Book Title: Mul ma Bhul
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૭] પૂર્વ સમયે અમુક દશા નથી હોતી, ને પછીના સમયે થાય છે. ત્યાં તે સમયના પર્યાયની તેવી જ લાયકાત હોવાથી થાય છે. બે જીવોમાંથી એકને સમ્યકત્વ દશા છે ને બીજાને મિથ્યાત્વદશા છે, તેનું કારણ કોણ? બન્ને જીવના દ્રવ્ય-ગુણ તો સરખાં છે, બન્નેને પૂર્વના પર્યાયનો તો વર્તમાનમાં અભાવ છે અને અનાદિથી પરિણમતા પરિણમતા બન્ને વર્તમાનકાળ સુધી આવ્યા છે; છતાં એકને સમ્યકત્વરૂપ પરિણમન અને બીજાને મિથ્યાત્વરૂપ પરિણમન, તેનું કારણ શું? કારણ એ જ કે બન્ને દ્રવ્યના પરિણમનની તે સમયની યોગ્યતા જ તેવી છે. એ ખાસ ધ્યાન રાખવું કે કાર્ય થવાની યોગ્યતા ત્રિકાળરૂપ નથી, પણ, વર્તમાનરૂપ છે. એટલે દ્રવ્યની જે સમયે જે કાર્યરૂપ પરિણમવાની લાયકાત હોય તે જ સમયે તે દ્રવ્ય તે કાર્યરૂપે પરિણમે છે; પણ તેનાથી આગળ કે પાછળ તે કાર્ય થતું નથી. એક જીવને પૂર્વે મિથ્યાત્વદશા હતી તે સમયે તેની તેવા જ પરિણમનની લાયકાત હતી, તેથી જ તે મિથ્યાત્વદશા હતી, -નહિ કે કુવાદિના કારણથી ! અને બીજા સમયે તે જીવને સમ્યકત્વદશા થઈ, ત્યારે તે જીવ પોતાના તે સમયના પરિણમનની લાયકાતથી જ તે-રૂપે પરિણમ્યો છે, –નહિ કે સદ્ગુરુ વગેરેના કારણથી ! આ જ પ્રમાણે દરેક પરમાણુ પણ તેની સ્વતંત્ર લાયકાતથી જ પરિણમી રહ્યો છે. એક સમયે બે પરમાણુઓ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 226