________________
१४
मुक्तिवादः
रूपबाधकग्रस्तस्य कार्यतानवच्छेदकत्वात् । अन्यथा पुरुषान्तरीयदुःखासमानकालीनदुःखध्वंसत्वादेरपि किञ्चित्कारणकार्यतावच्छेदकत्वापातात् ।
(७) मैवम् । अर्थसमाजस्थले हि साधकाभाव एव कार्यतावच्छेदकत्वबाधकः उपदर्शितमुक्तित्वावच्छिन्नं प्रति तत्त्वज्ञानहेतुतायाः श्रुतिस्मृत्यादिसाक्षिकतया न बाधः।
તો બીજા પુરુષના દુઃખના અસમાનકાલીન દુઃખધ્વંસત્વ વગેરે ધર્મો કોઈક કારણની કાર્યતાના અવચ્છેદક બની જશે.
(૭) શબ્દાર્થ –ઉત્તરપક્ષ : આ વાત ખોટી છે. અર્થસમાજસ્થળે કાર્યતાવચ્છેદકનો બાધક સાધકાભાવ જ છે. ઉપર્યુક્ત (વિશેષણવિશિષ્ટ) મુક્તિત્વાવચ્છિન્ન (મુક્તિ) પ્રત્યે તત્ત્વજ્ઞાન કારણ છે, તેમાં શ્રુતિ અને સ્મૃતિ સાક્ષી છે. તેથી બાધ નથી.
પુરુષાંતરીય દુઃખઅસમાનકાલીન બને. તાદેશ આત્યંતિકત્વ વિશેષિત દુઃખધ્વસત્વ કાર્યતાવચ્છેદક બની શકે નહીં એ સ્પષ્ટ છે. તેમાં પ્રતીતિવિરોધ છે. અર્થસમાજગ્રસ્ત સામગ્રીને બાધક નહીં માનીએ તો પ્રતીતિવિરુદ્ધ પુરુષાંતરીયદુ:ખાસમાનકાલીનદુ:ખધ્વંસત્વ પણ કાર્યતાવચ્છેદક બની શકે. આ આપત્તિ છે માટે જ અર્થસમાજપ્રસ્ત ધર્મને કાર્યતાવચ્છેદક માનતા નથી.
(૭) વિવરણ –અથ ઇત્યાદિ પૂર્વપક્ષ સામે સિદ્ધાંતપક્ષની રજૂઆત કરે છે. મૈવમ્ ઇત્યાદિ દ્વારા. અર્થસમાજ રૂપ બાધકથી ગ્રસ્ત ધર્મ કાર્યતાવચ્છેદક ન બની શકે આ પૂર્વપક્ષની દલીલ છે. અર્થસમાજગ્રસ્ત ધર્મ કાર્યતાવરચ્છેદક ન બની શકે. પણ ક્યારે ? જ્યારે પ્રસ્તુત કારણસામગ્રી કાર્યતાવચ્છેદકઘટક વિશેષણની સાધક ન હોય ત્યારે. કારણસામગ્રી જો કાર્યતાવરચ્છેદકઘટક વિશેષણની સાધક હોય તો અર્થસમાજ બાધક નથી. દંડાદિ સામગ્રી કાર્યતાવચ્છેદકઘટક પટરૂપ વિશેષણની સાધક નથી માટે પટવિશિષ્ટઘટત્વ અર્થસમાજગ્રસ્ત છે. પ્રસ્તુત સ્થળે તત્ત્વજ્ઞાન પોતાના કાર્યતાવરચ્છેદકઘટક વિશેષણનું અસાધક નથી, પણ સાધક છે. તત્ત્વજ્ઞાન આત્યંતિકત્વવિશિષ્ટ દુ:ખધ્વસનું કારણ છે. આ કારણતા શ્રુતિ અને સ્મૃતિ દ્વારા સિદ્ધ છે. ‘૩:વેના વિમુશરત' ઇત્યાદિ વચનો આત્યંતિકત્વ-વિશિષ્ટ-દુ:ખધ્વંસત્વાવચ્છિન્ન પ્રત્યે તત્ત્વજ્ઞાનની કારણતા સિદ્ધ કરે છે. આમ તત્ત્વજ્ઞાન કાર્યતાવચ્છેદકઘટક વિશેષણનું સાધક છે. તેથી અર્થસમાજ દોષ બાધક બનતો નથી.
પ્રશ્ન :-તત્ત્વજ્ઞાનની કારણતામાં અર્થસમાજગ્રસ્તત્વ નામનો દોષ ભલે ન હોય પણ નિષ્ઠયોજન– અને ગૌરવરૂપ બાધક તો છે જ. ઉપર કહ્યું તેમ ચરમદુઃખધ્વંસ દશામાં અસમાનકાલીનત્વનો નિર્વાહ અધર્મરૂપ કારણના અભાવે જ થઈ જાય છે માટે કાર્યતાવચ્છેદકઘટક વિશેષણ નિપ્રયોજન બને છે. બીજું, તાદેશ અસમાનકાલીનત્વ ગુરુ ધર્મ છે. તે અવચ્છેદક બનવામાં બાધક છે.
જવાબ :–બાધકને કારણે તત્ત્વજ્ઞાન આત્યંતિત્વવિશિષ્ટ મુક્તિત્વાવચ્છિન્નનું કારણ ભલે ન કહી શકાય પણ પ્રયોજક બનવામાં કોઈ બાધક નથી. જે અન્યથાસિદ્ધ ન હોય અને કાર્યનિયતપૂર્વવૃત્તિ હોય તેને કારણ કહેવાય. જેની નિયતપૂર્વવર્તિતા સિદ્ધ ન થઈ શકતી હોય છતાં જે અન્યથાસિદ્ધ પણ ન હોય તે પ્રયોજક કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો જે કારણ તરીકે સાબિત ભલે ન થતું હોય પણ જેના વિના કાર્યનો નિર્વાહ ન થઈ શકે તે પ્રયોજક કહેવાય. પ્રસ્તુત સ્થળે તત્ત્વજ્ઞાન મુક્તિનું નિયતપૂર્વવર્તિ નથી પણ