________________
मुक्तिवादः
आवश्यकत्वात् । पुनरदृष्टानुत्पत्तिश्च वासनादिविरहात् । योगिनां बुद्ध्यादिसत्त्वेऽप्यदृष्टो( ष्टानु )त्पत्त्या भवन्मतेऽप्यदृष्टस्य वासनाहेतुकत्वात् ।
४३
(२२) अथाविद्याया पदार्थान्तरत्वे चेद्विशेषस्तदा माभूत्तस्यास्तथात्वम् । अदृष्टं मिथ्याज्ञानाहिता वासनैव वा भवत्वविद्या । तत्त्वज्ञानन्त्वदृष्टनाशे न साक्षाद्धेतुरपि तु
નાશ પામ્યા પછી ફરી ઉત્પન્ન થતું નથી તેનું કારણ વાસના વગેરેનો અભાવ છે. યોગીઓને બુદ્ધિ વગેરે હોવા છતાં અદૃષ્ટ ઉત્પન્ન થતું નથી તેથી તમારા મતે પણ અદૃષ્ટ વાસનાથી જન્ય છે.
(૨૨) શબ્દાર્થ :પૂર્વપક્ષ : અવિદ્યાને સ્વતંત્ર પદાર્થ માનવામાં આપત્તિ છે તો અવિદ્યાને સ્વતંત્ર પદાર્થ ન માનો. અદૃષ્ટ અથવા મિથ્યાજ્ઞાનને કારણે આવેલી વાસના જ અવિદ્યા છે. આવું
પ્રશ્ન :–જો અદૃષ્ટનો અશેષ રૂપે નાશ અભિપ્સિત હોય તો બુદ્ધિ નાશને સ્વીકારવો જરૂરી છે. બુદ્ધિના નાશ વિના અદૃષ્ટનો પૂર્ણ નાશ નહીં થાય જેથી ફરી અદષ્ટ ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. તત્ત્વજ્ઞાનથી અદૃષ્ટનો પૂર્ણ નાશ થતો નથી એ વાત નૈયાયિકોને પણ માનવી જ પડે છે, કારણ-તત્ત્વજ્ઞાન પામેલા યોગીઓને પણ અદષ્ટ હોય છે.
જવાબ :–અદૃષ્ટનું કારણ વાસના છે. મુક્તિ અવસ્થામાં ફરી અદૃષ્ટ ઉત્પન્ન થતું નથી કારણ કે વાસના નથી.
પ્રશ્ન :—પણ અદૃષ્ટનું કારણ વાસના છે એવું અમે નથી માનતા તેથી આ દલીલ અમને માન્ય
નથી.
જવાબ :યોગીઓને બુદ્ધિની હાજરી હોવા છતાં વાસના નહીં હોવાથી અર્દષ્ટ ઉત્પન્ન થતું નથી તેથી તમારે પણ અદૃષ્ટનું કારણ વાસના છે તે સ્વીકારવું પડશે. યોગીઓને બુદ્ધિ છે. પણ અદૃષ્ટ ઉત્પન્ન થવાનું કારણ અવિદ્યા છે. તત્ત્વજ્ઞાન દ્વારા યોગીઓએ તેનો નાશ કર્યો છે. તેથી બુદ્ધિ હોવા છતાં અદૃષ્ટ ઉત્પન્ન થતું નથી. આમ યોગીઓના અદૃષ્ટના કારણ તરીકે વાસનાને સ્વીકારવી તમારા માટે પણ આવશ્યક છે.
આમ, તત્ત્વજ્ઞાનથી અવિદ્યાનો નાશ, તેનાથી બુદ્ધિરૂપ આશ્રયનો નાશ, તેના દ્વારા અદૃષ્ટનો નાશ અને સુખદુ:ખનો નાશ આવી પરંપરાવાળી કારણ પ્રક્રિયા સ્વીકારવા કરતા તત્ત્વજ્ઞાનને સાક્ષાત્ અદૃષ્ટ રૂપ અવિદ્યા નાશનું કારણ માનવું વધુ ઉચિત છે.
(૨૨) વિવરણ :—નૈયાયિકો અવિદ્યાને માને છે પણ તેના સ્વતંત્ર પદાર્થ હોવાને વિષે તેમને આપત્તિ છે. ‘આશ્રયનાશથી આશ્રિતનાશ થાય છે.' આ માન્યતા ધરાવતા યત્તુકાર આની સામે પૂર્વપક્ષ રચે છે કે—અવિદ્યાને સ્વતંત્ર પદાર્થ માનવામાં આપત્તિ હોય તો ભલે અવિદ્યા અદૃષ્ટરૂપ હોય. અથવા મિથ્યાજ્ઞાનજન્ય વાસનારૂપ હોય. કેવળ અદષ્ટત્વન અદષ્ટ વિદ્યાવિરોધી નથી માટે મિથ્યાજ્ઞાનજન્યવાસના અવિદ્યા છે. આ બીજો વિકલ્પ રજૂ કર્યો છે. મિથ્યાજ્ઞાન તદભાવવતિ તત્પ્રકારકત્વ રૂપ છે. તે તદ્ઘતિ તત્પ્રકારકત્વ રૂપ વિદ્યાનું વિરોધી બની શકે છે. પૂર્વોક્ત વેદાંતમત અવિદ્યાને પદાર્થાતર માનીને તેની નિવૃત્તિને મોક્ષ કહે છે. નૈયાયિક અવિદ્યાને પદાર્થાંતર ન માનતા અર્દષ્ટરૂપ માનીને તજ્જન્યદુઃખનિવૃત્તિને મોક્ષ કહે છે. આ બંને પક્ષ તત્ત્વજ્ઞાનથી અવિદ્યાનિવૃત્તિ થાય છે તેવું સ્વીકારે છે. યત્તુકાર બુદ્ધિનાશથી અવિદ્યાનિવૃત્તિ થાય છે તેવું માને છે. અવિદ્યા સ્વતંત્ર પદાર્થ હોય કે અદૃષ્ટ રૂપ હોય તેનું તેના મતે