Book Title: Mul ma Bhul
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૮] લાલ રંગરૂપ પરિણમ્યા હોય અને બીજા સમયે તેમાંથી એક પરમાણુ કાળા રંગરૂપે અને બીજા ધોળા રંગરૂપે પરિણમે. બન્નેને દ્રવ્ય-ગુણ તો સમાન છે, પૂર્વ પર્યાય પણ બન્નેને સમાન હતો અને અનાદિથી પરિણમતા – પરિણમતા બન્ને વર્તમાનકાળ સુધી જ આવ્યા છે, છતાં પરિણામમાં ફેર પડે છે. કેમ કે તે તે પરમાણુના પરિણમનની તે સમયની લાયકાત સ્વતંત્ર છે. આવી જ વસ્તુની સ્વાધીનતા છે અને આવા જ્ઞાનમાં જ સ્વભાવનો પુરુષાર્થ છે. જેમ ત્રિકાળી દ્રવ્ય સતુ છે, તેનો કોઈ કર્તા નથી ને તેને કોઈની અપેક્ષા નથી તેમ તેના અનાદિ અનંત સમયમાં દરેક સમયના એકક પર્યાયો પણ સત્ છે, બીજાની અપેક્ષા વગરના છે. દરેક સમયનો પર્યાય પોતાની સ્વતંત્ર લાયકાત ધરાવે છે. –આનું જ નામ ઉપાદાન. દ્રવ્ય-ગુણની સ્થિતિ સદા એક સરખી હોય, પરંતુ પર્યાયો સદા એક સરખા હોય નહિ. ત્રિકાળી દ્રવ્યને અને તેના પર્યાયના એકેક સમયના સ્વતંત્ર કાર્યને જાણવું તે ઉપાદાનનું જ્ઞાન છે અને તે વખતે સંયોગરૂપ અન્ય દ્રવ્યોનું જ્ઞાન કરવું તે નિમિત્તનું જ્ઞાન છે. એ બન્નેને સ્વતંત્ર જાણે તો જ બે પદાર્થોમાં એકતાબુદ્ધિ ટળી સમ્યજ્ઞાન થાય છે. પરંતુ આ નિમિત્ત પદાર્થને લીધે ઉપાદાનનું કાર્ય થયું કે નિમિત્ત આવ્યું માટે કાર્ય થયું, નિમિત્તે કાંઈ પણ અસર કરી, મદદ કરી, પ્રેરણા કરી” એવા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 226