Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara

View full book text
Previous | Next

Page 74
________________ સ્વાધ્યાય ] શાંતિ. ૧૭૫/૭થી ૯ અને ૩૦ ૧૪૨૧ થી ૨૩ ના આ છે (જુઓ પૃ. ૮-૮) લગભગ એક જેવા વાતાવરણમાં અને રાબ્દશઃ લગભગ સરખા કથાયેલા છે. મ.ભા. માં મેધાવી, જીવનની ક્ષણભંગુરતા સમજનાર પુત્ર અને કર્મકાંડી પિતાને જે સંવાદ થયો છે તેમાંથી આ લેકે લીધા છે. ઉ૦ ના લેકે કર્મકાંડી પિતાને પુત્રો (અને પાછળથી પત્ની પણ) કહે છે તેમાંથી લીધા છે. ૨. તૃષ્ણ આ સાથે સરખાવો મ.ભા. માં વન ૨/૩૬ અને અનુ. ૭/૨૪ એમ બે ઠેકાણે આવતે બ્લેક; અત્રે મૂકેલા શ્લોક શાંતિ. ૧૭૪/૫૫ ની જેમ (પૃ.૧૪) તૃષ્ણ છર્ણ થતી નથી એમ અસરકારક રીતે બતાવે છેઃ जीर्यन्ति जीर्यतः केशा दन्ता जीर्यन्ति जीर्यतः । चक्षुः श्रोत्रे च जीर्येते तृष्णैका न तु जीयते ॥ વૃદ્ધાવસ્થામાં કેશ જીર્ણ થાય છે, દાંત જીર્ણ થાય છે, ચહ્ન અને કાન જીર્ણ થાય છે, માત્ર એક તૃષ્ણા જ જીર્ણ થતી નથી. તણું વિશે અહીં મૂકેલા અનુ. ૯૩/૪૪, અને ઉ.૯૪૯ના શ્લોકો લગભગ શબદશઃ સરખા છે (પૃ. ૧૦–૧૧ ) અને એ બહુ પ્રાચીન જણાય છે, કારણ કે મ.ભા.ના જે અધ્યાયમાં આ લેક આવે છે. તે અધ્યાય એના અતિપ્રાચીન થરમાં છે.' અહીં મૂકેલા બ્લેકમાં મ.ભા. શાંતિ. ૧૭૪/૪૬ ઈ. અને “ધમ્મપદ - ની કેટલીક ગાથાઓમાં સમાન વિચાર વ્યક્ત થાય છે. “ધમ્મપદનું તસ્ત્રાવ વાંચતાં સમવિચારની છાયા આંખ આગળ આવે છે: ૧. અનુ. અ. ૯૩ “બિસતૈપાખ્યાન” વાણું પ્રાચીન છે એમ પણ તેમાય છે. છે. હેપકિન્સ પણ એમ માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114