂક્યો છે. નિમિત્તશાસ્ત્રમાં તો જૈનાચાર્યોએ પોતાના અનુભવોનો ખજાનો લોકહિત માટે ખુલ્લો મૂકી દીધો છે. અંગવિદ્યા નામનો એક પ્રાચીન ગ્રંથ એ વિશે ઉપયોગી માહિતી આપે છે. દુર્ગદવે રિક્ટસમુચ્ચય નામનો ગ્રંથ બનાવ્યો છે. વિશ્વજ્ઞાનકોશની જેમ વિનયવિજયજી મહારાજે લોકપ્રકાશ નામનો ગ્રંથ બનાવ્યો છે. તેમાં સાતસો ગ્રંથની તો શાખ આપેલી છે. ગ્રંથોને અંતે તે તે આચાર્યોએ પોતાની પ્રશસ્તિઓ આપેલી હોય છે, જેમાં તેમના ગુરુઓ અને તે તે સમયના રાજાઓ, મંત્રીઓ, ગૃહસ્થો અને તેમણે કરાવેલાં શુભ કાર્યોની નોંધ આપી હોય છે. તે પ્રશસ્તિઓ ઇતિહાસ માટે ઉપયોગી પુરવાર થાય છે. એવી જ રીતે એ પુસ્તકોના અંતે લેખનસમયની પણ પ્રશસ્તિઓ હોય છે તે પણ ઘણી માહિતી આપે છે. આ પ્રશસ્તિઓ શિલાલેખ જેટલી જ પ્રામાણિક મનાય છે. વિદ્યાર્થીઓ બધા પ્રશ્ન પૂછી રહ્યા હતા. ફરી ધરશેંદ્રનો વારો આવતાં બોલી ઊઠ્યો: ‘ગુરુજી ! આ બધું સાંભળીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36