Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 17
________________ શ્રી નંદિષેણ ૧૫ આ સોની ભારે થઈ પડ્યો. એ કે કર્યો બૂજતો નથી. જમવાની વેળા વીતી રહી છે. ગણિકા ઉપરાઉપરી તેડાં મોકલ્યાં કરે છે, પણ નંદિષણ જરાય અકળાતા નથી. એને તો પહેલી પોતાની પ્રતિજ્ઞા, ને બીજું બધું પછી ! અકળાતી ગણિકા આવીને જોઈ રહી છે, અને જરીક ટોળમાં બોલે છે: “સોની ન સમજે તો દસમા તમે પોતે ! વાત તો સાવ હસતાં બોલાઈ હતી, પણ નંદિષણના સૂતેલા આત્માને એણે જગાડી દીધો. એને પોતાની જાતનું ભાન થઈ આવ્યું : હું કોણ, અને મારી આ કેવી અવદશા ! સાચે જ, નંદિષેણે દસમા તરીકે પોતાની જાતને સમર્પો દીધી. ગણિકાને તો હસતાંમાં ખસતું થઈ ગયું ! પણ હવે વાત હાથમાં રહે એમ ન હતી. નંદિષણનું ભોગકર્મ મરી ચૂકયું હતું. એક કાળે સેચનક હાથી ઉપર સવાર થનાર નંદિષણ આત્મધર્મના હાથીએ સવાર થઈ શોભી ઊઠ્યા. ગણિકાની લાખલાખ વિનંતી અને બોનબોખ આંસુ એમને ન રોકી શક્યાં. માર્ગ ભૂલ્યો વૃષભ ખીલે આવી ઊભો રહે એમ નંદિષેણ મુનિએ પ્રભુનાં ચરણમાં પોતાનું સ્થાન મેળવી લીધું. એના દિલને શાંતિ વળી. જનતાએ ફરી વાર નંદિષેણ મુનિને વંદન કર્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36