________________
६४
मुक्तिवादः
वासनारूपदोषविनाशकतयैवेश्वरसाक्षात्कारस्य मिथ्याज्ञाननिवर्तकत्वात् । ईश्वरसाक्षाकारस्य विपरीतज्ञानानिवर्तकत्वेऽपि स्वातन्त्र्येणैव मिथ्याधीजन्यवासनानाशकत्वोपगमे क्षतिविरहात् । संस्कारविपरीतज्ञानयोर्विषयभेदेन नाश्यनाशकभावभेदादात्मदेहाभेदवासनानाशे देहभेदावगाहिस्वात्मसाक्षात्कारकारणताया अपि कल्पनीयतया ईश्वरसाक्षात्कारस्य तन्नाशकतापक्षे गौरवानवकाशात् । अस्तु वा वासनानाशार्थं स्वात्म
કારણ છે.
જવાબ :-ઈશ્વરસાક્ષાત્કાર વાસનારૂપ દોષનો નાશ કરીને મિથ્યાજ્ઞાનનું નિવર્તક બને છે. ઈશ્વરસાક્ષાત્કાર વિપરીતજ્ઞાનનો નિવર્તક ન હોય છતાં તેને સ્વતંત્રરૂપે મિથ્યાજ્ઞાન જન્ય વાસનાના નાશક રૂપે સ્વીકારવામાં કોઈ ક્ષતિ નથી. સંસ્કાર અને વિપરીત જ્ઞાનના વિષય જુદા છે તેથી તેમના નાશ્યનાશકભાવ પણ વિષયભેદે ભિન્ન ભિન્ન છે. તેથી આત્મા અને દેહની અભેદવાસનાના નાશમાં દેહના ભેદનું અવગાહન કરતા આત્મસાક્ષાત્કારની કારણતા પણ કલ્પવી જ પડે છે. માટે ઈશ્વરસાક્ષાત્કારને અભેદવાસનાનાશક માનવાના પક્ષે ગૌરવને અવકાશ નથી.
અથવા તો વાસનાનાશ માટે સ્વાત્મસાક્ષાત્કારનો અનુયોગી તરીકે ઉપયોગ ભલે હો પણ
સમુચ્ચયમાં આ જ ફરક છે કે–સંશયમાં અન્ય વિષયનું જ્ઞાન પ્રસ્તુત વિષયનું વિરોધી હોય છે. સમુચ્ચયમાં વિરોધી હોતું નથી. ઈશ્વરસાક્ષાત્કાર મોક્ષનું કારણ છે. એવો કેચિસ્તુકારનો મત છે. મોક્ષનો હેતુ બનતું જ્ઞાન પોતાના આત્માને વિષય બનાવતા મિથ્યાજ્ઞાન (બટું શૌર ઈ.)નું વિરોધી હોવું જોઈએ. ઈશ્વરજ્ઞાન સ્વાત્મવિષયક મિથ્યાજ્ઞાનના અભાવનું અવગાહી નથી એટલે કે તાદેશમિથ્યાજ્ઞાનનું વિરોધી નથી. તેથી તે તેનું (મિથ્યાજ્ઞાનનું) નિવર્તક બની શકતું નથી. સ્વાત્મસાક્ષાત્કાર જ સ્વાત્મવિષયક મિથ્યાજ્ઞાનનો વિરોધી છે માટે તે જ મોક્ષનો હેતુ છે.
જવાબ :-ઈશ્વરજ્ઞાન સ્વાત્મવિષયમિથ્યાજ્ઞાનનું નિવર્તક નથી એ વાત સાચી છે. પણ અહીં એ પ્રશ્ન ઉઠે છે કે–વિપરીતજ્ઞાન મોક્ષનો પ્રતિબંધ કરે છે તે કેવી રીતે? તેનો જવાબ એ છે કે–વિપરીત જ્ઞાન દ્વારા સંસ્કાર ઉત્પન્ન થાય છે જેને વાસના કહેવાય છે. આ દેહાત્માભેદની વાસના મુક્તિની પ્રતિબંધિકા છે. જ્ઞાન આ વાસનાનો નાશ કરે છે. વાસનાનો નાશ થવાથી મિથ્યાજ્ઞાનનું નિવર્તન થાય છે. આમ ઈશ્વરજ્ઞાન વિપરીતજ્ઞાનવિધયા મિથ્યાજ્ઞાનનું નિવર્તક નથી પણ સ્વતંત્રરૂપે છે. આ રીતે સ્વતંત્ર કારણતા સ્વીકારવામાં કોઈ દોષ નથી.
પ્રશ્ન -આ રીતે ઈશ્વરજ્ઞાનને સ્વતંત્રપણે મિથ્યાજ્ઞાન નિવર્તક માનવામાં ગૌરવ છે. ઈશ્વરજ્ઞાન અને વાસનાનાશ વચ્ચે કાર્યકારણભાવ છે, વાસનાનાશ અને મિથ્યાજ્ઞાનનાશ વચ્ચે પણ કાર્યકારણભાવ છે આમ અતિરિક્ત કાર્યકારણભાવ માનવાનું ગૌરવ છે.
જવાબ :-જીવાત્મસાક્ષાત્કાર મોક્ષનું કારણ છે એ વાદીના મતે પણ વિપરીત જ્ઞાન અને સંસ્કાર વચ્ચે નાશ્યનાશકભાવ માનવો આવશ્યક જ છે. આ નાસ્થનાશકભાવ સામાન્યથી કલ્પી શકાય તેમ નથી. કારણ કે ઘટના સંસ્કાર પ્રત્યે પટાભાવનો નિશ્ચય પણ નાશક બનવાની આપત્તિ આવશે. આથી વિષયના ભેદથી વિશેષ કાર્યકારણભાવ સ્વીકારવામાં આવે છે. તે ( ચોક્કસ ઘટાદ) સંસ્કાર પ્રત્યે તે ( ચોક્કસ